- ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન ૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે Aditya-L1 પર ટકેલી છે.
ભારત ઝડપથી સ્પેસમાં પણ પોતાનો પાવર દેખાડી રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 (Aditya L1) મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આદિત્ય-એલ 1નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય-એલ 1નો ઉદ્દેશ્ય CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે.
ઈસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ 1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધી કાઢશે. મિશન આદિત્ય-L1 (મિશન આદિત્ય L1) ને ISRO ના ISTRAC સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે.
આદિત્ય-એલ 1ના પ્રક્ષેપણ સાથે ભારતની અવકાશ એજન્સી ISRO વિશ્વની એવી કેટલીક અવકાશ એજન્સીઓમાંની એક બની જશે જેણે અત્યાર સુધી સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યા છે. આ યાદીમાં અમેરિકા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન અને ચીનના સ્પેસ મિશનના નામ સામેલ છે.
આ પણ વાંચો :-
- Asia Cup 2023 : IND vs PAK મેચ પહેલા વિરાટ કોહલીની પાકિસ્તાની ખેલાડી સાથે શું વાત થઈ ?
- કોણ છે ભારતી દેવી જે વર્ષોથી આસારામનું ૧૦,૦૦૦ કરોડનું સંભાળી રહી છે સામ્રાજ્ય, આસારામને છે પૂરો વિશ્વાસ