Home Blog Page 1087

WTC Final : ધુઆંધાર બેટિંગથી ભુક્કા બોલાવી રહ્યો છે આ ખેલાડી, ઓસ્ટ્રેલિયા માટે સાબિત થશે કાળ !

0

WTC Final

  • ટીમ ઈન્ડિયા પાસે આવી ગયો છે એવો ખતરનાક ખેલાડી જેની બેટિંગ જોઈને ઓસ્ટ્રેલિયા હાલ ગભરાઈ ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આ ખેલાડી એકલા હાથે વિરોધી ટીમને પડી શકે છે ભારે.

ક્રિકેટ વિશે કહેવાય છેકે ટેસ્ટ ક્રિકેટ (Test cricket) ઈઝ એ રિયલ ટેસ્ટ ઓફ ક્રિકેટર્સ. ત્યારે આ જેન્ટલમન ગેમમાં દરેક સારા ક્રિકેટ અને કેપ્ટનનું સપનું હોય છે ટેસ્ટમાં બેસ્ટ બનવાનું. ભારત પાસે ટિમ ઈન્ડિયા પાસે હવે આ મોકો છે. આ મોકો છે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની (World Test Cricket) ચેમ્પિયનશિપને જીતવાનો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનો એક ખેલાડી વિરોધી ટીમને ભારે પડી શકે છે.

હાલ આ બેટરની ધુઆંધાર બેટિંગથી આખી ઓસ્ટ્રેલિયા ટિમ થરથર ધ્રુજી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર ૭ જૂનથી ૧૧ જૂન સુધી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. ત્યારે આ મેચ પહેલાંથી જ ભારતના આ ખતરનાક બેટ્સમેનનું ઘાતક ફોર્મ જોઈને ઓસ્ટ્રેલિયન ટીમ પહેલેથી જ ધ્રૂજી રહી છે.

ભારતનો આ જુવાનિયો ઓસ્ટ્રેલિયાને હંફાવે છે :

ટીમ ઈન્ડિયાનો ખતરનાક બેટ્સમેન ઈશાન કિશન હાલ આઈપીએલમાં વિરોધી ટીમના ગાભા કાઢી રહ્યો છે. મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી IPL મેચમાં ઇશાન કિશને 21 બોલમાં 42 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ઈશાન કિશનની આ વિસ્ફોટક ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટાઈટલ મેચમાં ઈશાન કિશન વિકેટ કીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો :-

પાક. માં ફેલાયેલ અરાજકતા માટે અભિનેત્રીએ PM મોદીને જવાબદાર ઠેરવ્યા, દિલ્હી પોલીસે આપ્યો જોરદાર જવાબ

Crop. The actress blamed PM Modi

  • પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી સહર શિનવારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શિવારીએ ટ્વિટર પર દિલ્હી પોલીસને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને  ભારતની ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારતની સર્વોચ્ચ કોર્ટમાંથી તેને ન્યાય મળશે.

પાકિસ્તાનમાં (Pakistan) ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી સહર શિનવારીએ (Actress Sahar Shinwari) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શિવારીએ ટ્વિટર પર દિલ્હી પોલીસને (Delhi Police) ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને ભારતની ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારતની સર્વોચ્ચ કોર્ટમાંથી તેને ન્યાય મળશે.

પાકિસ્તાનની અભિનેત્રીને પોલીસે આપ્યો જવાબ :

શિવારીએ ટ્વીટ કરી કે કોઈ પણ દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક જાણે છે? મારે ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી છે જે મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવે છે. જો ભારતીય અદાલતો સ્વતંત્ર (જેવો તે દાવો કરે છે) છે તો મને વિશ્વાસ છે કે ભારતની સર્વોચ્ચ કોર્ટ મને ન્યાય અપાવશે.

દિલ્હી પોલીસે સહરી શિવારી પર કટાક્ષ કર્યો. દિલ્હી પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં નથી. પરંતુ જાણવા ઈચ્છીશું કે જ્યારે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે તો તમે ટ્વીટ કેવી રીતે કરી રહ્યા છો?

સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસના આ જવાબની ખુબ ચર્ચા થઈ રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસની આ ટ્વીટને લગભગ ૩૬.૬ હજાર લોકોએ લાઈક કરી છે. જ્યારે ૮૦૦૦થી વધુ લોકોએ રિટ્વીટ કરી છે.

પાકિસ્તાનમાં હાલત ખુબ નાજુક :

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહાર ધરપકડ થયા બાદ ભારે અફરાતફરીનો માહોલ છે. ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. આગચંપી થઈ અને પોલીસના વાહનોને આગને હવાલે કરાયા તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

આ પણ વાંચો :-

ગાંધીનગરમાં કારમાં હથિયારો મૂકીને પોલીસને દોડતી કરનાર પાટીદાર નીકળ્યો, વીજાપુર સાથે છે નાતો

0

The Patidar who put weapons

  • Gandhinagar News : ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી દેશી બનાવટનાં હથિયાર મળી આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી પાડયો હતો.

ગઈકાલે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી (Gandhinagar) બિનવારસી કારમાંથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા. આ બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. આખરે સાંજ સુધીમાં આ કાર કોની છે તે મામલો ખુલાસો થયો હતો. ગાંધીનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જેમાં સામે આવ્યું કે આ કાર જિતેન્દ્ર પટેલની (Jitendra Patel) છે. જેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી હતી. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર પાર્ક કરાયેલી હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૨ રિવોલ્વર, ૨ દેસી ક્ટ્ટા, ૩૦૦ જીવતા કારતૂસ મળ્યા હતા.

હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. જેના બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. ફલેટમાંથી અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની હ્યન્ડાઈ કાર મળી હતી. કાર પર ધૂળ જમા થયેલી હતી અને લાંબા સમયથી પાર્ક કરાયેલી હતી.

કાર મળી આવ્યા બાદ ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરતા સાંજ સુધી કારનો માલિક મળી આવ્યો હતો. કાર જીતેન્દ્ર પટેલ નામના શખ્સની હતી. સમગ્ર મામલે રેન્જ આઈજી અભય ચૂડાસમાએ જણાવ્યું કે, આટલા હથિયારો શા માટે લાવ્યો હતો તે બાબતે તપાસ ચાલુ છે અને પેન ડ્રાઈવ અને અન્ય ચીજો મળી આવી હતી. ગુજરાત ATSમાં પણ ગુનો નોંધાયેલો છે અને અગાઉ આ આરોપી સામે ગુનો નોંધાઇ ચુક્યો છે. તેમજ સ્થાનિકોની જાણકારી બાદ ગુનો રજીસ્ટર થયો હતો.

તેમણે કહ્યું કે, જીતેન્દ્ર પટેલ રીઢો ગુનેગાર છે. તેનો ગુનાહિત ઈતિહાસ છે અને ત્રણ મર્ડર કરી ચૂક્યો છે. ગુજરાત એટીએસમાં પણ એક હથિયારનો તેના પર ગુનો દાખલ છે. તે મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હોવાની વાત સામે આવી છે. વર્ષોથી ગાડી ત્યાં પડી હતી. તે પોતે એક વર્ષથી ભાડુઆત તરીકે રહી ચૂક્યો છે. એક વર્ષ પહેલાં જેલમાંથી છુટ્યો હતો. તે મૂળ વિજાપુરનો વતની છે અને હાલ અમદાવાદના ઘોડાસરમાં તેનું મકાન છે.

સરગાસણના સ્વાગત એફર્ડમા બિન વારસી કાર અને હથિયાર મળી આવી હતી. કારની ડિટેલ સર્ચ કરતા અલગ અલગ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાં જીતેન્દ્ર પટેલ નામનો માણસ આ કારનો માલિક હતો. જિતેન્દ્ર પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીતેન્દ્ર પટેલે લોકડાઉન પહેલા આ હથિયાર મંગાવ્યા હતા. આરોપી જૂનો ગુનેગાર છે. અગાઉ ત્રણ જેટલી હત્યાના ગુનામાં જોડાયેલ છે. સગીર છોકરીનું અપહરણ કરીને ભગાડી જવાનો અને ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ ગુનામાં જોડાયેલ છે.

આ પણ વાંચો :-

 

જીયોનો સૌથી સસ્તો પ્લાન, માત્ર ૧૧૯ રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ ૧.૫ GB ડેટા સહિત મળશે આ ફાયદા

Jio’s cheapest plan

  • Reliance Jio Cheapest Recharge Plans : જો તમે જિયો યૂઝર્સ છો તો RS ૧૧૯ Plan થી રિચાર્જ કરાવવા પર તમને JioTV, JioCinema JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

Reliance Jio Recharge Plans 2023 : દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના કસ્ટમરને ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે. જેમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS સહિત ડેટા બેનિફિટસ મળે છે. આ દરેક પ્લાનમાં અંતર વેલિડિટી અથવા ડેટાનું હોય છે. જિયોના ઘણા પ્લાન્સ છે. જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે ૧.૫ જીબી ઈન્ટરનેટ ડેટા (Internet data) મળી રહ્યો છે. પરંતુ અમે તમને જિયાના એક સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.

Jio RS 119 Plan માં મળે છે ઘણા ફાયદા

જિયો પોતાના યૂઝર્સને ૧૧૯ રૂપિયા (Reliance Jio RS 119 Plan) નો એક પ્લાન આપી રહ્યું છે, જે કમાલનો છે. તેમાં તમને બીજા પ્લાનની જેમ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ૧.૫ જીબી ડેટા મળશે. આ સાથે તમને ૩૦૦ ફ્રી એસએમએસનો પણ ફાયદો મળશે. એટલું જ નહીં આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર તમને JioTV, JioCinema, JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

આ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ૧.૫જીબી ડેટાવાળો જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર ૧૪ દિવસની હોય છે. તેથી તમે અનલિમિટેડ કોલિંગ, ફ્રી એસએમએસ સહિત ડેટા બેનિફિટસનો ઉપયોગ ૧૪ દિવસ સુધી કરી શકશો.

આ છે જિયોના 1.5 જીબી ડેટાવાળા શાનદાર પ્લાન્સ :

તો વધુ દિવસની વેલિડિટી સાથે ૧.૫ જીબી ડેટાવાળા જિયોના બીજા પ્લાન પણ હાજર છે. તેમાં જિયોનો 199 રૂપિયા, ૨૩૯ રૂપિયા, ૨૫૯ રૂપિયા, ૪૭૯ રૂપિયા, ૬૬૬ રૂપિયા અને ૨૫૪૫ રૂપિયાનો પ્લાન સામેલ છે. તમને જણાવી દઈએ કે ૧૯૯ રૂપિયાના પ્લાનની વેલિડિટી ૨૩ દિવસની છે. આ સિવાય ૨૩૯ રૂપિયાનો પ્લાન ૨૮ દિવસની વેલિડિટી સાથે આવે છે.

તો ૨૫૯ રૂપિયાના પ્લાનમાં એક મહિનાની વેલિડિટી મળે છે. Jio RS ૪૭૯ Plan નો પ્લાન ૫૬ દિવસની વેલિડિટી સાથે આવે છે. તો Jio RS ૬૬૬ Plan ૮૪ દિવસની વેલિડિટી અને Jio RS ૨૫૪૫ Plan કુલ ૩૩૬ દિવસની વેલિડિટી સાથે આવે છે.

આ પ્લાનમાં મળનાર દરેક બેનિફિટસ જિયોના ૧૧૯ રૂપિયાના પ્લાન જેવા છે. એટલું જ નહીં Jio RS ૧૧૯ Plan ને છોડીને બાકી દરેક પ્લાનમાં દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. જો તમે જિયો યૂઝર છો તો તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો.

આ પણ વાંચો :-

ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ ટિપ્સ

If you are not losing weight

  • Health Tips : જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા.

વજન ઘટાડવા (Lose weight) માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછું ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં વજન ઓછું નહીં થાય.

જો વજન થોડુ ઘણું પણ ઓછું થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના (Nutrient elements) અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા.

1. રોજ ૩-૪ લીટર પાણી પીઓ :

વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં ૧૦થી ૧૨ ગ્લાસ પાણી (૩-૪ લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. આ ઉપરાંત આટલું પાણી પીવાથી વારંવાર ખાવાની આદત પણ જતી રહે છે કારણ કે પાણીના કારણે પેટ ભારે હોવાનો અહેસાસ થાય છે. એટલું ધ્યાન આપો કે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીઓ.

2. સલાડ ખાઓ :

રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે.

3. ભોજન કર્યા બાદ ૧૫ મિનિટ ટહેલવાની આદત રાખો

બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ ૧૫ મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે પેટ બહાર આવે છે. જો તમે વધુ કેલેરીવાળુ ભોજન કર્યું હોય તો ખાધા બાદ ટહેલવાથી તે બળશે અને લાભ થશે.

4. જંક ફૂડ ન ખાઓ :

જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે. આ સાથે જ ચોકલેટ, કેક, ટોફી અને આઈસ્ક્રિમનું સેવન પણ ન કરો.

આ પણ વાંચો :-

૧૦ મે ૨૦૨૩નું રાશિફળ : દામ્પત્ય જીવનમાં મતભેદ, વિરોધીઓથી સાવધાન : આ જાતકોએ ગાફેલ ન રહેવું, શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

Horoscope of 10th May 2023

મેષઃ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય, સ્થાવર જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમિકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્ની સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વઉધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ મિલકત સુખમાં વૃદ્ધિ- નાણાકીય વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમિયાન સાવચેતી જરૂરી. હરીફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાકીય‌ નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવુ. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહનસુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ, વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Vijay Deverakonda Birthday : વિજય પાસે નહોતા ભાડું ચુકવવાના પૈસા, જાણો કઈ રીતે બન્યો સિનેમાનો અર્જુન

Vijay Deverakonda Birthday
  • Vijay Deverakonda : આજની તારીખમાં સિનેમા પર રાજ કરનાર વિજય દેવેરાકોંડાએ એક સમયે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેને યાદ કરીને તે ઘણીવાર ભાવુક થઈ જાય છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (South Film Industry) સુપરસ્ટાર કહેવાતા વિજય દેવેરાકોંડાનો (Vijay Deverakonda) આજે જન્મદિવસ છે. વિજય ભલે આજે સફળતાના શિખરે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની પાસે ભાડું ભરવાના પૈસા પણ નહોતા. બર્થ ડે સ્પેશિયલમાં (Birthday Special) અમે તમને વિજય દેવેરાકોંડાના સંઘર્ષનો પરિચય કરાવી રહ્યા છીએ.

વિજયનો જન્મ હૈદરાબાદમાં થયો હતો :

9 મે 1989ના રોજ હૈદરાબાદમાં જન્મેલા વિજય દેવરાકોંડાએ આજે ​​તે જે સ્થાન પર છે તે હાંસલ કરવા માટે સખત મહેનત કરી હતી. તેલુગુ પરિવારમાં જન્મેલા વિજયના પિતા દેવરકોંડા ગોવર્ધન રાવ દક્ષિણ ભારતીય ટીવી સ્ટાર રહી ચૂક્યા છે. આમ છતાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે વિજય દેવરકોંડાનો પરિવાર તેમને તેમના નામથી નહીં. પરંતુ ‘રાઉડી‘ કહીને બોલાવે છે. તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. વિજય બાળપણથી ખૂબ જ સ્પષ્ટવક્તા છે જેના કારણે તેને ‘રાઉડી’ કહેવામાં આવે છે.

2011માં ડેબ્યૂ કર્યું હતું :

ફિલ્મી કરિયરની વાત કરીએ તો વિજય દેવરાકોંડાએ વર્ષ 2011માં ફિલ્મ ‘નુવવિલા’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કરિયરના પ્રારંભિક તબક્કામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત એવું પણ બન્યું કે તેમની પાસે ભાડું ચૂકવવાના પૈસા નહોતા પણ તેમણે હાર માની નહીં.

આ ફિલ્મથી ‘વિજય’ મળ્યો :

‘નુવવિલા’ પછી વિજય દેવરકોંડાએ ‘ડિયર કોમરેડ’, ‘મહેનતી’ અને ‘વર્લ્ડ ફેમસ લવર’ જેવી ઘણી ધાંસુ ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેને 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી‘થી ઓળખ મળી હતી. આ ફિલ્મ હિન્દીમાં પણ રીમેક કરવામાં આવી હતી. જેનું નામ કબીર સિંહ હતું.

જણાવી દઈએ કે વિજય દેવરકોંડાએ ફિલ્મ લિગરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેમને સફળતા મળી ન હતી. અભિનય ઉપરાંત વિજય દેવરકોંડા ફિલ્મ નિર્માતા પણ છે. તેમની કંપનીનું નામ ‘હિલ એન્ટરટેઈનમેન્ટ’ છે. આ સિવાય તેની પાસે રાઉડી વેર નામની કપડાંની બ્રાન્ડ પણ છે.

આ પણ વાંચો :-

શું તમારા બાળકના પગ વારંવાર દુખે છે ? તો લઈ આવો આ જાદુઈ ડિવાઈસ

Does your child’s feet often hurt?  

  • Custom Insoles : ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે.

ઘણીવાર બાળકો સ્કૂલેથી આવતા અથવા તો રમતો રમીને આવ્યા બાદ ઘરે આવીને વારંવાર માતા-પિતાને ફરિયાદ કરે છે કે તેમના પગમાં દુખાવો છે. બાળકના પગનો દુખાવો (Leg pain) એ કોઈ સામાન્ય અથવા તો હળવાશમાં ન લઈ શકાય. જે બાળકના પગના તળિયા (Bottom) સમતળ હોવાના કારણે આ દુખાવો કારણભૂત છે.

100 માંથી 40 એવા બાળકો છે કે જેઓના પગ ફ્લેટ ફીટ હોવાના કારણે ચાલવા અને રમવા બાદ પગમાં દુખાવો થાય છે અને આવી સમસ્યાથી બાળકોને બચાવવા માટે હાલ વાલીઓ કસ્ટમાઈઝ ઈન્સોલ બનડાવી રહ્યા છે.

ખાસ કરીને કેટલીય વાર કેટલાક બાળકો પોતાના પગ દુખતા હોવાની ફરિયાદ માતાપિતાને કરતું હોય છે. આ દરમિયાન માતા પિતાએ આ વાત હળવાશથી ન લેવાના બદલે એક વાર પોતાના બાળકના પગના તળિયાને ચોક્કસથી ધ્યાનથી જોવાની વાલીઓને જરૂરીયાત છે. શક્ય છે કે તેમના બાળકના પગના તળિયા સામાન્ય નહીં, પરંતુ સમતળ હોય.

એક નજરમાં પગના તળિયા તમને જોવામાં ભલે સામાન્ય લાગે. પરંતુ તે તમારા બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. એક્સપર્ટ માની રહ્યા છે કે સમતળ તળિયાના કારણે બાળકો જ્યારે વધારે ચાલે અથવા તો રમે તો તેમના પગમાં દુખાવો શરૂ થઈ જાય છે અને વારંવાર તેઓ આ અંગે વાલીઓને ફરિયાદ પણ કરે છે.

ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ઘણા વાલીઓ ઈન્સોલ બનાવી રહ્યા છે. જેના કારણે બાળકો ભવિષ્યમાં આવી સમસ્યાથી બચી શકે. બાળકોના પગની સાઈઝ પ્રમાણે ઈન્સોલ બનાવવામાં આવે છે અને તે શૂઝની અંદર મૂકવામાં આવે છે. જેથી તેને ચાલવામાં અને રમવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને ભવિષ્યમાં પણ તે અનેક સમસ્યાથી બચી શકે છે.

હાલ શાળાના વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે કે પગના પંજા ફ્લેટ ફિટ એટલે કે સમતળ હોય છે. કેટલાકના પગમાં લો આર્ચ પણ જોવા મળે છે. જેના કારણે બાળકોને ઘણી પરેશાની થાય છે. બાળકો ઘરે આવીને ફરિયાદ કરે છે કે તેમના પગમાં પીડા થાય છે. જ્યારે આવા બાળકો વધારે ચાલે અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે ત્યારે તેમને પગમાં દુખાવો થતો હોય છે.

આખા પગમાં અથવા તો કાલ્ફમાં દુખાવો થતો હોય છે અથવા તો રાત્રે કાલ્ફની નસો ચડી જાય છે. આ સમસ્યા બાળકોમાં વંશાનુંગત હોવાના કારણે થાય છે. માતા પિતા કે ઘરમાં કોઈ વૃધ્ધને આવી સમસ્યા થઈ હોય તો બાળકોના પગના તળિયા સપાટ જોવા મળે છે.

આવી સમસ્યા ત્યારે નિદાનમાં આવી શકે જ્યારે બાળકોના મસલ્સના હાડકાનો વિકાસ થાય છે ત્યારે એક પ્રોપર ગાઈડન્સ મળી શકે છે. જેથી ભવિષ્યમાં તેમને સમસ્યા ઓછી થાય. ભવિષ્યમાં આવા બાળકોને નાની ઉંમરમાં કમરનો દુખાવો, ઘૂંટણની સાઈઝ બદલાઈ જાય આવી અનેક સમસ્યાઓ થી બચાવી શકાય છે. ખાસ કરીને આવા ફ્લેટ ફિટ, હાઈ આર્ચ, લો આર્ચ ના બાળકોને કસ્ટમાઈઝ ઈન્સોલ બનાવવામાં આવે છે.

જે સોલ હોય છે તે બાળકોના પગના તળિયાના માપ પ્રમાણે અને જેટલો આર્ચ જરૂરી છે તે પ્રમાણે કસ્ટમાઈઝ બંને પગોના ઇનસોલ તૈયાર કરવામાં આવે છે. જે તેઓ શૂઝમાં પહેરતા હોય છે આ ઈન્સોલ દોઢથી બે વર્ષ સુધી ચાલે છે. જેના કારણે હાડકાનું અલાયમેન્ટ સારું કરી શકાય છે. સાથે મસલ્સ પણ ગ્રો થશે અને એના કારણે બાળકોની વર્ક કેપીબિલિટી સારી થઈ જાય છે.

આ પણ વાંચો :-

KKR Vs PBKS : KKRના કેપ્ટન નીતિશ રાણા મુશ્કેલીમાં ફસાયા, ચૂકવવા પડશે આટલા લાખ રૂપિયા

0

KKR Vs PBKS 

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.

સોમવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) પંજાબ કિંગ્સને (Punjab Kings) પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. પરંતુ આ શાનદાર જીત બાદ તરત જ કોલકત્તાના કેપ્ટન નીતિશ રાણાને (Captain Nitish Rana) મોટો ઝટકો લાગ્યો છે. નીતીશ રાણા સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવ્યો છે અને તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. આ પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, “કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાને દંડ ફટકારવામાં આવ્યો છે. નીતીશ રાણા અને તેની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવી છે. કોલકત્તા આ સીઝનમાં પ્રથમ વખત સ્લો ઓવર રેટ બદલ દોષિત ઠેરવામાં આવી છે જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જો નીતિશ રાણા અને કોલકત્તા આ સીઝનમાં ફરીથી સ્લો ઓવર રેટ બદલ દોષિત સાબિત થશે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે. જો બીજી વખત દોષિત ઠરશે તો સમગ્ર મેચ ફી કાપવા ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

નીતિશ રાણાનું પ્રદર્શન શાનદાર રહ્યું :

જો કે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાએ સારી ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા રાણાએ 38 બોલમાં 51 રન બનાવ્યા હતા. રાણાની બેટિંગની મદદથી કેકેઆરએ પંજાબ કિંગ્સ સામે 180 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

આ જીત સાથે KKRએ પ્લેઓફમાં રમવાની આશા જીવંત રાખી છે. આ સીઝનમાં 11 મેચ રમ્યા બાદ KKRના 10 પોઈન્ટ છે અને તે ટેબલમાં પાંચમા નંબર પર છે. જો કે પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે KKRને છેલ્લી ત્રણ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો :-

હવે અહીં બન્યું મા ઉમિયાનું ભવ્ય ધામ : ગુજરાતના ૫૧ પાટીદાર પરિવાર પાટલા યજમાન બનશે

Now the grand abode 

  • Patidar Ma Umiya Temple In America : અમેરિકામાં મા ઉમિયાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે. રાજ્યમાંથી 51 પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.

મા ઉમિયાના ભક્તો દેશ વિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વ ઉમિયાધામ (World Umiyadham) બની રહ્યું છે. ત્યારે બીજી તરફ પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ જઈ રહ્યાં છે.

અમેરિકાના (America) કંટકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. આગામી ૨૧ મે ૨૦૨૩ને રવિવારના દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગુજરાતના ૫૧ પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા.

મા ઉમિયા નગરયાત્રાએ નીકળશે :

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૦૧ મે થી શરૂ કરી ૨૧ મે, ૨૦૨૩સુધી યોજાશે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. રીચમોન્ડ શહેરમાં મા ઉમિયા વિશાળ નગર યાત્રાએ નીકળશે. સાથે જ નવચંડીનું પણ આયોજન કરાયું છે.

અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે :

મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય ૨૧ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.

જાસપુરમાં બની રહેલા ભવ્ય ઉમિયા ધામ માટે અમેરિકાના ૨૫ શહેરોમાં મીટિંગ કરવામાં આવશે. આ મીટિંગ વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામા આવશે. ૬ ટ્રસ્ટીઓની ટીમ ૨૫ દિવસમાં આ બેઠકો કરશે. જેનો હેતુ મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાનો છે. અમેરિકાના ઉત્સવમાં રાજ્યમાંથી ૫૧ પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.

આ પણ વાંચો :-