Home Blog Page 1352

દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા બેફામ બનેલા કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી, 11 ગાયના મોત

19 cows were run over by reckless

  • ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ બુટલેગરો નવા નવા કોમીયા આપનાવી દારૂ(alcohol) ઘુસાડતા હોય છે.

ત્યારે આવી વધુ એક ઘટનામાં સેલવાસ (Selvas)થી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને એક કારનો ચાલક કાર કોસ્ટલ હાઇવે (Coastal Highway) થઈ નવસારી (Navsari) તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળતા ડુંગરી પોલીસ (Dungri Police) ત્યાં પહોચી હતી. તેમજ બાતમી વાળી કારને ધરાસણા ત્રણ રસ્તા પાસે અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર આગળ હંકારી મૂકી હતી.

જેના કારણે ડુંગરી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન માલવણ નજીક કોસ્ટલ હાઇવે ઉપર રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને દારૂ ભરેલી કારના ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી હતી. જેમાં 11ના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ પોલીસે કાર ચાલક તેમજ દારૂ ઝડપી પાડ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો :

મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી એક કાર નં. (GJ-16-BN-7334)માં વિપુલ પ્રાણમાં દારૂનો જથ્થો ભરીને કારનો ચાલક કોસ્ટલ હાઇવે થઈને બીલીમોરા તરફ જઈ રહ્યો છે. તેથી ડુંગરી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે ધરાસણા ત્રણ રસ્તા પાસે બાતમી વાળી કાર આવતા જોઈ ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો.

આ દરમિયાન પોલીસની ટીમને જોઈ ગભરાયેલા કાર ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે દારૂ ભરેલી કારને બીલીમોરા તરફ હંકારી મૂકી હતી. ત્યારપછી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો.

જે દરમિયાન રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં 19 ગાયોને અડફેટે લેતા 11ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

કુલ 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત :

ત્યારબાદ પોલીસે રસ્તા ઉપર પડેલા ઇજાગ્રસ્ત ગૌ વંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા. તેમજ દારૂ ભરેલી કારના ક્લીનર ભાવેશ કાળીદાસ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે કારના ચાલક દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 1.91 લાખ અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :

એક જ ઘટનાએ સમગ્ર જીવન બદલી નાખ્યું ! આ મહિલાએ 19 વર્ષ સુધી નખ ન કાપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

0

One incident changed the whole life

  • દુનિયામાં પ્રખ્યાત થવા માટે લોકોને અવનવા રેકોર્ડ બનાવવાનો શોખ હોય છે. જેના કારણે ઘણા લોકો પોતાની આવડતનો ઉપયોગ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માંગે છે.

અમેરિકાની (America) એક મહિલાએ આવું જ વિચાર્યું હતુ. તેણે તેના નખના ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness World Records) પોતાનું નોંધાવ્યુ હતુ પરંતુ તે પછી એક અકસ્માતે તેનુ જીવન બદલી નાંખ્યુ.

કોણ છે આ મહિલા

એક અહેવાલ મુજબ, અમેરિકાના ઉટાહ (Utah, America)ની રહેવાસી લી રેડમંડે 1979થી પોતાના હાથના નખ કાપવાનું બંધ કરી દીધું હતું. આમ ને આમ 19 વર્ષ જતા રહ્યાં જે બાદ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે તેમનો સંપર્ક કરીને નખનુ માપ લીધુ. જે બાદ તેમનું નામ સૌથી લાંબા નખ ધરાવતી મહિલા તરીકે નોંધાયું હતું

લી રેડમંડના નખ વર્ષ 2008 સુધી સૌથી લાંબા હતા. બંને હાથના નખની લંબાઈ 28 ફૂટ 4 ઈંચ હતી. તેમના જમણા હાથના અંગૂઠાના નખની લંબાઇ 2 ફૂટ 11 ઈંચ થઈ ગઈ હતી.

મહિલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે પોતાની જાતને એક ચેલેન્ઝ પણ આપી રહી હતી કે  તે નખ કાપ્યા વગર કેટલો સમય જીવી શકે છે ?

જેમ જેમ નખ લાંબા થતા ગયા તેમ તેમ તે વળી જતા રહ્યા. તે દરરોજ પોતાના નખની સંભાળ રાખતી અને પેડિક્યોર કરાવતી. તે તેને ગરમ ઓલિવ ઓઈલમાં ડુબાડતી, જેનાથી નખ સખત થઈ જતા. જે બાદ તે પોતાના નખને સુંદર લુક આપવા માટે ગોલ્ડ કલરથી રંગાવતી હતી. હંમેશા એક તારીખ નક્કી કરી હતી કે, તે દિવસે તે તેના નખ કાપશે, પરંતુ તેના નખ તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો અને તેણે તેને કાપવાનું બંધ કરી દીધું.

એક ઘટના અને … બધું  બદલાઇ ગયું ….

વર્ષ 2009માં તેની સાથે એક એવી ઘટના બની જેણે તેની પાસેથી બધું છીનવી લીધું અને તે સંપૂર્ણપણે ભાંગી પડી. 10 ફેબ્રુઆરી 2009ના રોજ તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો જેમાં વાહન ઘણી વખત પલટી ગયું હતું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.

આ અકસ્માતમાં તે બચી ગઈ પરંતુ તેના નખ બચી શક્યા નહીં. નખ જોતાં જ તેના આંસુ નીકળી ગયા. એક અજાણ્યા વ્યક્તિએ અકસ્માત સ્થળેથી તેમના નખ ઉપાડ્યા અને લી ને સોંપ્યા, જેમણે તેમને પેકેટમાં સુરક્ષિત રાખ્યા હતા. હવે તેને તેનો જૂનો સમય યાદ આવે છે જ્યારે તેના નખ સૌથી મોટા હતા.

આજના સમયમાં આ રેકોર્ડ અમેરિકાની અયાન્ના વિલિયમ્સના નામે છે. લી હવે 68 વર્ષની છે અને તેણી કહે છે કે તેણીના નખ ઉગાડવામાં તેણીને 30 વર્ષ લાગ્યા હતા, હવે તે ફરીથી આટલો સમય પસાર કરવા માંગતી નથી કારણ કે તેણી જાણતી નથી કે તે, આટલો લાંબો સમય જીવશે કે નહીં. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે, હવે તેના માટે રોજિંદા કામ કરવું સરળ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

 

Stock Market : બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

0

Stock Market: Know this if you want

  • શ્વિક મંદી અને જિયોપોલિટિકલ તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં બુલ રન જોવા મળી રહી છે. જેનું કારણ વિદેશી સંસ્થાગત રોકાણોનો માર્કેટમાં ફરી એકવાર વધતો ઇન્ટરેસ્ટ છે.

ભારતીય શેરબજાર (Indian stock market) આજે ઘટાડા સાથે ખુલી શકે છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ભારતમાં બ્રોડર ઇન્ડેક્સ (Broader Index) માટે નેગેટિવ સંકેત આપી રહી છે. તો સોમવારે સેન્સેક્સ (Sensex) 465 અંકના વધારા સાથે 58853 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી50 (Nifty50) 128 અંકના વધારા સાથે 17525 પર બંધ થઈ હતી.

ત્યારે આવો જાણીએ માર્કેટ નિષ્ણાત LKP સુક્યુરિટિઝના રુપક ડે પાસેથી કે આગામી સત્રમાં શું નિફ્ટીમાં બુલિશ મોમેન્ટમ આગળ પણ ચાલું રહેશે કે બ્રેક લાગશે ? તમને જણાવી દઈએ કે નિફ્ટીએ ગત કારોબારી દિવસના ડેઈલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ન બનાવી છે.

આજે નિફ્ટી માટે પહેલો સપોર્ટ 17407 અને ત્યારબાદ બીજો સપોર્ટ 17289 પર રહી શકે છે. જે બજારમાં આજે પણ તેજી જોવા મળે છે તો નિફ્ટી 17596 અને તેનાથી ઉપર 17667ના સ્તર પર રેઝિસસ્ટન્સો સામનો કરી શકે છે.

ભારતીય બજાર તરફ ફરી એકવાર વિદેશી રોકાણકારોનો રસ વધી રહ્યો છે. જેના કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું છે. ગત કારોબારી દિવસમાં નિપ્ટીએ 17500નું સ્તર પાર કર્યું હતું. આ સાથે તેણે પોતાનું શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ પાર કરી લીધું હતું. આ બજાર માટે એક સારો સંકેત છે. ડેઇલી ચાર્ટ પર બનેલી બુલિશ કેન્ડલ અને ઇન્ટ્રાડે બ્રેકઆઉટ પરફોર્મન્સ વર્તમાન સ્તરો પરથી હજુ આગળ તેજી આવવાના સંકેત આપી રહ્યા છે.

નિફ્ટી માટે 17400નો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. જે આગામી કારોબારી સત્રમાં પણ નિફ્ટી 17400ના સ્તરની ઉપર પોતાને જાળવી રાખે છે તો તેમાં 17650-17700 નું સ્તર જોવા મળી શકે છે. તેમજ જો નિફ્ટી 17400ની નીચે ખસકે છે તો તેમાં આપણને 17325-17300 તરફ જતો જોઈ શકાશે.

ગ્લોબલ માર્કેટમાં દબાણ :

અમેરિકામાં મોંઘવારી દરના આંકડાથી પહેલાથી જ ગ્લોબલ માર્કેટ સતર્ક બની રહ્યું છે. ત્યારે યુએસ ફ્યુચર્સમાં નીચલા સ્તરે થોડી રિકવરી આવી છે. ગઈકાલે અમેરિકન બજાર તૂટીને બંધ થયું હતું. આ તરફ એશિય અને એસજીએક્સ નિફ્ટી પર પણ દબાણ જોવા મળી રહ્યું છે.

અમેરિકાના બજારની સ્થિતિ પર નજર નાખીએ તો મોંઘવારીના આંકડાની પહેલાથી જ બજારમાં દબાણ છે. ગઈકાલે કારોબારમાં NASDAQ 150 અંકોથી વધુ તૂટ્યો હતો. ગઈકાલે આ સતત ત્રીજા દિવસે NASDAQમાં કડાકો બોલ્યો હતો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. gujaratguardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :

સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં ઘટાડો ; જાણો કેટલો થયો ઘટાડો

0

Relief news for general public

  • મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે.

રાજ્યમાં એક પછી એક તહેવારો (festivals) શરૂ થઈ રહ્યા છે. એવામાં મોંઘવારીએ (inflation) લોકોની ખુશીના રંગમાં ભંગ પાડવાનું કામ કર્યું છે. તહેવાર ટાણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહિણીઓ (housewife) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાતા લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે રાજ્યના લોકો છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી કરી શક્યા નહીં. ત્યારે આ વર્ષે કોરોનાથી રાહત મળતા લોકો તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. ત્યારે આજે પણ ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. જોકે, આ મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા શાકભાજીની આવકમાં વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે. ગવાર, ભીંડો, ફણસી, કંટોડા 120 રૂપિયા કિલો મળી રહ્યા છે. ત્યારે વાલોડ, ફ્લાવર, પાપડી, ટિંડોળા 80 રૂપિયા કિલો મળી રહ્યા છે.

મહત્વનું છે કે, APMC માં શારભાજીના જે ભાવ છે તેના કરતા વધુ ભાવ નદીના પશ્ચિમમાં આવેલા વિસ્તારોમાં છે. જેના પગલે લોકો કાલુપુર સુધી શાકભાજી લેવા ધક્કા ખાઈ રહ્યા છે.

જાણો કેટલો ભાવ વધ્યો :

ઉલ્લેખનીય છે કે, રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરીએ તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. પામતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 1990 થી વધીને 2080 રૂપિયા પર પહોંચ્યો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા પાર પહોંચ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થયો છે.

આ પણ વાંચો :

શું બેંકના કર્મચારીઓ લંચ બ્રેકના નામે કલાકો સુધી રાહ જોવડાવે છે ? અહીં કરો ફરિયાદ

0

Do bank employees wait for hours

  • તમે જરૂરી કામથી બેંક ગયા હોય અને બેંક કર્મચારી લંચ પછી આવવાનું કહે તેવું બન્યું હશે, તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો.

બેંકમાં કર્મચારીઓ (Bank employees)ના મોડા પડવાની વાતો અવારનવાર સાંભળવા મળે છે. તમે જરૂરી કામથી બેંકે (Bank) ગયા હોવ અને બેંક કર્મચારી લંચ (Lunch timing for Bank employees) પછી આવવાનું કહે તેવું બન્યું હશે. પણ જ્યારે તેમણે આપેલા સમયે પહોંચો ત્યારે સ્ટાફ (Bank staff) પોતાની બેઠક પર જોવા મળતો નથી.

તેઓ પોતાનો અને ગ્રાહકનો સમય વેડફે છે. જેના કારણે ગ્રાહકને પરેશાન થવું પડે છે અને અમુક સંજોગોમાં બેંક કર્મચારીના (Bank employee) આવા વર્તનથી ગ્રાહકને નુકસાન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહક બેંક કર્મચારી સામે મજબૂર હોય છે, પણ આ તકલીફમાં રાહત મળી શકે છે.

હવે તમે લંચ ટાઈમનું બહાનું આગળ ધરીને તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો. બેંક ગ્રાહકોને આ પ્રકારના અધિકારો મળે છે, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણકારી હોતી નથી. ત્યારે આવા કર્મચારીઓ અંગે તમે ક્યાં ફરિયાદ કરી શકો તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરો :

બેંકમાં લંચ બ્રેકના નામે તમારું નામ અટકાવી રાખ્યું હોય તો બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો. બેંક કર્મચારીઓ તમારું કામ કરવામાં આનાકાની કરતાં હોય તો તમે ફરિયાદ સીધી બેન્કિંગ લોકપાલ પાસે લઈ જઈ શકો છો.

બ્રાન્ચ હેડને ફરિયાદ :

બેંક કર્મચારી કામ ન કરતો હોય હોય તેવી સ્થિતિમાં તમે બેંકના હેડને પણ ફરિયાદ કરી શકો છો. ગ્રાહકોની ફરિયાદોને પહોંચી વળવા માટે દરેક બેંકની પોતાની સિસ્ટમ હોય છે. આને ગ્રીવાંસ રિડ્રેસલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકે છે.

બેંક હેલ્પલાઇન :

આ સિવાય તમે બેંકના હેલ્પલાઈન નંબર પર પણ કર્મચારી સામે ફરિયાદ કરી શકો છો. જો તમારી ફરિયાદ આખી બ્રાન્ચ વિશે હોય, તો પણ તમે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધવા માટે બેંકોએ ફોન નંબર જાહેર કર્યા હોય છે. ઘણી બેંકો ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ આપે છે. તમને આ હેલ્પલાઇન નંબર બેંકની વેબસાઇટ પર મળશે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત. 

કર્મચારીઓ એકસાથે બ્રેક પર ન જઈ શકે :

આ બાબતે આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે બેંકના અધિકારીઓ એકસાથે લંચ પર જઈ શકે નહીં. તેઓ એક પછી એક લંચ બ્રેક લઈ શકે છે. આ સમય દરમિયાન નૉર્મલ ટ્રાન્જેકશન ચાલુ રાખવા જોઈએ અને ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવડાવવી તે નિયમની વિરુદ્ધ છે. બેંકના કર્મચારીઓ ધર્મ, જાતિ અને લિંગના આધારે કોઈ પણ ગ્રાહક સાથે ભેદભાવ કરી શકતા નથી. તેમજ બળજબરીથી કરાર પર સહી કરાવી શકે નહીં.

આ પણ વાંચો –

નીતિશ કુમાર આજે  8મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, તેજસ્વી હશે ડેપ્યુટી CM

0

Nitish Kumar will take oath

  • ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ કુમાર ફરી બિહારની સત્તા સંભાળવા માટે તૈયાર છે. નીતિશ કુમાર બુધવારે બિહારના મુખ્યમંત્રી પદે શપથ લેવાના છે. કુલ 7 પાર્ટીઓના 164 ધારાસભ્યોનું સમર્થન તેમને પ્રાપ્ત થયું છે.

નીતિશ કુમાર (Nitish Kumar) આઠમી વખત બિહારના (Bihar) ગાદી સંભાળવા માટે તૈયાર છે. જેડીયૂ નેતા નીતિશ કુમાર આજે  બપોરે 2 કલાકે બિહારના મુખ્યમંત્રીના (Chief Minister of Bihar) રૂપમાં શપથ લેશે. જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) બિહારના નાયબ મુખ્યમંત્રી હશે. સૂત્ર જણાવી રહ્યાં છે કે આજે માત્ર નીતિશ અને તેજસ્વી શપથ લેશે. કેબિનેટ વિસ્તાર બાદમાં કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બુધવારે બપોરે શપથ ગ્રહણ :

રાજભવનમાં આઠમી વખત બિહારના મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પહેલા શપથ સમારોહ 4 કલાકે યોજાવાનો હતો પરંતુ હવે સમય બપોરે 2 કલાકનો કરી દેવામાં આવ્યો છે.

આ જાણકારી આરજેડીએ આપી છે. મીડિયા સૂત્રો પ્રમાણે આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેવાના છે. કેબિનેટ વિસ્તાર બાદમાં થશે. સૂત્રો અનુસાર નીતિશ કુમારે ફોન પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે.

164 ધારાસભ્યોનું સમર્થન :

આ પહેલા રાજભવનમાં ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યા બાદ નીતિશ કુમારે દાવો કર્યો કે તેમને સાત પાર્ટીઓનું સમર્થન છે. જેમાં 164 ધારાસભ્યો છે. આ સિવાય એક અપક્ષ ધારાસભ્ય પણ સમર્થનમાં છે.

વિપક્ષમાં ભાજપ :

રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે ભાજપનું કામ માત્ર નાની પાર્ટીઓને નષ્ટ કરવાનું છે. પરંતુ બિહારમાં આમ થશે નહીં. બિહારમાં તમામ પાર્ટીઓનું અમને સમર્થન છે. તેવામાં વિધાનસભામાં વિપક્ષ પર માત્ર ભાજપ બેસવાનું છે.

ભાજપ કોર ગ્રુપની બેઠક :

ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રવિશંકર પ્રસાદ, શાહનવાઝ હુસૈન અને ગિરિરાજ સિંહ સહિતના નેતા હાજર રહ્યા હતા. ગિરિરાજ સિંહે કહ્યુ કે નીતિશ કુમારે જનતા સાથે છેતરપિંડી કરી છે. જનતા તેમને જરૂર પાઠ ભણાવશે. તો રવિશંકર પ્રસાદે પણ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો :

 

10 ઓગસ્ટ 2022 રાશિફળ : 251 વર્ષ બાદ આ રાશિમાં બની રહ્યો છે શુભ સંયોગ, ખુલશે ભાગ્ય અને આવશે સુખ-શાંતિ

10 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ. સુખ-શાંતિ રહે. સ્વાસ્થ્ય સારું રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભઃ
બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારું રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુનઃ
બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ
આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારું રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

સિંહઃ
સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રા‌િપ્‍ત સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઈગ્રેઈનની સમસ્યા સતાવે.

તુલાઃ
કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃશ્ચિકઃ
થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઈ-બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

ધનઃ
માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારું રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃદ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારું રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ
આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ
આત્મબળમાં વૃદ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેરબજાર તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

આ પણ વાંચો :-

App જ નહીં આવા ફોન પણ બેન કરી શકે છે મોદી સરકાર, ચીનને ઝટકો આપવાની તૈયારી : રિપોર્ટમાં દાવો

Modi government

  • હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.

ભારત ચીનને (India China) ફરી એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. એક રીપોર્ટ અનુસાર, સરકાર ચીની સ્માર્ટફોનની (Smart Phone) કંપનીઓનાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતનાં મોબાઈલ વહેંચવા પર રોક લગાવી શકે છે. તેની પાછળનો ઇરાદો દેશી કંપનીઓને (A native company) સમર્થન કરીને પ્રોત્સાહન આપવાનો છે.

ખાસ કરીને સરકાર Lava, Micromax અને બીજી ઘણી ભારતીય કંપનીને પ્રોત્સાહિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.

એ રીપોર્ટ અનુસાર આ ચીની મોબાઈલ પર ben લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને મદદ કરવા માંગે છે અને મેડ ઈન્ડિયાને આગળ લઈ આવવા માંગે છે. જો એવું થયું તો Xiaomi, Poco, Realme અને બીજી ચીની કંપનીઓને ભારી નુકશાન વેઠવું પડશે.

ચીની કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં દબદબો બનાવીને બેઠી છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 12,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં કુલ મોબાઈલ વેચાણના ત્રીજા ભાગનું છે અને આ આંકડો જૂન 2022 ક્વાર્ટરનો છે. તેમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડના કુલ 80 ટકા જેટલા ફોન વહેંચાયા છે.

ભારત અને ચીની કંપનીઓ વચ્ચે હજુ પણ રસાકસી ચાલી રહી છે. ઘણી ચીની કંપનીઓ ભારત સરકારની રડારમાં છે અને છેલ્લા થોડા મહિનાથી Xiaomi, Vivo અને Oppo પર ટેક્સ ચોરીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલ ક ઇડી એ મની લૉન્ડ્રીના કેસમાં વિવોના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું હતું. એ પછી કંપનીએ રીક્વેસ્ટ કરી પછી એકાઉન્ટ અન્ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ચીની કંપનીઓનાં બજેટ મોબાઈલને ben કરવાનું ઓફીશીયલ સ્ટેટમેન્ટ હજુ બહાર પડ્યું નથી પણ ઘણા રિપોર્ટ અનુસાર આ જલ્દી જ થઈ શકે છે. ભારત સરકાર આ પહેલા પણ ચીની એપ્સ સામે એક મોટું એક્શન લઈ ચૂકી છે.

આ પણ વાંચો :-

 બિહારમાં નવી સરકારની ફોર્મ્યુલા આવી સામે, 8-10 મહિના સીએમ રહેશે નીતિશ, પછી તેજસ્વીને મળશે કમાન

0

The formula of the new government

  •  સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી.

બિહારના રાજકારણમાં (Bihar Political Crisis) નવો વળાંક સામે આવ્યો છે. બિહારમાં (Bihar) નીતિશ કુમાર (Nitish Kumar) બીજેપીનો સાથ છોડીને મહાગઠબંધન (Mahagathbandhan) સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. બન્ને વચ્ચે ફરી એક વખત ગઠબંધન થઇ ગયું છે. નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું કે મહાગઠબંધન અને જેડીયુ વચ્ચે ગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જો કે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને (Tejaswi Yadav)મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.

સૂત્રોના મતે શરૂઆતમાં જેડીયુના નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ ઉપ મુખ્યમંત્રી બનશે. જોકે આઠથી દશ મહિના પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદની કમાન તેજસ્વી યાદવને આપી દેશે. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પોતાના ધારાસભ્યોનો સમર્થન પત્ર તેજસ્વી યાદવને સોંપી દીધો છે. પટનામાં થયેલી મહાગઠબંધનની બેઠકમાં તેજસ્વીને આ સમર્થન પત્ર આપ્યો છે. સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી છે.

આ પણ વાંચો :-

‘હું દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં સામેલ નહીં કરું’, જાડેજાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

0

I will not include Dinesh Karthik

  • દિનેશ કાર્તિકે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સારી રમત દેખાડી છે. પરંતુ હવે ભારતના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ તેના વિશે મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમના (Indian team) સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Kartike) તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. કાર્તિક ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે ભારતના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ (Ajay Jadeja) દિનેશ કાર્તિકને લઈને મોટું નિવેદન આપ્યું છે. જાડેજાએ કહ્યું કે કાર્તિકની જગ્યા ટીમ ઈન્ડિયામાં નથી બની.

જાડેજાએ આ આપ્યું નિવેદન :

ભારતના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી અજય જાડેજાએ કહ્યું, ‘હવે જો તમે તેને જે રીતે સાંભળ્યું છે તે રીતે રમવું હોય તો તમારે આક્રમક રીતે રમવું પડશે. જો વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં આવે છે, તો તમારે દરેક કિંમતે દિનેશ કાર્તિકની જરૂર છે. તે તમારો પ્લસ પોઈન્ટ છે. પરંતુ જો તમારી પાસે બેમાંથી કોઈ ન હોય તો દિનેશ કાર્તિકનું અહીં કોઈ કામ નથી. પછી હું દિનેશ કાર્તિકને ટીમમાં નહીં રાખીશ.

કોમેન્ટ્રી કરી શકે છે :

આગળ બોલતા અજય જાડેજાએ કહ્યું, ‘દિનેશ કાર્તિક ખૂબ જ સારો કોમેન્ટેટર છે. જો તે ઈચ્છે તો મારી બાજુમાં બેસી શકે છે. હું પહેલા બોલરો પસંદ કરું છું. મેં શમી, બુમરાહ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યા છે. ચારેયમાં ભિન્નતા છે. બેટિંગમાં મારા માટે ચાર ખેલાડીઓ નિશ્ચિત છે – ઋષભ પંત, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડા

કાર્તિક લાંબા સમય બાદ પરત ફર્યો છે :

દિનેશ કાર્તિકે IPL 2022માં શાનદાર રમત બતાવી અને તે RCB ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો. તેણે ટીમ માટે ઘણા રન બનાવ્યા. તેના ખતરનાક પ્રદર્શનને જોઈને પસંદગીકારોએ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી. તેણે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં શાનદાર રમત બતાવી અને તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર બન્યો. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-