પાલિતાણામાં જૈનોના પવિત્ર યાત્રાધામમાં તોડફોડથી સમાજ રોષે ભરાયો, હુમલા બાદ તત્કાલ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

Share this story

Harsh Sanghvi held a meeting with

  • ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવીના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે

પાલિતાણા ગિરિરાજ પર્વત (Palitana Giriraj Mountain) પર ચાલતો વિવાદનો ક્યારે અંત આવશે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ગિરિરાજ પર્વત પર સીસીટીવીના થાંભલાની તોડફોડ કરાઈ છે. શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવી ના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ (Sabotage) કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાત ભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સુરજકુંડ પાસે CCTV ઉભા કરાયા હતા. કેટલાક લોકોએ CCTV ના પોલ હટાવ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વીજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળઈ છે. શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે.

મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો :

પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં IG, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી આદેશ આપશે.

તો બીજી તરફ શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાનો મામલે જૈન સમાજ ગિન્નાયો છે. અમદાવાદના તમામ જૈન સંઘોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા. તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં આકરા નિર્ણય લેવાય તેવી સંભાવના છે. તો આગામી રવિવારે પ્રતિક સ્વરૂપે રેલી પણ યોજાશે.

આ મામલે શ્રી મહાસંઘ અમદાવાદના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યું કે, મંદિરની આસપાસ થતું માઈનિંગ અટકવું જોઈએ. અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કરી જૈન અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. માત્ર 2-5 વ્યક્તિઓની ધરપકડથી નહિ ચાલે. આ ષડયંત્ર બંધ થવું જોઈએ. 10 મુદ્દાઓની માગણી સાથે સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળશે.

આ પણ વાંચો :-