Home Blog Page 1102

Gold Rate Today : વળી પાછો સોનાના ભાવમાં કડાકો, જાણો ઘટ્યા બાદ કેટલો છે 10 ગ્રામ ગોલ્ડનો રેટ

0

Gold Rate Today 

  • ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે.

ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની (Gold Silver) ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના  ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર છે. જ્યારે ચાંદીના (Silver) ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 60431 પર બંધ થયો હતો જે આજે 60382 જોવા મળી રહ્યો છે.

સોના ચાંદીનો લેટસ્ટ ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 26મી એપ્રિલના રોજ શુદ્ધ સોનાનો (Pure Gold) ભાવ 10 ગ્રામના 60431 પર બંધ થયો હતો જ્યારે આજે 49 રૂપિયાના ઘટાડા સાથે 60382 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 49 રૂપિયાના ઘટાડા સાથે 60140 ના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું સોનું (Gold) 45 રૂપિયાના કડાકા સાથે 55310 રૂપિયાના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું સોનું 36 રૂપિયાના ઘટાડા સાથે 45287 ના ભાવે વેચાઈ રહ્યુ છે. 585 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું (Gold) 28 રૂપિયાના કડાકા સાથે 35324 ના સ્તરે છે.

ચાંદીની (Silver) વાત કરીએ તો 21 રૂપિયાના ઘટાડા સાથે એક કિલોના 74179 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શરાફા બજાર ખુલ્યું ત્યારે ભાવ તેજીમાં હતા પછી સતત ઘટતા ગયા અને તે આજે પણ ઘટેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

દીકરીના જન્મ પછી સ્ટ્રેસમાં રહે છે આલિયા ભટ્ટ, આ બાબતે ડોક્ટરની લેવી પડે છે સલાહ

Alia Bhatt
  • Alia Bhatt : આલિયાએ દીકરીના જન્મ પહેલા કામમાંથી બ્રેક લઈ લીધો હતો. હવે દીકરીના જન્મ પછી તેણે કરણ જોહર ની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ માટે શૂટિંગ શરૂ કર્યું છે. જો કે દીકરીના જન્મ પછી કામ કરવું આલિયા ભટ્ટ માટે સરળ નથી અને તેના કારણે તેને થેરાપી લેવાની જરૂર પડી રહી છે.

બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનું (Alia Bhatt) નામ આવે છે. થોડા સમય પહેલા જ આલિયા ભટ્ટે સુંદર દીકરી રાહાને જન્મ આપ્યો છે. આલિયાએ દીકરીના જન્મ પહેલા કામમાંથી બ્રેક લઈ લીધો હતો. હવે દીકરીના જન્મ પછી તેણે કરણ જોહર ની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની‘ (Rocky Aur Rani Ki Prem Kahani) માટે શૂટિંગ શરૂ કર્યું છે. જો કે દીકરીના જન્મ પછી કામ કરવું આલિયા ભટ્ટ માટે સરળ નથી અને તેના કારણે તેને થેરાપી લેવાની જરૂર પડી રહી છે.

દીકરીના જન્મ પછી આલિયા ભટ્ટ સતત ચિંતામાં રહે છે. એક મુલાકાત દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે દીકરીના જન્મ પછી સતત તેને ચિંતા સતાવે છે કે તે પોતાના બાળક અને કામ વચ્ચે બેલેન્સ કરી શકશે કે નહીં. તેને આગળ જણાવ્યું હતું કે તેની દીકરી ખુશમિજાજ બાળકી છે. તમે તેની સામે જોઈને થોડી સ્માઈલ કરો તો પણ તે હસી પડે છે. જોકે રાહાના જન્મ પછી આલિયા ભટ્ટને ઘણી વખત મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે.

આલિયા ભટ્ટ એ જણાવ્યું હતું કે તેને હંમેશા બધી જ વસ્તુ પરફેક્ટ પસંદ છે અને તે દરેક બાબતમાં બેલેન્સ રાખવા ઈચ્છે છે. તેથી તે કામ માટે પણ પેશન જાળવી રાખવા ઈચ્છે છે પરંતુ માતા બન્યા પછી બાળક ની દેખરેખ ને લઈને માતા ઉપર પ્રેશર વધે છે. આ બધી જ ચિંતા ના કારણે આલિયા ભટ્ટ પણ પરેશાન રહે છે.

આલિયા ભટ્ટ ની ફિલ્મોની વાત કરીએ તો ટૂંક સમયમાં જ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થશે.

આ પણ વાંચો :-

 કાળી દ્રાક્ષ કે લીલી દ્રાક્ષ ? કઈ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક ?

Black grapes or green grapes 

  • મોટા ભાગના લોકો લીલી દ્રાક્ષના ફાયદાઓથી વાકેફ છે. પરંતુ શું તમે ક્યારેય કાળી દ્રાક્ષના ફાયદાઓ પર ધ્યાન આપ્યું છે ? આજે અમે તમને આ બન્ને દ્રાક્ષના ફાયદા વિશે જણાવીશું.

દ્રાક્ષ (Grapes) એક એવું ફળ છે. જે દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટસ (Antioxidants) જેવા જરૂરી પોષક તત્વોથી પણ ભરપૂર છે. મોટા ભાગના લોકો લીલી દ્રાક્ષના (Green grapes) ફાયદાઓથી વાકેફ છે.

પરંતુ શું તમે ક્યારેય કાળી દ્રાક્ષના ફાયદાઓ પર ધ્યાન આપ્યું છે? લીલી દ્રાક્ષ વધુ ફાયદાકારક છે કે કાળી દ્રાક્ષ તે અંગે ઘણા લોકો કન્ફ્યુઝ રહે છે. આજે અમે તમને આ બન્ને દ્રાક્ષના ફાયદા વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે કઈ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

કાળી દ્રાક્ષ :

કાળી દ્રાક્ષને કોનકોર્ડ દ્રાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે. સામાન્ય દ્રાક્ષનો રસ અને વાઇન બનાવવા માટે આ દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. કોનકોર્ડ દ્રાક્ષ એન્ટીકિસડન્ટોથી ભરપૂર હોય છે.એવું પણ કહેવાય છે કે રેઝવેરાટ્રોલ હૃદય રોગના જોખમને ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

કોનકોર્ડ દ્રાક્ષને વિટામિન સી, વિટામિન કે અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. આ જ કારણ છે કે વજન ઘટાડવામાં પણ આ ફ્રૂટને ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

લીલી દ્રાક્ષ :

લીલી દ્રાક્ષનો ઉપયોગ સામાન્ય રીતે દ્રાક્ષનો રસ વાઈન અને કિસમિસ બનાવવા માટે થાય છે. વિટામીન સી અને વિટામીન Kની સાથે લીલી દ્રાક્ષમાં ફાઈબર અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આટલું જ નહીં, લીલી દ્રાક્ષ ફ્લેવોનોઈડ્સ સહિત ઘણા એન્ટીઓક્સીડેન્ટસનો પણ સારો સ્ત્રોત છે. લીલી દ્રાક્ષમાં કેલરી પણ ઓછી હોય છે..

કઈ દ્રાક્ષ સારી ?

જો કે કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે જો તમે કેલરીની માત્રા પર ધ્યાન આપી રહ્યા છો. તો તમારે લીલી દ્રાક્ષ ખાવી જોઈએ. એકંદરે બંને દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે તમારા પર નિર્ભર કરે છે કે તમે કઈ દ્રાક્ષ ખાવા માંગો છો. જો તમે ઈચ્છો તો બંને દ્રાક્ષને તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચો :-

મહીસાગરમાં માતાજીની ચૂંદડીનો મનોરથ ! નદીની વચ્ચે લહેરાઈ માતાજીની ચૂંદડી

0
Mother’s love in Mahisagar
  • Video Viral : તમે ક્યારેય જોયું હોય એવું અનેરું દ્રશ્ય મહીસાગર નદીમાં જોવા મળ્યું. મહીસાગરમાં નદીની વચ્ચોવચ્ચ લહેરાઈ રહી હતી માતાજીની ચૂંદડી. સંખ્યાબંધ લોકોએ મોબાઈલમાં આનો વીડિયો લઈને સોશિયલ સાઈટ પર શેર કર્યો.

ગુજરાતનો (Gujarat) મહીસાગર જિલ્લો બન્યો અનેરા મનોરથના સાક્ષી (Manoratha’s witness). મહીસાગર જિલ્લાના ડબકા ગામે માતાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ડબકા ગામે માતાજીની ચૂંદડીના મનોરથનો કાર્યક્રમ યોજાયો. જેમાં રેવા ફિલ્મ જેવા મનોરથ જેવા દ્રશ્યો જોવા મળ્યાં.

પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોક માતા તરીકે પૂજાઈ છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે માં મહીસાગરનો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલ વર્ષે પણ ડબકા ગામે માં મહીસાગર નો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ડબકા ગામ માંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.

યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જશપાલ સિંહ પઢીયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુન સિંહ પઢીયાર સાથે સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં માં મહીસાગરના મા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં 1100 દીવડાની મહા આરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લ્હાવો લીધો હતો.

મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહીસાગર નદીનું અનેરું મહત્વ છે મહિ નદી. જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, તે ભારતની એક પવિત્ર નદી છે. ઘણાં મંદિરો અને તેના કિનારે ઉપાસનાનાં પવિત્ર સ્થળોને કારણે ઘણા લોકો પૂજા કરે છે. તેની વિશાળતાને કારણે તેને આપવામાં આવેલ નામ મહીસાગર છે. ગુજરાતમાં આ નદી ધાર્મિકતા માં પણ ખૂબ જાણીતી છે. ત્યારે નર્મદા પરિક્રમાની જેમ આ નદીની પરિક્રમા પણ હવે શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ટ્રેન અને આકાશમાં પ્લેનના પાયલોટને કેવી રીતે ખબર પડે છે સાચો રસ્તો, બહુ ઓછા લોકોને છે ખબર !

How the pilot  

  • Knowledge Story : વિમાન અને ટ્રેનના પાયલોટને સાચો રસ્તો કેવી રીતે ખબર હોય છે, કઈ ટેક્નોલોજી ઉપયોગી છે તે ઓછા લોકો જાણે છે.

ટ્રેનમાં મુસાફરી (Travel) કરતી વખતે તમે ઘણીવાર જોશો કે સ્ટેશન પર ઘણા ટ્રેક છે. આવી સ્થિતિમાં ટ્રેન ડ્રાઈવર કઈ રીતે નક્કી કરશે કે તેણે કયા ટ્રેક પર જવું છે ?

તે જ સમયે ખુલ્લા આકાશમાં ઉડતા વિમાનને (Airplane) કઈ દિશામાં અથવા માર્ગે જવું પડે છે જેથી કરીને તે તેના ગંતવ્ય સ્થાને પહોંચે. આ પ્રશ્ન દરેક માણસના મનમાં આવે છે.

સમજાવો કે એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control) એટલે કે એટીસી પ્લેનના પાયલટને સૂચના આપે છે કે કઈ દિશામાં જવું અને ક્યાં ન જવું. જ્યારે પણ પાયલોટ પ્લેન ઉડાવે છે ત્યારે તેને રેડિયો અને રડાર દ્વારા રૂટ વિશે માહિતી આપવામાં આવે છે.

હોરીઝોન્ટલ સિચ્યુએશન ઈન્ડિકેટરનો ઉપયોગ એરોપ્લેનના પાઈલટને સૂચના આપવા માટે થાય છે. જે જોઈને પાઈલટ રૂટ પસંદ કરે છે.

આ પણ વાંચો :-

 

આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો

This little thing  

  • Mulethi Health Benefit : એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા.

વાતાવરણમાં સતત ફેરફાર થાય છે તેની સૌથી વધુ અસર સ્વાસ્થ્ય (Health) પર જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં પણ શરદી ઉધરસ જેવા ઇન્ફેક્શન વાતાવરણમાં થતા ફેરફારના કારણે સતાવે છે. સામાન્ય રીતે કફ ઉધરસ જેવી તકલીફો ઠંડીના વાતાવરણમાં થાય છે. પરંતુ વાયરલ ઈન્ફેક્શનના (Viral infection) કારણે ઉનાળામાં પણ આવી તકલીફ રહે છે. એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે.

પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા. મુલેઠીમાંથી બનેલી ચા પીવાથી ગળામાં થયેલું ઈન્ફેક્શન કફ અને ઉધરસથી રાહત મળે છે.

મુલેઠી એન્ટીફંગલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવતી વસ્તુ છે. તેના કારણે કફ અને ઉધરસથી તુરંત રાહત મળે છે. આ ઉપરાંત મુલેઠીમાં એવા એન્જાયમ હોય છે જે ઇમ્યુનીટી પણ વધારે છે. મુલેઠી ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાંથી તૈયાર કરેલી ચા પીવાથી ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યા મટાડવામાં મદદ મળે છે. આ ચા પીવાથી શ્વસનતંત્રમાં લાગેલું ઈન્ફેક્શન પણ મટે છે અને કફ તેમજ ઉધરસ ની સમસ્યાથી ઝડપથી રાહત થાય છે.

મુલેઠીની ચા કેવી રીતે બનાવવી ?

સૌથી પહેલા તપેલીમાં બે કપ પાણી ગરમ મૂકવું. તેમાં અડધી ચમચી મુલેઠી પાઉડર ઉમેરવો. તે ઉકળી જાય એટલે તેમાં થોડું આદુ ઉમેરવું. પાણી એક કપ જેટલું બચે ત્યારે તેને ગેસ પરથી ઉતારી કપમાં ગાડી અને તેમાં મધ તેમજ લીંબુનો રસ ઉમેરીને ધીરે ધીરે તેનું સેવન કરવું. આ રીતે ચા બનાવીને દિવસમાં બે વખત પીવી. આ ચા પીવાની શરૂઆત કરશો એટલે ગળામાં દુખાવો ઉધરસ કફ જેવી તકલીફો દૂર થવા લાગશે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ ! જાણી લો હવામાન વિભાગની આગાહી

0

ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ ! જાણી લો હવામાન વિભાગની આગાહી

  • Gujarat Forecast Updates : ગુજરાતમાં આ વખતનો ઉનાળો કંઈક અલગ જ પ્રકારનો છે. એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ વરસાદી ઝાપટાં. કમોસમી વરસાદને કારણે જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક થાય છે ત્યાં બીજી તરફ આ જ માવઠાનો માર જગતના તાતને પડી રહ્યો છે.

એક તરફ સતત ગુજરાતમાં (Gujarat) ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી રહ્યી છે. તાપમાન પહેલાં કરતા થોડું ઘટી રહ્યું છે. જો આ કમોસમી વરસાદ (Unseasonal Rain) ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની એટલે કે, માવઠાની આગાહી કરી છે.

આટલી આકરી ગરમી વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને આજે અને આવતી કાલે ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાંય રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધારે રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

2 કેચ છોડવા વિરાટ કોહલીની ટીમને પડયાં મોંઘા, KKRના આ બે સ્પિનરોએ ખેલ પાડી દીધો !

0

Dropping 2 catches cost Virat Kohli

  • કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડયા હતા અને બંને કેચ ટીમને ભારે પડયાં હતા.

IPL 2023એ તેની અડધી સફર પૂરી કરી લીધી છે એવામાં ગઈકાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ સતત 4 હાર બાદ તેમની પહેલી જીત નોંધાવી છે. કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું. જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડયા હતા અને બંને કેચ ટીમને ભારે પડયાં હતા.

નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું :

વાત એમ છે કે વિરાટ કોહલીફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી અને તેને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે પછી કોલકાતાની ટીમે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા જેમાં જેસન રોયે 29 બોલમાં 5 સિક્સર ફટકારી 56 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

આ સિવાય કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. તો વેંકટેશ અય્યરે 31 અને જગદીસને 27 રન બનાવ્યા હતા. એ ઇનિંગ દરમિયાન આરસીબી તરફથી વિજય કુમાર અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. એ મેચની આ ઇનિંગ રમતા નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું હતું.

બે કેચ ચૂકી RCB :

પહેલા ફાસ્ટ બોલર વિજય કુમારની 13મી ઓવરમાં ત્રીજા બોલ પર નીતિશ રાણાને જીવનદાન મળ્યું હતું. નીતિશે એરિયલ શોટ રમ્યો અને એ સમયે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર હતો અનેએ તેની પાસે આસાન કેચની તક હતી પણ તે ચૂકી ગયો. એ સમયે નીતિશ 5 રન પર રમી રહ્યો હતો.

હર્ષલ પટેલે બીજું જીવન આપ્યું :

નીતીશે પ્રથમ જીવનદાન મેળવ્યા બાદ વધુ 43 રન બનાવ્યા હતા. નીતિશને 15મી ઓવરના 5માં બોલ પર બીજું જીવન મળ્યું. આ વખતે પણ નીતીશે એરિયલ શોટ રમ્યો હતો. ત્યારબાદ હર્ષલ પટેલ પાસે કેચ પકડવાની આસાન તક હતી પણ તે ચૂકી ગયો. આ દરમિયાન નીતિશ 19 રન પર રમી રહ્યો હતો આ સાથે જ 16મી ઓવરમાં મેક્સવેલ કેચ પકડવાની તક ચૂકી ગયો હતો.

આ પણ વાંચો :-

Watch Video :  બાઈક ટેક્સી પર ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ છલાંગ લગાવીને પોતાની જાતને બચાવી

0

Watch Video

  • કર્ણાટકના પાટનગર બેંગ્લુરુથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાઈક  ટેક્સના એક ડ્રાઈવરે મહિલા સાથે છેડતી કરી. મહિલાઓ પોતાના બચાવમાં ચાલુ બાઈકે કૂદકો માર્યો. ડ્રાઈવરે કથિત રીતે મહિલાને નિર્ધારિત સ્થળ કરતા બીજા સ્થળે લઈ જવાની કોશિશ કરી.

કર્ણાટકના (Karnataka) પાટનગર બેંગ્લુરુથી (Bangalore) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાઈક  ટેક્સના એક ડ્રાઈવરે મહિલા સાથે છેડતી કરી. મહિલાઓ પોતાના બચાવમાં ચાલુ બાઈકે કૂદકો માર્યો. ડ્રાઈવરે કથિત રીતે મહિલાને નિર્ધારિત સ્થળ કરતા બીજા સ્થળે લઈ જવાની કોશિશ કરી. પોલીસે કહ્યું કે ઘટના 21 એપ્રિલે ઘટી જ્યારે મહિલાએ રાતે લગભગ 11 વાગે રેપિડો એપથી (Rapido App) એક સવારી બુક કરી.

ડ્રાઈવરે ઓટીપી ચેક કરવાની વાત કહીને મહિલાનો ફોન પડાવી લીધો. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે ચાલુ ગાડીએ તેની સાથે જબરદસ્તી કરવાની કોશિ કરી. મહિલાએ યેલહંકામાં અબરાર બીએમએસ કોલેજ પાસે પૂરપાટ ઝડપે ભાગતી બાઈકથી છલાંગ લગાવી. કોલેજનો ગાર્ડ મહિલાની મદદ કરવા માટે દોડયો તો બાઈક સવાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આરોપીની ઓલખ આંધ્ર પ્રદેશમાં રહેતા 27 વર્ષના દીપક રાવ તરીકે થઈ છે. તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવાયો છે.

બન્યું એવું કે ડ્રાઈવર ઈન્દિરાનગરની જગ્યાએ ડોડ્ડાબલ્લાપુર રોડ તરફ આગળ વધ્યો. મહિલાએ પૂછતા તે બાઈકની સ્પીડ વધારીને આગળ વધવા લાગ્યો. આ દરમિયાન પીડિત મહિલા તેને વારંવાર પૂછતી રહી કે તે ખોટી દિશામાં કેમ જઈ રહ્યો છે. આમ છતાં રેપિડોનો ડ્રાઈવર ચૂપ રહ્યો.

જ્યારે મહિલા ડરી ગઈ અને તેને બીજુ કઈ ન સૂજ્યું તો તેણે ચાલુ બાઈકે છલાંગ લગાવી. મહિલાના હાથ અને પગમાં ઈજા થઈ છે. તેણે હેલમેટ પહેરેલી હતી એટલે બચી ગઈ અને માથા તથા મોઢાં પર કોઈ મોટી ઈજા થઈ નથી. આ મામલે જાણકારી મળતા જ પોલીસે ઘટનાસ્થળનું સીસીટીવી ફૂટેજ શોધ્યું અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે આરોપી દારૂના નશામાં હતો.

આ પણ વાંચો :-

OnePlus એ જાહેર કરી નવા ટેબ્લેટની કિંમત, આ રીતે મેળવો 7 હજાર સુધીનો ડિસ્કાઉન્ટ !

OnePlus announced

  • Oneplus Pad : OnePlus એ તેના નવા પેડની કિંમત જાહેર કરી છે. તમે બે સ્ટોરેજ વેરિઅન્ટમાં વનપ્લસ પેડ ખરીદી શકશો.

વનપ્લસે (Oneplus) ફેબ્રુઆરીમાં તેનું પેડ રજૂ કર્યું હતું. આજે કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. ગ્રાહકો આ પેડને એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઈટ દ્વારા બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકશે. વનપ્લસ પેડ માટે પ્રી-ઓર્ડર 28 એપ્રિલથી શરૂ થશે.

કિંમત :

Oneplus પેડના 8/128GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે. જ્યારે તમે 12/256GB વેરિઅન્ટ 39,999 રૂપિયામાં ખરીદી શકશો. તમે ફક્ત લીલા રંગમાં જ પેડ ઓર્ડર કરી શકશો. આ પેડ પર ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે OnePlus વેબસાઇટ પર 5,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

સ્પેક્સ :

સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તમને 11.61-ઈંચની LCD ડિસ્પ્લે મળશે જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. પેડમાં તમને MediaTek Dimensity 9000 chipset, 9510 mAh બેટરી અને OxygenOS 13.1નો સપોર્ટ મળશે. આમાં તમને 8MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા મળશે. પેડમાં તમે કીબોર્ડ અને પેન કનેક્ટ કરી શકશો. OnePlusના મેગ્નેટિક કીબોર્ડની કિંમત 7,999 રૂપિયા છે જ્યારે તમે 4,999 રૂપિયામાં વ્હાઇટ સ્ટાઈલસ પેન ખરીદી શકશો.

આ પણ વાંચો :-