UP Main Ka Baa… song sparks controversy
- આ ગીતમાં નેહાએ કાનપુર દેહાતમાં બુલડોઝરની કાર્યવાહી અને તેમાં સળગી ગયેલી માતા-પુત્રીને લઈને યુપી સરકારને ટોણો માર્યો હતો.
યુપી પોલીસે મંગળવારે ‘યુપી મેં કા બા‘ (Up main ka ba) ફેમ લોક ગાયિકા નેહા સિંહ (Singer Neha Singh) રાઠોડને નોટિસ મોકલી છે. કાનપુર આગની ઘટનાને મુદ્દો બનાવીને ગાવામાં આવેલા ગીતને લઈને આ નોટિસ મોકલવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે નેહાએ ‘કા બા સીઝન-2‘ (Ka Baa Season-2) વીડિયો દ્વારા સમાજમાં તણાવ અને અસંતોષ ફેલાવવાનું કામ કર્યું છે.
આ નોટિસમાં તેમને 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેનો ખુલાસો ત્રણ દિવસમાં આપવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે કહ્યું છે કે જો જવાબો સંતોષકારક નહીં હોય તો તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાનપુરની ઘટના પર નેહાએ બનાવ્યું હતું ગીત :
કાનપુર દેહાતના અકબરપુર પોલીસ સ્ટેશનની પોલીસે નેહાને આ નોટિસ મોકલી છે. વાસ્તવમાં કાનપુરમાં માતા-પુત્રીને સળગાવી દેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં નેહા સિંહ રાઠોડે ‘યુપીમાં કા બા સીઝન 2‘ ગાયું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, બાબાના દરબારમાં ઘર-બાર તૂટી રહ્યા છે, મા-દીકરીને આગમાં ફેંકવામાં આવી રહ્યા છે.
https://twitter.com/nehafolksinger/status/1626209442420379654?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1626209442420379654%7Ctwgr%5E594c00da2e21b649db9e0ff89d957d07daf39684%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fup-police-sends-notice-to-neha-singh-rathore-who-sang-ka-ba-in-up
નેહાએ ગીતમાં શું કહ્યું ?
નેહાએ પોતાની આગવી શૈલીમાં ગીત ગાયું અને કહ્યું દીક્ષિત પરિવારને બુલડોઝરથી કચડી નાખવામાં આવી રહ્યો છે. યુપીમાં બાબાના ડીએમ મોટા રંગબાઝ બા, કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં રામ રાજ બા, બુલડોઝરથી કચડી નાખવામાં આવ્યું દિક્ષિતનું ઘર બા, આ સાથે અધિકારીઓ અને લોકશાહી પર સવાલ ઉઠાવતા નેહાએ યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું.
શું કહ્યું નેહાએ ?
લોક ગાયિકા નેહા સિંહે કાનપુર દેહાત પોલીસની નોટિસ પર કહ્યું કે, “કા બા સિઝન-2” ગાયું ત્યાર બાદ મને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ મળે તે મુજબ જવાબ આપવામાં આવશે. આ લોકો જાણી જોઈને મને નિશાન બનાવે છે. પણ હું ડરતી નથી. સરકાર પર સવાલ ઉઠાવવો હવે ખોટો બની ગયો છે.
જે સત્તામાં છે તેને સામાન્ય માણસ સવાલ કરશે. ભાજપ સત્તામાં હશે તો જ તેની પર સવાલો થશે. આવું એક જૂથ મને નોટિસ આપવા આવ્યું. પહેલા આંબેડકર મારા સાસરે પહોંચ્યા અને પછી દિલ્હીમાં મારા ઘરે આવ્યા. પણ હું ડરતી નથી. હું ન તો કોઈની સાથે છું કે ન તો કોઈની વિરુદ્ધ.
આ પણ વાંચો :-