Home Blog Page 1338

શું ફરીથી પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવ વધ્યા

Will petrol diesel prices increase again?

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળતા ફરી એકવાર પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ?

ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) મોંઘુ થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ (Crude oil) પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે. જો કે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil Marketing Company) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી અને 22 મેથી તે યથાવત છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 101 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 2 ઓગસ્ટ, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહી છે.

વાસ્તવમાં ઈરાન દ્વારા ક્રૂડનો પુરવઠો શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.

કાચા તેલની કિંમત  :

કાચા તેલ ગઈ કાલે 100 ડૉલરને પાર કરી ગયું હતું અને આજે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ પ્રતિ બેરલ $95.60 પર છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $101.97 પર છે.

દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ઇંધણના દરો :

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

આ પણ વાંચો :-

 

Jharkhand : મુખ્યમંત્રીના ‘ખાસમખાસ’ ગણાતા વ્યક્તિના ઘરેથી 2 AK-47 રાઈફલ મળી આવી, 18 ઠેકાણે ED ની રેડ

0

Jharkhand: 2 AK-47 rifles found in the

  • મની લોન્ડરિંગ મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી.

મની લોન્ડરિંગ (Money laundering) મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના (Jharkhand) ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી. રેડ દરમિયાન ઈડીને રાંચીમાં એક સ્થળેથી એકે-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ (Two assault rifles) મળી આવી.

ઈડીની રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા :

રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈડીની ચીમો રાંચીના અરગોડા ચોકના સમીપ વસુંધરા એપાર્ટમેન્ટના 8માં માળે સ્થિત પ્રેમ પ્રકાશની ઓફિસ, ઓલ્ડ એજી કોલોની સ્થિત એક સ્કૂલ અને અરગોડા ચોક પર વેપારી એમ કે ઝાના મકાનને ઈડીની ટીમોએ સુરક્ષાદળો સાથે ઘેરી લીધા અને સર્ચ અભિયાન શરૂ કર્યું. એવા ખબર છે કે રાંચીમાં 12 ઠેકાણા ઉપરાંત તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી-એનસીઆરમાં છ ઠેકાણા પર રેડ ચાલી રહી છે.

ઈડીને મળ્યા હતા અનેક ઈનપુટ્સ :

એવું કહેવાય છે કે મની લોન્ડરિંગ મામલે તાજેતરમાં ધરપકડ કરાયેલા સીએમ હેમંત સોરેનના વિધાયક પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને અનેક ઈનપુટ મળ્યા હતા. જેના આધારે ગેરકાયદેસર ખનન સંલગ્ન મામલે કાર્યવાહી થઈ રહી છે.

નોંધનીય છે કે આ અગાઉ 25મી મેના રોજ પણ ઈડીએ પ્રેમ પ્રકાશ અને અન્ય એક વેપારીના પાંચ ઠેકાણા પર દરોડા પાડીને અનેક દસ્તાવેજ તથા કિંમતી સામાન જપ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રેમ પ્રકાશની અનેક રાઉન્ડની પૂછપરછ  થઈ હતી. તે પહેલા ઝારકંડના સિનીયર આઈએએસ પૂજા સિંઘલ અને તેમના સહયોગીઓના બે ડઝન ઠેકાણા પર દરોડા બાદ ઈડીએ ઝારખંડમાં 100 કરોડથી વધુના માઈનિંગ કૌભાંડની ભાળ મેળવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડીના તાજા દરોડાની કડીઓ આ મામલા સાથે પણ જોડાઈ રહી છે. ઈડીના આ દરોડાથી રાજ્યમાં સત્તા સંબંધિત અનેક લોકો અને બ્યૂરોક્રેસીની પરેશાની વધી શકે છે. પ્રેમ પ્રકાશનો સંબંધ રાજ્યના અનેક મોટા નેતાઓ અને ઓફિસરો સાથે રહ્યો છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 25 ઓગસ્ટ 2022 : 51 વર્ષ બાદ આ રાશિના લોકો પર મહાદેવ થશે પ્રશન્ન – જાણો તમારી રાશી અનુસાર

 

Today’s Horoscope, 25 August 2022

મેષઃ
બપોર સુધી પ્રસન‍્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

રેલવેમાં નોકરી મેળવવા ઘડ્યો હોલીવુડ જેવો માસ્ટર પ્લાન પણ છેલ્લો કોઠો ભેદી ન શક્યો

0

Even a Hollywood-like master plan

  • દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

ભારતીય રેલવેમાં (Indian Railways) નોકરી મેળવવી કરોડો યુવાનોની સપનું હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

તેનો ફાયદો ઉઠાવીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મીપુરા ખાટેના ટી.સી.એસ સેન્ટર ખાતે રેલવેમાં ખલાસીના પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની એન્ટ્રી શરૂ કર્યાં બાદ એડમિટ કાર્ડ ચકાસી, બારકોડ સ્કેન કરી તેઓના ફોટા તથા આઈડી ચેક કરી, મેટલ ડિટેક્ટરથી ફિક્સિંગ તેમજ સ્ક્રેનિંગ કરી સેન્ટર ખાતે મોકલાયા હતા. ત્યારે બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો.

પરીક્ષાર્થી મનીષ પ્રસાદના બદલે રાજ્યગુરૂ ગુપ્તા પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ ડમી વિદ્યાર્થી (રાજયગુરૂ ગુપ્તા) એ મનીષ પ્રસાદના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠા ઉપર ચોંટાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. પરંતુ સેનીટાઇઝરથી ચેક કરતાં ચામડી નિકળી ગઇ હતી. અને આખરે આ ડમી પરીક્ષાર્થી બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનનો છેલ્લો કોઠો ભેદવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ડમી વિદ્યાર્થીની ચાલકી જોઇને નિરક્ષકો સહિત ચોંકી ગયા હતા.

આ સમગ્ર ઘટના પગલે સુરક્ષા એજન્સીઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મનીષ પ્રસાદ અને રાજ્યગુરુ ગુપ્તાની ધરપકડ કરી હતી. તેમજ ચામડીને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે મનીષપ્રસાદ અને રાજયગુરુ ગુપ્તાએ લક્ષ્મીપુરા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એક મીડિયેટર મારફત બંનેનો ભેટો થયો હતો. ત્યારબાદ મનીષ પ્રસાદના ડાબા હાથના અંગૂઠાની ચામડી કાઢી રાજયગુરુ ગુપ્તાના ડાબા હાથે ચોંટાડાઈ હતી. જોકે પરીક્ષામાં ડમી ઉમેદવાર દ્રારા પરીક્ષામાં બેસવા માટે કોઇ ડીલ થઇ હતી કે કેમ અં અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન આવશે ગુજરાતના પ્રવાસે, ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

0

The Prime Minister will

  • ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ પક્ષોનાં દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે.

સરકાર દ્વારા અનેક કામોના લોકાર્પણ (Launch of works) કરવામાં આવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 27 અને 28 ઓગસ્ટે વતન ગુજરાતમાં આવશે. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન મોદી કચ્છના ભુજમાં (Bhuj of Kutch) સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

શું છે સ્મૃતિવન ?

ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં એક દુર્ઘટના ઘટી હતી. ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કર્યો હતો.

સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે.

ભૂકંપનો અનુભવ કરાવશે થિયેટર :

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ થિયેટ વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળશે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.

ડિજીટલ મશાલથી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ :

રાજ્યમાં 2001ના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. મુલાકાતીઓ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને ગેલેરીમાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ :

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

ઝઘડામાં ઉપરાણું લેનાર યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો, સમાધાન બાદ આરોપીએ છરી મારી દીધી

It was the turn of the young man

  • પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police station)ની હદમાં હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનના દિવસે ચાલીના નાકે બે લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પરેશ નામના યુવકે એક વ્યક્તિનું ઉપરાણું લેતા બીજા દિવસે આરોપીએ પરેશને છરીના ઘા મારી જાહેરમાં હત્યા (Ahmedabad murder case) કરી નાખી હતી. આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

શહેરના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને એક નાનોભાઈ પરેશ (Paresh Thakor) પણ હતો. રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા. ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોર (Balram Thakor)ને ત્યાં જ રહેતા હિમાંશુ ઉર્ફે ભેમો રાવત (Himanshu Rawat)ની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને કહ્યું હતું કે ચાલીના નાકે તું ગાળા ગાળી ન કર.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન ચાલીના અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં બીજા દિવસે પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશભાઈ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો. જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી હિમાંશુ ખુલ્લી છરી હાથમાં રાખીને ત્યાંથી ભાગીને દેવજીપુરા તરફ જતો રહ્યો હતો.

આ પણ વાંચો :-

Gold Silver Price Today : સોનાની કિંમતોમાં ઘટાડો, ખરીદવું હોય તો છે મોકો

Gold Silver Price Today

  • જે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.07 ટકા ઘટીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે.

આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.07 ટકાના ઘટાડા અને ચાંદી 0.13 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જો કે સોનું રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate) :

આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.07 ટકા વધીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,380 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4811 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

સોનાની શુદ્ધતાના માપદંડ :

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.

22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ? અહીં દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ થયું

0

Will there be another Lathtakan

  • બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ લાગી રહ્યું નથી. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.

વડોદરા (Vadodara) શહેરના ચાપડ ગામે રહેતા 21 વર્ષે ભૌતિક પરમારના દેશી દારૂ પીવાથી આંખોની જોવાની ક્ષમતા ઘટ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં (Rural areas) પણ હજુ પણ દેશી દારૂનો (Country liquor) વેચાણ થઈ રહ્યું છે. જેને લઇને દેખાડો કરતી પોલીસ પર પણ સવાલ ઊભા થયા છે.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ લાગી રહ્યું નથી. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.

ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી અને ત્યારબાદ જે થયું તેને સૌ કોઈને દોડતા કરી દીધા.

ભૌતિક પરમારે શરાબ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આંખોની રોશની ગુમાવી જેથી તેને ગામના સરપંચ દ્વારા 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ પોલીસ કાર્યવાહીના ડરે ભૌતિક અધૂરી સારવાર છોડી પોતાના ઘરે પરત ફર્યો હતો.

ભૌતિક સાથે બનેલી આ ઘટનાએ તેના પરિવારના સભ્યોને સ્તબ્ધ કરી દીધા છે. ભૌતિકની માતાએ આંખમાં આંસુ સાથે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, દેશી દારૂના દુષણે સમાજને ખોખલું કરી નાંખ્યું છે. ભૌતિક સાથે બનેલી આ ઘટના સમાજ માટે સાવચેતીનો દાખલો છે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

સમાજમાં એવા કેટલાય યુવાનો છે જે દેશી દારૂના રવાડે ચડી પોતાના પરિવારને વેર વિખેર કરી નાખ્યાં છે. ત્યારે તેમને શહેર પોલીસને દેશી દારૂનું દૂષણ દૂર કરી ઠેર-ઠેર ચાલતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા અપીલ કરી હતી.

મહત્વનું છે કે ચાપડ ગામના ભૌતિક પરમાર સાથે બનેલી ઘટનાએ ચાપડ ગામ સહિત મીડિયાને દોડતું કરી દીધું છે, ત્યારે ઘટનાને કલાકો વીત્યા છતાં પણ માંજલપુર પોલીસ હાલ ઘાઢ નિંદ્રામાં છે. પોલીસ દ્વારા હજી પણ આ ઘટનાને ચોપડે ચઢાવવામાં આવી નથી. જે શહેર પોલીસ પોતાની ફરજને લઈને કેટલી ગંભીર છે એ સૂચવી જાય છે. શહેર પોલીસના બૂટલેગરો પરના ચાર હાથ યુવાઓને દેશી દારૂના દૂષણના કારણે અર્થીના ચાર હાથના માર્ગે ધકેલી રહી હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઈલેક્શન-2022 !  ભાજપનાં નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસનાં નેતા સાથે બેઠક બાદ કર્યું મોટું એલાન, કહ્યું હું ચૂંટણી લડવાનો જ છું અને…

0

BJP leader Sombhai Patel made

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણને લઇને મોટા સમાચાર.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના (Congress) જૂના જોગી એવા સોમા ગાંડા પટેલ (Soma Ganda Patel) ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની તૈયારીમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોતને (Ashok Gehlot) મળવા પહોંચ્યા હતા.

જો કે અશોક ગેહલોતે મળવા માટે સમય ન આપ્યો તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

સોમા પટેલ સાથે વાતચીત દરમિયાન તેઓએ આ અંગે જણાવ્યું કે હું કોઇને મળવા નહોતો પહોંચ્યો. મારે અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન પહોંચુ એવો છું. કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.

 સોમા પટેલનો રાજકીય ઇતિહાસ :

  • 1989માં સૌ પહેલીવાર સોમાભાઈ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા
  • 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા
  • 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા
  • 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી
  • 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા
  • 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા
  • સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા
  • 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા
  • સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું
  • લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી
  • પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો
  • 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા
  • 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ
  • 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા
  • કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા
  • 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી
  • 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા
  • મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા છે.

આ પણ વાંચો :-

Sonali Phogat Last Video : મોતની ગણતરીની પળો પહેલા સોનાલી ફોગાટે શેર કર્યો હતો પોતાનો આ અંતિમ વીડિયો

Sonali Phogat Last Video

  • સોશિયલ મીડિયા સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું.

સોશિયલ મીડિયા સ્ટાર (A social media star) અને ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને (Sonali Phogat) ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું. એવું કહેવાય છે કે સોનાલી પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર્સ સાથે ગોવા ગયા હતા અને મોતની ગણતરીની પળો પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો વીડિયો શેર કર્યો હતો.

સોનાલી ફોગાટનો અંતિમ વીડિયો :

ટિકટોકથી જાણીતા થયેલા સોનાલી ફોગાટ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહેતા હતા અને પોતાના એકથી એક ચડિયાતા અને શાનદાર વીડિયો અને તસવીરો શેર કરતા રહેતા હતા. સોનાલી ફોગાટે મોતની ગણતરીની પળો પહેલા પોતાનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો.

આ વીડિયોની વાત કરીએ તો સોનાલી ફોગાટ ગુલાબી પાઘડી પહેરીને બોલીવુડના રેટ્રો સોંગ ‘રૂખ સે જરા નકાબ હટા દો’ પર રીલ બનાવતા અને એક્સપ્રેસ આપતા જોવા મળે છે. આ વીડિયોમાં સોનાલી ખુશીથી દોડતા પણ જોવા મળે છે.

આ જુઓ સોનાલી ફોગાટની અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ :

સુંદર તસવીરો પણ શેર કરી હતી :

મોત પહેલા સોનાલીએ પોતાની ખુબસુરત સેલ્ફીઓ પણ ફેન્સ સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ હવે આ પોસ્ટ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને તેમના આત્માની શાંતિની કામના કરતા કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

સોનાલી ફોગાટ વિશે  :

સોનાલી ફોગટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના હિસારના એક નાનકડા ગામ ભૂટાનમાં થયો હતો. સોનાલીના પિતા ખેડૂત છે અને ખેતીવાડી સંભાળે છે. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમણે નોઈડા સેક્ટર એકમાં સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટથી અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત હિસાર દુરદર્શનમાં એંકર તરીકે કરી હતી.

એંકરિંગ દરમિયાન ભાજપના નેશનલ વર્કિંગ કમિટિ સાથે જોડાયા. ત્યારબાદ તેમને અનેક રોલ ઓફર થયા અને તેમણે એંકરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા. તેમણે રવિ કિશન, જિમી શેરગિલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ઝી ટીવી પર પ્રસારિત ‘અમ્મા’માં નવા શાહની પત્નીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-