Home Blog Page 1178

10 હજાર રૂમવાળી હોટલ, છતાં 80 વર્ષથી અહીં આજ દિન સુધી કોઈ નથી રોકાયું, કારણ જાણી નવાઈ પામશો

A hotel with 10,000 rooms

  • તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી. આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું.

Hotel Prora : જ્યારે પણ આપણે શહેરથી બહાર કોઈ અજાણ્યા શહેરમાં જઈએ. ત્યારે ત્યાં રહેવા માટે હોટેલ એકમાત્ર જગ્યા છે. પોતાના મહેમાનોની સુખ સુવિધા માટે હોટેલ માલિકો (Hotel Owners) પણ ત્યાં ઘણી બધી વ્યવસ્થા રાખે છે. તમે ઘણા પ્રકારની હોટેલો જોઈ હશે અને તેમના વિશે સાંભળ્યું હશે.

પરંતુ આજે અમે તમને જે હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં ક્યારેય કોઈ રોકાયું નથી. આ હોટલમાં 10,000 રૂમ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ રોકાયું નથી.

10,000 રૂમની હોટેલ :

જર્મનીના (Germany) બાલ્ટિક દરિયાના રુગેન આઈલેન્ડ (Rugen Island) પર એક આવી હોટેલ છે. જે 80 વર્ષથી વધુ સમયથી વિરાન પડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી.

આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું. ત્યારે જર્મનીમાં હિટલર અને તેની નાઝી સેનાનું રાજ હતું. નાઝીઓએ સ્ટ્રેન્થ થ્રુ જ્વોય પ્રોગ્રામ (Strength Through Joy Program) હેઠળ આ હોટેલ બનાવી હતી. લગભગ 9000 મજૂરો તેને બનાવવામાં રોકાયેલા હતા.

ક્રુઝ શિપ પણ આરામથી ઊભી રહી શકે છે :

તેનું નામ હોટલ ધ પ્રોરા (Prora Hotel) છે. તેનું આ નામ આપવા પાછળ પણ એક કારણ હતું. આ હોટલ કોઈ સ્મારક જેવી દેખાય છે. પ્રોરાનો અર્થ ઝાડીદાર મેદાન અથવા ઉજ્જડ જમીન થાય છે. આ હોટલને દરિયા કિનારાથી આશરે 150 મીટર દુર બનાવવામાં આવી છે.

હોટલ ધ પ્રોરા આઠ આવાસ બ્લોકમાં વિભાજિત છે અને આશરે 4.5 કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલી છે. તેમાં થિયેટર અને ફેસ્ટિવલ હોલથી લઈને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહી એક ખાસ વાત એ છે કે અહીં એક ક્રૂઝ શિપ પણ આરામથી ઉભી રહી શકે છે.

ખંઢેર થઈ ગઈ છે આ હોટેલ :

હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પહેલાં 1939 માં બીજું વિશ્વ યુદ્ધ શરુ થઈ ગયું. યુદ્ધ શરૂ થતા તેનું બાંધકામ બંધ થઈ ગયું અને તમામ કામદારોને હિટલરની યુદ્ધ ફેક્ટરીઓમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા.

1945માં યુદ્ધનો અંત આવ્યો તેમ છતાં અહીં કોઈનું ધ્યાન આ હોટલ તરફ ગયું નહીં. હવે આ હોટેલ લગભગ ખંઢેર બની ગઈ છે. એવું કહેવાય છે કે જો તે સંપૂર્ણપણે તૈયાર હોત તો તે વિશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ હોટેલ બની હોત.

આ પણ વાંચો :-

ભૂલનો ભોગ બન્યા / દુલ્હા-દુલ્હને રેકોર્ડ કર્યો સુહાગરાતનો વીડિયો, ભૂલથી દબાવી દીધું શેર બટન, સોશિયલ મીડિયામાં વાયરલ

0

Victim of mistake

  • લગ્ન પછી દુલ્હા અને દુલ્હનની સુહાગરાતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મોબાઈલ (Mobile) કેટલો ઉપયોગી છે, ક્યારેક કેટલો ખતરનાક હોય છે તે તો બધા જ જાણે છે. ટેકનોલોજીની દુનિયામાં ભલે આજે મોબાઇલે લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું હોય. પરંતુ ઘણી વખત એક નાનકડી ભૂલ કોઈની આખી જિંદગી બરબાદ કરી નાખે છે.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થવા માટે દરેક વ્યક્તિ એકથી વધુ કારનામા કરતા રહે છે. પરંતુ ઘણી વખત લોકો પોતાના કારનામાના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. લગ્ન બાદ વર-વધૂએ સુહાગરાતનો (Suhagarat) વીડિયો શૂટ કર્યો હતો જે ભૂલથી વાયરલ થઈ ગયો હતો.

કપલનો સુહાગરાતનો વીડિયો થયો વાયરલ :

સોશિયલ  મીડિયા પર એક કપલના સુહાગરાતનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ કપલે પોતાની ખાસ રાતને યાદગાર બનાવવા માટે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો પરંતુ કદાચ ભૂલથી તેનું બટન દબાવવામાં આવ્યું હતું અને આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં  :

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નવા નવા પરણેલા કપલ લગ્નની વિધિ બાદ બેડરુમમાં પહોંચી ગયા છે. બંને ખૂબ થાકેલા લાગે છે. આવામાં દુલ્હન કેમેરા સામે પોતાના ઘરેણા ઉતારવા લાગે છે. આ દરમિયાન વરરાજા આવીને તેને પાછળથી પકડી લે છે અને તેની મદદ કરવા લાગે છે. આ સમય દરમિયાન વરરાજા પણ ઘણી વખત દુલ્હન સાથે રોમાન્ટિક રહે છે.

બંનેને વીડિયો બનાવવાની ખબર છે કે નહીં પરંતુ હા આ વીડિયોમાં બંને જોરદાર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે દુલ્હન પોતાના દાગીના ઉતારીને એટલી થાકી જાય છે કે તે ખુરશી પર બેસી જાય છે. આ પછી વરરાજા તેને તેના જૂતા કાઢવા માટે મદદ કરવા માંડે છે. દુલ્હા-દુલ્હનના રોમાન્સનો આ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

લોકોએ કપલની કરી આકરી ટીકા :

કેટલાક લોકોને બંને કપલના લગ્નનો વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે. તો કેટલાક લોકોએ કપલને મેણા-ટોણા માર્યાં છે. યૂઝર્સે કહ્યું કે કપલ શરમ રાખવી જોઈતી હતી. આજકાલ કપલ્સ વાયરલ થવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે.

આ પણ વાંચો :-

Bank Locker : બેંક લોકરમાં પૈસા રાખો છો તો થઈ જજો સાવધાન, RBIનો શું છે નિયમ ?

0

Bank Locker: If you keep money in a bank locker

  • માની લો કે લોકરમાં પડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં પીએનબી બેંક લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે.

આમ તો લોકરમાં (Locker) લોકો પોતાનો કિંમતી સામાન રાખે છે. જેથી તે સુરક્ષિત રહી શકે. પરંતુ માની લો કે જો લોકરમાં ડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં (Rajasthan) પીએનબી બેંક (PNB Bank) લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. એવામાં શું બેંકની કોઈ જવાબદારી નથી. આવો જાણીએ શું કહે છે આરબીઆઈનો નિયમ.

1 ફેબ્રુઆરી 2023થી નવા લોકર રૂલ્સ લાગુ થયા :

ભારતમાં 1 ફેબ્રુઆરી 2023થી નવા લોકર રૂલ્સ લાગુ થયા છે. આ નિયમમાં ગ્રાહકોને લોકરમાં રાખેલ સામાનની સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે. નવા નિયમ તમારા માટે બહુ ફાયદાકારક છે. આરબીઆઈએ એક જાન્યુઆરીથી લઈને હાલના લોકર ગ્રાહકોની સાથે લોકર એગ્રીમેન્ટને રિન્યુ કરવા માટે કહેવામા આવ્યું હતું. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે બેંક આ સુનિશ્વિત કરશે કે તેમના લોકર કોઈ અયોગ્ય શરત કે નિયમ સાથે ન હોય. સાથે જ લોકર એગ્રીમેન્ટ વધારે અઘરા ન હોય. હવે જાણીએ આ નિયમ શું છે.

વળતર આપવું પડશે :

જો બેંકની બેદરકારીથી લોકરમાં રાખેલ સામાનને કોઈ નુકસાન પહોંચે છે તો તેના માટે બેંક તમને વળતર આપશે. આરબીઆઈના નવા નિયમ પ્રમાણે બેંકોની જવાબદારી છે કે તે લોકર અને બેંક પરિસરની સુરક્ષા માટે બધા જરૂરી પગલાં ઉઠાવે. સાથે જ બેંકે નક્કી કરવું પડશે કે આગ, ચોરી, લૂંટ કે બિલ્ડીંગ પડવા જેવી ઘટનાઓ તેમની બેદરકારી કે ભૂલના કારણે ન થાય. જો પ્રાકૃતિક સંકટ જેવા કે ભૂકંપ, વિજળી પડવી, તોફાન કે પૂર વગેરેના કારણે લોકરના સામાનને નુકસાન થઈ શકે છે. તો બેંક તમને વળતર આપવા માટે બાદ્ય નહીં હોય.

વાર્ષિક ભાડાનું 100 ગણા સુધી વળતર :

જો બેંકની બેદરકારીના કારણે લોકરમાં રાખેલ સામાન ખરાબ થાય છે. તો બેંકને વળતર આપવું પડશે. બેંકના કર્મચારી જ છેતરપિંડીના કારણે નુકસાન થાય છે તો બેંક કમ્પેંસેટ કરશે. આ કંપનસેશન લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધી થશે.

જો ઉધઈ લાગી જાય તો શું કરશે? 

જો લોકરમાં રાખવામાં આવેલ સામાનમાં ઉધઈ લાગી જશે તો તેનાથી બેંકની બેદરકારી સાબિત થશે. એવામાં બેંકને નુકસાનનું વળતર આપવું પડી શકે છે.

આ પણ વાંચો :-

BIG BREAKING / પપ્પુ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયંકર અકસ્માત: કારના ઉડયા ફુરચેફુરચા, અનેક નેતા ઘાયલ

0

Pappu Yadav’s convoy late night fatal accident

  • જન અધિકાર પાર્ટી (JAP)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા અને પછી…

બિહારના (Bihar) ભોજપુરના શાહપુરમાં (Shahpur) સોમવારે રાત્રે જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનોને અકસ્માત નડયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પપ્પુ યાદવ (Pappu Yadav) સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઉતાવળમાં તમામ ઇજાગ્રસ્તોને શાહપુર પોલીસ દ્વારા રેફરલ હોસ્પિટલમાં લાવીને સારવાર આપવામાં આવી હતી.

શું કહ્યું પોલીસે ? 

શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજીવ કુમાર અને શૈલેષ કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે મોડી રાત્રે પટના-બક્સર ફોરલેન પર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડેશ્વર ગામ પાસે બની હતી. આ અકસ્માતમાં બક્સર જિલ્લા પ્રમુખ સુનીલ સિંહ અને એન્જિનિયર દિનેશ સિંહ અને અન્ય લોકોને ઈજા થઈ છે.

કારના ઉડ્યા ફુરચેફુરચા :

નોંધનીય છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે તમામ ઈજાગ્રસ્તો ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :-

Viral Video : રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ, જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા

0

Viral Video : રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ, જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા

  • આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ છોકરીના વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ એક જબરદસ્ત ક્રિકેટિંગ ટેલેન્ટ છે. તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થવી જોઈએ. તે જ સમયે કેટલાક લોકો આ છોકરીની તુલના સૂર્યકુમાર યાદવ સાથે પણ કરવા લાગ્યા છે.

ભારતમાં ક્રિકેટને (Cricket) ધર્મની જેમ ગણવામાં આવે છે. દેશના દરેક રાજ્યમાં ગલીઓમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી ક્રિકેટના પ્રેમથી સમગ્ર વિશ્વ વાકેફ છે. દરમિયાન તાજેતરમાં જ રાજસ્થાનની (Rajasthan) એક નાની છોકરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે જબરદસ્ત રીતે બેટિંગ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોને અશોક નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. અશોકે લખ્યું છે, ગ્રામીણ વિસ્તારની છોકરીઓ પણ ઘણું કરી શકે છે, મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા મારી શકે છે, બસ એક તક જોઈએ છે. તેમણે લોકેશન આગળ લખ્યું કે આ વીડિયો બાડમેરના નાના ગામ શેરપુરા કનાસરનો છે.

કોન્ફિડન્ટ શોટ :

વીડિયોમાં આ છોકરી આત્મવિશ્વાસથી ભરપૂર એવો જબરદસ્ત શોટ લગાવી રહી છે કે જોતા જ બની રહ્યો છે. તે છોકરી સાથે રમતા અન્ય ઘણા બાળકો પણ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં પાછળ ઉભેલા છોકરાના હાવભાવ પરથી આ છોકરીની પ્રતિભાનો અંદાજ લગાવી શકાય છે.

આટલું જ નહીં, વીડિયોના આગળના ભાગમાં બીજી છોકરી પણ તે જ મેદાન પર ક્રિકેટ રમતી જોવા મળે છે. તેના શોટ્સ પણ જોવા લાયક છે. છોકરીઓની ટેલેન્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે મારી છોરી છોરોસે કમ હે કે?

આ પણ વાંચો :-

આ વ્હિસ્કી ભારતીયોની દાઢે વળગી, ગોડાઉનના ગોડાઉન ભરાઈ જાય તેટલો પીધો, વિદેશથી આવી 22 કરોડ બોટલ

This whiskey stuck to the jaws of Indians

  • ભારતમાં સ્કોચ વ્હિસ્કીની ડિમાન્ડ વધી છે અને 2022માં દેશમાં 22 કરોડ રૂપિયાની વ્હિસ્કી બોટલ ઈમપોર્ટ થઈ છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે.

ભારતમાં વિદેશી દારૂની (foreign liquor) ડિમાન્ડ વધી રહી છે જેના પુરાવાઓ આંકડાઓ જોતા મળી આવે છે. ભારત બ્રિટેનની સ્કોચ વ્હિસ્કીનો (Scotch whisky) સૌથી મોટું માર્કેટ બની ગયું છે. બ્રિટેનની સ્કોચ વ્હિસ્કીની ડિમાન્ડનાં મામલામાં ભારતે તો ફ્રાંસને પણ પાછળ મૂકી દીધેલ છે. સ્કોટલેન્ડનાં (Scotland) પ્રમુખ ઉદ્યોગ નિકાસનાં આંકડાઓ અનુસાર 2022માં ભારતમાં બ્રિટનથી સ્કોચ વ્હિસ્કીની આયાત 60% વધી છે જેના કારણે બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી માટે ભારત સૌથી મોટું માર્કેટ બનીને સામે આવ્યું છે.

આશરે 22 કરોડ બોટલોની આયાત :

ભારતે 2022માં સ્કોચ વ્હિસ્કીની 700 મિલીલીટર વાળી 21.9 કરોડ બોટલોને ઈમપોર્ટ કરી છે. તો ફ્રાંસે 20.5 કરોડ બોટલો આયાત કરી હતી. ભારતીય સ્કોચ માર્કેટે ગયાં દશકામાં 200%નો ગ્રોથ મેળવ્યો છે. સ્કોચ વ્હિસ્કી એસોસિએશન અનુસાર ઈમપોર્ટનાં આંકડાઓમાં વધારો જોવા મળ્યો હોવા છતાં ભારતીય વ્હિસ્કી માર્કેટમાં સ્કોચની ભાગેદારી માત્ર 2% જ છે. ભારતમાં સ્કોચ વ્હિસ્કીનાં ઈંપોર્ટલ પર 150% ટેરિફ લાગે છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મહત્વનો મુદો :

ભારત અને બ્રિટનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક મહત્વનો મુદો બન્યો છે. બંને દેશોની વચ્ચે જીલ થવાથી સ્કોટલેન્ડની વ્હિસ્કી કંપનીઓને ઘણા ફાયદાઓ મળી શકે છે. સ્કોચ વ્હિસ્કી એસોસિએશનનું માનવું છે કે તેમને આવનારાં 5 વર્ષોમાં એક અરબ પોન્ડની ગ્રોથ મળી શકે છે.

વ્હિસ્કી ઉદ્યોગ માત્ર સ્કોટલેન્ડમાં સીધાં 11000 લોકોને રોજગાર ફાળવે છે. જેમાંથી 7000થી વધુ ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરતાં નાગરિકો છે. સમગ્ર UKમાં 42000 થી વધારે નોકરિયો અને ઉદ્યોગો પેદા કરે છે. જો ભારત અને બ્રિટનની વચ્ચે FTAનાં મુદા પર વાત થઈ જાય છે તો ઈંપોર્ટનો આંકડો વધી શકે છે.

આ પણ વાંચો :-

રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણી લો ચકચારી કયો છે મામલો

0

Why did Parimal Nathwani of Reliance have to request

  • પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે. ગીર સોમનાથ વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડો.ચગએ કરેલ આત્મહત્યા મામલે રાજ્યસભાના સાંસદનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

વેરાવળના (Veraval) નામાંકિત તબીબની આત્મહત્યા અને પોલીસને મળેલ સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. તો સમગ્ર ચકચારી મામલે પોલીસ કાર્યવાહી તેજ બની ગઈ છે. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી એ.ડી (AD) દાખલ કરી છે. વર્તમાન એમ.પી નું ભળતું નામ રાજેશભાઈ ચુડાસમા (Rajeshbhai Chudasama) હોવા મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં હવે પરીમલ નથવાણીએ (Parimal Nathwani) ઝંપલાવ્યું છે.

પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે. ગીર સોમનાથ વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડો.ચગએ કરેલ આત્મહત્યા મામલે રાજ્યસભાના સાંસદનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે રીલાયન્સ ગ્રુપના ડિરેકટર અને સાંસદ પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે.

ડો.ચગની સુસાઈડ નોટ મામલે ગહન તપાસ થાય તે માટે ગૃહમંત્રીને પરીમલ નથવાણીએ ખાસ વિનંતી કરી હતી. ડો.ચગએ આપઘાત કરવો પડયો તે અત્યંત દુઃખદ હોવાની લાગણી વ્યક્ત કરી. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડયો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાંત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડયો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા.

કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી.

આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહમંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું.

આ પણ વાંચો :-

માત્ર આટલાં હજારમાં વેગનઆર ! મોટી-મોટી પાર્ટીઓ મફતના ભાવમાં આ ગાડી લેવા દોડી !

Only in these thousands of wagons

  • ઘરે લાવો મારુતિ વેગનઆર માત્ર 60 હજારમાં, માઈલેજ 34kmpl થશે પરિવાર ખુશ થશે. જો તમે બેઝ વેરિઅન્ટ માટે જાઓ છો. તો તેની કિંમત 6.02 લાખ રૂપિયા ઓન-રોડ થશે. અમે ધારીએ છીએ કે તમે લગભગ 10% ડાઉન પેમેન્ટ (રૂ. 60,000) ચૂકવીને કાર ઘરે લાવવા માંગો છો.

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેની પાસે એક મનપસંદ ગાડી હોય. તે શાનદાર ગાડીની અંદર પોતાના પરિવારને મનગમતી ઈચ્છાએ હરવાફરવા લઈ જઈ શકે. પરંતુ ગાડીઓના મસમોટા ભાવ અને પેટ્રોલ-ડિઝલ (Petrol-Diesel) તેમજ સીએનજીમાં સતત થઈ રહેલો ભાવ વધારે લોકોની ગાડી લેવાની ઈચ્છાને જ મારી નાંખે છે.

ગાડી લેવા જઈએ તો 6-7 લાખ સિવાય શો રૂમવાળા વાત નથી કરતા. ત્યારે જો તમને એક કહેવામાં આવે કે બાઈક કરતા પણ ઓછા ભાવમાં તમને જબરદસ્ત ગાડી મળશે તો શું કહેશો? આ આર્ટિકલમાં વાત કરવામાં આવેલી છે સૌથી વધારે વેચાયેલી મારૂતિ વેગનઆર કારની.

વેગનઆરનું ઈએમઆઈ કેલ્ક્યુલેટર :

મારુતિ વેગનઆર દેશની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. તે ગયા મહિને ટોપ 10 કારની યાદીમાં બીજા સ્થાને છે. જાન્યુઆરી 2023માં તેણે 20,466 યુનિટ વેચ્યા છે. તે પરિવાર માટે એક મહાન કાર માનવામાં આવે છે. ઓછા બજેટમાં 5 લોકો માટે આ એક શાનદાર કાર છે. તમે CNG સાથે 34kmpl સુધીની માઈલેજ પણ મેળવવા જઈ રહ્યા છો. Maruti WagonR ની કિંમત રૂ 5.53 લાખ અને વધીને રૂ. 7.41 લાખ.

આ કિંમત એક્સ-શોરૂમ છે. તેના બેઝ મોડલ LXI (પેટ્રોલ)ની કિંમત આશરે રૂ. 10,000 હશે. દિલ્હીમાં 6.02 લાખ ઓન-રોડ. આવી સ્થિતિમાં જો તમે પણ આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે વેગનઆરનું EMI કેલ્ક્યુલેટર લાવ્યા છીએ.

વેગનઆર માત્ર 60 હજારમાં :

જો તમે બેઝ વેરિઅન્ટ માટે જાઓ છો, તો તેની કિંમત 6.02 લાખ રૂપિયા ઓન-રોડ થશે. અમે અંદાજ લગાવીએ છીએ કે તમે લગભગ 10% ડાઉન પેમેન્ટ (રૂ. 60,000) ચૂકવીને કાર ઘરે લાવવા માંગો છો. વિવિધ બેંકોના વ્યાજદર અલગ અલગ હોય છે અને તમે 1 વર્ષથી 7 વર્ષની વચ્ચેની લોનની મુદત પણ પસંદ કરી શકો છો. અહીં અમે બેંકના વ્યાજ દરને 10% અને લોનની મુદત 5 વર્ષ ગણી છે. આ કિસ્સામાં તમારે દર મહિને આશરે રૂ. 11,524ની EMI ચૂકવવી પડશે. તમે 5 વર્ષમાં કુલ લોનની રકમ (રૂ. 5,42,399) માટે અંદાજે રૂ. 1.49 લાખ વધારાના ચૂકવશો.

જુઓ શાનદાર ફિચર્સ :

મારુતિ તેને બે એન્જિન વિકલ્પો સાથે ઓફર કરે છે: 1-લિટર યુનિટ (67PS અને 89Nm) અને 1.2-લિટર યુનિટ (90PS અને 113Nm). તેમાં 7-ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, ચાર-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ અને 14-ઈંચના એલોય વ્હીલ્સ મળે છે. સલામતી માટે તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, પાછળના પાર્કિંગ સેન્સર્સ અને હિલ-હોલ્ડ સહાય મળે છે.

આ પણ વાંચો :-

 

6 વર્ષ પછી આવ્યો આવો મંગળવાર… આ છ રાશિના જાતકોની કાયમ માટે બદલાઈ જશે કિસ્મત- વાંચો આજનું રાશિફળ

Tuesday has come after 6 years Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ-બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ‌-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાયય નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે.‌ પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-…

કરોડોની કારથી પણ મોંઘી છે શાહરુખ ખાનની ઘડિયાળ, કિંમત જાણીને ફેન્સના ઊડી જશે હોશ !

Shahrukh Khan’s watch is more expensive

  • બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન એક વખત ફરીથી ચર્ચામાં આવ્યાં છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર કમાણી મામલે બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

બોલીવુડના કિંગ ખાન (King Khan of Bollywood) કોઈના કોઈ કારણે ચર્ચાનુ કેન્દ્ર બનતા રહે છે. હવે શાહરૂખ ખાનની અમુક તસ્વીરો સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઇ રહી છે. જેમાં તેમણે વાદળી રંગની ઘડિયાળ (Clock) પહેરી છે. શાહરૂખ ખાનની (Shah Rukh Khan) આ વાદળી રંગની ઘડિયાળની કિંમત જાણીને પ્રશંસકોના હોશ ઉડી ગયા છે.

કરોડોની ઘડિયાળ પહેરે છે શાહરૂખ ખાન :

પઠાણ સ્ટાર શાહરૂખ ખાન હાલમાં એક ઈવેન્ટમાં વાદળી રંગની ઘડિયાળ પહેરીને દેખાયા છે. આ વાદળી રંગની ઘડિયાળની કિંમત 4.98 કરોડ જણાવવામાં આવી છે. કરોડોની આ ઘડિયાળ પહેરીને શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણનુ પ્રમોશન કરતા દેખાયા હતા. શાહરૂખ ખાનની મોંઘી ઘડિયાળના કારણથી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમની મજાક પણ ઉડાવી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, આ પણ એ જ સમય બતાવશે ને કે પછી કઈક બીજો?. બીજા એક યુઝરે લખ્યું, આટલા રૂપિયામાં તો અમે આખુ આઈલેન્ડ ખરીદી શકીએ છીએ.

બોક્સ ઓફિસ પર પઠાણની ધૂમ  :

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઈડ 887 કરોડની કમાણી કરી છે. માત્ર ભારતમાં જ પઠાણની કમાણી 450 કરોડને પાર જતી રહી છે. ફિલ્મ શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની એક્શનના પણ ખૂબ વખાણ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-