મંત્રીજીએ ઉડાવી જનતાની મજાક ! ડુંગળીને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Share this story
  • ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન નાસિકના પાલક મંત્રી દાદા ભૂસેએ સામાન્ય લોકોને એક વિચિત્ર સલાહ આપી.

એક તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મામલામાં પૂર્વ કૃષિ મંત્રી દાદા ભુસેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો લોકો બે-ચાર મહિના સુધી ડુંગળી નહીં ખાય તો કંઈ નહીં થાય.

ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ  નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન નાસિકના પાલક મંત્રી દાદા ભૂસેએ સામાન્ય લોકોને એક વિચિત્ર સલાહ આપી. તેમણે કહ્યું કે જો લોકો ભાવ વધારાને કારણે ડુંગળી ખરીદી શકતા નથી. તો તેમણે બે-ચાર મહિના સુધી તે ન ખાવી જોઈએ. તેનાથી ડુંગળી બગડે નહીં. જો કે રાજ્યના PWD મંત્રીએ સોમવારે પણ કહ્યું હતું કે નિકાસ ડયુટી લાદવાનો નિર્ણય યોગ્ય સંકલન સાથે લેવામાં આવવો જોઈએ.

બે ચાર મહિના ડુંગળી નહીં ખાયતો કઈ ફેર પડશે નહીં :

તેમણે કહ્યું કે, જ્યારે તમે રૂ. ૧૦ લાખની કિંમતના વાહનનો ઉપયોગ કરો છો, ત્યારે તમે રિટેલ રેટ કરતા રૂ. ૧૦ અથવા રૂ. ૨૦ વધુ ભાવે ઉત્પાદન ખરીદી શકો છો. જે લોકો ડુંગળી ખરીદી શકતા નથી તેઓ બે-ચાર મહિના ન ખાય તો પણ કોઈ ફરક નહીં પડે. ભૂસેએ કહ્યું કે ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ક્યારેક ડુંગળીની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે તો ક્યારેક તેની કિંમત ૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે. તેમણે કહ્યું કે તેના પર ચર્ચા થઈ શકે છે અને ઉકેલ શોધી શકાય છે.

અગાઉ સોમવારે, વેપારીઓએ લાસલગાંવ સહિત નાશિકની તમામ કૃષિ પેદાશ બજાર સમિતિઓ (APMC) ખાતે ડુંગળીની હરાજી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતમાં ડુંગળીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. સૂત્રોએ જણાવ્યું કે નાસિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિએશને જ્યાં સુધી કેન્દ્ર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ડુંગળીની હરાજીમાં ભાગ ન લેવાનો કોલ આપ્યો હતો. નિકાસ ડયુટી પાછી ખેંચવાની માંગ સાથે જિલ્લાભરમાં ઘણા ખેડૂતો અને વેપારીઓએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો :-