- ઉત્તર રેલવેમાં રિમોડેલિંગની કામગીરીને લઈ અમદાવાદની ૧૦ ટ્રેનો રદ્દ કરાઈ, જ્યારે ૪ ટ્રેનના રૂટમાં કરાયો ફેરફાર.
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર રેલવેના વારાણસી ખાતે રિમોડેલીંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનની ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ૪ ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત ૨ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.
૧૫ ઓક્ટોબરે પૂર્ણ થશે કામગીરી :
વારાણસી ખાતે રિમોડેલિંગ અંતર્ગત નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝિનની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ૧૫ ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થશે. ૧૧ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોમ્બર ૧૬ ટ્રેનના શેડયુલને અસર થશે.
કઈ કઈ ટ્રેનો કરાઈ રદ ?
ક્રમ | ટ્રેન નંબર અને નામ |
1 | 15635 (ઓખા – ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ) |
2 | 15636 (ગુવાહાટી -ઓખા દ્વારકા એક્સપ્રેસ) |
3 | 15667 (ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ) |
4 | 15668 (કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ) |
5 | 19421 (અમદાવાદ-પટના એક્સપ્રેસ) |
6 | 19422 (પટના-અમદાવાદ એક્સપ્રેસ) |
7 | 09417 (અમદાવાદ-પટના સ્પેશિયલ) |
8 | 09418 (પટના – અમદાવાદ સ્પેશિયલ) |
9 | 09525 (ઓખા – નાહરલાગુન સ્પેશિયલ) |
10 | 09526 (નાહરલાગુન- ઓખા સ્પેશિયલ) |
કઈ ટ્રેનોને કરાઈ ડાયવર્ટ ?
ક્રમ | ટ્રેન નંબર અને નામ |
1 | 19167 (અમદાવાદ – વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ) |
2 | 19168 (વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ) |
3 | 19489 (અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ) |
4 | 19490 (ગોરખપુર -અમદાવાદ એક્સપ્રેસ) |
આ પણ વાંચો :-