HomeNationalબિહારનાં રાજકારણમાં આવ્યો મોટો વળાંક , ભાજપ હાઇ કમાન્ડે લાલુ પરિવારને કર્યો...

બિહારનાં રાજકારણમાં આવ્યો મોટો વળાંક , ભાજપ હાઇ કમાન્ડે લાલુ પરિવારને કર્યો ફોન 

Date:

Related stories

BAPSના સંતોની મુલાકાત દરમિયાન એફિલ ટાવરના મહિલા સ્ટાફને લઈને કેમ થયો વિરોધ?

દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંના એક એફિલ ટાવર પર...

સુરતની દ્વિતીની અદ્ભુત સ્મરણશક્તિ અને જિજ્ઞાસાએ બનાવ્યો રેકોર્ડ!

જ્યારે બાળકને મોબાઈ આપવાના બદલે તેને અન્ય પ્રવુતિમાં ભાગ...

Apple Foldable iPhoneથી બદલાઈ શકે છે Foldable માર્કેટની ગેમ, Samsung માટે કેમ વધી શકે છે પડકાર?

સ્માર્ટફોન માર્કેટમાં Appleની એન્ટ્રી ઘણી વાર માત્ર એક નવા...

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રીની શક્યતા છે....

ઇન્ડોનેશિયામાં ‘નર્કનું દ્વાર’ ખૂલ્યું ! અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યો, 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફરી એકવાર ફાટતા ભયનો માહોલ...
spot_img

Big turning point in Bihar politics

  • બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે ? એવી ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.

બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political upheaval) વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભાજપ હાઈકમાને પોતાના કટ્ટર વિરોધી આરજેડીના ચીફ લાલુ યાદવના (Lalu Yadav) પરિવાર સાથે વાતચીત કરી છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો વહેતી થઈ છે. ત્યારે ભાજપ અને નીતિશકુમાર (Nitishkumar) વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે ? એવી ચર્ચાઓ જોર પકડ્યું છે.

બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે. આ બધા વચ્ચે આરજેડીએ પોતાના તમામ વિધાયકોને કહ્યું છે કે આગામી 3-4 દિવસ પટણામાં જ રહે.

બીજી બાજુ આવો જ આદેશ કોંગ્રેસે પણ પોતાના વિધાયકોને આપ્યો છે. આરજેડીને લેફ્ટના ધારાસભ્યોનો પણ સાથ મળી રહ્યો છે. પરંતુ ભાજપ હાઈકમાન તરફથી લાલુ યાદવના પરિવારને કરાયેલા ફોને બધાને ચોંકાવી દીધા છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ બિહારમાં મહારાષ્ટ્રવાળી ગેમ થવાની તૈયારી હતી. સીએમ નીતિશકુમાર માટે આરસીપી સિંહ એકનાથ શિંદે બનવાના હતા. પરંતુ તે પહેલા જ નીતિશકુમારે સ્થિતિ જાણી લીધી અને આરસીપી સિંહે જેડીયુથી અલગ થવું પડ્યું. કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા આરસીપી સિંહને જેડીયુ તરફથી ફરી રાજ્યસભા સભ્ય ન બનાવવા પાછળ પણ આ જ કારણ કહેવાઈ રહ્યું છે. ભાજપ સાથે વધેલી આરસીપી સિંહની નીકટતા જેડીયુને ગમી નહીં.

આ બધા વચ્ચે કોંગ્રેસની બિહાર શાખાએ રાજ્યમાં રાજકીય ફેરફારની અટકળો વચ્ચે એક ડગલું આગળ વધતા નીતિશકુમાર જો ભાજપ સાથે નાતો તોડે તો તે પરિસ્થિતિમાં તેમને બિનશરતી સમર્થનની જાહેરાત કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી (AICC) સચિવ અને પાર્ટી ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું કે તમામ પાર્ટી ધારાસભ્યોએ સર્વસંમતિથી નીતિશકુમારના ભાજપ સાથે નાતો તોડવાની સ્થિતિમાં અસ્તિત્વમાં આવનારા નવા સમીકરણનું સમર્થન કરવાનો સંકલ્પ લીધો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img