Home Blog Page 1179

શમી તો કોહલી કરતાં પણ આગળ નીકળી ગયો, બેટથી એવો કમાલ કર્યો જેની કોઈએ કલ્પના નહીં કરી હોય

0

Shami even surpassed Kohli

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઈનિંગ્સ દરમિયાન મોહમ્મદ શમીએ તેની બોલિંગથી નહીં પરંતુ તેની બેટિંગથી ચાહકો અને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત જીત હાંસલ કરી લીધી છે. જેમાં ભારતે મહેમાન ટીમને 132 ઈનિંગ્સથી હરાવ્યું હતું. ઈનિંગ્સના ત્રીજા દિવસે ભારતે આ જીત પોતાને નામ કરી હતી. નાગપુર ટેસ્ટ (Nagpur Test) મેચમાં ભારતીય બોલરોની ધમાકેદાર બોલિંગ જોવા મળી હતી જેના કારણે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 132 રનથી જીતવામાં સફળ રહી છે.

મોહમ્મદ શમીએ બેટિંગમાં કર્યો કમાલ : 

અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલનો કમાલ જોવા મળ્યો હતો. તો રોહિત શર્માએ પણ તેની ટેસ્ટ કારકિર્દીની 9મી સદી ફટકારીને દુષ્કાળનો અંત લાવ્યો હતો. આ ખેલાડીઓના આધારે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી હતી. પરંતુ ટેસ્ટ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. વાસ્તવમાં, ભારતીય ઇનિંગ્સ દરમિયાન મોહમ્મદ શમીએ તેની બોલિંગથી નહીં પરંતુ તેની બેટિંગથી ચાહકો અને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધા હતા.

વિરાટ કોહલી અને યુવરાજ સિંહને પાછળ છોડ્યા : 

નોંધનીય છે કે ભારતીય ઈનિંગ્સ દરમિયાન શમીએ 47 બોલમાં 37 રન બનાવ્યા જેમાં 3 સિક્સ અને 2 ફોર સામેલ હતી. સાથે જ શમી દ્વારા ફટકારવામાં સિક્સરે એવું કારનામું કર્યું જેને જણીને વિશ્વ ક્રિકેટ પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

જણાવી દઈએ કે શમી ભારત તરફથી સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં 16માં નંબર પર આવી ગયો છે એટલું જ નહીં શમીએ ટેસ્ટમાં સિક્સર મારવાના મામલે વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

જણાવી દઈએ કે કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 24 સિક્સર ફટકારી છે અને ગઇકાલના મેચની સાથે જ ટેસ્ટમાં 25 સિક્સર મારવાની સિદ્ધિ હવે શમીના નામે નોંધાઈ ગઈ છે. આ સાથે જ યુવરાજે પોતાના ટેસ્ટ કરિયરમાં 22 સિક્સર ફટકારી છે અને રવિ શાસ્ત્રીએ ટેસ્ટમાં 22 સિક્સર ફટકારી હતી.

શમી નીકળ્યો કોહલીથી આગળ  :

શમી 25 છગ્ગા
કોહલી 24 છગ્ગા
રવિ શાસ્ત્રી 22 છગ્ગા
યુવરાજ સિંહ 22 છગ્ગા
ઈરફાન પઠાણ 18 છગ્ગા
કેએલ રાહુલ 17 છગ્ગા.

આ પણ વાંચો :-

નેશનલ ગેમ્સ રમવા ગયેલી તરુણીને ખેલાડીએ બનાવી ગર્ભવતી !

The young woman who went to play the National Games

  • સોફ્ટબોલ ગેમમાં નેશનલ ગેમ્સ રમવા ગાંધીનગર ગયેલી સુરતની તરુણીને મહેસાણાના ખેલાડીએ ગર્ભવતી બનાવી. પેટમાં દુખાવો થતા ડોક્ટરે તરુણીને પાંચ માસનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો

સોફ્ટબોલ ગેમમાં (SoftaBall) નેશનલ ગેમ્સ (National Games) રમવા ગાંધીનગર ગયેલી સુરતની તરુણીને મહેસાણાના ખેલાડીએ ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના (Mehsana) યુવકે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં જ શરીર સંબંધ બાંધી ગર્ભવ (Pregnant)તી બનાવી હતી.

નેશનલ ગેમ્સ પૂર્ણ થતાં તેઓ છૂટા પડી ગયા હતા. જોકે થોડા દિવસો અગાઉ તરુણી જૂનાગઢથી (Junagadh) સુરત આવી હતી ત્યારે તેને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યારે ડોક્ટરે તરુણીને પાંચ માસનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે મામલે તેના પિતાએ ગોડાદરા (Goddara) પોલીસ મથકમાં મહેસાણાના ખેલાડી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક તરુણી બીમાર થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરતા આ તરુણીને પાંચ માર્ચનો ગર્ભ હોવાનું સામે આવતા તરુણીના માતા-પિતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી. તેથી આ સમગ્ર મામલે તરુણીના માતા-પિતા દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોડાદરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

તરુણીના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે આ તરુણી રમતગમત કે પછી અભ્યાસ માટે શહેરથી બહાર ગઈ હતી. તે સમયે તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ અજાણ્યાએ તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાના કારણે તરુણીને ગર્ભ રહી ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ના માતા-પિતાના કહ્યા અનુસાર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસતો શરૂ કરી છે ત્યારે આ યુવતી આ યુવકના સંપર્કમાં ક્યારે આવી અને તેની સાથે અનિયતિક સંબંધોની શરૂઆત સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલો સામે આવતાની સાથે પોલીસે પોકસો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પ્રકારની ફરિયાદો સતત સામે આવી રહી છે. યુવતીઓને લગ્નની લાલચ આપી યુવકો તેમનું શારીરિક શોષણ કરતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનામાં પણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

Passport માટે હવે નહીં ખાવા પડે સરકારી કચેરીઓના ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત

0

No more pressure from government offices

  • આપણે સૌ જાણીએ છીએ કે વિદેશ જવાં માટે પાસપોર્ટની આવશ્યક્તા હોય છે. જે હોય તો જ વિદેશમાં તમને એન્ટ્રી મળે છે. તમને ખ્યાલ જ હશે કે પાસપોર્ટ બનતા ઘણો ટાઇમ લાગે છે.

દુનિયાભરમાં હરવા ફરવાની મોજ મજા કરવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છેકે તેઓ વિદેશમાં અલગ અલગ જગ્યાઓની મુલાકાત લે. દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે તેઓ વર્લ્ડ ટૂર કરે. પણ એના માટેના કેટલાંક નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ છે કે વિદેશ યાત્રા માટે તમારી પાસે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. ત્યાર બાદ જ વિઝાની પ્રોસિઝર (Visa Procedures) થાય છે.

કેટલાંક દેશોમાં વિઝાની જરૂર નથી પડતી. પરંતુ પાસપોર્ટ (Passport) તો ફરજિયાત છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને એ જણાવીશું કે ઘરેબેઠાં પાસપોર્ટ કેવી રીતે મેળવી શકાય છે. પાસપોર્ટ મેળવવા માટે તમારે ક્યાંય સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર નથી. આ રીતે તમે ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવી શકો છો. જાણીલો પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવાની આ સરળ રીત. એ પણ જાણી લો કે ઓનલાઈન એડ્રેસ કઈ રીતે બદલવું.

આપણે સૌ જાણીએ છીએ કે વિદેશ જવાં માટે પાસપોર્ટની આવશ્યક્તા હોય છે. જે હોય તો જ વિદેશમાં તમને એન્ટ્રી મળે છે. તમને ખ્યાલ જ હશે કે પાસપોર્ટ બનતા ઘણો ટાઈમ લાગે છે. પાસપોર્ટ બનવાની આ પ્રોસેસ તમારો કિંમતી સમય માંગી લે છે ત્યારે અમે તમને આ પ્રોસેસનો સૌથી સરળ રસ્તો બતાવવા જઇ રહ્યા છીએ. જે દ્વારા તમે ઘરે બેઠા જ આ પ્રક્રિયા કરી ને પાસપોર્ટ મેળવી શકો છો.

ઓનલાઇન અરજી દ્વારા બનશે 10 થી 15 દિવસમાં પાસપોર્ટ –

આજે ઈન્ટરનેટયુક્ત જમાનામાં લોકો તેમના મોટા ભાગના કામ ઓનલાઈન જ કરવાનું પસંદ કરે છે. તેથી જ હવે પાસપોર્ટ જેવા પાસપોર્ટ પણ ઓનલાઇન બનવા લાગ્યા છે. તો આજે આપણે તેના વિશે જ જાણકારી મેળવીએ. પાસપોર્ટ બનાવવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ માટે તમારે દસ્તાવેજોની યાદી આપવી જરૂરી નથી. તમારે તમારા દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. એક ખાસ બાબત ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા જેવા તમામ દસ્તાવેજોને બદલે, ફક્ત એક આધાર કાર્ડ પણ ચાલી શકે છે. આ અરજી કર્યાના માત્ર 10 થી 15 દિવસમાં જ તમારો પાસપોર્ટ બની જશે.

ઓનલાઈન અરજીની રીત –

No.1 : સૌ પહેલા તમારે પાસપોર્ટ સેવાની આ વેબસાઇટ https://portal1.passportindia.gov.in/ પર જવાનું રહેશે. તેમાં હોમ પેજ પર New User Registration લિંક પર ક્લિક કરો.

No.2 : જેથી સ્ક્રીન પર તમને ડાબી બાજુનો વિકલ્પ દેખાશે. હવે એક નવી વિન્ડો ખુલશે. અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરવી અને કેપ્ચા કોડ દાખલ કરવો અને નોંધણી બટન પર ક્લિક કરવું.

No.3 : આ પછી User Login ના વિકલ્પ પર જઈ, અહીં રજીસ્ટ્રેશન સમયે બનાવેલ લોગિન આઈડીની મદદથી લોગિન કરવું અને ‘એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ અને પાસપોર્ટ રિ-ઈશ્યૂ’ માટે આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે.

No.4 : હવે ત્યાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરીને પે એન્ડ શેડ્યૂલ પર ક્લિક કરવું. આ પછી તમારી અનુકૂળતા મુજબ પાસપોર્ટ ઓફિસ જવા માટે તારીખ પસંદ કરીને તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

No.5 : અંતે તમારે Print Application Receipt પર ક્લિક કરીને રસીદ ડાઉનલોડ કરવાની રહેશે. જે દિવસે તમારી એપોઈન્ટમેન્ટ હોય તે દિવસે તમારા અસલ દસ્તાવેજો તમારી સાથે રાખો. દસ્તાવેજ અને પોલીસ વેરિફિકેશનની તારીખથી 15-20 દિવસમાં તમારો પાસપોર્ટ તમારા ઘરે ટપાલ દ્વારા પહોંચી જશે.

આ પણ વાંચો :-

 

વેલેન્ટાઈન્સ-ડે પર Hardik Pandya બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે ! જાણો કોણ હશે તેની દુલ્હનિયા

Hardik Pandya is getting married

  • ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટન અને ધાકડ ઓલકાઉન્ડર હાર્દિક પંડયા ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ ફેમસ કપલના પ્રાઈવેટ લગ્નને (Private wedding) 3 વર્ષ પૂરા થઈ ગયા છે. 2020માં લગ્ન જીવનની શરૂઆત કરનારું આ કપલ વેલેન્ટાઈન્સ ડેના (Valentine’s Day) દિવસે ફરી મોટા વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યું છે.

2020માં હાર્દિક-નતાશાના લગ્ન થયા હતા :

મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. બંનેનો એક દીકરો પણ છે. આ બંનેએ 1લી જાન્યુઆરી 2020એ સર્બિયાની મોડલ નતાશા સાથે સગાઈ કરી હતી. કોર્ટમાં લગ્નમાં થયા બાદ લગભગ 7 મહિને હાર્દિક પિતા બન્યો હતો.

પંડયાનીએ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા :

હાર્દિક પંડયાની પત્ની નતાશાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. હવે આ બંને પારંપરિક રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે પહેલા એક સામાન્ય કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે એક ભવ્ય લગ્ન થશે. જેમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ પણ સામેલ થઈ શકે છે.

13થી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે લગ્ન સમારોહ :

મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્ન સમારોહ આજે 13 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે જે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા પ્રી-વેડિંગ સેલિબ્રેશન ધૂમધામથી આયોજિત કરવામાં આવશે. સમારોહની તૈયારી પાછલા વર્ષે નવેમ્બરમાં જ શરૂ કરી દેવામાં આવી હતી. હાર્દિક પંડયાના લગ્નનો પ્રોગ્રામ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં થઈ શકે છે.

આ પણ વાંચો :-

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર રાખી સાવંતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું મને…

Rakhi Sawant made a shocking statement

  • આ વીડિયોમાં રાખીએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન વિશે એવું નિવેદન આપી દીધું છે કે જેવું કોઈએ વિચાર્યું પણ ન હોય. વીડિયોમાં રાખી સાવંતે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર ટિપ્પણી કરી છે. રાખીનું કહેવું છે કે જ્યારે તે સિદ્ધાર્થ-કિયારાને જુએ છે ત્યારે….

રાખી સાવંત હાલ તેના પતિ આદિલ ખાન (Adil Khan) દુર્રાની સાથે ચાલી રહેલા વિવાદના કારણે સતત ચર્ચામાં છે. તેવામાં રાખી સાવંતનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો છવાયેલો છે. કારણ કે આ વીડિયોમાં રાખીએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન વિશે એવું નિવેદન આપી દીધું છે કે જેવું કોઈએ વિચાર્યું પણ ન હોય. તે વીડિયોમાં એવું કહેતી જોવા મળે છે કે તેને હવે ‘લવ બર્ડ્સ’ જોવા પસંદ નથી.

વીડિયોમાં રાખી સાવંતે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર ટિપ્પણી કરી છે. રાખીનું કહેવું છે કે જ્યારે તે સિદ્ધાર્થ-કિયારા જેવા કપલને જુએ છે ત્યારે તે ભાવુક થઈ જાય છે. કારણ કે હાલ તેનો અને તેના પતિ આદિલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, ‘મને ખૂબ જ દુઃખ થાય છે કે હાલ જ્યારે કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના સમાચાર ચર્ચામાં રહેવા જોઈએ, ત્યારે આવા સમયે તેના તુટતા લગ્નના સમાચાર ફેલાઈ રહ્યા છે.’ રાખી આગળ કહે છે, ‘મને ખૂબ લાગી આવે છે જ્યારે હું કોઈના લગ્ન જોઉં છું ત્યારે મને દુ:ખ થાય છે.

જ્યારે હું કોઈ લવ બર્ડ્સને જોઉં છું ત્યારે રડું છું. વેલેન્ટાઈન્સ ડે આવી રહ્યો છે અને મારું મન રડે છે.’ રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. એક યુઝરે રાખી માટે લખ્યું છે કે, ‘ક્યાંક ફરવા જાઓ અને પોતાને સમય આપો, તમને સારું લાગશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બધું સારું થઈ જશે, વિશ્વાસ રાખો’.

ઉલ્લેખનીય છે કે રાખી સાવંતે ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિલ સાથે લગ્ન કર્યા હતા. આ વાતની જાહેરાત તેણે આ વર્ષે જાન્યુઆરી માસમાં કરી હતી. ત્યારબાદ તેના લગ્નજીવનમાં વિવાદ શરુ થયા અને રાખીએ હવે તેના પતિ પર અનૈતિક સંબંધો રાખવાનો અને તેના પૈસા હડપ કરવાનો કેસ નોંધાવ્યો છે.

આ પણ વાંચો :-

ભાજપ સરકારે મફતમાં આપેલાં ટેબ્લેટ પાછાં માગ્યાં !, સરકારે વિદ્યાર્થીને આપ્યો ઝટકો

0

BJP government demanded back

  • હરિયાણામાં (Haryana) મનોહરલાલ ખટ્ટર (Manoharlal Khattar) સરકાર સ્કૂલોમાં વહેંચેલાં ટેબલેટ વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગતાં વિવાદ સર્જાયો છે.

ગયા વર્ષે ભાજપ-જેજેપી સરકાર (BJP-JJP Govt) દ્વારા મફત ટેબલેટ આપવાનું એલાન કરીને પાંચ લાખ ટેબ્લેટ વહેંચવામાં આવ્યાં હતા. ટેબલેટ (Tablet) સાથે 2 જીબી મફત ડેટાવાળા સિમ કાર્ડ પણ આપ્યા હતા. હવે સરકારે ફતવો બહાર પાડયો છે કે, ટેબ્લેટ પાછાં જમા કરાવાય અને જે વિદ્યાર્થીઓએ ટેબલેટ પાછાં નથી આપ્યાં તેમને પરીક્ષામાં નહી બેસવા દેવાય.

ડીએસઈ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ ફરમાન કરાયું છે. શિક્ષણાધિકારીઓએ તે સ્કૂલોના પ્રિન્સિપલને આદેશ આપ્યા છે કે, ધોરણ 10,11 અને 12ના વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલમાં મફત આપેલા ટેબલેટ જમા કરાવવાના છે. વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ જોઈતી હોય તો, ચાર્જર, સિમ કાર્ડ અને ટેબલેટ સાથે આપવામાં આવેલ અન્ય સમાન પણ સ્કૂલમાં જમા કરાવવાનો રહેશે.

શિક્ષકોને વિદ્યાર્થીના નામ, ટેલબેટનો સીરિયલ નંબર, માતા-પિતાનું નામ, વિદ્યાર્થીનો આધાર નંબર અને ટેબલેટ તૂટી જવા અને ચાર્જર તૂટી જવા પર રિમાર્ક સહિત રેકોર્ડ રાખવાનું કહેવાયું છે.

આ પણ વાંચો :-

ભારે કરી.. રેલવેએ બજરંગબલીને ફટકારી જમીન કબજાની નોટિસ, ટ્રોલ થયા બાદ ભૂલ સમજાઈ તો જુઓ શું કર્યું

0

Railways hit Bajrangbali with land possession notice

  • આ નોટિસ રેલવે દ્વારા 8 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવી હતી. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો થયો હતો. રેલવેએ પોતાની ભૂલ સુધારી લીધી હતી.

તમે ક્યારેય ભગવાનના નામ પર કોઈ નોટિસ જાહેર થતી જોઈ છે ? મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) રેલવેનો એક અજબ ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા હનુમાનજીને (Hanumanji) અતિક્રમણ તરીકે બતાવતા તેમને નોટિસ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં નોટિસમાં સમય પણ આપવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

રેલ્વેએ હનુમાનજીને નોટિસ પાઠવી :

મુરૈના જિલ્લામાં આ દિવસોમાં ગ્વાલિયર શ્યોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે રેલ્વે ટ્રેક પર આવતા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુરૈનાના સબલગઢ વિસ્તારમાં ચાલી રહેલા બ્રોડગેજ કામમાં કેટલાક ઘરો અને એક હનુમાનજી મંદિર પણ આ દબાણ હટાવવાની શ્રેણીમાં આવી રહ્યા છે.

નોટિસમાં કહી આ વાત :

આ મકાન અને હનુમાનજીના મંદિરને રેલ્વે વિભાગ દ્વારા 8 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં હનુમાનજીને અતિક્રમણકારી ગણાવતા નોટિસમાં લખવામાં આવ્યું છે કે ‘હનુમાનજીએ રેલ્વેની જમીન પર ઘર બનાવીને અતિક્રમણ કર્યું છે. તેથી રેલવે દ્વારા તેમને 7 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે’.

7 દિવસનો સમય આપવામાં આવ્યો :

જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 7 દિવસની અંદર દબાણ જાતે જ હટાવવું પડશે   જો તેમ નહીં કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાશે અને તેનો ખર્ચ હનુમાનજી પાસેથી વસૂલવામાં આવશે.  ખાસ વાત એ છે કે આ નોટિસની એક-એક કોપી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર ગ્વાલિયર અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ગ્વાલિયરને પણ મોકલવામાં આવી છે. આ નોટિસ બહાર આવ્યા બાદ રેલ્વે વિભાગની કામગીરીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રેલ્વેની આ અજીબોગરીબ નોટિસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નોટિસને લઈ મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો :

મંદિરમાં દરરોજ પૂજા કરવા આવતા ભક્ત મંગલ સિંહે જણાવ્યું કે  તેમણે તેમના જીવનમાં પહેલીવાર આવી નોટિસ જોઈ છે જે બજરંગબલીના નામથી આવી છે. આ નોટિસ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે અમને એ વાંચીને આશ્ચર્ય થયું કે બજરંગબલીના નામે નોટિસ આપવામાં આવી છે  પહેલીવાર જોયું મારી ઉંમરતો ઘણી વધારે થઈ ગઈ છે ઘણી નોટિસ વાંચી પરંતુ ભગવાનના નામ પર નોટિસ આપવામાં આવી તે ખોટુ છે. મંદિર ગેરકાયદેસર છે.

11 મુખવાળા હનુમાનજીનું મંદિર છે. રેલ્વે ટ્રેક 40 ફુટ દુર છે ત્યાં જ શંકરજીનું મંદિર છે આ નોટિસનો જવાબ બજરંગબલી આપશે. મીડિયા સાથે વાતચીતમાં રેલવે અધિકારીએ જણાવ્યું કે  નોટિસમાં ભૂલથી બજરંગબલીનું નામ લખવામાં આવ્યું છે. પરંતુ હવે નોટિસમાં સુધારો કરતી વખતે આ 10મી ફેબ્રુઆરીના રોજ પૂજારી હરિશંકર શર્માના નામની નવી નોટિસ જાહેર કરવામાં આવી છે.

ઝાંસી રેલવે ડિવિઝનના પીઆરઓ (પબ્લિક રિલેશન ઓફિસર) મનોજ માથુરે કહ્યું કે પ્રારંભિક નોટિસ ભૂલથી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે હવે મંદિરના પૂજારીને નવી નોટિસ આપવામાં આવી છે. અગાઉ ઝાંસી રેલવે ડિવિઝનના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર દ્વારા બજરંગબલી, સબલગઢને નોટિસ આપવામાં આવી હતી.

મંદિરના પૂજારીને નોટિસ મોકલવામાં આવી હતી :

શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ લાઇનના નિર્માણ માટે અતિક્રમણ દૂર કરવામાં આવશે. 10 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવેલી નવી નોટિસ મંદિરના પૂજારી હરિશંકર શર્માના નામે આપવામાં આવી હતી.

Gujarat Politics : કોણ છે રાધિકા રાઠવા, જેને આમ આદમી પાર્ટીએ આપી છે મોટી જવાબદારી

0

Who is Radhika Rathwa

  • બે મહિના પહેલાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધિકા રાઠવા પાવી જેતપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. રાધિકાએ ચૂંટણીમાં જીત તો ના મેળવી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ અને તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવાથી વધુ મત મેળવ્યા હતા.

2013 સુધી વડોદરામાં (Vadodara) રહેલા છોટાઉદેપુરની (Chotaudepur) રાજનીતિ 1977થી રાઠવાની આગળ પાછળ ફરે છે. 2022ની ચૂંટણીમાં ભાજપનો નવો ગઢ બનેલા છોટાઉદેપુરમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ મહિલા કાર્ડ ખેલ્યું છે અને એજ્યુકેટેડ રાધિકા રાઠવાને (Radhika Rathwa) કમાન સોંપી છે.

આદિવાસી વિસ્તારની રાધિકા રાઠવાને કમાન :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટીની નજર 2024માં થનારી લોકસભાની ચૂંટણી પર છે. એટલા માટે જ પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ રણનીતિના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લામાં મહિલા કાર્ડ ખેલ્યું છે.

પાર્ટીએ છોટાઉદેપુરના પહેલાં આદિવાસી સાંસદ રહેલા દિવંગત અમરસિંહ રાઠવાના પુત્રી રાધિકા રાઠવાને જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ 31 જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત કરી છે જેમાં એકમાત્ર મહિલા રાધિકા રાઠવા છે.

સિડનીમાં કરી નોકરી :

રાધિકા રાઠવાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટની બેચલરની ડિગ્રી મેળવી છે. રાધિકા વડોદરા, અમદાવાદ અને થોડા સમય માટે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નોકરી કરી ચૂક્યા છે. પરંતુ, 2014માં રાધિકાએ નોકરી છોડીને સમાજ સેવા કરવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસમાં સામેલ થયા હતા.

2014થી 2022 સુધી કોંગ્રેસમાં વિવિધ જવાબદારીઓ સ્વીકારીને કામ કર્યું હતું. પરિવારમાં સૌથી મોટા રાધિકાને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ અભય રાઠવા અમેરિકામાં નોકરી કરે છે અને બહેનનું નામ તરાના છે.

આ પણ વાંચો :-

Gold Rate Today : ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત ?

0

Gold Rate Today : Gold will cross 60,000 soon

  • એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે. 24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે.

સોનાનો (Gold ) ભાવ રોજેરોજ વધી રહ્યો છે. પરંતુ શુક્રવારના દિવસે સોનાનો ભાવમાં થોડીક રાહત મળી. પરંતુ શું સોનાનો ભાવ આગળ પણ વધતો જ રહેશે?. લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે. એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં (Global Market) આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે.

24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે જ સોનું 56,983 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનું 60,000 ને પાર કરી જશે. કેમ કે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ડિમાન્ડ પણ વધવાની છે.

ફેડનું નરમ વલણ :

અમેરિકી કેન્દ્રીય બેંક જયારથી પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે ત્યારથી જ ડોલર મજબૂર થઈ રહ્યો છે. તેનું જ પરિણામ હતું કે માર્ચ 2002માં 1950 ડોલર પ્રતિ ઔસના ઉચ્ચ સ્તરથી સોનું ઓક્ટોબર 2022માં 1636  ડોલર પ્રતિ ઔસ પર આવી ચૂક્યું હતું. પરંતુ જ્યારથી ફેડે વ્યાજ દરમાં નરમ વલણ અપનાવ્યું છે ત્યારથી સોનામાં તેજી જોવા મળી રહી છે.

એવામાં માનવામાં આવી રહ્યો છે કે ડોલરમાં ઘટાડાના કારણે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો ઘરેલુ બજારની વાત કરીએ તો સોનુ દિવાળીના સમયે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે ચાલી રહ્યું હતું. અને હવે તેમાં તેજી જોવા મળી છે.

મંદીમાં આગ ઓકી રહ્યું છે સોનું :

ડોલરમાં આવેલા ઘટાડાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફેડ આગળ પણ 0.25 ટકાના દર વ્યાજમાં વધારશે. તે સિવાય વિશેષજ્ઞોનું કહેવું છે કે પશ્વિમી દેશોમાં મંદીના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવનું કહેવું છે કે વર્ષ 1973થી યૂએસમાં 7માંથી 5 વખત મંદીના સમયે સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, આ તારીખથી અનેક વિસ્તારોનું આવી બન્યું સમજો!

0

Ambalal Patel made a terrible prediction with the date

રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો (heat and cold) સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી કરી છે. રાજ્યમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે વાદળછાયું વાતાવરણ અને બપોરે ગરમીનો અહેસાસ થશે.

શું કહે છે અંબાલાલની આગાહી?

ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે.

મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો :-