લીલા નાળિયેરની મલાઈ ખાવાથી શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા, ઉનાળામાં તો ખાવી જ જોઈએ

Share this story
These 5 great benefits of eating green coconut milk for the body are a must
  • Tender Coconut Malai Benefit : નાળિયેર પાણીને લોકો પોતાની ડેઈલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

નાળિયેર પાણીની (Coconut water) ડિમાન્ડ ભારત સહિત દુનિયા ભરમાં રહે છે કારણ કે નાળિયેર પાણી બોડીને હાઇડ્રેટ કરે છે. તેનો સ્વાદ પણ મીઠું હોય છે તેથી લોકો તેને પીવાનું પસંદ કરે છે. માત્ર સમુદ્ર કિનારે જ નહીં પરંતુ મહાનગરોમાં પણ લોકો નાળિયેર (Coconut) પીવાનું પસંદ કરે છે. નાળિયેર પાણીને લોકો પોતાની ડેઈલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે.

પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ઘણા લોકો તો નાળિયેર પાણી પીધા પછી મલાઈને ફેંકી દેતા હોય છે પરંતુ નાળિયેર પાણી પીધા પછી મલાઈને પણ ખાવી જોઈએ. કારણ કે તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

વજન ઘટાડવામાં મદદ :

ઘણા લોકો એવું માને છે કે નાળિયેરની મલાઈમાં કેલેરી વધારે હોય છે જેના કારણે વજન વધી શકે છે પરંતુ આ વાત ભૂલ ભરેલી માન્યતા છે. જો તમે મર્યાદિત માત્રામાં મલાઈ ખાશો તો તમારા પેટ અને કમરની ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે.

ડાયજેશન સુધરે છે :

જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે નાળિયેરની મલાઈ જરૂર ખાવી જોઈએ. પાચનતંત્ર માટે નાળિયેરની મલાઈ સુપરફૂડ છે. તે ભોજનને બચાવવામાં મદદ કરે છે અને આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેનું સેવન કરવું જ જોઈએ.

ઈમ્યુનિટી વધે છે :

આજના સમયમાં જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેવામાં આ કામ કરવામાં મદદ નાળિયેરની મલાઈ કરી શકે છે. નાળિયેરની મલાઈમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ચેહરા પર ગ્લો લાગે છે :

જો તમે ઉનાળા દરમિયાન નાળિયેરની મલાઈ ખાવાનું રાખશો તો તમારા ચહેરા ઉપર ગ્લો પણ વધશે. મલાઈ ખાવાથી વધતી ઉંમરની અસર પણ ત્વચા પર થતી નથી.

ઈન્સ્ટન્ટ એનર્જી સોર્સ :

ગરમીમાં ઘણી વખત એવું થાય છે કે અચાનક જ તડકાના કારણે તમને નબળાઈ લાગવા લાગે. આ ઉપરાંત પરસેવો પણ વધુ થતો હોય છે તેના કારણે પાણીની ઉણપ પણ સર્જાઈ શકે છે. તેવામાં જો તમે નાળિયેર પાણી કે તેની મલાઈનું સેવન કરો છો તો શરીરને તુરંત જ ઊર્જા મળે છે અને તમે તરોતાજા અનુભવ કરો છો.

આ પણ વાંચો :-