સુખદેવ સિંહની હત્યા કેસમાં મોટી કાર્યવાહી, NIAના રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં દરોડા

Share this story

રાજસ્થાનના જયપુરમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. NIA ના અધિકારીઓએ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં ૩૧ સ્થળો પર દરોડા પડ્યા છે.

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે.બુધવારે સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા અને રાજસ્થાનમાં ૩૧ સ્થળોએ દરોડા પાડ્યા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.

ગોગામેડીની હત્યાનો કેસ તાજેતરમાં NIAને સોંપવામાં આવ્યો હતો. જયપુરમાં ગોગામેડીની હત્યાને અંજામ આપનારા બંને શૂટરોને રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની મદદથી ચંદીગઢથી પકડી પાડ્યા હતા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગોગામેડીની હત્યાની તપાસની જવાબદારી NIAને સોંપી હતી. કરણ કે કરણી સેનાના વડાની હત્યામાં ઘણા હાઇ પ્રોફાઇલ ગેન્ગસ્ટર સામેલ છે. NIAએ શકમંદોની પૂછપરછ પણ કરી હતી. રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા દરોડા શૂટરોની પૂછપરછ પર આધારિત છે. NIA અધિકારીઓ ૩૧ સ્થળોએ હાજર છે.

આ પણ વાંચો :-