રાહુલ ગાંધીએ જૂના બંગલામાં શિફ્ટ થવા કર્યો ઈનકાર, હાઉસિંગ કમિટીને લખ્યો પત્ર, જુઓ શું કહ્યું

Share this story
  • કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તેમને તેમનું જૂનું આવાસ આપવામાં આવ્યું પણ તેઓ આ બંગલામાં શિફ્ટ થવા માંગતા નથી.

રાહુલ ગાંધીએ પોતાના જૂના બંગલામાં શિફ્ટ થવા ઈનકાર કર્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તેમને તેમનું જૂનું આવાસ આપવામાં આવ્યું હતું.

જોકે હવે સામે આવ્યું છે કે રાહુલ ગાંધી પોતે ૧૨ તુગલક લેન સ્થિત આ બંગલામાં શિફ્ટ થવા માંગતા નથી. આ અંગે તેમણે હાઉસિંગ કમિટીને પત્ર લખીને જાણ પણ કરી છે. જણાવી દઈએ કે આ બંગલો રાહુલ ગાંધીને ૧૯ વર્ષ પહેલા અમેઠીના સાંસદ તરીકે આપવામાં આવ્યો હતો.

૧૨ તુગલક લેન ખાતે ટાઈપ ૭ બંગલો :

દિલ્હીણા ૧૨ તુગલક લેન ખાતેનો આ બંગલો ટાઈપ-૭નો છે. ટાઈપ ૭ બંગલોનો વિસ્તાર દોઢ એકર વચ્ચે છે. ટાઈપ ૮ બંગલોની સરખામણીમાં તેમાં એક બેડરૂમ ઓછો (૪ બેડરૂમ) છે. આવા બંગલા અશોકા રોડ, લોધી એસ્ટેટ, કુશક રોડ, કેનિંગ લેન, તુગલક લેન વગેરેમાં છે. આ પ્રકારના બંગલા વરિષ્ઠ સંસદસભ્યો, રાજ્યકક્ષાના મંત્રીઓ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશોને ફાળવવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી પાસે હજી આ વિકલ્પ 

સૂત્રોના જણાવ્યા અનુસાર હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને સાત સફદરગંજ બંગલા અને ત્રણ સાઉથ એવન્યુ બંગલાનો વિકલ્પ આપ્યો છે. રાહુલ ગાંધીની ટીમના લોકોએ બંને બંગલાનું નિરીક્ષણ પણ કર્યું છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. વાસ્તવમાં તેમની ટીમ સુરક્ષા માટે બંગલાની પણ તપાસ કરી રહી છે કારણ કે, રાહુલ પાસે પણ Z પ્લસ સુરક્ષા છે.

આ પણ વાંચો :-