HomeSportsઆ ખતરનાક ખેલાડીઓ સાથે WTC ની ફાઈનલમાં ઉતરશે ભારત, ઓસ્ટ્રેલિયાના કાઢી નાંખશે...

આ ખતરનાક ખેલાડીઓ સાથે WTC ની ફાઈનલમાં ઉતરશે ભારત, ઓસ્ટ્રેલિયાના કાઢી નાંખશે ગાભા !

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

India will enter the finals of WTC

  • Squad for WTC Final 2023 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં નંબર-4 પર રમે છે. આવી સ્થિતિમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં માત્ર વિરાટ જ ચોથા નંબર પર ઉતરશે. આ સાથે જ 5માં નંબર પર શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા અજિંક્ય રહાણેને ટીમમાં તક મળી શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 (WTC ફાઈનલ 2023)ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયાએ (Australia) આ શાનદાર મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તે જ સમયે ભારતીય પસંદગીકારો પણ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. આવો અમે તમને ભારતના તે 15 ખેલાડીઓના નામ જણાવીએ જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની ટીમમાં સામેલ થઈ શકે છે.

આ બેટ્સમેનોને સ્થાન મળી શકે છે-

શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરતો જોવા મળી શકે છે. શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓપનર તરીકે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ બની શકે છે.

આ સાથે જ ભારતીય ટેસ્ટ ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું ત્રીજા નંબર પર રમવું લગભગ નિશ્ચિત છે. તે હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. જેનાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે.

વિરાટ ચોથા નંબર પર રમવા માટે તૈયાર છે :

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં નંબર-4 પર રમે છે. આવી સ્થિતિમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં માત્ર વિરાટ જ ચોથા નંબર પર ઉતરશે. આ સાથે જ 5માં નંબર પર શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા અજિંક્ય રહાણેને ટીમમાં તક મળી શકે છે. આ સિવાય કેએલ રાહુલને વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. તાજેતરમાં કેએસ ભરતને વિકેટકીપર તરીકે તક મળી હતી. પરંતુ તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો.

અશ્વિન-જાડેજા વચ્ચે કોને મળશે તક?

છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બંનેને પ્લેઈંગ 11માં રમવાની તક મળી હતી. પરંતુ તેનો ફાયદો ઈંગ્લેન્ડની પીચો પર જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ વખતે કોઈપણ એક સ્પિનરને ટીમમાં સામેલ કરી શકે છે. તે જ સમયે ઝડપી બોલરોની લાઈન-અપમાં, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને જયદેવ ઉનડકટ ટીમની પ્રથમ પસંદગી બની શકે છે.

WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે/સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને જાદુલ ઠાકુર .

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img