ધોની ફેન્સની બીકે ઉપર બેટિંગ કરવા નથી આવતો રવીન્દ્ર જાડેજા ? કર્યો મોટો ખુલાસો

Share this story

Ravindra Jadeja is not coming 

  • IPL 2023 Ravindra Jadeja : ગઈકાલની મેચ બાદ મુરલી કાર્તિકે જાડેજાને કેટલાક સવાલ કર્યા હતા. જેના જાડેજાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યા.

10 મે એ ચેપોકની વિકેટ પર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) દિલ્હીના (Delhi) બોલરોને ચોંકાવી દીધી અને મેચના બાદ કહી પણ દીધુ કે તેમને ખૂબ જ મજા આવી અને એવી વિકેટ દરેક વખતે મલતી રહે. મેચના બાદ મુરલી કાર્તિકે જ્યારે આ વિશે સવાલ કર્યો તો રવિન્દ્ર જાડેજાએ કહ્યું

https://www.instagram.com/p/CsEpf71BHYm/?utm_source=ig_embed&ig_rid=c685bea4-7ae1-40a8-b5ca-e29b3106cdb9

“બિલકુલ. હું તો ઈચ્છું છું કે સાત મેચમાં મળે અને અત્યાર સુધી જે છ મેચ રમી છે તેમાં આવી જ વિકેટ હતી અને એક સ્પિનરના રૂપમાં સારૂ લાગે છે. જો બોલ રોકાઈ રહી છે. સ્પિન થઈ રહી છે તો સારૂ તો લાગે જ છે. લાગે છે કે ચલો આજે ટીમ માટે કંઈક સ્પેશિયલ કરવાનો મોતો મળ્યો.”

કાર્તિકે જાડેજાને બીજો સવાલ સીઝન સાથે જોડાયેલો કર્યો. તેમણે કહ્યું કે આ સીઝન બોલર્સને મુશ્કેલી થઈ રહી છે. પરંતુ તમારી વચ્ચેની ઓવર્સમાં સારી બોલિંગ કરી છે. તેના માટે શું અલગ કર્યું. જવાબમાં જાડેજાએ કહ્યું-

“કારણ કે અહીં અમે પ્રેક્ટિસ કરી છે. તો અમને આઈડિયા છે કે લેંથ અને પેસ શું રાખવાની હોય છે. ત્યાં જ એક એડવાન્ટેજ છે. જે હવે ટીમ આવે છે તેમને સેટ થવામાં ટાઈમ લાગે છે. એક જ મેચ હોય છે. તો એજ વાત છે કે અમે હોમ એડવાન્ટેજનો સારી રીતે ફાયદો ઉઠાવીએ છીએ. જે પણ સ્પિનર્સ છે. મોઈન ભાઈ, તીક્ષણા બધાને ખબર છે કે કઈ કઈ લેન્થ નાખવાની છે. એક ટીમના રૂપમાં બધા લોકો પોતાનું કામ કરી રહ્યા છે.”

ત્યાર બાદ જાડેજાને તેમની બેટિંગ પર સવાલ કરવામાં આવ્યો. પુછવામાં આવ્યું કે આ વખતે તેમણે વધારે બેટિંગ મળી નથી રહી પરંતુ એક વખત તેમણે લોવર ઓર્ડરમાં ખૂબ રન બનાવ્યા હતા. શું હાલ તેમનું મન કરે છે કે તે પણ ઉપર જઈને બેટિંગ કરે. જવાબમાં જાડેજાએ કહ્યું

“જુઓ હું નીચે જાઉ છું તો લોકો માહી ભાઈનું નામ લઈને બુમો પાડે છે. અને જ્યારે હું આગળ જાઉછું તો પછી તે આઉટ થવાનો વેઈટ કરશે. તો જે પણ છે બરાબર ચાલી રહ્યું છે. અત્યાર સુધી ટીમ જીતી રહી છે હું ખુશ છું.”

આ પણ વાંચો :-