Monday, Aug 3, 2026

રાજ ઠાકરેનો સવાલ: ‘ભારત એટલું જ સારું છે તો વિવેક ઓબેરોય અને આર. માધવન દુબઈમાં કેમ રહે છે?’

1 Min Read

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર તીખી ટિપ્પણીઓએ ચર્ચા જગાવી છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ અભિનેતા વિવેક ઓબેરોય અને આર. માધવનને નિશાન બનાવતાં એવો સવાલ ઉઠાવ્યો કે જો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વિકાસની ખુલ્લેઆમ પ્રશંસા કરે છે, તો પછી પોતાના પરિવાર સાથે દુબઈમાં કેમ રહે છે? તેમના આ નિવેદન બાદ રાજકીય અને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે.

મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના યુવા મંચના કાર્યક્રમ દરમિયાન રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારની નીતિઓ અને દેશમાંથી વધી રહેલા વિદેશ ગમનના મુદ્દે સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સંસદમાં પણ સ્વીકારવામાં આવ્યું છે કે કેટલાક ઉદ્યોગપતિઓ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે વિવેક ઓબેરોય અને આર. માધવનના નામનો ઉલ્લેખ કરીને પૂછ્યું કે જો ભારતની સ્થિતિ એટલી સારી થઈ ગઈ હોય, તો તેઓ વિદેશમાં કેમ વસે છે?

જોકે, આર. માધવને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતાના પુત્ર વેદાંતના વ્યાવસાયિક સ્વિમિંગ કરિયરને વધુ સારી તાલીમ મળી રહે તે માટે પરિવાર સાથે દુબઈ ગયા હતા. બીજી તરફ, વિવેક ઓબેરોય દુબઈમાં પોતાના રિયલ એસ્ટેટ વ્યવસાયના વિસ્તરણ માટે રહે છે. બંને કલાકારોએ પોતાના સ્થળાંતરને વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણો સાથે જોડ્યું છે.

Share This Article