Home Blog Page 1426

Realme નો સસ્તો સ્માર્ટફોન, ધમાકેદાર બેટરી અને અદભૂત કેમેરા, નોકિયાના નાક પર લાવી દીધો દમ , જાણો ફીચર્સ 

Realme’s Cheap Smartphone

  • Realme ઓછી કિંમતનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલોમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના મુખ્ય સ્પષ્ટીકરણો લીક થયા છે. આવો જાણીએ ફોનમાં શું ખાસ હશે…

નોકિયાએ (Nokia) તેના સ્માર્ટફોનને ઓછી કિંમતે માર્કેટમાં લોન્ચ કર્યા છે. નોકિયા ઓછી કિંમતના ફોનના કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે રિયલમીનો સ્માર્ટ સ્માર્ટફોન Nokiaના સસ્તા સ્માર્ટફોનને (Cheap smartphones) ટક્કર આપવા આવી રહ્યો છે. આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન (Level smartphone) હશે, જે મજબૂત ફીચર્સ સાથે આવશે. Realme C30 ટૂંક સમયમાં સત્તાવાર રીતે જવાની અપેક્ષા છે. તાજેતરના અહેવાલોમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના મુખ્ય સ્પષ્ટીકરણો લીક થયા છે. હવે વિશ્વસનીય ટિપસ્ટર સ્ટીવ હેમરસ્ટોફરના સહયોગથી કમ્પેર ડાયલ પ્રકાશન દ્વારા નવા લીકમાં ફોનની સંપૂર્ણ ડિઝાઇન જાહેર કરવામાં આવી છે.

Realme C30 ડિઝાઇન :

Realme C30 ની આગળની બાજુએ ખૂબ જાડી ચિન સાથે વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેમાં વોલ્યુમ રોકર અને જમણી કિનારે પાવર કી સાથે બોક્સી ડિઝાઇન છે. ઉપકરણના તળિયે સ્પીકર ગ્રિલ, માઇક્રોયુએસબી પોર્ટ, માઇક્રોફોન અને 3.5mm ઓડિયો જેક છે.

Realme C30svનો પાછળનો શેલ અલગ વર્ટિકલ ગ્રીડ ડિઝાઇનને સપોર્ટ કરે છે. ઉપરના ડાબા ખૂણામાં LED ફ્લેશ :સાથે એક કેમેરા મોડ્યુલ છે. જેમ જોઈ શકાય છે, ત્યાં કોઈ બિનજરૂરી સેકન્ડરી મેક્રો અથવા ડેપ્થ સેન્સર નથી. રેન્ડર પુષ્ટિ કરે છે કે Realme C30 વાદળી અને લીલા રંગોમાં આવશે, જે લેક ​​બ્લુ અને બામ્બૂ ગ્રીન તરીકે વેચી શકાય છે. તે ડેનિમ બ્લેક કલરમાં આવવાની પણ અફવા છે.

Realme C30 સ્પષ્ટીકરણો :

નવા લીકમાં Realme C30 ના ફીચર્સ વિશે કોઈ માહિતી નથી. અહેવાલો દર્શાવે છે કે તે 6.58-ઇંચની IPS LCD પેનલથી સજ્જ હશે જે FHD+ રિઝોલ્યુશન ઓફર કરે છે. તે યુનિસોક ચિપ દ્વારા સંચાલિત થવાની સંભાવના છે. જો કે, ચિપનું ચોક્કસ નામ હજુ સુધી જાણી શકાયું નથી. તે 5,000mAh બેટરી પેક કરશે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપકરણ ટોચ પર Realme UI સાથે Android Go OS પર ચાલશે.

Realme C30 કેમેરા :

ફોટોગ્રાફી માટે, Realme C30માં 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને 13-મેગાપિક્સલનો રિયર કેમેરા હોઈ શકે છે. આ ઉપકરણ ભારતીય બજારમાં બે વિકલ્પોમાં આવવાની અપેક્ષા છે: 2GB RAM + 32GB સ્ટોરેજ અને 3GB RAM + 32GB સ્ટોરેજ. છેલ્લે, ઉપકરણની જાડાઈ 8.48 mm હશે અને વજન લગભગ 181 ગ્રામ હશે. ભારતમાં આ મહિને (જૂન) લોન્ચ થવાની ધારણા છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Realme’s Cheap Smartphone

8 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને વિઘ્નહર્તાની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

June 8, 2022, horoscope Gujarat Guardian

મેષ :
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભ :
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ શારૂ. નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુન :
કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બપોર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ. સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્ક :
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી ધંધમાં નિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીની કાળજી રાખવી.

સિંહ :
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો માનમાં વધારો થાય.

કન્યા :
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધોમાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલા :
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિક :
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધન :
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકર :
માન સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.

કુંભ :
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં.

મીન :
આનંદ ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મળતી જણાય. પહિન સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

June 8, 2022, horoscope

આજે જ બદલી નાંખો તમારી આ આદત, હાર્ટ એટેક આવવાની ઘટી જશે શક્યતા, સંશોધનમાં દાવો

Change your habit today

  • એક્ટિવ લોકોને પણ હાર્ટ એટેક આવતો હોવાનુ સામે આવે છે ત્યારે એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ એક આદત બદલવામાં આવે તો હાર્ટ એટેકની શક્યતાઓ ઘટે છે.

ભારતમાં હાર્ટ એટેકની (Heart attack) સમસ્યા જ નહી પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું મંગળવારે હાર્ટ એટેકથી નિધન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneet Rajkumar) પણ આ કારણે દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. આ ઉપરાંત એવા ઘણા એક્ટર છે જેઓ હેલ્ધી હોવા છતાં હાર્ટ એટેકને કારણે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.

વર્ષે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો :

એક રિપોર્ટ્સ અનુસાર ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં જીવ ગુમાવે છે.

સ્મોકિંગ છોડવાથી હાર્ટ એટેકનું ઘટે છે જોખમ :

તે પહેલાથી જ સાબિત થયું છે કે સિગારેટ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. જો તમને પણ આવા જોખમનો ડર છે તો આજે જ આ ખરાબ વ્યસનથી છૂટકારો મેળવો.

સંશોધનમાં મોટો ખુલાસો :

ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજના ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો.રોબર્ટ જે મિને જણાવ્યું હતું કે ધૂમ્રપાન (ધુમ્રપાન)થી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે અમે સ્ટડી એ વાતને ધ્યાનમાં રાખીને કર્યો છે કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને ધૂમ્રપાન છોડવાથી થતા મૃત્યુના આંકડામાં તફાવત છે.

તોડપાણીના આરોપમાં PSI થયાં ઘરભેગા ! ટ્રાફિકમાં ઢીલી કામગીરીના લીધે PIને મૂક્યાં બીજી જગ્યાએ ,

0

PSI arrested for vandalism

  • અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો- વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. આ દિશામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
ખાડિયા પોલીસ સ્ટેશનના PIની બદલી :
અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લાલઆંખ કરતા ખાડિયાના PI પી.ડી. સોલંકીની બદલી કરાઈ છે. બદલી થવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. સોલંકીની ટ્રાફિક મેનેજમેન્ટમાં ઝીરો, નબળી કામગીરીને લઈ બદલી કરાઈ છે. રથયાત્રાની કામગીરી નબળી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં લીધા છે.
સોલા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ :
બીજી બાજુ અમદાવાજના સોલા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સોલા પોલીસ સ્ટેશનના PSI અને ડીસ્ટાફ PSI જે.જે. રાણાને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે. PSI જે.જે. રાણાએ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરીયાદ મળતા શહેર પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે.
રાજકોટ તોડકાંડ મામલે ફરિયાદી પોલીસ કમિશનરને કરશે રજૂઆત :
રાજકોટ પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તોડકાંડ મામલે ફરિયાદી જગજીવન સખીયા ન્યાયિક તપાસ માટે નવા કમિશ્નરને રજુઆત કરવા જવાના છે. આગામી 4 થી 5 દિવસમાં નવા કમિશ્નર રાજુભાર્ગવને રજુઆત કરવા જશે. તોડકાંડ મામલે તપાસમાં ઢીલને લઈ રજુઆત કરવા જશે. તોડડકાંડ મામલે DCB પૂર્વ પી.આઈ, પી.એસ.આઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે. જોકે સમગ્ર મામલે ACBમાં પણ તપાસ ચાલુ છે.
મહત્વનું છે કે, જગજીવન સખિયાએ કમિશનર પર તોડ કર્યાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ DCP, PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કરાઈ હતી. હાલમાં સમગ્ર મામલે ACB તપાસ કરી રહી છે.
PSI arrested for vandalism

હવે ગુજરાતમાં પણ બનશે આઇસક્રીમનાં કોન ! 125 કરોડનાં ખર્ચે બની રહ્યો છે પહેલો વહેલો પ્લાન્ટ, પાટીલ કરશે ખાતમુહૂર્ત

0

will be ice cream cones in Gujarat too

  • સુરતની સુમુલ ડેરી સૌ પ્રથમ આઈસ્ક્રીમના કોન બનાવવવાના પ્લાન્ટની સ્થાપના કરશે. જેનું આવતીકાલે CR પાટીલ ખાતમુહૂર્ત કરશે.
સુમુલ ડેરી દ્વારા રાજ્યમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાનું આયોજન કરાયું છે. પારડી ખાતે સુમુલ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમનો પ્લાન્ટ સ્થાપશે. આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત C.R પાટીલ કરશે. આવતી કાલે ખુદ સી.આર.પાટીલના હસ્તે સવારે 9.30 કલાકે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરાશે.

 

સુમુલ ડેરી રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે :

દેશભરમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા સુમુલ ડેરીએ આ યોજના બનાવી. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી આપવામાં આવી. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ 3 લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે. આઇસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી છે. જણાવી દઇએ કે, પ્લાન્ટના ખાતમુહૂર્તમાં મંત્રી કનુ દેસાઈ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમાં ઉપસ્થિત રહેશે.

સુમુલ ડેરી આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 1 લાખ લીટર કરશે :

will be ice cream cones in Gujarat too

વિદેશથી ગોવા ફરવા આવેલી છોકરી દરિયાકિનારે સુતી હતી ને, નરાધમે બનાવી હવસનો શિકાર

0

The girl who came to Goa from

ગોવાના (Goa) પણજી (Panji)માં બ્રિટિશ મૂળની મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે દુષ્કર્મના આરોપમાં 32 વર્ષીય યુવકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ જોએલ વિન્સેન્ટ ડિસોઝા (Joel Vincent D’Souza) છે. તેણે 2 જૂને બ્રિટિશ મૂળની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

તેણે જણાવ્યું કે, બ્રિટિશ મૂળની મહિલા 2જી જૂનના રોજ ઉત્તર ગોવાના અરમ્બોલ બીચ પાસે ‘સ્વીટ લેક’ પર આરામ કરી રહી હતી. ત્યારબાદ જોયલે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. મહિલાએ તેના પતિ સાથે મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તે બંને ગોવા ફરવા માટે ભારત આવ્યા છે. 2 જૂને જ્યારે મહિલા બીચ પાસે સુતી હતી. ત્યારબાદ આરોપી ત્યાં આવ્યો અને વિદેશી મહિલાને જોઈ દુષ્કર્મ આચર્યું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

12 વર્ષની રશિયન છોકરી પર દુષ્કર્મ :

અગાઉ મે મહિનામાં ગોવા પોલીસે અરમ્બોલ સ્થિત રિસોર્ટમાં 12 વર્ષની રશિયન છોકરી પર દુષ્કર્મ કરવા બદલ કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી તે રિસોર્ટમાં રૂમ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસને મળેલી ફરિયાદ મુજબ આરોપીએ યુવતી સાથે સ્વિમિંગ પુલમાં અને પછી રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું.

ફરિયાદ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા તેને સ્વિમિંગ પુલમાં છોડીને અરમ્બોલ નજીકના બજારમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ લેવા ગઈ હતી. ઘટના બાદ આરોપી નાસી ગયો હતો. પરંતુ ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ ગદગ (કર્ણાટક)માંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The girl who came to Goa from

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી તૂટી શકે છે કોંગ્રેસ ! હાર્દિક BJPમાં જોડાયા બાદ શું નેતાઓની લાઈન લાગશે ? 

0

again before Gujarat Assembly elections

  • વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર તૂટ શકે છે. કોગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ (ભોલો) કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસમાં રહેલા કલ્પેશ પટેલ (ભોલો) હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા અણસાર મળ્યા છે અને તેઓ કોંગ્રેસ છોડી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પહેલાં ભાજપ કોંગ્રેસમાં (BJP Congress) આયારામ ગયારામ ચાલુ થઇ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજો કાયમની માફક આ વખતે પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ કે આપમાં જોડાઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. હાર્દિક પટેલ (Hardik Patel) સહિત અનેક નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. ત્યારે ફરી કોંગ્રેસને ઝાટકો લાગે તેવા સમાચાર મળી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર તૂટ શકે છે. કોગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ (ભોલો) કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસમાં રહેલા કલ્પેશ પટેલ (Kalpesh Patel) (ભોલો) હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા અણસાર મળ્યા છે અને તેઓ કોંગ્રેસ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે મહેસાણા સર્કીટ હાઉસ ખાતે કલ્પેશ પટેલે (ભોલો) આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (Chief Minister Kejriwal) સાથે મુલાકાત કરી હતી. જેણા કારણે મુલાકાતના પગલે આપમાં જોડાવાની અટકળો તેજ બની છે.

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતા ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ કેટલાક કોંગ્રેસી નેતા ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક કોંગ્રેસી નેતા ગમે ત્યારે ભગવો ધારણ કરી શકે છે. આ સાથે જ ગુજરાતમાં ફરી કોંગ્રેસ એક વાર તૂટી શકે છે.

ભાવનગર કોંગ્રેસમાં ભૂકંપ :

ભાવનગરમાં કોંગ્રેસ નેતા સંજયસિંહ ગોહિલ ભાજપમાં જોડાયા છે. સંજયસિંહ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ નેતા રાજુ જોશી પણ ભાજપમાં જોડાશે. એવું જાણવા મળી રહ્યું છે. રાજુ જોશી ભાવનગરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. સંજયસિંહ ગોહિલ ભાવનગરમાં કોંગ્રેસના મોટા નેતા કહેવાય છે. ભાવનગરમાં શકિતસિંહ ગોહિલ પછી સંજયસિંહ મોટા નેતા છે. છેલ્લા કેટલાંક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સંજયસિંહ ગોહિલ અને રાજુ જોશી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. આ સિવાય કામિનીબા રાઠોડ પણ ભાજપમાં જોડાઈ શકે છે. કામિની બા દહેગામ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ન બને તે માટે અત્યારથી જ ગુજરાતની કમાન મજબૂત કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ કોંગ્રેસમાં તો એક પછી એક ઝટકા મળી રહ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, સાંસદો જેવા જનપ્રતિનિધિઓ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. ભાજપ હાલમાં જે રીતે ડાયનેમિક રીતે કામ કરી રહી છે, પોતાના કાર્યકરો અને નેતાઓને મોબિલાઇઝ કરી રહી છે. પરંતુ કોંગ્રેસમાં કોઇ કાર્ય વિભાજન કે આયોજનનો અભાવ જોવા મળે છે. કોઇ સાર્વજનિક ચહેરો ઉભો કરવામાં કે તેને પાર્ટી ધોરણે પ્રમોટ કરવામાં પક્ષ ઉણો સાબિત થઇ રહ્યો છે.

કોંગ્રેસને હાઇ કમાન્ડનો સીધો દોરી સંચાર નથી કે કોઇ અંકુશ પણ નથી. કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસમાં બે જૂથ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. આ કારણે, બે જૂથની આંતરિક લડાઇમાં બીજા પક્ષો પોતાનો ફાયદો મેળવી રહ્યું છે. જો કોઇ ચહેરો ઉભરી આવે તો તેને કોઇપણ ભોગે પુરો કરવા અને તેને પક્ષમાં અવગણના કરવા વિરોધી જૂથ લાગી જાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

again before Gujarat Assembly elections

પંડિતજીએ ક્ષમાબિંદુની લગ્ન વિધિ કરાવાની ના પાડી દીધી હવે ક્ષમાબિંદુ આ રીતે કરશે લગ્ન

0

Panditji refused to perform the marriage

  • ખુદ લગ્નની જાહેરાત કરીને ચર્ચામાં આવેલા ક્ષમાબિંદુની મુશ્કેલીઓ પણ વધી રહી છે. એક વર્ગ તેમના નિર્ણયને મહિલાઓની સ્વતંત્રતા સાથે જોડીને જોઈ રહ્યો છે, જ્યારે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે.

ખુદની સાથે લગ્નની (Of marriage with oneself) જાહેરાત કરીને ચર્ચામાં આવેલા ક્ષમાની મુશ્કેલીઓ પણ વધી રહી છે. એક વર્ગ તેમના નિર્ણયને મહિલાઓની સ્વતંત્રતા (Women’s freedom) સાથે જોડીને જોઈ રહ્યો છે. જ્યારે કેટલાક લોકોએ તેને હિન્દુત્વની (Hindutva) વિરુદ્ધ ગણાવ્યો છે. કદાચ આ જ કારણ છે કે અગાઉ લગ્ન કરાવવા માટે તૈયાર થયેલા પંડિતજી પણ હવે પાછળ હટી ગયા છે. પૂજારી કહે છે કે તે આ લગ્ન કરાવી શકશે નહીં. સોરી બિન્દુએ કહ્યું, ‘પંડિતજી જેમણે પહેલા આ લગ્ન કરાવવાની વાત કરી હતી, તે હવે તેમાંથી પીછેહઠ કરી છે. હવે હું ટેપ પરના મંત્રનો જાપ કરીને જ લગ્નની વિધિ પૂરી કરીશ.’

ક્ષમાએ કહ્યું કે  એકવાર હું પરંપરાગત રીતે લગ્ન કરી લઈશ, ત્યારપછી હું તેનું કાયદેસર રીતે નોંધણી પણ કરાવીશ. તેણીએ કહ્યું, ‘એકવાર હું મારી જાત સાથે લગ્ન કરીશ, તે પછી હું તેની નોંધણી પણ કરીશ. આ પંજીકરમ અન્ય યુગલ જેવો જ હશે. ભારતમાં આવા લગ્નો અંગે કોઈ કાયદો નથી તે બાબતે તેમણે કહ્યું કે હા એ વાત સાચી છે કે ભારતમાં આ અંગે કોઈ કાયદો નથી, પરંતુ એટલું જ સાચું છે કે આવા લગ્ન ગેરકાયદે પણ નથી. તેથી હું નોંધણી માટે અરજી કરીશ અને મારા લગ્ન માન્ય રહેશે.

बिन तेरे होंगे फेरे... मंडप सजेगा और जयमाला भी होगी, पर नहीं आएगी बारात, खुद से ब्याह रचा रहीं क्षमा बिंदु

ક્ષમા બિંદુએ સોલોગામી હેઠળ 11 જૂને લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે લગ્ન કરે છે ત્યારે સોલોગામી લગ્ન કહેવામાં આવે છે. 1993માં અમેરિકામાં આવો પહેલો કિસ્સો નોંધાયો હતો, પરંતુ ભારતમાં ક્ષમા બિંદુના લગ્ન કદાચ ભારતમાં આવો પહેલો કિસ્સો છે. જોકે, માફીના મુદ્દાની જાહેરાતને લઈને પણ વિવાદ ઉભો થયો છે. ભાજપના એક મહિલા નેતાએ કહ્યું હતું કે આવા લગ્ન હિન્દુત્વની વિરુદ્ધ છે અને તે ક્ષમા બિંદુને મંદિરમાં લગ્ન કરવા દેશે નહીં, તેનો વિરોધ કરવામાં આવશે. તેના પર ક્ષમાની વાત કહે છે કે હું મંદિરમાં લગ્ન નહીં કરું. તેણે કહ્યું, ‘હું કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતી નથી. તેથી મેં લગ્નનું સ્થળ બદલવાનું નક્કી કર્યું છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Panditji refused to perform the marriage

EMIની મોડી ચુકવણી પડી શકે છે ભારે ! જો એક પણ હપ્તો ચુક્યા તો થશે મોટું નુક્સાન

0

Late payment of EMI can be heavy

  • એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે.

ડિજિટલ બેન્કિંગ (Digital banking)થી લોન મેળવવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. આમ તો તેનાથી વ્યક્તિ સરળતાથી નાણા (Money) મેળવી શકે છે, પણ સાથે સાથે લોન (Loan)ની ચૂકવણી કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ. માસિક હપ્તા (EMI)ની ચૂકવણી મોડી કરવામાં આવે તો નાણાકીય વ્યવસ્થા પર અસર પડી શકે છે. ત્યારે EMIની ચૂકવણી મોડી કરવાથી શું અસર થાય છે, તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

પેનલ્ટી ચાર્જ :

એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે. EMI સમયસર ચૂકવવામાં ના આવે તો સામાન્ય વ્યાજથી લઈને વધુમાં વધુ વ્યાજ ચૂકવવાનો દંડ લાગુ કરી શકે છે.

તમારા એકાઉન્ટનું NPA થાય :

બેન્ક ડિફોલ્ટને બે કેટેગરીમાં વિભાજિત કરે છે. માઈનર ડિફોલ્ટ અને મેજર ડિફોલ્ટ. 90 દિવસ સુધી EMI ની ચૂકવણી ના કરવામાં આવે તો તે માઈનોર ડિફોલ્ટ ગણવામાં આવે છે. સતત ત્રણ EMI ચૂકવવામાં ના આવે તો તેને મેજર ડિફોલ્ટ ગણવામાં આવે છે. માઈનર ડિફોલ્ટ થઈ જાય તો બેન્ક દંડ ફટકારે છે અને રિમાઈન્ડર નોટિસ મોકલે છે તથા મોડી ચૂકવણી બાબતે ક્રેડિટ બ્યૂરોને રિપોર્ટ પણ મોકલે છે.

90 દિવસ સુધી લોન ચૂકવવામાં ના આવે તો બેન્ક તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરે છે અને લોનની વસૂલીની પ્રક્રિયા શરૂ કરે છે. તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરતા બેન્ક તરફથી નોટિસ મોકલવામાં આવે છે. નોટિસમાં જણાવેલ સમય મર્યાદાની અંદર હપ્તો જમા કરાવવામાં આવે તો તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરતા બચાવી શકો છો. કેટલીક બેન્કમાં થર્ડી પાર્ટી એજન્ટ હોય છે, જે લોન લેનારને લોન ચૂકવવા માટે પરેશાન કરી શકે છે.

ક્રેડિટ સ્કોર પર અસર થાય છે :

EMI ચૂકવવામાં ના આવે તો લોનનો પ્રકાર તથા અન્ય પરિબળોના આધાર પર ક્રેડિટ સ્કોર 50 પોઈન્ટ સુધી ઘટી શકે છે. બેન્કબજારના CEO આદિલ શેટ્ટી જણાવે છે કે, ‘EMIની ચૂકવણી શરૂ કરવાથી અને સુધારાત્મક ઉપાય લાગુ કરવાથી ધીરે ધીરે ક્રેડિટ સ્કોરમાં સુધારો થાય છે. તેમ છતાં તમારા રિપોર્ટમાં EMIની મોડી ચૂકવણી કરવામાં આવી છે, તે દર્શાવવામાં આવે છે. તમારી લોન NPA જાહેર કરવામાં આવી તો તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થઈ શકે છે. આ કારણોસર જો તમે ભવિષ્યમાં બીજી લોન મેળવવા ઈચ્છો છો તો તે લોન લેવાના ચાન્સમાં ઘટાડો થઈ જાય છે.’

બાકી રહેલ લોનનું સેટલમેન્ટ :

લોન NPA જાહેર કરવામાં આવે તો બેન્ક તમને વ્યાજ અને દંડ સહિત સમગ્ર રકમ ચૂકવવા અથવા વ્યાજ અને દંડ વગર લોન ચૂકવવાનો વિકલ્પ આપી શકે છે. લોનની ચૂકવણી કરવી આર્થિક રૂપે સરળ લાગી શકે છે પરંતુ, તેનાથી તમારી શાખ પર એક ખોટી છાપ ઊભી થઈ જાય છે. જો એક વાર તમારા ક્રેડિટ રિપોર્ટમાં ‘લોન સેટલમેન્ટ’નો ઉલ્લેખ થઈ જાય તો ત્યારબાદ તમને કોઈપણ બેન્ક બીજી લોન આપવા માટે સહમત નહીં થાય. આ કારણોસર જો લોનને NPA માં વર્ગીકૃત કરવામાં આવી છે અથવા NPA જાહેર થવાની તૈયારી છે તો લોનને સમયસર ચૂકવવાનો પ્રયાસ કરો.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Late payment of EMI can be heavy

IND vs SA T20 શ્રેણી ! પંડ્યા નહીં, આ ખેલાડી હશે કેએલ રાહુલની પહેલી પસંદ ! આફ્રિકા માટે સૌથી મોટો ખતરો હશે

0

IND vs SA T20 Series !

  • IND vs SA T20 શ્રેણી : 9 જૂનથી, ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી શરૂ થશે. કેએલ રાહુલ શ્રેણીની પ્રથમ મેચમાં પોતાના સાથી ખેલાડીને સામેલ કરી શકે છે.

ભારતીય ક્રિકેટ (Indian cricket) ટીમે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની ટી-20 શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બંને ટીમો વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ (Captain KL Rahul) ટીમમાં ખતરનાક ઓલરાઉન્ડરને તક આપી શકે છે. આ ખેલાડી હાર્દિક પંડ્યાની ઉપર બેટિંગ કરતો જોવા મળી શકે છે.

આ ખેલાડી રાહુલની પહેલી પસંદ હશે :

કેએલ રાહુલના સાથી ખેલાડીને આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ઓલરાઉન્ડર દીપક હુડા, કેએલ રાહુલ અને દીપક હુડ્ડા IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો ભાગ હતા. હુડ્ડાનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી અદ્ભુત રહ્યું છે. કેએલ રાહુલ પ્રથમ મેચમાં દીપક હુડાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. આ સિરીઝમાં પંડ્યા પહેલા દીપક હુડ્ડા પણ બેટિંગ કરતા જોવા મળી શકે છે.

ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે :

દીપક હુડ્ડા મિડલ ઓર્ડર બેટ્સમેન છે. IPLમાં તે ચોથા નંબર પર પણ રમ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ આ સિઝનમાં ચોથા નંબર પર રમીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી, પરંતુ આ સિરીઝમાં હાર્દિક પંડ્યા જ મેચ ફિનિશ કરવાની ભૂમિકામાં દેખાઈ શકે છે. દીપક હુડ્ડા માટે IPL 2022 તેની કારકિર્દીની શ્રેષ્ઠ સિઝન રહી છે. આ સિઝનમાં તેણે 15 મેચમાં 32.21ની એવરેજથી 451 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 136.67ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 4 અડધી સદી પણ ફટકારી હતી.

તાબડતોડ બેટિંગ કરવામાં માહિર :

દીપક હુડ્ડા બોલિંગની સાથે બેટિંગ પણ કરી શકે છે. તે દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. મિડલ ઓર્ડરમાં દીપક હુડા જેવા ઝડપી બેટ્સમેનની લાંબા સમયથી જરૂર હતી. IPLમાં જોવા મળ્યું હતું કે દીપક વિકેટ બચાવવાની સાથે ઝડપી બેટિંગ કરવામાં માહિર છે. આવી સ્થિતિમાં દીપક હુડા અને હાર્દિક પંડ્યા એકસાથે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

IND vs SA T20 Series !