Home Blog Page 1167

પતિ બન્યો IPL ટીમનો કેપ્ટન, પત્ની કરે છે દારૂને ટેસ્ટ કરવાનું કામ, ક્રિકેટરની કારકિર્દીમાં આપ્યું છે અગત્યનું યોગદાન

0

Husband becomes captain of IPL team

  • સાઉથ આફ્રિકાના ક્રિકેટર એડેન માર્કરમની ક્રિકેટ કારકિર્દીમાં મોટો ફેરફાર આવી ગયો છે. આ ખેલાડી હવે દુનિયાની સૌથી મોટી લીગ આઈપીએલમાં કેપ્ટનશિપ કરશે. માર્કરમને સનરાઈઝર્સ હૈદ્રાબાદે નવો કેપ્ટન બનાવ્યો છે.

માર્કરમે હાલમાં સાઉથ આફ્રિકામાં (South Africa) રમાયેલ SA20 લીગમાં સનરાઈજર્સની ફ્રેન્ચાઈઝી ઈસ્ટર્ન કેપને ચેમ્પિયન બનાવ્યું હતુ અને હવે તેમને આઈપીએલમાં પણ ટીમને વિજેતા બનાવવાની જવાબદારી મળી ગઇ છે. મહત્વનું છે કે એડેન માર્કરમની આ સફળતા પાછળ તેમનો સખત પરિશ્રમ છે. પરંતુ તેમાં તેમની પત્નીનુ પણ મહત્વનુ યોગદાન છે.

એડેન માર્કરમની પત્ની નિકોલ ડેનિયલી પતિને કરે છે ખૂબ સપોર્ટ  :

એડેન માર્કરમની પત્ની નિકોલ ડેનિયલી ઓ કૉનર વારંવાર પોતાના પતિને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. હાલમાં તેમની એક ઈમોશનલ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં નિકોલ રડતી દેખાતી હતી. નિકોલની આંખમાં હરખના આંસુ આવ્યાં હતા. કારણકે SA20 લીગની સેમી ફાઈનલમાં તેના પતિ એડેન માર્કરમે સદી ફટકારી હતી.

એડેન માર્કરમની પત્ની નિકોલ છે ઉદ્યોગસાહસિક :

એડેન માર્કરમના ટેલેન્ટથી તો આખી દુનિયા વાંકેફ છે, પરંતુ અમે તમને તેમની પત્ની નિકોલ અંગે જણાવીએ. નિકોલ એક ઉદ્યોગસાહસિક છે અને તેમનો ઑનલાઈન જ્વેલરીનો બિઝનેસ છે. નિકોલ ડેનિયલી ઓ કૉનર આ સિવાય દારૂ ચાખવાનુ પણ કામ કરે છે. ઉલ્લેખનીય છે કે તેમાં તે અલગ-અલગ પ્રકારની દારૂ ચાખીને તેની ક્વોલિટી અંગે જણાવે છે.

આ પણ વાંચો :-

Amritpal Singh : અમૃતસરમાં હંગામાનો ‘માસ્ટર માઈન્ડ’, જાણો કોણ છે અમૃતપાલ સિંહ

0

Amritpal Singh

  • Amritpal Singhના નેતૃત્વમાં, સેંકડો સમર્થકો તલવારો અને અન્ય હથિયારો સાથે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં એકઠા થયા. તેઓએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. જ્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ પરિસરમાં ધરણા કર્યા ત્યારે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.

Who is Amritpal Singh : ખાલિસ્તાન (Khalistan) સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહના સમર્થકોએ ગુરુવારે પંજાબના અમૃતસર જિલ્લામાં પોલીસ સાથે અથડામણ કરી અને તેમના એક સાથીની ધરપકડનો વિરોધ કરતા પોલીસ પરિસરમાં ઘૂસી ગયા. પોલીસે અમૃતપાલ સિંહ (Amritpal Singh) અને તેના સમર્થકો વિરુદ્ધ એક વ્યક્તિના અપહરણનો કેસ નોંધ્યો હતો.

રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબના રહેવાસી વરિન્દર સિંહના કથિત અપહરણ અને હુમલો કરવા બદલ અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે અમૃતપાલ સિંહે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Union Home Minister Amit Shah) ધમકી આપી હતી કે તેઓ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જેવું જ ભાગ્ય પામશે.

કોણ છે અમૃતપાલ સિંહ?

દુબઈથી પરત ફરેલા અમૃતપાલ સિંહ, અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુ દ્વારા સ્થાપિત ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક માર્ગ અકસ્માતમાં સિદ્ધુનું મૃત્યુ થયું હતું. અમૃતપાલ સિંહનો જન્મ વર્ષ 1993માં અમૃતસરના જલ્લુપુર ખેડામાં થયો હતો. 12મા સુધી અભ્યાસ કર્યા બાદ 2012માં તેનો આખો પરિવાર દુબઈ રહેવા ગયો હતો.

આરોપ છે કે અમૃતપાલ ખાલિસ્તાની ચળવળને બળ આપી રહ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે ISIની ઉશ્કેરણી પર અમૃતપાલ સિંહને પંજાબમાં ફરીથી ખાલિસ્તાનનો મુદ્દો ઉશ્કેરવા માટે દુબઈથી પંજાબ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ભરૂચના છેવાડાના ગામની દિકરી કિકેટમાં ઝળકી, ક્રિકેટર બનાવવા પિતાએ…

0

Bharuch excelled in cricket

  • BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.

ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા (BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ  ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ,વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ કિક્રેટની (Inter State Cricket) ટુર્નામેન્ટ યોજાય છે.

BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને (Muskan Vasava) સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.

કેમ કરવામાં આવી ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં પસંદગી?

તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ“સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એક દિવસીય કિક્રેટ ટુર્નામેન્ટ” રમાઈ હતી.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે ભરૂચના (Bharuch) ઝઘડિયાની મુસ્કાન વસાવાએ શ્રેષ્ડ ગોલંદાજીનું પ્રદર્શન કર્યું હતું.

આ ઈનીંગમાં તેણીએ 21 રન આપીને 6 વિકેટ મેળવી હતી. આ ઉમદા પ્રદર્શનને કારણે ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની (All India Domestic Best Bowlers) યાદીમાં ટોપ 10માં સમાવેશ કરવામાં આવ્યો હતો.

શ્રેષ્ડ ગોલંદાજ તરીકેની તવારિખ..

મુસ્કાન વસાવા (Muskan Vasava) અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર  વુમન  ટી- 20 માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટર સ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.

ખેતરને ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવીને પિતૃવાત્સલ્ય દર્શાવતા પિતા ચંદ્રકાન્ત વસાવા :

મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ તેમના માતૃશ્રીની યાદમાં તથા દિકરીની ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને હુનર  જોઈને પિતૃવાત્સલ્યનો ભાવ દર્શાવીને પોતાના ખેતરને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. હાલમાં સ્વ.મધુબેન ફતેસિંહના બેનર હેઠળ બલેશ્વર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના 20થી પણ વધુ મેન-વુમન ખેલાડીઓ મફત કોચિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

24 ફેબ્રુઆરી 2023 રાશિફળ :  શુક્રવારનાં રોજ આ રાશિના લોકો પર રહેશે લક્ષ્મીજીની વિશેષ કૃપા, વાંચો તમારું આજનું રાશિભવિષ્ય

24 February 2023 Horoscope

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવા. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ, શાંતી વર્તાય શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી, ધંધામાં પ્રગતી.

સિંહઃ
માનસિક શાંતી રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ-શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂં.

કન્યાઃ
વાણી દ્વારો કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી.‌ ‌િમત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી. શાંતીથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસેથેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો, ભાઇ-બહેન સાતે વિખવાદ થવાના યોગ છે વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતીથી હર્ષ.

કુંભઃ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું

મીનઃ
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનનમાં શાંતી રહે તથા યશ, પ્રતિ‍ષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાતને શાંતી તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

Relationship Tips ! આ બાબતોનું ધ્યાન રાખશો તો નહિ આવે અંતર..

0

Relationship Tips

  • ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ (Girlfriend-boyfriend) હોય કે પતિ-પત્ની કોઈ પણ સંબંધને નિભાવવો એ થોડુ મુશ્કેલ કામ છે.

સામાન્ય રીતે ગેરસમજ, ફરિયાદો અને સન્માનના અભાવે સંબંધોમાં (Relationship) તિરાડ પડવા લાગે છે અને કડવાશ આવી જાય છે. ચાલો જાણીએ સંબંધોમાં મધુરતા જાળવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

સંબંધ મજબૂત કરવા શું કરવું ?

જૂઠ્ઠુ બોલવાનુ ટાળો :

જો તમે તમારા જીવનસાથી (Spouse) સાથે આજીવન સંબંધ જાળવી રાખવા માંગો છો, તો તેમની સાથે ખોટું બોલવાનું બંધ કરો, કારણ કે એક દિવસ એવો આવશે જ્યારે તમારી ચોરી પકડાઈ જશે અને વિશ્વાસ તૂટી જશે. એકવાર ભરોસો તૂટી જાય પછી સંબંધ પહેલા જેવો રહેતો નથી.

દોષારોપણ કરવાનું ટાળો :

જો તમારા જીવનમાં તણાવ વધી રહ્યો છે, અથવા કોઈ મહત્વપૂર્ણ કામ થઈ રહ્યું નથી. તો આ માટે તમારા જીવનસાથીને દોષ આપવો અથવા દોષ આપવો યોગ્ય નથી. તેનાથી સંબંધમાં બોજ વધે છે.

અપમાન ન કરો :

તમે એકબીજાનું કેટલું સન્માન કરો છો તેના પર પણ સંબંધનું ટકી રહેવાનું નિર્ભર છે, આ માટે પાર્ટનરને ટોણો ન મારવો જરૂરી છે. ભૂલ થાય તો પણ પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. ઘણી વાર ઠપકો આપીને ગુસ્સે થવાથી વાત બગડી જાય છે.

આ પણ વાંચો :-

પ્લાસ્ટિકના સ્ટુલમાં શા માટે વચ્ચે રાખવામાં આવે છે કાણું ? જાણો કારણ

0

Why is there a hole in the middle

  • Interesting Facts : શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પ્લાસ્ટિકના દરેક પ્રકારના સ્ટૂલમાં વચ્ચેના ભાગમાં એક કાણું રાખવામાં આવે છે. તમને ખબર છે આવું કરવાનું કારણ શું છે ?

પ્લાસ્ટિકના સ્ટુલનો (Plastic stools) ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પ્લાસ્ટિકના દરેક પ્રકારના સ્ટૂલમાં (stools) વચ્ચેના ભાગમાં એક કાણું રાખવામાં આવે છે. તમને ખબર છે આવું કરવાનું કારણ શું છે ? નથી ખબર તો આજે તમને જણાવ્યું તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ.

પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પ્લાસ્ટિક બનાવનાર કંપનીએ વિજ્ઞાનના સામાન્ય નિયમોનું પાલન કરવું પડે છે. દુનિયાના કોઈપણ છેડામાં આવેલી કંપની હોય તેને આ નિયમનું પાલન કરવું જ પડે છે. પ્લાસ્ટિકનું સ્ટુલ હોય કે કોઈપણ વસ્તુ તેમાં એક નાનકડું હોલ રાખવું જ પડે છે.

સ્ટુલમાં કાણું રાખવાનું કારણ હોય છે એર પ્રેશર અને વેક્યુમ ને જગ્યા આપવી. દુકાનમાં તમે જોયું હશે કે પ્લાસ્ટિકના સ્ટૂલ એકની ઉપર એક રાખવામાં આવે છે. તેવામાં જો આ સ્ટુલની અંદર કાણું ન હોય તો એર પ્રેશર માટે જગ્યા ન મળે અને તે સરળતાથી એકબીજાથી અલગ ન થઈ શકે.

આ સિવાય અન્ય એક કારણ એ પણ છે કે જે વધારે વજન વાળા વ્યક્તિ માટે તેને ઉપયોગી બનાવે છે. વધારે વજનવાળી વ્યક્તિ સ્ટૂલ ઉપર બેસે કે ઉભી થાય તો તે સરળતાથી તૂટતું નથી. તેનું કારણ સ્ટૂલની વચ્ચે બનેલું કાણું હોય છે.

આ પણ વાંચો :-

આ રાજ્યમાં માત્ર 3 કિલોમીટરના અંતરમાં દોડે છે ટ્રેન, જાણો કારણ

0

Trains run only in a distance of 3 km in this state

  • Indian Railways : ભારતીય ટ્રેન બે કરોડથી વધુ લોકો માટે લાઈફલાઇનની જેમ કામ કરે છે. ભારતમાં દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે 80 કલાકની મુસાફરી માટે ટ્રેન ઉપલબ્ધ છે તો સાથે જ 9 મિનિટની જ યાત્રા માટે પણ અહીં ટ્રેન દોડે છે.

ભારતીય રેલ નેટવર્ક (Indian Rail Network) દુનિયામાં ચોથા ક્રમ પર આવે છે. ભારતીય ટ્રેન બે કરોડથી વધુ લોકો માટે લાઈફલાઇનની જેમ કામ કરે છે. ભારતમાં દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે લાંબી રેલ યાત્રા અને નાનામાં નાની રેલ યાત્રા (Short Rail Journey) પણ થઈ શકે છે. આજે તમને ટ્રેન વિશેની આવી જ રસપ્રદ માહિતી આપીએ.

આજે તમને જણાવ્યું કે દેશમાં સૌથી લાંબા અંતરની ટ્રેન કયા શહેરથી કયા શહેર વચ્ચે દોડે છે અને સૌથી ટૂંકી મુસાફરી કયા શહેર વચ્ચે ટ્રેનની થાય છે. ભારતીય રેલવે માત્ર ત્રણ કિલોમીટરના અંતર માટે પણ એક ટ્રેન દોડાવે છે. અને આ ટ્રેન મુસાફરોથી હંમેશા ખર્ચો ખર્ચ ભરેલી હોય છે.

વિવેક એક્સપ્રેસ ડિબ્રુગઢ થી કન્યાકુમારી વચ્ચે 4286 km નું અંતર કાપે છે. જે સૌથી લાંબી યાત્રા છે. પરંતુ સૌથી ઓછા અંતરની યાત્રા માત્ર 3 km ની છે જે ભારતીય રેલ નાગપુર થી અજની વચ્ચે કાપે છે. મહારાષ્ટ્રમાં કેટલીક ટ્રેન નાગપુર અને અજની વચ્ચે ત્રણ કિલોમીટર માટે દોડે છે. આ ટ્રેન નાગપુર થી અંજની વચ્ચેની મુસાફરી 9 મિનિટમાં જ પૂરી કરી લે છે.

આ યાત્રા માટે લોકોને જનરલ ક્લાસમાં 60 રૂપિયા અને સ્લીપર ક્લાસમાં 175 રૂપિયા ભાડું આપવાનું હોય છે. જોકે યાત્રા 9 મિનિટની જ હોવાથી સ્લીપર ક્લાસમાં બુકિંગ નો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ આ ટ્રેનમાં સામાન્ય કોચ ખચોખચ ભરેલો હોય છે.

સૌથી લાંબા રૂટ ની ટ્રેનની વાત કરીએ તો તેનું નામ વિવેક એક્સપ્રેસ છે. આ ટ્રેનની ઘોષણા સ્વામી વિવેકાનંદની 150મી જયંતિ પર થઈ હતી. આ ટ્રેન અસમના ડિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધી ચાલે છે. આ ભારતની સૌથી લાંબી ટ્રેન યાત્રા છે. આ મુસાફરી પૂરી કરતાં 80 કલાકનો સમય લાગે છે. મુસાફરી દરમિયાન આ ટ્રેન 57 સ્ટેશન પર અટકે છે જે કુલ નવ રાજ્યમાં આવેલા છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં બાઈક પર જોખમી સ્ટંટનાં વીડિયોએ પોલીસને દોડતી કરી

A video of a dangerous stunt

  • આ પ્રકારના કિસ્સાઓમાં ઝડપાનાર આરોપી સામે કડક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.

રાજકોટ (Rajkot) સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે યુવકો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ બાઈકનાં જોખમી સ્ટંટ (Risky stunt), રિવોલ્વર અને દારૂ સાથેનાં વિડીયો બનાવવા ગેરકાયદેસર હોવા છતાં યુવાવર્ગ આ પ્રકારના વિડીયો બનાવી વાયરલ (Viral) કરતા જરાય ખચકાતો નથી.

રાજકોટ શહેરમાં જાહેર રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરના શીતલ પાર્ક નજીકના રોડ પર બે યુવકો દ્વારા જાહેર રસ્તા પર બાઈક વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું જોઈ શકાય છે. બે યુવકો બાઈક પર સુતા સુતા ફૂલ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યા હોવાનું આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી થયેલ આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પ્રકારના કિસ્સાઓમાં ખાસ કોઈ મોટી સજાની જોગવાઈ નહીં હોવાનું જાણી ચુકેલો યુવાવર્ગ આવા વિડીયો બનાવતા પોલીસથી પણ ડરતો નથી. તે નિશ્ચિત છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં ઝડપાનાર આરોપી સામે કડક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો :-

Watch Video : મધરાતે એવું તે થયું કે AAP-BJP ના કોર્પોરેટરોએ કરી હાથાપાઈ ? જુઓ વિડીયો

0

Watch Video

  • દિલ્હીમાં જ્યારે લોકો મધરાતે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એમસીડી સદનમાં કોર્પોરેટરો એક બીજા સાથે છૂટ્ટા હાથની મારીમારી કરી રહ્યા હતા. બોટલો ફેંકાઈ, હાથાપાઈ થઈ. થાકીને કોર્પોરેટરો સૂઈ પણ ગયા પરંતુ ચૂંટણી થઈ શકી નહીં.

દિલ્હીમાં (Delhi) જ્યારે લોકો મધરાતે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એમસીડી (MCD) સદનમાં કોર્પોરેટરો એક બીજા સાથે છૂટ્ટા હાથની મારીમારી કરી રહ્યા હતા. મેયર ચૂંટણી (Mayoral election) બાદ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીમાં તમામ મર્યાદાઓ પાર થતી જોવા મળી. બોટલો ફેંકાઈ, હાથાપાઈ થઈ. થાકીને કોર્પોરેટરો સૂઈ પણ ગયા પરંતુ ચૂંટણી થઈ શકી નહીં. આખરે સ્થાયી સમિતિનું એવું તે શું મહત્વ છે જેના માટે આ સ્થિતિ ઊભી થઈ ગઈ. શું મેયર કરતા પણ વધુ પાવર હોય છે? MCD હાલ ખુબ ચર્ચામાં છે. સદનમાં ગત આખી રાત હોબાળો જોવા મળ્યો.

અંગ્રેજીમાં સ્થાયી સમિતિને સ્ટેન્ડિંગ કમિટી કહે છે. આખરે દિલ્હી એમસીડીની સ્ટેન્ડિંગ કમિટી કેટલી મહત્વપૂર્ણ હોય છે, જેની પસંદગી માટે મેયરની ચૂંટણીથી પણ વધુ ડ્રામા જોવા મળ્યો. આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી. સૌથી પહેલા એ જાણો કે સ્થાયી સમિતિના છ સભ્યોની પસંદગી થવાની હતી.

દિવસમાં મેયર અને ડેપ્યુટી મેયરના પદ પર આપના શૈલી ઓબેરોય અને આલે મોહમ્મદે જીત નોંધાવી. સાંજે જ્યારે સદનની કાર્યવાહી શરૂ થઈ તો મોબાઈલ ફોન મતદાન કેન્દ્રની અંદર લઈ જવા પર ભાજપના કોર્પોરેટરોએ આપત્તિ નોંધાવી અને પછી રાતભર નારેબાજી અને શોરબકોર જોવા મળ્યો. આજે સવાર સુધી આ ચૂંટણી થઈ શકી નહીં અને કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવામાં આવી.

એમસીડી અને મેયરનો પાવર જાણો :

સ્થાયી સમિતિને જાણતા પહેલા એ જાણો કે મેયર શું કામ કરે છે અને મેયરને શું પાવર હોય છે. MCD જન્મ પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, સંપત્તિ કર, બિલ્ડિંગ પ્લાન, સ્વચ્છતા, મચ્છરોની રોકથામ, રસ્તાઓ પર રખડતા પશુઓ જેવી સુવિધાઓ અને સમસ્યાઓના સમાધાન માટે કામ કરે છે. દિલ્હી નગર નિગમના પ્રમુખ મેયર હોય છે પરંતુ ફક્ત નામના. જી હા…કોર્પોરેશનના હેડ તરીકે મેયરને ખુબ સિમિત પાવર મળે છે જેમાંથી સૌથી પ્રમુખ છે સદનની બેઠક બોલાવવી.

સ્ટેન્ડિંગ કમિટી શું મેયર કરતા વધુ શક્તિશાળી?

વાસ્તવમાં દિલ્હી એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટી જ સાચા અર્થમાં પ્રભાવી રીતે કોર્પોરેશનના કામકાજ અને મેનેજમેન્ટ કરે છે. જેમ કે અહીં સ્થાયી સમિતિ પ્રોજેક્ટ્સને નાણાકીય મંજૂરી આપે છે. નીતિઓ લાગૂ કરતા પહેલા ચર્ચા, તેને અંતિમ સ્વરૂપ આપવામાં પણ સ્થાયી સમિતિની ભૂમિકા મહત્વની હોય છે. એમ સમજો કે એમસીડીની આ મુખ્ય ડિસિઝન મેકિંગ બોડી એટલે કે નિર્ણય લેનારો સમૂહ હોય છે. તેમાં 18 સભ્યો હોય છે.

કમિટીમાં એક ચેરપર્સન અને ડેપ્યુટી ચેર પર્સન હોય છે. તેમને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાંથી પસંદ કરાય છે. કોઈ પણ રાજકીય પક્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં સ્પષ્ટ  બહુમત હોવો ખુબ મહત્વ ધરાવે છે. તેનાથી પોલીસી અને નાણાકીય નિર્ણયો લેવામાં સરળતા રહે છે.

મેયર ચૂંટણી બાદ છ સભ્યો એમસીડી હાઉસમાં સીધા પસંદગી પામે છે. દિલ્હીમાં એમસીડી 12 ઝોનમાં વહેચાયેલી છે. દરેક ઝોનમાં એક વોર્ડ કમિટી હોય છે. જેમાં ક્ષેત્રના તમામ કોર્પોરેટરો અને નામિત એલ્ડરમેન સામેલ હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઝોન પ્રતિનિધિો પણ હોય છે.

આજ કારણ છે કે ભાજપ અને આપે સ્થાયી સમિતિના સભ્યોની પસંદગી પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો. જો ભાજપ હારે તો તેની પાસે દિલ્હીમાં લોકલ લેવલ પર કશું વધશે નહીં. જો ભાજપ સ્થાયી સમિતિમાં પોતાનો દબદબો બનાવવામાં સફળ થાય તો તે હારીને પણ એમસીડીમાં જીતી જશે. આથી 16 કલાક સુધી આખી રાત એમસીડી સદનમાં હોબાળો મચ્યો.

આ પણ વાંચો :-

PM Kisan : 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે ખાતામાં જમા થશે રૂપિયા 

0

PM Kisan

  • દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો. તો હવે માત્ર 2 દિવસમા કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે.

PM Kisan 13th installment : દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના (Pradhan Mantri Kisan Samman Nidhi) 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો. તો હવે માત્ર 2 દિવસ પછી કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ આ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12 હપ્તાના પૈસા આપવામાં આવ્યા છે.

યોજનાના 4 વર્ષ પૂરા :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24 ફેબ્રુઆરીએ યોજનાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી માનવામાં આવે છે કે આ દિવસે સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા આપી શકે છે. તમને જણાવી દઈએ કે તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર તેની તમામ વિગતો ચકાસી શકો છો.

આ યોજનામાં 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે :

માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે વર્ષ 2022માં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 10.45 કરોડ હતી. તે જ સમયે લગભગ 12 કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે.

eKYC જરૂરી છે:

સરકારે કહ્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તેથી જો તમે હજી સુધી તે પૂર્ણ કર્યું નથી… તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં.

ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય?

  • PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • વેબસાઇટની જમણી બાજુએ e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો.
  •  હવે તમારો આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
  •  આ પછી ‘સબમિટ’ પર ક્લિક કરો.
  • હવે તમારું ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે.

 ઓક્ટોબરમાં 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો :

PM મોદીએ 17 ઓક્ટોબર 2022ના રોજ 12મા હપ્તા માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 8 કરોડ ખેડૂતોના ખાતામાં 16,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પૈસા 3 હપ્તામાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-