રીક્ષામાં સવાર આખા નાયક પરિવારને મોત ભરખી ગયું, પાદરા પાસે અકસ્માતમાં..

Share this story

The entire Nayak family in a rickshaw

  • Accident News : વડોદરાના અટલાદરા પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં પતિ પત્ની અને 3 બાળકો એમ કુલ 5નાં મોત. એક બાળકને ઈજા. લગ્નમાં હાજરી આપી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત.

વડોદરાના (Vadodara) નારાયણ વાડી પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અટલાદર-પાદરા રોડ (Atladar-Padra Road) પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માતમાં આખો પરિવાર હોમાયો. રીક્ષામાં સવાર એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતાના કરુણ મોત નિપજ્યાં છે. 3 લોકોના ઘટનાસ્થળે મોત તો 2ના હોસ્પિટલ મોત થયા. પાદરાના (Padra) લોલા ગામનો પરિવાર લગ્નમાં હાજરી આપી પાદરા જઈ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર નાયક પરિવારને મોત ભરખી ગયું. મોડી રાતે રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યાં છે. એક જ પરિવારના માતાપિતા અને ત્રણ સંતાનો મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહો સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર પરત પાદરા જઈ રહ્યો હતો. ત્યારે પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. કાર અને રીક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નાયક પરિવાર પાદરાના લોલા ગામનો વતની હતો.

મૃતકોના નામ :

અરવિંદ પૂનમ નાયક, ઉ.વ 28
કાજલ અરવિંદ નાયક, ઉ.વ 25
શિવાની અલ્પેશ નાયક, ઉ.વ 12
ગણેશ અરવિંદ નાયક, ઉ.વ 5
દ્રષ્ટિ અરવિંદ નાયક, ઉ.વ 6

આ ઘટનાથી લોલા ગામમાં માતમ છવાયો છે. આ અકસ્માતમા 8 વર્ષનો એક બાળક આયર્ન અરવિંદ નાયક બચી ગયા હતો. ઇજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :-