Home Blog Page 1250

નોકરી-ધંધાથી કંટાળ્યા છો ? આ વસ્તુની ખેતી કરો અને થોડા જ ટાઈમમાં બની જાઓ માલામાલ !

0

Tired of work Cultivate this thing and become rich

  • એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

આજકાલ નોકરી-ધંધામાં મજા નથી. આવું જ કંઈક કહેતા મોટાભાગના લોકો જોવા મળતા હોય છે. કામનું વધતું જતું ભારણ કે પછી બીજી તરફ વધતી જતી મોંઘવારીનો માર આના માટે મહઅંશે જવાબદાર હોઈ શકે. આ સ્થિતિમાં અહીં આપવામાં આવ્યો છે એક અદભૂત વિકલ્પ જેનાથી તમે સરળતાથી તમારા પરિવારનું ગુજરાન ચલાવી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે કુવારપાટા (Kuvarpata) એટલે કે એલોવેરાની ખેતીની (Aloe vera cultivation)….

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં (international market) એલોવેરાની માંગ વધારે છે. તેનું મોટું કારણ તેનો ઉપયોગ છે. એલોવેરાનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં થાય છે. ત્યારે, જો તેની ખેતી કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે. એલોવેરાની ખેતીની સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર એકવાર જ રોકાણ કરવું પડશે અને તમે આ છોડમાંથી 5 વર્ષ સુધી નફો મેળવી શકો છો.

એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

એલોવેરાના તાજા પાંદડાની વેચાણ કિંમત 5થી 6 રૂપિયા પ્રતિ કિલો છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, દરેક જગ્યાએ એલોવેરાની માંગ ખૂબ જ વધારે છે. તેવામાં તમે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ અથવા કોસ્મેટિક બનાવતી કંપનીઓને એલોવેરાના પાંદડા વેચી શકો છો.

એલોવેરાની ખેતી માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતરમાં વધુ ભેજ ન હોવો જોઈએ સાથે જ ખેતરમાં પાણી સ્થિર ન હોવું જોઈએ. રેતાળ માટી એલોવેરા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ છે. જેમાં ઈન્ડિગો સૌથી સામાન્ય છે જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. પરંતુ એલોવેરાની બાર્બાડેન્સિસ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે.

ખેડૂતો બાર્બાડેન્સિસ પ્રજાતિનું વાવેતર કરવાનું પસંદ કરે છે કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાંથી વધુ જેલ નીકળે છે. એલોવેરાની ખેતીમાં તેની વાવણી ફેબ્રુઆરીથી ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. શિયાળામાં તેનું વાવેતર નથી થતું. રોપણી વખતે બે છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું જોઈએ. છોડ રોપ્યા પછી, ખેડૂતો વર્ષમાં બે વાર તેના પાંદડા લણણી કરી શકે છે અને નફો કમાઈ શકે છે.

ખેડૂતો એક વીઘા ખેતરમાં 12 હજાર એલોવેરાના છોડ વાવી શકે છે. ખેતી માટે લગાવેલા છોડની કિંમત 3થી 5 રૂપિયા સુધીની હોય છે. એલોવેરાના એક છોડમાંથી 3.5 કિલો સુધીના પાંદડા મળે છે અને એક કિલોની કિંમત 5થી 6 રૂપિયા સુધીની હોય છે. જો કે સરેરાશ, છોડના એક પાંદડા 18 રૂપિયા સુધી વેચાય છે. એટવે 40 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક ખેડૂત અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એટલે કે એલોવેરાની ખેતીથી કુલ 5 ગણો નફો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

ATM માંથી કેશ કાઢવા જાઓ છો તો પહેલા જાણી લેજો આ નવો નિયમ, નહીંતર અટકી જશે પૈસા

0

If you go to withdraw cash from the ATM

  • જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો આ તમારા માટે કામની વાત છે. હવે SBIના એટીએમમાંથી પૈસા નિકાળવા માટે તમારે ખાસ નંબર આપવો પડશે. જો તમે આ નંબર આપતા નથી તો તમારી રોકડ અટકી જશે. એસબીઆઈએ એટીએમમાંથી રોકડ કાઢવા માટે નિયમમાં ફેરફાર કર્યો છે.

હવે તમારે એસબીઆઈના એટીએમમાંથી (SBI ATMs) રોકડ કાઢવા માટે એક સ્પેશિયલ નંબર આપવો પડશે. જો તમે આ નંબર નહીં નાખો તો તમારી રોકડ અટકી જશે. ખરેખર બેંકે એટીએમમાંથી ટ્રાન્જેક્શનને (Transaction) વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. આવો જાણીએ આ નિયમ અંગે.

ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં :

બેંક તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ નવા નિયમ હેઠળ ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં. જેમાં રોકડ કાઢતી સમયે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળે છે, જેને નાખ્યા બાદ એટીએમમાંથી રોકડ નિકળે છે.

બેંકે આપી છે માહિતી :

આ નિયમ અંગે બેંકે પહેલા જ જાણકારી આપી દીધી છે. બેંકે જણાવ્યું એસબીઆઈ એટીએમમાં લેવડ-દેવડ માટે અમારી ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી છેતરપિંડી કરનારાઓ સામે ટીકાકરણ છે. તમને છેતરપિંડીથી બચાવવા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. એસબીઆઈના ગ્રાહકોને આ વાતની જાણકારી હોવી જોઈએ કે ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી કેવીરીતે કામ કરશે.

જાણો શું છે નિયમ ? 

મહત્વનું છે કે બેંકે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે 10,000 અને તેનાથી વધુ રકમની રોકડ પર નવો નિયમ લાગુ કરી દીધો છે. જે હેઠળ એસબીઆઈના ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા એક ઓટીપી અને તેમના ડેબિટ કાર્ડ પિનની સાથે દરેક વખતે પોતાના ATMમાંથી 10,000 રૂપિયા અને તેનાથી વધુ કાઢવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો :-

MLA લખેલી કારમાંથી પકડાયો દારૂનો જથ્થો, મોટા નેતાજીના ફોન ચાલુ થઈ ગયા

A quantity of liquor seized from a car written MLA

  • ગુજરાતમાં આચારસંહિતા લાગુ થયા બાદ રોકડા રૂપિયા, સોનું, ડ્રગ્સ બાદ હવે દારૂ પકડાયો છે, ગીર સોમનાથમાં ધારાસભ્ય લખેલી કારમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો છે

ગીર સોમનાથ (Gir Somnath) ઉનામાં પાલિતાણાના (Palitana) તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉનામાં ઈગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. ચેતનભાઇ ડાભી (Chetanbhai Dabhi) હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. MLA ગુજરાત લખેલી ગાડીમાં તેઓ દારુ સાથે પકડાયા હતા. ભાજપના નેતા વિદેશી દારૂના (Foreign liquor) જથ્થા સાથે ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી છે. કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ થઈ જાય છે, જેથી પોલીસનું ચેકિંગ વધી જાય છે. આમ તો ગુજરાતમા છાશવારે દારૂ પકડાતો હોય છે. પરંતુ ગીર સોમનાથની ચૂંટણી સમયે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ધારાસભ્ય લખેલી ગાડીઓને સલામ મારીને જવા દેવી પડે છે.

પંરતુ ગીર સોમનાથ પોલીસે માંડવી ચેકપોસ્ટ પર એમએલએ ગુજરાત લખેલી નવીનકોર ઈનોવા કારને પોલીસે રોકી હતી. ત્યારે ગાડીમાં ભાવનગરના કોઈ નેતાજીએ મંગાવેલો મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો. આ બાદ પોલીસને ભલામણોનો દોર શરૂ થયો. પોલીસ દ્વારા પાલીતાણા ડુંગરપુરના બે ઈસમ અને 1 ગીર સોમનાથના યુવાનની ધરપકડ કરાઈ છે.

  • મહેબૂબ લાખેપોટા, રહે ડુંગરપુર પાલીતાણા, ભાવનગર.
  • હાર્દિક પરમાર, રહે અનિડા ગામ તાલાલા તાલુકો, ગીર સોમનાથ.
  • ચેતન ડાભી, રહે ડુંગરપુર, પાલીતાણા ભાવનગર.

સૂત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર ભાવનગરના મોટા નેતાજીની આગળ પાછળ ફરતા લોકોને છોડાવવા નેતાઓએ આકાશ પાતાળ એક કર્યા હતા. પરંતુ પુના પોલીસે નેતાજીના વચેટિયાને જેલ હવાલે કર્યા છે. ત્યારે આચાર સંહિતામાં પોલીસની સ્વતંત્ર કામગીરી ખીલીને સામે આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો, આ તારીખથી છે ભયંકર કોલ્ડ વેવની આગાહી

0

Gujaratis should be ready to face severe cold

  • ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં (North India) ભારે હિમ વર્ષાના (Snowfall) કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડયો છે ત્યારે નલિયામાં રાજ્યનું ગઇકાલે 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં (Gandhinagar) પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવે વની (Coldwave) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે એવામાં લોકો ઠંઠવાતા તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 થી 18 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે રાત્રે પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો.

આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં ઠંડી વધે તેવી શક્યતા છે. આ વર્ષે શિયાળાએ પોતાનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે અને જોરદાર ઠંડી પડે તેવી વકી છે પવનની સરેરાશ ઝડપ પણ 9 થી 10 કિલોમીટર પ્રતિકલાકે રહેતા પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડી વર્તાઇ રહી છે.

નલિયામાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. નલિયામાં 2.5 ડિગ્રી, પાટણમાં 8.8 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.7 ડિગ્રી અને અમરેલીમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગના મતે કચ્છના વિસ્તારમાં સિવિયર કોલ્ડવેવની અસર અનુભવાશે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાત સહિત કચ્છમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડતા કોલ્ડસીટી ગણાતા નલિયા સતત રાજ્યનું સૌથી ઠંડું શહેર બની રહ્યું છે. એકાએક ઠંડી પારો ગગડીને નીચો જતા કચ્છના લોકો ઠંડીથી ઠુંઠવાઇ રહ્યા છે.

નોંધનીય છે કે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર જેવા કેટલાય રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી જતાં હાડ ગાળતી ઠંડી પડી હતી. તેના કારણે જનજીવન ખોરવાયું હતું. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની આગાહી થઈ છે. પાટનગર દિલ્હીમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાયો હતો.

આ પણ વાંચો :-

ભાજપનો દાવ ઊંધો પડયો : ગાંધીનગરમાં મનપસંદ બેઠક માટે જીદે ચઢ્યા આ નેતા, મનાવવા માટે બેઠકોનો દોર

0

BJP’s bet turned upside down

  • માણસા વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગૂચવાયું છે. પાર્ટી માણસા બેઠકના દાવેદાર અમિત ચૌધરીને સતત મનાવી રહી છે. ભાજપ તેમને ખેરાલુ બેઠક પરથી ઉમેદવાર બનાવવા માંગે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગ 2022 ભારે રસાકસીનો છે. ભાજપ કોંગ્રેસના (Gujarat Congress) સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે.

એવામાં ભાજપમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે હજુ પણ 4 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર (Mansa, Kheralu, Raopura, Manjalpur) બેઠકનો સમાવેશ થાય છે. એવામાં માણસા વિધાનસભા બેઠકમાં ભાજપનું કોકડું ગૂંચવાયું છે.

અમિત ચૌધરીને મનાવવા ભાજપ કરી રહ્યું છે પ્રયાસ :

ભારતીય જનતા પાર્ટી માણસા બેઠકના દાવેદાર અમિત ચૌધરીને (Amit Chaudhary) મનાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેમને મનાવવા માટે ગઈકાલે ભાજપ કાર્યાલય કમલમમાં 2 કલાક સુધી બેઠક ચાલી હતી. પાર્ટી અમિત ચૌધરીને માણસાને બદલે ખેરાલુ બેઠક પર ઉમેદવાર બનાવવા માંગે છે. જો કે અમિત ચૌધરીએ ખેરાલુ બેઠક ચૂંટણી લડવા માંગતા નથી. તેઓ માણસા બેઠક પરથી જ ચૂંટણી લડવા માંગે છે.

બદલાઈ શકે છે સમીકરણ :

માણસા બેઠક પર સમીકરણ બદલાય તેવી ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસા બેઠક પર પાટીદાર ચહેરાની પસંદગી થઈ શકે છે. જોકે, માણસા બેઠક ઉપર ચૌધરી સમાજના સમીકરણો પર પણ ચર્ચા દોર જામ્યો છે.

માણસા બેઠકનું સમીકરણ :

માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું (Union Home Minister Amit Shah) મૂળ વતન છે. માણસા ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. માણસા ગાંધીનગર (Mansa Gandhinagar) જિલ્લાનો એક ભાગ છે અને તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. માણસા તાલુકામાં 48 ગામો તેમ જ 61 ગ્રામ પંચાયતો આવેલી છે.

માણસા મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. જેમાં 109808 પુરૂષ, 102804 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પટેલ સુરેશકુમાર ચતુરદાસનો વિજય થયો હતો. તેમણે ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીને હરાવ્યા હતા.

આ પણ વાંચો :-

મોર્નિંગ વોક કરતા કરતા પ્રેમમાં પડયા… 70 વર્ષના બાબાજી અને 19 વર્ષની યુવતીની ગજબ પ્રેમ કહાની

0

Fell in love while taking a morning walk

  • પાકિસ્તાનમાં સવાર સવારમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક 19 વર્ષની યુવતીનું દિલ 70 વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી બની ગયા.

પાકિસ્તાનમાં (Pakistan) સવાર સવારમાં સેર પર નીકળેલી એક 19 વર્ષની યુવતીનું દિલ 70 વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી (Spouse) બની ગયા.

આ કપલ વચ્ચે 50 વર્ષથી વધુ ઉંમરનું અંતર છે. તેમની લવસ્ટોરીનો (A love story) એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેએ વિગતવાર પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું છે.

આ નવ દંપત્તિનું નામ લિયાકત અને શમાઈલા છે. બંને લાહોરમાં (Lahore) ખુશીથી રહે છે. આ બધા વચ્ચે લિયાકત અને શમાઈલાએ પોતાની મુકમ્મલ થયેલી લવ સ્ટોરી અંગે શું કહ્યું અમે તમને જણાવીએ. વાત જાણે એમ છે કે શમાઈલાને પૂછવામાં આવ્યું કે તમારા પતિની ઉંમર તો ઘણી વધારે છે તો નવી નવેલી દુલ્હને કહ્યું કે ‘જુઓ પ્રેમમાં ઉંમર જોવાતી નથી, બસ મોહબ્બત થઈ જાય છે. તેમાં જાત-પાત, ઊંચ અને નીચ કશું જોવાતું નથી, તો આવામાં મને પણ મોહબ્બતના રોગે જકડી લીધી.’

જ્યારે લિયાકતે પોતાની પ્રેમ કહાની વર્ણવતા કહ્યું કે ‘રોમેન્ટિક હોવા માટે કોઈ ઉંમર હોતી નથી. દરેક ઉંમરનું પોતાનું એક અલગ રોમાન્સ હોય છે.’

વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં દર 15 દિવસે કોઈને કોઈ પ્રેમ કહાની વાયરલ થાય છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પોલેન્ડની એક એજેડ મહિલાએ પાકિસ્તાનના 30 વર્ષના યુવક સાથે નિકાહ કરવા માટે પોતાનો દેશ છોડી દીધો. ત્યારે પણ આ કહાની એટલી વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :-

 

 

VIDEO : દોસ્તના લગ્નમાં સાડી પહેરીને પહોંચ્યાં બે મિત્ર, દુલ્હા-દુલ્હને આપ્યું ગજબનું રિએક્શન

VIDEO: Two friends wearing sarees at a friend

  • અમેરિકાના મિશગન રાજ્યમાં બે દોસ્તો સાડીના વેશમાં મિત્રના લગ્નમા હાજરી આપવા માટે આવ્યાં હતા.

લગ્નમાં (Marriage) સૌથી વધારે આનંદ તો દુલ્હાના (The bride) દોસ્તોને આવતો હોય છે અને તેઓ પણ આ ખુશીના પ્રસંગની દરેક ક્ષણને માણી લેતા હોય છે અને છવાઈ જતા હોય છે. અમેરિકાના (America) મિશનગ રાજ્યના એક શહેરના બે દોસ્તો તેના મિત્રના લગ્નને ખૂબસુરત અને યાદગાર બનાવી દીધો.

સાડી અને માથે બિંદી લગાવીને પહોંચ્યાં બે મિત્રો  :

ખરેખર વાત એવી છે કે બે યુવકોએ મિત્રના લગ્નમાં જવા માટે કંઇક અલગ કરવાનું વિચાર્યું અને તેમણે સાડી પહેરી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તે છોકરાઓને સાડી પહેરવામાં મદદ કરે છે. સુંદર અને તેજસ્વી સાડી પહેર્યા બાદ બંને મિત્રના લગ્નમાં જવા તૈયાર થયા હતા.

તેણે કપાળ પર બિંદી પણ લગાવી હતી. આ પછી તેણે આ નવા લુકમાં એક મિત્ર પાસે જવા માટે હા પાડી. શિકાગોના મિશિગન એવન્યુ પર ચાલતા ચાલતાં ચાલતાં તે પોતાના મિત્ર પાસે પહોંચ્યા હતા.

દુલ્હા અને દુલ્હન હસીહસીને લોટપોટ થઈ ગયા  :

જિગરી મિત્રોને સાડીમાં આવેલા જોઈને દુલ્હા અને દુલ્હન તો ઘડીવાર તાકતા રહી ગયા હતા અને પછી તો હસી હસીને ગોટે વળી ગયા હતા. દુલ્હા અને દુલ્હનને પણ તેમનો આ અલગ અંદાજ ખૂબ પસંદ આવ્યો હોવાનું લાગતું હતું. દુલ્હાએ બન્ને મિત્રોનો ખૂબ સત્કાર કર્યો હતો.

4 લાખથી વધુ વખત જોવામાં વીડિયો :

સાડી પહેરેલા છોકરાઓનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પેરાગોનફિલ્મ્સ નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 39 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો :-

 

આવી રહી છે નવી Toyota Fortuner ! અંદાજ જૂનો પરંતુ ફીચર્સ નવા દમદાર, 

0

New Toyota Fortuner is coming

  • નવી પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર આગામી વર્ષે એન્ટ્રી કરી રહી છે. એસયૂવીના નવા મોડલને સૌથી પહેલા થાઈલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં આવશે.

Toyota Fortuner: નવી પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર આગામી વર્ષે એન્ટ્રી કરી રહી છે. SUV ના નવા મોડલને સૌથી પહેલા થાઈલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ અન્ય દક્ષિણ પૂર્વ એશિયન (South East Asian) દેશોમાં લાવી શકાય છે. તે ભારતમાં 2023ના અંત કે 2024ની શરૂઆતમાં આવી શકે છે.

2023 ટોયોટા ફોર્ચ્યૂનરમાં ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. તેમાં નવી બોડી પેનલ પણ હશે. આ વધુ ફીચર લોડેડ હશે અને હાઈબ્રિટ પાવરટ્રેનની (Hybrid powertrain) સાથે આવી શકે છે. તેમાં વર્તમાન IMV આર્કિટેક્ચરની જગ્યાએ TNGA-F પ્લેટફોર્મ પર બેસ્ડ બનાવી શકાય છે.

આ પ્લેટફોર્મ 2023ની શરૂઆતમાં આવનારી નવી ટોયોટા ઈનોવા આઈક્રોસમાં પણ મળી શકે છે. ટોયોટાની ગ્લોબલ Tundra, Sequoia અને Land Cruiser SUVs ને પણ ટીએનજીએ-જી પ્લેટફોર્મ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે 2850 મિમીથી 4180 મિમીની વ્હીલબેસ લંબાઈને સપોર્ટ કરે છે.

નવી ફોર્ચ્યૂનરમાં માઈલ્ડ હાઈબ્રિડ તકનીક અને ઈન્ટીગ્રેટેડ સ્ટાર્ટર જનરેટરની સાથે 1GD-FTV 2.8L ડીઝલ એન્જિન મળી શકે છે. ડીઝલ હાઈબ્રિડ પાવરટ્રેનને જીડી હાઇબ્રિડ નામ આપી શકાય છે. નવા હાઈબ્રિડ પાવરટ્રેન એસયૂવીને પહેલાથી વધુ ફ્યૂલ એફિશિએન્ટ બનાવશે.

ફીચર પ્રમાણથી નવી 2023 ટોયોટા ફોર્ચ્યૂનર વર્તમાન જનરેશનવાળા મોડલથી વધુ અફડેટ હશે. એસયૂવીને ADAS (એડવાન્સ ડ્રાઇવર અસિસ્ટેન્ટ સિસ્ટમ) ની સાથે રજૂ કરી શકાય છે. જેમાં બ્લાઇંડ સ્પોટ ડિટેક્શન, ઓટોમટિક ઈમરજન્સી બ્રેકિંગ, ઓટોમેટિક પાર્કિંગ અસિસ્ટ, અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફોરવર્ડ કોલિશન વોર્નિંગ અને લેન ડિપાર્ચર સામેલ છે. વર્તમાન હાઈડ્રોલિક સ્ટીયરિંગ વ્હીલને ઈલેક્ટ્રિક પાવર યુનિટથી બદલી શકાય છે. નવી Fortuner વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમની સાથે આવી શકે છે.

વર્તમાન પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર 32.59 લાખ રૂપિયાથી 50.34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રાઇઝ રેન્જનની વચ્ચે આવે છે. તેમાં 9 વેરિએન્ટ આવે છે. તેમાં ડિઝાઇન, ફીચર અને મેકેનિકલ અપગ્રેડ હોવાની સાથે એસયૂવીની કિંમત પણ વધશે.

આ પણ વાંચો :-

ઉપરથી અકબંધ દેખાતા ભાજપમાં બધુ સમુ સુથરું નથી

  • ક્રમશઃ જુથવાદ ઊભો કરી રહેલાં નેતાઓને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભાજપને ભાંગી જતા વાર નહીં લાગે.
  • ભૂતકાળમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, પરંતુ ભાજપમાં આ વખતે જોવા મળેલા દૃશ્યો ક્યારેય પણ જોવા મળ્યાં નહોતા.
  • કેડરબેઝ પાર્ટીનાં નામે આગેવાનો, કાર્યકરોને ક્યાં સુધી શિસ્તમાં રાખી શકાશે? સહનશીલતાની હદ આવતા વિસ્ફોટ થતાં વાર નહીં લાગે.
  • વિજય રૂપાણી સરકારનું પતન, ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના આ બધુ થવા પાછળ ભાજપનાં ભૂર્ગભમાં કોઈ ચોક્કસ દાવાનળ ભડકી રહ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ઘણાં સમીકરણો બદલી નાંખશે. ગુજરાતમાં આમ આદમીનાં (Aam Aadami Party) પગ પેસારા કરતાં ભાજપની આંતરિક અહંમ્ અને વર્ચસ્વની લડાઈ ચૂંટણીની ચોપાટને વધુ રોચક બનાવી રહી છે. આ વખતે ટિકિટોની વહેંચણીમાં ભૂતકાળમાં નથી થયું એવી અનેક ઘટનાઓએ જન્મ લીધો છે. ભય એ વાતનો પણ છે કે ઉપરથી અકબંધ દેખાતા ભાજપમાં જુથનાં નામે નવા તડા પણ ઊભા થઈ શકે. તિરાડ પડવાની શરૂઆત ખુબ જ નાની ઘટનાથી થાય છે, પરંતુ આ પ્રારંભિક તિરાડને સમયસર (Time to crack) પુરવામાં નહીં આવે તો આગળ જતાં મોટું ભંગાણ પડી શકે.

ભાજપમાં ઉપર ઉપરથી બધુ સાફ સુથરું લાગી રહ્યું છે, પરંતુ હકીકતમાં એવું નથી. નેતાઓમાં સળગતો દાવાનળ દિવસો બાદ કાર્યકરોમાં પણ ભડકવાનો ભય આકાર લઈ રહ્યો છે.

ગુજરાત ભાજપનાં અધ્યક્ષપદે સી.આર. પાટીલની વરણી, વિજય રૂપાણી સરકારનું પતન, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના આ ત્રણ ત્રણ મહત્ત્વની અને કોઈએ કલ્પના પણ કરી નહીં હોય એવી આંચકાજનક ઘટનાઓ સાવ સામાન્ય અને સહજ ઘટનાઓ નથી.

એક કામ કરતી આખી સરકારને રાતોરાત ઉથલાવીને ફેંકી દેવી અને કોઈની કલ્પના પણ નહીં હોય ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના કરવી આ બધુ થવા પાછળ ભાજપનાં ભૂગર્ભમાં કોઈ ચોક્કસ દાવાનળ ભડકી રહ્યો હોવાના સંકેત આપી રહ્યો છે.

પરંતુ ભાજપની ટોચની નેતાગીરી આ ઘટનાઓને પક્ષની એક સામાન્ય અને રાબેતા મુજબની ઘટના ગણાવી રહી છે. પક્ષમાં ખરેખર બધુ સમુ સુથરું ચાલતુ હતું તો રૂપાણી સરકારને વિખેરી નાંખવાની શા માટે જરૂર પડી? આ સવાલનો જવાબ ભાજપ નેતાગીરી સહિત કોઈની પાસે પણ નહીં હોય. આનાથી આગળ વધીને ભૂપેન્દ્ર પટેલની સરકાર પક્ષનાં એજન્ડા પ્રમાણે કામ કરતી હતી તો ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર લગામ કસવાની જરૂર જ ક્યાં હતી? પક્ષની નેતાગીરીનાં ઈન્કાર વચ્ચે પણ લોકો અને કાર્યકરો સમજી ચૂક્યા છે કે, પક્ષમાં બધું જ ઠીક નથી. ક્યાંકને ક્યાંક અસંતોષ અને સર્વોપરિતાની લડાઈ હાવી થવા પ્રયત્ન કરી રહી છે.

આ બધુ થવાથી સરવાળે ગુજરાતની પ્રજાનાં જનમાનસમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. કારણ કે, ભાજપમાં યાદવાસ્થળીની ઘટનાઓ ભાગ્યે જ બનવા પામે છે અને એટલે જ ભાજપનો કાર્યકર આઘાત અનુભવી રહ્યો છે. કાર્યકરોને મજબૂરીવશ જુથવાદમાં વહેંચાવું પડી રહ્યું છે. ભાજપ નામે એક ગણાતા કાર્યકરો હવે જુથના નેતાનાં નામથી ઓળખાઈ રહ્યાં છે અને આ જુથવાદને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભાજપને પણ ટુકડામાં વહેંચાઈ જતા વાર નહીં લાગે.

પક્ષ મોટો થયો, રાજ્યો અને કેન્દ્રમાં સત્તામાં આવવાથી ભાજપના કાર્યકર તરીકે દરેક ગર્વ અનુભવે એ સ્વભાવિક છે અને પક્ષનાં કાર્યકરને પણ ગર્વ થવો જ જોઈએ. પરંતુ સમગ્ર ભાજપને એક પરિવારની નજરે જોનારા કાર્યકરને કોઈ નેતાના જુથનાં નામે ઓળખ આપવી પડે ત્યારે એ સ્થિતિ ખરેખર આઘાતજનક હોય છે અને ભાજપ નેતાગીરી આ વાત નહીં સ્વીકારે પણઆવી સ્થિતિ આકાર લઈ રહી છે.

ભૂતકાળમાં કોંગ્રેસનાં નેતાઓ જ કોંગ્રેસના ઉમેદવારને હરાવતા હતા. આ સ્થિતિ રોકવામાં નહીં આવતા આજે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસને મજબૂત ઉમેદવાર મળતા નથી. અરે! ઉમેદવારની વાત છોડો, ચૂંટણી લડવા માટે પુરતુ ફંડ પણ નથી!!

આવી સ્થિતિ ભાજપની પણ થઈ શકે. સિવાય કે નેતાગીરી દ્વારા સમયસર જુથવાદનાં દાવાનળને ડામી દેવામાં આવે અથવા તો પક્ષમાં જુથવાદનાં ‘સડા’ની શરૂઆત કરનાર લોકોને સમયસર ઓળખી લેવામાં આવે. ‘સડ્યુ ત્યાંથી કાપી નાંખવું’ આ ગુજરાતી કહેવત મુજબ પક્ષની એકતા અને સ્વાભિમાનતાને લૂંણો લગાડી રહેલા લોકોને તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ભાજપ ભલે ગમે તેટલો શક્તિશાળી પક્ષ હોય, પરંતુ ભાંગીને ભુક્કો થઈ જતા વાર નહીં લાગે.

કારણ આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનાં ‘પર્યાય’ બની ગયા છે. ભાજપ પાસે ‘વોટ બેંક’ છે. કારણ કે, ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે. પરંતુ નરેન્દ્ર મોદીનાં કરિશ્માને જીવંત રાખવા ભાજપ કાર્યકરોનો પક્ષમાં અને નેતાગીરીમાં મીનમેખ વિશ્વાસ હોવા અનિવાર્ય છે.

આ વખતની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી દરમિયાન બનેલી ઘટનાઓએ ભાજપ માટે ચોક્કસ ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. ભૂતકાળમાં પણ અનેક ચૂંટણીઓ આવી અને ભાજપ જીતતુ પણ આવ્યું છે, પરંતુ આ વખત જેટલો અસંતોષ ભૂતકાળમાં ક્યારે પણ જોવા મળ્યો નહોતો. કારણ કે, ભાજપમાં એક રાગીતા હતી. ભાજપ કેડરબેઝ એટલે શિસ્તબદ્ધ પાર્ટી હોવાના નામે કાર્યકરો ક્યાં સુધી અન્યાય અને જોહુકમી સહન કરતા રહેશે? અને સહનશીલતાની હદ આવશે ત્યારે વિસ્ફોટ થતા વાર નહીં લાગે.

ભૂતકાળમાં શંકરસિંહ અને કેશુબાપાએ બંડ પોકાર્યા હતા, પરંતુ એ સમયના વિદ્રોહ પાછળ ચોક્કસ વ્યક્તિની સત્તા લાલસા કારણભૂત હતી. પરંતુ બદલાયેલા સંજોગોમાં કાર્યકરોને જુથવાદમાં ઘસડી જવાની આકાર લઈ રહેલી સ્થિતિ ભાજપનાં ભવિષ્ય માટે ઘાતક પુરવાર થઈ શકે. ગુજરાતમાં ખરેખર સ્થિતિ નિયંત્રણમાં અને સંતોષકારક હોત તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિવસો સુધી ગુજરાતમાં પડાવ નાંખવાની જરૂર જ ક્યાં હતી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઉપરાછાપરી સભાઓ અને કાર્યક્રમો કરવાની જરૂરિયાત ઊભી થઈ ન હોત, પરંતુ આ બધુ થઈ રહ્યું છે એજ બતાવે છે કે, ગુજરાત ભાજપમાં બધુ હેમખેમ નથી.

અલબત્ત હજુ એવી સ્થિતિ નથી કે, રિપેરિંગ કરી શકાય નહીં. થોડા લોકોની મનની વાત અને અન્યાયને સમજવાની કોશિષ કરવામાં આવે તો ગુજરાતમાં હજુ ભાજપની સ્થિતિ મધ્યાહનનાં સૂર્યથી જરા પણ દૂર નથી.

આ પણ વાંચો :-

સ્મૃતિ ઈરાનીને ગુજરાતની પાણીપુરીનો ચટકો લાગ્યો, કાફલો રોકાવીને પાણીપુરી ખાધી

0

Smriti Irani got a taste of Gujarat pani

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આણંદમાં માણ્યો પાણી પુરીનો સ્વાદ. કાફલો રોકી પાણીપુરી ખાધી.

ચૂંટણી આવે એટલે નેતાઓમાં નવું નવું જોવા મળે છે. મતદારોને રીઝવવા નેતાઓ મેદાને પડે છે. રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. જેઓ સ્થાનિક ઉમેદવારો (Local candidates) માટે મત માંગવા અપીલ કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) આણંદમાં આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમણે કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો (Panipuri) આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુરી ખાધી હતી. તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. તેમણે આજે આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમથી નીકળ્યા બાદ તેમણે આણંદમાં જ એક પાણીપુરીના સ્ટોલ પર પોતાનો કાફલો રોકાવ્યો હતો.

તેમણે કારમાંથી ઉતરીને સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાધી હતી. ગુજરાતની પાણીપુરીનો સ્વાદ તેમની દાઢે વળગ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અગાઉ આવ્યા ત્યારે પણ પાણીપુરી ખાધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીના મેદાનમાં સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી છે. 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20 થી વધુ સભાઓ કરશે. તો આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સામેલ છે.

આ પણ વાંચો :-