Home Blog Page 1389

ગુજરાતમાં ચોમાસું જામ્યું, અમદાવાદમાં ધોધમાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

0

Monsoon arrives in Gujarat

  • હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે.

ગુજરાતમાં ચારેબાજુ વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે (Department of Meteorology) રાજ્યમાં ભારે વરસાદને લઈને એક આગાહી કરી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.

હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાત 182 mm વરસાદ ખાબક્યો છે. ખુશીની વાત એવી છે કે 6 ટકા વરસાદ હાલની સ્થિતિ કરતા વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ વરસ્યો છે.

નવસારીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ :

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. જેમાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નવસારી જલાલપોરમાં નહીવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણાંમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીની આવક થતા ગણદેવીના દેવધા ડેમ ઓવરફ્લો થયો છે.

જેને પગલે ગણદેવી, બીલીમોરા શહેર સહિત આસપાસના ગામડાઓની પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઇના પાણીની રાહત થઈ છે. ચીખલી તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 3 ઇંચ, જ્યારે ગણદેવી અને ખેરગામ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગત રોજ સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો –

 

હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ દ્વારા કરી કમાલ, ટી20માં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

0

Hardik Pandya became

  • હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 51 રનની ઇનિંગ રમ્યા બાદ 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ પણ લીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (All-rounder Hardik Pandya) સાઉથમ્પટનમાં રમાયેલી ઈંગ્લેન્ડ (England) સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં બેટ અને બોલ બંને વડે ધૂમ મચાવી હતી. આ જ મેચમાં તેણે T20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ અડધી સદી પણ ફટકારી હતી. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં (International match) ચાર વિકેટ અને 50 રન બનાવનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો 5મો ખેલાડી બન્યો. તેણે 4 ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. હાર્દિકે પણ 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી જેમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

બોલિંગમાં પંડ્યાએ 6 બોલમાં ઈંગ્લેન્ડની ત્રણ મોટી વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ કમાલ કરી હતી અને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ બીજા બોલ પર ડેવિડ મલાન (14 બોલમાં 21 રન) ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ખતરનાક લિયામ લિવિંગસ્ટોનને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો. આગામી ઓવરના પ્રથમ બોલ પર જ જેસન રોય (16 બોલમાં 4 રન)ને હર્ષલ પટેલના હાથે કેચ કરાવીને હાર્દિકે ત્રીજી સફળતા મેળવી હતી. ત્રીજી ઓવરમાં હાર્દિકે સેમ કુરનને આઉટ કરીને તેની ચોથી વિકેટ લીધી હતી.

બ્રેક બાદ હાર્દિકનું પુનરાગમન :

હાર્દિક પંડ્યા ગયા વર્ષે સતત તેની પીઠની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2021માં ખરાબ પ્રદર્શન બાદ તેણે અનિશ્ચિત સમય માટે વિરામ લેવાનું અને તેની ફિટનેસ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. આ પછી, તે IPL 2022 માં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પાછો ફર્યો અને તેની ટીમને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન અને કેપ્ટનશીપથી વિજયી બનાવ્યો. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું.

પરિણામે તેને આયરલેન્ડ શ્રેણીમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળી જેમાં ભારતે જબરદસ્ત રમત બતાવી અને શ્રેણી 2-0થી જીતી લીધી. પંડ્યાએ IPL 2022ની 15 મેચોની 15 ઇનિંગ્સમાં 487 રન બનાવ્યા હતા. તેના નામે 4 અડધી સદી હતી. આ સિવાય હાર્દિકે 8 વિકેટ પણ લીધી હતી. આ પછી, તેણે દક્ષિણ આફ્રિકા શ્રેણીની 4 ઇનિંગ્સમાં 117 રન (31, 9, 31, 46) બનાવ્યા. પછી તેની બેટિંગ આયર્લેન્ડ સામે બહુ આવી ન હતી, તેમ છતાં તેણે બંને મેચમાં લગભગ 200ના સ્ટ્રાઈક રેટથી ઝડપી ઈનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો –

ચાઈનીઝ આઈસ્ક્રીમ શેમાંથી બને છે ? 31 ડિગ્રી તાપમાનમાં પણ ઓગળતું નથી , આવો જાણીએ તેની પાછળનું રહસ્ય 

What is Chinese ice cream made

  • ચાઈનીઝ આઈસ્ક્રીમ બ્રાન્ડ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આઈસ્ક્રીમની પાસે લાઈટર સળગાવવામાં આવે તો પણ તે ઓગળતું નથી.

ચીનની (China) ઝોંગ ઝ્યુ ગાઓ (Sing Zong Xu) નામની આઈસ્ક્રીમને 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવી હતી. પરંતુ આ આઈસ્ક્રીમ (Ice cream) લગભગ 1 કલાક સુધી ઓગળતો નથી. તેનો વીડિયો (Video) સામે આવ્યા બાદ ચીનની કંપની ચીઝ ક્રીમના (Cheese cream) આઈસ્ક્રીમની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું આઈસ્ક્રીમમાં કોઈ ખોટો પદાર્થ ભેળવવામાં આવ્યો છે, જેના કારણે આ આઈસ્ક્રીમ ઓગળતો નથી. તમને જણાવી દઈએ કે કંપનીનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ 700 રૂપિયાનો છે.

 चीन की Zhong Xue Gao नाम की आइसक्रीम को 31 डिग्री सेल्सिसस तापमान पर रखा गया. लेकिन तकरीबन 1 घंटे तक यह आइसक्रीम पिघलती नहीं. इसका वीडियो सामने आने के बाद चीनी कंपनी चाइस्क्रीम की आइसक्रीम की गुणवत्ता पर सवाल खड़े हो रहे हैं.

બુધવારે કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અમારા ઉત્પાદનો દેશના ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરે છે અને તેના આધારે તૈયાર કરવામાં આવે છે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે, ‘અમે માનીએ છીએ કે રસોઈ કરીને આઈસ્ક્રીમની ગુણવત્તા ચકાસવી તે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની સત્યતા ચકાસી શકાય તેમ નથી.

ફૂડ એડિટિવ્સનો ઉપયોગ ખોરાકમાં થાય છે જેથી ખોરાકનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે અને તે ખાદ્ય રહે. તે મોટાભાગે આઈસ્ક્રીમમાં વપરાય છે, જેને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ પરવાનગી આપવામાં આવી છે.

 सोशल मीडिया पर लोग पूछ रहे हैं कि क्या आइसक्रीम किसी तरह का गलत पदार्थ मिलाया जाता है, जिसकी वजह से यह आइसक्रीम पिघलती ही नहीं है. बता दें कि कंपनी की सबसे महंगी आइसक्रीम 700 रुपये की है.

તમને જણાવી દઈએ કે આઈસ્ક્રીમ વિદેશી બ્રાન્ડની આઈસ્ક્રીમ સામે મેદાનમાં ઉતરી છે. તેઓ દાવો કરે છે કે અમારો આઈસ્ક્રીમ પશ્ચિમી બ્રાન્ડના આઈસ્ક્રીમ કરતાં વધુ સારો છે.

પશ્ચિમી દેશોની આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ વિશે વાત કરીએ તો, મુખ્યત્વે મેગ્નમ અને હેગન-ડેઝ છે. આઈસ્ક્રીમ દાવો કરે છે કે અમારી કંપની આ બ્રાન્ડ્સની હરીફ છે. કંપનીનો દાવો છે કે આ આઈસ્ક્રીમમાં પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ સ્થાનિક કંપનીઓ પણ કરે છે.

આ પણ વાંચો –

Britain Politics : કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક ? જે બની શકે છે બ્રિટેનના પ્રધાનમંત્રી

Britain Politics: Who is Rishi Sunak

  • boris johnson resigns : બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rushi Sunak), આરોગ્ય પ્રધાન સાજિદ વાજિદ સહિતનાઓએ રાજીનામુ આપી દેતા રાજકીય સંકટ સર્જાયું હતું.

પાર્ટીમાં વિરોધ વચ્ચે બોરિસ જોહ્નસન (boris johnson) પર દબાણ વધતા રાજીનામુ આપવાનો વારો આવ્યો છે. બોરિસ પર દબાવ અને અન્ય મંત્રીઓની નારાજગી અને રાજીનામાંની (resign) શરૂઆત 5 જુલાઈથી શરૂ થઇ હતી. બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rushi Sunak) , આરોગ્ય પ્રધાન સાજિદ વાજિદ સહિતનાઓએ રાજીનામુ આપી દેતા રાજકીય સંકટ સર્જાયું હતું. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના (Conservative Party) ચાર મંત્રીઓએ અતિયાર સુધીમાં રાજીનામુ આપી દીધું છે. સુનક અને સાજિદ વાજિદ ઉપરાંત સિમોન હાર્ટ અને બ્રાન્ડન લેવિસ પણ આમાં સામેલ છે.

પ્રધાનમંત્રીની રેસમાં ઋષિ સુનક પહેલી પસંદગી :

બોરીશ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા સુનક નવા પ્રધાનમંત્રીની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેઓ ઇન્ફોસિસના સહ-સંસ્થાપક અને નારાયણ મૂર્તિના જમાઈ છે. સુનક 2020 માં ઇતિહાસ રચી પોતે મંત્રી બન્યા હતા. થોડા સમય પેહલા એક ટોચના બુકીએ ભવિષ્યવાણી કરી હતી કે, બોરીશ જલ્દી જ રાજીનામુ આપશે અને ઋષિ સુનક નવા પ્રધાનમંત્રી બનશે.

કોણ કોણ છે રેસમાં :

સુનક ઉપરાંત પેની મોર્ડોન્ટ, બેન વોલેસ, સાજિદ વાજિદ, લિઝ ટ્રુસ અને ડોમિનિક રાબના નામ પણ વડાપ્રધાન બનવાની આ રેસમાં સામે આવ્યા છે.

ઋષિ સુનકનો પરિચય :

ઋષિના માતા-પિતા ભારતીય મૂળના જ છે અને તેઓ 1960ની સાલમાં બ્રિટનમાં વસવાટ કરવા માટે આવ્યા. 12 મે 1980 ના રોજ બ્રિટનમાં ઋષિ સુનકનો જન્મ થયો. તેમના પિતા ડોક્ટર હતા અને માતા દવાખાનું ચલાવતા હતા. ત્રણ ભાઈ બહેનોમાં ઋષિ સૌથી મોટા છે.

ઋષિ સુનકના અભ્યાસ, કારકિર્દી વિષે :

તેમને વિન્ચેસ્ટર કોલેજ માંથી રાજનીતિ વિજ્ઞાનનો અભ્યાશ કર્યો, ત્યારબાદ ઓક્સફર્ડમાંથી ફિલોસોફી અને ઇકોનોમિક્સનો અને સ્ટેનફર્ડ માંથી એમબીએ નો અભ્યાશ કર્યો. રાજનીતિમાં પ્રવેશ પેહલા 1 અબજ પાઉન્ડ ની વૈશ્વિક રોકાણ કંપનીની સ્થાપના કરી હતી.

રાજકીય સફર :

2015 માં પહેલી વખત સંસદમાં પહોંચ્યા. તત્કાલીન પ્રધાનમંત્રી ટેરીજા મે ના મંડળમાં જુનિયર મંત્રી તરીકે કામ કર્યું અને ત્યારથીજ પોતાનું કદ વધતું ગયું.

ઋષિ સુનકની લોકપ્રિયતા અને સિદ્ધિઓ :

તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી હતી અને તેઓ હંમેશા સરકારનો ચેહરો બનીને ઉભરી આવ્યા સાથો સાથ મોટા ભાગની પ્રેસ કોંફ્રન્સ પોતેજ કરવા લાગ્યા. કોરોના સમયમાં બ્રિટનને આર્થિક તંગીમાંથી ઉગારવા માટે ખુબ મહેનત કરી હતી. જેનાથી તેની લોકપ્રિયતા ખુબજ વધી હતી.

આ પણ વાંચો –

એકનાથ શિંદે શરદ પવારને મળ્યા હતા ? વાયરલ ફોટા પર સીએમએ આપ્યું આ નિવેદન

0

Eknath Shinde met Sharad Pawar

  • શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ 30 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Chief Minister Eknath Shinde) એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાતના અહેવાલોને અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે અફવા ફેલાવવામાં આવી રહી છે કે તેઓ શરદ પવારને મળ્યા છે. શિંદેએ ટ્વીટ કર્યું કે, NCP ચીફ શરદ પવાર સાથેનો મારો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આવી કોઈ મુલાકાત થઈ ન હતી. કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો.”

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર ગયા અઠવાડિયે શિવસેનાના 39 ધારાસભ્યો સાથે પાર્ટી નેતૃત્વ સામે શિંદેના બળવાને કારણે પડી ભાંગી હતી. NCP ઉપરાંત કોંગ્રેસ પણ MVA સરકારમાં સામેલ હતી. શિંદેએ 30 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

જે તસવીર વાયરલ થઈ હતી :

મુંબઈમાં શરદ પવારના ઘરે શરદ પવાર સાથે એકનાથ શિંદેની મુલાકાતની તસવીર બુધવારે સવારે વાયરલ થવા લાગી હતી. ફોટોનું મહત્વ એટલા માટે હતું કે ત્રણ દિવસ પહેલા પવારે પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં તેમને પોતપોતાના મતવિસ્તારમાં જઈને જમીની સ્તરે કામ શરૂ કરવા કહ્યું હતું. દિગ્ગજ નેતાના નિવેદનને રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું.

તે બેઠકમાં એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે ટીપ્પણી કરી હતી કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર લાંબા સમય સુધી ટકી શકશે નહીં કારણ કે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે ભાજપની છાવણીમાં અસંતોષ ફેલાયો હતો.

ફોટો વાયરલ થતાં જ એકનાથ શિંદેએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું, ‘હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં હું શરદ પવાર સાથે છું. અમે આ રીતે ક્યારેય મળ્યા નથી. અફવાઓ પર વિશ્વાસ ન કરો. ,

તેમણે NCPના સત્તાવાર હેન્ડલ પરથી 11 નવેમ્બર, 2021ના રોજ કરવામાં આવેલ એક ટ્વિટ જોડ્યું. NCPના આ ટ્વીટમાં શિંદે અને પવાર સાથે જોવા મળે છે. ફોટો જોઈને લાગે છે કે શિંદે પવારને તેમના ઘરે મળ્યા હતા.

આ પણ વાંચો –

ગર્વની જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે

Proud announcement, CM Bhupendra Patel

  • ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યુ કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં આ ગેમ્સ આયોજિત થશે. પહેલીવાર ગુજરાત આ પ્રકારના ગેમ્સની યજમાની કરશે

ગુજરાત ઓલિમ્પિકની (Gujarat Olympics) તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ (Sports event) યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ (National Sports Festival) યોજાવાની જાહેરાત કકરાઈ છે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે.

ગુજરાત પહેલીવાર આ પ્રકારના નેશનલ લેવલના રમોત્સવની યજમાની કરવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. 36 મી નેશનલ ગેમ્સ 2022 ઈવેન્ટ ગુજરાતના આંગણે રમાશે. જે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયા યોજાશે. અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં તેનું આયોજન કરાશે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ 2022 નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે.

વિવિધ કારણોથી સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સની આખરે જાહેરાત થઈ છે. ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મહેતા આ માહિતી આપી હતી કે, આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાશે. આ નિર્ણય ગુજરાત ઓલિમ્પિક સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી લેવાયો છે. ગુજરાત સરકારે આ ગેમ્સના આયોજન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને સ્વીકારમાં આવી હતી. આગામી થોડા દિવસોમાં આ જાહેરાત કરવામાં આવશે.

છેલ્લે કેરળમાં યોજાઈ હતી ગેમ્સ :

આ અગાઉ નેશનલ ગેમ્સ 2015 માં કેરળમાં છેલ્લા યોજાઈ હતી. ગોવામાં નવેમ્બર 2016 માં નેશનલ ગેમ્સ યોજાનાર હતી, પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાને કારણે 2 વાર તેને ટાળવામાં આવી હતી. તેના બાદ તેને 2020 માં યોજવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તે આયોજિત થઈ શક્યુ ન હતું.

આ પણ વાંચો –

વિધાનસભા ચૂંટણીની તૈયારી : શનિવારે સુરત ખાતે ભાજપની કારોબારી મળશે, સંખ્યાબળ વધારવા આદેશ અપાશે

0

Preparations for Assembly elections

  • ઉદયપુર – અમરાવતી જેવી ઘટનાઓ ગુજરાતમાં ન બને તે અંગે ચર્ચાની સંભાવના. આપના વ્યાપ અંગે મનન થશે, ગરીબલક્ષી યોજનાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી (Assembly elections) આવી રહી છે તે પૂર્વે શનિવારે ગુજરાત ભાજપની કારોબારી બેઠક (BJP executive meeting) સુરતમાં મળવા જઇ રહી છે. આ કારોબારી બેઠકમાં ભાજપ પોતાના કારોબારી સભ્યોને (To executive members) કાર્યકર્તાઓની સંખ્યા વધારવા માટે આદેશ આપશે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ધીરેધીરે પોતાનો વ્યાપ વધારી રહી છે. ભાજપને કોંગ્રેસ કરતાં વધુ ચિંતા આમ આદમી પાર્ટીને લઇને છે, ત્યારે તેની સામે ભાજપ પોતાના કાર્યકર્તાઓનું બળ વધારવા પ્રયત્ન કરશે.

પાર્ટીએ ગુજરાતમાં 75 લાખ પેજ સમિતિ સભ્યોનું લક્ષ્યાંક સેવ્યું :

ભાજપના નેતાના જણાવ્યા અનુસાર પાર્ટીએ ગુજરાતમાં 75 લાખ પેજ સમિતિ સભ્યોનું લક્ષ્યાંક સેવ્યું છે. અમારી પાર્ટી કેડર બેઝ હોવાથી કાર્યકર્તાઓનું સંખ્યાબળ ખૂબ વધુ હોય તે જરૂરી છે જેથી પાર્ટી અને તેની સરકારના ઉપલા સ્તરે થતાં કામો છેક નીચે સામાન્ય લોકો સુધી પહોંચે. આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો પ્રચાર કરી રહી છે અને સામે ગુજરાતની ભાજપ સરકારને પડકાર ફેંકી રહી છે, તે ચિંતાનો વિષય ચોક્કસ છે.

વધુ સમિતિઓ બનાવવા પર અહીં બેઠકમાં ભાર મૂકાશે :

નેતાએ વધુમાં કહ્યું કે છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી પેજ સમિતિ અને પેજ પ્રમુખને લઇને સંગઠનાત્મક કાર્યવાહી થઇ રહી છે, પરંતુ ઘણી જગ્યાએ તેના ધાર્યાં પરિણામ મળ્યાં નથી. ગઇ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જે જોરથી કામ થયું તે હાલ પેજ સમિતિઓ સક્રિય મોડમાં ન હોવાથી અઘરૂં બની ગયું છે. તેથી તે સમિતિઓને સક્રિય કરવાં અને વધુ સમિતિઓ બનાવવા પર અહીં બેઠકમાં ભાર મૂકાશે.

આ પણ વાંચો –

પત્નીને એઇડ્સની બીમારી થતા સાળીના પ્રેમમાં પડ્યો પતિ, બંનેએ મળીને પત્નીને આપ્યું ખૌફનાક

Husband falls

  • પત્નીને એઇડ્સ થતાં પતિને સાળી સાથે પ્રેમ થયો. પતિએ પ્રેમમાં આંધળો બનીને નકરવાનું કરી નાખ્યું. પ્રેમમાં આંધળા બનેલા પતિને અંતે જેલની હવા ખાવાનો વારો આવ્યો.

રાજકોટ (Rajkot) જિલ્લાના વિંછીયા ગામમાંથી 44 દિવસ પહેલા મળી આવેલ મહિલાના હાડપિંજરની હત્યાની પહેલી પોલીસએ સુલઝાવી લીધી છે. આ કેસમાં મૃતકના પતિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પત્નીને એઇડ્સ (AIDS to wife) થયો છે. જેના કારણે પતિ સાળી સાથે પ્રેમસંબંધ (Romance) બંધાયો હતો. જીજા અને સાળી લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પત્ની અડચણ બની રહી હતી. જેના કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને ખેતરમાં પથ્થરો નીચે છુપાવી દીધી હતી.

વિંછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એસ.ચુડાસમા, દેવેન્દ્ર અને જગદીશ સહિતની પોલીસ ટીમ પતિને લઈ ઢોકલવા પોહચી હતી જ્યાં પત્નીની દાટેલી લાશને બહાર કાઢીને જોયું તો હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે હાડપિંજરને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપ્યું છે. આ મામલો ચોટીલા પોલીસ સ્ટેશન હેઠળ બન્યો હતો, જેથી ચોટીલા પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

વિંછીયાના છસિયા ગામે ખેતીકામ કરીને જીવન ગુજારતા પરિવારમાં પાંચ પુત્રીઓ અને એક પુત્ર હતો જેમાંથી ત્રીજી પુત્રી રાજુ ઉર્ફે રંજનબેનના લગ્ન આજથી છ વર્ષ પહેલા દાદલી ગામે રહેતા રાજેશ સાથે થયા હતા. રાજેશ દૂધનો ટ્રક ચલાવે છે. દંપતીને 3 વર્ષનો પુત્ર છે. લગભગ એક વર્ષ પહેલા રંજનને એઈડ્સ હોવાનું નિદાન થયું હતું. આ પછી રાજેશને તેની સાળી ઈન્દુ સાથે અનૈતિક સંબંધો હતા. બંને લગ્ન પણ કરવા માંગતા હતા. જેના કારણે રાજેશે રંજનની હત્યા કરી હતી.

આશરે દોઢ માસ પહેલા રાજેશ તેની પત્નીને ફરવા લઈ જવાના બહાને બાઇક પર છસિયા લઈ ગયો હતો. આ દરમિયાન રાજેશએ મોબાઈલ ચાર્જરના કેબલ વડે પત્નીનું ગળું દબાવી દીધું હતું. આ પછી તેના મૃતદેહને ખેતરમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રાજેશએ તેની પત્નીની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

આ ઘટનામાં મૃતક પરિણીત મહિલાના પરિવારને રાજેશ પર પહેલેથી જ શંકા હતી. એક મહિના સુધી પોલીસ તપાસમાં પણ કંઈ બહાર આવ્યું ન હતું. આ પછી પરિવારના સભ્યો ધરણા પર બેસી ગયા હતા. જ્યારે મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી. તપાસમાં રાજેશને તેની સાળી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે દોઢ મહિના પહેલા રાજેશની સંપૂર્ણ કુંડળી કાઢીને તેની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ કરતાં રાજેશે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો –

 

હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ હવે ખાવાનાં બિલમાં હવે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં, CCPAએ જારી માર્ગદર્શિકા

0

Hotels and restaurants

  • CCPA દ્વારા જારી કરવામાં આવેલી આ માર્ગદર્શિકા અનુસાર, હોટલ કે રેસ્ટોરન્ટ હવે તેમના ખાવાનાં બિલમાં ઑટોમૅટિક રીતે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ હોટલ/રેસ્ટોરન્ટમાં (Hotel / Restaurant) સર્વિસ ચાર્જ વસૂલવાના સંબંધમાં અન્યાયી વેપાર પ્રથાઓ અને ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. CCPA દ્વારા જારી કરવામાં આવેલી આ માર્ગદર્શિકા અનુસાર, હોટલ કે રેસ્ટોરન્ટ હવે તેમના ખાવાનાં બિલમાં ઑટોમૅટિક રીતે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં. માર્ગદર્શિકામાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે સર્વિસ ચાર્જ  (Service charge) અન્ય કોઈ નામથી વસૂલવામાં આવશે નહીં.

કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ કોઈપણ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જાણ કરશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને સંપૂર્ણ રીતે તેની મુનસફી પ્રમાણે છે. સર્વિસ ચાર્જની વસૂલાતના આધારે પરંતુ ગ્રાહકો પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. પ્રવેશ અથવા સેવાઓ. એટલું જ નહીં, તેને ફૂડ બિલમાં ઉમેર્યા પછી અને કુલ રકમ પર સતત GST વસૂલવામાં આવશે નહીં.

જો કોઈ ઉપભોક્તાને લાગે છે કે કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને સર્વિસ ચાર્જ વસૂલ કરી રહી છે, તો તે સંબંધિત હોટેલ અથવા રેસ્ટોરન્ટને બિલની રકમમાંથી સર્વિસ ચાર્જ દૂર કરવા વિનંતી કરી શકે છે. એટલું જ નહીં, ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર પણ ફરિયાદ કરી શકે છે જે 1915 પર કૉલ કરીને અથવા NCH મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી શકાય છે.

ઉપભોક્તા અન્યાયી પ્રથાઓ સામે ગ્રાહક પંચમાં ફરિયાદ પણ કરી શકે છે. ઝડપી અને અસરકારક નિવારણ માટે www.e-daakhil.nic.in પોર્ટલ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પણ વાંચો –

BMC ચૂંટણી પહેલા ઉદ્ધવને સૌથી મોટો ઝટકો, શિંદેનું જુથ થયું મજબૂત 

0

The biggest tweak to Uddhav

  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને વધુ એક ઝટકો આપ્યો છે.

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ (Shiv Sena) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) તેમને વધુ એક ઝટકો આપ્યો છે. થાણેના 66 કોર્પોરેટર શિંદે જૂથમાં જોડાયા છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણી પહેલા 66 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન શિવસેના માટે મોટો આંચકો તરીકે જોવામાં આવે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના સત્તા પર છે. થાણેને એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. મેયર નરેશ મ્સ્કે કોર્પોરેટરો સાથે એકનાથ શિંદેને મળ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેને સાંસદો પણ આપશે તમાચો !

શિવસેનાના બળવાખોર ધારાસભ્યએ દાવો કર્યો હતો કે 18માંથી 12 સાંસદો ટૂંક સમયમાં એકનાથ શિંદે જૂથમાં જોડાશે. ધારાસભ્ય ગુલાબ રાવ પાટીલે કહ્યું કે શિંદે જૂથ પાર્ટીનું ગૌરવ પુનઃસ્થાપિત કરશે. પાટીલ અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી હતા.

“અમારા (બળવાખોર જૂથ) પાસે 55માંથી 40 ધારાસભ્યો છે અને 18માંથી 12 સાંસદો અમારી સાથે આવી રહ્યા છે. ત્યારે કોનો પક્ષ હતો? હું વ્યક્તિગત રીતે ચાર સાંસદોને મળ્યો છું. અમારી સાથે 22 પૂર્વ ધારાસભ્યો પણ છે.

BMCની ચૂંટણી આ વર્ષે યોજાશે :

તમને જણાવી દઈએ કે BMCની ચૂંટણી થોડા દિવસોમાં યોજાવાની છે. મતદારો પોતપોતાના વોર્ડમાંથી કોર્પોરેટરોને ચૂંટશે જે કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરને ચૂંટવા માટે મતદાન કરશે. ચૂંટણીની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી છે અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (SEC) ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

BMCની ચૂંટણી સામાન્ય રીતે એપ્રિલ-મેમાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે OBC અનામતના મુદ્દાને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. SEC હવે ચોમાસા પછી ચૂંટણી કરાવી શકે છે.

આ પણ વાંચો –