Home Blog Page 1385

આ વસ્તુઓ ખાવાથી પિતા બનવાની ક્ષમતા ગુમાવી બેસશો, પુરુષોએ ન ખાવી જોઈએ આટલી વસ્તુઓ

0

By eating these things

  • પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે ? શું આ ખરેખર મોટી સમસ્યા છે ? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપવાના છીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષોના શુક્રાણુઓની (Sperm) સંખ્યા સતત ઘટી રહી છે. આ પાછળના કારણો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સામાન્ય રીતે પુરૂષો સ્પર્મ હેલ્થ (Sperm health) પર વધુ ધ્યાન આપતા નથી. મોટાભાગના પુરૂષોને ખ્યાલ નથી હોતો કે આહાર અને જીવનશૈલીને (Lifestyle) કારણે પણ શુક્રાણુ ઓછા થઇ જાય છે.

પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે ? શું આ ખરેખર મોટી સમસ્યા છે ? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે ? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપવાના છીએ.

શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી એ ખરેખર સમસ્યા છે ?

શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી એ ખરેખર એક મોટી સમસ્યા છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 38 વર્ષમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં 59 ટકાનો ઘટાડો થયો છે. શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે મોટાભાગના યુગલોને સંતાન મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે..

શુક્રાણુઓની સંખ્યા કેમ ઘટી રહી છે ? શું તે આપણા આહારને કારણે છે ?

પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ શું છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. કેટલાક લોકો માને છે કે તેમના ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પણ આમ થાય છે. વળી, કેટલાક નિષ્ણાતો ખિસ્સામાં રાખેલ ફોનમાંથી નીકળતી ગરમી સ્પર્મ પર ખરાબ અસર કરતી હોવાનું માને છે. સ્થૂળતા પણ તેના પાછળનું કારણ ગણવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્પર્મ કાઉન્ટ ઓછા થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આપણે ખોરાકમાં શું ખાઈએ છીએ તે ખૂબ મહત્વનું છે અને તેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક અભ્યાસો અનુસાર, કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સ્પર્મ પર ખરાબ અસર પડે છે. પરંતુ કેટલીક વસ્તુઓ સ્પર્મ કાઉન્ટને પણ વધારે છે.

શુક્રાણુઓના સ્વાસ્થ્ય પર આ વસ્તુઓની પડે છે ખરાબ અસર :

પ્રોસેસ્ડ મીટ– ઘણા અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ મીટના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રોસેસ્ડ મીટમાં હોટ ડોગ્સ, સલામી, બીફ, બેકન વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ખાવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. ઘણા અભ્યાસોમાં ફલિત થયું છે કે પ્રોસેસ્ડ રેડ મીટ ખાવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટે છે અને સાથે જ શુક્રાણુઓની ગતિ પણ ઓછી થાય છે.

ટ્રાન્સ ફેટ– હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રાન્સ ફેટ હૃદય રોગનું જોખમ વધારે છે. વર્ષ 2011માં કરવામાં આવેલા એક સ્પેનિશ અભ્યાસમાં સામે આવ્યું હતું કે શરીરમાં ટ્રાન્સ ફેટની વધુ માત્રાને કારણે શુક્રાણુઓની સંખ્યા ઘટવા લાગે છે.

સોયા ઉત્પાદનો– સોયા ઉત્પાદનોમાં ફાયટોસ્ટ્રોજેન્સ- એસ્ટ્રોજન જેવા તત્વો હોય છે જે છોડમાંથી આવે છે. બૉસ્ટનમાં ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરુષો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વધુ માત્રામાં સોયા પ્રોડક્ટ્સનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.

હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ્સ– દૂધ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ તમે તેમાં શુક્રાણુને ફાયદો થતો નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ ચરબીવાળા ડેરી ઉત્પાદનોના વપરાશને કારણે પુરુષોમાં શુક્રાણુઓની ગતિમાં ઘટાડો અને શુક્રાણુના આકારમાં અસમાનતા જોવા મળે છે

આ 3 વસ્તુઓનું સેવન પુરુષોમાં શુક્રાણુના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે :

માછલી – માછલીમાં ઓમેગા- 3 ફેટી એસિડ વધુ માત્રામાં જોવા મળે છે. તમે લાલ અથવા પ્રોસેસ્ડ મીટને બદલે માછલીનું સેવન કરી શકો છો.

ફળો અને શાકભાજી – ફર્ટિલિટી ક્લિનિકમાં 250 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ફળો, શાકભાજી અને ખાસ કરીને લીલા શાકભાજી અને કઠોળ ખાનાર લોકોમાં શુક્રાણુઓની ગુણવત્તા એકદમ યોગ્ય જોવા મળી હતી.

ઉપરાંત, આવી વસ્તુઓનું સેવન ન કરનારા લોકોની સરખામણીમાં આ લોકોમાં શુક્રાણુઓની ગતિશીલતામાં વધારો જોવા મળ્યો હતો. છોડમાંથી મળતી દરેક વસ્તુમાં કો-એન્ઝાઇમ Q10, વિટામિન સી અને લાઇકોપીન જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સમાં જોવા મળે છે. શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે આ સૂક્ષ્મ પોષકતત્વો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અખરોટ – વર્ષ 2012માં કરવામાં આવેલા એક અભ્યાસમાં 21 થી 35 વર્ષની વયના 117 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બધા પુરુષોને 12 અઠવાડિયા સુધી દરરોજ લગભગ 18 અખરોટ ખાવાની સલાહ આપવામાં આવી હતી. બાદમાં સંશોધકોએ અભ્યાસ પહેલા અને પછી આ પુરુષોના શુક્રાણુના પરિમાણોનું વિશ્લેષણ કર્યું હતું.

જેમાં અખરોટ ખાવાથી પુરુષોના વીર્યમાં સુધારો જોવા મળ્યો હતો. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા 3 ફેટી એસિડથી ટેસ્ટિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેના કારણે વીર્યની માત્રા અને ઉત્પાદન બંને વધે છે.

શુક્રાણુઓની તંદુરસ્તી સુધારવા આવું પણ કરો :

ઓર્ગેનિક શાકભાજી ખાઓ અને જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. પ્રોસેસ્ડ મીટને બદલે માછલી ખાઓ. તળેલું અને જંક ફૂડનો વપરાશ ઓછો કરો. સિગારેટ ન પીવી. જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરો.

આ પણ વાંચો –

રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયાં પાણી ! રેડ એલર્ટ જાહેર

0

Megharaja’s stormy batting in Rajkot

  •  રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં (Rajkot) આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા એક કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોએ (Drivers) ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રવિવારે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી હવે આજે રાજકોટની સ્થિતિ પણ કંઈક એવી જ છે. રાજકોટમાં સવારે બે કલાકમાં જ 2 ઈંચથી વદુ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું હતું.

રાજકોટમાં અતિ ભારે વરસાદના કારણે સૌથી વધુ પાણી પોપટ પરાના અંડરબ્રીઝમાં આવતા ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેલ પોપટપરા માઉટન પોલીસ લાઈન સહિતના વિસ્તારોનો વાહન વ્યવહાર બંધ થતાં સંપર્ક વિહોણા બન્યા છે.

પોપટ પરાના નાલા બાદ રેલનગરના નવા અંડર બ્રીઝમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો અને પોલીસ દ્વારા બેરિગેટ રાખી લોકોને અવરજવર નહીં કરવા અટકાવ્યા હતા.

રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં રાત્રેથી લઈને બપોર સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા હતા. આજી નદીના પાણી મંદિર પરિસરમાં ઘૂસ્યા બાદ મુશ્કેલી સર્જાઈ હતી. ડેમના દરવાજા ખોલાયા બાદ નજીકના ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો –

20 વર્ષની આ અભિનેત્રી સૌથી વધુ ફી વસુલ કરી રહી છે અને રૂબીના દિલાઈકને ઘણી પાછળ છોડી દીધી 

The 20-year-old actress is charging

  • ‘ખતરો કે ખિલાડી’ ટૂંક સમયમાં ટીવીની દુનિયામાં દસ્તક આપી શકે છે. સ્પર્ધકો પણ આ માટે સખત મહેનત કરી રહ્યા છે. હાલમાં જ આ શોના સ્પર્ધકોની ફી સામે આવી છે.

ટીવીના સૌથી ફેમસ શો ‘ખતરો કે ખિલાડી’ (Khatron ke khiladi )નું શૂટિંગ આ દિવસોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ શોના દરેક ટાસ્કને સ્પર્ધકો પોતાની મહેનતથી પૂર્ણ કરી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે રૂબીના દિલાઈક ‘ખતરોં કે ખિલાડી 12’માં સૌથી વધુ ફી વસૂલે છે. પરંતુ તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 20 વર્ષની અભિનેત્રી ફી વસૂલવાના મામલે રૂબીના દિલાઈક (Ruby’s Dilaik) અને શિવાંગી જોશી (Shivangi Joshi) જેવી ટોચની અભિનેત્રીઓને પછાડી રહી છે. આજે અમે તમને ‘ખતરો કે ખિલાડી’ના સ્પર્ધકોની ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જન્નત અને ફૈઝલની ફી :

જન્નત ઝુબેર ‘ખતરો કે ખિલાડી 12’ની સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે. ‘ખતરો કે ખિલાડી 12’ ની સૌથી યુવા સ્પર્ધક, જન્નત ઝુબૈર સૌથી વધુ કમાણી કરનાર સેલેબ છે. TOI ના અહેવાલ મુજબ તે પ્રતિ એપિસોડ 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે! સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનેલા અભિનેતા મિસ્ટર ફૈસુ ઉર્ફે ફૈઝલ શેખ ‘ખતરો કે ખિલાડી 12’નો બીજો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે. શ્રી ફૈસુ પણ જન્નતથી પાછળ નથી. રિપોર્ટ અનુસાર, તેને પ્રતિ એપિસોડ 17 લાખ રૂપિયાનો તગડો પગાર મળી રહ્યો છે.

રૂબીના અને શિવાંગીની ફી :

‘બિગ બોસ 14’ની વિજેતા રૂબીના દિલાઈક આ સિઝનની સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક છે. તેથી જ તે ‘ખતરો કે ખિલાડી 12’ની સૌથી વધુ કમાણી કરનારની યાદીમાં ટોપ 3માં છે. રિપોર્ટ્સ અનુસાર, રૂબિના દિલાઈક પ્રતિ એપિસોડ 10-15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘બાલિકા વધૂ 2’ ફેમ શિવાંગી જોશી રોહિત શેટ્ટીના શો ‘ખતરોં કે ખિલાડી 12’ માટે 15 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

પ્રતીક અને સર્જનની ફી

‘બિગ બોસ 15’ ફેમ પ્રતીક સહજપાલે બધાને પ્રભાવિત કર્યા છે અને ચાહકોએ ‘ખતરો કે ખિલાડી 12’માં તેને ખૂબ જ પસંદ કર્યો છે. દેખીતી રીતે તેને દર અઠવાડિયે 10 લાખ રૂપિયા મળે છે. ‘કુમકુમ ભાગ્ય’ ફેમ સૃતિ ઝા ‘ખતરોં કે ખિલાડી 12’ થી પોતાનો રિયાલિટી ટીવી શો ડેબ્યૂ કરી રહી છે, તેને દર અઠવાડિયે 5 લાખ રૂપિયા મળે છે.

આ પણ વાંચો –

 

સૂર્યકુમાર યાદવની આ સિક્સરે તેંડુલકરને પણ બનાવ્યો ફેન ! યાદવ પર થઈ રહ્યો છે વાહ વાહીનો વરસાદ 

0

This six of Suryakumar Yadav

  • સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની છેલ્લી T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. સચિન તેંડુલકર પણ સૂર્યકુમારની ઈનિંગથી આશ્વસ્ત થઈ ગયો હતો અને તેણે ટ્વિટર પર તેની જોરદાર પ્રશંસા કરી હતી.

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની છેલ્લી મેચમાં 55 બોલમાં 117 રન ફટકાર્યા હતા. જ્યાં સુધી તે ક્રિઝ પર હતો ત્યાં સુધી એવું લાગતું ન હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ હારી શકે છે. ભારત છેલ્લી મેચ ઈંગ્લેન્ડ (England) સામે 17 રને હારી ગયું હતું. જો કે આખી દુનિયા સૂર્યકુમારના વખાણ કરી રહી છે. પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) તેની પ્રશંસામાં કરેલું ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સચિને ટ્વિટર પર જણાવ્યું કે તેને સૂર્યકુમારના કયા શોટ્સ સૌથી વધુ પસંદ આવ્યા.

તેંડુલકરે ટ્વિટર પર લખ્યું, ‘શાનદાર સદી સૂર્યકુમાર યાદવ. આખી ઈનિંગ દરમિયાન ખૂબ જ જોરદાર શોટ્સ હતા, પરંતુ ઓવર ધ પોઈન્ટથી સ્કૂપ વડે સિક્સર મારનારાઓને કોઈ જવાબ નહોતો. સૂર્યકુમારે પોતાની ઇનિંગ દરમિયાન 14 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 198 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યા ન હતા.

સ્થિતિ એવી હતી કે સૂર્યકુમાર સિવાય ભારત તરફથી સૌથી વધુ રન શ્રેયસ અય્યરના ખાતામાંથી બન્યા હતા. શ્રેયસે 28 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ 11-11 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા ભલે આ મેચ હારી ગઈ હોય, પરંતુ સિરીઝ 2-1થી જીતી લીધી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 જુલાઈથી બે મેચની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે.

આ પણ વાંચો –

નવસારીની જીવાદોરી એવી પૂર્ણા નદીનો પ્રકોપ, પ્રશાસન ઘોર નિંદરમાં રહેતાં કરોડોનું નુકશાન

0

Outbreak of Purna river

  • નવસારી જિલ્લાનું ફ્લટ કંટ્રોલ વિભાગ એટલા માત્ર વરસાદના આંકડા નોધવાનું જ કામ કરતુ હોય તેવી ઘટનાના કારણે આજે શહેરની લગભગ 50 હજાર જનતાએ કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

પૂર્ણા નદીમાં (Purna river) ગત રાત્રીથી પાણી ભરાવાની શરૂઆત થતા જ લોકોને સલામત સ્થળે (In a safe place) ખસેડવાના બદલે પ્રશાસન (Administration) જાણે અંધારામાં જ રહ્યુ હોય તેમ લાગતા મહત્તમ નીચાણવાળા દુકાનોમાં પાણી ભરાય ગયા હતા. કેટલાક ઘરો પાણીમાં ડુબતા લોકો તેમનો સામાન પણ બચાવી શક્યા ન હોવાનું જણાવી રહ્યા હતા.

નવસારી પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા એવા ઉપરવાસ મહુવા, વાલોડ, વ્યારા, સોનગઢ, નિઝર ડોલવણમા ગતરોજ ભારે વરસાદ પડતાં તેનું પાણી નવસારીની પૂર્ણા નદીમાં આવ્યું હતું. શહેરમાં વરસાદ ઓછો પડ્યો હતો, પરંતુ ઉપરવાસની પૂર્ણા નદીનું પાણી નવસારીમાં આવતા જ પૂર્ણાની સપાટી દર કલાકે વધતી હોવા છતાં પ્રશાસન ઉંઘતું રહ્યું હતું, જેના કારણે લોકો તેમનો માલસામાન બચાવી શક્યા ન હતા. સોનગઢ ખાતે 169મીમી વરસાદ તો મહુવા 63મીમી વરસાદનું પાણી ચાર કલાકમાં નવસારી પૂર્ણા નદી પર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી.

આજે વહેલી સવારે નવસારીના ગ્રીડ રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો નવસારી-સુરત માર્ગ પર ટાટા સ્કુલ પાસે જ પાણી આવી જતાં આ માર્ગ પણ વાહનચાલકો માટે બંધ કરાયો હતો. નવસારીમા શાંતાદેવી રોડનો સમગ્ર વિસ્તાર, પ્રકાશ ટોકીઝનો વિસ્તાર, રાયચંદરોડ, બંદરરોડ, ભેસતખાડા, રીંગરોડ, મંગુભાઇ પટેલના જુના ઘર, કાળાપુલ, ભાજપ કાર્યલય કમલમનો વિસ્તાર, સી.આર.પાટીલ સંકુલ, કાછીયાવાડી વિસ્તારમાં 15 ફૂટ પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. સવારે પ્રશાસને મહત્તમ લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો –

સ્ટીવ સ્મિથે તેનું સિડનીમાં આલીશાન ઘર વેચી કમાયો આટલા મોટો નફો !

Steve Smith made such

  • સ્ટીવ સ્મિથે સિડનીના કિંગ્સ રોડ પરનું ઘર વેચ્યું છે. આનાથી તેમને ઘણો નફો થયો છે. સ્ટીવ સ્મિથની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.

સ્ટીવ સ્મિથ (Steve Smith) વિશ્વના ખતરનાક બેટ્સમેનો (Dangerous batsmen)માંનો એક છે. તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાના (Australia) સ્ટીવ સ્મિથે સિડનીના કિંગ્સ રોડ ખાતેનું પોતાનું ઘર વેચી દીધું છે. જેના કારણે તેમને બમણો નફો થયો છે. સ્ટીવ સ્મિથ તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. ક્રિકેટરો તેમની રાષ્ટ્રીય ટીમ (National team) અને વિશ્વની લીગમાં રમીને પૈસા કમાય છે. પછી તેઓ તેમની મહેનતની કમાણી ઘણી વસ્તુઓમાં રોકાણ કરે છે.

સ્ટીવ સ્મિથે પોતાનું ઘર વેચી દીધું :

ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર કિંગ્સ રોડ પર સ્થિત ઘર સ્ટીવ સ્મિથ અને તેની પત્ની ડેની વિલિસે વર્ષ 2020માં 35 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ ઘરનું ઈન્ટિરિયર ખૂબ જ સુંદર હતું. તે જ સમયે, તે રહેવા માટે સલામત સ્થળ છે. ચાર બેડરૂમ, ત્રણ બાથરૂમ ઘર ખરીદવા માટે ચાર પક્ષોએ નોંધણી કરાવી હતી.

આટલો નફો કમાયો :

સ્ટીવ સ્મિથનું ઘર એક મહાન સ્થાન પર છે. તેમાં જીમ, મોટો હોલ અને બહાર સારી બેઠક વ્યવસ્થા છે. તે જ સમયે, વિન્ડોની બહારથી સારું દૃશ્ય છે. સ્ટીવ સ્મિથે તેનું ઘર 65 કરોડ રૂપિયામાં વેચ્યું, જેનાથી તેને લગભગ 30 કરોડ રૂપિયાનો નફો થયો.

સ્ટીવ સ્મિથ શ્રીલંકા પ્રવાસ પર છે :

સ્ટીવ સ્મિથ લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. હાલમાં ઓસ્ટ્રેલિયા ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ ધમાકેદાર સ્ટાઈલમાં 10 વિકેટે જીતી લીધી હતી. સ્ટીવ સ્મિથ પ્રથમ મેચમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો –

9500 KG વજન અને 6.5 મીટર ઊંચો, અહીં જુઓ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભની તસવીરો

0

Weighing 9500 KG and 6.5 meters high

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ સવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. તેમણે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. રાષ્ટ્રીય પ્રતીક બ્રોન્ઝથી બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તે નવી સંસદ ભવનનાં કેન્દ્રિય ફોયરની ટોચ પર નાખવામાં આવે છે. પ્રતીકને ટેકો આપવા માટે લગભગ 6500 કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.

અશોક સ્તંભ (Ashoka Pillar) (ભારતનું રાષ્ટ્રીય પ્રતીક) દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) બનેલી નવી સંસદના ઉપરના માળે સ્થાપિત કરવામાં આવ્યું હતું જેની ઊંચાઈ 20 ફૂટ છે. પ્રતીકને ટેકો આપવા માટે લગભગ 6500 કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 11 જુલાઈના રોજ સવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. તેમણે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. રાષ્ટ્રીય પ્રતીક કાંસ્યથી (Symbol bronze) બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તે નવી સંસદ ભવનનાં કેન્દ્રિય ફોયરની ટોચ પર નાખવામાં આવે છે. નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકને કાસ્ટ કરવાની પ્રક્રિયા ક્લે મોડેલિંગ/કોમ્પ્યુટર ગ્રાફિકથી લઈને બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગ (Bronze casting and polishing) સુધીના આઠ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ છે.

 पहिये के हर एक तरफ पर एक अश्व और बैल बने हुए हैं. इसके उपयोग को नियंत्रित और प्रतिबंधित करने का कार्य राज्य प्रतीक की भारतीय धारा, 2005 के तहत किया जाता है. (PIB India Photo)

અગાઉ તેને નવા સંસદ ભવન પર લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ પ્લાનમાં ફેરફાર કરીને તેને બિલ્ડિંગના ઉપરના માળે લગાવવામાં આવ્યો છે. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથ ખાતે મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા બંધાયેલા સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. આ થાંભલાની ટોચ પર ચાર સિંહો ઉભા છે, જેમના મુખ ચારેય દિશામાં છે અને તેમનો પાછળનો ભાગ થાંભલા સાથે જોડાયેલો છે.

 यह भारत का आधिकारिक चिन्ह है, जिसे 26 जनवरी 1950 को संविधान को अंगीकृत करते समय स्वीकृत किया गया था. अशोक के स्तंभ शिखर पर देवनागरी लिपी में 'सत्यमेव जयते' लिखा है (सच्चाई एकमात्र जीत) जो मुनडका उपनिषद (पवित्र हिन्दू वेद का भाग) से लिया गया है. (PIB India Photo)

બંધારણની સામે તે ધર્મ ચક્ર (કાયદાનું ચક્ર) પણ ધરાવે છે, જે ભારતની શક્તિ, હિંમત, ગૌરવ અને વિશ્વાસનું પ્રતીક છે. ચક્રની દરેક બાજુએ એક ઘોડો અને બળદ છે. તેનો ઉપયોગ ભારતીય સેક્શન ઓફ સ્ટેટ એમ્બ્લેમ, 2005 હેઠળ નિયંત્રિત અને પ્રતિબંધિત છે. તે ભારતનું સત્તાવાર પ્રતીક છે, જે 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે અપનાવવામાં આવ્યું હતું. અશોકના સ્તંભની ટોચ પર, ‘સત્યમેવ જયતે‘ દેવનાગરી લિપિમાં લખાયેલું છે (સત્યની જ જીત થાય છે) જે મુંડક ઉપનિષદ (પવિત્ર હિંદુ વેદનો ભાગ)માંથી લેવામાં આવી છે.

આ પણ વાંચો –

ગુજરાતમાં 6 શહેરો હજી પણ રેડ એલર્ટ પર, BJP એ હેલ્પલાઈન શરૂ કરી

0

6 cities in Gujarat still on red alert

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં સતત વરસાદ… સ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ સતત કાર્યરત… ફસાયેલા લોકોના રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ… BJP એ મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો.

ગુજરાતમાં (Gujarat) વરસાદે તોબા પોકારી છે. લગભગ અડધા ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. ભારે વહેણને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. હજી પાંચ દિવસ મેઘરાજા (Megharaja) ધમરોળશે. ત્યારે ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ, રાજ્યમાં વરસાદી સિઝનમાં 52 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં વીજળી પડવાના કારણે 32 લોકોનાં મૃત્યુ છે તો તણાવાથી અને ડૂબી જવાથી 20 લોકોનાં મૃત્યુ થયા છે. ભારે વરસાદના (Heavy rain) કારણે 7 લોકો મોતને ભેટ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 272 પશુઓનાં પણ મોત થયા છે.

અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી ટેલીફોનીક વાતચીત :

પીએમ મોદી બાદ અમિત શાહે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરીને ગુજરાતની પૂરની સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે આ અંગે ટ્વિટ કરી કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી સાથે વાત કરી અને મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. ગુજરાત પ્રશાસન, SDRF અને NDRF અસરગ્રસ્ત લોકો સુધી ઝડપી મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે.

મહેસૂલ મંત્રીએ લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતા કહ્યુ કે, સ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે. ફસાયેલા લોકોના રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ છે. હાલ ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. તંત્રએ ઝડપી કામગીરી કરી છે. 10674 સ્થળાંતર કરેલા લોકોમાંથી 3 હજાર લોકોને સલામત સ્થળે પહોંચાડી દેવાયા છે. બાકીના લોકો ઘરે સહી સલામત પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 7 માનવ મૃત્યુ સહિત 63 મોત થયા છે.

1 જૂન થી 9 જૂલાઇ સુધી 18 મકાનો નુક્સાન પામ્યા, છેલ્લા 24 કલાકમાં 7 મકાન નુક્સાન પામ્યાં છે. આણંદમાં 17, બોડેલીમાં 175 લોકો સહિત 508 વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં 468 લોકોને રેસ્ક્યુ કરાયાં છે. ગુજરાતમાં SDRF ની કુલ 18 પ્લાટુન અને NDRF ની 18 પ્લાટુન ડિપ્લોય કરાઈ છે. આ ઉપરાંત દરેક પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં જવા સૂચના આપી છે. જ્યાં ભારે વરસાદ છે ત્યાં રૂબરૂ મુલાકાત લે તેની સૂચના આપી છે.

ભાજપે હેલ્પલાઈન જાહેર કરી :

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં ભાજપ મદદ કરશે. આ માટે ગુજરાત ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પૂર જેવી સ્થિતિમાં 24 કલાક લોકો સંપર્રક કરી શકશે. 79232 76944 સહિત 4 નંબર ભાજપે જાહેર કર્યાં છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિ મુદ્દે સીઆર પાટીલે બેઠક પણ યોજી છે. તેમણે તમામ નેતાઓને અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, લોકોની મદદ માટે ફિલ્ડમાં કાર્યરત રહે. મુશ્કેલીના સમયમાં લોકોને મદદ કરો. જરૂર લાગે તો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરે.

ભાજપાના મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખ, mp, mla, અને ભાજપના પદાધિકારી ,આગેવાનો સહિત 400 ઉપરાંત અગ્રણીઓ સાથે તાત્કાલિક વર્ચ્યુઅલ બેઠક લઈ તમામ સાથે પ્રવતમાન વરસાદ પરિસ્થિતિની ચર્ચા કરી માહિતીનો તાગ મેળવ્યો અને ફૂડ પેકેટ તેમજ અન્ય સહાય અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે એક એક કરી તમામ જિલ્લાઓમાં અપીલ કરી છે.

આ પણ વાંચો –

ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો !

0

Bahubali estimate of the king of Gir

  • સિંહ તો સિંહ કહેવાય…. જંગલના રાજા સિંહ જ્યા બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતુ હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે.

સિંહ તો સિંહ કહેવાય…. જંગલના રાજા સિંહ (The lion king of the forest) જયાં બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતું  હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો (Videos and pics) આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે. કહેવાય છે કે સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી, સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. બસ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં. (Alidar village)

વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા સિંહ ખેડૂતના મકાન પર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોડીનારના આલીદર ગામમાં નજરે પડ્યાં હતાં. જ્યાં ધોળા દિવસે ઝરમર વરસાદમાં કૌશિકભાઈ નામના ખેડૂતની વાડીએ એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહે કૌશિકભાઈના મકાનની છતને પોતાનું સિંહાસન બનાવ્યું હતું. ત્યારે ઘરના લોકોને કોઈ રંજાળ કર્યા વગર શાંતિથી મકાનની છત પર સિંહ ઠંડી હવા ખાતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો –

ગુજરાતમાં ફેક IPL નેટવર્કનો ભાંડાફોડ, નકલી મેચમાં હર્ષા ભોગલેના અવાજમાં થતી કોમેન્ટ્રી

Fake IPL network busted in Gujarat

  •  મહેસાણા પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી અને રશિયામાં બેઠેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા. ગામના યુવાનોને પ્રતિ મેચ 400 રૂપિયા આપીને સટ્ટાના ભાવ પ્રમાણે રમવા માટે નિર્દેશ આપવામાં આવતો હતો.

વડનગરના (Vadnagar) મોલીપુર ગામ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની માફક ચાલી રહેલી એક નકલી ક્રિકેટ લીગનો ભાંડાફોડ થયો છે. આ સમગ્ર કૌભાંડનું રશિયાથી સંચાલન થઈ રહ્યું હતું અને એક નકલી ક્રિકેટ લીગ, નકલી મેદાન, નકલી ક્રિકેટર તથા નકલી કોમેન્ટેટર (Fake commentator) પર અસલી સટ્ટો રમવાની ફિલ્મી કહાની ચાલી રહી હતી.

મોબાઈલ એપ પર લાઈવ થતી હતી મેચ :

રશિયામાં બેઠેલી એક વ્યક્તિના ઈશારા પર ચાલી રહેલા આ સમગ્ર કૌભાંડ માટે મોલીપુર ગામ ખાતે એક ફાર્મ ખરીદવામાં આવ્યું હતું અને તેને ક્રિકેટના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તેમાં ફ્લડ લાઈટ લગાવાઈ હતી અને પીચ પણ તૈયાર કરવામાં આવી હતી. તેને આઈપીએલનું સ્વરૂપ આપવા માટે મલ્ટી કેમ સેટઅપ, કોમેન્ટ્રી બોક્સ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને એથી પણ આગળ એક મોબાઈલ એપ પર મેચ લાઈવ પણ થતી હતી.

કઈ રીતે ચાલતું હતું તિકડમ :

આ માટે ગામના છોકરાઓને ભાડે રાખવામાં આવતા હતા અને તેમને પ્રતિ મેચ 400 રૂપિયા આપવામાં આવતા હતા. સટ્ટાના ભાવ એટલે કે રેટ પ્રમાણે ગામના નકલી ક્રિકેટર્સને ક્યારે ચોગ્ગો મારવાનો છે, ક્યારે આઉટ થવાનું છે વગેરે નિર્દેશો આપવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ક્રિકેટ કીટ, સ્પીકર, લાઈટ, મલ્ટી કેમેરા સેટઅપ સહિતની અનેક વસ્તુઓ જપ્ત કરી છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. તે ચારેય આરોપી સામે સટ્ટાબાજી, છેતરપિંડી સહિતના અનેક મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રશિયામાં રહીને આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ નકલી કોમેન્ટેટર હર્ષા ભોગલેના અવાજમાં ક્રિકેટ કોમેન્ટ્રી કરતો હતો. હર્ષા ભોગલેએ પોતે પણ આ રિપોર્ટને ટ્વિટ કરીને પોતે તે કોમેન્ટેટરને સાંભળવા ઈચ્છે છે તેમ લખ્યું હતું.

આ પણ વાંચો –