Home Blog Page 1270

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

0

Vandebharat train met with accident for the third time

  • ગુજરાતભરમાં રખડતાં ઢોર આધુનિક ભારતની ટ્રેનમાં બેસતા મુસાફરો માટે પણ બન્યાં જોખમી. તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડયો છે.

પ્રધાનમંત્રીએ (Prime Minister) તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને (Vandebharat Train) લીલીઝંડી આપી હતી. જેના બાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત થયો છે. વલસાડના (Valsad) અતુલ નજીક વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. ગાય આડે આવી જતા ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો હતો. સાથે જ એન્જિનને (engine) પણ નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના અતુલ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. દોડતી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે.

એક જ મહિનામાં ત્રીજો અકસ્માત :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. ત્યારે એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો છે. જોવાની વાત એ છે કે, ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા છે.

ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા :

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનોને અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે.

આ પણ વાંચો :-

AAP ગુજરાતમાં મોટો ધડાકો કરશે, મુખ્યમંત્રીના ચહેરાને લઈને કરશે મોટી જાહેરાત

0

AAP will make a big splash in Gujarat

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર. વિધાનસભા ચૂંટણીને લઈ AAPની મોટી તૈયારી. પંજાબની જેમ ગુજરાતમાં AAP ઉતારશે મુખ્યમંત્રી ચહેરો.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સતત કંઈક નવુ લાવી રહી છે. પહેલા લોકોને વચનોની લ્હાણી, બાદમાં ઉમેદવારોનું લિસ્ટ. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સતત જમાવટ કરી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે.

આપ પાર્ટી પંજાબની જેમ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો મેદાનમાં લાવશે. મુખ્યમંત્રીના પદના ચહેરા માટે પાર્ટી કેમ્પેઈન ચલાવશે, આપ પાર્ટી આ માટે લોકો પાસેથી સૂચનો મંગાવશે. આજે અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી શકે છે.

આમ આદમી પાર્ટી આક્રમક રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમા ઉતરી ચૂકી છે. તે તમામ સીટ પર ઉમેદવારો ઉતારશે. અત્યાર સુધી 80 થી વધુ ઉમેદવારોની જાહેરાત આપ પાર્ટી કરી ચૂક્યું છે. ત્યારે હવે આપ પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરશે.

હકીકતમાં, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી હતી. હવે કહેવાય છે કે, પાર્ટી ગુજરાતમાં આ પ્રકારનું જ પગલુ ઉઠાવી શકે છે. જે માટે પાર્ટી લોકો પાસેથી નામ પર સૂચન માંગશે.

તો બીજી તરફ, ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90 થી 92 સીટ જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂરી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં જલ્દી જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થી જશે.

આ પણ વાંચો :-

શોપિંગ મોલમાં બની હૃદયદ્રાવક ઘટના, સ્ટાર ખેલાડીને જાહેરમાં માર મારવામાં આવ્યો

In a heartbreaking incident at

  • આર્સેનલ ફૂટબોલ ખેલાડી પાબ્લો માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. ક્લબે એક અપડેટ આપતા કહ્યું કે પાબ્લોને ગંભીર ઈજા થઈ નથી.

આર્સેનલનો (Arsenal) સ્ટાર ખેલાડી પાબ્લો (Star player Pablo) મારી ગુરુવારે ઇટાલીના મિલાનમાં (Milan, Italy) એક ખતરનાક ઘટનાનો શિકાર બન્યો હતો. તેને ચાકુ મારી ધાયલ કર્યો હતો. પાબ્લોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેના ક્લબે પોતાના સ્ટાર ખેલાડીની હાલત પર મોટું અપટેડ આપ્યું છે.

આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે

આ સમગ્ર ઘટના શોપિગ મોલમાં થઈ છે 46 વર્ષના એક વ્યક્તિએ ચાકુ ઉઠાવી અને 5 લોક પર વાર કર્યો હતો જેમાં પાબ્લો પણ સામેલ હતો. આ સમગ્ર ઘટનામાં શોપિંગ મોલમાં એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે હોસ્પિટલમાં જતા પહેલા તેનું મૃત્યું થયુ હતું.

આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે.

પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, તે વ્યક્તિએ આવું કેમ કર્યું પરંતુ શરુઆતની તપાસમાં એ વાત સામે આવી રહી છે કે, તેની માનસિક સ્થિતિ સારી ન હતી જેના કારણે તેણે આવું કર્યું છે.

આર્સેનલે આ ઘટના પછી ચાહકોને કહ્યું કે મારી હોસ્પિટલમાં છે પરંતુ ગંભીર રીતે ઘાયલ નથી. મોન્ઝા ક્લબના સીઈઓ એડ્રિને ગેલિયાનોએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો :-

 

29 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ સાત રાશિના જાતકો પર લક્ષ્મી માં કરશે ધનવર્ષા- લખો “જય માતાજી”

29 October 2022, Today’s Horoscope

મેષઃ દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી થતાં જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આધ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઈજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્‍ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ દિવસ દરમિયાન થોડી ઉદાસ‌ીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારું છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

Best Selling Electric Cars : આ છે દેશની સૌથી વધુ વેચાનારી ઈલેક્ટ્રિક કાર્સ, તેમાં 1 ચાઇનીઝ ગાડી પણ સામેલ

Best Selling Electric Cars: These are the

  • Tata Nexon EV ગત મહિને સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર રહી, તેના 2,847 યુનિટ વેચાયા હતા. આ બે વર્જન-પ્રાઇમ અને મેક્સમાં આવે છે.

ઈલેક્ટ્રિક કાર્સે (Electric cars) ધીમે ધીમે ભારતીય બજારમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેમને ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. જોકે તેના અલગ અલગ કારણો હોઇ શકે છે. વેચાર્ટ ચાર્જમાં (Wechart in charge) દર મહિને વધારો યથાવત છે. ટાટા મોટર્સ (Tata Motors) ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ સેગમેંટમાં હાવી છે.

ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કાર બજાર સેગમેંટમાં સૌથી વધુ 80 ટકાની ભાગીદારી છે. ચાલો તમને જણાવીએ સપ્ટેમ્બર 2022 માં સૌથી વધુ વેચાણ ઇલેક્ટ્રિક કારો વિશે જણાવીએ, જેમાં એક ચાઇનીઝ કંપનીની ગાડી પણ સામેલ છે.

Tata Nexon EV :

Tata Nexon EV ગત મહિને સૌથી વધુ વેચાનાર ઇલેક્ટ્રિક કાર રહી, તેના 2,847 યુનિટનું વેચાણ થયું, આ બે વર્જન-પ્રાઇમ અને મેક્સમાં આવે છે, જેની કિંમત 14.99 લાખ રૂપિયાથી માંડીને 20.04 લાખ રૂપિયા એક્સ શોરૂમ સુધી છે.

Tata Tigor EV :

Tata Motors એ સપ્ટેમ્બર 2022 માં Tigor EV ના 808 યૂનિટ વેચાયા છે. આ ઇલેક્ટ્રિક સેડાનમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક આવે છે. Tata Tigor EV ની ભારતમાં હાલ કિંમત 12.24 લાખ રૂપિયા, એક્સ-શોરૂમથી શરૂ છે.

MG ZS EV :

એમજી મોટર ઇન્ડીયાએ આ વર્ષની શરૂઆતમાં જેડએસ ઇવીને અપડેટ કર્યું હતું. સપ્ટેમ્બર 2022 માં આ ઇલેક્ટ્રિક એસયૂવીની 412 યુનિટ વેચાયા છે. MG ZS EV ની હાલની કિંમત 22.58 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ છે.

Hyundai Kona Electric :

દક્ષિણ કોરિયાઈ કાર નિર્માતાએ ગત મહિને ભારતમાં Kona Electric ની 121 યૂનિટ વેચાયા છે. તેમાં 39.2 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. Hyundai Kona Electric ની હાલની કિંમત 23.84 લાખ રૂપિયા એક્સ-શોરૂમ શરૂ છે.

BYD e6 :

BYD એક ચીની કંપની છે. જેને ભારતમાં સપ્ટેમ્બર 2022 દરમિયાન પોતાની e6 MPV ના 63 યૂનિટ વેચાયા છે. BYD e6 ઇલેક્ટ્રિક MPV में 71.7 kWh બેટરી પેક મળે છે. તેની એક્સ શોરૂમ કિંમત 29.15 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-

આ બેઠકો પર કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા, 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી 

0

The Murtias of the Congress have been finalized

  • સૌરાષ્ટ્રની 54 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લગભગ નક્કી… સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી. વર્ષ 2017માં સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોંગ્રેસની થઈ હતી જીત.

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ (A political party) ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચુટણી માટે કોગ્રેસના ઉમેદવાર (Congress candidate) લગભગ નકકી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પ્રભારી અશોક ગેહલોત (Ashok Gehlot) હાલ ગુજરાતમા બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે. તેના પરિણામ સ્વરૂપે અનેક ઉમેદવારોના નામ લગભગ નક્કી કરાયા છે.

સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં ૨3 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જો કે કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જાહેરાત બાકી :

  • અબડાસા – રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર
  • માંડવી – વલ્લભ ભેલાણી, મુકેશ ગોર, કલ્પનાબેન જોશી
  • ભુજ – રાજેન્દ્રસિંહ જાડેજા, અરજન પટેલ,નવલસિંહ જાડેજા
  • અંજાર – રમેશ ડાંગર, અરજણ ખાટરિયા
  • ગાંધીધામ – મિતેષ લાલન,ભરત સોલંકી,જગદીશ દાફડા
  • લીંબડી – કલ્પના મકવાણા,મુળજી પલાળિયા,ભગીરથસિંહ
  • વઢવાણ -મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશી
  • ધ્રાંગધ્રા – ધર્મેન્દ્ર એરવડિયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોર
  • મોરબી – મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારા
  • રાજકોટ ઈસ્ટ – મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુબેન સારણી
  • રાજકોટ વેસ્ટ – ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી
  • રાજકોટ દક્ષિણ – ડો.હેમાંગ વસાવાડા, હિતેષ વોરા
  • રાજકોટ ગ્રામ્ય – સુરેશ બથવા

  • જસદણ-વીંછિયા – ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા
  • ગોંડલ – જગદીશ દેસાઈ, લલિત પાટોરિયા
  • જેતપુર – પી.કે.વેકરિયા, કિરીટ પાનલિયા
  • જામનગર ગ્રામ્ય – જીવણભાઈ આહીર, અંકિત ગાડીયાઝ, હારુન ક્લેજા
  • જામનગર ઉત્તર – બિપેન્દ્ર જાડેજા, કર્ણદેવ જાડેજા, નયનાબા જાડેજા
  • જામનગર દક્ષિણ – મનોજ કથીરિયા, ધવલ નંદા, મનોજ ચોવટિયા
  • દ્વારકા – મેરામણ ગોરિયા, મુળુભાઇ કંડોરીયા, પાલ આંબલિયા
  • માણાવદર – અરવિંદ લાડાણી, હરિભાઈ પટેલ
  • વિસાવદર – કરશન વડોદરિયા, ભરત વીરડિયા, ભાવેશ ત્રાપસિયા
  • કેશોદ – ધર્મિષ્ઠા પટેલ, હીરાભાઈ જોટવા, પ્રગતિ આહીર
  • ધારી – ડો કિર્તી બોરીસાગર, પ્રદીપ કોટડીયા
  • મહુવા – ડૉ.કનુ કલસરીયા, રાજ મહેતા,
  • ગારીયાધાર – ગોવિંદભાઇ પટેલ, પરેશ ખેની,પ્રવિણ ઝાલા
  • પાલિતાણા – પ્રવિણ રાઠોડ,મનુભાઇ પરમાર, અમિત લવતુકા
  • ભાવનગર ગ્રામ્ય – પ્રદિપસિંહ ગોહિલ, રેહવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ-નીતાબેન રાઠોડ, જીતુભાઇ ઉપાધ્યાય, બળદેવ સોલંકી
  • ભાવનગર પશ્ચિમ – કે.કે.ગોહિલ, પારુલ ત્રિવેદી,બળદેવ સોલંકી
  • ગઢડા (SC) – જગદીશ ચાવડા, સંજય અમરાણી, વિઠ્ઠલ વાજા
  • બોટાદ – મનહર પટેલ, રમેશ શીલુ, રમેશ મેર

આ પણ વાંચો :-

 

Reels ના રવાડે ચઢ્યા ગુજરાતીઓ, પોપ્યુલર થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને દોડ લગાવી

0

Gujarati people climbed on the bandwagon

  •  રીલ્સ બનાવવાની ઘેલછામાં ગુજરાતના યુવકો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આ દિવાળીએ એવા જોખમી વીડિયો સામે આવ્યા, જે જોઈને તમે કહેશો કે ગુજરાતનું યુવાધન આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે.

આજના યંગસ્ટર્સ (Youngsters) માટે સોશિયલ મીડિયા (Social media) જ મહત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના (Diwali) દિવસે ફટાકડા ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી (fireworks) જીવલેણ ઘટના બની શકે છે.

છતાં જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા (Social media) પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં. વલસાડના (Valsad) એક યુવકે મોઢામાં સળગતુ રોકેટ મૂકીને સ્ટંટ કર્યુ હતું.

વલસાડના સિટી પેલેસ વિસ્તારની આ ઘટના છે. સિટી પેલેસ વિસ્તારમાં યુવકના એક સ્ટંટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવકનો મોઢામાં રોકેટ મૂકી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકે જોખમી રીતે મોઢામાં રોકેટ મૂકીને રોડ પર દોટ મૂકી હતી. યુવકે રોકેટને મોઢામાં જ સળગાવ્યુ હતું. ત્યારે યુવકનો આવો જોખમી વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આવી રીતે સ્ટંટ કરવું એ જોખમ છે. અનેક લોકો જીવના જોખમે અખતરા કરીને રીલ્સ બનાવી રહ્યાં છે. ત્યારે વલસાડ પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકો અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું. સરખેજ પોલીસે તમામ યુવકોની ધરપકડ કરી હતી.

જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તોફાન મચાવનારા લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. દિવાળીની રાત્રે સ્ટંટ કરનારા તત્વોને પોલીસે સિંધુ ભવન રોડ પર જ કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી. જેથી અન્ય લોકોને સબક મળે.

આ પણ વાંચો :-

ક્યારેય નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ્સ ! દરરોજ ફોલો કરો આ 6 ટિપ્સ, રહેશો એકદમ ફિટ

Heart problems will never happen

  • હાર્ટની બિમારી દુનિયાભરમાં મોતના કારણમાં સૌથી ઉપર છે. જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછી કરવા માંગો છો તો દરરોજ આ 6 ટિપ્સને ફોલો કરો.

એવા ઘણા કારણ છે જે હાર્ટની બિમારીના (Heart disease) ખતરાને વધારી શકે છે. તેમાંથી ઘણી એની બિમારી (Disease) છે જેને તમે નિયંત્રિત કરી શકો છો. માટે જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછુ કરવા માંગો છો તો નીચે દર્શાવવામાં આવેલી વસ્તુઓ દરરોજ ફોલો કરો.

સ્મોકિંગ ન કરો  :

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ તો તમને ખબર હશે. પરંતુ આ ચેતાવણી ફક્ત સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થવા પહેલા આપવા માટે નથી હોતી. તમારે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર, સિગરેટના ઘુમાડામાં 7,000થી વધુ રસાયણોનું ઝેરી મિશ્રણ હોય છે.

જે શ્વાસ લેવા પર મહત્વપૂર્ણ શારીરિક કાર્યોમાં હસ્તક્ષેપ કરી શકે છે. જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમને હાર્ટ અને શરીરના બાકી ભાગોમાં ઓક્સીજન યુક્ત બ્લડ પહોંચવું આ પ્રક્રિયાઓમાંથી એક છે.

સ્વસ્થ ખોરાક લો  :

જ્યારે તમારા હાર્ટ હેલ્થની વાત આવે છે તો ડાયેટ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સુનિશ્ચિત કરો કે તમે પોતાની ડાયેટમાં શાકભાજી, ફળ, હોલ ગ્રેઈન્સ, ફળો, નટ્સ, છોડ આધારિત પ્રોટીન અને માછલી શામેલ કરો. રિફાઈન્ડ કાર્બ્સ, ગળ્યુ ભોજન, સેચ્યુરેટેડ ફેડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછુ કરો.

 

વધારે ચાલવાની આદત પાડો :

હૃદયરોગથી બચવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ છે. કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિનમાં ફ્રંટિયર્સમાં એક અભ્યાસમાં સતત કસરત અને હૃદયના મૃત્યુના ઓછા જોખમ તેમજ હૃદય રોગના વિકાસ વચ્ચેની લિંક મળી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દરરોજ ઓછામાં ઓછા 150 મિનિટ મીડિયમ ચાલવાની અથવા 75 મિનિટ ઝડપી ચાલવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી પહેલા AAPમાં ટિકિટ માટે ભડકો ! ધોરાજીમાં ‘આયાતી ઉમેદવારને દૂર કરો’ના પોસ્ટરો લાગ્યા

0

Before the election, the AAP is in a frenzy

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉપલેટામાંથી આમ આદમી પાર્ટી (AAP) માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

ચૂંટણી પહેલા જ ધોરાજી-ઉપલેટા (Dharoji-upaleta) વિધાનસભા બેઠકમાં AAPના ઉમેદવારનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાથે જ તેમાં આયાતી ઉમેદવારને (Imported candidate) હટાવવા માટે વિરોધના સૂર ઉઠ્યા છે.

AAPમાં ટિકિટ માટે ભડકો :

ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પર AAP દ્વારા વિપુલ સખીયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ચૂંટણી પહેલા જ આ બેઠક પર AAPમાં ભડકો થયો છે અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. સાથે જ વિપુલ સખીયા વિરુદ્ધના પોસ્ટરો પણ શહેરમાં લગાવવામાં આવ્યા છે.

શું લખ્યું છે પોસ્ટરમાં ?

આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, કેજરીવાલ સાહેબ જીંદાબાદ, ઉમેદવાર વિપુલ સખીયા મુર્દાબાદ. 75- ધોરાજી-ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારોનો એક જ સુર આયાતી ઉમેદવારને દૂર કરો. આમ આદમી પાર્ટી કો બચાઓ, પાર્ટી કે દલાલ કો ભગાઓ.

આમ આદમી પાર્ટી માટે સંદેશ જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનો વિશ્વાસ પણ ના જીતી શકે તે પબ્લિકનું શું ભલું કરી શકે. આ સાથે જ પોસ્ટરમાં વિપુલ સખિયાના ફોટો પર ચોકડી મારવામાં આવી છે.

રાજકીય પાર્ટીઓમાં ટિકિટ માટે વિખવાદ :

નોંધનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પહેલા જ ટિકિટને લઈને આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ભાજપ તથા કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપારી પર આવી ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટને લઈને સ્થાનિક ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-

 

દેશ આગળ વધશે…: ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીરને લઈને CM કેજરીવાલનો PM મોદીને પત્ર

0

The country will move forward…: CM Kejriwal

  • ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે.

ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ માટે પ્રચાર કરવા જઈ રહેલા દિલ્હીના સીએમ (CM of Delhi) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પીએમ મોદીને પત્ર લખ્યો છે. ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને (PM Modi) પત્ર લખીને અપીલ કરી છે.

પત્રમાં અરવિંદ કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે દરેક લોકો તેમની માંગ સાથે સહમત છે અને તેમણે આ વાત પર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દલીલ કરી છે કે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાથી દેશની પ્રગતિ થશે.

એક બાજુ ગાંધીજી તો બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર :

કેજરીવાલે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીરની માંગને દેશના 130 કરોડ લોકોની ઈચ્છા ગણાવતા પીએમ ને સવાલ કર્યો હતો કે આજે પણ દેશમાં આટલા બધા લોકો ગરીબ કેમ છે. કેજરીવાલે કહ્યું હતું કે ‘130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.

આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. આજે પણ આપણા દેશમાં આટલા લોકો ગરીબ છે. કેમ?

આ મુદ્દે મને જનતાનું ઘણું સમર્થન મળી રહ્યું છે – કેજરીવાલ 

કેજરીવાલે આગળ કહ્યું હતું કે, ‘એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે. જેથી આપણા કરેલ દરેક પ્રયત્નો સફળ થાય. યોગ્ય નીતિ,  સખત મહેનત અને ઈશ્વરના આશીર્વાદ- આ સંગમથી જ દેશની પ્રગતિ થશે. દિલ્હીના સીએમએ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જનતા આ મુદ્દે એમનું ઘણું સમર્થન કરી રહી છે.

દરેક લોકો આ માટે સંમત છે. કેજરીવાલે લખ્યું હતું કે, “ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં મેં સાર્વજનિક રૂપે આ વિશે માંગણી કરી હતી અને આ મુદ્દે મને સામાન્ય લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. લોકો આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરેક લોકો ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.’

આ પણ વાંચો :-