Home Blog Page 1341

કુદરતનો આવો તે કેવો ન્યાય ? મૃત્યુ સનાતન છે તો સમય પહેલાં શા માટે ?

What is the justice of nature?

  • સંબંધમાં બનેવી પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ માટે અપાર ચિંતા ધરાવતા રમણીકલાલના અકાળે નિધનની ઘટનાએ વધુ એક વજ્રઘાત પહોંચાડ્યો
  • એક વર્ષના ટુંકા ગાળામાં ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે બિધાનચંદ્ર પંડ્યા (બી. કે. પંડ્યા), બાબુકાકા, હેમંત ભટ્ટજી, યોગેશ ઢીંમર ગુમાવ્યાનું દર્દ રુઝાય ત્યાર પહેલાં રમણીકલાલનાં નિધને વધુ એક આઘાત પહોંચાડ્યો
  • ઘણી વખત લાગણીભર્યા અને સ્નેહાળ શબ્દો આફતના સમયે જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે પુરતા થઈ પડે છે, રમણીકલાલ હંમેશા કહેતાં ‘‘કામકાજ હોય તો કહેજો’’ આ શબ્દો જ અમારા માટે જડીબુટ્ટી જેવા હતા.

જીવન એક યાત્રા છે જેનો ભૂતકાળ, વર્તમાન અને અંતકાળ (the end times) પણ  છે પરંતુ આ બધુ સત્ય ત્યારે જ સમજાય છે કાં તો એ માણસ જી‍ંદગીને જીવી ગયો. કાં જી‍ંદગીથી દાઝી ગયો હોય. આપણી રોજબરોજની જી‍ંદગીમાં આપણી આસપાસ ઘણા લોકો સ્વજનો રહેતા હોય છે પરંતુ તેમના મનમાં ઉભરાતી લાગણીઓ, આનંદ અને શોકને આપણે એટલા માટે સમજી શકતા નથી કારણ કે આપણે આવા સ્વજનોને કાંતો હળવાશથી લઇએ છીએ અથવા તો આપણા મનમાં આવી કોઇ સંવેદના નથી હોતી અને મોટાભાગના લોકો વર્તમાન સમયમાં સંવેદના વગર જીવતા હોય છે અને ક્યારેક સંવેદના હોવા છતાં સમય અને સંજોગો સંવેદનાને ભુલી જવા માટે મજબૂર કરતા હોય છે પરંતુ પોતીકા સ્વજનને ગુમાવ્યા પછી આપણામાં છુપાવેલી કે દબાવી રાખેલી સંવેદનાઓ દુઃખનો ધોધ બનીને વહેવા માંડે છે અને સાથે અંતરમનમાંથી એક હતાશાની સ્થિતિ આકાર પામે છે.

વ્યક્તિગત અને જાહેરજીવનમાં રોજબરોજ આપણી આસપાસમાં આવી ઘટનાઓ આકાર પામતી જ હોય છે. આપણી અડોશપાડોશમાં કે આપણી સાથે કામ કરતા સહકર્મીઓ અને પરિવારમાં બનતી ઘટનાઓને આપણે માત્ર દુઃખ કે સહાનુભૂ‌િત વ્યક્ત કરીને ભુલી જઇએ છીએ. ઘરેથી નીકળીને નોકરી કે ધંધાના સ્થળે જતી વખતે રસ્તામાં ઘણી વખત શબવાહીની બંધ બોડીમાં સ્મશાન ઘાટ લઇ જવાતા મૃતકના સ્વજનોના મનમાં ચાલતા વલોપાતને આપણે અનુભવી શકતા નથી. કારણ કે મૃત્યુ પામેલી વ્યક્તિ આપણું સ્વજન નથી.

ખેર, દરેકના જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય છે. માત્ર સ્વજન જ નહીં પરંતુ જીવનની સફરમાં સાથી, મિત્ર બનીને આવેલા સ્વજનનું મૃત્યુ પણ અત્યંત દુઃખદાયક હોય છે. પરંતુ તેમના મૃત્યું બાદ તેમની ગેરહાજરીનો ખાલીપો બાકીની જી‍ંદગીને વેરાન કરી નાંખે છે. મારા મિત્ર અને ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારના મોભી બિધાનચંદ્ર પંડ્યા (બી.કે.પંડ્યા)ને ગુમાવ્યાને બરાબર એક વર્ષનો સમય પસાર થઇ ગયો પરંતુ હજુ પણ તેમનો ખાલીપો દિવસ-રાત સતાવ્યા કરે છે. એક વર્ષ પછી પણ તેમની ચેમ્બર અને ખુરશી ખાલી પડ્યા છે! અને હજુ પણ ભાસ થાય છે કે પંડ્યાજી ઓફિસમાં બેઠા છે. આ બધુ થવા પાછળ માત્રને માત્ર આત્મિય સંબંધો જ કારણરૂપ છે અને સ્વાર્થ વગરના આત્મિય સંબંધોને કારણે જ જી‍ંદગી જીવી જવાય છે બાકી દરેકનું મૃત્યુ એ ‘સનાતન’ સત્ય છે.

પંડ્યાજી પછી ગુજરાત ગાર્ડિયન પરિવારે પંડ્યાજી જેવા જ નખશીખ સજજન બાબુકાકા ત્યાર પછી હેમંત ભટ્ટ (ભટ્ટજી) અને ખુબ જ પ્રમાણિક અને પોતાને કેન્સર હોવા છતાં કામગીરી ચાલુ રાખનાર યુવાન યોગેશ ઢીંમરને ગુમાવ્યા હતા. ખૂબ જ ટુંકા ગાળામાં પરિવારના સભ્ય એવા ચાર ચાર સ્વજનોને ગુમાવ્યા પછી જાણે જી‍ંદગી સાવ નિરર્થક લાગતી હતી પરંતુ કેટલીક જવાબદારીઓ જી‍ંદગી જીવવા માટે મજબૂર કરી રહી છે. અલબત્ત આ મજબુરી સમાજના બધા જ લોકો સમજી શકે એ જરૂરી નથી.

આજકાલ જી‍ંદગી એક વેપાર જેવી બની ગઇ છે. કોઇક મજબુરીમાં ફસાયેલો માણસ‘જીવે કે મરે’ તેની કોઇને જ પડી નથી સમગ્ર જગત જાણે સ્વાર્થી બની ગયું છે બલ્કે એવું ચોક્કસ કહી શકાય કે દેશની પડી ભાંગેલી આર્થિક વ્યવસ્થાએ માણસ જાતને સ્વાર્થી બનાવી દીધી છે. માનવીય સંબંધો સાવ ભુલાઇ ગયા છે. આવા કપરાકાળમાં તમારા આત્મિય સ્વજનનું મૃત્યુ પોતાના મોત કરતા પણ વધુ પીડાદાયક હોય છે.

‘‘ગુજરાત ગાર્ડિયન’’ એ ચાર ચાર સભ્યોને ગુમાવ્યા બાદ ખાસ કરીને ‘‘ગુજરાત ગાર્ડિયન’’ માટે સતત મુક સંવેદના પ્રગટ કરનાર સંબંધમાં ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારનાં બનેવી પરંતુ મિત્ર કરતા વિશેષ રમણીકલાલનું નિધન વધુ અકળાવી ગયું પોતે આર્થિક સક્ષમ નહોતા પરંતુ પોતે કંઇક મદદ કરવા માટે તડપતા હતા. સ્વભાવે વિનમ્ર અને અત્યંત લાગણીશીલ રમણીકલાલના મનમાં ગુજરાત ગાર્ડિયનની મુશ્કેલી માટે વહેતી વેદનાની અમે કલ્પના કરી શકતા હતા. તેમના હંમેશ શબ્દો હતા ‘‘સાહેબ, કંઇ કામ હોય તો કહેજો’’ તેમના આટલા શબ્દો અમને જીવન જીવવા અને સંઘર્ષનો સામનો કરવા હિંમત આપતા હતા. પાછલા ચાર પાંચ વર્ષ દરમિયાન અનેક આફતો આવી અને ગઇ, ઘણાં સ્વજનોએ મોઢા ફેરવી લીધા પરંતુ રમણીકલાલના દિલ અને દિમાગમાં ‘‘ગુજરાત ગાર્ડિયન’’ ફરી ક્યારે મૂળસ્થિતિમાં ધમધમતુ થાય તેની સતત ચિંતા વહેતી હતી. કોઇક દિવસ પેપર મળ્યું ન હોય તો અનેક ચિંતાઓ વચ્ચે ફોન કરીને સ્થિતિ જાણી લેવાની ચિંતા કરતા હતા.

રમણીકલાલ સ્વભાવે શાંત, નિર્મળ અને સહનશીલ હતા. કોઇક મુદ્દે આપણે ઊંચા અવાજે વાત કરીએ તો તેઓ વાતને હંમેશા ટાળી દેતા હતા ‘‘તેઓ હંમેશા કહેતા ઠીક છે તમારૂ મગજ શાંત થાય પછી વાત કરીશું’’ તેમના આટલા શબ્દો જ મનને શાંત કરવા માટે પુરતા થઇ પડતા હતા. મુંબઈ દહીંસર ખાતે રહેતાં બે ભાઇઓના પરિવારમાં તેઓ નાના હતા પરંતુ એકપણ ઘટના એવી બનવા પામી નહી હોય કે તેમણે મોટાભાઇ હિંમતભાઇના શબ્દો ઊથાપ્યા હોય. પરિવાર મોટો હોવાથી ઘરમાં મતભેદ થવાના જ પરંતુ તેઓ મોટાભાઇ હિંમતભાઇને પિતા તુલ્ય માનતા હતા અને કોઇપણ પ્રસંગ હોય તો મોટાભાગે બન્ને ભાઇઓ સાથે જ જવાના આગ્રહી રહેતા હતા. ઘણી વખત અમને એવું કહેતા હતા કે ‘‘મને નહીં સાચવો તો કંઇ નહીં પણ મારા ભાઇનું સન્માન જળવાવું જોઇએ જ’’ અલબત્ત મોટાભાઇ પ્રત્યેની લાગણીનો અમને પણ ગર્વ હતો.

હજુ થોડા દિવસ પહેલા બહેન મંજુલાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી. ડોકટરોએ તત્કાળ સારવાર આપીને મંજુલાને સાવ સારી નરવી કરી દીધી, આ ઘટના દુઃખદ હતી, પરંતુ મંજુલા સારી થઈ જવાથી પરિવારના આનંદમાં ફેરવાઇ ગઇ હતી. બન્ને ભાઇઓનો પરિવાર ખુશખુશાલ હતો, કારણ કે મંજુલાના માથેથી ખૂબ મોટી આફત ટળી ગઇ હતી. બલ્કે એવું કહી શકાય કે મોત દરવાજે ટકોરો મારીને ચાલ્યું ગયું હતું.

પરંતુ કોઇને ક્યાં ખબર હતી કે કાળ હજુ દરવાજે ઊભો હતો !

મંજુલાની બીમારીની ખબર પુછવા રોજેરોજ સ્વજન, સંબંધીઓ મિત્રો… આવી રહ્યા હતા. પરિવારમાં પણ ખુશાલીનો માહોલ હતો પરંતુ જાણે કુદરતને આ ખુશાલી મંજુર નહોતી. ૧૯મી ઓગષ્ટને શુક્રવારે જન્માષ્ટમીનો તહેવાર હતો. મધરાત સુધી ઘરમાં ઉત્સવની ખુશાલી હતી, મધરાત્રે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના દર્શન કર્યા. પ્રસાદી પણ લીધી અને વાતો કરતાં કરતાં બધા પથારીમાં સુઇ ગયા. કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊંઘી ગયેલા રમણીકલાલ માટે આ જીવનયાત્રાનો અંતિમ સમય હતો॰

કોઇપણ પ્રકારની બીમારી નહોતી કંઇક અજુગતું લાગતું હોવાની ફરિયાદ પણ ન હોતી પરંતુ શનિવારની મધરાત અને રવિવારની વહેલી સવારે દરવાજે ઊભેલો કાળ કામ કરી ગયો હતો.

વહેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા મોટાભાઇનો દિકરો નિલેશ દવાખાને લઇ ગયો અને બસ ગણતરીની મીનીટોમાં રમણીકલાલ અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા !

બંધ પડી ગયેલા હૃદયને ફરી ધબકતું કરવા ડોકટર્સના લાખ પ્રયાસો છતાં રમણીકલાલ કાળ પથારીમાંથી ફરી બેઠા થયા નહીં !

આ તરફ પરિવાર તેમના પાછા ફરવાની રાહ જોઇને બેઠો હતો, મોટાભાઇ હિંમતભાઇ હોસ્પિ.માં ફોન કરીને સ્થિતિ જાણવાની કોશીષ કરતા. મંજુલાના મનમાં પણ કોઇ અમંગળની શંકાઓ નહોતી રાબેતા મૂજબ ઘરનું કામ કરતી હતી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનુ સૌભાગ્ય નંદવાઇ ગયું હતું.! ઘર પરિવારના કોઇપણ સભ્ય મંજુલાને અમંગળ વાત કરવાની સ્થિતિમાં નહોતા અને વાત કરવી તો કઇ રીતે કરવી? આવી મુંઝવણ વચ્ચે આખરે રમણીકલાલના‘નિધન’ની વાત કરવામાં આવી ત્યારે મંજુલા દુઃખનો આઘાત વ્યક્ત કરવાની સ્થિતિમાં નહોતી, કોઇ શબ્દ નહોતા. તેની આંખના આંસુ પણ થીજી ગયા હતા !

આ દ્રષ્ય અત્યંત ભયાનક હતું મંજુલાને તૂટતી રોકવી જરૂરી હતી. અંતે એક વિકટ સમય પસાર થઇ ગયો. સ્વજનો, સંબંધીઓ, પડોશીઓથી ઘર ભરાઇ ગયું અને બીજા દિવસે રવિવારની સવારે રમણીકલાલના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમની ચિતામાંથી નીકળતી આગ ક્ષણ ભંગુર જીવન માટે ખૂબ મોટો સંદેશો આપતી હતી. જાણે રમણીકલાલ કહી રહ્યા હતા, મારું નિર્લેપ જીવન જ મારો સંદેશ છે.

અને એ પણ હકીકત છે કે લગભગ ૬૪ વર્ષની લાંબી જી‍ંદગીમાં રમણીકલાલને કોઇ સાથે વિવાદ થયો હોવાની એકપણ ઘટના બનવા પામી નહોતી. તેઓ અજાત શત્રુ હતા. રમણીકલાલ સાથે  કોઈ સંજોગોમાં કારણ વગર વિવાદમાં ઉતરેલા લોકોને પણ એક નખશીખ સજ્જન ગુમાવ્યાની વેદના જરૂર કોરી ખાતી હશે.

દહીંસરનો આનંદનગર વિસ્તાર સાવ સુનો ભાસતો હતો. રમણીકલાલ અને પરિવારે આ વિસ્તારમાં દાયકાઓ પસાર કર્યા હતા. દરેક સોસાયટી અને ફૂટપાથ ઉપર વસતાં લોકો પણ રમણીકલાલના નિધન માટે આઘાત વ્યક્ત કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો :-

યુવકે લોકોની નજર સામે મોતને ગળે લગાવ્યું, ટ્રક નીચે 5 સેકન્ડમાં ગયો જીવ

The young man embraced

  • ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો.

રાજકોટમાં (Rajkot) આજે આપઘાતનો ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજકોટમાં યુવકના આપઘાતના લાઈવ (Suicide Live) દ્રશ્યો સામે આવ્યા છે. જે ભલભલાને વિચલિત કરી દે તેવા છે. ગ્રીન લેન્ડ ચોક નજીક યુવકે દોડતી ટ્રક નીચે પડતું મૂકીને મોત વ્હાલુ કર્યું હતું. ટ્રકને આવતી જોઇ અચાનક યુવકે ટ્રકના ટાયર નીચે પડતું મૂક્યું હતું. આપઘાતના લાઈવ દ્રષ્યો (Live views) જોઈને તમે પણ ગભરાઈ જશો.

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક યુવકે જાહેરમાં આપઘાત કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો.

જેથી ટ્રકની પાછળના પૈડાં તેના શરીર પરથી પસાર થઈ ગયા હતા. આ જોઈ ટ્રક ચાલકે ટ્રક રોકી હતી. પરંતુ તે પહેલા જ યુવકનું મોત નિપજ્યુ હતું.

આ ઘટનાથી રાજકોટ બી ડીવીઝનની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી પણ કબજે કર્યાં હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 30 વર્ષીય યુવક પરપ્રાંતીય હતો.

તેનું નામ નીલમ છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસે મોબાઈલના આધારે યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. સાથે જ યુવક કેમ જાહેરમાં આવુ કરવા મજબૂર બન્યો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 23 ઓગસ્ટ 2022 : 51 વર્ષ બાદ આ રાશિના લોકો પર મહાદેવ થશે પ્રશન્ન – જાણો તમારી રાશી અનુસાર

Today’s Horoscope, 23 August 2022

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા-નોકરી ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા- માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણો માંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યાઃ
સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્ર‌િષ્ટ‌એ ફાયદો, કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્કિમ ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જ‍ળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી શીખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

જય શ્રી રામ ! રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખ નક્કી, આ દિવસે ગર્ભગૃહમાં બિરાજમાન થશે રામ લલ્લા 

0

Jai Shri Ram! Ram Lalla’s

  • રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખને લઈ મોટા સમાચાર, 14 જાન્યુઆરી 2024 એટલે કે મકરસંક્રાંતિએ રામલલાની ગર્ભગૃહમાં સ્થાપના થઈ શકે છે : સૂત્રો

રામનગરી અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આખો દેશ એ સમયની રાહ જોઈ રહ્યો છે જ્યારે રામ લલ્લા મંદિરના (Ram Lalla Temple) ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ દરમ્યાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે રામલલાના ઘરમાં પ્રવેશની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવામાં આવશે.

રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવામાં આવશે.

શું કહ્યું VHPના પ્રાંતીય મીડિયા પ્રભારી ? 

આ તરફ VHPના પ્રાંતીય મીડિયા પ્રભારી શરદ શર્માએ કહ્યું કે, રામ લલ્લાને શક્ય તેટલી વહેલી તકે ગર્ભગૃહમાં બેસાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવશે. કોશિશ એ છે કે, 2024ની મકરસંક્રાંતિના અવસર પર રામલલાને કાયદા સાથે તેમના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવે. શરદ શર્માએ જણાવ્યું કે બાંધકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ :

નોંધનીય છે કે, અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારે પૂરી થઈ. બેઠકમાં મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામજન્મભૂમિ સ્થિત એલએનટી અને ટાટા કન્સલ્ટન્સી કાર્યાલય ખાતે ટ્રસ્ટના અધિકારીઓ અને કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોની હાજરીમાં રામજન્મભૂમિ ખાતે સમાપન થયું હતું.

આ પણ વાંચો :-

 

આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું આગમન

0

Thunderstorm forecast in some

  • આજે પણ રાજ્ય (Gujarat) ના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે વહેલી સવારથી ડીસા સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ.

તમને જણાવી દઇએ કે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. તો બીજી બાજુ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી શકે છે.

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ :

ત્યારે આજે ડીસા સહિત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. મહત્વનું છે કે, બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ :

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમીરગઢમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં 16 મીમી, ધરમપુરમાં 14 મીમી, કપરાડામાં 13 મીમી, દિયોદરમાં 13 મીમી વરસાદ, વઘઈમાં 11 મીમી, લાખણીમાં 11 મીમી, ડાંગમાં 9 મીમી, ચિખલીમાં 8 મીમી, ખેરગામમાં 8 મીમી અને માળિયામાં 8 મીમી વરસાદ વરસી ચૂક્યો છે.

જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ :

બીજી બાજુ જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 61 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2019-2020માં 58 ઈંચની આસપાસ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો :-

અમેરિકી પોલીસની બર્બરતા : એક વ્યક્તિને જમીન પર પટક્યો, લાત-મુક્કા માર્યા, જુઓ તસ્વીરો 

US Police Brutality

  • અમેરિકાના અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે.

અમેરિકાના (America) અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. જે બાદ અર્કાંસસની ક્રૉફર્ડ કાઉન્ટીમાં (Crawford County, Arkansas) ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તેમને પાર્કિંગમાં એક વ્યક્તિને માર મારતા દર્શાવવામાં આવ્યા છે. ગવર્નરે કહ્યુ કે સ્ટેટ પોલીસ (State Police) આ ઘટનાની તપાસ કરશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પોલીસ અધિકારી વારંવાર અને નિર્દયતાથી એક વ્યક્તિને મુક્કા મારે છે અને ઘણીવાર સિમેન્ટની ટાઈલ્સ પર તેનુ માથુ પટકે છે. એક અન્ય પોલીસ અધિકારી નીચે પડેલા વ્યક્તિના શરીરના નીચેના ભાગ પર વારંવાર લાત મારે છે જ્યારે એક ત્રીજા પોલીસ અધિકારીએ તે વ્યક્તિને નીચે દબાવી રાખ્યો છે.

જેમાંથી બે પોલીસ અધિકારી ક્રૉફર્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયમાં નિયુક્ત છે અને ત્રીજા મલબરી શહેરના પોલીસ વિભાગના અધિકારી છે. અર્કાંસસના ગવર્નર અસા હચિંસને કહ્યુ કે સ્ટેટ પોલીસ આ ઘટનાની તપાસ કરશે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ કે મે અર્કાંસસ સ્ટેટ પોલીસના કર્નલ બિલ બ્રાયંટ સાથે વાત કરી છે અને ક્રૉફર્ડ કાઉન્ટીમાં લોકલ અરેસ્ટની ઘટનાની તપાસ વીડિયો પુરાવા અને ફરિયાદ પક્ષના વકીલની વિનંતી મુજબ કરવામાં આવશે.

જ્યારે ક્રૉફર્ડ કાઉન્ટીના શેરિફ જેમ્સ ડેમાન્ટેએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે ઘટનામાં સામેલ બે ડેપ્યુટીને તપાસનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. ડેમાન્ટેએ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યુ કે તેઓ પોતાના તમામ કર્મચારીઓને તેમના કામ માટે જવાબદાર ઠેરવે છે અને આ કેસમાં યોગ્ય પગલા ઉઠાવવામાં આવશે.

મલબરી પોલીસના એક અલગ નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે વીડિયોમાં કેદ થયેલી ઘટનામાં તેમના એક અધિકારી સામેલ હતા. તેમને સ્ટેટ પોલીસની તપાસનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. એક ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે મલબરી સિટી પોલીસ વિભાગ આ પ્રકારની તપાસને ખૂબ ગંભીરતાથી લે છે. અમે તપાસ પૂર્ણ થતા યોગ્ય કાર્યવાહી કરીશુ.

આ પણ વાંચો :-

સોના અને ચાંદીમાં ફરી મોટો ઘટાડો, દાગીના બનાવવાનો યોગ્ય સમય, આજે જ કરો ખરીદી

Big fall in gold and silver again

  • ગયા અઠવાડિયે સોના-ચાંદીમાં ઘટાડો જોયા બાદ હવે આ સપ્તાહે પણ કિંમતી ધાતુઓ પર દબાણ યથાવત છે. છેલ્લા દિવસોમાં સરકાર દ્વારા સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યા બાદ ધાતુના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ફરી દબાણ જોવા મળી રહ્યું છે. ગત સપ્તાહે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોમવારે વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.

સરકાર દ્વારા છેલ્લા દિવસોમાં સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ ધાતુના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ગત દિવસોમાં 52 હજારને પાર જતું સોનું ફરી એકવાર તેની નીચે આવી ગયું છે.

સોનું અને ચાંદી આવી શકે છે અને ઘટી શકે છે :

સોમવારે કારોબારી સપ્તાહના પહેલા દિવસે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમતમાં 252 રૂપિયાનો ઘટાડો થયો છે. સોમવારે ઈન્ડિયા બુલિયન એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરાયેલા રેટ મુજબ, 24 કેરેટ સોનું 51,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એક કિલો ચાંદીનો ભાવ રૂ.715ના ઘટાડા સાથે રૂ.55166 થયો હતો. આગામી દિવસોમાં ઊંઘ વધુ નીચે આવી શકે છે.

એમસીએક્સ પર સોનું રૂ.1106 તૂટ્યું :

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સોનાના ભાવમાં 0.40 ટકાનો ઘટાડો થયો અને 51,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો. ચાંદીમાં પણ બ્રેકિંગ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી 356 રૂપિયા ઘટીને 55140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

બીજી તરફ ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ.337 ઘટીને રૂ.56,151 પર જોવા મળી હતી. ગત સપ્તાહે એમસીએક્સ પર સોનું રૂ.1106 તૂટ્યું હતું, જ્યારે ચાંદી રૂ.3780 ઘટી હતી.

ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 23 કેરેટ સોનું 51344 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 47220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 38663 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 30157 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે લોકો 22 કેરેટ સોનાની જ્વેલરી બનાવે છે, જેનો રેટ 47220 રૂપિયા છે. 999 શુદ્ધતાની ચાંદી 55166 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :-

લોકમેળામાં મોતના કુવામાં મોટી દુર્ઘટના, ચાલુ શોમાં કાર નીચે ખાબકી, Video

0

A big tragedy in the well of death

  • Accident In LokMela : રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી.

એક તરફ સૌરાષ્ટ્રના (Saurashtra) મેળા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રજા હોઈ મોટી સંખ્યામાં લોકો મેળામાં મ્હાલવા નીકળી પડ્યા છે. ત્યારે આ વર્ષે અનેક મેળામાં દુર્ઘટનાના કિસ્સા બની રહ્યાં છે. રાજકોટના લોકમેળામાં (Lok Mela) મોતના કૂવામાં મોટી દુર્ધટના બની છે. મોતના કુવામાં ચાલુ શો દરમિયાન કાર નીચે પડી હતી. સદ્દનસીબે કોઇ જાનહાનિ ન થઈ. કારનું ટાયર નીકળી જતા દુર્ઘટના બની હતી. જેના શોકિંગ સીસીટીવી (CCTV) પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. ચાલુ શો દરમિયાન ત્રણ વાહનો મોતના કુવામાં ગોળ ગોળ ફરી રહ્યા હતા. જેમાં એક કારનું ટાયર નીકળી ગયુ હતું. આ કારણે ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી.

ટાયર નીકળી જતા જ કાર સીધી નીચે ખાબકી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના લોકમેળામાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. એક દિવસ પહેલા લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી ગયુ હતું. જેને લીધે યુવકને ઇજાઓ પહોંચી હતી. તો તે પહેલા ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ હતું. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

નારાજગી ! ગુજરાત સરકારે માજી સૈનિકોની 5 માંગ સ્વીકારી ! છતાં માજી સૈનિકો નારાજ, જાણો શું હતી 14 માંગણીઓ

0

Displeasure ! Gujarat government

  • રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકોની 14માંથી 5 માગનો કરવામાં આવ્યો સ્વીકાર, તમામ માંગો સ્વીકારવા માજી સૈનિકોની માંગ.

રાજ્ય સરકાર (State Govt) સામે 14 માંગણીઓને લઇને આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોની (ex-servicemen) પાંચ માગ આખરે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી. મહત્વનું છે કે રાજ્યમાં 14 માંગણીઓ સાથે માજી સૈનિકો મેદાને ઉતર્યા હતા.

છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઇને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર સચિવાલય ખાતે સફેદ કપડા અને હાથમાં તિરંગો લઇને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થયા હતા.

રાજ્ય સરકારે આ માગણીઓ સ્વીકારી :

  • શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી.
  • શહીદ જવાનાના બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવી.
  • શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ.5 હજારની સહાય આપવી.
  • અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય  અથવા મહિને 5 હજારની સહાય આપવી.
  • અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ.5 લાખની સહાય આપવી.

તમામ માગણીઓ પુરી કરવામાં આવે- માજી સૈનિકો

ઉલ્લેખનીય છે કે આજ સવારથી જ માજી સૈનિક પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.  અગાઉ સરાકરે હૈયાધારણા આપી હતી પરંતુ કોઇ યોગ્ય નિર્ણય ન લેવાતા તેઓ ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જો કે રાજ્ય સરકારે પાંચ માગણીઓનો સ્વીકાર કર્યો પરંતુ હજી અન્ય 9 માગણીઓ બાકી છે. જે  તમામ માંગ સ્વીકારાય અને તેનો GR કરવા માજી સૈનિકો દ્વારા માગણી કરવામાં આવી.

 માજી સૈનિકોની શું છે માંગણી ?

  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  • શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  • શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
  • શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
  • વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  • માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
  • રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  • દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  • હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
  • માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
  • સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
  • સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
  • માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
  • માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે

આ પણ વાંચો :-

શા માટે ટોયોટાએ ભારતમાં Innova Crysta ડીઝલ કારનું બુકિંગ બંધ કર્યું ? જાણો શું છે કારણ 

0

Why Toyota stopped booking of Innova Crysta

  • આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે.

 Innova Crysta Diesel : વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કરે (Toyota Kirloskar) સૌથી વધુ વેચાતી SUVમાંથી એક ઈનોવા ક્રિસ્ટા (Innova Crysta)ના ડીઝલ વેરિએન્ટનું બુકિંગ થોડા સમય માટે બંધ કરી દીધું છે. આ કાર માત્ર પેટ્રોલ વેરિએન્ટ માટે બુક કરી શકાય છે.

કંપનીની કુલ કારોના વેચાણમાં ઈનોવા ક્રિસ્ટાના ડીઝલ વેરિએન્ટના કારના વેચાણને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટોયોટાનો આ નિર્ણય ખૂબ જ ચોંકાવનારો છે. જેનો અર્થ છે કે ભારતીય રસ્તાઓ પર નવી ઈનોવા ક્રિસ્ટા કાર જોવા નહીં મળે.

બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્યું :

આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે. જે પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન અથવા ડીઝલ એન્જિનમાં કેટલાક પરિવર્તન સાથે રજૂ કરવામાં આવી શકે છે. આ મામલે ટોયોટાએ કોઈપણ ખુલાસો કર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ જનરેશનની ઈનોવા કાર આગામી વર્ષ સુધીમાં આવશે અને તેનું ઈનોવા ક્રિસ્ટા સાથે વેચાણ થઈ શકે છે.

કંપની શું વિચારી રહી છે :

નેક્સ્ટ જનરેશનની ઈનોવાને હાઈબ્રિડ પાવરટ્રેન સાથે તૈયાર કરવામાં આવી શકે છે. ટોયોટા હાઈરાઈડરમાં પણ આ પ્રકારે જોવા મળ્યું હતું. આગામી સમયમાં ટોયોટા ફોર્ચ્યુનર સાથે પણ આ પ્રકારનો ફેરફાર થઈ શકે છે. નેક્સ્ટ જનરેશનની ઈનોવા એક નવા પ્લેટફોર્મ, નવા હાઈબ્રિડ પાવરટ્રેન અને શાનદાર ઈન્ટીરિયર પર આધારિત હોવાના કારણે તે હાલના મોડલ કરતા અલગ હોઈ શકે છે.

જે લોકોને ડીઝલ વેરિએન્ટમાં ઈનોવા પસંદ આવી રહી છે, તે લોકો માની રહ્યા છે કે, તેમને નવી ઈનોવામાં હાલની ઈનોવા ક્રિસ્ટા જેવો જ સંતોષ મળશે. કંપની પણ પોતાના ગ્રાહકોને નિરાશ કરવા ઈચ્છતી નથી.

ન્યૂ જનરેશન ઈનોવા કેવી હશે :

ભારતમાં લોકોને ડીઝલ એન્જિનવાળી ઈનોવા વધુ પસંદ આવી રહી છે. આ કારણોસર પેટ્રોલ ઈનોવાનું વધુ વેચાણ થાય તે માટે બજારનું પરીક્ષણ કરવા માટે હાઈબ્રિડ મોડલ સાથે ભવિષ્યમાં બુકિંગ ફરી શરૂ થઈ શકે છે. ભારતમાં ડીઝલ કારનું ભવિષ્ય સવાલોથી ઘેરાયેલું છે. ડીઝલ કારની સૌથી વધુ માંગ કરવામાં આવી રહી છે. આ કારણોસર સ્પષ્ટરૂપે કહી ના શકાય કે, ડીઝલ કારને ક્યાં સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-