Home Blog Page 1407

WhatsApp Group માં હવે 256થી વધારે લોકોને એડ કરી શકાશે, જાણો કેટલા લોકોને ઉમેરી શકશો 

More than 256 people

  • એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક એવુ ફિચર લઈને આવી રહ્યું છે જેની મદદથી યુઝર્સ ગ્રુપ ચેટમાં 512 સદસ્યોને જોડી શકશે. હાલ એક ગ્રુપમાં 256 લોકો જ જોડાઈ શકે છે.

વોટ્સએપ (WhatsApp) કથિત રીતે એક નવું ફિચર લઈને આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ ગ્રુપ (Users group) ચેટમાં 512 સદસ્યોને જોડી શકે છે. હાલમાં એક ગ્રુપમાં 256 લોકોને જોડી શકાય છે. તે ઉપરાંત મેસેજિંગ પ્લેટફોર્મ (Messaging platform) ઘણા અન્ય ફિચર્સ પણ લાવી રહ્યું છે. જેમાં 2GB સુધી ફાઈલને શેર કરવી અને મેસેજ પર ઈમોજી રિએક્શન આપવું શામેલ છે.

એક રિપોર્ટ અનુસાર વોટ્સએપના લેટેસ્ટ સ્ટેબલ અપડેટને દરેક યુઝર્સ માટે એક ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ અમુક યુઝર્સને પોતાના વોટ્સએપ પર આ ફિચરનો ઉપયોગ કરવા માટે 24 કલાકની વધુ રાહ જોવી પડી શકે છે. રિપોર્ટમાં ગ્રુપ ચેટમાં 512 પાર્ટિસિપેન્ટ્સના રોલઆઉટની પુષ્ટી કરવામાં આવી છે.

2GB સુધીની ફાઈલ કરી શકશો શેર  :

વોટ્સએપ 2GB સુધી ફાઈલને શેર કરવા માટે એક ફિચર પર કામ કરી રહ્યું છે. હાલ વોટ્સએપ પર 100MB સુધી ફાઈલને જ શેર કરી શકાય છે. મેટાની કંપની વોટ્સએપે હાલમાં જ ઈમોજી રિએક્શન ફિચર લોન્ચ કર્યું છે. જેથી લોકો ટેક્સની જગ્યા પર ઈમોજીના માધ્યમથી પોતાનું રિએક્શન આપી શકે.

મેસેજ કરી શકશો એડિટ  :

વોટ્સએપ કથિત રીતે ડિલિટ કરવામાં આવેલા મેસેજ માટે એક નવુ ફિચર ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચર તે સમયે ઉપયોગ થશે જ્યારે યુઝર ભુલથી ‘ડિલિટ ફોર એવરિવન’ની જગ્યા પર ‘ડિલિટ ફોર મી‘ વિકલ્પનો પસંદ કરે છે.

આ ઉપરાંત વોટ્સએપ મોકલવામાં આવેલા મેસેજને એડિટ કરવા માટે પણ એક વિકલ્પ એડ કરી રહ્યું છે. આ ફિચર યુઝર્સને પોતાના મેસેજમાં ટાઈપિંગ વખતે થયેલી ભૂલોને સુધારવામાં મદદ કરશે. તેના માટે તેમણે જુનો મેસેજ ડિલિટ પણ નહીં કરવી પડે અને નવો ટેક્સ મેસેજ લખવો પણ નહીં પડે. જુના મેસેજને જ તે એડિટ કરી શકશે.

23 જુન 2022, રાશિફળ : વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

June 23, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઇ શકાશો. પરિવાર ના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણો ના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ- ધનથી સંકળાયેલ બાબતો માટે સાનચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય. એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપની ઓમાં કાર્ય કરતી વ્યકિત માટે શુભ. દામ્પત્ય જીવનમાાં આનંદ અનુભવાશે.

મિથુનઃ- નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારીક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂં જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ- માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી ધંધા માંથી સારા સમાચાર. પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ- આકસ્મિક દન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ- દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું  પ્રમાણ ધટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે .

તુલાઃ- જીવનસાથી સાથે આનંદની અનુભૂ‌િત કરવાનો દિવસ છે. પ્રિય મિત્ર સાથે ઉત્તમ પ્રેમ જમવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અન‌ુભવી શકાશે.

વૃશ્ચિકઃ- આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસી ની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શકયતા વધતી જણાય. નોકરી-ધંધા માં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ- થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાન ની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતી કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માન માં વધારો થતો અનુભવાય.

મકરઃ- માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન, મકાન, વહાન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિ થી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ- પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે પગલા પાછળ ચાલતું જણાય. મેહનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતું જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી સામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ- દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હ્રદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

શરીરના આ લક્ષણોને ઈગ્નોર કરવા પડી શકે છે મોંઘા, હોઈ શકે છે આ ગંભીર બિમારીના સંકેત

These symptoms

  • ભારતમાં મોતનું એક મોટું કારણ છે હાર્ટ એટેક. લગભગ દરેક પરિવારમાં હાર્ટના દર્દી મળી જશે. ભલે યુવાનોમાં હાર્ટ એટેકના શિકાર થવાની સંખ્યા ઓછી છે. પરંતુ કોઈ આધેડની સ્થિતિ જોઈને દહેશતમાં આવવુ સ્વાભાવિક છે. તેથી જરૂરી છે કે હાર્ટ એટેક આવતા પહેલા તમે સંતર્ક થઇ જાઓ અને તેનાથી બચવાના ઉપાય શોધી લો.

હાર્ટની બિમારી ખૂબ ગંભીર હોય  છે, તેથી જો તમારા શરીરમાં કેટલાંક ખાસ ફેરફાર જોવા મળે તો તેને વોર્નિગ સાઈન સમજી લો અને નજરઅંદાજ કરવાની ભૂલ જરા પણ કરશો નહીં. નહીંતર તમે તકલીફમાં મુકાઈ જશો.

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં થાય છે આ ફેરફાર :

હાર્ટ એટેક આવતા પહેલા છાતીમાં સામાન્ય દુ:ખાવો અને બેચેની થવા લાગે છે. જો કે, છાતીનો દુ:ખાવો અન્ય કારણોને  લીધે પણ ઉભો થઇ શકે છે, પરંતુ તેનો હાર્ટ એટેકના લક્ષણોમાં સમાવેશ કરાય છે.  જો તમને પણ આવી પરેશાની થાય છે તો તાત્કાલિક ચેકઅપ કરાવવુ જોઈએ. તમે વારંવાર જોયુ હશે કે કેટલાંક લોકોને ફૂલ એસી રૂમમાં પણ પરસેવો થાય છે. હકીકતમાં આ મોટી બિમારી તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવતા પહેલા આવી પરેશાની થાય છે, તેથી તમારા આરોગ્ય વિશે સંતર્ક થઇ જાઓ.

વધારે સ્ટ્રેસ ના લેશો :

જ્યારે શરીરમાં હાર્ટ એટેકનુ જોખમ વધે છે ત્યારે ઓછુ કામ કરવાથી પણ વધારે થાક અનુભવાય છે. અનિંદ્રા પણ થાકનુ કારણ હોઇ શકે છે. પરંતુ જો આવુ ના હોય તો તમારે ડૉકટરની પાસે તાત્કાલિક જવુ જોઈએ. જો તમારી માનસિક સ્થિતિ સારી રહેશે નહીં તો શરીરના બાકીના ભાગમાં પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા સ્ટ્રેસ આવે છે, આ જ કારણ છે કે આ લક્ષણોને ઈગ્નોર કરવા ઘાતક સાબિત થઇ શકે છે. જેટલુ બની શકે તેટલુ ટેન્શન ફ્રી રહેવાનો પ્રયાસ કરો.

ચાલી રહ્યું હતું ખોદકામ, અચાનક જ એવું શું નીકળ્યું કે, દર્શન કરવા ઉમટી પડી હિન્દુઓની મોટી ભીડ

0

Excavation was going

  • તળાવનું ખોદકામ કરતાં અચાનક એવી પ્રતિકૃતિ નીકળતા લોકો તળાવમાં દર્શન કરવા લોકોની ભીડ જામી.

આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) તાલુકાના અભેટાપુરા (Abhetapura)માં ખોદકામ દરમિયાન શિવલિંગ (Lingam) જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. આણંદના બોરસદ પાસે અભેટાપુરામાં તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રેલવે દ્વારા જેસીબી મારફતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તળાવમાંથી શિવલિંગ (Shivling) આકારની પ્રતિકૃતિ મળી આવતા ત્યાં રહેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

ત્યારબાદ આ બાબતે આજુબાજુના લોકોને પણ જાણ થતાં લોકોના ટોળેટોળા શિવલિંગ હોવાના દાવા સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ મામલા અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના તળાવમાં રેલવેની કામગીરીને કારણે ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરવા માટે આતુર બન્યા હતા. આ તળાવમાં ખોદકામ સમયે વૃક્ષના થડ જેવો આકાર જોવા મળ્યો હતો અને લોકો ઝાડનું થડ સમજી રહ્યા હતા. પણ આ 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાને કારણે થડ જેવી દેખાઈ રહેલી પ્રતિકૃતિ પરથી પાણી વહેવાને કારણે ત્યાં શિવલિંગ જેવો આકાર જોવા મળ્યો હતો.

આ મામલા અંગે જાણ આસપાસના ગામોમાં વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યાં હતાં અને બીજી બાજુ ભેખડ ધસી પડવાની શક્યતા હોવાને કારને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અહીંથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા પણ તળાવમાંથી લોકોને બહાર કાઢતા આ જોખમી જગ્યા હોવાથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

હાલ આજુબાજુના ગામડાના લોકો પણ અહીં મોટી સંખ્યામાં શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આ સમગ્ર બાબતે ત્યાંના મામલતદારે જણાવતા કહ્યું હતું કે, આ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવ્સ્ગે. કારણકે, આ  વિષય પુરાતત્વ વિભાગનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભેટાપુરાના તળાવમાં અંદાજે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે.

આ કારણે SRKની દીકરી સુહાના ખાન થઈ રહી છે ટ્રોલ, લોકોએ કહ્યું- “પહેલી ફિલ્મ આવી નથી ને આટલું અભિમાન “

SRK’s daughter Suhana Khan

  • બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ દિવસોમાં તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. જોકે, સુહાના સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) પુત્રી સુહાના ખાન (Suhana Khan) બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને સ્ટાઇલિશ સ્ટાર કિડ્સમાંથી એક છે. તમને જણાવી દઈએ કે સુહાના ખાન જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેમાં કોઈ શંકા નથી કે તેની પ્રથમ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ગઈકાલે સુહાના મુંબઈમાં જોવા મળી હતી. પરંતુ તેણીએ પાપારાઝી (Paparazzi) માટે પોઝ આપવાનું બંધ કર્યું નહીં. જો કે પાપારાઝીએ પણ તેણીને આરામદાયક અનુભવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં તે પોઝ આપ્યા વિના જ નીકળી ગઈ.

સુહાનાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે :

હવે સુહાના ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં વીડિયોમાં સુહાના ખાન પોતાની કારમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. જ્યારે ફોટોગ્રાફર્સે તેને પોઝ આપવા માટે રોકાવાનું કહ્યું તો સુહાના તરત જ નીકળી ગઈ. એક ફોટોગ્રાફરે કહ્યું, ‘સુહાના જી રાહ જુઓ, અત્યારે શું ટેન્શન છે, હવે તમારી ફિલ્મ પણ આવી રહી છે. અમારો ચહેરો યાદ રાખજે, રોજ મળીશું. આ પછી પણ સુહાના કોઈને કંઈ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ.

લોકો આવી કોમેન્ટ કરી રહ્યા છે :

ઠીક છે કારણ કે સુહાના ખાને પોઝ આપ્યા વિના પાપારાઝી છોડી દીધી હતી નેટીઝન્સ તેના વર્તનથી ગુસ્સે છે. તેના વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યૂઝરે લખ્યું, ‘આટલું ગંદું ઇગ્નોર’. અન્ય યુઝરે લખ્યું – ‘એટિટ્યુડ ક્વીન અને બીજું કંઈ નહીં.’ તો બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ‘પહેલી ફિલ્મ ન આવી અને આટલું એટિટ્યુડ, 1 મિનિટ પણ વાત ન કરી.. જ્યારે તે મોટી સ્ટાર બનશે ત્યારે શું કરશે… પણ નહીં. તેના પિતાને બોલાવો. વેલ, આ આઉટિંગ માટે સુહાના ખાને લેગિંગ્સ અને સ્લિંગ બેગ સાથે સફેદ ક્રોપ ટોપ પહેર્યું હતું.

સુહાના આ કેઝ્યુઅલ લુકમાં શાનદાર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે સુહાનાએ હાલમાં જ ઉટીમાં ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ શેડ્યૂલ પૂરું કર્યું છે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

ભાજપ શાસિત પાલિતાણા નગરપાલિકામાં ભંગાણ, 3 નગરસેવકોએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો

0

Palitana municipality

  • વોર્ડમાં કામ ન થતા હોવાની નારાજગી અથવા તો અંદરોઅંદરના રાજકારણના કારણે પાલિતાણા નગરપાલિકામાં 3 નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હોવાની ચર્ચા.

ભાવનગરની (Bhavnagar) પાલિતાણા નગરપાલિકામાં (Palitana Municipality) 3 નગરસેવકોએ રાજીનામા ધરી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ (Corporators) નારાજગી વ્યક્ત કરી રાજીનામા ધરી દેતા હડકંપ મચ્યો છે.

વોર્ડમાં કામ ન થતા હોવાની નારાજગી અને અંદરોઅંદરનું રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે આથી કામ બાબતની પણ નારાજગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વોર્ડ નંબર-1ના ત્રણ કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠનમાં એકાએક દોડધામ મચી જવા પામી છે. વોર્ડ નંબર-1ના અજય જોષી, રોશનબેન અબડા અને કિરણબેન કુકડેજાએ રાજીનામા આપ્યા છે. હાલમાં ત્રણેય નગરસેવકોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

નગરસેવકો એક જ વોર્ડના હોવા છતાં કામ બાબતની પણ નારાજગી :

ત્રણેય કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરતા પાલીતાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પાલિતાણા પાલિકામાં ભાજપની સત્તા છે તેમ છતાં કામગીરી ન થતા કોર્પોરેટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરસેવકો એક જ વોર્ડના હોવા છતાં સંકલનના અભાવે કામ નથી થઇ રહ્યાં હોવાના કારણે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે. ત્રણેય નગરસેવકોએ ડેપ્યુટી કલેક્ટરને રાજીનામા ધરી દીધા છે.

મારા ધંધાના કારણે સતત બહાર રહેવાનું હોવાના કારણે મે રાજીનામું આપ્યું : અજય જોષી

જો કે, આ મામલે નગરસેવક અજય જોષીનું કહેવું એમ છે કે, મારે કોઇ પ્રશ્ન નથી પરંતુ મારા ધંધાના કારણે મારે સતત બહાર ને બહાર રહેવાનું થતું હોય છે. જેના લીધે હું મતદારોના કામને પૂરતો વેગ આપી નથી શકતો. ભાજપે જે વિકાસની ગાથા શરૂ કરી છે તે અટકે નહીં તેના કારણે મે મારું સ્વૈચ્છિક રાજીનામું ધર્યું છે. ભાજપ દ્વારા જે વિકાસની યાત્રા થઇ રહી છે તેને વેગ આપવા માટે અને મારા કામના કારણે મારે સતત બહાર રહેતુ પડતું હોવાના કારણે મે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.

EDએ રાહુલ ગાંધીની 5માં દિવસે મોડી રાત સુધી કરી પૂછપરછ ! 12 કલાકની પૂછપરછમાં ઘણાં સવાલ-જવાબ આપ્યાં 

0

ED interrogates Rahul Gandhi

  • રાહુલ ગાંધી CRPFના જવાનોની “Z પ્લસ” શ્રેણીની સુરક્ષા સાથે મંગળવારે સવારે 11.15 વાગ્યે મધ્ય દિલ્હીમાં APJ અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald case) પાંચમાં દિવસે ED દ્વારા રાહુલ ગાંધીની (Rahul Gandhi) પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ 11.30 વાગ્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ છોડી દીધી હતી. મળતી માહિતી મુજબ EDના અધિકારીઓએ રાહુલ ગાંધીની લગભગ 10 કલાક સુધી બ્રેક લીધા વગર પૂછપરછ કરી હતી. જે બાદ તેને બ્રેક આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી CRPFના જવાનોની “Z પ્લસ” શ્રેણીની સુરક્ષા સાથે મંગળવારે સવારે 11.15 વાગ્યે મધ્ય દિલ્હીમાં APJ અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સોમવારે રાહુલની લગભગ 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. 52 વર્ષીય રાહુલની ગયા સપ્તાહે સોમવાર મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ ED અધિકારીઓ દ્વારા 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ 23 જૂને આ જ કેસમાં ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સોનિયાને તાજેતરમાં દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી સોમવારે સાંજે તેને રજા આપવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે ડોક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે.

અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીને ‘યંગ ઈન્ડિયન‘ની સ્થાપના, ‘નેશનલ હેરાલ્ડ’ની કામગીરી અને કોંગ્રેસ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને આપવામાં આવેલી લોન અને ફંડ ટ્રાન્સફર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. મીડિયા સંસ્થામાં. ગયા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ ‘યંગ ઈન્ડિયન’ના પ્રમોટર અને શેરધારકોમાં સામેલ છે.

અરે બાપ રે ભગવાન સાથે પણ છેતરપીંડી : રામ મંદિર નિર્માણમાં દાનમાં મળેલા રૂપિયામાંથી આટલાં કરોડના ચેક બાઉન્સ

0

Oh Baap Ray cheating with God too

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ramjanmabhoomi Tirth Kshetra Trust) તરફથી ચલાવવામાં આવેલ નિધિ સમર્પણ અભિયાનમાં (Fundraising Campaign) અત્યાર સુધીમાં કુલ 5457.94 કરોડ રૂપિયા એકઠા થઈ ચુક્યા છે. જો કે આ સંખ્યા અંતિમ નથી કારણ કે, જિલ્લાવાર ઓડિટનુ કામ હજૂ પણ ચાલું છે. હાલમાં અખિલ ભારતીય સ્તરથી (All India level) ફંડ એકત્રિકરણનું મોનિટરીંગ કરી રહેલી ટીમની ગણતરી એક ટેન્ટિવ રિપોર્ટમાં સામે આવી છે. તે અનુસાર શ્રીરામ મંદિર માટે દાન કરનારા લોકોમાં લગભગ 22 કરોડથી વધારે ચેક એવા છે, જે બાઉન્સ થઈ ગયા છે. તેને અલગ કરીને એક અન્ય રિપોર્ટ બનાવામાં આવી રહ્યો છે.

આવી રીતે એકઠુ થયું ભંડોળ :

રિપોર્ટ દ્વારા ચેક બાઉન્સ થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ટેકનિકલ કારણોથી બાઉન્સ થનારા ચેકને બેંક સાથે બેસીને ફરી વાર રિપ્રેજેંટ કરવામા આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૂપનો તથા રસીદ દ્વારા 2253.97 કરોડનું ભંડોળ ભેગુ થયું છે. આવી જ રીતે ડિજિટલ માધ્યમોથી 2753.97 કરોડ તથા એસબીઆઈ-પીએનબી તથા બીઓબીના બચત ખાતામાં લગભગ 450 કરોડ રૂપિયાની રકમ ભેગી થઈ છે. ટ્રસ્ટ તરફથી ભંડોળ માટે દશ, સૌ, તથા એક હજારના કૂપન છપાવ્યા હતા. આ ઉપરાંત ઘણી રકમ રસીદ દ્વારા પણ આવી છે.

ramjanmabhoomi nidhi samarpan cheque bounce of 22 crores donated for shri ram temple

ટ્રસ્ટે કૂપન છપાવ્યા હતા, જેમાં આવ્યું ખાસ્સુ દાન :

ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, દશ રૂપિયાના કૂપથી 30.99 કરોડ રૂપિયા, સો રૂપિયાના કૂપનથી 372.48 કરોડ રૂપિયા તથા એક હજારના કૂપનથી 225.46 કરોડ રૂપિયા તથા રસીદ દ્વારા 1625.04 કરોડ રૂપિયા ભેગા થયા છે. આમ કુલ રકમ 2253.97 કરોડ થયા છે.

 

રાજીનામું આપી વિધાનસભા ભંગ કરી શકે છે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતના ટ્વિટથી રાજકારણમાં ભૂકંપ

0

Uddhav Thackeray resignation

  • મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા

મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનામાં (Shiv Sena) બળવાને લઈને મોટી ઊથલપાથલ મચી ગઈ છે ત્યારે ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને (Eknath Shinde) માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.

સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગે બોલાવી ધારાસભ્યો અને સાંસદોની બેઠક :

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર  ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને સાંજે 5 વાગે   નિવાસે યોજાનારી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે આ બેઠકમાં રાજકીય સંકટને લઈને બેઠકમાં થશે ચર્ચા

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળશે : કમલનાથ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે   કોંગ્રેસ નેતા કમલનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમલનાથે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. કોંગ્રેસના
તમામ ધારાસભ્યો અમારી સાથે જ છે. અમારા એક પણ ધારાસભ્ય બહાર નથી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે કમલાનાથને પ્રર્યવેક્ષક બનાવ્યા છે.

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ :

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પોલીટીકલ હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી મંત્રી શબ્દ હટાવ્યો ઉલ્લેખનીય છે કે,આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો-સાંસદોની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી

ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ :

બીજી તરફ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે   ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ છે. જેમાં ભૂપેન્દ્ર યાદવ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે બેઠકમાં થશે ચર્ચા

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ ! શું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી કપાશે પતું ?

0

Team India

  • ટીમ ઈન્ડિયા : ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર ઈંગ્લેન્ડ (England) સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ટેસ્ટ મેચ રમાશે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી કોરોના પોઝિટિવ નીકળ્યો :

આ ટેસ્ટ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે અધૂરી 5 મેચની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ ટેસ્ટ મેચ સ્થગિત કરવામાં આવી હતી.

શું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી કપાઈ શકે છે પતું :

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છે. રવિચંદ્રન અશ્વિન હાલમાં ભારતમાં છે અને ઈંગ્લેન્ડ જવા રવાના થયો નથી.

ટીમ ઈન્ડિયા 16 જૂને યુકે જવા રવાના થઈ હતી :

બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે અને તમામ કોવિડ પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી જ ટીમ ઈન્ડિયામાં જોડાશે. ટીમ ઈન્ડિયા 16 જૂને યુકે જવા રવાના થઈ હતી. રવિચંદ્રન અશ્વિન શુક્રવાર 24 જૂનથી રમાનારી લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ ગુમાવશે.