HomeInternationalહવે અહીં બન્યું મા ઉમિયાનું ભવ્ય ધામ : ગુજરાતના ૫૧ પાટીદાર પરિવાર...

હવે અહીં બન્યું મા ઉમિયાનું ભવ્ય ધામ : ગુજરાતના ૫૧ પાટીદાર પરિવાર પાટલા યજમાન બનશે

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

Now the grand abode 

  • Patidar Ma Umiya Temple In America : અમેરિકામાં મા ઉમિયાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે. રાજ્યમાંથી 51 પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.

મા ઉમિયાના ભક્તો દેશ વિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વ ઉમિયાધામ (World Umiyadham) બની રહ્યું છે. ત્યારે બીજી તરફ પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ જઈ રહ્યાં છે.

અમેરિકાના (America) કંટકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. આગામી ૨૧ મે ૨૦૨૩ને રવિવારના દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગુજરાતના ૫૧ પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા.

મા ઉમિયા નગરયાત્રાએ નીકળશે :

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૦૧ મે થી શરૂ કરી ૨૧ મે, ૨૦૨૩સુધી યોજાશે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. રીચમોન્ડ શહેરમાં મા ઉમિયા વિશાળ નગર યાત્રાએ નીકળશે. સાથે જ નવચંડીનું પણ આયોજન કરાયું છે.

અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે :

મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય ૨૧ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.

જાસપુરમાં બની રહેલા ભવ્ય ઉમિયા ધામ માટે અમેરિકાના ૨૫ શહેરોમાં મીટિંગ કરવામાં આવશે. આ મીટિંગ વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામા આવશે. ૬ ટ્રસ્ટીઓની ટીમ ૨૫ દિવસમાં આ બેઠકો કરશે. જેનો હેતુ મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાનો છે. અમેરિકાના ઉત્સવમાં રાજ્યમાંથી ૫૧ પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img