HomeGujaratભુજના માધાપરમાં 40 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, છાશ પીધા બાદ તબિયત બગડી

ભુજના માધાપરમાં 40 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, છાશ પીધા બાદ તબિયત બગડી

Date:

Related stories

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...
spot_img

ભુજ નજીક આવેલા માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુકભોજનમાં છાશ પીવાથી આશરે 40 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભોજન લીધા બાદ બાળકોની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સામૂહિક બટુકભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોના 40થી વધુ બાળકો પ્રસાદ ગ્રહણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ પીધા બાદ થોડા જ સમયમાં અનેક બાળકોને પેટમાં દુખાવો, ચક્કર આવવા તેમજ ઉલ્ટી-ઝાડાની ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં બાળકોની તબિયત લથડતા વાલીઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

વાસી દહીંના કારણે ફૂડ પોઇઝનિંગની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી મંગાવવામાં આવ્યું હતું. ભારે ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે દહીં લાંબા સમય સુધી યોગ્ય ઠંડક વગર બહાર રાખવામાં આવ્યું હોવાની અથવા તે પહેલેથી જ વાસી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દહીંમાંથી તૈયાર કરાયેલી છાશ પીધા બાદ બાળકોમાં ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા હોવાનું પ્રાથમિક તારણ છે.

તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ઘટનાની ગંભીરતા જોતા અસરગ્રસ્ત બાળકોને ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક બાળરોગ નિષ્ણાતોની ટીમ તૈનાત કરીને સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા મુજબ, સમયસર સારવાર મળી જતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમથી બહાર છે.

આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ હરકતમાં આવી હતી. અધિકારીઓએ ઉપયોગમાં લેવાયેલા દહીં અને છાશના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ રિપોર્ટ બાદ ફૂડ પોઇઝનિંગના ચોક્કસ કારણો સામે આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Subscribe

Latest stories

spot_img