Home Blog Page 1100

WhatsApp યુઝર્સ માટે નવું અપડેટ ! ચેટ લોક ફીચર, હવે આખી એપને લોક કરવાની જરૂર નહીં પડે.

New update for WhatsApp users

  • latest update on whatsapp 2023 : વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. જે તમારી પ્રાઇવસીને વધુ સિક્યોરિટી આપશે.

વોટ્સએપે (Whatsapp) તેના વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા રજૂ કરી છે. કંપનીનું આ નવું ફીચર પ્રાઈવસીને વધુ સુરક્ષા આપશે. વોટ્સએપ (Whatsapp) છેલ્લા કેટલાક દિવસોથી તેના પ્લેટફોર્મમાં સિક્યોરિટી (Security) અને પ્રાઈવસી પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને તેને લગતા અપડેટ્સ સતત લાવી રહ્યું છે. હવે પ્રાઇવસીને વધુ સિક્યોર બનાવવા માટે WhatsApp દ્વારા ચેટ લોક ફીચર બહાર પાડવામાં આવ્યું છે.

ચેટ લોકનું નવું ફીચર :

થોડા દિવસો પહેલા જ વોટ્સએપે યુઝર્સને એક નંબરથી 4 ડિવાઈસ પર લોગઈન કરવાનો ઓપશન આપ્યો હતો અને હવે યુઝર્સને ચેટ લોક ફીચર પણ મળી ગયું છે. જો કે તે હજી સુધી બધા વપરાશકર્તાઓ માટે આ ઉપલબ્ધ નથી. કંપની હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે અને તેને કેટલાક પસંદગીના બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે.

બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું ફીચર :

વોટ્સએપના અપડેટ્સ અને આવનારા ફિચર્સ પર નજર કરીએ તો કેટલાક બીટા યુઝર્સને WhatsAppનું ચેટ લોક ફીચર આપવામાં આવ્યું છે. યુઝર્સને આ ફીચરનો સૌથી વધુ ફાયદો એ મળશે કે હવે સમગ્ર વોટ્સએપને લોક કરવાની જરૂર નહીં પડે. પરંતુ હવે કેટલીક વ્યક્તિગત ચેટ્સ લોક કરી શકશે.

ડાઉનલોડ કરેલા ફોટા પણ દેખાશે નહીં :

આટલું જ નહીં જો તમે કોઈની ચેટ લોક કરો છો. તો તે ચેટમાં આવતા ફોટા અને વીડિયો ડાઉનલોડ થયા પછી પણ ગેલેરીમાં દેખાશે નહીં. યુઝર્સને ચેટ ઈન્ફો સેક્શનમાં નવું ચેટ લોક ફીચર મળશે.

આ પણ વાંચો :-

 

Today’s Horoscope : 29 એપ્રિલ 2023નું રાશિફળ : આ રાશિવાળાઓનો આજનો દિવસ ધન માનનો વ્યય, માનસિક તણાવ અનુભવશો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Today’s Horoscope

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું  વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ‌ચિંતા રહે, ત્યારબાદ મોજ,શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુન
હાજરજવાબી, ટીબળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ કહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય.

કન્યા
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઈસક્રીમ ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીન
નાના ભાઈ, બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

The Kerala Story ને ટ્રેલર જોઈ તમારા રૂવાડા ઉભા થઈ જશે, 32000 યુવતીઓ લવ જેહાદનો શિકાર

The Kerala Story
  • The Kerala Story Trailer ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની કહાની કેરલની હિન્દુ યુવતીઓને કઈ રીતે બ્રેન વોશ કરીને આઈએસઆઈના પક્ષમાં લડવા માટે તૈયાર કરવામાં આવી તેની છે. ફિલ્મમાં અદા શર્માએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની (Vipul Amritlal Shah) ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે આઈએસઆઈએસ આતંકવાદી સંગઠને 32000 કેરલની હિન્દુ યુવતિઓનું (Hindu girl) અપહરણ કરી ન માત્ર લવ જેહાદની શિકાર બનાવી પરંતુ તેને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા કામ પણ કરાવ્યા.

ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર બુધવારે રિલીઝ થયું  :

બુધવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. તેને લઈને ખુબ સનસની મચી છે. અદા શર્માએ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે- જે સત્ય હોય છે. તે તમને સ્વતંત્ર કરે છે. હજારો નિર્દોષ મહિલાઓ સિસ્ટમેટિકલી કન્વર્ટ કરવામાં આવી. રેડિકલાઈઝ કરવામાં આવી અને તેનું જીવન ખતમ કરવામાં આવ્યું. આ તેની કહાની છે. ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 મેએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સમય આપણી દીકરીઓને બચાવવાનો છે.

ધ કેરલ સ્ટોરીના ટ્રેલર પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે :

ઘણા લોકોએ ટ્રેલર પર પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- આ સમયનો સૌથી મોટો મુદ્દો છે, જેને હાઈલાઈટ કરવો જોઈએ. અન્ય એકે લખ્યું- સત્ય કહાની છે. હું એક યુવતીને જાણું છું. જે તેમાંથી પસાર થઈ ચુકી છે, જેનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. 1 દિવસ તેનું અપહરણ કરવામાં આવ્યું અને મલ્લાપુરમ મોકલવામાં આવી. ત્યારબાદ તેને સીરિયાઈ ભાષા શીખવાડવામાં આવી હતી.

નાની ઉંમરને કારણે તેને ઘરે પરત મોકલી દેવામાં આવી. બ્રેનવોશ હોવાને કારણે તે હિન્દુ ધર્મ અને કલ્ચરને લઈને સતત ગમે તેમ બોલતી રહી. એક દિવસ તેને આઈએસઆઈવાળા ઉઠાવીને લઈ ગયા અને ત્યારબાદ તે નથી મળી. કેરલની સરકાર પણ તેના પક્ષમાં છે. ગરીબ વ્યક્તિ કાયદાકીય લડાઈ ન લડી શકે. આ પ્રકારના ઘણા કેસ છે.

ધ કેરલ સ્ટોરીનું નિર્માણ અને દિગ્દર્શન વિપુલ શાહે કર્યુ છે :

કેરળ સ્ટોરીનું નિર્માણ અને નિર્દેશન વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે. અદા શર્મા ફિલ્મમાં ફાતિમા બાની ભૂમિકા ભજવે છે. એક હિંદુ મલયાલી નર્સ અને કેરળની 32000 ગુમ થયેલી મહિલાઓમાંની એક કે જેઓ ISIS દ્વારા ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

Pics : જ્હાન્વીને ઓફ શોલ્ડર ડ્રેસમાં જોઈને ફેન્સ થયા ક્લીન બોલ્ડ ! તસવીરોમાં જુઓ દિલકશ અંદાજ

Pics 

  • Janhvi Kapoor : જાહ્નવી કપૂરની ફેશન સેન્સ ખુબ જ સારી છે. તાજેતરમાં, ઑફ-શોલ્ડર આઉટફિટ પહેરીને, એક્ટ્રેસે કિલર ફોટોશૂટ કરાવ્યું છે.

જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) તેની ફિલ્મો કરતાં તેના કપડાને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસના ફોટોશૂટ સોશિયલ મીડિયા (Social Media) પર આગની જેમ લોકોનું ધ્યાન ખેંચે છે.

એક્ટ્રેસને પર્પલ ઓફ શોલ્ડર આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોમાં તમે જ્હાન્વી કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

બોલિવૂડની આ બ્યુટીની સુંદરતાએ સોશિયલ મીડિયા પર યુઝર્સનું દિલ જીતી લીધું છે. ફેન્સને જ્હાનવીનો આ બોલ્ડ પર્પલ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જ્હાન્વી કપૂર ક્લોઝ-અપમાં એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહ્યો છે જાહ્નવીનો સેટ મેકઅપ અને વેવી હેરસ્ટાઈલ, બંને તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તબાહી મચાવવા જાહ્નવીનો માત્ર એક ફોટો જ કાફી છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 21.5 મિલિયન લોકો ફોલો કરે છે.

આ પણ વાંચો :-

શહીદની ચિતા પર સૂઈ ગઈ પત્ની, કહ્યું મને પણ સાથે લેતા જાઓ… દ્રશ્ય જોઈ ગામ આખું હિબકે ચડ્યું

0

The wife slept  

  • દંતેવાડા જિલ્લાના જુદા જુદા ભાગોમાં બુધવારના નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી – માઓવાદીએ (Maoist) 27 એપ્રિલના રોજ એક નિવેદન જારી કરીને કહ્યું કે છત્તીસગઢના અરનપુરમાં નક્સલી હુમલા પાછળ તેનો હાથ હતો. સીપીઆઈ-માઓવાદીના દરભા વિભાગે તેના પત્રમાં આ હુમલાને ‘વીરતાપૂર્ણ’ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે તેને છત્તીસગઢના (Chhattisgarh) આદિવાસી નાગરિકો પર સરકાર અને સુરક્ષા દળોના અત્યાચારનો બદલો ગણાવ્યો હતો.

પરંતુ જ્યારે સીપીઆઈ-માઓવાદી આ નિવેદન લખી રહ્યા હતા ત્યારે દંતેવાડા જિલ્લાના જુદા જુદા ભાગોમાં બુધવારના નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

શહીદ પતિની ચિતા પર સુઈ ગઈ પત્ની :

આ તસવીરમાં એક મહિલા ચિતાના લાકડા પર સુતેલી જોવા મળે છે. એક પત્રકાર અવિનાશ પ્રસાદે ટવિટર પર આ તસવીર શેર કરી અને જણાવ્યું કે આ મહિલા હુમલામાં શહીદ થયેલા DRG જવાન લખમુ રામ મરકામની પત્ની છે. અવિનાશે લખ્યું કે લખમુ મરકામની પત્નીમાં તેના પતિના મૃતદેહને સળગતી જોવાની હિંમત ન હતી. તેથી તે પોતે તેની સામે ચિતા પર સૂઈ ગઈ જેથી તેના પતિના મૃતદેહને તેના પર ન મૂકાય.

આ કરુણ તસ્વીર દંતેવાડા જીલ્લાના કસોલી ગામની છે. નક્સલી હુમલામાં શહીદ થયેલા લખમુ મરકામની પત્ની ચિતાના લાકડા પર સુઈ ગઈ છે.તેનામાં પતિની લાશને સળગતી જોવાની હિંમત નથી. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો અમર જવાનના નારા લગાવે છે.

બાદમાં અવિનાશે તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો :

શહીદ લખમુ રામ મડકમી છત્તીસગઢના બીજાપુરના રહેવાસી હતા. તેમનું ઘર થાણા તહસીલ ભૈરમગઢ સ્થિત નિરમ ગામમાં છે. 5 જૂન, 1984ના રોજ જન્મેલા લખમુ રામ 29 જાન્યુઆરી, 2016ના રોજ ડીઆરજીમાં જોડાયા હતા. છેલ્લા સાડા છ વર્ષથી તે નક્સલ વિરોધી અભિયાનમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. 26 એપ્રિલ, 2023 ના રોજ નક્સલી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. લખમુ રામ 39 વર્ષના હતા.

તેના અંતિમ સંસ્કાર કયા ગામમાં થયા તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. વાયરલ ટવીટમાં જણાવવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર દંતેવાડાના કસોલી ગામમાં થયા હતા. જો કે જે શબપેટીમાં તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. તેમાં લખમુના નિરમ ગામનો ઉલ્લેખ છે. સેંકડો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. જેમણે પરંપરા અનુસાર જવાનના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ પણ વાંચો :-

ભાજપ નેતા હાર્દિક પટેલને મળી મોટી રાહત, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

0

BJP leader Hardik Patel  

  • પાટીદાર સમુદાયે તે સમયે અનામતની માંગણી ઉઠાવતા પાટીદાર આંદોલન થયું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ (તે સમયે કોંગ્રેસના નેતા હતા)ને તે સમયે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 2015ના કેસમાં આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

દેશની સર્વોચ્ચ કોર્ટે આજ ભાજપના નેતા હાર્દિક પટેલને 2015ના પાટીદાર આંદોલન [Hardik Bharatbhai Patel vs State of Gujarat] સમયના રમખાણો, હિંસા અને આગજનીના કેસમાં જામીન આપ્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટની એએસ બોપન્ના અને હીમા કોહલીની બેન્ચે આ કેસમાં હાર્દિક પટેલને વચગાળાની રાહત આપી હતી.

અત્રે જણાવવાનું કે પાટીદાર સમુદાયે તે સમયે અનામતની માંગણી ઉઠાવતા પાટીદાર આંદોલન થયું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ (તે સમયે કોંગ્રેસના નેતા હતા)ને તે સમયે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 2015ના કેસમાં આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તે અગાઉ મહેસાણાની નીચલી કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા કરી હતી.

ત્યારબાદ હાર્દિક પટેલે પોતાને થયેલી સજાને રદ્દ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેથી કરીને તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડી શકે. જો કે તે વખતે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને ગત વર્ષે એપ્રિલમાં તેમની સજા પર સ્ટે આપ્યો હતો.

આ પણ વાંચો :-

એક સમયે ખાવા માટે ભટકતો હતો આ ખેલાડી હવે તે IPLની આ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો

0

This player  

  • લખનૌ સુપર જાયન્ટસના સ્ટાર ખેલાડી માટે અહિયા સુધી પહોચવું સહેલું નહતું. એક સમયે ચક્રવાતમાં ફસાયો, ઘાયલ થયો. કેરેબિયન પ્રીમિયર લીગમાંથી બહાર થયો અને ડિપ્રેશનમાં ગયો અને આ રીતે પિતાએ ફરી પગભર કર્યો.

KL રાહુલની (KL Rahul) લખનઉ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) IPL 2023માં 7માંથી 4 મેચ જીતીને હાલ ચોથા સ્થાને છે અને રાહુલની લખનૌ ટીમ લીગમાં મક્કમ રીતે ઊભી છે. નોંધનીય છે કે તે ટોપ 4માં અકબંધ છે. એવામાં એક ખેલાડી રાહુલની ટીમની જાન બનતી જાય છે. એ ખેલાડીને એક સમયે ખાવા-પીવા માટે ભટકવું પડતું હતું અને એટલું જ નહીં એક સમયે તે ડિપ્રેશનમાં પણ ગયો હતો જે બાદ એ ખેલાડીને તેના પિતાએ ફરી પગભર કર્યો અને હાલ લખનૌ (Lucknow) સુપર જાયન્ટસનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે.

લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો :

એ ખેલાડી છે કાયલ મેયર્સ. તે એ જ કેરેબિયન ઓલરાઉન્ડર છે. જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 2021માં રિઝર્વ પ્લેયર તરીકે જોડવામાં આવ્યો હતો પણ કોરોનાને કારણે યુએઈમાં લીગનો બીજો તબક્કો યોજાયો ત્યારે ફ્રેન્ચાઈઝીએ તેને પાછો બોલાવ્યો ન હતો. નોંધનીય છે કે આવનારી સિઝનમાં લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો અને ત્યારથી તે આ ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે.

2 અડધી સદી સાથે કરી હતી સિઝનની શરૂઆત  :

30 વર્ષના મેયર્સ હંમેશા IPLમાં રમવાનું સપનું જોતો હતો જે આ સિઝનમાં સાકાર થયો. IPL 2023માં પણ તે અત્યાર સુધીમાં 7 મેચ રમી ચૂક્યો છે. તેણે આ સિઝનની શરૂઆત સતત 2 અડધી સદી ફટકારીને કરી હતી. અત્યાર સુધીમાં તેણે 3 અડધી સદી ફટકારી છે. મેયર્સે આજે પોતાની અલગ ઓળખ બનાવી છે પણ અહીં સુધી પહોંચવું તેના માટે સહેલું નહોતું.

આ કારણે બન્યો ઓલરાઉન્ડર :

જણાવી દઈએ કે 2017માં તે તાલીમ શિબિર માટે ડોમિનિકા ગયો હતો. આ આઇસલેન્ડ દેશ છે જ્યાં સક્રિય જ્વાળામુખી છે. આઈસલેન્ડમાં આવેલા મારિયા ચક્રવાતમાં મેયર્સ ફસાઈ ગયા હતા. તે જ્યાં રોકાયો હતો તે એપાર્ટમેન્ટની છત પણ ઉડી ગઈ હતી. તેઓ ખાવા-પીવા માટે ભટકતો હતો અને ત્યારબાદ પોલીસે તેની મદદ કરી અને આ પછી 2018 માં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ.

જેના કારણે તેની રમત પર અસર પડી હતી અને બોલિંગના કામના બોજને ઘટાડવા માટે તેણે પોતાને બેટિંગ ઓલરાઉન્ડર બનાવવો પડ્યો હતો. આ ઈજામાંથી ફિટ થયા બાદ પણ કેરેબિયન પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો જેને કારણે તે લગભગ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

આ પણ વાંચો :-

 

રાત્રે તો એવું શું થાય છે કે કુતરાઓ રડવા લાગે છે ? કારણ જાણીને દંગ રહી જશો

What happens  

  • Why Dogs Cry At Night : રાતે ઘણીવાર કૂતરા રડતા હોય છે. તેમના રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં  ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો  કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે.

કુતરાનાં (Dogs) રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો  કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત (Ghost Ghost) જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે. પરંતુ આ વાતમાં ખરેખર કોઈ સચ્ચાઈ છે કે પછી ફક્ત વાતોના વડા છે. આજે અમે તમને વિસ્તારથી આ અંગે જણાવીશું.

કૂતરા રડવાનું કારણ :

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ કૂતરા રાતે રડે તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. તેમાંથી એક મુખ્ય કારણ ઉંમર વધવાનું છે. ઢળતી ઉંમરની સાથે સાથે કૂતરા શારીરિક રીતે નબળાઈ મહેસૂસ કરવા લાગે છે અને તેઓ પહેલાની સરખામણીએ વધુ એકલાપણું અને ઉદાસીનતા મહેસૂસ કરવા લાગે છે. તેના કારણે તેઓ રાતે રડીને પોતાનું દુખ અને નિરાશા વ્યક્ત કરે છે. અનેકવાર તેઓ પોતાના ગુજરી ગયેલા સાથીઓને પણ યાદ કરીને રડે છે.

ઈજા થવાથી પણ રડે છે :

એક્સપર્ટ કહે છે કે જ્યારે બીજા વિસ્તારના કૂતરા તેમના વિસ્તારમાં આવી જાય તો ત્યાંના કૂતરા રડવાનું શરૂ કરી દે છે. આમ કરીને તેઓ પોતાના વિસ્તારના કૂતરાઓને સાવચેત કરી રહ્યા હોય છે કે કોઈ અજાણ્યો કૂતરો તેમના વિસ્તારમાં ઘૂસી ગયો છે. આ સાથે જ તબિયત ખરાબ હોય કે ઈજા થઈ હોય તો પણ કૂતરા રાતે રડે છે.

રસ્તો ભટકી જાય તો રડે છે :

અનેકવાર સંશોધ કર્યા બાદ દાવો કરાયો છે કે જ્યારે કૂતરા રાતે રસ્તો ભટકી જાય કે પોતાના પરિવારથી અળગા થઈ જાય તો રાત થાય ત્યારે નિરાશ થઈને જોર જોરથી રડવા લાગે છે. આ બરાબર એવી જ ભાવના હોય છે જ્યારે કોઈ મનુષ્યનું બાળક પોતાના પરિવારથી અલગ થવા પર જોર જોરથી રડવા લાગે છે.

આ પણ વાંચો :-

‘ભાજપ ભલે ગાડી પરત લઈ લે પરંતુ…..’, આ શહેરમાં કોંગ્રેસે બગીચામાં શરૂ કર્યું કાર્યાલય

0

BJP may take back  

  • રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પોતાના આકાઓને રાજી રાખવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુકલને પણ યાદ કર્યા હતા.

જૂનાગઢ (Junagadh) બાદ રાજકોટ મનપામાં વિપક્ષ નેતાનું (Leader of the Opposition) કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુ. કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ભાજપ ગાડી ભલે પરત લઈ લે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જોઈએ.

આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પોતાના આકાઓને રાજી રાખવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુકલને પણ યાદ કર્યા હતા. અને તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું. અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતા પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.

શિક્ષણ સમિતિ આખે આખી બોરખાસ્ત કરવામાં આવી તે ફાઈલો ભાનુબેને ખોલી હોવાથી તેમનો અવાજ દબાવવા કાર્યાલય ખાલી કરાવવામાં આવ્યું હોવાનું કહી RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવા માટે તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતી જ રહી છે. આવનારા દિવસોમાં પણ કાર્યાલય કે કાર નહીં હોય તો પણ અમારી લડાઈ ચાલુ રહેશે. ભાજપ દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાનાં ભાગરૂપે અને વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે પત્રો લખી કરેલી રજુઆતનાં કારણે કાર્યાલય અને કાર છીનવી લેવામાં આવી છે. પરંતુ અમે મનપાનાં પ્રાંગણમાંથી લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવીશું.

રાજકોટ કોંગ્રેસના નેતાઓના આક્ષેપ બાદ ભાજપનો જવાબ :

રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસનું કાર્યાલય તેમજ વિરોધ પક્ષના નેતાની ગાડી છીનવાઈ જતા રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જેને લઈને શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ કોંગ્રેસના નેતાઓ ઉપર કર્યા આકરા પ્રહારો કર્યા હતા તેમજ જણાવ્યું હતુ કે એકવપં પ્રકારની ફાઈલો ગાંધીનગર કોંગ્રેસના નેતાઓએ પહોંચાડી નથી ખોટી વાતો કરે છે. અને નિયમ મુજબ જ વિપક્ષ નેતા પદ લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

Netflixનો પાસવર્ડ હવે શેર કરશો તો વધુ પૈસા કપાશે ! કંપનીએ બહાર પાડ્યું નવું ફીચર

Netflix 

  • Netflix સ્પેનમાં 1 મિલિયન કરતાં વધુ વપરાશકર્તાઓ ગુમાવી ચૂક્યું છે કારણ કે તેણે પાસવર્ડ શેરિંગ પર ક્રેક ડાઉન કરવાનું શરૂ કર્યું છે. આને પાસવર્ડ-શેરિંગ પર કંપનીના પ્રતિબંધોનો બેકફાયર પણ ગણી શકાય.

નેટફ્લિક્સે (Netflix) અગાઉ પાસવર્ડ શેરિંગ પર ક્રેક ડાઉન કર્યું છે કારણ કે તે તેના સબ્સ્ક્રાઈબર બેઝને (subscriber base) અસર કરી રહ્યું હતું. તાજેતરના અહેવાલો અનુસાર Netflix સ્પેનમાં 1 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ગુમાવી ચૂક્યું છે કારણ કે તેણે પાસવર્ડ શેરિંગ (Password Sharing) પર ક્રેક ડાઉન કરવાનું શરૂ કર્યું છે. આને પાસવર્ડ-શેરિંગ પર કંપનીના પ્રતિબંધોનો બેકફાયર પણ ગણી શકાય.

આટલા પૈસા ચૂકવવા પડશે :

નેટફ્લિક્સે માસિક ફી રજૂ કરી છે. જે સ્પેનિશ વપરાશકર્તાઓએ 5.99 યુરો (આશરે રૂ. 500) ચૂકવવી પડશે. આ શુલ્કનો હેતુ વપરાશકર્તાઓને તેમની લોગિન વિગતો અન્ય લોકો સાથે શેર કરતા અટકાવવાનો છે. નેટફ્લિક્સે તકનીકી પગલાંનો ઉપયોગ કરીને શેરિંગને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે નેટફ્લિક્સ દ્વારા ગુમાવેલા બે તૃતીયાંશ વપરાશકર્તાઓ અન્ય લોકો સાથે પાસવર્ડ શેર કરી રહ્યા હતા.

નેટફ્લિક્સને નુકસાન :

તેના પાસવર્ડ-શેરિંગ ક્રેકડાઉનના નકારાત્મક પરિણામો હોવા છતાં, Netflix આવકના નુકસાનને રોકવા માટે આવા પગલાં લેવાનું ચાલુ રાખી શકે છે.  લેટિન અમેરિકન દેશોમાં સફળ રોલ-આઉટ બાદ Netflix એ પોર્ટુગલ, કેનેડા અને ન્યુઝીલેન્ડમાં પાસવર્ડ શેરિંગ માટે સમાન ફી લાગુ કરી છે. આ ફીની જાહેરાતને શરૂઆતમાં દરેક માર્કેટમાં નકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પરંતુ Netflix અપેક્ષા રાખે છે કે આ ટેમ્પરરી રહેશે..

આ પણ વાંચો :-