HomeNationalધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ CJPનું આંદોલન યથાવત, અભિજીત દીપકે મૂકી વધુ...

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ CJPનું આંદોલન યથાવત, અભિજીત દીપકે મૂકી વધુ બે માંગણીઓ

Date:

Related stories

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું...

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના...

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ...
spot_img

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન હવે અટકવાનું નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમની બાકીની બે મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

આજ રોજ ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ જંતર-મંતર પર સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિજીત દીપકેએ કહ્યું કે રાજીનામું મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ આંદોલનનો અંત નથી. તેમના જણાવ્યા મુજબ પ્રથમ માંગણી એવી છે કે પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર આપવામાં આવે. બીજી માંગણી તરીકે તેમણે 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દીપકેએ વધુમાં જણાવ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ અને અડગ લડતથી પણ પરિવર્તન શક્ય છે. તેમના મતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ વાતનો પુરાવો છે કે લોકો એકજૂટ થાય તો જવાબદારી નક્કી કરાવી શકાય છે. તેમણે આને “લોકશાહીની જીત” ગણાવી અને સમર્થકોને ડર્યા વિના પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી.

CJPએ એ પણ માંગ કરી છે કે 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જાળવવાના નામે થયેલી કાર્યવાહી અંગે જવાબદારી નક્કી કરવામાં આવે. બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ પણ જંતર-મંતર પર આંદોલન ચાલુ રહેતાં હવે સરકાર અને CJP વચ્ચે આગામી ચર્ચા તથા બાકી રહેલી માંગણીઓ પર શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

Subscribe

Latest stories

spot_img