Home Blog Page 1103

1 મે થી લાગુ થશે TRAIનો નવો નિયમ, ફેક Call અને SMS થી યૂઝર્સને આ રીતે મળશે છૂટકારો

TRAI’s New Rule

  • Spam Call and SMS Filter : આગામી મહિનાથી ફેક કોલ અને એસએમએસ થી યુઝર્સને છુટકારો મળી જશે. કારણ કે ટ્રાયએ ટેલીકોમ કંપનીઓને ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. જેના કારણે સ્માર્ટફોન યુઝર્સને હવે ફેક કોલના કારણે વધારે પરેશાન નહીં થવું પડે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India) એટલે કે ટ્રાય 1 મેથી સ્માર્ટફોન યુઝર્સને (Smartphone Users) મોટી રાહત આપશે. ટ્રાય દ્વારા કોલિંગ અને એસએમએસ ને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ 1 મેથી થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી ફેક કોલ અને એસએમએસ (SMS) થી યુઝર્સને છુટકારો મળી જશે.

કારણ કે ટ્રાયએ ટેલીકોમ કંપનીઓને ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. આ ફિલ્ટરનો ઉપયોગ કરવાથી ફેક કોલ અને મેસેજ પર કંટ્રોલ કરી શકાશે. તેથી સ્માર્ટફોન યુઝર્સને હવે ફેક કોલના કારણે વધારે પરેશાન નહીં થવું પડે.

ફેક કોલ અને મેસેજથી લોકોને મુક્તિ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળું ફિલ્ટર ઉપયોગમાં લેવાશે. ટેલિકોમ કંપનીઓને આ અંગે આદેશ કરવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓએ એક 1 થી ફોન કોલ અને મેસેજ માટે આ સ્પેમ ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે. જેના કારણે યુઝર્સને સ્પેમ કોલ થી છુટકારો મળી જશે.

આ નવા ફિલ્ટર ના કારણે યુઝર્સ સરળતા થી જાણી શકશે કે કયો કોલ ફેક છે અને કયો મેસેજ સ્પામ છે. દિવસ દરમિયાન અનેક વખત ફેક કોલ પરેશાન કરે છે જેના કારણે ઘણી વખત સમસ્યા પણ થાય છે. હવે આવી સ્થિતિ મે 2023 થી સહન કરવી નહીં પડે.

ટ્રાય તરફથી ફેક કોલ અને મેસેજનો રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા ફિલ્ટર નો ઉપયોગ કરવાનો આદેશ કરવામાં આવતા જ કેટલીક કંપનીએ તેનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે. જેમકે ટેલિકોમ કંપની એરટેલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટર નો ઉપયોગ શરૂ કરી દીધો છે અને આગામી મહિનામાં જીઓ પણ આ સર્વિસ શરૂ કરી દેશે.

આ પણ વાંચો :-

Today’s Horoscope : 27 એપ્રિલ 2023 નું રાશિફળ : પૂરા એક વર્ષ બાદ વૃષભ રાશિમાં હશે સૂર્ય, આ રાશિના જાતકો પર પડશે અસર, ધનલાભના બની રહ્યા છે યોગ

Today’s Horoscope

મેષઃ
ગઇ કાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શહેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
વાણી વિલાસ સાચવી ન કરવો. બચત ઘસાતી જણાય. ગળા ના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વઘારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહઃ
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદવસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સતા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ
કોઇની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફતી લાભ. આર્થિક પલ્લુ મજબુત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃષિકઃ
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભઃ
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય, નવું વાંચવાનો-જાણવાનો પ્રસંગ બને. ઘાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

Today’s Horoscope : 26 એપ્રિલ 2023 નું રાશિફળ : તમારો આજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોએ માટે અમંગળ પણ સાબિત થઈ શકે, જુઓ રાશિ ભવિષ્ય

Today’s Horoscope : 26 એપ્રિલ 2023 નું રાશિફળ

મેષઃ
આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ, આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ, પરિવારમાં આનંદ, આરોગ્ય જળવાય.

વૃષભઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે, ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ
વાણી ચાતુર્થથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ, નાના ભાઈ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ આરોગ્ય સાચવવુ, રોગ પ્રતિકારક શકિત ઘટે થાક લાગે.કર્કઃ
મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઈ વ્યકિત આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષથી સારા સમાચાર મળે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા, કાપડના ધંધામાં પ્રગતિ, આવકમાં વધારો.

કન્યાઃ
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે

તુલાઃ
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેતનના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીન યોગ બને છે.

વૃશ્ચિકઃ
ભાગ્યના બળે આવકમાં વૃદ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલમાં ધંધા માટે શુભ

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાકારા‌ત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીનવસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવા શિવની ઉપવાસનાંથી લાભ થાય.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા અનુભવાય. આવક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુંટુબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

 

Gold Rate Today : કડાકા બાદ હવે સોનાના ભાવમાં આજે જોવા મળ્યો ભડકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો ભાવ

0

Gold Rate Today

  • Gold Price Today, 25 April 2023 : જો તમે પણ ગોલ્ડની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જો તમે પણ ગોલ્ડની (Gold) ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના (Gold) ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગોલ્ડનો ભાવ એકવાર ફરીથી હવે 60,000ને પાર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચેક કરો આજનો લેટેસ્ટ ભાવ શું છે.

લેટેસ્ટ સોના ચાંદીના ભાવ :

MCX પર સોનાનો ભાવ ચેક કરીએ તો 0.09 ટકાની તેજી સાથે 60055 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનાના ભાવમાં 90 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. જ્યારે MCX સિલ્વર 90 રૂપિયા તૂટીને 74900 રૂપિયા પ્રતિ કિલોગ્રોમના સ્તર પર જોવા મળી રહી છે.

શરાફા બજારમાં ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ સોમવારે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 60081 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જે આજે 287 રૂપિયાના વધારા સાથે 60368 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 286 રૂપિયાની તેજી સાથે 60126 રૂપિયા છે.

જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની કિંમત 263 રૂપિયા વધીને 55297ના સ્તરે પહોંચી છે. 750 પ્યોરિટીવાળા સોનાની કિંમત 215 રૂપિયા વધીને 45276 રૂપિયા જોવા મળે છે. 585 પ્યોરિટીવાળા સોનાની કિંમત 168 રૂપિયા વધીને 35315 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો પર 378 રૂપિયા વધીને 74768ના સ્તર પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કર્યો પોપ્યુલર એક્ટરે, 35 વર્ષની ઉંમરે છોડી દીધી દુનિયા

Popular actor committed

  • કન્નડ ટીવી એક્ટર સંપત જે રામેં આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લેતા અરેરાટી ફેલાઈ છે. જે મામલે તપાસ માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી (Kannada TV Industry) માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખ્યાતનામ કન્નડ ટીવી એક્ટર સંપત જે રામેં (Sampat J Ram) અકળ કારણોસર આત્મહત્યા કરી જીવતરનો અંત આણી લીધો છે. 35 વર્ષની વયે સંપત જે રામેં આ અંતિમ પગલું ભરી લેતા પરિવારજનો અને ચાહકોમાં અરેરાટી મચી ગઈ છે. બીજી તરફ સંપત જે રામના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે.

ઘણા સમયથી ડિપ્રેશનમાં ગરકાવ હતા :

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા ગજાના કલાકાર સંપત જે રામનું નિધન થયાનું સામે આવ્યું છે. સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા ખાતે આવેલ પોતાના નિવાસસ્થાને જીવતરનો અંત આણી લીધો છે.ઘરમાં પંખા સાથે લટકીને પોપ્યુલર એક્ટરે આપઘાત કર્યો છે. જેમને 35 વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી છે. સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓથી ઘેરાયા હતા.

જેમાં કંટાળી જઈ ઘણા સમયથી ડિપ્રેશનમાં ગરકાવ થયા હતા. એક વાત એવી પણ આવે છે કે એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ચિંતામાં હતા જો કે હજુ સુધી આ મામલે સંપત જે રામના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો હજુ સુધી સંપતના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ પણ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંપત જે રામે આત્મહત્યા કેમ કરી?

સંપત જે રામના નિધનને લઈને કન્નડ સિનેમા જગત હચમચી ગયું છે. કન્નડ ટીવી સીરિયલ ‘અગ્નિસાક્ષી’માં સંપત જે રામે પોતાના અદભૂત અંશ યશવસી અભિગમ જોવા મળ્યો હતો. બીજી તરફ કામની અછતને કારણે કન્નડ અભિનેતા આર્થિક તંગીના કારણે ઘણો પરેશાન હતો. જેના કારણે સંપત જે રામે આપઘાત કરી લીધાની આશંકા વ્યાકત કરાઈ છે.

આ પણ વાંચો :-

શું તમે પણ તાંબાની બોટલ ફ્રીજમાં રાખો છો ? આ વાત જાણી લેજો, નહીંતર વધી શકે છે આરોગ્યનું જોખમ

Do you also keep a copper

  • તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. પરંતુ શું તાંબાની બોટલમાં પાણી ફ્રીજમાં આખી રાત રાખવું યોગ્ય છે ? ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે.

ઘરોમાં મોટાભાગે વડીલોના મોઢેથી સાંભળવા મળે છે કે તાંબાની બોટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય અને પેટ બંને સારું રહે છે. આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં (Copper Vessel) પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દરરોજ પાણી પીવાથી શરીર ખૂબ જ ઉર્જાવાન બને છે. આ સાથે તે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણી એ નેચરલ ડિટોક્સ ડ્રીન્ક (Natural Detox Drink) છે.

તાંબાનું પાણી ઉનાળામાં નહીં પણ શિયાળામાં પીવું જોઈએ :

જો તમે આખી રાત તાંબાના વાસણમાં પાણી રાખો તો તેમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને આ પાણી શુદ્ધ બને છે. પછી તમે આ પાણીને સવારે ખાલી પેટ અથવા જમ્યા પછી પી શકો છો. પરંતુ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે આખા દિવસમાં માત્ર 2-3 ગ્લાસ જ પીવો.

નહિંતર, વધુ પડતુ તાંબાનું પાણી પીવું તમારા શરીર માટે નુકસાનકારક બની શકે છે. કારણ કે અત્યારે ઉનાળાની ઋતુ છે, ઘણી વખત તમે વિચારતા હશો કે શું ફ્રીજમાં તાંબાની બોટલમાં પાણી રાખવું યોગ્ય છે?

તાંબાના વાસણમાં રાખેલ પાણી ગરમ થઈ જાય છે :

તાંબાનું પાણી ગરમ હોય છે અને તેમાં પુષ્કળ એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. એટલા માટે તાંબાનું પાણી ઉનાળામાં નહીં પણ શિયાળામાં પીવું જોઈએ. જરા કલ્પના કરો કે જો તમે તાંબાની બોટલને ફ્રીજમાં રાખો છો તો તે વધુ ગરમ થવાને બદલે ઠંડી પડે છે. જે તમારા માટે ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે.

વધુ પડતુ તાંબાનું પાણી ન પીવો :

ફ્રીજમાં તાંબાનું પાણી ક્યારેય ન રાખો. કારણ કે તાંબામાં પાણી સ્ટોર કરવા માટે રૂમનું સામાન્ય તાપમાન શ્રેષ્ઠ છે. સાથે જ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે દિવસમાં બેથી ત્રણ ગ્લાસથી વધુ પાણી ન પીવો. કારણ કે તે ખૂબ જ ગરમ હોય છે. તે વધુ પ્રમાણમાં પીવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો :-

એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, 3 દિવસ આ શહેરોમાં પડશે વરસાદ

0

The weather of Gujarat

  • Gujarat Weather Today : કાળઝાળ ગરમી વચ્ચે આજથી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડશે માવઠું. આવતી કાલે અમદાવાદમાં વરસાદની આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની (Mawtha)  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજથી 3 દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી છે. આવતી કાલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની (Unseasonal Rain) શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં આવતીકાલ બુધવારથી ત્રણ દિવસ વાતાવરણ પલટાશે. રાજ્યના વિવિધ વિભાગોમાં તોફાની પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારથી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે. તેથી હવે ધ્યાન રાખજો.

બુધવાર 

દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા, સૌરાષ્ટ્ર-કચ્છ

ગુરુવાર

દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છ

શુક્રવાર

પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ

કાળઝાળ ગરમીથી રાહત મળશે :

આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે. દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે. ફરી એકવાર કરા અને માવઠાની મોસમ આવી છે. ગરમીનો પારો ડાઉન થશે. તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન 15 થી 25 ડિગ્રી જવાનુ અનુમાન છે.

આજે નવસારી જિલ્લામાં સવારથી જ વાતાવરણ પલટાયું છે. નવસારી જિલ્લામાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવસારીમાં વહેલી સવારથી ઘાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબીલિટી ઓછી રહેતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનની હેડલાઈટ ચાલુ રાખી લોકો વાહનો ચલાવી રહ્યા છે. ધુમ્મસ સાથે ઝાંકળ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ધુમ્મસે ખેડૂતોની ચિંતા વધારી છે.

આ પણ વાંચો :-

આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, યુવકને ચાલતા ચાલતા આવ્યું મોત, જુઓ CCTV

0

This scene will disturb you

  • Heart Attack Death : સુરતમાં ચાલતા ચાલતા હાર્ટ એટેક આવતા યુવકનું મોત, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

સુરતમાં રસ્તે ચાલતા ચાલતા એક વ્યક્તિને હાર્ટ એટેક (Heart Attack) આવી જવાથી મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Camera) કેદ થઈ છે. વ્યક્તિ ચાલતા ચાલતા અચાનક ઢળી પડયો હતો. હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી યુવાનોને જીમ કરતી વેળાએ, યોગા કરતી વેળાએ તેમજ ક્રિકેટ રમતી વેળાએ હાર્ટ એટેક આવવાથી મોત થતા હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકનું રસ્તે ચાલતા ચાલતા હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં દેખાય છે. યુવાન ચાલતા ચાલતા અચાનક ઢળી પડયો હતો. યુવાને બચાવવા માટે આજુબાજુના લોકો દોડી આવે છે. બીજી તરફ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

સુરતના સચિન વિસ્તારમાં રહેતા પંકજભાઈ દૌલતભાઈ પટેલ પલસાણા સ્થિત મિલમાં એકાઉન્ટ તરીકે કામ કરતા હતા. આજે બપોરે ઉધના હરીનગર ખાતે પિતાને મળીને પરત કામે જઈ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક તેઓ રસ્તા પર ઢળી પડયા હતા. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ ત્યાં એકઠું થઇ ગયું હતું. લોકોએ 108 ને બોલાવી તેઓને હોસ્પિટલ ખસેડયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ પંકજભાઈના પરિવારજનો પણ બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યાં તેઓના મોતના સમાચાર સાંભળી તેઓ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

સુશીલભાઈએ જણાવ્યું હતું કે મૃતક પંકજભાઈ દૌલતભાઈ પટેલ મારો ફોઈનો દીકરો હતો. આજે સવારે સાડા ૧૧ વાગ્યાની આસપાસ રસ્તામાં ચાલતા ચાલતા ભાઈ રસ્તામાં પડી ગયો હતો અને ત્યાં લોકોએ ૧૦૮માં તેને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. મને અહી એવું જણાવવામાં આવ્યું હતું કે હાર્ટ બંધ થઈ જવાના લીધે કે પછી હાર્ટ એટેકના લીધે મોત થયું હશે પરંતુ પીએમ રીપોર્ટ બાદ જ તેના મોતનું સાચુ કારણ સામે આવશે.

આ પણ વાંચો :-

દેશની વસ્તી ભલે વધીને ૧૪૨ કરોડ ઉપર પહોંચી ! ચાર કે પાંચ સંતાનો હોવાં જ જોઈએ ! ઈન્ડિયન મેડિકલ એસો.ના ડો. અનિલ નાયકની ચોંકાવનારી વાત

population of the country

  • સ્વામિ વિવેકાનંદ આઠમું સંતાન હતા. ડો. બાબાસાહેબ  આંબેડકર ચૌદમું સંતાન હતા જ્યારે ડો. અબ્દુલ કલામ પાંચમું સંતાન હતા. આવા અનેક મહાનપુરૂષોએ દેશને નવી દિશા આપવા સાથે વિશ્વમાં ભારતનું નામ ઉજળું કર્યું હતું.
  • સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસો.ના નવા પ્રેસિડેન્ટ ડો.પારૂલ વડગામાનો ઈન્સ્ટોલેશન સમારોહ યાદગાર પ્રસંગ બની ગયો. ડો. અનિતા શાહે, ડો. પારૂલને અખત્યાર સુપ્રત કર્યો.
  • સી.આર.પાટીલે સ્ત્રી સશક્તિકરણની વડાપ્રધાન મોદીની ઝૂંબેશની વાતને ટાંકીને ડો.પારૂલ વડગામાની ખૂબીઓ અને ખામીઓ તરફ અંગુલી નિર્દેશ કરી ડો.પારૂલની મહત્વકાંક્ષા, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતાની સરાહના કરી.

ગઈકાલે રવિવારની સાંજે શહેરની તબીબી આલમનો એક પ્રભાવક કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રસંગ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસીએશનના નવા વર્ષના પ્રેસિડેન્ટ ડો. પારૂલ વડગામાની વરણીનો હતો. પરંતુ આ સમારોહમાં ઉપ‌િસ્થ‌ત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઈન્ડિયન મેડિકલ એસો. ડો.અનિલ નાયક અને અન્ય વકતાઓએ આપેલા વકતવ્ય કરતા કરેલી વાતો વધુ અસરકારક અને મનને ખુશહાલ કરી દેનારી હતી.

નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં સમારોહ યોજાયો હતો આ સમારોહમાં માત્ર ડોકટર્સ જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રના લોકોની ખીચોખીચ હાજરીએ ડો.પારૂલ વડગામાના સંપર્કો અને લોકપ્રિયતા પુરવાર કરી હતી.
સાંસદ સી.આર.પાટીલે સાહજીક અને હળવાશથી રમૂજભર્યુ વકતવ્ય આપીને ડો. પારૂલની ખૂબીઓ અને ખામીઓની નિખાલસતાથી વાતો કરી હતી. તેમના વકતવ્યમાં કોઈ રાજકીયભાવ વ્યકત થતો નહોતો બલ્કે વ્યક્તિગત સંબંધો તરી આવતા હતા તેમણે ડો.પારૂલને ખૂબ મહત્વકાંક્ષી કહીને પણ તેમની મહત્વકાંક્ષાની સરાહના કરી હતી અને સાથે ડો.પારૂલની રાજકીય સફર તરફના પ્રયાણનો પણ ઈશારો કર્યો હતો. તેમણે ડો.પારૂલને તોફાની કહી હતી તો સાથે સાથે જવાબદારી પ્રત્યેનો ડો.પારૂલનો લગાવ અને પ્રતિબધ્ધતાનો પણ ઉલ્લેખ કરવા સાથે સુરત મેડિકલ કન્સલટન્ટ એસો.ના પ્રેસિડેન્ટ તરીકે ચોક્કસ સફળ પુરવાર થશે એવી ખાતરી પણ આપી હતી.

સી.આર.પાટીલે ડો. પારૂલ વડગામાને તેમની સાંજની કેબિનેટના એક સભ્ય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અમારી ઓફિસમાં લગભગ દરરોજ સાંજના સમયે થોડા પરંતુ કાયમી મિત્રો વચ્ચે હળવી વાતો કરવા સાથે નાસ્તા, પાણી કરવામાં આવે છે આ અમારી સાંજની કેબિનેટમાં ડો.પારૂલની લગભગ હાજરી હોય છે. ડો. પારૂલ એક કમિટેડ વ્યક્તિત્વ હોવાનો ઉલ્લેખ કરીને સી.આર.પાટીલે સુરતની તબીબી આલમ સામે ડો. પારૂલના સામાજિક અને રાજકીય કદમાં વધારો કરી દીધો હતો. આ ઉપરાંત સી.આર.પાટીલ ઘણું ઘણું  મન મુકીને બોલ્યા હતા તેમણે સુરતનો ભૂતકાળ, કટોકટીના પ્રસંગો, કોરોનાકાળ સહિતની ઘણીઘણી વાતો કરી હતી.

PHOTO-2023-04-24-20-03-16

કોઈ પદગ્રહણ સમારોહમાં વકતવ્ય આપવાને બદલે મિત્રો સાથે બેસીને પોતીકાપણાની વાતો કરતા હોય એવું વકતવ્ય ભાગ્યે જ સાંભળવા મળતુ હોય છે. તેમણે ડો.પારૂલ વડગામાના હસબન્ડ ડો. મેહુલ ભાવસાર માટે હળવી કોમેન્ટ કરી હતી. જોકે સમગ્ર સમારોહ દરમિયાન ક્યાંકને ક્યાંક ડો. મેહુલ ભાવસાર માટે હળવી કોમેન્ટસનો મારો ચાલુ રહ્યો હતો અને ડો.પારૂલે પણ પોતાની સામાજિક, રાજકીય મોકળાશ માટે ડો. મેહુલ ભાવસાર માટે એક સજ્જન અને નિર્દોષ, નિર્લેપ હસબન્ડ તરીકેનો ભાવ પ્રગટ કર્યો હતો.

ખેર, સી.આર.પાટીલ જેવી લાગણી અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના નેશનલ સેક્રેટરી ડો. અનિલ નાયકે વ્યક્ત કરી હતી. ડો.અનિલ નાયક મૂળભૂત રીતે ઉત્તર ગુજરાતના વતની છે. પોતે ડોકટર હોવાના તબીબી સ્વભાવને બાજુમાં રાખીને તેમણે કરેલી વાતો આશ્ચર્યજનક હોવા સાથે વાસ્તવિક પણ લાગતી હતી. પરંતુ વર્તમાન સમય, સંજોગોમાં સ્વીકારવી મુશ્કેલ કહી શકાય અલબત્ત તેમણે સામાજિક ગણિત ગણાવ્યું તે મન માને નહીં પરંતુ વ્યાજબી તો હતું જ.

ડો. નાયકે દેશમાંથી પલાયન થઈ રહેલા બુધ્ધિધન તરફ અંગુલીનિર્દેશ કરવા સાથે સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સહિત અન્ય મહાનુભાવોને યાદ કરીને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ તેમના પરિવારનું આઠમું સંતાન હતા. ડો. આંબેડકર તેમના પરિવારમાં ચૌદમું સંતાન હતા જ્યારે ડો. અબ્દુલ કલામ તેમના પરિવારનું ૫મું સંતાન હતા.

ડો. નાયકનું કહેવું હતું કે દેશમાંથી ક્રમશઃ બુધ્ધિધન બહાર જઇ રહ્યું છે. ભલે લોકોની એવરેજ લાઈફમાં વધારો થઈ રહ્યો હોય પરંતુ ડોકટર્સની સરેરાશ લાઈફમાં ૧૦ વર્ષનો ઘટાડો થઇ રહ્યો છે !

ડો. નાયકની વાત આશ્ચર્યજનક હતી પરંતુ થોડું વિચારીને વાસ્તવિકતા તરફ જોવામાં આવે તો ડો. નાયકની વાતમાં જરૂર કંઇક તથ્ય હતું. ડો. નાયકે સીધી અને સટ વાત કરતા કહ્યું હતું કે, વર્તમાન સમયમાં મોટાભાગના બુધ્ધિજીવી પરિવારો એક સંતાનથી અટકી જાય છે. પૈસો, સંપત્તિ અને પ્રતિષ્‍ઠા બધુ જ હોવા છતા એક જ સંતાન શા માટે? આવો સવાલ કર્યા બાદ તેમણે સુખી સંપન્ન પરિવારોને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકોને જન્મ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે નરી વાસ્તવિક વાત કરતા કહ્યું હતું કે એક જ સંતાન હોય અને તેને કંઈ થઈ જાય અથવા તો નબળુ નીકળે તો શું? અને આવું થાય તો બીજું સંતાન વિકલ્પ બની શકે. તેમણે સ્વામી વિવેકાનંદ, ડો. આંબેડકર, ડો. અબ્દુલ કલામના પરિવારોનો ઉલ્લેખ કરીને દેશને મળેલી મહાન હસ્તીઓ તરફ અંગુલી નિર્દેશ કરીને પોતે કરેલી વાતને યથાર્થ ઠેરવવાની કોશીષ કરી હતી.

PHOTO-2023-04-24-20-03-16 (1)

ડો. અનિલ નાયકે બીજી પણ ઘણી સારી વાતો કરી હતી તેમણે અમેરિકાના વોરેન બફેટ, બિલગેટ્સ વગેરેના દાખલા ટાંકીને કહ્યું હતું કે ડોકટર્સે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. તેમણે કર્મ અને વ્યવસાય વચ્ચેની ભેદરેખા સમજાવતા કહ્યું હતું તમે ડોકટર્સ છો એટલે દરદીની સારવાર કરવી એ તમારુ કામ છે એટલે કે તમારાે વ્યવસાય છે પરંતુ ગરીબ, નિરાધાર લોકોની સેવા કરવી તેમને કોઇપણ પ્રકારે દાન આપવું ડોકટર્સનું કર્મ છે અને આ કર્મ ક્યારેય પણ એળે જતું નથી. કુદરત ક્યાંકને ક્યાંક વળતર ચૂકવી આપે છે.

ડો. અનિલ નાયકે ઘણીબધી વાતોને તેમના વકતવ્યમાં આવરી લીધી હતી અને હોલમાં બેઠેલા પ્રત્યેક ડોકટર્સ અને આમંત્રિત લોકોના માનસપટમાં છવાઈ ગયા હતા. તેમની પ્રત્યેક વાતમાં દમ હતો, બોલ્ડ હતી તેમણે રાજકીય જીવનની વાતો પણ કરી હતી. પપ્પુનો ઉલ્લેખ કર્યા વગર ‘રાહુલ’ ને પણ યાદ કરી લીધા હતા.  તેમણે એક કરતા વધુ સંતાનોનો ઉલ્લેખ કરતી વખતે તેમણે ‘રાહુલ’નો સંદર્ભ ટાંકીને હાસ્ય રેલવ્યું હતું.

એકંદરે ડો. પારૂલ વડગામાનો સુરત મેડિકલ કન્સલટન્ટસ એસોસીએશનના પ્રેસિડેન્ટ તરીકેનો પદગ્રહણ સમારોહ એક સંભારણું બની ગયો હતો.

ડો. પ્રશાંત નાયકે (આભા લેબ) પણ તેમના એન્કરીંગ દરમિયાન કરેલી હળવી કોમેન્ટસને કારણે પણ સમારંભ આનંદસભર રહ્યો હતો.

ભાવનગરના ડો. નિમિત ઓઝાએ ‘‘ભરપૂર જીવી લઈએ, ખાલી થઈને મરીએ!’’ વિષયને કેન્દ્રમાં રાખીને હળવાશની વાતો કરી હતી.

આ પણ વાંચો :-

 

iPhone On EMI : ભારતમાં Apple Store આવ્યા બાદ EMI પર આ રીતે ખરીદો iPhone

iPhone On EMI

  • Apple ના ઉત્પાદનો જેમ કે iPhone, iMac, iPad, Earpods વગેરે ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા વેચાય છે. ભારતમાં iPhone ની લોકપ્રિયતાને ઘણા કારણો માટે જવાબદાર ગણાવી શકાય છે. સૌપ્રથમ, તેને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે. જેમાં iPhone ની માલિકી સંપન્નતા અને સામાજિક દરજ્જા સાથે સંકળાયેલી છે.

એપલના સીઈઓ ટિમ કુકે (Tim Cook) ભારતમાં તેમના બે એપલ સ્ટોર્સ લોન્ચ કર્યા છે. એક મુંબઈમાં અને બીજી દિલ્હીમાં ખોલવામાં આવ્યા છે. ભારતમાં એપલ પ્રોડક્ટ્સનો (Apple products) ઘણો ક્રેઝ છે અને લોકો એપલના દિવાના છે. જો કે તેના ઉત્પાદનો ખૂબ જ મોંઘા છે. તેથી કોઈ તેને સરળતાથી ખરીદી શકતું નથી. તે જ સમયે ઘણા લોકો તેમને EMI પર ખરીદે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે EMI પર એપલ પ્રોડક્ટ્સ (Apple products) કેવી રીતે ખરીદી શકો છો.

આઈફોન :

Apple ના ઉત્પાદનો જેમ કે iPhone, iMac, iPad, Earpods વગેરે ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા વેચાય છે. ભારતમાં iPhone ની લોકપ્રિયતાને ઘણા કારણો માટે જવાબદાર ગણાવી શકાય છે. સૌપ્રથમ તેને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે. જેમાં iPhone ની માલિકી સંપન્નતા અને સામાજિક દરજ્જા સાથે સંકળાયેલી છે.

EMI :

અને iPhone ખરીદવાની લોકપ્રિય રીતોમાંની એક સમાન માસિક હપ્તા (EMI) વિકલ્પ છે. EMI એ નિશ્ચિત ચુકવણીની રકમને સંદર્ભિત કરે છે જે એક લોન લેનાર દ્વારા દર મહિને એક લોન લેનારને દર મહિને નક્કી તારીખ પર ત્યાં સુધી નક્કી કરવામાં આવે છે. જ્યાં સુધી લોન સંપૂર્ણ રીતે ચૂકવવામાં ન આવે. EMIમાં મૂળ રકમ અને બાકી લોનની રકમ પર વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. EMI નો ઉપયોગ સામાન્ય રીતે ગ્રાહક લોનમાં થાય છે. જેમ કે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન.

EMI યોજના
તો બીજી તરફ પ્રોડક્ટ માટે કોઈપણ EMI પ્લાન પસંદ કરતા પહેલા, તમારે પ્રોસેસિંગ ફી, વ્યાજ દર જેવા શુલ્ક તપાસવા જોઈએ કારણ કે તે અન્ય પ્રકારની ગ્રાહક લોન છે. આવી સ્થિતિમાં જો iPhoneને EMI પર લેવો હોય, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, ચાલો જાણીએ…

આ રીતે EMI પર iPhone ખરીદો :

– તમે ખરીદવા માંગો છો તે iPhone મોડલ પસંદ કરો અને તેની કિંમત તપાસો.

– તપાસો કે તે iPhone મોડલ EMI પર ઉપલબ્ધ છે કે નહીં.

– તમારા બજેટ અને ચુકવણીની ક્ષમતાને અનુરૂપ યોગ્ય EMI પ્લાન પસંદ કરો.

– EMI સ્કીમનો વ્યાજ દર, પ્રોસેસિંગ ફી અને કાર્યકાળ તપાસો.

– ખાતરી કરો કે તમારી પાસે EMI ચૂકવવા માટે પૂરતી ક્રેડિટ મર્યાદા સાથેનું ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ છે.

– જો તમે ઓનલાઈન સ્ટોરમાંથી iPhone ખરીદી રહ્યા છો. તો EMI ચુકવણીનો વિકલ્પ પસંદ કરો અને EMI ચુકવણી સાથે આગળ વધવા માટે તમારી પસંદગીની બેંક પસંદ કરો.
જો તમે ઑફલાઇન સ્ટોરમાંથી iPhone ખરીદી રહ્યાં છો, તો સેલ્સમેન તમને EMI ચુકવણી પ્રક્રિયામાં મદદ કરશે.

– જરૂરી વિગતો પ્રદાન કરો અને EMI યોજના માટે જરૂરી દસ્તાવેજીકરણ પ્રક્રિયા પૂર્ણ કરો.

– EMI પ્લાન મંજૂર થયા પછી તમે ડાઉન પેમેન્ટ ચૂકવી શકો છો અને બાકીની રકમ માસિક હપ્તામાં વહેંચવામાં આવશે.

– EMI ચુકવણીની મુદત પૂર્ણ કર્યા પછી તમે iPhone ના માલિક બનશો.

Apple ની અધિકૃત વેબસાઈટ (www.apple.com/) પર ઉપલબ્ધ માહિતી મુજબ, ગ્રાહકો પાત્ર HDFC બેંક કાર્ડ સાથે પસંદગીના ઉત્પાદનો પર લાભ મેળવી શકે છે. આ સાથે, મોટાભાગની બેંકો તરફથી નો કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ સિવાય, વ્યક્તિ એપલ સ્ટોર પર યોગ્ય મેક, આઈપેડ અથવા એપલ વોચ એક્સચેન્જ કરી શકે છે અને સારું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

આ પણ વાંચો :-