બિહારના પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલ ઉપચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનના ગઢ ગણાતી આ બેઠક પર અંદાજે ત્રણ દાયકા (૩૧ વર્ષ) બાદ ભાજપની હાર થઈ રહી છે, જ્યાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર મજબૂત સરસાઈ તરફ આગળ વધી રહ્યા છે.
બિહારની બાંકીપુર બેઠક પર જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે મતગણતરી દરમિયાન સતત લીડ જાળવી રાખી હતી. 27મા રાઉન્ડ સુધી તેઓ અંદાજે 16 હજારથી વધુ મતોથી આગળ રહ્યા હતા. તેમને 53 હજારથી વધુ મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને લગભગ 39 હજાર મત મળ્યા હતા. બાંકીપુર બેઠક ભાજપ માટે પરંપરાગત ગઢ માનવામાં આવે છે અને ભાજપના નેતા નિતિન નબીન લાંબા સમય સુધી અહીંથી ધારાસભ્ય રહ્યા હતા. તેમના રાજ્યસભામાં જતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી યોજાઈ હતી.