HomeNational ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, છેલ્લી ઘડીએ આ વિધાયકે પણ...

 ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, છેલ્લી ઘડીએ આ વિધાયકે પણ સાથ છોડ્યો

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

A big tweak to Uddhav Thackeray

  • મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં  બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) આજે નવા સીએમ એકનાથ શિંદેની (Eknath Shinde) અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો (Rebel legislators) અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) મોટો ઝટકો લાગ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે.

અત્રે જણાવવાનું કે ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

આ પણ વાંચો –

Subscribe

Latest stories

spot_img