Home Blog Page 1394

ભાઈની બેની લાડકી ! નાના ભાઈને મનાવવા બહેને કર્યું એવું કામ કે થયો વર્લ્ડ રેકોર્ડ, જાણો રસપ્રદ મામલો

0

Brother’s two darlings

  • કેરળના ઈડ્ડુકીમાં એક નારાજ ભાઈને મનાવવા માટે બહેને 12 કલાકની લાંબી મહેનતને અંતે 434 મીટર લાંબો પત્ર લખીને માફી માગી.

ભાઈ અને બહેન વચ્ચે હંમેશા મીઠી રકઝક (Sweet Rakshak) ચાલતી રહેતી હોય છે અને આ મીઠી રકઝક તેમની વચ્ચેના પ્રેમ અને સ્નેહને છતો કરે છે. નાના ભાઈ (Younger brother) નારાજ થાય તે બહેનને ન પરવડી શકે અને તેને મનાવવા માટે ક્યારેક અશક્ય લાગતું કામ પણ કરી નાખતી હોય છે, કેરળના (Kerala) ઈડ્ડીપીમાં (EDDP) બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમને દર્શાવતી આવી જ એક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે ઈડ્ડીપીની કૃષ્ણપ્રિયા (Krishnapriya) નામની એન્જિનિયરે મહિલાએ પોતાના નાના ભાઈની માફી માગવા માટે બિલિંગ રોલ પર 434 મીટર લાંબો પત્ર લખ્યો જેનો વજન 5 કિલો છે. કૃષ્ણપ્રિયાનો દાવો છે કે તેને આ પત્ર લખતમાં 12 કલાકનો સમય લાગ્યો હતો.

બહેન ‘બર્થ ડે’ વિશ કરવાનું ભૂલી ગઈ :

કૃષ્ણપ્રિયાના જણાવ્યા અનુસાર, તે આ વર્ષે ‘ઈન્ટરનેશનલ બ્રધર્સ ડે’ પર તેના નાના કૃષ્ણ પ્રસાદને શુભેચ્છા આપવાનું ભૂલી ગઈ હતી. કદાચ આનાથી નારાજ થઈને તેણે તેમને વોટ્સએપ પર બ્લોક કરી દીધા હતા. આ પછી તેણે તેના ભાઈને એક લાંબો અને ભારે પત્ર લખ્યો. યુનિવર્સલ રેકોર્ડ ફોરમ અનુસાર, કૃષ્ણપ્રિયાએ અત્યાર સુધીનો સૌથી લાંબો પત્ર લખ્યો છે.

ભાઈના મેસેજનો જવાબ ન આપ્યો :

કૃષ્ણપ્રસાદે તેની બહેનને કેટલાક સંદેશા મોકલ્યા હતા. તેણે તેના પર ધ્યાન ન આપ્યું. પાછળથી, તેણીએ તેમને જણાવવા માટે કેટલાક સ્ક્રીનશોટ પણ મોકલ્યા કે અન્ય લોકોએ તેણીને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવી. જ્યારે બહેને તેમના સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો અથવા તેમને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવી ન હતી, ત્યારે તેણે તેમને વોટ્સએપ પર બ્લોક કરી દીધા હતા.

ભાઈએ વોટ્સએપ પર બહેનને કરી બ્લોક  :

બહેને કહ્યું  હું તેને શુભેચ્છા આપવાનું ભૂલી ગઈ હતી. સામાન્ય રીતે ‘બ્રધર્સ ડે‘ પર હું તેને ફોન કરતી અને તેને અભિનંદનના મેસેજ મોકલતી હતી  પરંતુ આ વર્ષે મારા વ્યસ્ત સમયપત્રકને કારણે તે મારા મગજમાંથી નીકળી ગયું. મેં જોયું કે તેણે મને અન્ય લોકોની શુભેચ્છાઓના સ્ક્રીનશૉટ્સ મોકલ્યા છે. અમારો સંબંધ મા-દીકરા જેવો છે. પરંતુ મને દુઃખ થયું કે તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. મને વોટ્સએપ પર પણ બ્લોક કરી દીધી.

5 રોલ પેપરમાં લખેલી દિલ કી બાત :

કૃષ્ણપ્રિયાએ 25 મી મેના રોજ પત્ર લખવાનું શરૂ કર્યું. પહેલા તેણે લખવા માટે A4 સાઈઝનો કાગળ લીધો. પણ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તેની લાગણી સામે પેપર ટૂંકું પડી જશે. લાંબો કાગળ ન મળતાં તેણે બિલિંગ રોલ પર જ પત્રો લખવાનું શરૂ કર્યું. તેણે 15 રોલ્સ ખરીદ્યા અને તે બધા પર તેનું હૃદય લખ્યું, જેમાં તેને 12 કલાકનો સમય લાગ્યો.

અત્યાર સુધીનો સૌથી લાંબો પત્ર !

પત્ર પેક કરવાનું તેમના માટે કપરું કામ હતું. કારણ કે દરેક રોલની લંબાઈ લગભગ 30 મીટર હતી. આવી સ્થિતિમાં, તેણે કોઈક રીતે તે પત્ર એક બોક્સમાં પેક કર્યો. પોસ્ટ ઓફિસે પણ 5.27 કિલો વજન ધરાવતા બોક્સને કોઈ સમસ્યા વિના લઈ લીધું. જ્યારે તેના ભાઈ કૃષ્ણપ્રસાદને બે દિવસ પછી પત્ર મળ્યો, ત્યારે તેણે વિચાર્યું કે તે તેના જન્મદિવસની ભેટ છે. કૃષ્ણપ્રિયા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી ચૂકી છે. કારણ કે તેઓ માને છે કે તે અત્યાર સુધીનો સૌથી લાંબો પત્ર છે.

આ પણ વાંચો –

લાલુ યાદવ સીડી પરથી પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા, જાણો કેવી છે તબિયત

0

Lalu Yadav fell down

  • રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલ ICU માં દાખલ છે.

રાષ્ટ્રીય જનતા દળના (Rashtriya Janata Dal) અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (Former Chief Minister Lalu Prasad Yadav) હાલ ICU માં દાખલ છે. રવિવારે તેઓ સીડી પરથી પડી ગયા હતા અને તેમને ખભામાં ફ્રેક્ચર થઈ ગયું. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ (Hospital) લઈ જવાયા. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. એવું કહેવાય છે કે લાલુ યાદવની પીઠમાં પણ ઈજા થઈ છે.

લાલુ યાદવના પરિવારના એક નીકટના સૂત્રએ જણાવ્યું કે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ હાલ પટણામાં પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે રહે છે. જ્યાં તેઓ સીડી પરથી પડી ગયા. ત્યારબાદ લાલુ યાદવને તરત હોસ્પિટલ લઈ જવાયા. અત્રે જણાવવાનું કે તેઓ પહેલેથી જ કેટલીક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

લાલુ યાદવને તબિયત નરમ ગરમ રહે છે. જેલમાં હતા ત્યારે પણ તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણીવાર હોસ્પિટલ દાખલ થવું પડ્યું હતું. લાલુ યાદવ ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, હ્રદય રોગ, કિડનીની બીમારી, તણાવ, થેલીસિમિયા, પ્રોસ્ટેટનું વધવું, યુરિક એસિડ વધવો, બ્રેઈન સંબંધિત બીમારી, નબળી ઈમ્યુનિટી, ખભાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખમાં મુશ્કેલી, અને હ્રદય સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે.

ચારા કૌભાંડના અનેક કેસમાં દોષિત ઠરેલા આરજેડી સુપ્રીમો લાલુ યાદવને થોડા સમય પહેલા રાંચી સ્થિત સીબીઆઈની એક વિશેષ કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદથી તેઓ જેલમાંથી બહાર છે અને 10 સર્ક્યુલર સ્થિત રાબડી દેવીના સરકારી ઘરે સ્વાસ્થ્યના લાભ લઈ રહ્યા છે.

આ પણ વાંચો –

બોયફ્રેન્ડને સાથ આપ્યો તો પિતાએ દીકરીને કાર નીચે કચડી નાંખી, જીવતી રહી તો…

Accompanied by boyfriend

  • સામાન્ય રીતે દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે અને પિતાને હમેંશા દીકરીઓ વ્હાલી હોય છે, પરંતુ બ્રિટનમાં એક એવા પિતાની વાત સામે આવી છે જે વાંચીને તમને એ વ્યકિત સામે ઘૃણા ઉપજશે.

યુનાઇટેડ કિંગડમના (United Kingdom) નોર્ફોકમાંથી (Norfolk) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની પુત્રીને કારથી કચડી નાખી હતી. આરોપી પિતાને પુત્રી પર ગુસ્સે હતો કે તેણે તેના બોયફ્રેન્ડનો (Boyfriend) પક્ષ લીધો હતો. જ્યારે પિતા પુત્રીના બોયફ્રેન્ડને મારવા માંગતા હતા. તે સમયે પુત્રીએ બંને વચ્ચે ઉભી રહીને બોયફ્રેન્ડને માર મારતા બચાવ્યો હતો. આ નિર્દયી પિતાએ પુત્રીને કાર નીચે કચડી નાંખ્યા પછી જોયું કે હજુ જીવતી છે તો ફરી રિવર્સ કરીને તેણી પર કાર ચઢાવી દીધી અને મોતને ઘાટ ઉતારી દીધી.

Mirror co.uk.માં છપાયેલા એક રિપોર્ટ મુજબ, મોતને ભેટનાર યુવતીની ઉંમર 19 વર્ષની હતી અને તેનું નામ લોરેન હતુ. આરોપ છે કે લોરેનના પિતા નિગેલ માલ્ટે જ પોતાની દીકરીની બેરહમીથી હત્યા કરી નાંખી હતી. દીકરી કણસતી રહી, પરંતુ પિતાને દયા ન આવી. બે વખત કાર ફેરવીને પુત્રીને યમસદન પહોંચાડી દીધી હતી.

પિતા નિગેલ માલ્ટ :

આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે કોર્ટમાં ઓડિયો ક્લિપ રજૂ કરવામાં આવી હતી, જેમાં લોરેનના આક્રંદ અને ચીસોનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કચડાઈ જવાને કારણે લોરેનના ઘણા બધા હાડકાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

તપાસમાં એ વાત સામે આવી હતી કે લોરેનના બોયફ્રેન્ડને નહી મારી શકવાને કારણે પિતાએ બધો ગુસ્સોપ પોતાની દીકરી લોરેન પર ઉતારી દીધો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાની પીઠના ઘણા હાડકાં તૂટી ગયા હતા. આ ઉપરાંત તેની પાંસળીઓ કચડાઈ ગઈ હતી અને તેને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે લોરેનનું મોત થયું હતું.

જયારે લોરેનને તેનો પિતા કારથી કચડી રહ્યો હતો ત્યારે તેણીએ ભારે આક્રંદ મચાવ્યું હતું, પરંતુ તેની મદદ કરવા માટે કોઇ પહોંચી શક્યું નહોતું. થોડી વાર પછી એક પડોશી બહાર આવ્યો અને  લોરેનના પિતા નિગેલને કહ્યું હતું કે આ શું કર્યું ? પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી ?

આ પણ વાંચો –

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો પ્લાન ભાજપનો નહિ, પણ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે

0

In Gujarat, Arvind Kejriwal

  • આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, જો ભાજપ નારાજ લોકોના મત પણ તેમને મળી જાય, જેઓ કોંગ્રેસને પોતાના મત આપવા માંગતા નથી, તો આપની ગુજરાતમાં સરકાર બની શકે છે… ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો પ્લાન ભાજપનો નહિ, પણ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે

દિલ્હી (Delhi) બાદ પંજાબમાં (Punjab) સત્તા હાંસિલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ગઢમાં કેજરીવાલ (Kejriwal) ઝાડું ફેરવવાના ફિરાકમાં છે. હાલ કેજરીવાલ ગુજરાતમાં આપનું સંગઠન મજબૂત કરવામાં લાગી ગયા છે. તો બીજી તરફ, તેઓ ભાજપ વિરોધી વોટર્સને એકજૂટ કરીને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે.

આપણે વિપક્ષમાં નથી બેસવાનું :

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે અમદાવાદમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યુ હતું કે, આપણે સત્તા હાંસિલ કરવા માટે કડક મહેનત કરવી પડશે. આપણે વિપક્ષમાં નથી બેસવાનું. દિલ્હીના મુખ્યમંત્રીએ રવિવારે 6988 પદાધિકારીઓને ઈનામદારીથી લોકોની સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા.

ભાજપ વિરોધી વોટ ખેંચવાનો પ્રયાસ :

બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચેલા કેજરીવાલે લોકોને અપીલ કરી કે, તેઓ ગુજરાતમાં આગામી વિધાનસભામાં પોતાને વોટ આપે. કોંગ્રેસને મત આપીને તમારો વોટ બેકાર ન બનાવે. તેમણે કહ્યુ કે, જો ભાજપથી નારાજ એ લોકોના મત તેમને મળી જાય, જેઓ કોંગ્રેસને વોટ આપવા માંગતા નથી, તો ગુજરાતમાં આપની સરકાર બની શકે છે. આપ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી જોડાઈ ગયુ છે.

કોંગ્રેસને નુકસાન કરવાનો કેજરીવાલનો પ્લાન :

કેજરીવાલે કહ્યુ કે, આપ કાર્યકર્તાઓએ એ લોકોનુ સમર્થન પાર્ટીમાં હાંસિલ કરવુ જોઈએ, જેઓ ભાજપના શાસનથી નારાજ છે. પરંતુ કોંગ્રેસને મત ન આપવા જોઈએ. ગત વખતે લોકોએ ભારે આશા સાથે કોંગ્રેસને મત આપ્યા હતા, પરંતુ હવે ગુજરાતમાં અત્યાર સુધી 57 ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે.

કેજરીવાલના પ્લાન અને પ્રચારથી કોંગ્રેસને નુકસાન :

રાજકીય જાણકારોના અનુસાર, ભાજપની વિરુદ્ધ એન્ટી ઈન્કમબન્સીની વાતો દરેક ચૂંટણીમાં થાય છે, પરંતુ ભગવા દળના મૂળ અહી બહુ જ ઊંડા છે. કેજરીવાલ ભાજપ વિરોધી વોટ પર ફોકસ કરી રહ્યું છે. જે લોકો ભાજપથી નારાજ છે, તેમના વોટ મળવાની કેજરીવાલને આશા છે. જે અત્યાર સુધી કોંગ્રેસને મળતા હતા. આવામાં કેજરીવાલનો આ પ્લાન અને પ્રચાર કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. કોંગ્રેસ માટે હાલ વળતા પાણી ચાલી રહ્યાં છે. તેમાં પણ કેજરીવાલનો ગુજરાતમાં પ્રચાર તેના વોટબેંકને નુકસાની પહોંચાડી શકે છે.

દિલ્હી, પંજાબના કામોનું ગુજરાતમાં માર્કેટિંગ :

કેજરીવાલ હાલ પોતાના પ્રચારમા દિલ્હી અને પંજાબની કામગીરીનુ માર્કેટિંગ કરી રહ્યાં છે. ગુજરાતથી દિલ્હી ગયેલુ ભાજપનું પ્રતિનિધિમંડળ ત્યાંની શાળાઓ અને હોસ્પિટલમાં એક પણ ખામી શોધવામાં અસફળ રહ્યુ છે. તેથી જ હવે કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને દિલ્હી અને પંજાબના મોડલ પર માર્કેટિંગ કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો –

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું વિક્રમી સપાટીએ પહોંચ્યું ; જાણો આજનો નવો ભાવ 

A big jump in gold-silver prices

  • જ્યારથી સરકારે સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે ત્યારથી સોનાના ભાવમાં મજબૂત વલણ જોવા મળી રહ્યું છે. માત્ર બે ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 1,700 જેટલું મોંઘું થઈ ગયું છે અને હાલમાં તે બે મહિનાની વિક્રમી ટોચે છે. ચાલો જાણીએ નવીનતમ દર.

સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. જ્યારથી સરકારે સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે, ત્યારથી સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. માત્ર બે ટ્રેડિંગ સેશનમાં (Two trading sessions) સોનું લગભગ 1700 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ફરી એકવાર 52 હજારને પાર કરી ગયું છે. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે સોનાના વાયદાના ભાવ આજે બે મહિનામાં સૌથી વધુ છે.

સોના અને ચાંદીના ભાવ શું છે ?

આજે સવારે મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ શુદ્ધતાના 24 કેરેટ સોનાનો વાયદો રૂ. 323 વધી રૂ. 52,240 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. 58 વધીને રૂ. 57,800 પ્રતિ કિલોગ્રામ થયો હતો. તે જ સમયે, આજે કારોબારની શરૂઆતમાં સોનું 52,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. પરંતુ સપ્લાય પર અસર થતાં ટૂંક સમયમાં તેમાં તેજી જોવા મળી હતી.

સોનું તેના પાછલા બંધ ભાવથી લગભગ 0.6 ટકાના ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી તેના અગાઉના બંધ કરતાં 0.10 ટકાના ઉછાળા પર જોવા મળી રહી છે. હકીકતમાં, સરકારે શુક્રવારે સોના પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી છે, જેની સીધી અસર કિંમતો પર પડી રહી છે.

વૈશ્વિક બજારની સ્થિતિ શું છે ?

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં આજે સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ 1,812.40 ડોલર હતો જ્યારે ચાંદીનો હાજર ભાવ ઘટીને 19.86 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. તે જ સમયે, પ્લેટિનમની હાજર કિંમત $886 છે, જે અગાઉની બંધ કિંમત કરતાં 0.56 ટકા ઓછી છે. પેલેડિયમની હાજર કિંમત ઘટીને $1,860 થઈ ગઈ. એટલે કે આ સમયે વૈશ્વિક બજારમાં સુસ્તી ચાલી રહી છે.

સોનાના ભાવ વધશે કે ઘટશે ?

ભારત સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. આ સિવાય રશિયાએ G7 દેશોમાં સોનાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે. નિષ્ણાતોના મતે MCX પર સોનું 53 હજારની ઉપર જઈ શકે છે. અન્યથા સોનું તેની રેકોર્ડ હાઈ 56,200 સુધી પણ જઈ શકે છે. ભૌતિક સોનાના ભાવમાં ઉછાળાને કારણે શુક્રવારે ગોલ્ડ ETF રોકાણ 0.8 ટકા ઘટીને 1,041.9 ટન થયું હતું.

આ પણ વાંચો –

કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો ,જાણો કોણ છે સિની શેટ્ટી

0

Karnataka’s Sini Shetty wins Miss India 2022 title, find out who Sini Shetty is

  • વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત રહી હતી.

દેશને ફેમિના મિસ ઈન્ડિયા 2022 (Miss India 2022) મળી ગઈ છે. સિની શેટ્ટી (Sini Shetty)એ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે. તે 21 વર્ષની છે અને કર્ણાટકની રહેવાસી છે. મિસ ઈન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ 3 જૂલાઈના રોજ મુંબઈના જિયો કન્વેંશન સેંટરમાં (Geo Convention Center) યોજાયો હતો. વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત (Ruble Shekhawat) રહી હતી. તે મિસ ઈન્ડિયાની પહેલી રનરઅપ રહી. બીજી તરફ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારી શિનાતા ચૌહાણ (Shinata Chauhan) બીજી રનરઅપ રહી હતી. મિસ ઈન્ડિયા 2022 ના ફિનાલેની રાત્રે તેઓ બધા ખૂબ જ સુંદર દેખાતા હતા.

મિસ ઈન્ડિયા 2021ની વિજેતા રહેલી માનસા વારાણસી (Manasa Varanasi)એ મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટીને ક્રાઉન પહેરાવ્યું હતું. ટોપ 5માં સિની શેટ્ટી, રુબલ શેખાવત, શિનાતા ચૌહાણ, પ્રજ્ઞા અય્યારી અને ગાર્ગી નંદી હતા. વિજેતા તરીકે પસંદગી થતાં સિનીના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. અન્ય સ્પર્ધકોએ પણ તેને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સિની શેટ્ટી આમ તો કર્ણાટકની રહેવાસી છે પરંતુ તેમનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તે હાલમાં ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ (CFA)નો પ્રોફેશનલ કોર્સ કરી રહી છે. જોકે, તેનો પ્રથમ પ્રેમ ડાન્સિંગ તરફ રહ્યો છે તેણે 4 વર્ષની ઉંમરમાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધુ હતું અને 14 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના અરંગત્રમ અને ભરતનાટ્યમ સમાપ્ત કરી દીધા હતા.

રૂબલને બેડમિન્ટન રમવાનું પસંદ છે :

મિસ ઈન્ડિયા 2022 રનર અપ રૂબલ શેખાવત વિશે વાત કરીએ તો, તે ડાન્સ, એક્ટિંગ, પેઈન્ટિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવે છે અને બેડમિન્ટન રમવાનું પણ પસંદ કરે છે. જ્યારે મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપ શિનતા ચૌહાણ એક સ્કોલર રહી છે અને હંમેશા લિડરશીપ વાળા કામ કરવા ઉત્સુક રહે છે.

આ સેલેબ્સે ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપી હતી :

મિસ ઈન્ડિયા 2022નો ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ ઈવેન્ટમાં નેહા ધૂપિયા, કૃતિ સેનન, મનીષ પોલ, રાજકુમાર રાવ, ડિનો મોરિયા, મિતાલી રાજ, મલાઈકા અરોરા અને અન્ય સેલેબ્સે ભાગ લીધો હતો. કૃતિ સેનન અને લોરેન ગોટલીબે શાનદાર પ્રદર્શન કર્યું જેણે ઈવેન્ટને વધુ ખાસ બનાવ્યો હતો. આ ઈવેન્ટમાં નેહા ધૂપિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેણે આ વર્ષે મિસ ઈન્ડિયાનો તાજ જીત્યાના 20 વર્ષ પૂરા કર્યા હતા.

આ પણ વાંચો –

 

યુવતીએ પિતા-કાકા પર લગાવ્યો બળાત્કારનો આરોપ, દારૂના ધંધામાં પણ કરતા હતા ઉપયોગ

The girl accused her father

  •  યુવતીએ વીડિયોમાં કહ્યું હતું કે, તે હાલમાં પોતાના દાદા-દાદી સાથે દરભંગામાં છે.

બિહારના (Bihar) સમસ્તીપુર જિલ્લામાં એક વીડિયો વાયરલ (Video viral) થયા બાદ પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. આ વીડિયોમાં તેની સગીર પુત્રીએ તેમના પર જાતીય સતામણી અને ગેરકાયદેસર દારૂના (Illegal alcohol) ધંધામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

રોસરા સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર શહરયાર ખાનના જણાવ્યા અનુસાર, આ યુવતીના વીડિયોને લઈને FIR નોંધવામાં આવી છે. યુવતીએ વીડિયોમાં કહ્યું હતું કે, તે હાલમાં પોતાના દાદા-દાદી સાથે દરભંગામાં છે. તેણે પોતાના પિતા અને કાકા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તેના માતા-પિતા દારૂના વેપારમાં સામેલ છે અને તેઓ પોતાના ગ્રાહક સામે તેને મોકલે છે. ખાનને જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ ચાલુ છે અને રાજ્યમાં દારૂ પ્રતિબંધ હોવા છતા દારૂના વેચાણ અને સેવન સિવાય સગીર યુવતી સાથેના જાતીય સતામણીમાં સામેલ અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

 ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, છેલ્લી ઘડીએ આ વિધાયકે પણ સાથ છોડ્યો

0

A big tweak to Uddhav Thackeray

  • મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં  બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) આજે નવા સીએમ એકનાથ શિંદેની (Eknath Shinde) અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો (Rebel legislators) અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) મોટો ઝટકો લાગ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે.

અત્રે જણાવવાનું કે ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

આ પણ વાંચો –

છોટાઉદેપુરમાં વીજ કંપનીની ઘોર બેદરકારી, વીજપોલ નીચે પેશાબ કરવા ઊભા રહેલા વિદ્યાર્થીનું મોત

0

Power company negligent

  • નસવાડીના પીપલાજ ગામે બે મિત્રો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેશાબ લાગતા બંને પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા.

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં સરકારી વીજ કંપની (Electricity company)ની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજ કંપનીની બેદરકારીને પગલે એક 14 વર્ષના કિશોરે જીવ ગુમાવ્યો છે. મૃતક કિશોર ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી પ્રમાણે કિશોર વીજપોલ (Power pole) નીચે પેશાબ કરવા માટે ઊભો હતો. આ દરમિયાન વીજ શોક (Electric shock) લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે, વીજતાર પસાર થઈ રહ્યો હતો ત્યાં એક ઝાડની ડાળી વધી ગઈ હતી. આ મામલે વીજ કંપનીને પણ વારેવારે રજુઆત કરવામાં આવી હતી.

પીપલાજ ગામ ખાતે બન્યો બનાવ :

મળતી માહિતી પ્રમાણે નસવાડી તાલુકાના પીપલાજ ગામે (Piplaj village) મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજપોલ નીચે પેશાબ કરવા ઊભા કહેલા 14 વર્ષના સગીરનું વીજ કરંટ લાગતો મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે એક વૃક્ષની ડાળી વીજપોલ ઉપરથી પસાર થતી હતી. આ ડાળી વીજ વાયરની અડતી હોવાથી વૃક્ષમાંથી વીજ કરંટ પસાર થતો હતો. આ દરમિયાન કિશોર વીજ પોલ નીચે પેશાબ કરતા ઊભા રહેતા શોક લાગ્યો હતો.

સામે આવેલી વિગત પ્રમાણે નસવાડીના પીપલાજ ગામે બે મિત્રો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેશાબ લાગતા બંને પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા. આ દરમિયાન વીજપોલના આર્થિંગ વાયરમાં વીજ કરંટ ઉતરતા દુર્ઘટના ઘટી હતી. આ બનાવ બન્યા બાદ વૃક્ષની ડાળીને કાપી નાખવામાં આવી હતી.

મૃતક કિશોરનું નામ વિકેસ રંગીત ભીલ હોવાનું સામે આવ્યું છે. વિકેસની ઉંમર 14 વર્ષ છે. વીજશોકથી એકનું મોત થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિકેસ નસવાડી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.

આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે, વીજતાર પસાર થઈ રહ્યો હતો ત્યાં એક ઝાડની ડાળી વધી ગઈ હતી. આ મામલે વીજ કંપનીને પણ વારેવારે રજુઆત કરવામાં આવી હતી. કારણ કે વૃક્ષની ડાળીઓને કારણે વીજળીના તાર છોલાતા રહેતા હતા. આ મામલે ગામના લોકોને પણ ટકોર કરવામાં આવી હતી કે વીજપોલ નજીક જવું નહીં. વીજ કંપનીની બેદરકારીને પગલે આ બનાવ બન્યો છે.

આ પણ વાંચો –

સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કંપનીઓ પર લગાવ્યો 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ

0

Government’s big decision

  • દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે.

સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol, diesel and air fuel) અને એર ફ્યુઅલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. હવે કંપનીઓએ ઉત્પાદનોની નિકાસ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ પગલું રિફાઈન્ડ પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) નિકાસ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1 જુલાઈથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. સરકારે પેટ્રોલ અને ATFની નિકાસ પર પ્રતિ લીટર 6 રૂપિયાનો નિકાસ ટેક્સ લાદ્યો છે, જ્યારે ડીઝલની નિકાસ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ આપવો પડશે.

જો દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે. વૈશ્વિક બજારો માં ક્રૂડ ઓઇલ ની વધતી કિંમતો ને દયાન માં રાખી ને સ્થાનિક ઉત્પાદન બહાર ના જાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેટલાક ઉત્પાદકો માટે છૂટછાટ :

સરકારે કહ્યું છે કે નિકાસ કેન્દ્રિત રિફાઇનરીઓને નવા કર માંથી મુક્તિ આપવામાં આવશે , પરંતુ તેઓએ ઉત્પાદનના 30 ટકા ડીઝલ સ્થાનિક બજાર માં વહેંચવું પડશે. નાના ઉત્પાદકો કે જેનું પાછલા વર્ષ માં ઉત્પાદન 20 લાખ બેરલ થી ઓછું હતું તેઓ ને નવા નિયમો માંથી મુક્તિ અપાશે. સ્થાનિક ઉત્પાદન ને પ્રોત્સાહન આપવા માટે , ગયા વર્ષ કરતા વધુ ઉત્પાદન કરતી કંપનીઓ વધારાના ઉત્પાદનો પાર સેસ વસૂલશે નહિ.

ખાનગી કંપનીઓ પર વધુ અસર :

સરકારે કહ્યું છે ખાનગી કંપનીઓ ઉત્પાદનનો મોટો ભાગ નિકાસ કરે છે. તેથી આ નિર્ણય ની અસર તેના પર વધુ પડશે. છેલ્લા થોડા સમય થી ડિઝલ ની નિકાસ માં નોંધપાત્ર વધારો થયો છે. જે ને કાબુમાં લાવો ખુબ જરૂરી છે. સ્થિત રિફાઇનરી ના પુરવઠા માં 8 ટકા નો ઘટાડો થયો છે. તેમજ ONGC અને VEDANT માં પણ 5 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી સ્થાનિક બઝાર માં ઇંધણ સપ્લાય પર અસર જોવા મળી રહી છે.

નોંધનીય છે કે આ મહિના ની શરૂઆત માં દેશ ના ઘણા પેટ્રોલ પંપ પર ઇંધણ ની અછત હતી. પંપ ડિલરોએ જણાવ્યું હતું કે કંપનીઓ પાસે પૂરતો પુરવઠો નથી. આ પછી સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો, ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલ ની સપ્લાય સામાન્ય થઇ શકી હતી.

આ પણ વાંચો –