HomeGujaratકોણ છે ભારતી દેવી જે વર્ષોથી આસારામનું ૧૦,૦૦૦ કરોડનું સંભાળી રહી છે...

કોણ છે ભારતી દેવી જે વર્ષોથી આસારામનું ૧૦,૦૦૦ કરોડનું સંભાળી રહી છે સામ્રાજ્ય, આસારામને છે પૂરો વિશ્વાસ

Date:

Related stories

ફૂડ પોઇસનીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો,FSL તપાસમાં શું મળ્યું?

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના...

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની...

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ...

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ...

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’... આ કોઈ બાળકની બર્થડે...
spot_img
  • આસારામ બાપુને જેલમાં બંધ થયાને દસ વર્ષ વીતી ગયા છે. તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. હવે સવાલ એ છે કે આસારામની કરોડોની સંપત્તિ કોણ સંભાળી રહ્યું છે. આજે એ મહિલાની કહાની વાંચી લો જેને આસારામે પોતાનું સમગ્ર સામ્રાજ્ય સંભાળવા માટે આપ્યું છે.

આસારામ બાપુ જેમને એક સમયે તેમના ભક્તો દ્વારા આટલું માન-સન્માન આપવામાં આવતું હતું, તેમને ભગવાન પણ માનતા આસારામ બાપુની કડવી વાસ્તવિકતા ૧૦ વર્ષ પહેલા સામે આવી હતી. બળાત્કારનો આરોપ, દોષિત પુરવાર થયો અને જેલના સળિયા પાછળ પહોંચી ગયા.

આસારામે જેલવાસના ૧૦ વર્ષ પૂરા કર્યા છે. જ્યારે આસારામ બહાર હતા ત્યારે તેમણે પોતાના કાળા કારોબારથી કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. સેંકડો આશ્રમો, દુકાનો, શાળાઓ આસારામની મિલકત અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની છે. આસારામે જેલમાં ગયા બાદ આ સંપત્તિને સંભાળવાની જવાબદારી ભારતી દેવીને આપી છે.

કોણ છે ભારતી દેવી જે આસારામના સમગ્ર બિઝનેસ પર નજર રાખે છે ?

હકીકતમાં આસારામની સાથે આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. તેના પર મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરવાનો અને બાળકોની હત્યા કરવાનો પણ આરોપ છે. ભારતી દેવી આસારામના તમામ આશ્રમોની દેખભાળ કરી રહી છે. ભક્તો ભારતી દેવીને ભારતીશ્રીના નામથી ઓળખે છે. ઉંમર ૪૪ વર્ષ. ક્યારેક સફેદ ઝભ્ભામાં તો ક્યારેક ફૂલોથી શણગારેલા મેક-અપમાં તે ભક્તો વચ્ચે પ્રવચન આપે છે.

ભારતી દેવી કેવી રીતે બની ૧૦ હજાર કરોડ રૂપિયાની માલિક ?

ભારતી દેવી આસારામની પુત્રી છે. આસારામ અને નારાયણ સાંઈ જેલમાં ગયા પછી ભારતી દેવીએ સમગ્ર આસારામ ટ્રસ્ટની જવાબદારી સંભાળી લીધી. આસારામના દેશભરમાં ૪૦૦થી વધુ આશ્રમો છે. અહીં ૧૫૦૦ થી વધુ સેવા સમિતિઓ, લગભગ ૧૭ હજાર બાલ સંસ્કાર કેન્દ્રો અને ૪૦ ગુરુકુલ છે. ભારતી દેવી છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ મિલકતો સંભાળવાનું કામ કરી રહી છે. જો કે વર્ષ ૨૦૧૮ માં જ્યારે આસારામ બાપુને પહેલા બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે તેમની પુત્રીએ તેમનાથી પોતાને દૂર કરી લીધા હતા. ભારતી દેવીએ તે સમયે કહ્યું હતું કે તેને આસારામ બાપુના આશ્રમો સાથે કોઈ લેવાદેવા નથી.

ભારતી દેવી પર ઘણા ગંભીર આરોપો : 

પિતા આસારામ બાપુ અને ભાઈ નારાયણ સાંઈની જેમ ભારતી દેવી પણ ગંભીર આરોપોનો સામનો કરી રહી હતી. આ આરોપો અનુસાર ભારતી દેવી તેના પિતાના આશ્રમમાં છોકરીઓને ડ્રોપ કરતી હતી. પિતાની ઈચ્છા મુજબ તે છોકરીઓને આશ્રમમાં લઈ જવાતી હતી. આસારામના એક શિષ્યએ ભારતી દેવી પર આ આરોપો લગાવ્યા હતા. અમૃત પ્રજાપતિએ કહ્યું હતું કે આસારામ ભારતીને ફોન કરતો હતો અને તે કારમાં છોકરીઓને લઈને આવતી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img