Home Blog Page 1269

ભારે કરી ! પોતાના લગ્નના કાર્ડમાં વકીલે એવી એવી કલમો લખી કે લોકો માથું ખંજવાળવા લાગ્યા

0

Heavily done! In his wedding card, the lawyer wrote

  • પોતાના વેડિંગ કાર્ડને બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

પોતાના વેડિંગ કાર્ડને (Wedding card) બીજા લોકોથી જરાં અલગ બનાવવા માટે લોકો તેમાં હેવી ડેકોરેશન કરતા હોય છે અથવા તો કોઈ મેસેજ લખાવતા હોય છે. હાલમાં જ એક લગ્નનું કાર્ડ (Wedding card) વાયરલ થઈ રહ્યું છે. જેમાં પેમેન્ટ માટે ક્યૂઆર કોડ પણ આપ્યો છે. પણ આ લગ્ન કાર્ડ તેનાથી પણ એક ડગલું આગળ છે.

કાર્ડ જોઈ લોકો ચોંકી ઉઠ્યા :

આસામના ગુવાહટીમાં એક વકીલે એવું વેડિંગ કાર્ડ છપાવ્યું છે, તે લોકો માથુ ખંજવાળવા લાગ્યા હતા. હકીકતમાં આ લગ્નના કાર્ડની થીમ સંવિધાન છે. કાર્ડમાં ન્યાયનો સિમ્બોલ અને બીજી બાજૂ વર અને વધુના નામ લખેલા છે. પહેલા આપ આ લગ્નનું કાર્ડ જોઈ લો.

Image

લગ્નની નિમંત્રણ પત્રિકામાં ભારતીય વિવાહ સંબંધિત કાયદા અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. કાર્ડમાં લખ્યું છે કે, વિવાહનો અધિકાર ભારતીય સંવિધાન આર્ટિકલ 21 અંતર્ગત જીવનનો અધિકાર એક સંવૈધાનિક છે. મારા આ ફંડામેંટલ અધિકારનો ઉપયોગ કરવાનો સમય રવિવાર એટલે કે, 28 નવેમ્બર 2021 છે. જ્યારે વકિલોના લગ્ન થાય છે તો તેઓ હા નથી બોલતા, પણ તેઓ કહે છે કે અમે નિયમો અને શરતોનો સ્વિકાર કરીએ છીએ.

ફોટો થવા લાગ્યો વાયરલ :

વેડિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે કહ્યું કે, આ લગ્નના કાર્ડને વાંચીને અડધો ક્લેટ સિલેબસ પુરો થઈ ગયો. બીજા યુઝર્સે લખ્યું કે, પંડિતજીની જગ્યાએ જજને બોલાવવા જોઈએ. આ લગ્નનું કાર્ડ ઘણા લોકોને પસંદ આવ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોક ગહેલોત સાથે કરી મુલાકાત, શું આ બેઠક પરથી ચૂંટણી લડશે ?

0

Former Minister of Gujarat Jayanarayan Vyas

  • પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા છે. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ સૂચક મુલાકાત કહી શકાય એમ છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી પૂર્વ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ (Former Health Minister Jai Narayan Vyas) રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) મળવા પહોંચ્યા છે. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ સૂચક મુલાકાત કહી શકાય એમ છે.

આ સાથે ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. એટલે કે પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આજે અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસે મુલાકાત કરી છે. જય નારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, હું એક પુસ્તક લખવા જઈ રહ્યો છું અને અલગ અલગ મુદ્દાઓ આવરી લેવાનો છું. નર્મદાની વાત છે તો આપણે નર્મદાનું પાણી વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડી શકીએ જે રાજસ્થાન કરી રહ્યું છે. મેં આ અંગે સરકારને અગાઉ પણ રજુઆત કરી હતી. હું મૂર્ખ નથી કે રાજસ્થાનના સીએમને સર્કિટ હાઉસ મળવા જઉ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશોક ગેહલોતને મળવા જવાનો અર્થ એ નથી કે હું કોંગ્રેસમાં જવાનો છું. બે દિવસ પહેલા જ મેં સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. મારા 80% કાર્યકર્તાઓનો મને સપોર્ટ કરે છે પછી ક્યાં જવું એ મારા કાર્યકર્તાઓ નક્કી કરશે. મારે સિદ્ધપુરથી ચૂંટણી લડવી છે. બીજે ક્યાંયથી લડવાનો કોઈ મતલબ નથી.

આ પણ વાંચો :-

ટી 20 વર્લ્ડ કપમાં “ખરો ખેલ”, આખું પાકિસ્તાન કરવા લાગ્યું ભારતની જીતની દુઆ, જાણો કેમ આવું થયું

0

“Real sport” in T20 World Cup, entire Pakistan began

  • ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આજે બે મુકાબલા યોજાઈ રહ્યાં છે જેમાં ભારત અને સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે.

ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન (Pakistan) પહેલા ભારત અને ઝિમ્બામ્બે (Zimbabwe) સામે મેચ હારી ગયું છે અને હવે સેમિફાઈનલમા ટકવું તેને માટે અઘરુ બની રહ્યું છે. આજે પાકિસ્તાન નેધરલેન્ડ (Pakistan Netherlands) સામે મેચ રમવાનું છે. પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં (Semifinals) ટકી રહેવા માટે નેધરલેન્ડ સામેની મેચ જીતવી પડશે એટલું જ નહીં પરંતુ બીજી એક શરત પણ પૂરી કરવી પડશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો :

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પણ મુકાબલો થવાનો છે અને પાકિસ્તાનને સેમિફાઈનલમાં ટકી રહેવું હશે તો તેણે સાઉથ આફ્રિકા સામે ભારતની જીતની દુઆ કરવી પડશે. જો સાઉથ આફ્રિકા સામે ભારત જીતે અને સાથે સાથે પાકિસ્તાન નેધરલેન્ડને હરાવે તો જ તે સેમિફાઈનલમાં આવશે અન્યથા ફેંકાઈ જશે તે નક્કી છે.

આખું પાકિસ્તાન કરશે ભારતની જીતની દુઆ :

આવી સ્થિતિમાં પાકિસ્તાનનું સેમિફાઈનલમાં ટકી રહેવું ભારતની જીત પર નિર્ભર રહેશે. તેથી સહેજે માની શકાય કે આજે આખું પાકિસ્તાન ભારતની જીતની દુઆ કરશે.

ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની બે હાર :

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બે હાર થઈ ચૂકી છે. પહેલા ભારતે અને પછી ઝિમ્બામ્બેએ પાકિસ્તાનને હરાવી દીધુ હતું.

આ પણ વાંચો :-

કેવડિયામાં બન્યું આલિશાન કમલમ ફ્રુટ પાર્ક, Photos જોઈને અભિભૂત થઈ જશો

0

You will be overwhelmed by seeing the magnificent Kamalam Fruit Park

  • નર્મદાના કેવડિયા ખાતે 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું મૂકાયા બાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુની સાથે બીજા 17 પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે.

જેમાં ખાસ જંગલ સફારી પાર્ક (Jungle Safari Park) અને ચિલ્ડ્રન ન્યુટિશન પાર્ક (Children’s Nutrition Park) પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. ત્યારે મોટી સંખ્યામાં કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) જોવા માટે પ્રવાસીઓ આવતા થતા તંત્ર દ્વારા હવે વધુ ત્રણ પ્રોજેક્ટનો ઉમેરો થવા જઈ રહ્યો છે. કેવડિયામાં હવે આલિશાન કમલમ ફ્રુટ પાર્ક (Kamalam Fruit Park) બનાવાયું છે.

કમલમ ફ્રૂટ એક શરીર માટે પોષણયુક્ત ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે અને આ ફ્રૂટ નાના બાળકોને વધુ ભાવતું હોઈ છે. ત્યારે આ કમલમ ફ્રૂટ પાર્ક સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવ્યું છે. જેમાં કમલમ ફ્રૂટ કેવી રીતે ઉછેરવામાં આવે છે અને તેના ફાયદા શું છે તે અંગેની તમામ માહિતી અપાશે.

અહીં આવતા પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ આ પાર્કમાં રમી શકશે અને તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે કેવું કમલમ પાર્ક બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

30 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિઓ પર કુળદેવી વર્ષાવશે અસીમ કૃપા અને જીવનમાં આવશે જબરદસ્ત બદલાવ

30 October 2022, Today’s Horoscope

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનં ધ્યાન રાખવંું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્યજીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદવિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્ની પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનત સફળતા મળતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જૂની ઉઘરાણી છુટી થતાં નાણાની છુટ વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનંું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકે જીવ ખોયો, કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારી કરાઈ હત્યા

Another Gujarati youth lost his life abroad

  • દુર્ભાગ્યવશ 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

વિદેશમાં (Abroad) વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. ઠાસરા તાલુકામાં (Thasara Taluka) આવેલ સાંઢેલી ગામના 24 વર્ષીય કુતંજ પટેલની યુગાન્ડામાં (Uganda) કરપીણ હત્યા કરાઈ છે.

ચાર વર્ષ પહેલા કુતંજના લગ્ન થયા હતા. લગ્ન બાદ કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાઈ થયા હતા. માસીના ગ્રોસરીના સ્ટોર પર કુંતજ સેલ્સમેન તરીકે કામ કરતો હતો. પરંતુ દુર્ભાગ્યવશ 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો.

ત્યારે આ ઘટના બની હતી. સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના બાદ યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કરતા જ ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યા કરી ભાગનાર હત્યારો યુગાન્ડા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજું સુધી જાણી શકાયું નથી કે હત્યા શા માટે કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે.

આ પણ વાંચો :-

રવિ શાસ્ત્રી કહ્યુ આ ખેલાડી હવે ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવશે, શ્રેયસ અય્યર માટે બનશે ખતરો

0

Ravi Shastri said this player will make a

  • ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે અને આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવને આ ફોર્મેટ માટે ટીમમાં સ્થાન મળે છે કે કેમ તેના પર નજર રહેશે.

હાલમાં આ દિવસોમાં માત્ર ટી-20 ક્રિકેટ માટે જ વાતાવરણ ચાલી રહ્યું છે. ટેસ્ટ કે વનડે ફોર્મેટની (Test or ODI format) કોઈને પરવા નથી. ઓસ્ટ્રેલિયામાં (Australia) T20 વર્લ્ડ કપ વિશ્વભરના દિગ્ગજો અને સ્ટાર્સથી સજાવવામાં આવ્યો છે અને વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બનવાની સ્પર્ધામાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા માટે પણ વર્લ્ડ કપ સારો સાબિત થયો છે.

જેણે શરુઆતની પોતાની બંને મેચ જીતી છે. આમાં સૂર્યકુમાર યાદવે ખાસ ભૂમિકા ભજવી છે. આ સ્ટાઇલિશ બેટ્સમેને પોતાની સ્ટાઈલમાં ધમાકેદાર અડધી સદી ફટકારી છે. સતત સારા પ્રદર્શન બાદ આખરે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તે વાત કરી છે જે ઘણા ભારતીય ચાહકોના મનમાં છે.

નેધરલેન્ડ સામેની વર્લ્ડકપ મેચમાં ભારતની બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને 179 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. નેધરલેન્ડ માટે આ સ્કોર ઘણો મોટો સાબિત થયો અને ભારતે આ મેચ 56 રને જીતી લીધી. સૂર્યાને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે, તેની ઇનિંગ્સથી કોઈને આશ્ચર્ય થયું ન હતું કારણ કે તે છેલ્લા દોઢ વર્ષથી આમ જ કરી રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં તોફાન મચાવશે :

આ બધાની વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક એવો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પર હાલમાં કોઈનું ધ્યાન નથી, પરંતુ આવનારા સમયમાં તે ચર્ચામાં આવશે તે નિશ્ચિત છે. નેધરલેન્ડ સામેની જીત બાદ સૂર્યકુમાર સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું કે તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે.

શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તે ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. હું જાણું છું કે ટેસ્ટ ક્રિકેટમાં લોકો તેના વિશે વાત કરતા નથી. આ છોકરો ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે અને લોકોને સરપ્રાઈઝ પણ કરી શકે છે. તેને પાંચ નંબર પર મોકલો અને તેને ગભરાટ પેદા કરવા દો.

સૂર્યાએ આ અંગે કંઈ ન કહ્યું, પરંતુ પોતાના ડેબ્યૂને યાદ કરતા કહ્યું કે કેવી રીતે પૂર્વ કોચે તેને મુક્તપણે રમવાની સલાહ આપી હતી. સૂર્યાએ 2021માં શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. સૂર્યાએ કહ્યું, મને હજુ યાદ છે કે તેણે મને બોલાવ્યો હતો. મારા ડેબ્યુ પહેલા, તે પૂલ પાસે બેઠો હતો અને કહ્યું–જેક બિન્દાસ ખેલ. મને તે હજુ પણ યાદ છે અને મને તે ગમે છે.

ટેસ્ટમાં એન્ટ્રી, શ્રેયસને ખતરો ?

સૂર્યકુમાર યાદવે પોતાની કારકિર્દીમાં 77 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 44ની એવરેજથી 5326 રન બનાવ્યા છે. તેણે 14 સદી પણ ફટકારી છે. હવે આવું થશે કે નહીં તે તો થોડા અઠવાડિયા પછી જ ખબર પડશે. ભારતીય ટીમે વર્લ્ડકપ બાદ ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે.

આવી સ્થિતિમાં જો શાસ્ત્રીની વાત સાચી હોય અને સુર્યાને સ્થાન મળે તો તે શ્રેયસ અય્યર માટે ખતરાની ઘંટડી સાબિત થઈ શકે છે. શ્રેયસને એક વર્ષ પહેલા ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું અને તે ટીમ માટે પાંચમા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. જોકે, શ્રેયસનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે જોરદાર ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો :-

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુશ્કેલી વધી : ડ્રગ્સ કેસમાં એક્શનમાં આવી NCB, ચાર્જશીટ દાખલ

Trouble increased for Bharti Singh and Harsh Limbachia

  • ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

કોમેડી ક્વીન ભારતી સિંહ (Comedy Queen Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની (Husband Harsh Limbachia) મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને (Drugs case) લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ભારતી-હર્ષની મુશ્કેલીઓ વધી :

મળતી જાણકારી અનુસાર મુંબઈ NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટ ડ્રગ્સ કેસના મમામલે દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જામીન પર બહાર છે. પણ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે.

NCB એ 2020માં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી અને સાથે એમના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ સમયે 86.50 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

ત્યારે એનસીબીએ દાવો કર્યો હતો કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ પૂછપરછ દરમિયાન ગાંજાનું સેવન કર્યું હોવાનું કબૂલ્યું હતું અને આ પછી ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંને જામીન પર બહાર આવ્યા હતા.

આ પણ વાંચો :-

કાળમુખો શનિવાર : ભરૂચમાં નેશનલ હાઈવે પાસે 5 વાહનો અથડાયા, માછી પરિવારના 2 સદસ્યોનું મોત

0

Kalamukho Saturday: 5 vehicles collide near

  • ભરૂચના નબીરપુર પાસે 5 વાહનોનો અકસ્માત. કન્ટેઈનર, કાર અને 3 બસ વચ્ચે  અકસ્માત થતાં 2 લોકોના ઘટનાસ્થળે મોત. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા.

લાભપાંચમની (Labh Pancham) સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના (Bharuch) નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં (an accident) 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

મુત્યુ પામેલા લોકોના નામ :

1 હર્ષદ ભાઇ મગન ભાઈ માછી
2 અશોક ભાઇ સોમાભાઈ માછી

No description available.

ઈજાગ્રસ્તોના નામ :

1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી

તો ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે મહામુસીબતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો :-