Home Blog Page 1260

08 નવેમ્બર 2022 નું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

Horoscope of 08 November 2022 Gujarat Guardian

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનાે ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનિયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહેે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

તમે પણ વજન ઉતારવા માંગો છો ? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

Do you also want to lose weight

  • વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આજકાલ દરેક લોકો પોતાને સ્લિમ-ટ્રીમ (Slim-trim) રાખવા માંગે છે અને વજન ઉતારવા માટે અનેક નુસ્ખાઓ અપનાવે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા કામના છે. પોતાની જાતને સ્લિમ-ટ્રીમ રાખવા માટે આજથી જ તમારા આહારમાં નારિયેળ પાણીનો (Coconut water) સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે નારિયળ પાણીમાં વિપુલ પ્રમાણમાં બાયો-એક્ટિવ એન્ઝાઇમ (A bio-active enzyme) હોય છે જે તમારા શરીરના પાચન અને ચયાપચયને ઝડપી બનાવે છે.

સારા અને હેલ્થી ચયાપચયની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકાય છે. જણાઈ દઈએ કે નારિયળ પાણીમાં અન્ય ફળોની તુલના કરતાં ઘણી ઓછી કેલરી હોય છે અને એ કારણે જ વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.

આ સાથે જ સવારે વહેલા ઉઠીને નારિયેળ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે થી ત્રણ વખત મર્યાદિત માત્રામાં નારિયેળ પાણી પી શકાય છે.

જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે અને આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. પેટ ભરેલ લાગે એવામાં બિનજરૂરી રીતે વારંવાર ખાવાનું લોકો ટાળે છે.

ખાસ કરીને ભોજન કરતા પહેલા નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. જમતા પહેલા નારિયેળ પાણી પીવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને આ સાથે જ ખોરાક ખાધા પછી પેટનું ફૂલવાથી છુટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

શું ગુજરાત-હિમાચલની ચૂંટણીમાં EWS અનામત ભાજપ માટે સંજીવની સાબિત થશે ? જાણો શું કહે છે ચૂંટણીનું ગણિત

0

Will EWS reservation prove to be lifeline

  • ભાજપે આ કાયદો બનાવીને ચૂંટણીમાં તેનો ઘણો ઉપયોગ કર્યો, હિમાચલ-ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે તેની માન્યતા પર મહોર મારી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) UU લલિતની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે ગરીબ ઉચ્ચ જાતિના નિર્ણય પર કેન્દ્ર સરકારના (Central Govt) અનામત નિર્ણય પર સહમતિ દર્શાવી છે. EWS શ્રેણી માટે 10 ટકાનો ક્વોટા સામાન્ય રીતે ગરીબ ઉચ્ચ જાતિઓ (Poor upper caste) માટે અનામત તરીકે ઓળખાય છે. જ્યારે ગરીબ ઉચ્ચ જાતિના અનામત માટે કાયદો બનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે દેશના તમામ મોટા પક્ષોએ લોકસભામાં (Lok Sabha) તેનું સમર્થન કર્યું હતું.

જો કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે આ કાયદો બનાવીને ચૂંટણીમાં તેનો ઘણો ઉપયોગ કર્યો છે. હિમાચલ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે તેની માન્યતા પર મહોર મારી છે અને મતદારોમાં એવો સંદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર ગરીબ ઉચ્ચ જાતિના લોકો સાથે મક્કમતાથી ઉભી છે.

વાસ્તવમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હિમાચલ અને ગુજરાત બંનેમાં ભારતીય જનતા પાર્ટીની આ મહત્વપૂર્ણ વોટ બેંકમાં ખાડો કરી રહી હતી. તાજેતરના એક સર્વેમાં એ સ્પષ્ટ થયું છે કે ગુજરાતની ઉચ્ચ જાતિઓ મોટા પાયે કોંગ્રેસ અને AAP તરફ વળી શકે છે. જો એકથી 2% મતો પણ ભાજપને વેરવિખેર કરવામાં આવે તો સત્તાનું ગણિત ખોરવાઈ શકે છે.

ગુજરાતનું રાજકારણ :

ગુજરાતની કુલ વસ્તી 6 કરોડથી વધુ છે. જેમાં 52 ટકા મતદારો પછાત વર્ગના છે. પછાત વર્ગમાં સમાવિષ્ટ માત્ર 146 જાતિઓ અને પેટા જાતિઓ જ નક્કી કરે છે કે રાજ્યની સત્તા કોના હાથમાં રહેશે. પરંતુ ઉચ્ચ જાતિના મતદારો કે જેઓ ભાજપના મુખ્ય મતદારો રહ્યા છે તેમની સંખ્યા પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

રાજ્યમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા પાટીદાર સમુદાય એટલે કે પટેલ સમુદાયનો હિસ્સો 16 ટકા છે, જે રાજ્યમાં સૌથી શક્તિશાળી ગણાય છે. લગભગ 16 ટકા વસ્તી ક્ષત્રિય વર્ગની છે. સાથે જ બ્રાહ્મણ, વાણિયા સહિત કુલ 5 ટકા મતદારો છે. આ રીતે લગભગ 37 ટકા મતદારો ઉચ્ચ જાતિના છે.

સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને કેશુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, આનંદીબેન પટેલ જેવા નામો ગુજરાતના રાજકારણમાં મોટા ચહેરા રહ્યા છે. હાર્દિક પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. આ જ કારણ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને હાર્દિક પટેલને પણ પોતાની છાવણીમાં સામેલ કર્યો હતો.

ગુજરાતમાં પાટીદાર અને ઓબીસીનું વર્ચસ્વ :

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે ટિકિટ વિતરણમાં પાટીદાર સમાજના 50 લોકોને ટિકિટ આપી હતી. કોંગ્રેસે પણ 41 પાટીદારોને ટિકિટ આપી હતી. ભાજપે ઓબીસી ઉમેદવારોને 58 ટકા ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે 62 ટકા ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી હતી.

હિમાચલ પ્રદેશમાં રાજપૂત અને બ્રાહ્મણો પ્રભુત્વ  :

હિમાચલ પ્રદેશના રાજકારણમાં રાજપૂત અને બ્રાહ્મણ સમુદાયનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે. આ જ કારણ છે કે અહીંના તમામ મુખ્યમંત્રીઓ ઉચ્ચ જાતિના છે. ઉચ્ચ જ્ઞાતિઓની સંખ્યા સૌથી વધુ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ હિમાચલ પ્રદેશમાં લગભગ 51 ટકા વસ્તી ઉચ્ચ જાતિની છે.

જેમાંથી 33 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણો છે. રાજપૂતો અને બ્રાહ્મણોની સંખ્યા પરથી તેમની મતદાન શક્તિને ધ્યાનમાં લઈએ તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ 28-28 રાજપૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો :-

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધોમાં તિરાડ ! ટેનિસ સ્ટારની પોસ્ટે મચાવ્યો ખળભળાટ

0

Crack in the relationship of Sania Mirza and Shoaib Malik

રિપોર્ટસ અનુસાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે થોડું અંતર આવી ગયું છે. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. તો બીજી તરફ સાનિયાના સોશિયલ મીડિયા પોસ્ટે આ અફવાને ખૂબ હવા મળી છે.

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Indian tennis player Sania Mirza) અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Former Pakistani cricketer Shoaib Malik) જાણિતા કપલ્સમાંથી એક છે. સાનિયા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ (Love Chemistry) એક સમયે દરેકના દિલ જીતી લીધા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એવા સમાચાર છે કે બંને વચ્ચે બધુ બરોબર ચાલી રહ્યું નથી. સંબંધ તૂટવાના આરે છે. સાનિયા અને શોએબના સંબંધ તૂટવાની ચર્ચાઓ હવે ટેનિસ પ્લેયરના એક સોશિયલ મીડિયા (Social media) પોસ્ટે પણ હવા આપી છે.

સાનિયા મિર્ઝા શોએબ મલિક વચ્ચે આવી તિરાડ !

સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને પુત્ર ઇઝહાનનો સુંદર ફોટો શેર કરતાં પોસ્ટ લખી હતી. ટેનિસ પ્લેયરે લખ્યું- તે પળ જે મને સૌથી મુશ્કેલ દિવસોમાં લઇ જાય છે. સાનિયાની આ પોસ્ટને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેમની પર્સનલ લાઈફમાં સમસ્યા ચાલી રહી છે. સાનિયાની અન્ય કેટલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દર્દ છલકાતું દેખાય છે.

સાનિયા મિર્ઝા એક તરફ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ શોએબ મલિકે તાજેતરમાં જ પુત્ર ઈઝહાનના બર્થડે તસવીરો શેર કરી હતી. તે તસવીરોમાં સાનિયા હાજર તો છે કારણોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છે કે સાનિયા અને શોએબના સંબંધમાં કંઇ ઠીક ચાલી રહ્યું નથી.

 

આલિયા – રણબીરની દીકરીનું નામ શું હશે ? ડિલવરી પહેલા જ આલિયા ભટ્ટે કરી દીધો હતો ખુલાસો

What will be the name of Alia-Ranbir

  • આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે.

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) ઘરે 6 નવેમ્બર 2022ના રોજ દીકરીનો જન્મ થયો હતો. નાની ઢીંગલીના જન્મ બાદ ભટ્ટ અને કપૂર બંને પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોલીવુડથી (Bollywood) લઈને સામાન્ય લોકો દરેક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને શુભેચ્છાઓ (Good luck) મોકલી રહ્યા છે.

આ બધા વચ્ચે જ આલિયા ભટ્ટે પણ ડિલિવરી પછી સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી અને ચાહકોને ખુશખબર આપતા આલિયાએ લખ્યું હતું કે તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. જણાવી દઈએ કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની દીકરીના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો કે આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે અને તેનું નામ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નામ સાથે જોડાયેલું હશે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટે પોતે પ્રેગ્નન્સી દરમિયાન આ નામ વિશે વાત કરી હતી.

શું હશે આલિયા ભટ્ટની દીકરીનું નામ :

જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો અને આ વિડીયો ત્યારનો છે જ્યારે આલિયા ભટ્ટ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પ્રમોશન કરી રહી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે જો તેનું નામ આલિયાને બદલે કંઈક બીજું હોત તો તેનું બીજું નામ શું રાખત?

આ પ્રશ્નના જવાબમાં આલિયા ભટ્ટે પોતાનું મનપસંદ નામ જણાવ્યું હતું અને ત્યારે આલિયા ભટ્ટે કહ્યું હતું કે  આ ખાસ નામ તેને ખૂબ જ પસંદ છે કારણ કે આ નામ આલિયા ભટ્ટના અને રણબીરના નામ સાથે પણ જોડાયેલું છે.

આલિયા-રણબીરના નામના અક્ષરો :

આલિયા ભટ્ટે પોતાનું ફેવરિટ નામ ‘આયરા’ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આયરા નામની ખાસિયત એ છે કે આલિયાના નામનો પહેલો અક્ષર તેની શરૂઆતમાં ‘આ’ છે અને રણબીરના નામનો પહેલો અક્ષર અંતમાં ‘રા’ છે. હાલ એ વાતનું અનુમાન લગાવવામાં આવ્યું કે આલિયા તેની પુત્રીનું નામ આયરા રાખી શકે છે.

‘આયરા’ નામનો અર્થ શું છે?

આલિયા ભટ્ટનું ફેવરિટ નામ ‘આયરા’નો અર્થ પણ ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે આયરાનો અર્થ એ છે આદરણીય, આ સિવાય આયરા નામ વિદ્યાની દેવી સરસ્વતીનું પણ એક નામ છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં જમાઈ બન્યો જમ ! પતિ-પત્નીના ઝઘડામાં દાદાજી સસરાને ઉતાર્યા મોતને ઘાટ

When the son-in-law became in Rajkot

  • Rajkot Crime news : રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો.

શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જમાઈ (Son-in-law) જમ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જમાઈએ પોતાના દાદાજી સસરા પર હુમલો (Attack) કરી તેમની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે.

ત્યારે સામા પક્ષે પ્રતિકાર કરતા જમાઈ ઉપર હુમલો કરતા જમાઈ પણ ઈજાગ્રસ્ત (Injured) થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે સામ સામે પક્ષની ફરિયાદ નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidem Police Station) વિસ્તારમાં આવેલા કાળીપાટ ગામે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રાજુ મેર અને તેની પત્ની શિલ્પા મેર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્ની શિલ્પા પોતાના પતિનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી.

સમગ્ર મામલાની જાણ પતિ રાજુ મેરને થતા તે પોતાના સસરાના ઘરે પોતાની પત્નીને તેડવા ગયો હતો. રાત થઈ ગઈ હોવાના કારણે સસરા પક્ષ દ્વારા જમાઈને રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું હતું ને સવારે બંને સાથે જતા રહેજો તેવું જણાવવામાં આવ્યું હતું.

ત્યારે રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો. જમાઈ દ્વારા કોની પર હુમલો કરવામાં આવતા સામા પક્ષે રહેલી મહિલાઓ દ્વારા પણ પ્રતિકાર કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનામાં રાજુમેરના દાદાજી સસરા હંસરાજભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કે પોતાની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓને પણ ઈજા પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. રાજુ મેર અવારનવાર દારૂ પી પોતાની પત્ની ઉપર હુમલો કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે હાલ તો પારિવારિક ઝઘડામાં નિર્દોષ પ્રોઢે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :-

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ ! રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

0

big stir in Vadodara at midnight

  • કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વડોદરામાં ગુપ્ત બેઠક. વાઘોડિયાના ભાજપના કેટલાક ખાસ દાવેદારો અને હોદ્દેદારો રહ્યા હાજર. ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને બેઠકમાંથી રખાયા દૂર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. ત્યારે રવિવારની રાતે વડોદરાના (Vadodara) રાજકીય માહોલમાં અચાનક ગરમાવો આવ્યો હતો. રવિવારે રાત્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Union Minister Parasottam Rupala) અચાનક આવી ચઢ્યા હતા. જેને પગલે નેતાઓ દોડતા થયા હતા.

કહેવાય છે કે અચાનક આવી ચઢેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળાએ (Union Minister Purushottam Rupala) વડોદરા ગુપ્ત બેઠક યોજી હતી. તેમણે વાઘોડિયા (Vaghodiya) બેઠકના ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પરસોત્તમ રૂપાલાએ કેટલાક ખાસ લોકો સાથે જ બેઠક કરી હતી.

વડોદરા નજીક પદમલામાં ખાનગી ફાર્મ હાઉસમાં આ ગુપ્ત બેઠક યોજાઈ હતી. જો કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને (Madhu Srivastava) આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત બેઠકથી વાઘોડિયામાં પરસોત્તમ રૂપાલાએ ફરી સેન્સ લીધી હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ ભાજપના વાઘોડિયા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ પોતાની દબંગ ઈમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવા પાછળ શુ સંકેત છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળાની વડોદરાની ટુંકી મુલાકાતે અનેક સવાલો પેદા કર્યા છે.

આ પણ વાંચો :-

BSNLના 2 શાનદાર પ્લાન લોન્ચ ! સિંગલ રિચાર્જમાં આખુ વર્ષ Free અનલિમિટેડ Calling અને Data

0

2 great plans of BSNL launched

  • બીએસએનએલના નવા પ્રી-પેડ પ્લાન દેશભરના તમામ સર્કલમાં રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ બીએસએનએલ તરફથી બે એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 269 રૂપિયા છે. તેની વેલિડિટી 30 દિવસની છે.

સરકારી ટેલિકોમ (Govt Telecom) કંપની બીએસએનએલ (BSNL) દ્રારા પ્રી-પેડ યૂઝર્સ માટે બે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ રિચાર્જ પ્લાન 1198 રૂપિયા અને 439 રૂપિયામાં આવે છે. બીએસએનએલના (BSNL) 1198 રૂપિયાવાળા પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. જ્યારે બીએસએનએલના 439 રૂપિયાવાળા પ્લાનમાં ત્રણ મહિનાની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ (Unlimited calling) આપવામાં આવે છે.

બીએસએનએલના નવા પ્રી-પેડ પ્લાન દેશભરના તમામ સર્કલમાં રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ બીએસએનએલ તરફથી બે એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 269 રૂપિયા છે. તેની વેલિડિટી 30 દિવસની છે. જ્યારે 769 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી સાથે આવે છે.

BSNL નો 1198 રૂપિયાવાળો ટેરિફ પ્લાન :

BSNL ના 1198 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં 3GB ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે જ 300 મિનિટ કોલિંગ અને 30 SMS ની સુવિધા મળે છે. જે પ્રકારે દરે મહિને રિન્યૂ કરવામાં આવે છે. આ તમામ બેનિફિટ્સ એક મહિનાના અંતે પુરા થઇ જશે અને પછી આગામી મહિને રિન્યૂ થઇ જશે.

BSNL નો 439 રૂપિયાવાળો પ્લાન :

બીએસએનએલનો 439 રૂપિયાવાળો પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 300 SMS ની સુવિધા મળે છે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને ડેટા ઓફર કરવામાં આવતો નથી.

BSNL એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર :

બીએસએનએલ તરફથી ફેસ્ટિવલ ધમાકા અંતગર્ત દિવાળી અને એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે. બીએસએનએલના 269 રૂપિયાવાળા રિચાર્જ વાઉચરની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે.

આ ઉપરાંત ડેલી 100 SMSની સુવિધા મળે છે. બીએસએનએલ તરફથી arena games રમનારાઓએ 2 લાખ રૂપિયા અને અન્ય એન્ટરટેનમેંટ બેનિફિટ્સ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

કાર વેચતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો થશે મોટું નુકસાન

0

Pay special attention to these things

  • FASTag Tips જો તમે તમારું વાહન વેચ્યું છે અને FASTag ડિએક્ટિવેટ ન કરો તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. તેથી વાહન વેચતા પહેલા FASTag ને નિષ્ક્રિય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે તમારી કાર વેચવાનું (Sell cars) વિચારી રહ્યા છો. તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે કાર વેચતા પહેલા કેટલીક બાબતો પર ધ્યાન ન આપો તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે ટોલ પ્લાઝા (Toll Plaza) પર ટોલના કારણે લાંબી લાઈનો લાગતી હતી. જોકે તે સમયનો પણ બગાડ હતો. આ સમસ્યાના ઉકેલ માટે ફાસ્ટેગ (Fasteg) શરૂ કરવામાં આવ્યું હતું.

ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો યુગ શરૂ થયો. ત્યારબાદ લોકોને ટોલ પર લાંબી લાઈનોમાંથી મુક્તિ મળી અને ટોલ પ્લાઝા પર જામ પણ ઓછો થવા લાગ્યો. લોકોના વાહન પર FASTagનું સ્ટીકર ચોક્કસ જગ્યાએ ચોંટાડવામાં આવે છે. જેનાથી ટોલના પૈસા આપોઆપ કપાઈ જાય છે. આનાથી ઘણો સમય બચવા લાગ્યો છે.

મને જણાવી દઈએ કે FASTag એક ડિજિટલ પેમેન્ટ સુવિધા છે, જેની મદદથી ટોલ પ્લાઝા પર ટોલ પેમેન્ટ કરવામાં આવે છે. જો તમે તમારી કાર વેચી દીધી હોય અને FASTag ને ડિએક્ટીવેટ ન કરો તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. તેથી વાહન વેચતા પહેલા FASTag ને ડિએક્ટિવેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

FASTag અધિકૃત રજૂકર્તાઓ અથવા સહભાગી બેંકો પાસેથી ખરીદી શકાય છે. આ તમારી બેંકને લિંક કરે છે. હવે જો તમે તમારી કાર વેચો અને FASTag બંધ ન કરો, તો નવા ખરીદનાર તમારા FASTag ના તમામ લાભો લઈ શકશે. આવી સ્થિતિમાં, કાર વેચતા પહેલા FASTag એકાઉન્ટ બંધ કરવું જરૂરી છે.

આ સિવાય, જો તમે તમારું FASTag બંધ ન કરો. તો તમારી કારના નવા ખરીદનાર સરળતાથી તમારા FASTagનો લાભ લઈ શકે છે. ખરેખર નવા ખરીદનાર તમારા FASTag વડે ચૂકવણી કરી શકે છે, જે તમારા ખાતામાંથી કાપવામાં આવશે. જ્યાં સુધી તમે તમારું FASTag એકાઉન્ટ બંધ ન કરો ત્યાં સુધી તમારી કારનો નવો માલિક નવા FASTag માટે અરજી કરી શકશે નહીં.

FASTag એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું :

– તમે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1033 પર ફોન કરીને FASTag સંબંધિત તમામ ફરિયાદોનો ઉકેલ મેળવી શકો છો.

– તમે તમારા સેવા પ્રદાતાના ગ્રાહક સંભાળ નંબર પર કોલ કરીને પણ FASTag બંધ કરાવી શકો છો.

– NHAI (IHMCL) – 1033 પર કોલ કરો. અહીં તમને FASTag બંધ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવશે.

– ICICI Bank – 18002100104 પર કોલ કરો. અહીં તમને FASTag બંધ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવશે.

– PayTm – 18001204210 પર કોલ કરીને તમારું એકાઉન્ટ બંધ કરી શકો છો.

– Axis Bank – 18004198585 પર કોલ કરીને તમારું એકાઉન્ટ બંધ કરાવી શકો છો.

– HDFC Bank – 18001201243 પર કોલ કરો. અહીં તમને FASTag બંધ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવશે.

આ પણ વાંચો :-