Home Blog Page 1259

ખેડૂતો આજે જ કરો આ કામ, નહીંતર 13 મો હપ્તો ખાતામાં જમા થશે નહિ, જાણો સરકારે શું કહ્યું

0

Farmers do this work today

  • મોદી સરકારે ખેડૂતોને 12મા હપ્તાના પૈસા આપી દીધા છે અને હવે 13મા હપ્તાની રાહ શરૂ થઈ ગઈ છે. જો તમે પણ 13મા હપ્તાના પૈસા લેવા માંગતા હોવ તો કેટલાક દસ્તાવેજો અપડેટ કરવા પડશે. સરકારે કહ્યું છે કે પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે તેનું પાલન કર્યા વિના ખેડૂતોને પૈસા આપવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) 12મો હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે અને હવે 13મા હપ્તાની રાહ જોવાય રહી છે. દરમિયાન સરકારે ખેડૂતોને (Farmers) એક મોટું અપડેટ આપ્યું છે અને કહ્યું છે કે જો તમે નવા નિયમનું પાલન નહીં કરો તો 13મા હપ્તામાં મુશ્કેલી આવી શકે છે. દેશના લગભગ 8 કરોડ ખેડૂતોને 12મા હપ્તાના પૈસા મળ્યા છે. જ્યારે 2 કરોડથી વધુ ખેડૂતો તેમના હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

જો તમે ઈચ્છો છો કે 13મા હપ્તાના પૈસા ફસાઈ ન જાય તો તમારે નવા નિયમનું ખૂબ સારી રીતે પાલન કરવું જોઈએ. સરકારે કહ્યું છે કે હવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડની સોફ્ટ કોપી આપવી પડશે. મતલબ કે હવે હાર્ડ કોપી આપવાની જરૂર નહીં રહે અને સોફ્ટ કોપી પીડીએફ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સાથે ઈ-કેવાયસી કરવું પણ જરૂરી રહેશે. આ બે દસ્તાવેજો વિના તમને 13મા હપ્તાના પૈસા મેળવવામાં મુશ્કેલી પડશે.

પહેલા શું પ્રક્રિયા હતી :

અત્યાર સુધી ખેડૂતોએ તેમની નોંધણી કરાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી વગેરે સબમિટ કરવાની હતી. હવે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને માત્ર સોફ્ટ કોપી સબમિટ કરવાની રહેશે. હવે આ નિયમથી ખેડૂતોનો સમય બચશે અને પારદર્શિતા પણ વધશે. ઘણા ખેડૂતોને હજુ સુધી 12મા હપ્તાના પૈસા મળ્યા નથી.

આ દસ્તાવેજો પણ જરૂરી છે :

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક વધુ દસ્તાવેજો પણ જરૂરી બનાવ્યા છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો માટે આધાર હોવા જરૂરી છે, આધાર વગરના ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે નહીં. આ વખતે જે ખેડૂતોને હપ્તાના નાણા મળ્યા નથી તેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે અધૂરા દસ્તાવેજો છે અને તેમની ખતૌની અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બન્યું :

સરકારે ખેડૂતોની સુવિધા માટે કિસાન ક્રેડિટ કાર્ડને પીએમ કિસાન યોજના સાથે પણ જોડ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બની ગયું છે. જે ખેડૂતો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે. તેઓને સરળતાથી KCC મળે છે. જેના પર વ્યાજ દર ઘણો ઓછો છે અને બેંકો ખેડૂતોને ઓછા વ્યાજે સરળ લોન પણ આપે છે.

આ પણ વાંચો :-

કેદીઓના હાથે બનેલા જેલના ભજીયાનો સ્વાદ રાજકોટવાસીઓના દાઢે વળગ્યો, કલાકો લાઈન લગાવી ખાવા ઉભા રહે છે

0

Jail bhajis made by the hands of the prisoners

  • સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના કેદીઓના હાથના બનેલ ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેલના કેદીઓના ભજીયા ખાવા લોકો કલાકો સુધી લાઈન લગાવે છે.

સોમનાથમાં (Somnath) કાર્તિકી પૂર્ણિમાનો મેળો (Kartiki Purnima fair) પૂરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે રાજકોટ મધ્યસ્થ જેલના (Rajkot Central Jail) કેદીઓએ બનાવેલા ભજીયા. કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનો સ્વાદ સૌરાષ્ટ્રની (Saurashtra) પ્રજાને એવો તે લાગ્યો કે લોકો કેદીઓના ભજીયા ખરીદવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

લોકોના મનમાં જેલમાં રહેલ કેદીઓ ખૂંખાર અને ક્રૂર હોય તેવી માનયતાને દૂર કરવા અને સજા પૂર્ણ થયા પછી કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવા આશયથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાવવામાં આવે છે.

રાજકોટ મધ્યસ્થ જેલ સ્ટાફ અને કેદીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વસ્તુઓ સાથે ભજીયા બનાવે છે. કેદીઓ સમાજમાં ફરી પાછા હળીમળી શકે તેના માટે કેદીઓને આ મેળામાં સામેલ કરીને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ કેદીઓના ભજિયાની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને સ્ટોલની મુલાકાત લીધી હતી અને કેદીઓના ભજિયાના સ્વાદ અને ગુણવત્તાને વખાણી હતી. સાથે કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે જેલ તંત્ર દ્વારા કરાતી કસમગીરીને બિરદાવી હતી.

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો દૂર-દૂરથી માત્ર ભજિયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લે છે અને કલાકો સુધી ધીરજપૂર્વક લાઈનમાં ઊભીને પોતાના નંબરની રાહ જુએ છે અને ભજીયાનો આનંદ માણે છે. કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે તૈયાર થાય છે. જેના માટે કાર્તિકી પૂર્ણિમા મેળો સેતુરૂપ બન્યો છે.

આ પણ વાંચો :-

આ લોકો માટે કોહલી-રોહિત અને દ્રવિડે છોડી દીધી બિઝનેસ ક્લાસની સીટ, કારણ જાણીને આપશો શાબાશી

0

Kohli-Rohit and Dravid left business

  • ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ રવાના થઈ હતી તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણી તમે પણ શાબાશી આપશો.

ટી 20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) વખતે ટીમ ઈન્ડિયાના મેચ રમવા ઉપરાંત ઓસ્ટ્રેલિયાના (Australia) અલગ અલગ શહેરોની યાત્રા કરવી પડી રહી છે. ભારતીય ટીમે હજુ સુધી આ ટી 20 વર્લ્ડ પરની મેચને રવા માટે મેલબર્ન, સિડની, પર્થ અને એડિલેડની યાત્રા કરી છે. ટીમ ઈન્ડિયા હમણાં જ ઈંગ્લેન્ડ (England) વિરૂદ્ધ સેમીફાઈનલ મેચ રમવા માટે મેલબર્નથી એડિલેડ પહોંચી છે. 10 નવેમ્બરે ભારત એડિલેડ ઓવલમાં (Adelaide Oval) ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.

કોહલી-રોહિત-દ્રવિડે આપી દીધી બિઝનેસ ક્લાસની સીટ :

ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ જવા રવાના થઈ તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણીને ઘણા લોકો ચોંકી ગયા હતા. ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ આ વાતની જાણકારી આપતી હતી.

કારણ જાણી ચોંકી ઉઠશો તમે  :

ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ કહ્યું, “ભારતીય ટીમ ખેલાડી જ્યારે મેલબર્ન થઈ એડિલેડ રવાના થવા માટે ફ્લાઈટમાં બેઠા તો કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ ટીમના બે બોલરો માટે છોડી દીધી હતી. જેથી તે આરામથી પોતાના પગ લાંબા કરીને બેસી શકે.” જણાવી દઈએ કે હાલ મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ શાનદાર બોલિંગ કરી રહ્યા છે તેમને આરામની ખૂબ જ જરૂર છે.

આરામ માટે છોડી બિઝનેસ ક્લાસની ટિકિટ  :

એવામાં તેમને આરામ આપવા માટે રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ છોડી દીધી. જણાવી દઈએ કે બિઝનેસ ક્લાસ સીટ ખૂબ જ આરામદાયક હોય છે. જેમાં પગ લાંબા કરી આરામથી બેસી શકાય છે. રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના ફાસ્ટ બોલર્સને ફિટ રાખવા માટે તેમને વધુમાં વધુ આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

‘કામથી ન લડી શક્યા તો ઈજ્જત પર આવી ગયા…’ બોલતાની સાથે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા AAP કોર્પોરેટર- જાણો શું છે સમગ્ર મામલો

0

AAP corporator burst into tears as soon

  • સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં મુકાતાં વિવાદ ઊભો થયો છે.

પાયલ સાકરિયાનો (Payal Sakaria) તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર (Aam Aadmi Party corporator) પાયલ સાકરિયા પોલિટિશિયનની (Politician) સાથે સાથે અભિનેત્રી (Actress) પણ છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા અગાઉ તેમણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં (Gujarati Album) પણ કામ કરી ચુક્યા છે.

તેમના દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજકીય પાર્ટીમાં જોડાતાં પહેલાં અનેક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય તે સમયના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમની સામેના એક્ટર દ્વારા પાયલ સાકરિયાને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

શું કહ્યું હતું પાયલ સાકરીયા સમગ્ર મામલે : 

વિધાનસભાની ચૂંટણી નજીક છે. જેને કારણે મને બદનામ કરવા કોઈ કસર બાકી રાખી નથી. કહેવાય છે કે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવે છે પરંતુ આમાં એટલી બધી હલકાઈ તો ના જ હોવી જોઇએ. મુદ્દાની રાજનીતિ કરો. કામની રાજનીતિ કરો. આટલાં વર્ષોથી કામ કર્યું છે તો કામ લઈને આવો ને પણ આ એટલા હલકી માનસિકતાવાળા લોકો હતા એનો મને ક્યારેય અંદાજ નહોતો.

હવે મને ખબર પડી કે રાજનીતિમાં કેમ મહિલાઓ ઓછી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવાં કારણોસર તેને દબાવવામાં આવી છે. જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી પૈસાથી, ડરાવી-ધમકાવી, બદનામ કરવાના પ્રયાસો કરી ભાજપમાં જોડવાની ટ્રાય કરી છે. મારી અત્યાર સુધી ના હતી પણ અરવિંદ કેજરીવાલનાં દિલ્હીનાં કામ જોઈને હું જોડાઈ હતી. ભાજપના આઈટી સેલ દ્વારા અત્યાર સુધી અભદ્ર ભાષામાં કોમેન્ટને એવું બધું થતું હતું. પરંતુ મને એમ હતું કે આ રાજકારણ છે આ લોકો બદનામ કરશે.

આ પણ વાંચો :-

“ધારીએ એટલી ટિકિટ મેળવી શકીએ છીએ”, ટિકિટની પડાપડી વચ્ચે અલ્પેશ ઠાકોરનું મોટુ નિવેદન

0

Assuming we can get as many tickets as we can

  • મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું, અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ટિકિટ માટે ઉમેદવારોની પડાપડી થઈ રહી છે. ટિકિટ માટે રાજકીય પક્ષો પર વિવિધ સમાજ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે મહેસાણામાં (Mehsana) યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે (Alpesh Thakore) કહ્યું અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ (Election 2022) માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.

તો આ તરફ પાટણમાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયુ હતુ. પાટણ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજે ભાજપ પાસે ટિકિટની માગ કરી છે. મહત્વનું છે કે ભાજપમાંથી ટિકિટની દાવેદારી કરતા મંગાજી ઠાકોરે આ શક્તિ પ્રદર્શન થકી સામાજીક દબાણ પણ ઉભું કર્યું છે.

ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી – અલ્પેશ ઠાકોર

તો બીજી તરફ ચૂંટણી જાહેર થયાની વચ્ચે પાટણના રાધનપુરમાં આરોગ્યની સેવાને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ કોંગ્રેસના ધારાસભ્યની સંચાલિત ખાનગી હોસ્પિટલમાં ચૂંટણીપંચે મફત સેવાની મંજૂરી રદ કરી છે.

ધારાસભ્ય રઘુ દેસાઈની હોસ્પિટલમાં મફત સારવાર બંધ કરાવવા માટે અલ્પેશ ઠાકોરે રજૂઆત કરી હતી. હાલમાં આચારસંહિતાને લઈ સ્વાસ્થ્ય કાર્ડ પર ધારાસભ્ય રઘુ દેસાઇનો ફોટો હોવાથી ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ ચૂંટણીપંચ સામે આક્ષેપ લગાવ્યા. તેમણે કહ્યું કે સરકારના દબાણમાં ચૂંટણીપંચે કામગીરી કરી છે. અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું રાજકીય કીન્નાખોરી રાખી અલ્પેશ ઠાકોર રાધનપુરના લોકો સાથે વિશ્વાસઘાત કરે છે.

આ પણ વાંચો :-

ફેસબુકે બનાવી જોડી, પાનનો ગલ્લો ચલાવતા 10મું પાસ યુવકને પરણવા ફિલિપીન્સથી સુરત આવી મહિલા

0

Facebook created a pair a woman c

  • કહેવાય છે કે પ્રેમ કોઈ જાતિ કે ધર્મ અને અમીર કે ગરીબ નથી જોતો. ક્યારે ક્યાં કોની સાથે પ્રેમ થઈ જાય કંઈ કહી શકાતું નથી. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

અહીં પાનનો ગલ્લો ચલાવતા એક વિકલાંગ યુવકની ફિલિપાઈન્સની (Philippines) એક મહિલા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. વાતનો ક્રમ એવો ચાલ્યો કે બંનેની મિત્રતા પ્રેમમાં (Friendship love) બદલાઈ ગઈ. હવે બંને 20 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે.

બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ દસમું પાસ સુરતના યુવકને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી. પણ કહેવાય છે કે પ્રેમ બધું શીખવે છે. એ જ રીતે ટ્રાન્સલેશનની એપ્લિકેશન દ્વારા ફેસબુક પર બંને વચ્ચે ચેટિંગ થયું અને થોડા વર્ષો પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મહિલા લગ્ન માટે સુરત આવી છે. કારણ કે બંને અહીં જ લગ્ન કરશે.

પાનનો ગલ્લો ચલાવે છે કલ્પેશ :

મળતી માહિતી મુજબ સુરત વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે પાનનો ગલ્લો ચલાવતા કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા વિકલાંગ વ્યક્તિ છે. તે ચાલી શકતા નથી. 43 વર્ષીય કલ્પેશના પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે. તેમના પરિવારમાં બધા પરિણીત છે. તે વિકલાંગ હોવાથી કલ્પેશ લગ્ન કરવા માંગતો ન હતો.

ફેસબુક પર રેબેકા સાથે થઈ મિત્રતા :

ત્યારબાદ 2017માં તેને ફેસબુક (Facebook) પર 42 વર્ષની રેબેકા નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી.બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી. કલ્પેશને અંગ્રેજી આવડતું નહોતું એટલે રેબેકાનો મેસેજ આવે ત્યારે તે તેના મિત્રોને પૂછીને જવાબ આપતો. બાદમાં તેણે અંગ્રેજી એપ્લિકેશન (English App) દ્વારા જવાબ આપવાનું શરૂ કર્યું.

લોકડાઉનના કારણે ભારત ન આવી શકી રેબેકા :

કલ્પેશે તેની બધી વાર્તા રેબેકાને કહી કે તે શારીરિક રીતે વિકલાંગ છે. રેબેકાએ તેને એમ પણ કહ્યું કે તેના પતિનું અવસાન થયું છે અને તે હવે સિંગલ છે. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. રેબેકા અને કલ્પેશ છેલ્લા 5 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે.

બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી જ રેબેકાએ (Rebecca) 2020માં ભારત આવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તેની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ તે દરમિયાન 24 માર્ચ 2020 ના રોજ દેશમાં લોકડાઉન હતું. જેના કારણે તે ભારત આવી શકી ન હતી.

20 નવેમ્બરે થશે લગ્ન :

પરંતુ તેમ છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા. આ વખતે રેબેકાએ નક્કી કર્યું હતું કે તે ભારત આવીને કલ્પેશ સાથે લગ્ન કરશે. રેબેકા ઓક્ટોબર 2022માં દિવાળીના દિવસે ભારત આવી હતી. બંને એકબીજાને મળીને ખૂબ જ ખુશ હતા. કલ્પેશે પરિવારના સભ્યો સાથે રેબેકાનો પરિચય પણ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો પણ બંનેના લગ્ન માટે સંમત થયા હતા. હવે બંને ભારતીય પરંપરા અનુસાર 20 નવેમ્બરે લગ્ન કરશે.

આ પણ વાંચો :-

કોરોના કાળ બાદ દિલ્હીની મહિલાઓમાં વધી દારૂ પીવાની લત, સર્વેમાં સામે આવ્યું ચોંકાવનારૂ પરિણામ

0

Addiction of drinking increased among women

  • શું કોરોના વાયરસ અને મહિલાઓના દારૂ પીવાને કોઈ સંબંધ હોઈ શકે છે. એક એનજીઓના સર્વેને સત્ય માનીએ તો દિલ્હીમાં કોરોના મહામારી બાદ મહિલાઓમાં દારૂ પીવાની ટેવ ઝડપથી વધી રહી છે.

મહિલાઓ (Women) પર ગમ ભુલાવવા માટે દારૂ પીવે (Drink alcohol) છે અને ધીમે-ધીમે આ તેની આદત બની જાય છે. એક સર્વેના રિપોર્ટ પર વિશ્વાસ કરો તો કોરોના કાળ બાદ દિલ્હીની (Delhi) મહિલાઓમાં દારૂ પીવાની લત વધી ગઈ છે. તેમની આ આદતમાં વધારો છેલ્લા ત્રણ વર્ષમાં થયો છે.

એનજીઓ community against drunken driving CADDએ સોમવારે પોતાના સર્વેનું પરિણામ જાહેર કર્યું હતું. તે પ્રમાણે 18થી 68 વર્ષની મહિલાઓ પહેલાના પ્રમાણમાં વધુ દારૂની પસંદગી કરી છે.

એનજીઓ પ્રમાણે આ સર્વે દિલ્હી એનસીઆરની (Delhi NCR) 5 હજાર મહિલાઓ પર કરવામાં આવ્યો. તેમાં ઉંમર વર્ગ પ્રમાણે આ મહિલાઓ સામેલ હતી.

18 – 30 years 1453

31 – 45 years 2021

46 – 60 years 1206

60 years above 32

કઈ મહિલાઓમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું :

આ સર્વે (Liquor Survey on Delhi Women) ઓગસ્ટથી ઓક્ટોબર 2022 વચ્ચે કરવામાં આવ્યો હતો. આ 5 હજાર મહિલાઓમાંથી 89 ટકા એટલે કે 4480 મહિલાઓ ખુદ કમાતી હતી. ખાસ વાત છે કે સર્વેમાં 37 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તેની દારૂ પીવાની ટેવ પહેલા કરતા વધી ગઈ છે. આ મહિલાઓમાં એક મોટો વર્ગ એવો હતો કે જેને નાના બાળકો હતા કે તેનો પગાર સારો હતો અથવા તે ડિપ્રેશન કે એન્ઝાયટીની સમસ્યાથી પીડાતી હતી.

આ કારણે વધી ગયું દારૂ પીવાનું ચલણ :

– 45 ટકા કેસમાં તણાવ દારૂ પીવાનું કારણ રહ્યો.

– 34 ટકા મહિલાઓનું માનવું હતું કે કોરોના કાળમાંથી બહાર આવ્યા બાદ એવી તક આવી જ્યારે ઉજવણી કરવા કે બે વર્ષનો ગમ કાઢવા માટે દારૂ પીધો.

– 30 ટકા કેસમાં મહિલાઓએ નિરાશા દૂર કરવા માટે દારૂનો સહારો લીધો.

ઘણી મહિલાઓએ તે પણ સ્વીકાર્યું કે સોશિયલ સિસ્ટમમાં ફિટ થવા માટે દારૂ પીધો. તેમણે કહ્યું કે દારૂની સરળ ઉપલબ્ધતા મોટી બ્રાન્ડના સ્ટોર જ્યાંથી દારૂ લેવો સરળ હોય, હોમ ડિલિવરી જેવા ફેરફારોને કારણે તેના સેવનનું પ્રમાણ વધી ગયું.

સર્વે પ્રમાણે 38 ટકા મહિલાઓ સપ્તાહમાં બે વખત દારૂ પી રહી હતી. તો 27 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તે સપ્તાહમાં એકવાર દારૂનું સેવન કરે છે. જ્યારે 19 ટકા મહિલાઓ એવી છે જે સપ્તાહમાં ચાર કરતા વધુ વખત તેનું સેવન કરે છે.

36.7% મહિલાઓ પ્રમાણે તે એક કે બે ડ્રિંક્સ લે છે. 34 ટકા પ્રમાણે તે ત્રણ કે ચાર ડ્રિંક્સ પણ લે છે. જ્યારે 28 ટકા મહિલાઓ ચારથી વધુ ડ્રિંક્સ લઈ રહી હતી. 33 ટકા મહિલાઓ ઘરે યોજાતી પાર્ટીમાં તો 32 ટકા મહિલાઓ બાર અને પબમાં દારૂનું સેવન કરી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે મહિલાઓ માટે સપ્તાહમાં કુલ 8-10થી વધુ ડ્રિંક્સ લેવા નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે એક સેશનમાં મહિલાઓએ બે ડ્રિંક્સ પર રોકાઈ જવું જોઈએ. છતાં સરકારના અંદાજ પ્રમાણે મહિલાઓમાં આલ્કોહોલનો ઉપયોગ આગામી 5 વર્ષમાં 25 ટકા સુધી વધવાનું અનુમાન છે.

પરંતુ સર્વે પ્રમાણે મહિલાઓમાં એક વારમાં 4 કે તેનાથી વધુ ડ્રિંક્સ લેવાની આદતને BINGE DRINKING માનવામાં આવે છે અને જો તેને સુધારવામાં ન આવે તો આ મહિલાઓ પ્રોબ્લેમ ડ્રિંકર બની જાય છે. એટલે કે તેને દારૂ પીવાની લત લાગી જાય છે.

દિલ્હીમાં વધ્યું દારૂનું વેચાણ :

62% મહિલાઓએ સ્વીકાર કર્યો કે તેનો દારૂનો ખર્ચ પહેલા કરતા વધુ ગયો છે. જ્યારે 22 ટકા પ્રમાણે તેમ નથી. ડેટા પ્રમાણે દિલ્હીમાં wine sale 87%, whiskeyની સેલ 59.5 અને બીયરના વેચાણમાં 5 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો :-

વિપક્ષોની છાવણી ખાલી કરાવીને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા ભાજપનો વ્યૂહ

BJP’s strategy to get a huge victory in the election by emptying the opposition camp

  • કોંગ્રેસ અને ‘આપ’એ વહેલા ઉમેદવારો જાહેર કરી દેતાં ઠેરઠેર બળવા જેવી સ્થિતિ ઉદ્‍ભવી, બીજી તરફ નારાજ લોકો માટે ભાજપે દરવાજા ખુલ્લા મુકી દીધા
     
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનાં માનવા મુજબ ગત વખતે પણ હરિફ પક્ષે કોંગ્રેસ હતી અને આ વખતે પણ કોંગ્રેસ જ છે, ‘આપ’ની કોઈ જ વિસાત નથી
     
  • સમાન સિવિલ કોડ, બેટ દ્વારકાના ગેરકાયદે દબાણો હટાવવા સામે વિપક્ષ કોંગ્રેસે ઉઠાવેલો મુદ્દો કોંગ્રેસ માટે જ બૂમરેંગ પુરવાર થઈ શકે
     
  • વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના અક્ષરસહ સાચી ઠરશે તો કદાચ આ વખતની ચૂંટણીના પરિણામો જુદા હશે; અમિત શાહનાં મતે પાછલાં તમામ રેકોર્ડ તૂટી જશે

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) હજુ સુધી એકપણ ઉમેદવારની જાહેરાત કરી નથી તેમ છતાં ૧૮૨ ઉમેદવારો લગભગ નક્કી થઈ ચૂક્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (BJP President CR Patil) આજે દિલ્હી જવા રવાના થયા હતા અને ગણતરી મુજબ લગભગ ૧૦મી તારીખે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાશે.

આ તરફ કોંગ્રેસ અને ‘આપ’માં બે-ચાર બે-ચાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં હોવાથી લગભગ રાજ્યભરમાં ક્યાંક ખુશી તો ક્યાંક બળવા જેવી સ્થિતિ આકાર લઈ રહી છે બીજી તરફ અસંતુષ્ટોને આવકારવા ભાજપે પણ દરવાજા ખુલ્લા મુકી દીધા હોવાથી કોંગ્રેસ અને આપની સ્થિતિ ચૂંટણી પહેલા જ નબળી પડી રહી છે. ભાજપ નેતાગીરી આ વખતે ગણી ગણીને પગલાં ભરી રહી છે અને આખો જંગ વ્યૂહાત્મક રીતે લડવા આગળ વધી રહી છે. બની શકે કે, ગુજરાતમાં પગદંડો જમાવવા આવેલા ‘આપ’ના કેજરીવાલને પોતાની જ જાળમાં સપડાવી દેશે.
ઉમેદવારો જાહેર કરવાની બાબતે ‘આપ’ના કેજરીવાલ જરૂર કરતાં વધારે ઉતાવળા બન્યા હોવાથી ‘આપ’ના અપે‌િક્ષતોને ટિકિટ નહીં મળવાથી રઘવાયા બન્યા છે અને નારાજગી વ્યક્ત કરવા માટે ભાજપની છાવણી આશ્વાસનરૂપ બની રહી છે. સામાન્ય રીતે ભાજપ નેતૃત્ત્વ બિનભાજપીઓને આવકારવા આતુર હોતુ નથી, પરંતુ નજીકનો ભૂતકાળ જોવામાં આવે તો કોંગ્રેસ, આપ સહિતનાં અનેક ચહેરાઓ ભાજપનો ખેસ પહેરીને ફરતા જોવા મળશે. હાર્દિક પટેલ આનુ સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય.

આ વખતે એવી હવા ચલાવવામાં આવી રહી છે કે, ભાજપને સરકાર બનાવવાનાં ફાંફાં પડી જશે, પંરતુ ચૂંટણીનાં જાહેરનામા બાદની સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ‘આપ’માંથી ટિકિટ નહીં મળવાથી ભડકેલા કાર્યકરો, આગેવાનો જોઈ લેવાની ચીમકી સાથે જે તે પક્ષ સાથેથી છેડો ફાડી રહ્યાં છે. આ તરફ આવા નારાજ લોકો માટે ભાજપે દરવાજો ખુલ્લો મુકી દીધો છે! ભાજપને કાર્યકરોની ખોટ નથી, પરંતુ નેતાગીરીની વ્યૂહરચનાનો જ આ એક ભાગ છે, એવું ચોક્કસ કહી શકાય. નારાજ લોકોને પક્ષમાં સમાવી લેવાથી જે તે પક્ષને બતાવી દેવાનું તેમનું ઝનૂન પુરું થઈ જાય છે અને ભાજપમાં ભળી ગયા પછી નિષ્ક્રિય પણ થઈ જવાથી આગેવાન, કાર્યકર ગૂમાવનાર પક્ષે ચૂંટણી દરમિયાન સહન કરવાનું રહેશે. વળી પક્ષ છોડીને જનાર વ્યક્તિ એકલો જતો નથી, તેની સાથેનાં ટેકેદારો પણ નિષ્ક્રિય થઈ જતાં હોવાથી સરવાળે પક્ષને નુકસાન સહન કરવું પડે છે.

ખેર, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પુરા આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, આ વખતે ભાજપ પાછલી તમામ ચૂંટણીનાં રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતિ સાથે ગુજરાતમાં ભાજપની નવી સરકાર બનાવશે. તેમણે આંકડામાં પડવાનો સ્પષ્ટ ઈન્કાર કરવા સાથે દાવો કર્યો હતો કે, પાંચમી ડિસેમ્બરે ભાજપ ગુજરાતમાં એક નવો ઈતિહાસ રચશે.

અમિત શાહે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યાંથી શરૂ કરીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી અને ગુજરાતનાં વેપાર, ઉદ્યોગ, આરોગ્ય, સામાજિક, માળખાગત કાયદો-વ્યવસ્થા સહિતનાં ક્ષેત્રે ગુજરાતમાં થયેલી કામગીરીનો ટકોરાબંધ હિસાબ આપ્યો હતો.

તેમણે કેટલીક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આનંદીબેનનાં ૭૫ વર્ષ પુરા થતા હોવાથી તેમને મુખ્યમંત્રીપદેથી ખસેડીને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યા હતા. આનંદીબેન પટેલની સરકારે પણ ઉત્તમ કામગીરી કરી હતી. ત્યાર બાદ વિજય રૂપાણી સરકારે પણ પાંચ વર્ષ પુરા કરવા સાથે કોરોના જેવી મહામારીનાં દિવસોમાં અદ્‍ભૂત કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો.

ભાજપનાં આંતરિક વિવાદને કારણે રૂપાણી સરકાર બદલવામાં આવી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપમાં સરકાર અને સંગઠન વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી. બધું જ એક રાગીતાથી ચાલી રહ્યું છે. વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય પણ શિર્ષ નેતૃત્ત્વનો હતો અને ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ નમૂનેદાર કામગીરી કરી રહી છે. લોકોમાં અને પક્ષમાં પણ ભૂપેન્દ્ર પટેલની કાર્યપદ્ધતિ સામે કોઈને પણ ફરિયાદ નથી અને હવે પછી નવી સરકારમાં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. કારણ કે, તેમના નેતૃત્ત્વમાં જ ચૂંટણીઓ લડાઈ રહી છે. વર્તમાન સંગઠન અને સરકાર વચ્ચે મતભેદ હોવાની વાત પણ તેમણે ફગાવી દીધી હતી.

પાછલી ચૂંટણીઓનાં પ્રમાણમાં આ વખતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં વારંવાર હાજરી અને ચૂંટણીલક્ષીનો દોર પોતાનાં હાથમાં લેવા અંગે સ્પષ્ટતા કરતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હું બંને ગુજરાતનાં છીએ અને ચૂંટણી એક એવું પર્વ છે કે, આ દિવસો દરમિયાન વધુમાં વધુ લોકોને રૂબરૂ મળી શકાય. ઉપરાંત ગૃહરાજ્યમાં ઘરઆંગણે ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી અને મારી વધારે પડતી હાજરી કોઈ વિશેષ બાબત નથી. વળી ભાજપ માટે આ કોઈ પહેલી ચૂંટણી નથી. પાછલાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. પાટનગર ગાંધીનગરથી શરૂ કરીને રાજ્યનાં છેવાડાઓનાં ગામડાંઓ સુધી ભાજપનાં કાર્યકરોની ફોજ પથરાયેલી છે અને એટલે જ આ વખતે પણ ભાજપની છાવણીમાં કોઈ જ ઉચાટ નથી.

ભાજપમાંથી ચૂંટણી લડવા માટે લગભગ ચાર હજાર કરતાં વધુ કાર્યકરોએ દાખવેલી તૈયારી માટે આનંદ વ્યક્ત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપની છાવણીમાં આટલો મોટો વિશાળ વર્ગ ચૂંટણી લડવા માંગે છે એજ બતાવે છે કે, લોકોનો ભાજપ પ્રત્યે કેટલો વિશ્વાસ છે, કેટલો ભરોસો છે અને એટલે જ ‘ભરોસાની સરકાર’નો વારંવાર વિજય થતો આવ્યો છે. તેમણે ભારપૂર્વક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, બધાને જ ખબર છે કે, ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો છે અને ૧૮૨ને જ ટિકિટ મળવાની છે. મતલબ ટિકિટની ફાળવણી બાદ બધાં જ લોકો ઉમેદવારને જીતાડવા કામે લાગી જશે. ભાજપમાં બળવાને કોઈ સ્થાન નથી, શિસ્તબદ્ધ પક્ષ છે અને પુરી શિસ્ત સાથે પક્ષ કામ કરે છે. અલબત્ત પક્ષનાં છેવાડાના કાર્યકરને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ ગુણદોષ અને જીતી જવાની ખાતરી સાથે ટિકિટ કોને આપવી એ ભાજપનું શિર્ષ નેતૃત્ત્વ નક્કી કરે છે. આનો મતલબ એવો પણ નથી કે, ટિકિટ માંગનાર કાર્યકરની કોઈ જ ક્ષમતા નથી.

થોડા દિવસ પહેલાં જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપેલા રાજીનામાનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું હતું કે, ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા અને કેશુબાપાએ પણ પક્ષ સાથેથી છેડો ફાડ્યો હતો. પરંતુ પરિણામ શું આવ્યું લોકો જાણે છે. જયનારાયણ વ્યાસે નારાજગીનાં કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હશે. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ જયનારાયણ વ્યાસનાં જવાથી ભાજપ તૂટી પડશે એવું કોઈએ પણ માની લેવાની જરૂર નથી.

પુનઃ ટિકિટ ફાળવણીનાં મુદ્દે પણ અમિત શાહે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે, ‘નો રિપીટ’ થિયરી જેવું કંઈ જ નથી. ઉમેદવાર પસંદ કરતી વખતે સૌથી પહેલા ‘જીત’ના માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે.

ગુજરાતની આ વખતની ચૂંટણીમાં ‘આપ’નાં અસ્તિત્ત્વને પણ સ્વીકારવાનો સાફ સાફ ઈન્કાર કરતાં તેમણે કહ્યું હતું કે, ૨૦૧૭માં પણ ભાજપ સામે વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી અને ૨૦૨૨ની ચૂંટણીમાં પણ હરિફ પક્ષ તરીકે કોંગ્રેસ જ હશે.

અમિત શાહે ઘણાં મુદ્દા ઉપર વાતો કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારે ‘સમાન સિવિલ કોડ’ અંગે કરેલો નિર્ણય ચૂંટણીલક્ષી હોવાની વાતને ફગાવી દેતા કહ્યું હતું કે, ભાજપનાં મૂળભૂત ઘોષણાપત્રમાં અન્ય મુદ્દાઓની સાથે ‘સમાન સિવિલ કોડ’ એ પણ એક મુદ્દો છે અને ભાજપ આ મુદ્દાને ફરી દોહરાવે એટલે ચૂંટણીલક્ષી બની જતો નથી. કાશ્મીરમાંથી દૂર કરાયેલી કલમ ૩૭૦, રામ મંદિર નિર્માણ વગેરે આ મુદ્દા ભાજપનાં ઘોષણાપત્રમાં પહેલેથી જ હતા. આ પૈકી કલમ ૩૭૦ દૂર કરવા ઉપરાંત મુસ્લિમ મહિલાઓને સામાજિક સમાનતા અપાવવા ‘તીન તલ્લાક’નો કાયદો ભાજપ સરકારે દૂર કર્યો હતો. આમા ચૂંટણીની વાત ક્યાંથી આવી? અધ્યોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા સાથે કાશી વિશ્વાસનાથ મંદિર, ઉજ્જૈનમાં કાળભૈરવ , સોમનાથ, પાવાગઢ વગેરે શ્રદ્ધાનાં કેન્દ્રોનું પુનઃ સ્થાપન કે નવસર્જન કરવા એ ચૂંટણીલક્ષી બાબત હોઈ શકે જ નહીં. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો પણ કરી શકી હોત, પરંતુ તેમણે નહીં કર્યું એટલે નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે.

બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળોનાં નામે દબાણ કરવાની પ્રવૃત્તિ રોકવા આવા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીને ચૂંટણીલક્ષી કઈ રીતે કહી શકાય? તેમણે વળતો સવાલ કર્યો હતો કે, ધર્મની આડમાં દબાણો ઉભા કરવામાં આવે તો આવી પ્રવૃત્તિને ચલાવી લેવાની?

આમ આદમી પાર્ટી ભાજપની ‘બી’ ટીમ હોવાની ચર્ચાને પણ અમિત શાહે રદીયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડે છે. ચૂંટણી જીતવા ભાજપને કોઈ બગલઘોડી ‘બી’ ટીમની જરૂર નથી. અમિત શાહે અનેક ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે, કોઈપણ પક્ષનો વ્યક્તિ ભાજપની વિચારધારાને સ્વીકારીને ભાજપમાં આવતો હોય તો પક્ષને સ્વીકારવા સામે કોઈ જ વાંધો નથી.

એકંદરે અમિત શાહ પુરા આત્મવિશ્વાસથી ભરેલા હતા અને આ વખતે ગુજરાતનો જંગ જીતવા માટે પોતાની વ્યૂહરચના પાર પડી રહી હોવાનો તેમના ચહેરા ઉપર સંતોષ જણાતો હતો. તેમના મનમાં ચૂંટણી હારવાનો કે નબળુ પરિણામ આવવાનો કોઈ જ ઉચાટ જણાતો નહોતો. બલ્કે, પાછલી ચૂંટણીઓ કરતાં વધુ મજબૂતાઈ સાથે અને વધુ બેઠકો કબજે કરવા સાથે પાછલી ચૂંટણીનાં રેકોર્ડ તોડી નાંખવાનો વિશ્વાસ છલકાતો હતો.

ગુજરાત ભાજપમાં ડહોળાયેલા વાતાવરણને પગલે ગુજરાતની ચૂંટણીઓની બાગડોર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં લીધી હતી અને દિવસોની મહેનતનાં અંતે ચૂંટણીઓ અપે‌િક્ષત પરિણામ સાથે અને હેમખેમ પાર પાડવાની બાજી ગોઠવવામાં મોદી અને શાહને સફળતા મળી હોવાનો ભરોસો અમિત શાહનાં ચહેરા ઉપર તરી આવતો હતો.

આ પણ વાંચો :-

2017માં અમે જીતથી ચૂકી ગયા હતા, આ વખતે ઉમેદવારની પસંદગીમાં ભૂલ નહી થાય : ગેહલોત

0

In 2017 we missed out on victory

  • અશોક ગેહલોતે મધ્ય ગુજરાતમાં કર્યો પ્રચાર. વડોદરાના સાવલીમાં ગેહલોતની જનસભા સંબોધી. ગેહલોતે કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of Rajasthan) અને ગુજરાત કોંગ્રેસના સીનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત (Ashok Gehlot) મધ્ય ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અશોક ગેહલોતે આંકલાવમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી અને સાથે જ વડોદરાના (Vadodara) સાવલીમાં જનસભાને સંબોધન પણ કર્યું. આ સાથે અશોક ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસની (Gujarat Congress) સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, 2017 માં અમે જીતની નજીક પહોંચી ગયા હતા. આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભૂલ નહીં કરે.

અશોક ગેહલોતે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અમારી રણનીતિ સારી ચાલી રહી છે. અમે ગામે ગામ ફરી રહ્યા છીએ. અમારી 5 યાત્રાઓ સફળ રહી છે. અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. એન્ટી ઈન્કમબન્સી ભયંકર ચાલી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ સરળતાથી જીતી જશે.

2017 માં પણ અમે જીતની નજીક પહોંચી ગયા હતા. ગયા વખતે અમે જીતવાથી ચુકી ગયા હતા. છેલ્લે અમને કેટલીક બેઠકો ના મળી. ભાજપ ગઈ વખતે 99 પર અટકી હતી. તે વખતે ભાજપ સફળ ન થઈ તો આ વખતે કઈ રીતે સફળ થશે.

તેમણે ભાજપ પર પોતાના નેતા ખરીદવાનો આરોપ મૂકતા કહ્યું કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભુલ નહીં કરે. જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં સોદા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને શુ ઓફર કરાઈ છે. ગુજરાતમાં અમારા ધારાસભ્યને તોડાય છે. હોર્સ ટ્રેડિંગનું નવુ મોડલ બન્યુ છે તે તોડવુ છે. ભાજપ સોદો કરે છે. 30-30 કરોડમાં હોર્સ ટ્રેડિંગ થઈ રહી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જીતની આશા વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ચુટંણી જીતી રહી છે. 27 વર્ષમાં ભાજપાની સરકારે માર્કેટીંગ કર્યા સિવાય કંઇ કર્યું નથી. ધીરે ધીરે તેમની પોલ ખુલી રહી છે, કોરોનાની મહામારીમાં પોલ ખુલી છે. અહીં ગુડ ગવર્નન્સનો અભાવ જોવા મળ્યો. લઠ્ઠાકાંડમાં અનેક લોકો મરી ગયા તપાસ થતી નથી.

મોરબીની ઘટનામાં લોકો મર્યા તો કમિશન કેમ નથી બેસાડવામાં આવતું. આ સરકારને કોઇની પરવાહ નથી, અમે કમિશન નિમવાની માંગ કરી છે. હાઇકોર્ટ સુઓમોટો લેવાની ફરજ પડી. ગુજરાત જેવી એન્ટીઇન્કમબન્સી ક્યાંય જોઇ નથી. ભાજપે મુખ્યમંત્રી સાથે આખી સરકાર બદલવી પડી એ શુ દર્શાવે છે.

ઈડબલ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટના યુકાદા અંગે અશોક ગહેલોતે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. 20 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકારે રાજસ્થાન ઈડબલ્યુ અનામત આપતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અમે ૧૪ અનામતની માંગ સાથે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈને પ્રસ્તાવ મોકલ્યો હતો.

કેન્દ્રની યુપીએ સરકારે ઈડબલ્યુએસને અનામત આપવા માટે કમિશનની રચના કરી હતી. જેનો રિપોર્ટ તૈયર થયેલો હોવા છતાં મોદી સરકારે પાંચ વર્ષ કાર્યવાહી ન કરી. અમારી સરકારનો જે નિર્ણય હતો તેને એ સરકાર આગળ વધારી રહી છે તે સારી વાત છે.

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે અશોક ગહેલોતે જણાવ્યું કે, આપના નેતાઓ જુઠુ બોલી રહ્યા છે અને જુઠ્ઠા વચનો આપી રહ્યા છે. આપના નેતાઓ માને છે કે જનતાને ખબર નથી પડતી પણ જનતા બધુ જાણે છે. દિલ્હી અને પંજાબનુ મોડલ સંપુર્ણ ફેલ થયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશના મોડેલને રાજ્યમાં દેખાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આપ અમારી સરકારે કરેલા નિર્ણયને કોપી કરી રહી છે. રાજસ્થાનની તમામ યોજનાઓને આપ ગુજરાતમાં વચન આપે છે. રાજસ્થાનમાં અમે તમામ યોજનાઓ લાગુ કરી દીધી છે.

આ પણ વાંચો :-

ઈન્દોરમાં ચાર યુવતીઓએ ભેગી થઈ એક યુવતીની ઢીકાપાટુથી કરી જાહેરમાં ધોલાઈ

In Indore, four girls got together

  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ યુવતીઓની આલોચના કરી રહ્યાં છે. આ ઘટના ગત રાત્રીની છે. પોલીસે વીડિયો વાયરલ થયા બાદ કેસ દાખલ કરી લીધો છે.

મધ્ય પ્રદેશની (Madhya Pradesh) આર્થિક રાજધાની ઈન્દોર (Indore) શહેર હવે 24 કલાક ખુલ્લું રહે છે. આ દેશનું પાંચમું શહેર છે. જે 24 કલાક ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે. વિદેશી કંપનીઓ (Foreign company) અને કોર્પોરેટમાં કામ કરી રહેલા કર્મચારીઓની સુવિધા માટે તેની શરૂઆત થઈ હતી.

પરંતુ હવે આ દાંવ ઉંધો પડી રહ્યો છે. મોડી રાત્રે શહેરમાં લોકોની અવરજવરને કારણે નશાખોરી અને ગુનાઓની સંખ્યા વધી ગઈ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર યુવતીઓ મળીને એક યુવતીને મારી રહી છે.

આ વીડિયો ઈન્દોરના AB રોડ પર LIG ચોકનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવતીઓ એક યુવતીને ઢીકા-પાટુથી માર મારી રહી છે અને ગાળો આપી રહી છે. જાણવા મળ્યું કે દારૂના નશામાં એક કેફે પર બેસીને આ યુવતીઓ સિગારેટ પી રહી હતી. ત્યાં કોઈ વાત પર ચર્ચા થયા બાદ ઝગડવા લાગી અને કેફે સંચાલકે તેને બહાર કાઢી મુકી હતી.

ત્યારબાદ રોડ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. આ ઘટના દરમિયાન આસપાસ ઉભા રહેલા લોકોએ તેનો વીડિયો બનાવી લીધો હતો. કેટલાક લોકોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીઓનો ગુસ્સો જોઈ લોકો દૂર થઈ ગયા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ યુવતીઓની આલોચના કરી રહ્યાં છે. આ ઘટના રાત્રે 10 કલાકથી 11 વચ્ચેની છે. આ યુવતીઓ ઈન્દોરમાં રહીને જોબ કરતી હોય કે અભ્યાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે પોલીસે કેસ દાખલ કરી યુવતીઓની શોધખોળ શરૂ કરી છે.

અહીં મોડી રાત્રે નાઈટ ક્લબ અને પબમાં યુવાઓને નશો વેંચવામાં આવે છે. યુવાઓ દ્વારા નશો કર્યા બાદ ઈન્દોરના રસ્તાઓ પર આ પ્રકારના ઝગડા કરવા સામાન્ય વાત થઈ ગઈ છે.

આ પણ વાંચો :-