આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો

Share this story

This little thing  

  • Mulethi Health Benefit : એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા.

વાતાવરણમાં સતત ફેરફાર થાય છે તેની સૌથી વધુ અસર સ્વાસ્થ્ય (Health) પર જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં પણ શરદી ઉધરસ જેવા ઇન્ફેક્શન વાતાવરણમાં થતા ફેરફારના કારણે સતાવે છે. સામાન્ય રીતે કફ ઉધરસ જેવી તકલીફો ઠંડીના વાતાવરણમાં થાય છે. પરંતુ વાયરલ ઈન્ફેક્શનના (Viral infection) કારણે ઉનાળામાં પણ આવી તકલીફ રહે છે. એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે.

પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા. મુલેઠીમાંથી બનેલી ચા પીવાથી ગળામાં થયેલું ઈન્ફેક્શન કફ અને ઉધરસથી રાહત મળે છે.

મુલેઠી એન્ટીફંગલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવતી વસ્તુ છે. તેના કારણે કફ અને ઉધરસથી તુરંત રાહત મળે છે. આ ઉપરાંત મુલેઠીમાં એવા એન્જાયમ હોય છે જે ઇમ્યુનીટી પણ વધારે છે. મુલેઠી ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાંથી તૈયાર કરેલી ચા પીવાથી ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યા મટાડવામાં મદદ મળે છે. આ ચા પીવાથી શ્વસનતંત્રમાં લાગેલું ઈન્ફેક્શન પણ મટે છે અને કફ તેમજ ઉધરસ ની સમસ્યાથી ઝડપથી રાહત થાય છે.

મુલેઠીની ચા કેવી રીતે બનાવવી ?

સૌથી પહેલા તપેલીમાં બે કપ પાણી ગરમ મૂકવું. તેમાં અડધી ચમચી મુલેઠી પાઉડર ઉમેરવો. તે ઉકળી જાય એટલે તેમાં થોડું આદુ ઉમેરવું. પાણી એક કપ જેટલું બચે ત્યારે તેને ગેસ પરથી ઉતારી કપમાં ગાડી અને તેમાં મધ તેમજ લીંબુનો રસ ઉમેરીને ધીરે ધીરે તેનું સેવન કરવું. આ રીતે ચા બનાવીને દિવસમાં બે વખત પીવી. આ ચા પીવાની શરૂઆત કરશો એટલે ગળામાં દુખાવો ઉધરસ કફ જેવી તકલીફો દૂર થવા લાગશે.

આ પણ વાંચો :-