Home Blog Page 1166

જપ્ત થઇ જશે બાઇક, મોટરસાઇકલ મોડિફાઇ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

0

Keep these things in mind while modifying the bike

  • Motorcycle Seized Rule: મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act)  મુજબ ભારતમાં વાહનમાં ફેરફાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે. કારણ કે વાહનની રચના અથવા બોડી બદલવાથી વાહનની મજબૂતાઈ પર અસર થાય છે, જે વાહનચાલક અને અન્ય રાહદારીઓ અથવા રસ્તા પરના વાહનો માટે જોખમી બની શકે છે.

Bike Modification Rule in india: ટુ-વ્હીલર મોડિફિકેશનનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તા પર દોડતી બાઇક્સ એક-એકથી ચઢિયાતા રૂપમાં જોવા મળી રહી છે. સાઈલેન્સરથી લઈને હેડલાઈન અને બોડી સુધી, લોકો બાઇકને મોડિફાઇ કરે છે, આજની પેઢીની ભાષામાં કહીએ તો મોડિફિકેશન… બાઇકને ‘કૂલ’ લુક આપે છે. પરંતુ બાઈક મોડિફિકેશનને લઈને કેટલાક  નિયમો છે અને મોટરસાઈકલને મોડિફાઈ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે, જેથી તમે અજાણતા કોઈ ભૂલ ન કરો.

બાઇક મોડિફિકેશન માટેના નિયમો શું છે?

સૌ પ્રથમ અમને જણાવો કે, શું તમે તમારી મોટરસાઇકલમાં ફેરફાર કરાવી શકો છો? તો જવાબ છે કે તમે તમારી બાઇકમાં નાના-નાના ફેરફાર કરી શકો છો. પરંતુ આ માટે તમારે તમારા પ્રાદેશિક પરિવહન કાર્યાલયની પરવાનગી લેવી પડશે. બાઇક મોડિફિકેશન દરમિયાન, તમે ફક્ત તે જ ભાગોનો ઉપયોગ કરી શકો છો જે ઓટોમોટિવ રિસર્ચ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ARAI) દ્વારા માન્ય અને પ્રમાણિત હોય.

મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act)  મુજબ ભારતમાં વાહનમાં ફેરફાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે. કારણ કે વાહનની રચના અથવા બોડી બદલવાથી વાહનની મજબૂતાઈ પર અસર થાય છે, જે વાહનચાલક અને અન્ય રાહદારીઓ અથવા રસ્તા પરના વાહનો માટે જોખમી બની શકે છે. વાહનમાં કરવામાં આવેલ કોઈપણ ફેરફાર નિયત સ્પષ્ટીકરણમાં હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદા મુજબ, વાહનોને એવી રીતે સંશોધિત કરી શકાતા નથી કે તેઓ ઉત્પાદક દ્વારા બનાવેલા મૂળ સ્પષ્ટીકરણોમાં નોંધપાત્ર ફેરફાર કરે. આવા વિશિષ્ટતાઓમાં તે તમામનો સમાવેશ થાય છે જે ઉત્પાદક દ્વારા વાહનના નોંધણીના પ્રમાણપત્રમાં ઉમેરવામાં આવ્યા હતા. આવું જ એક ઉદાહરણ એ છે કે દ્વિચક્રી વાહનમાં બેથી વધુ લોકોને લઈ જવા માટે કોઈપણ રીતે ફેરફાર કરી શકાતા નથી. એટલે કે, તમે ટુ-વ્હીલરને એવી રીતે મોડિફાઇ કરી શકતા નથી કે તેમાં બેથી વધુ લોકો બેસી શકે. એ જ રીતે, વાહનના આકાર, એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમમાં ફેરફાર કરી શકાતા નથી.

મોટુ ચલણ કાપવામાં આવશે, વાહન જપ્ત કરાશે :

નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના વાહનમાં આવા ફેરફાર કરે છે, જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો આ કિસ્સામાં 5,000 રૂપિયાનો ચલણ અથવા 6 મહિનાની જેલની જોગવાઈ છે. જો કે, તે વાહન પર કરવામાં આવેલા ફેરફારના પ્રકાર પર આધારિત છે.

આ ઉપરાંત જો તમારા વાહનમાં આરટીઓની પરવાનગી વિના આવા ફેરફારો કરવામાં આવ્યા હોય, જે અન્ય લોકો માટે જોખમી બની શકે છે. તો આ કિસ્સામાં વાહન પણ જપ્ત કરી શકાય છે. જો તમે તમારા વાહનની સાઈઝ, સ્ટ્રક્ચર, ચેસીસ, એન્જિન વગેરેમાં ફેરફાર કરો છો અથવા વધારાનું વ્હીલ ઉમેરશો તો વાહન પણ જપ્ત કરી શકાય છે.

શું એન્જીન બદલી શકાય :

જો તમારા વાહનનું એન્જીન સંપૂર્ણપણે બગડી ગયું હોય અથવા તે યોગ્ય રીતે કામ કરતું નથી, તો આ સ્થિતિમાં તમે એન્જિન બદલી શકો છો. પરંતુ આ માટે એક નિયમ પણ છે, એન્જિન બદલતા પહેલા તમારે RTO પાસેથી નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે. આ સિવાય એન્જિન બદલ્યા બાદ તમારે ફરીથી રજીસ્ટ્રેશન માટે અરજી કરવી પડશે. નિયમો અનુસાર જૂના અને નવા બંને એન્જિન એક જ ઈંધણ પર ચાલવા જોઈએ. આટલું જ નહીં વાહનનો રંગ બદલવા માટે તમારે આરટીઓ પાસેથી પરવાનગી લેવી પડશે.

આ પણ વાંચો :-

તારીખ 25 ફેબ્રુઆરી, શનિવાર- આજે કેવો રહેશે તમારો દિવસ? વાંચો આજનું રાશિફળ

Date 25 February, Saturday

મેષઃ
માનસિક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. વસ્ત્રો ચોરાઈ જવાની શક્યતા. સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમસંબંધો પકડાઈ જાય. પતિની વાણી કડવી થાય.

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારું રહેશે. સાબદનું ધ્યાન રાખવું.

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમિયાન સાચવવાની સલાહ છે.

ધનઃ
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકૂળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી, ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-

બિચારો પતિ !!! પત્ની સાથે ઉંઘતા પણ ડરે છે, દરરોજ કાઢે છે અલગ-અલગ બહાના

Poor husband!!! Afraid to even sleep with his wife

  • આ સમગ્ર પરિસ્થિતિ તમારા માટે કેટલી દુઃખદાયક હશે. પરંતુ આ પછી પણ હું તમને એમ જ કહીશ કે આવા સંબંધમાં રહેવાનો કોઈ ફાયદો નથી, જે તમે બંને અનિચ્છાએ જાળવી રહ્યા છો. કોઈપણ વ્યક્તિ માટે તે ક્ષણ ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે તેનો પાર્ટનર તેને ખૂબ જ નફરત કરે છે.

Secret Talks : હું પરિણીત પુરુષ છું. પરંતુ મારી સમસ્યા એ છે કે મારી પત્ની મને એટલી નફરત કરે છે કે હું તેની સાથે સૂતા ડરું છું. તે વિચારે છે કે મેં તેનું જીવન બરબાદ (Life ruined) કરી દીધું છે કારણ કે હું તેને વૈભવી જીવન આપી શકતો નથી. તે મારા પર માત્ર બૂમો જ નથી પાડતી પણ આખો દિવસ મને ટોણા પણ મારતી હતી. મારી હાલત એવી છે કે હું લેટ નાઈટ કોલ (Late night call) કરવાના બહાને રાત્રે બીજા રૂમમાં બંધ કરી લઉં છું જેથી હું તેનાથી અલગ થઈને સૂઈ શકું.

કદાચ તે એટલા માટે પણ છે કારણ કે તેણ મારા પ્રત્યે જેટલી નફરત કરે છે તેટલી હું તેને સહન કરી શકતો નથી. જોકે, આ બધામાં હું તેને તેની ભૂલ પણ નથી માનતો. આ એટલા માટે છે કારણ કે હું તેને તે કંઈપણ આપી શકતો નથી જેની તે લાયક છે. હું દરરોજ મારા જીવનને શ્રાપ આપવા લાગ્યો છું એટલું જ નહીં, જ્યારે હું તેની સાથે હોઉં ત્યારે મને વિચિત્ર રીતે ડર લાગે છે. મને સમજાતું નથી કે બધું બરાબર કરવા મારે શું કરવું જોઈએ?

આ સમગ્ર પરિસ્થિતિ તમારા માટે કેટલી દુઃખદાયક હશે. પરંતુ આ પછી પણ હું તમને એમ જ કહીશ કે આવા સંબંધમાં રહેવાનો કોઈ ફાયદો નથી, જે તમે બંને અનિચ્છાએ જાળવી રહ્યા છો. કોઈપણ વ્યક્તિ માટે તે ક્ષણ ખૂબ જ મુશ્કેલ હોય છે, જ્યારે તેને ખબર પડે છે કે તેનો પાર્ટનર તેને ખૂબ જ નફરત કરે છે. આ એક વાતને કારણે તમે પણ ખૂબ પરેશાન છો. લક્ઝરી લાઈફ ન મળવાને કારણે તમારી પત્ની તમને પ્રેમ કરતી નથી એ જાણીને ખૂબ દુખ થાય છે.

એકબીજા સાથે સંપર્ક કરો :

તમે કહ્યું કે તમે તમારી પત્નીને સંતુષ્ટ કરી શકતા નથી. જેના કારણે તેનું વર્તન તમારા પ્રત્યે ખરાબ થઈ રહ્યું છે. લગ્ન એક એવું બંધન છે, જેને બંને ભાગીદારોએ ખૂબ સમજણપૂર્વક પૂર્ણ કરવું પડે છે. પત્ની ગુસ્સે થાય ત્યારે અલગ રૂમમાં સૂવું એ કોઈ ઉકેલ નથી. આ સ્થિતિમાં શ્રેષ્ઠ બાબત એ છે કે તમે બંને એકબીજા સાથે ખુલીને વાતચીત કરો. તમારી પત્નીની ચિંતાઓ જાણો અને તેને દૂર કરો. તેમને તમારા પ્રેમનો અહેસાસ કરાવો. તેમને સમજાવો કે આ સંબંધ તમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :-

Sridevi Death Anniversary : શ્રીદેવીનો મોત પહેલાનો છેલ્લો Photo સામે આવ્યો, જોઈને ફેન્સ થયા ભાવુક

Sridevi Death Anniversary

  • Sridevi Death Anniversary : દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની આજે 5મી પુણ્યતિથિ છે. પતિ બોની કપૂરે આજે સોશિયલ મીડિયા પર શ્રીદેવીની મોત પહેલાની છેલ્લી તસવીર શેર કરી. આ ફોટામાં શ્રીદેવી પોતાના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે.

દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની (Veteran actress Sridevi) આજે 5મી પુણ્યતિથિ છે. પતિ બોની કપૂરે આજે સોશિયલ મીડિયા પર શ્રીદેવીની મોત પહેલાની છેલ્લી તસવીર શેર કરી. આ ફોટામાં શ્રીદેવી પોતાના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે. આ ફોટો દુબઈમાં (Dubai) થયેલા લગ્નનો છે જેને અટેન્ડ કર્યા બાદ શ્રીદેવીનું નિધન થયું હતું.

શ્રીદેવીનો છેલ્લો ફોટો જોઈ ફેન્સ થયા ઈમોશનલ :

આ તસવીરમાં શ્રીદેવી ગ્રીન કલરની સાડીમાં જોવા મળે છે. ફોટામાં શ્રીદેવી સાથે પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર પણ જોવા મળે છે. બોનીએ આ ફોટો શેર કરતા લખ્યું કે લાસ્ટ પિક્ચર. હવે આ પોસ્ટ જોયા બાદ લોકો ખુબ ઈમોશનલ થઈ ગયા છે.

જાન્હવીએ પણ કરી હતી ઈમોશનલ પોસ્ટ :

થોડા દિવસ પહેલા શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવીએ પણ ખુબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેણે શ્રીદેવી સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે મા હું તમને આજે પણ દરેક જગ્યાએ શોધુ છું. હું જ્યારે કઈ પણ કરું છું ત્યારે આશા સાથે કરું છું કે તમને મારા પર ગર્વનો અનુભવ થશે. જ્યાં જઉ છું, અને જે પણ કરુ છું હું હંમેશા તમારા માટે વિચારું છું. મારું બધુ તમારાથી શરૂ થાય છે અને તમારા પર જ પૂરું થાય છે.

54 વર્ષની ઉંમરે થયું હતું નિધન :

સુપરસ્ટાર શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં 54 વર્ષની ઉંમરે થયું હતું. તેમના મોત સૌથી ચોંકાવનારા મોતમાંથી એક હતું. વાત જાણે એમ હતી કે શ્રીદેવી ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ ગઈ હતી. જ્યાં એક હોટલના બાથટબમાં મૃત અવસ્થામાં મળી આવી. જાહન્વીની ડેબ્યુ ફિલ્મ ધડક જોવા માંગતી હતી. પરંતુ અફસોસ એવું થઈ શક્યું નહીં. જાહન્વીને આ વાતનો અફસોસ આજે પણ છે કે માતા તેની પહેલી ફિલ્મ જોઈ શકી નહીં.

આ પણ વાંચો :-

હિરાનાં વેપારીઓ માટે મહત્વનાં સમાચાર ! આ હીરાના ભાવમાં વધારો થવાથી વેપારમાં વધારો થવાની આશા

0

Important news for diamond traders

  • છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) કારણે ડાયમંડ ઉદ્યોગમાં (Diamond Industry) મંદીનો દોર જોવા મળી રહ્યો હતો.

પરંતુ હાલમાં થોડા સમય માટે ખોલવામાં આવેલી ડિટીસીની (DTC) સાઈટ પર રફ હીરાના ભાવમાં વધારો આવ્યો છે. આ ભાવ વધારાને કારણે હીરા ઉદ્યોગકારોને વેપારમાં વધારો થવાની આશા છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન (Diamond Trading Corporation) દ્વારા બીજી સાઈટ ખોલવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં ખુલેલી આ સાઈડમાં પાતળા રફ હીરાના ભાવમાં સાત ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો જ્યારે જાડા રફના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. 0.75 કેરેટ થી નાના હીરાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે જાણકારોના મત મુજબ ને કારણે હીરા બજારમાં રફની 30 ટકા જેટલી અછત હોવાથી ભાવ વધ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રફ હીરાના ભાવ વધવાનું મુખ્ય કારણ એ પણ લાગી રહ્યું છે કે આગામી એક માર્ચ થી પાંચ માર્ચ સુધી હોંગકોંગ ખાતે ડાયમંડ ઉદ્યોગને લગતું એક એક્ઝિબિશન યોજવાનું છે આ એક્ઝિબિશનને કારણે પણ હીરાની માંગમાં વધારો થવાની શક્યતાને જોતા રફ ડાયમંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

માર્ચની પહેલી તારીખથી પાંચમી તારીખ સુધી હોંગકોંગમાં યોજાનારા એક્ઝિબિશનને કારણે રફ હીરાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હીરાના વેપારીઓ પણ આ એક્ઝિબિશન સારી રીતે થાય તેવી આશા સીવી રહ્યા છે જો આ એક્ઝિબિશન સારી રીતે ન થાય અને ત્યાંથી હીરાની માંગમાં વધારો ન થાય તો જે રફ હીરાના ભાવ વધ્યા છે એ રફ હીરાના ભાવ વેપારીઓના પેટ પર પાટું પડ્યા સમાન થશે. હાલની આ સ્થિતિને જોતા હીરા ઉદ્યોગો કારો એક્ઝિબિશન ની સફળતા માટે આશાવાદી બન્યા છે.

હીરા વેપારીઓને હાલ એક માત્ર હોંગકોંગ ના એક્ઝિબિશનથી આશા છે ત્યારે જો આ એક્ઝિબિશનમાં હીરાની માંગ ન વધી તો રફ હીરાના વધેલા ભાવો વેપારીઓને મુશ્કેલીમાં મૂકશે.

આ પણ વાંચો :-

“ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહે” એવો ઘાટ સર્જ્યો ! સાધુનો સ્વાંગ રચી ચમત્કારમાં ખેડૂતે 10 કરોડની લાલચમાં 23 લાખ ગુમાવ્યા

Impersonating a monk miraculously

  • અમરેલી જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી કરનારા 3 આરોપીને અમરેલી એલસીબીએ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.

સાધુનો વેશ ધારણ કરી ચમત્કાર કરી એક 10 કરોડ અપાવવાનું કહી 23 લાખની રકમ પડાવી લેવાની ઘટના લાઠી તાલુકાના કાંચરડી ગામે બની છે. અમરેલી (Amreli) જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી (Fraud) કરનારા 3 આરોપીને અમરેલી એલસીબીએ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.

એમ કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ત્યારે કાચરડી ગામે રહેતા ધીરુભાઈ ડાયાભાઈ કુકડીયા એ સાબિત કરી બતાવી ધીરુભાઈ પોતાની વાડીએ બેઠા હતા તે સમય દરમિયાન સાધુનો વેશ ધરી ત્રણ ભગવાધારી શખશો આવ્યા અને જય ગિરનારી કહી જ્ઞાનની વાતો કરી.

ચમત્કારની વાત કરવા લાગ્યા અને દક્ષિણા માંગતા ધીરુભાઈ નામના ખેડૂતે કહ્યું કે મારી પાસે પૈસા નથી ત્યારે આ ભગવાધારી શખ્સોએ ધીરુભાઈના ઉપરના અને પાછળના ખીસ્સામાંથી રૂપિયા 500ની નોટો કાઢી બતાવી. આ ચમત્કારથી ધીરુભાઈ અંજાઈ ગયા પરંતુ આ ભગવાધારીઓએ તેમને પોતાનો મોબાઈલ નંબર આપી અને ત્યાંથી નીકળી ગયા.

થોડા દિવસ પછી ધીરુભાઈ ઉપર ફોન આવ્યો કે તારે કર્જમાંથી નીકળવું હોય તો તું રાજકોટ આવી જા અને લોભ અને રૂપિયાની લાલચે ધીરુભાઈ રાજકોટ ગયા ત્યાં જઈ એક અવાવરી જગ્યામાં આ ભગવાધારીઓએ તેને કર્જમાંથી બહાર કાઢવો છે. તારે તાંત્રિક વિધિ કરવી પડશે અને એક પેટીમાં ધૂપ આપવો પડશે વિધિ કરવી પડશે તેમ કહી ધીરે ધીરે તેમની પાસેથી બે વખતમાં 23 ગ્રામ સોનું અને બીજા રાઉન્ડમાં 21 તોલા સોનાને ધૂપ આપવો પડશે. આમ બે વખતમાં રૂપિયા 10 લાખથી વધુ રકમ પડાવી લીધી અને 10 કરોડની લાલચ આપી હતી.

આખરે આ પેટીમાંથી કોઈ રકમ નહીં નીકળતા ધીરુભાઈને છેતરાઈ ગયા હોવાનો અહેસાસ થયો અને તેમણે આપેલા ફોન નંબર ઉપર ફોન કરતા એક સાધુનું મરણ થઈ ગયું છે અમે ત્યાં આવશું અને હજી વિધિ કરવી પડશે તેમ કહી સમય પસાર કર્યો. પરંતુ આખરે સંપૂર્ણપણે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં ધીરુભાઈએ દામનગર પોલીસ મથકમાં આ ભગવાધારી ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

આ ઘટના બની હતી તારીખ 20. 10. 22 ના રોજ. પરંતુ આબરૂ જવાની બીકે તેઓએ કશું કંઈ કર્યું ન હતું. હવે પોતે છેતરાઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ ઉપર ભરોસો રાખી અને ધીરુભાઈ રાહ જોઈ રહ્યા છે સુફિયાણી સલાહ આપી રહ્યા છે કે હું છેતરાયો તમે નહીં છેતરાતા અને આવા લેભાગુ તત્વોથી ચેતતા રહેજો અને શું કહી રહ્યા છે ધીરુભાઈ આવો સાંભળીએ.

અમરેલી જિલ્લાના દામનગર તાબાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા ધીરુભાઈ કુકડીયા નામના ખેડૂત પાસેથી સાધુનો વેશ ધારણ કરી ત્રણ ઈસમોએ રૂપિયા 21 લાખ રોકડા અને એક રુદ્રાક્ષની સોને મઢેલી માળા તેમજ એક ચેન મળી 15 ગ્રામ સોનું કરોડો રૂપિયા આપવાની લાલચ આપી છેતરપિંડી કરી લઈ લીધેલું જે બાબતની ફરિયાદ દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાય અને અમરેલી એલસીબીએ જુદી જુદી ટીમ બનાવી બાતમી મેળવી આ ત્રણેય આરોપીને મુદ્દા માલ સાથે થોડાક દિવસોમાં ઝડપી પાડી વધુ વિગતો મેળવવા માટે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

પોલીસ ઝાપટામાં નીચી મુંડી કરીને બેઠેલા આ ત્રણેય આરોપીઓ છે. રાજકોટ જિલ્લાના મોરબી અને વાંકાનેર વિસ્તારના છે. 1 ટપ્પાનાથ બાંભણિયા, 2 જાનનાથ પરમાર અને 3 તુફાનનાથ પરમાર. હાલ તો પોલીસને પ્રાથમિક પૂછપરછમાં તેમનો ગુનાહિત ઈતિહાસ જાણવા મળ્યો નથી. પરંતુ લાઠી તાલુકાના કાચરડી ગામે તેમનો આ પ્રયોગ સફળ થયો છે અને પોલીસની સતર્કતાથી પૂરેપૂરો મુદ્દા માલ રિકવર થઈ ગયો છે.

 આ પણ વાંચો :-

હવે આ ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે રણબીર કપૂર, ફિલ્મ માટે તૈયારી કરી શરુ

Now Ranbir Kapoor will be seen

  • Sourav Ganguly Biopic : રણબીર કપૂરે સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજુમાં જે દમદાર અભિનય દેખાડ્યો અને ફિલ્મ માટે તેણે જે ટ્રાંસફોર્મેશન કર્યું તે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. ત્યારે હવે ચર્ચા છે કે રણબીર કપૂર વધુ એક બાયોપિકમાં જોવા મળશે.

રણબીર કપૂરે (Ranbir Kapoor) પોતાની ફિલ્મોથી સાબિત કરી દીધું છે કે તે એક વર્સેટાઈલ એક્ટર (A versatile actor) છે. તેની ફિલ્મ જેમ કે બર્ફી યે જવાની હે દીવાની, સંજુ વગેરેમાં તેણે પોતાની એક્ટિંગથી ફિલ્મ ચાહકોના દિલમાં અલગ જ છાપ છોડી છે. તે ફિલ્મના પાત્રને જીવંત કરે છે અને લોકોના દિલ સુધી પહોંચાડે છે.

તેમાં પણ તેની ફિલ્મ સંજુ જે સંજય દત્તના (Sanjay Dutt) જીવન પર આધારિત હતી તેમાં તેણે દમદાર અભિનય દેખાડ્યો હતો. ફિલ્મ માટે તેણે જે ટ્રાંસફોર્મેશન કર્યું તે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. ત્યારે હવે ચર્ચા છે કે રણબીર કપૂર વધુ એક બાયોપિકમાં જોવા મળશે. આ બાયોપિક (Biopic) છે પ્રખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલીની.

ચર્ચાઓ છે કે રણબીર કપૂર સ્ક્રીન ઉપર સૌરવ ગાંગુલી બનીને દમદાર ક્રિકેટ રમતો જોવા મળશે. ઘણા લાંબા સમયથી સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ બને છે તેવી ચર્ચા તો છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ મેકર્સ સૌરવ ગાંગુલી તરીકે રણબીર કપૂરને પસંદ કરી ચૂક્યા છે. રણબીર કપૂર એ ફિલ્મ માટે ડેટ્સ પણ ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં જ તે આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે.

રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ નું શૂટિંગ કલકત્તામાં થશે. વાત એવી પણ સામે આવી છે કે આ ફિલ્મનું નિર્દેશન લવ રંજન કરશે. તેણે આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ બધી જ ચર્ચાઓ સાચી સાબિત થશે તો ફિલ્મ સંજુ પછી રણબીર કપૂરની આ બીજી બાયોપીક હશે જેમાં તે મુખ્ય ભૂમિકામાં હોય.

જોકે હાલ તો રણબીર કપૂર પોતાની ફિલ્મ તુ જુઠી મેં મક્કાર ના પ્રમોશનમાં બીઝી છે. શ્રદ્ધા કપૂર સાથેની આ ફિલ્મ 8 માર્ચના રોજ રિલીઝ થશે. હાલ શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર બંને આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે.

આ પણ વાંચો :-

મહિલા IPS-IAS અધિકારીઓની લડાઈ હવે સોશિયલ મીડિયા દ્વારા કોર્ટ પહોંચી, જાણો સમગ્ર મામલો

0

The battle of women IPS-IAS officers

  • કર્ણાટક (Karnataka)માં બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટક્કર આખરે કોર્ટમાં પહોંચી ગઈ છે.

IAS અધિકારી રોહિણી સિંધુરી (Ias Rohini Sindhuri )એ IPS અધિકારી રૂપા ડી (Ips D Roopa Moudgil) સહિત 60 પ્રતિવાદીઓ સામે કેસ દાખલ કર્યો છે. સિંધુરી વતી આ દાવો 21 ફેબ્રુઆરીએ દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે એડિશનલ સિટી સિવિલ અને સેશન્સ જજ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ :

રોહિણીના વકીલે મીડિયા અને રૂપાને તેમની વિરુદ્ધ ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કરવા અને પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશની માંગ કરી હતી. કોર્ટને કહેવામાં આવ્યું કે સેવાના નિયમો મુજબ રોહિણીએ રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ કરી છે. આ સાથે તેમણે રૂપા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. વાસ્તવમાં, રૂપાએ રોહિણી પર ગેરરીતિના અનેક આરોપો લગાવ્યા છે અને તેની તસવીરો અન્ય IAS અધિકારીઓને મોકલી છે.

IPS રૂપાએ IAS રોહિણીની અંગત તસવીરો શેર કરી છે :

કર્ણાટકના IPS ઓફિસર ડી રૂપા મૌદગીલે રવિવારે પોતાના ફેસબુક પેજ પર IAS ઓફિસર રોહિણી સિંધુરીની તસવીરો વાયરલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહિલા IAS અધિકારીએ પુરૂષ IAS અધિકારીઓને તેમના અંગત ફોટા મોકલીને સેવા આચાર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે રોહિણી સિંધુરીએ 2021 અને 2022 વચ્ચે ત્રણ IAS અધિકારીઓને આ તસવીરો મોકલી હતી.

એક દિવસ પહેલા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા :

એક દિવસ પહેલા IPS ઓફિસર ડી રૂપાએ પણ IAS સિંધુરી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે આ અંગે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને મુખ્ય સચિવ વંદિતા શર્માને ફરિયાદ કરી છે.

સિંધુરીએ આરોપોને ફગાવી દીધા હતા :

આ તસવીરો વાયરલ થયા બાદ મહિલા IAS સિંધુરીએ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ડી રૂપા તેમની વિરુદ્ધ ખોટુ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો મેં આ તસવીરો IAS અધિકારીઓને મોકલી છે તો તેમણે તેમના નામ પણ જાહેર કરવા જોઈએ.

ક્યાંથી શરૂ થયો વિવાદ :

આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક રેસ્ટોરન્ટમાં જનતા દળના ધારાસભ્ય સારા મહેશ સાથે IAS અધિકારી સિંધુરીની તસવીરો વાયરલ થઈ. તમને જણાવી દઈએ કે, 2021માં જ્યારે સિંધુરીને મૈસૂરમાં પોસ્ટીંગ કરવામાં આવી હતી, ત્યારે બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો લગાવ્યા હતા. હાલમાં ડી રૂપા કર્ણાટક હસ્તકળા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર છે અને સિંધુરી હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના કમિશનર છે.

આ પણ વાંચો :-

રીક્ષામાં સવાર આખા નાયક પરિવારને મોત ભરખી ગયું, પાદરા પાસે અકસ્માતમાં..

0

The entire Nayak family in a rickshaw

  • Accident News : વડોદરાના અટલાદરા પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં પતિ પત્ની અને 3 બાળકો એમ કુલ 5નાં મોત. એક બાળકને ઈજા. લગ્નમાં હાજરી આપી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત.

વડોદરાના (Vadodara) નારાયણ વાડી પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અટલાદર-પાદરા રોડ (Atladar-Padra Road) પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માતમાં આખો પરિવાર હોમાયો. રીક્ષામાં સવાર એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતાના કરુણ મોત નિપજ્યાં છે. 3 લોકોના ઘટનાસ્થળે મોત તો 2ના હોસ્પિટલ મોત થયા. પાદરાના (Padra) લોલા ગામનો પરિવાર લગ્નમાં હાજરી આપી પાદરા જઈ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર નાયક પરિવારને મોત ભરખી ગયું. મોડી રાતે રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યાં છે. એક જ પરિવારના માતાપિતા અને ત્રણ સંતાનો મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહો સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર પરત પાદરા જઈ રહ્યો હતો. ત્યારે પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. કાર અને રીક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નાયક પરિવાર પાદરાના લોલા ગામનો વતની હતો.

મૃતકોના નામ :

અરવિંદ પૂનમ નાયક, ઉ.વ 28
કાજલ અરવિંદ નાયક, ઉ.વ 25
શિવાની અલ્પેશ નાયક, ઉ.વ 12
ગણેશ અરવિંદ નાયક, ઉ.વ 5
દ્રષ્ટિ અરવિંદ નાયક, ઉ.વ 6

આ ઘટનાથી લોલા ગામમાં માતમ છવાયો છે. આ અકસ્માતમા 8 વર્ષનો એક બાળક આયર્ન અરવિંદ નાયક બચી ગયા હતો. ઇજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :-

કોણ છે ભારતીય મૂળના અમેરિકી નાગરિક અજય બંગા ? જે હશે વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ

Who is Ajay Banga, an American citizen

  • Know about Ajay Banga : અજય બંગાનું આખું નામ અજયપાલ સિંહ બંગા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં 10 નવેમ્બર, 1959નાં રોજ થયો હતો. તેમનો પરિવાર મૂળરૂપથી પંજાબના જલંધરનો રહેવાસી છે. જો કે હવે તેઓ અમેરિકી નાગરિક છે.

વ્હાઈટ હાઉસે (The White House) ગુરુવારે 23મી ફેબ્રુઆરીએ જાણકારી આપી કે રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા માસ્ટરકાર્ડના પૂર્વ CEO અજય બંગાને (Ajay Banga) વિશ્વ બેંકના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું કે- ભારતીય-અમેરિકી બિઝનેસ લીડર વૈશ્વિક સંસ્થાનું (A global organization of Indian-American business leaders) નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. ઈતિહાસમાં આ વિશેષ રીતે મહત્વપૂર્ણ ક્ષણ છે. વિશ્વ બેંકના અધ્યક્ષ પરંપરાગત રીતે અમેરિકા (America) દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ હોય છે. વર્લ્ડ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ મલાપસ (David Malapus) ટૂંક સમયમાં જ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે.

કોણ છે અજય બંગા ?

અજય બંગાનું આખું નામ અજયપાલ સિંહ બંગા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં 10 નવેમ્બર, 1959નાં રોજ થયો હતો. તેમનો પરિવાર મૂળરૂપથી પંજાબના જલંધરનો રહેવાસી છે. જો કે હવે તેઓ અમેરિકી નાગરિક છે. તેમના પિતા હરભજનસિંહ બંગા એક ભારતીય સેનામાં લેફટનન્ટ જનરલ હતા. તેમના પત્નીનું નામ ઋતુ બંગા છે. તેમના ભાઈ એમએસ બંગા યુનિલીવર કંપનીમાં મોટા પદ પર છે.

અજય બંગાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ ઓનર્સ (ઈકોનોમિક્સ) કર્યું છે. આ ઉપરાંત તેમણે IIM અમદાવાદથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ ઈક્વિટી ફર્મ જનરલ એન્ટલાન્ટિકમાં વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે. આ પહેલાં તેઓ અમેરિકાની સાઈબર સિક્યોરિટી કમીશનના સભ્ય રહી ચુક્યા છે.

તેઓ ક્રેડિટ કંપની માસ્ટરકાર્ડના CEO પણ હતા. તેઓ યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના ચીફ પણ રહી ચુક્યા છે. આ કંપની ભારતમાં રોકાણ કરતી 300થી વધુ સૌથી મોટી ઈન્ટરનેશન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

બંગા વર્તમાન સમયમાં ખાનગી ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટીક (General Atlantic)ના વાઈસ ચેરમેન (Vice Chairman) છે, તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે, તેમણે માસ્ટરકાર્ડ અને અમેરિકન રેડ ક્રોસ (American Red Cross), ક્રાફ્ટ ફૂડ્સ (Kraft Foods) તથા ડોવ ઈંકના બોર્ડમાં વિવિધ ભૂમિકામાં કામ કર્યું છે. તેઓ ભારતમાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે કે જેમણે વિશ્વ બેંકમાં મહત્વની ભૂમિકા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

ઓબામાના ફેવરિટ છે બંગા :

ભારત સરકારે 2016માં બંગાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. અમેરિકામાં પોતાનો બિઝનેસ સ્થાપિત કરનાર બંગા ત્યાં સરકારના પણ પસંદગીના ઉદ્યોગપતિ બની ગયા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ તેમણે પસંદ કરતા હતા. ઓબામાએ પોતાના કાર્યકાળમાં બંગાને સાઈબર સિક્યોરિટી કમીશનના સભ્ય બનાવ્યા હતા. વર્ષ 2015માં તેમણે ઓબામાની સલાહકાર સમિતિમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-