તમે પણ વજન ઉતારવા માંગો છો ? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

Share this story

Do you also want to lose weight

  • વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આજકાલ દરેક લોકો પોતાને સ્લિમ-ટ્રીમ (Slim-trim) રાખવા માંગે છે અને વજન ઉતારવા માટે અનેક નુસ્ખાઓ અપનાવે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા કામના છે. પોતાની જાતને સ્લિમ-ટ્રીમ રાખવા માટે આજથી જ તમારા આહારમાં નારિયેળ પાણીનો (Coconut water) સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે નારિયળ પાણીમાં વિપુલ પ્રમાણમાં બાયો-એક્ટિવ એન્ઝાઇમ (A bio-active enzyme) હોય છે જે તમારા શરીરના પાચન અને ચયાપચયને ઝડપી બનાવે છે.

સારા અને હેલ્થી ચયાપચયની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકાય છે. જણાઈ દઈએ કે નારિયળ પાણીમાં અન્ય ફળોની તુલના કરતાં ઘણી ઓછી કેલરી હોય છે અને એ કારણે જ વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.

આ સાથે જ સવારે વહેલા ઉઠીને નારિયેળ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે થી ત્રણ વખત મર્યાદિત માત્રામાં નારિયેળ પાણી પી શકાય છે.

જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે અને આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. પેટ ભરેલ લાગે એવામાં બિનજરૂરી રીતે વારંવાર ખાવાનું લોકો ટાળે છે.

ખાસ કરીને ભોજન કરતા પહેલા નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. જમતા પહેલા નારિયેળ પાણી પીવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને આ સાથે જ ખોરાક ખાધા પછી પેટનું ફૂલવાથી છુટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-