Home Blog Page 1174

Gold Rate Today : ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત ?

0

Gold Rate Today : Gold will cross 60,000 soon

  • એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે. 24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે.

સોનાનો (Gold ) ભાવ રોજેરોજ વધી રહ્યો છે. પરંતુ શુક્રવારના દિવસે સોનાનો ભાવમાં થોડીક રાહત મળી. પરંતુ શું સોનાનો ભાવ આગળ પણ વધતો જ રહેશે?. લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે. એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં (Global Market) આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે.

24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે જ સોનું 56,983 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનું 60,000 ને પાર કરી જશે. કેમ કે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ડિમાન્ડ પણ વધવાની છે.

ફેડનું નરમ વલણ :

અમેરિકી કેન્દ્રીય બેંક જયારથી પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે ત્યારથી જ ડોલર મજબૂર થઈ રહ્યો છે. તેનું જ પરિણામ હતું કે માર્ચ 2002માં 1950 ડોલર પ્રતિ ઔસના ઉચ્ચ સ્તરથી સોનું ઓક્ટોબર 2022માં 1636  ડોલર પ્રતિ ઔસ પર આવી ચૂક્યું હતું. પરંતુ જ્યારથી ફેડે વ્યાજ દરમાં નરમ વલણ અપનાવ્યું છે ત્યારથી સોનામાં તેજી જોવા મળી રહી છે.

એવામાં માનવામાં આવી રહ્યો છે કે ડોલરમાં ઘટાડાના કારણે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો ઘરેલુ બજારની વાત કરીએ તો સોનુ દિવાળીના સમયે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે ચાલી રહ્યું હતું. અને હવે તેમાં તેજી જોવા મળી છે.

મંદીમાં આગ ઓકી રહ્યું છે સોનું :

ડોલરમાં આવેલા ઘટાડાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફેડ આગળ પણ 0.25 ટકાના દર વ્યાજમાં વધારશે. તે સિવાય વિશેષજ્ઞોનું કહેવું છે કે પશ્વિમી દેશોમાં મંદીના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવનું કહેવું છે કે વર્ષ 1973થી યૂએસમાં 7માંથી 5 વખત મંદીના સમયે સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, આ તારીખથી અનેક વિસ્તારોનું આવી બન્યું સમજો!

0

Ambalal Patel made a terrible prediction with the date

રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો (heat and cold) સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી કરી છે. રાજ્યમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે વાદળછાયું વાતાવરણ અને બપોરે ગરમીનો અહેસાસ થશે.

શું કહે છે અંબાલાલની આગાહી?

ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે.

મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો :-

આ રાશિના લોકોના જીવનમાં સોમવારના પવિત્ર દિવસે સૂર્યદેવની કૃપાથી ઉજાસ પથરાશે

The life of people of this zodiac sign Gujarat Guardian

મેષ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ
થોડું ગુસ્સાનાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂતનું થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય આરોગ્ય સાચવવું.

કન્યા
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
ખર્ચનું પ્રમાણ વધતુ જણાય. છતાં આનંદ-ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતી રાખવી.

ધન
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે અેનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટો મોટોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગનાં ધંધામાં વિશેષ લાભ.

કુંભ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ નક્કર પસ્તાવાનો વારો આવી શકે છે

Even mistakenly not eating these things

  • આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

દહીં સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટિન, પોટેશિયમ (Potassium) અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વિટામીન (Vitamins) ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

ડુંગળી સાથે :

સામાન્ય રીતે લોકો દહીંમાં ડુંગળી ઉમેરીને રાયતુ બનાવે છે. જો તમે પણ એવા લોકોમાં છો તો દહીં અને ડુંગળી એક સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે.

દૂધ સાથે :

દૂધ અને દહીં એકસાથે ખાવાનું ટાળો. જો તમે આ બંનેનું એક સાથે સેવન કરો છો. તો એસિડિટી, છાતીમાં બળતરા, પેટ ફૂલવું વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

અડદની દાળ સાથે દહીં :

જો તમે અડદની દાળ સાથે દહીંનું સેવન કરો છો તો તેનાથી એસિડિટી, ગેસ, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો :-

શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે ? નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ

0

Will Jagdish Thakor be expelled from the Congress?

  • ગુજરાતમાં કોઈપણ સમયે બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, આ નેતાઓના નામ ચર્ચામાં…. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પાટીદારને પ્રતિનિધિત્વ આપશે તેવી ચર્ચા ચાલી રહે છે…

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠયો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના (opposition party) નેતાનું નામ ફાઈનલ કર્યું હતું. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને (Shailesh Parmar) વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું. પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ. ત્યારે હવે કોંગ્રેસમા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાની શોધ ચાલી રહી છે. જેમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

આ નામો પર ચર્ચા થઈ રહી છે :

કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી શકે છે.

જોકે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ હતી. 2019 માં અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા અને જીતી ગયા હતા, જોકે 2022 ની ચૂંટણીમાં ભાજપ સામે તેમનો પરાજ્ય થયો છે. પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકે ગણના થાય છે. ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવ્યા છે. 2017 જિલ્લામાં થયેલું સારું પ્રદર્શન પણ પરેશ ધાનાણીને ફાળે ગયું હતું.

આ પણ વાંચો :-

6 વર્ષ પછી આવ્યો આવો રવિવાર… આ છ રાશિના જાતકોની કાયમ માટે બદલાઈ જશે કિસ્મત- વાંચો આજનું રાશિફળ

This Sunday came after 6 years…

મેષઃ
આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતા સાવધાની જરૂરી. આધાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ
દિવસ દરમિયાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાકીય બાબતો માટે સાનુકૂળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે.

મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વીજળીના સામાન, ટેલિફોન, ટીવી તેમજ કોન્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ, સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું.

કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંદો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતાપિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માતાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણીશીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતું જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતાપિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ, નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ
ઉતાવળિયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ
દિવસ દરમિયાન તામસિકતા તથા આધ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબૂ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
પોતાનું બોલેલું જ સાચું એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્‍નો કરવા.

મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલરકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

આ પણ વાંચો :-

દરરોજ સવારે પીવાનું શરૂ કરી દો આ હેલ્ધી ડ્રિંક્સ, જૂનામાં જૂની કબજિયાતનું નામો નિશાન નહીં રહે

Start drinking these healthy drinks every morning

  • આજે અમે તમને કબજિયાત સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો આપાવતા ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જો તમે પોતાની ડેલી ડાયેટમાં શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

કબજિયાત લાઈફસ્ટાઈલ (Constipation lifestyle) સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે આજના સમયમાં ખૂબ જ સામાન્ય છે. કબજિયાતની (Constipation) સમસ્યામાં તમને પેટ એક વખતમાં અથવા સરળતાથી સાફ નથી થઈ શકતું જેના કારણે કલાકો સુધી ટોયલેટમાં (Toilet) બેસી રહેવું પડે છે. પેટ સાફ ન થવાના કારણે તમારા સ્વાસ્થ્ય અને મન બંન્ને પર ખરાબ અસર પડે છે જેની અસર તમારા કામ અને પરફોર્મન્સ પર પણ પડે છે.

ત્યાં જ જો તમે લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તેના કારણે તમને મસા પણ થઈ શકે છે. એવામાં આજે અમે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપાવતી ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પોતાની ડેલી ડાયેટમાં તેને શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે. તો આવો જાણીએ કબજિયાતની સમસ્યા માટે ડ્રિંક્સ

લીંબુનો રસ :

લીંબુના રસમાં વિટામિન સી જેવા ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. તેના માટે લીંબુ પાણી પીવાથી તમને શરીરમાં રહેલા ટોક્સિંસ સરળતાથી નિકળી જાય છે. જેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

સફરજનનો જ્યુસ :

સફરજનમાં પેક્ટિન નામનું તત્વ રહેલું હોય છે જે તમારા મળને ભારે બનાવે છે જેનાથી તમને મળત્યાગમાં સરળતા રહે છે. એવામાં તમે દરરોજ સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો.

દૂધ અને ઘી :

દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરવું આયુર્વેદમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ઘી વાળુ દૂધ કબજીયાત માટે રામબાણ ઈલાજનું કામ કરે છે. એવામાં તમે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

આ પણ વાંચો :-

વેલેન્ટાઈનમાં સ્કૂલ ફીના રૂપિયા બોયફ્રેન્ડ પાછળ ઉડાવી દીધા, કર્યું એવું નાટક કે પોલીસ ધંધે લાગી ગઈ

0

On Valentine’s Day, the school

  • વિદ્યાર્થી અને પરિવારજનો પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ પોલીસની સામે ખોટી વાર્તા પણ કહી. ફીસ બેગમાં રાખીને તે શાળાએ જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી. ત્યારે ગ્વાલ ટોલી પાસે બે અજાણ્યા યુવકો બાઇક પર આવ્યા અને બેગ આંચકીને ભાગી ગયા.

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. આ દરમિયાન પ્રેમીપંખીડા (Lovebirds) એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે અલગ-અલગ રીત અજમાવતા હોય છે. પરંતુ હમીરપુરમાંથી (Hamirpur) એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસના હોશ ઉડાવી દીધા છે. ધોરણ 12ના વિદ્યાર્થી પાસેથી 21,000 રૂપિયાની લૂંટની તપાસમાં લાગેલી પોલીસને એવી માહિતી મળી કે તેઓ ચોંકી ઉઠ્યા.

તપાસમાં જાણવા મળ્યું કે તે જે લૂંટની તપાસ કરી રહી છે તે ખરેખર ખોટી છે. પોલીસે વિદ્યાર્થીની કડક પૂછપરછ કરતાં સત્ય સામે આવ્યું. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેણે તેના પ્રેમીને મળવા માટે આ ખોટી વાર્તા કહી. પોતાના બોયફ્રેન્ડના (boyfriend) પ્રેમમાં વિદ્યાર્થિનીએ સ્કૂલની ફીના તમામ પૈસા ખર્ચી નાખ્યા હતા.

લૂંટની જાણ થતાં પોલીસ પહોંચી હતી :

હમીરપુર શહેરના ગ્વાલ ટોલી વિસ્તારમાં મૌદહા વિસ્તારની એક છોકરી બારમા ધોરણની વિદ્યાર્થિની છે. જેણે શાળાની ફી ભરવા માટે તેના પરિવારના સભ્યો પાસેથી 21,000 રૂપિયા લીધા હતા. જ્યારે વિદ્યાર્થીએ પોલીસને દિવસના અજવાળામાં શાળાની ફી લૂંટી લેવાની જાણ કરી ત્યારે કોતવાલી પોલીસ ચોંકી ઉઠી હતી. ઘટનાની જાણ થતા જ સ્વજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીઓ સદર અને કોટવાલ દુર્ગ વિજય સિંહે લૂંટની ઘટના અંગે ફોર્સ સાથે સ્થળનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

પોલીસને ખોટી વાર્તા કહી :

વિદ્યાર્થી અને પરિવારજનો પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ પોલીસની સામે ખોટી વાર્તા પણ કહી. ફીસ બેગમાં રાખીને તે શાળાએ જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી. ત્યારે ગ્વાલ ટોલી પાસે બે અજાણ્યા યુવકો બાઇક પર આવ્યા અને બેગ આંચકીને ભાગી ગયા. દિવસના અજવાળે થયેલી લૂંટની ઘટનાનો ખુલાસો કરવા પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. પોલીસે કલાકો સુધી તપાસ ચાલુ રાખી હતી, પરંતુ લૂંટની ઘટનાનો કોઈ સુરાગ મળ્યો ન હતો.

પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ લૂંટની વાત પરથી પડદો હટાવ્યો :

કેટલાય કલાકો સુધી લૂંટની ઘટનાની તપાસ કરી રહેલી કોતવાલી પોલીસે આખરે ઘટના પરથી પડદો હટાવ્યો હતો. સદર કોટવાલ દુર્ગ વિજય સિંહે કહ્યું કે ઘટનાની માહિતી પર નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ આવી ઘટનાનો કોઈ સુરાગ મળ્યો નથી. તેણે જણાવ્યું કે જ્યારે વિદ્યાર્થિનીની પૂછપરછ કરવામાં આવી તો તેણે આખી વાત કહી.

તેણે જણાવ્યું કે આ વિદ્યાર્થી શાળાની ફી જમા કરાવવાના બહાને તેના બોયફ્રેન્ડને મળવા હમીરપુર આવી હતી. પ્રેમીના પ્રેમમાં તેણે સ્કૂલની ફીના 21 હજાર રૂપિયા ખર્ચ્યા. બાદમાં પરિવારજનોના ડરના કારણે તેણે લૂંટની ઘટનાની કહાની બનાવી હતી.

આ પણ વાંચો :-

નોરા ફતેહી સાથે અક્ષય કુમારનો રોમેન્ટિક VIDEO વાયરલ થતા ફેન્સે લીધી ભરપૂર મજા, જુઓ વિડીયો

Akshay Kumar’s romantic video with Nora Fatehi

  • અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગ્રીન ગાઉનમાં નોરાએ એવી કામણગારી અદા બતાવી કે અક્ષયના દિલના ધબકારા વધી ગયા.

તુમ હુસ્ન પરી…. તુમ સબસે હસીન… તુમ સબસે જવાં…. નોરા ફતેહીની (Nora Fatehi) અદાઓને જોઈને કોઈ પણ વ્યક્તિ આ કહેશે. અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો (Akshay Kumar) એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંનેની રોમેન્ટીક કેમેસ્ટ્રી દેખાઈ રહી છે.

અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય અને નોરાને ‘કુડિએ ની તેરે’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ ગીતમાં અક્ષય કુમાર ફૂલ બ્લેક કલરના કપડામાં છે તો ગ્રીન ગાઉનમાં નોરા ફતેહી કોઈ પણ પરીથી ઓછી સુંદર લાગતી નથી. ગીતમાં નોરાના ડાન્સ અને કાતિલ અદાઓ પર પ્રશંસકો ફિદા થઇ રહ્યાં છે.

નોરાની અદા પર ફિદા થયા ખેલાડી કુમાર :

વીડિયોમાં અક્ષય કુમાર નોરાના ડાન્સ સ્ટેપ પર ફિદા છે. તો વાળને લહેરાઈને નોરા જ્યારે પોતાની કમર હલાવે છે તો અક્ષયના દિલના ધબકારા વધી જાય છે. અક્ષયે આ વીડિયોને શેર કરતા લખ્યું છે, ‘અહીં જુઓ નોરા ફતેહી કઈ રીતે કોઈ પણ વાઈબ્સને ફાયર બનાવી શકે છે.

શું શાનદાર વાઈબ છે કુડીએ ની તેરી’ અક્ષય આ ગીત દ્વારા પોતાની આગામી ફિલ્મનુ પ્રમોશન કરી રહ્યાં છે. આ ગીતને 1 કલાકમાં સાડા આઠ લાખથી વધુ લાઈક્સ મળી છે. ગીત પર 6000થી વધુ કોમેન્ટ આવી ગઈ છે.

ટ્વિન્કલ ખન્નાને ટેગ કર્યો વીડિયો :

અક્ષય અને નોરાના આ ડાન્સ વીડિયો પર રિએક્શન આપતા અમુક પ્રશંસકોએ વીડિયોને ટ્વિન્કલ ખન્નાને ટેગ કર્યો છે. પ્રશંસકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. એક પ્રશંસકે લખ્યું છે આ વીડિયોને ટ્વિન્કલ મેમને ટેગ કરો. બીજી તરફ એક પ્રશંસકે કોમેન્ટ કરી છે કે ટ્વિન્કલ આ લોકેશન જાણવા માંગે છે. ઘણા યુઝર્સે તેના પર સારી કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો :-

આ કંઈ વિદેશ નહીં પણ ભારતમાં જ બની રહ્યો છે 4 લેન એક્સપ્રેસ વે, પીએમ મોદી કાલે કરશે ઉદ્ધાટન

0

This is not a foreign country but a 4 lane expressway

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 12 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે. દિલ્હી રાજસ્થાન સહિત દેશના કેટલાય રાજ્યોમાંથી પસાર થતાં આ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. જેની લંબાઈ 1386 કિલોમીટર છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને (Delhi-Mumbai Expressway) શાનદાર સિદ્ધિ ગણાવી છે. ગડકરીએ જણાવ્યું છે કે આ એક્સપ્રેસ વેને (Expressway) બનાવવા માટે 25 લાખ ટન ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચાર હજાર ટ્રેનિંગ લીધેલા એન્જીનિયરોને આ એક્સપ્રેસ વે બનાવામાં લગાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, 4 લેનના આ એક્સપ્રેસ વેને 24 કલાકમાં 2.5 કિમી સુધી બનાવામાં આવ્યો છે. તે એક વર્લ્ડ રેકોર્ડ છે.

 હાલમાં દિલ્હીથી જયપુર અથવા મુંબઈ સુધી જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાગતા જામથી છુટકારો મળી જશે.

જ્યારે 50 કિમી સિંગલ લેનમાં 100 કલાકમાં સૌથી વધારે માત્રામાં ચારકોલ નાખવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નીતિન ગડકરીએ આ જાણકારી #BuildingTheNation સાથે ટેગ કરી છે. 1386 કિમીની લંબાઈ સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબા એક્સપ્રેસ વે છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈની સાથે જોડવામાં આવશે.

એક્સપ્રેસ વે દિલ્હી સહિત હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વેથી જયપુર, અજમેર, કોટા અને વડોદરા જેવા મોટા શહેરોની કનેક્ટિવિટી સારી થઈ જશે. આ એક્સપ્રેસ વે પર રેસ્ટોરન્ટ, રેસ્ટરુમ, શોપિંગ મોલ, હોટલ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ હશે.

 આ એક્સપ્રેસનેથી સફર દરમિયાન દિલ્હી અને મુંબઈની વચ્ચે યાત્રાનો સમય 24 કલાકથી ઘટીને ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

એક્સપ્રેસ વે શરુ થતાં દિલ્હી-જયપુર હાઈવે પર ટ્રાફિક ઓછુ થશે. હાલમાં દિલ્હીથી જયપુર અથવા મુંબઈ સુધી જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાગતા જામથી છુટકારો મળી જશે.

આ એક્સપ્રેસ વેનેથી સફર દરમિયાન દિલ્હી અને મુંબઈની વચ્ચે યાત્રાનો સમય 24 કલાકથી ઘટીને ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ એક્સપ્રેસના નિર્માણની શરુઆત 9 માર્ચ 2019એ થઈ હતી. કોવિડ દરમિયાન લાગેલા લોકડાઉનમાં તેનું કામકાજ રોકી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-