Home Blog Page 1224

મની પ્લાન્ટમાં નાંખો દૂધના ચાર-પાંચ ટીપા નાખ્યા બાદ જોવા મળશે આ ચમત્કાર

After putting four-five drops

  • વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ઘરની અગ્નિ દિશામાં લગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

ભારતમાં મોટાભાગના ઘરમાં લોકો મની પ્લાન્ટ (money plant) લગાવતા હોય છે. આ પ્લાન્ટ મૂકવાથી ઘરમાં રૂપિયા આવે છે તેવી માન્યતા છે. મની પ્લાન્ટ દેખાવમાં બહુ જ સુંદર હોય છે. સાથે જ વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ (money plant) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips) માં ઘરમાં મની પ્લાન્ટને લગાવવાને લઈને કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ એ નિયમ વિશે.

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ઘરની અગ્નિ દિશામાં લગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવુ બહુ જ પૂર્વ માનવામાં આવે છે. આ દિશા ભગવાન ગણેશની દિશા કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ભાગ્ય સુધરી જાય છે.

મની પ્લાન્ટને પાણી આપતા સમયે તેમાં દૂધના કેટલાક ટીપા જરૂર મિક્સ કરો. આવુ કરવાથી ધનમાં વધારો થયો છે. મની પ્લાન્ટને તમે કોઈ રસી કે દંડાના સહારાથી બાંધો. આવુ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેમજ ભાગમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

આ પણ વાંચો :-

પિતા વિહોણી 300 દીકરીઓને પરણાવશે સવાણી પરિવાર, 1 લાખ લોકો લેશે અંગદાનના સોગંદ

0

Savani family will marry 300 fatherless daughters

  • સવાણી ગ્રુપ દ્વારા આયોજીત લગ્ન સમારોહમાં આ વર્ષે પિતા ગુમાવનારી 300 દીકરીઓના લગ્ન કરવામાં આવશે. જેમાં સવાણી પરિવારના પણ દીકરા-દીકરી લગ્નની ગ્રંથીએ જોડાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ગ્રુપ (P.P. Savani Group) દ્વારા સુરતમાં ફરીથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ માટે સમૂહ લગ્નનું (Group Marriage) આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં સવાણી પરિવાર 300 દીકરીઓને પરણાવશે.

જેમાં 4 મુસ્લિમ અને 1 ખ્રિસ્તી દીકરીઓના પણ તેમના ધર્મ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે. આ સમારોહ 24 અને 25 ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે. જે 300ના લગ્ન થવાના છે. તેમાં અલગ-અલગ સમાજ અને જાતિમાંથી આવતી દીકરીઓનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે આ લગ્ન સમારોહમાં સવાણી પરિવારના દીકરા-દૂકરીના પણ લગ્ન કરવામાં આવશે. જણાવી દઈએ કે મહેશ સવાણીના સગા ભાઈઓના દીકરા-દીકરી પણ આ સમારોહમાં જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે મહેશ સવાણી અને તેમનો પરિવાર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે. અત્યારસુધીમાં તેઓ 4,872 થી વધુ નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે. આ લગ્ન સમારોહમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મની છોકરીઓ તેમના જીવનસાથી સાથે લગ્નના તાંતણે બંધાશે.

જણાવી દઈએ કે લગ્ન સમારોહ સિવાય 1 લાખથી વધુ લોકો એક સાથે અંગદાન માટે સોગંદ લઈને એક વિક્રમ સર્જશે. આ સાથે જ, 1000 વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત જે બાળકે માતા પિતા ગુમાવ્યા છે. દિવ્યાંગ અથવા આર્થિક નબળા પરિવારના બાળકોને દત્તક લેવામાં આવશે.

જેમાં આ દીકરા-દીકરીઓને JEE/NEET/CA/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી તેમજ ડોક્ટરી, સીએ સહિતના અભ્યાસ માટે તેમને આર્થિક તેમજ શૈક્ષણિક મદદ કરવામાં આવશે.

લગ્ન સમારોહ બાદ જો દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, મેડિકલ સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, દીકરીઓના લગ્ન, અકસ્માત વીમો, લોન સુવિધા સહિતના અનેક લાભો પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

અમે તો આમ આદમી પાર્ટીના કારણે જ ગુજરાતમાં ચૂંટણીમાં હાર્યા, નહીંતર ભાજપને બતાવી દેત : રાહુલ ગાંધી

0

We lost the election in Gujarat

  • રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની (Gujarat Congress) હાર માટે આમ આદમી પાર્ટીને (Aap Gujarat) જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શુક્રવારે 100 દિવસ પુરા કરી ચુકી છે. જે બાદ રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરમાં (Jaipur) તેમણે અશોક ગહલોત (Ashok Gehlot) સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો આપને પ્રોક્સી તરીકે ન રાખવામાં આવ્યા હોત અને કોંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં માટે ઉપયોગ ન કર્યો હોત તો કદાચ ત્યાં પણ ભાજપ હારી જાત. આપને જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 17 સીટો મળી છે. જ્યારે આપને 5 સીટો જ મળી છે. તો ભાજપને નિર્ણાયક રીતે 156 સીટ સાથે ફરી વાર સરકાર બનાવી છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ત્યાં પુરી સંઠનાત્મક શક્તિનો ઉપયોગ કર્યો પણ અમે તેમને હરાવી દીધા. તેમણે આગળ કહ્યું કે ચોક્કસપણે ગુજરાતમાં જો આપને પ્રોક્સી તરીકે ન રાખ્યા હોત અને કોંગ્રેસને ટાર્ગેટ બનાવાનો ઉપયોગ ન કર્યો હોત તો અમે ત્યાં પણ ભાજપને હરાવી દેત. હાલમાં જ ભાજપે ગુજરાતમાં ક્લિન સ્વીપ કર્યું છે.

આ પણ વાંચો :-

શું તમે ગુટકાના બંધાણી છો ? તો સરકાર પાન-મસાલા અને ગુટકાના બંધાણીઓને આપવા જઈ રહી છે ઝટકો ?

0

Are you a Gutka Bandani

  • GST કાઉન્સિલની 48મી બેઠક આજે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ  (GST Council)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા થઈ શકે છે.

GST કાઉન્સિલની 48મી બેઠક (GST Council Metting)માં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લગાવવા પર વિચારણા થઈ શકે છે. હકીકતમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ના રિપોર્ટમાં ગુટખા કંપનીઓની કરચોરીના મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ એક્સ્ટ્રા ટેક્સ લાદવાની પણ વાત કરવામાં આવી હતી.

38 વસ્તુઓ પર પ્રસ્તાવ :

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)એ એક ‘સ્પેસિફિક ટેક્સ આધારિત વસૂલાત’નો પ્રસ્તાવ મૂક્યો છે. પેનલે કુલ 38 વસ્તુઓ પર વિશિષ્ટ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમાં પાન-મસાલા, હુક્કા, ચિલમ, તમાકુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓની છૂટક વેચાણ કિંમત પર 12 ટકાથી લઈને 69 ટકા સુધીનો વધારાનો ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં તેના પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે.

કરચોરી રોકવામાં મળશે મદદ :

ઓડિશાના નાણામંત્રી નિરંજન પૂજારીની આગેવાની હેઠળની પેનલે આ મુદ્દે પોતાનો અંતિમ રિપોર્ટ સુપરત કર્યો છે. શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં તેને રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો રિપોર્ટ મંજૂર થાય છે, તો આ ક્ષેત્રોમાં રિટેલર અને ડિસ્ટ્રિબ્યુટર બંને સ્તરે આવકના લીકેજને રોકવામાં મદદ મળશે.

કેટલો વધશે ટેક્સ?

ધારો કે કોઈ પાંચ રૂપિયાના પાન-મસાલાના પેકેટ પર ઉત્પાદક 1.46 રૂપિયાનો GST ચૂકવે છે. પછી ડિસ્ટ્રીબ્યૂટર રૂ.0.88 ચૂકવે છે. આ રીતે કુલ રૂ.2.34નો ટેક્સ ભરાયો. હવે પ્રસ્તાવિત પગલા મુજબ, ટેક્સ આઉટગો કમોબેશ 2.34 રૂપિયાથી રહેશે. પરંતુ ઉત્પાદક 2.06 રૂપિયા અને ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલરને 0.28 રૂપિયા ચૂકવશે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં પૂર્વ ક્રિકેટરના બે બેંક એકાઉન્ટ જપ્ત કરાયા, થઈ લાખો રૂપિયાની વસૂલાત, જાણો સમગ્ર મામલો

0

Two bank accounts of ex-cricketer of Gujarat

  • ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભરૂચના ઈખર ગામના રહેવાસી મુનાફ પટેલ મોટા વિવાદમાં સપડાયા છે. યુપી રેરા (UP Rera) દ્વારા રિકવરી સર્ટિફિકેટ પર કાર્યવાહી કરતા મુનાફ પટેલના બેંક ખાતાને ફ્રીઝ કરીને 52 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ ક્રિકેટર અને ભરૂચના ઈખર ગામના રહેવાસી મુનાફ પટેલ (Munaf Patel) મોટા વિવાદમાં સપડાયા છે. યુપી રેરા (UP Rera) દ્વારા રિકવરી સર્ટિફિકેટ પર કાર્યવાહી કરતા મુનાફ પટેલના બેંક ખાતાને ફ્રીઝ કરીને 52 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. 2011ના વર્લ્ડકપ ટીમમાં મહત્વપૂર્ણ ખેલાડી મુનાફ પટેલની કંપની પર છેતરપિંડીના આક્ષેપ લાગ્યા છે.

શું હતો સમગ્ર મામલો ?

મુનાફ પટેલ ઉત્તર પ્રદેશના નોઈડામાં બિલ્ડર કંપની ‘નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. આ કંપનીનો વનલીફ ટ્રોય નામનો પ્રોજેક્ટ છે. જે સમય પર પૂરો ન થતા રોકાણકારોએ યુપી રેરામાં ફરિયાદ કરી હતી. જેના પર સુનાવણી બાદ યુપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ કર્યો હતો અને તેનું પાલન ન થતા યુપી રેરાએ રિકવરી સર્ટિફિકેટ જારી કર્યા છે. હાલમાં યુપી રેરા પાસે બિલ્ડર વિરુદ્ધ 10 કરોડની રકમના 40 જેટલા રિકવરી સર્ટિફિકેટ છે. અધિકારીઓ રિકવરી કરી રહ્યા છે પરંતુ બિલ્ડર પૈસા નથી આપી રહ્યો.

હજુ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેશે :

અધિકારીઓએ જણાવ્યું કે, ક્રિકેટર મુનાફ પટેલ પણ કંપનીમાં ડાયરેક્ટર છે. નોઈડા અને ગુજરાતમાં એક્સિક બેંકની બે બ્રાન્ચમાં તેમના એકાઉન્ટ છે. બંને ખાતાને જપ્ત કરીને રિકવરી સર્ટિફિકેટની રકમ વસૂલવામાં આવી છે. બંને બેંક એકાઉન્ટમાંથી લગભગ 52 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડર વિરુદ્ધ આગળ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો :-

જો જો હો ! કોઈ તમારા દસ્તાવેજથી ખેલ ન કરી જાય, સોશિયલ મીડિયામાંથી ફોટા લઈ બારોબાર લોન લેવાઈ, આવી રીતે ફૂટ્યો ભાંડો

If yes! No one can play with your documents

  • રાજ્યમાં ખોટા દસ્તાવેજો આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે.

રાજ્યમાં ખોટા દસ્તાવેજો (False documents) આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે. જેમાં એસઆરપી (SRP) જવાનના નામે  ખોટા દસ્તાવેજો બનાવડાવી કોઈ પણ કોમર્શિયલ મિલકત (Commercial property) ન હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી બેંકમાંથી લોન લઈ બેંક સાથે છેતરપીંડી કરતા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

બે ભેજાબાજોએ ખોટા ભાડા કરાર કર્યા :

મેઘરજના મૂળ વતની અને એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા આશીશભાઈ ધોબી જેઓએ મેઘરજ માં કોઈ જ પ્રકારની કોમર્શિયલ મિલકત ધરાવતા ન હોવા છતાં તેમના નામે ખોટા પુરાવા ઉભા કરી બે ભેજાબાજ વ્યક્તિઓએ મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લાખો રૂપિયાની લોનની રકમ ઉપાડી લીધી હતી. ભેજાબાજોએ ખોટા ભાડા કરાર અને નોટરી કરી લોનના કાગળો બેંકમાં રજુ કર્યા હતા.

મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી :

ત્યારે એસઆરપી જવાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાસપોર્ટ સાઈઝ ફોટા પણ મેળવી લેવાયા હતા એસઆરપી જવાનના નામે લાખો રૂપિયાની લોન ઉધરી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા આશીશભાઈ ધોબી નામના જવાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી લાખોની લોન મેળવી લેનારા મેઘરજ તાલુકાના રોલા ગામના રાવળ ભીખાભાઈ હીરાભાઈ અને મોડાસા તાલુકાના રામપુર- શીનાવાડ ગામના મનહરભાઈ પુનાભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે તપાસ શરૂ કરી છે.

બેંક મેનેજર શું કહે છે :

આ બાબતે બેંક મેનેજર નિકુંજ ચૌધરીએ જણાવ્યું હતું કે આશિષ ધોબીના નામે કોઈએ લોન લીધી નથી. પરંતું આશિષભાઈ ધોબીને દુકાનના માલિક બનાવીને અન્ય બે વ્યક્તિ દ્વારા ભાડા કરાર કરીને લોન લેવામાં આવી છે. ત્યારે બેંકમાં લોનનો હપ્તો નિયમિત ન ભરતા હોઈ આ બાબતની જાણ થવા પામી છે. ત્યારે આરોપીઓ દ્વારા અત્યાર સુધી માત્ર લોનનું વ્યાજ જ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે લોનની રકમ ચૂકવવાની બાકી છે. આ બાબતે અમે લીંગલ નોટીસ મોકલી છે.

આ પણ વાંચો :-

પાલિતાણામાં જૈનોના પવિત્ર યાત્રાધામમાં તોડફોડથી સમાજ રોષે ભરાયો, હુમલા બાદ તત્કાલ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

0

Harsh Sanghvi held a meeting with

  • ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવીના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે

પાલિતાણા ગિરિરાજ પર્વત (Palitana Giriraj Mountain) પર ચાલતો વિવાદનો ક્યારે અંત આવશે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ગિરિરાજ પર્વત પર સીસીટીવીના થાંભલાની તોડફોડ કરાઈ છે. શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવી ના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ (Sabotage) કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાત ભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સુરજકુંડ પાસે CCTV ઉભા કરાયા હતા. કેટલાક લોકોએ CCTV ના પોલ હટાવ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વીજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળઈ છે. શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે.

મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો :

પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં IG, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી આદેશ આપશે.

તો બીજી તરફ શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાનો મામલે જૈન સમાજ ગિન્નાયો છે. અમદાવાદના તમામ જૈન સંઘોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા. તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં આકરા નિર્ણય લેવાય તેવી સંભાવના છે. તો આગામી રવિવારે પ્રતિક સ્વરૂપે રેલી પણ યોજાશે.

આ મામલે શ્રી મહાસંઘ અમદાવાદના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યું કે, મંદિરની આસપાસ થતું માઈનિંગ અટકવું જોઈએ. અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કરી જૈન અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. માત્ર 2-5 વ્યક્તિઓની ધરપકડથી નહિ ચાલે. આ ષડયંત્ર બંધ થવું જોઈએ. 10 મુદ્દાઓની માગણી સાથે સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળશે.

આ પણ વાંચો :-

 M S યુનિવર્સિટી બની નશાનો અડ્ડો ? ગાંજાની સિગારેટ ફૂંકતા વિદ્યાર્થીઓના ફોટો વાયરલ થતા વિવાદ, જાણો સમગ્ર મામલો

0

Has MS University become a hangout

  • એમ.એસ. યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ.યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે.

એમ.એસ. યુનિવર્સિટી (M.S. University) અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ. યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ (Cannabis cigarettes) ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે. ત્યારે વાયરલ થયેલ ફોટોમાં યુવક ગાંજાની સીગરેટ ફૂંકતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓનાં ફોટા વાયરલ થતા વિવાદ થવા પામ્યો છે. વાયરલ ફોટામાં વિદ્યાર્થી હોસ્ટેલમાં બેસીને નશો કરતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે યુનિવર્સિટીમાં અગાઉ દારૂ પાર્ટીને લઈને વિવાદ થયો હતો. ત્યારે આ વાયરલ ફોટાની Gujarat Guardian પુષ્ટિ કરતું નથી.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે એમ.એસ.યુનિવર્સિટી :

અગાઉ વડોદરાની MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ સમાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી :

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ‘ ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે  પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.

બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 ગુજરાત હાઈકોર્ટેની સરકારને કરી ટકોર કહ્યું કે તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવો નહીંતર….

0

The Gujarat High Court challenged

  • સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.

પ્રાથમિક શાળામાં (Primary school) ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો લાચારી શા માટે સરકાર બતાવી રહ્યું છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે.

જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અશક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.

મહત્વનું છે કે, સરકાર તરફી રજુઆત કે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. આ મામલે વધુ સુનાવણી આગામી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સંકુલો અને જાહેર સ્થળોએ નામ, સૂચના, માહિતી કે દિશા- નિર્દેશો લખેલા હોય તે લખાણોમાં પણ હિન્દી- અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. ત્યારબાદ હવે હાઈકોર્ટ પણ આ અંગે ટકોર કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રાગતિશીલ છે. જે અંગે અગાઉ 8 મહાનગરોમાં શિક્ષણ સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓના નામના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.જે મામલે સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

રાજસ્થાનનાં કોટામાં ચાર-ચાર વિદ્યાર્થીઓનાં આપઘાત ! સંતાનોને ડોક્ટર, ઈજનેર બનાવવાની ઘેલછા કારણભૂત

  • માત્ર સામાજિક પ્રતિષ્‍ઠા માટે થઈને સંતાનની કુદરતી રૂચિની વિરુદ્ધ જઈને કૃત્રિમ માર્ગે લઈ જવાથી આવા માઠા પરિણામ જ આવી શકે.
  • કોટા શિક્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ આધુનિક કોચિંગ સેન્ટરોની ક્ષમતા ભાગ્યે જ કોઈ તપાસ કરતું હતું.
  • આપઘાત કરીને મોતને ભેટેલા માત્ર ૧૭, ૧૮ વર્ષનાં બાળકો પરિવારથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં હતાં અને એકનાં એક સંતાન હતાં !
  • ૯૦ ટકા ઉપરાંત માર્ક લાવતી એક વિદ્યાર્થિનીએ પણ આપઘાત કરી લીધો, કારણ તેમણે પોતાની નહીં પરિવારની ઈચ્છાથી સાયન્સમાં પ્રવેશ લીધો હતો. પરંતુ તેની ઈચ્છા જુદી જ હતી.

પરિવારની સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઘેલછા અને સારા નંબર્સ લાવવાનો આગ્રહ કાચી વયના સંતાનો માટે કેટલો જોખમી પુરવાર થાય છે એ ગત દિવસોમાં રાજસ્થાનનું (Rajasthan) શિક્ષણનું સેન્ટર ગણાતા કોટામાં એક વિદ્યાર્થિની સહિત ચાર વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાની ઘટનાએ પુરવાર કરી બતાવ્યું છે બાળકના કુદરતી વિકાસને જ્યારે બળજબરીથી કૃત્રિમ વિકાસનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે બાળકો કોઇને કોઇ વિકૃતિનો શિકાર બને છે.

આજકાલ દરેક પરિવાર એવું ઇચ્છે છે કે તેમનું સંતાન મેડિકલ (Medical) અથવા તો ઈજનેરી ક્ષેત્રમાં (Engineering field) જવો જોઇએ પરંતુ બાળકને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઘેલછામાં પરિવાર એ વાત ભુલી જાય છે કે કુદરતે તેમના સંતાન માટે શું નિર્માણ કર્યું છે. પરંતુ પ્રતિષ્‍ઠાની હોડમાં સંતાનના કુદરતી વિકાસને નજર અંદાજ કરવામાં આવે છે. અભ્યાસના વધારે પડતા ભારણને કારણે વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે પરંતુ થોડા દિવસની ચિંતા અને ચર્ચા બાદ બધુ જ ભુલી જવાય છે અને શિક્ષણનો વેપલો ફરી ધમધમતો થઇ જાય છે.

અહિંયા સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે શાળા, કોલેજોમાં ભણાવવામાં આવતા જ વિષયો ખાનગી ટ્યુશન કલાસીસમાં ભણાવવામાં આવે છે એજ ટેક્સ બુક અને એજ વિષય જો ભણાવવાના હોય તો, શાળા, કોલેજોમાં ખરેખર શું ભણાવવામાં આવે છે? આ સમસ્યા આજની નથી ભૂતકાળમાં પણ આ વિષયો ઉપર અનેક વિવાદ ઉભા થયા હતા અને ત્યાર પછી પણ વિદ્યાર્થીઓના આપઘાતનો સિલસિલો અટક્યો નથી. ખરેખર તો પ્રાઇવેટ ટ્યુશન કલાસીસને તાળા મારી દેવા જોઇએ. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ એ કોઇ સરકાર માન્ય શિક્ષણ સંસ્થાઓ નથી વળી ઘણાં કિસ્સામાં આવા ટ્યુશન કલાસીસના શિક્ષકોનું બાળકોને ભણાવવાનું લેવલ સાવ તળિયાનું હોય છે. પરંતુ ટ્યુશન કલાસીસમાં ઉભી કરવામાં આવતી ભૌતિકતા અને કુદરતી રીતે જ હોશિયાર વિદ્યાર્થીઓના પરિણામ પોતાના નામે ચઢાવીને વેપલો વર્ષોથી ચાલી રહ્યો છે.

વહેલી સવારે અને મોડી રાત સુધી ચાલતા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા બાળકો સાથે ભૂતકાળમાં અનેક વખત અત્યંત આઘાતજનક ઘટનાઓ બનવા પામી છે પરંતુ ત્યાર પછી પણ આવી આઘાતજનક ઘટનાઓ રોકવામાં કે ટ્યુશન કલાસીસના લાખો કરોડોના વેપારને બંધ કરાવવાની એક પણ સરકારે હામ ભીડી નથી બલ્કે વધુને વધુ ટ્યુશન કલાસીસના નામે વેપારની હાટડીઓ ખુલ્લી રહી છે.

સુરતમાં ભૂતકાળમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટના બાદ વહેલી સવારના અને મોડી રાત સુધી ચાલતા ટ્યુશન કલાસીસના સમય ઉપર પાબંધી મુકવામાં આવી હતી પરંતુ ફરી પાછી બધુ જ રાબેતા મુજબ ધમધમતુ થઇ ગયું છે.

ખેર, રાજસ્થાનનું કોટા ઉચ્ચ શિક્ષણ માટેનું ‘હબ’ ગણવામાં આવે છે. અહિંયા, મેડિકલ, ઇજનેરી, આઇટી અને સનદી સેવામાં જોડાવાની ઘેલછા સાથે લાખો વિદ્યાર્થીઓનો પ્રવાહ પ્રતિવર્ષ કોટા તરફ વહેતો રહે છે અને પરિવારો પણ બાળકને કોટામાં એડમિશન અપાવ્યું હોવાનું ગૌરવ અનુભવતા રહે છે ઘણા પરિવારો તો એવા પણ છે કે સંતાનો ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે કોટામાં મકાન ખરીદીને બાળકનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધી પડાવ નાંખે છે!

અલબત્ત બાળકમાં કુદરતી રૂચિ હોય અને મેડિકલ કે ઇજનેરીમા જાય તેની સામે વાંધો હોઇ શકે જ નહી પરંતુ બાળક ઉપર ડોકટર કે ઇજનેર બનવા માટે બળજબરી કરવામાં આવે ત્યારે આપઘાત જેવી કરૂણ ઘટનાઓ બનતી જ રહેવાની. કોટામાં ૧૭ થી ૧૮ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવતર ટુંકાવી લીધા હતા, વળી આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ પરિવારોનું એકનું એક પુરુષ સંતાન હતા. જ્યારે એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે લખેલો પત્ર (સ્યુસાઇડનોટ) ધ્રુજી જવાય એટલો વેદના સભર અને બાળકને રૂચિથી વિરૂધ્ધ જઇને ડોકટર કે ઇજનેર બનાવવાની ઘેલછા કેટલી ખતરનાક પુરવાર થાય તેની હૃદયદ્વાવક વાતો લખી હતી.

બે દિવસ પહેલા હોસ્ટેલમા પોતાના રૂમમા આપઘાત કરી લેનાર અંકુશ આનંદ (ઉ.વ.૧૭) ઉજ્જવલ (ઉ.વ.૧૮) આ બન્ને બિહારના વતની હતા જ્યારે પ્રણવ વર્મા (ઉ.વ.૧૭) મધ્યપ્રદેશનો વતની હતો આ ત્રણે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કોટામાં અભ્યાસ કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પરિવારોએ આકરી ફી પણ ચૂકવી હતી પરંતુ સામાજિક પ્રતિષ્‍ઠાના મોહમાં પરિવારો એ વાત ભુલી ગયા હતા કે તેમના સંતાનોમા કુદરતે કઇ ક્ષમતાનુ નિરૂપણ કર્યું છે. કુદરતના ક્રમની અવગણના કરીને સંતાનોને ડોકટર, ઇજનેર બનાવવાની ઘેલછાએ સંતાનોને જ છીનવી લીધા હતા.

kota story photo

આ તરફ માત્રને માત્ર ધંધાદારી હેતુ સાથે શિક્ષણનો વેપાર કરતી સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનો અભ્યાસ કર્યો નહીં જ હોય અન્યથા બાળકોએ આપઘાતનો માર્ગ પસંદ કર્યો જ ન હોત.

આ ઉપરાંત એક કૃતિ નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે તેમણે પરિવારને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટ ખરેખર હૃદયદ્રાવક હતી. કૃતિનો એક એક શબ્દ આંખ ખોલનારો હતો પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ઘટના પછી પણ કોટામાં શિક્ષણનો વેપાર બંધ થઇ જશે એવું માનવાને કોઇ જ કારણ નથી. કારણ કે શિક્ષણના વેપારમાં એક નહી અનેક રાજકારણીઓની પણ હિસ્સાદારી હોવાનું માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ભારોભાર અનુકંપા ધરાવે છે. દિકરીઓને શિક્ષિત કરવા માટે તેઓ સતત આગ્રહી રહ્યાં છે. પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓની વાત તેમના કાન સુધી પહોંચી હશે કે કેમ? તેની સામે પણ શંકા છે.

દર વખતે બનતુ આવ્યું છે તેમ માનવ અધિકાર આયોગના લોકોએ રાજ્ય સરકારને પત્ર પાઠવીને ઘટના અંગે જવાબ માંગ્યો છે. અને કોટા શહેરની મુલાકાતે જનાર હોવાનુ પણ જણાવ્યું છે પરંતુ માનવ અધિકાર આયોગ આનાથી કંઇ વધુ કરી શકે કે વ્યવસ્થામા પરિવર્તન લાવી શકે કે શિક્ષણના વેપાર ઉપર નિયંત્રણ લાવી શકે એવું કંઇજ બનવાનું નથી.

ભૂતકાળમાં પણ વિદ્યા‌િર્થનીઓ ઉપર બળાત્કાર, છેડતી, હત્યા, અપહરણ જેવી ઘટનાઓમા માનવ અધિકાર પંચે નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનુ યાદ નથી. આમ પણ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી કેન્દ્ર સરકાર પણ દાખલારૂપ હસ્તક્ષેપ કરે તેવી આશા રાખવાનું શક્ય નથી.

તમારી પ્રતિષ્‍ઠા માટે બાળકનાં ભોળપણાનો ફાયદો ઉઠાવો નહીં :

  • સરકાર ઈચ્છતી હોય કે કોઈ બાળક આપઘાત કરે નહીં, તો કોચિંગ ક્લાસ તત્કાળ બંધ કરાવે.
  • કોટામાં આપઘાત કરનાર વિદ્યાર્થિની કૃતિ ત્રિપાઠીની હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ.
  • કોચિંગ વિદ્યાર્થીઓને નબળા બનાવે છે, બાળકો બોજ હેઠળ દબાઈને આપઘાત કરવા તરફ વળે છે, ૯૦+ માર્ક હોવા છતાં હું આપઘાત કરી રહી છું તો બીજા બાળકોની હાલત કેવી હશે?

કોટામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થિની કૃતિએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કહેવા માંગુ છું કે જો તેઓ ઈચ્છે છે કે કોઈ બાળકનું મૃત્યુ ન થાય તો, શક્ય તેટલું જલ્દી તેઓએ આ કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ. આ કોચિંગ વિદ્યાર્થીઓને નબળા બનાવે છે. એમના પર ભણતરનું એટલું દબાણ હોય છે કે બાળકો એના બોજ હેઠળ દટાઈ જાય છે.

કૃતિએ લખ્યું છે કે તે કોટામાં ઘણા વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને સ્ટ્રેસથી આત્મહત્યા કરતા રોકી શકી હતી પરંતુ તે પોતાની જાતને રોકી શકી નથી. ઘણા લોકો માનશે નહીં કે મારા જેવી 90+ માર્ક્સ ધરાવતી છોકરી પણ આત્મહત્યા કરી શકે છે, પરંતુ મારા મન અને હૃદયમાં કેટલી નફરત છે તે હું તમને સમજાવી શકું એમ નથી.

તેની માતાને ઉદ્દેશીને તેણે લખ્યું છે, “તમે મારા બાળપણનો અને બાળક હોવાનો ફાયદો ઉઠાવ્યો અને મને વિજ્ઞાન પસંદ કરવા દબાણ કરતાં રહ્યાં. હું પણ તમને ખુશ કરવા માટે વિજ્ઞાનનો અભ્યાસ કરતી રહી. મને ક્વોન્ટમ ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સ જેવા વિષયો ગમવા લાગ્યા અને હું ફક્ત તેમાં જ બીએસસી કરવા માંગતી હતી. હું તમને કહી દઉં કે આજે પણ મને અંગ્રેજી સાહિત્ય અને ઈતિહાસ ગમે છે કારણ કે એ મને મારા અંધકારભર્યા સમયમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય છે.”

કૃતિએ તેની માતાને ચેતવણી આપતાં લખ્યું છે કે, ‘11મા ધોરણમાં ભણતી નાની બહેન સાથે આ પ્રકારની ચાલાકી અને બળજબરીભર્યું કૃત્ય ન કરજો. તે જે બનવા માંગે છે અને જે ભણવા માંગે છે એ તેને કરવા દેજો કારણ કે તે તેમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે, જેને તે પસંદ કરે છે.

સ્પર્ધામાં આપણે આપણાં બાળકોનાં સપનાં છીનવી રહ્યાં છીએ. આજે આપણે આપણા પરિવારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છીએ કે ફલાણાના દીકરા-દીકરી ડોક્ટર બની ગયા તો આપણે પણ આપણાં સંતાનોને ડોક્ટર બનવવાં છે. જો ફલાણાના દીકરી-દીકરો સીકર/કોટા હોસ્ટેલમાં હોય, તો આપણે પણ ત્યાં જ ભણાવીશું, પછી બાળકના સપના ગમે તે હોય… અમે અમારા સપના તેમના પર લાદીને જ રહીશું.

PHOTO-2022-12-16-18-00-48 (1)

આજે આપણી શાળાઓ (કોચિંગ સંસ્થાઓ) બાળકોને પારિવારિક સંબંધોનું મહત્વ શીખવી શકતી નથી, શાળાઓ બાળકોને નિષ્ફળતાઓ કે સમસ્યાઓ સામે લડતા શીખવવા માટે પણ સક્ષમ નથી. તેમના મનમાં એકબીજા માટે માત્ર સ્પર્ધાની લાગણીઓ ભરવામાં આવે છે, જે તેમનાં જીવનમાં ઝેર ફેલાવી રહી છે. જે નબળો છે તે આત્મહત્યા કરી રહ્યો છે અને જે થોડો મજબૂત છે તે નશા તરફ આગળ વધી રહ્યો છે.

જ્યારે આપણા બાળકો નિષ્ફળતાઓથી ભાંગી પડે છે, ત્યારે તેઓ જાણતા નથી કે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ. આ નિષ્ફળતાથી તેમનું કોમળ હૃદય તૂટી જાય છે, જેના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. વાલીઓને વિનંતી છે કે તમારા બાળકોની નિષ્ફળતાને તેમની નબળાઈ ન બનવા દો. જીવન ખૂબ જ કિંમતી છે, જેમાં શિક્ષણ આજીવિકા કમાવામાં માત્ર એક ટકો ભૂમિકા જ ભજવે છે.