Home Blog Page 1433

દરવાજે ઊભી હતી જાન, પરંતુ એવું તો શું થયું કે કન્યાપક્ષે લગ્ન કરવાની પાડી દીધી ના ?

0
  • bride refused to get married ?
  •  કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત અને પોલીસ સુધી પહોંચી

દુલ્હનના (Bride) હાથ પર મહેંદી રચાઇ હતી અને જાન દરવાજા પર ઊભી હતી. વરરાજા પણ સાફો બાંધીને દરવાજા સુધી પહોંચી ગયા હતા. લગ્નની વિધિ (Wedding ceremony) શરૂ થઈ ગઇ હતી. ત્યારે કંઈક એવું થયું કે અચાનક કન્યા પક્ષે લગ્ન (Marriage)કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ પરિવારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મામલો પૂર્ણિયાના (purnia) શ્રીનગર પોલીસ સ્ટેશન હેઠળની જગેલીનો છે.

ભાગલપુર જિલ્લાના પીરપંથી બ્લોકના ગોવિંદપુરના રહેવાસી રામજી શાહના પુત્ર અમિત કુમારના સોમવારે રાત્રે અહીં લગ્ન (Marriage) થવાના હતા. જાન ટેકન સાહના દરવાજે આવી પહોંચી હતી. પરંતુ અચાનક છોકરી પક્ષે કહ્યું કે આ લગ્ન નહીં (girl refused to marry) થાય. આ સાંભળીને વરપક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા. કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત સુધી પહોંચી, પંચાયત આખી રાત ચાલી પરંતુ કન્યા પક્ષના લોકો ટસના મસ થયા નહીં.

પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો મામલો :

મંગળવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો જાણવા મળ્યું કે છોકરાના લગ્ન થઈ ચૂક્યા છે અને આ તેના બીજા લગ્ન છે. વરપક્ષ આ હકીકત છુપાવીને છોકરાને બીજીવાર પરણાવી રહ્યા હતા. વરરાજા કહે છે કે તેઓએ કંઈપણ છુપાવ્યું નથી. પરંતુ 6 મહિના પહેલા તેમના પુત્રને બળજબરીથી પકડીને તેના લગ્ન કરવામાં આવ્યા હતા. બાદમાં પંચાયત યોજાઇ હતી. જેમાં લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી લગ્ન નક્કી કરીને જાન જગેલી ખાતે લઈ જવામાં આવી હતી.

જાનૈયાઓની કરાઇ સંપૂર્ણ મહેમાનગતિ

ગામના મુખિયા મો. આઝાદ હુસેને જણાવ્યું હતું કે તેમણે બંને પક્ષો સાથે વાત કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ દરમિયાન કન્યાપક્ષના દ્વારે આવેલા તમામ જાનૈયાઓને આદરપૂર્વક ખવડાવી પીવડાવી વિદાય આપવામાં આવી હતી. રાત્રે લગ્ન બંધ રહ્યા હતા. પરંતુ બંને પક્ષ સાથે વાતચીત બાદ નક્કી થયું કે, હવે યુવતી બુધવારે તે જ છોકરા સાથે લગ્ન કરશે. જાન તો જતી રહી પણ વરરાજા અને તેના પરિવારને રોકવામાં આવ્યા અને બાદમાં બંને પક્ષે લગ્ન માટે સહમતિ દર્શાવી હતી.

વરરાજાના બીજા લગ્ન માત્ર અફવા !

આ સમગ્ર ઘટના દરમિયાન એક એવી પણ વાત સામે આવી છે કે, અમુક દલાલો વરપક્ષ પાસેથી 20000 રૂપિયા વસુલવા માંગતા હતા. જ્યારે તેમને રૂપિયા ન આપ્યા તો તેમણે છોકરાના બીજા લગ્નની અફવા ફેલાવી દીધી. જ્યારે આ વાત કન્યાપક્ષ સુધી પહોંચી તો તેમણે લગ્ન માટે ના પાડી દીધી. જોકે, સત્ય બહાર આવતા બંને પક્ષો લગ્ન માટે તૈયાર થઇ ગયા છે. પોલીસ સ્ટેશનના પ્રભારી કુંદન કુમારે જણાવ્યું કે લગ્નના કોઈ જાનૈયાને બંધક બનાવવામાં આવ્યા નથી. તેનાથી ઉલટું કન્યા પક્ષે આરોપ લગાવ્યો છે કે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને તેની પુત્રીના લગ્ન પરિણીત છોકરા સાથે કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

bride refused to get married ?

ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન, જાણો પેનની વિશેષતાઓ

0

Two and a half lakh expensive pens

  • ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન જેની વિશેષતા એ છે કે, ગુજરાતમાં અઢી લાખની કીમતી મોંઘેરી પેન તો બને જ છે સાથે અયોધ્યામાં નિર્માણ પામનાર 350 મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની પ્રતિમાની આબેહૂબ કૃતિ સમક્ષ પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે.

આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે. ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્યના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી (Work professionally) જોડાયેલા છે. ગુજરાતમાં અહીં એટલે કે જામનગરમાં (fountain pen selling in Jamnagar) અઢી લાખથી વધુ કીમતી મોંઘેરી અવનવી ફાઉન્ટન પેન (fountain pen) બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે. ગુજરાતમાં અહીં બને અઢી લાખની મોંઘીદાટ પેનની માંગ ભારતમાં જ નહિ વિદેશમાં દેશમાં પણ છે।

જામનગરના ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરાના વંશજો હિરેનભાઈ કનખરા, હાર્દિકભાઈ કનખરા, કૃણાલભાઈ કનખરા અને ધરમભાઈ કનખરા દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયામાં રાજકારણનો શિકાર બન્યા આ 2 ખેલાડી ? ક્રિકેટ કારકિર્દી લાંબો સમય ટકી ન હતી

0

These 2 players became victims of politics

  •  ટીમ ઈન્ડિયા : ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવું એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે, પરંતુ એવા ઓછા નસીબદાર ખેલાડીઓ હોય છે જે પોતાના દેશ માટે લાંબુ રમી શકે. ભારતીય ટિમનાં આ બે ખેલાડી બન્યાં રાજકારણનો શિકાર.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) માટે રમવું એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે, પરંતુ એવા કેટલાક નસીબદાર ખેલાડીઓ છે જે પોતાના દેશ માટે લાંબુ રમી શકે છે. ભારતીય ટિમનાં આ બે ખેલાડી રાજકારણનો શિકાર બન્યાં. (The victim of politics) અને આ ખેલાડીઓ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યા નથી. ચાલો તે 2 ક્રિકેટરો પર એક નજર કરીએ :

1. અંબાતી રાયડુ :

ભારતનો શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુ ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર બેટિંગ કરવાનો પ્રબળ દાવેદાર હતો. 2019ના વર્લ્ડ કપમાં અચાનક આ ખેલાડીને પસંદગીકારોએ ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ પછી અંબાતી રાયડુએ આ નિર્ણયનો વિરોધ કરતા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ICC વર્લ્ડ કપ 2019 દરમિયાન, ટીમ ઈન્ડિયામાં અંબાતી રાયડુના સ્થાને વિજય શંકર સહિત, મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદે કહ્યું હતું કે વિજય શંકર ટીમને 3D વિકલ્પ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) પ્રદાન કરશે. આ નિવેદન બાદ અંબાતી રાયડુએ પસંદગીકારો પર કટાક્ષ કર્યો અને લખ્યું, ‘મેં વર્લ્ડ કપ જોવા માટે 3D ચશ્માની જોડી મંગાવી છે.’ આ પછી વિજય શંકર અને શિખર ધવન ઈજાગ્રસ્ત હોવા છતાં અંબાતી રાયડુને ટીમમાં તક મળી ન હતી.

2. કરુણ નાયર :

ભારતીય ટીમના બેટ્સમેન કરુણ નાયરે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી. આ પહેલા વીરેન્દ્ર સેહવાગ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન આવો રેકોર્ડ બનાવી શક્યો ન હતો. આ ત્રેવડી સદી પછી જ કરુણ નાયરની કારકિર્દીનું કાઉન્ટડાઉન શરૂ થયું. કરુણ નાયર છેલ્લે વર્ષ 2017માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. કરુણ નાયરે ભારતીય ટીમના તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પર મોટા આરોપો લગાવ્યા હતા. કરુણ નાયરે કહ્યું હતું કે ન તો કોચ, ન તો કેપ્ટન કે ન તો પસંદગીકારોએ મને કહ્યું કે હું શા માટે ટીમમાંથી બહાર છું. મારી સાથે કોઈએ વાત કરી નહીં.

These 2 players became victims of politics

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે આ દિવસ પર આ રાશિઓના ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ.

Gujarat Guardian 2 June RashiFal :

મેષઃ
આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ
દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબૂ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકૂળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન ટી.વી. તેમજ કો્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ
ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધન સ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ
દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

Gujarat Guardian 2 June RashiFal :

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

HDFC બૅન્કની ભૂલથી ખાતામાં જમા થઈ ગયાં 1300 કરોડ ! જાણો પછી શું થયું

0
  • HDFC બૅન્કની એક ભૂલને લીધી પોતાનાં 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Rupee transfer) કરી દીધા હતા. આટલી મોટી રકમના ગ્રાહકોને મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠયા અને ખુશી મનાવા લાગ્યા. પરંતુ આ ખુશીનો માહોલ બસ થોડા સમય માટે જ રહ્યો હતો.

તમિલનાડુમાં (Tamil Nadu) આવેલ HDFC બૅન્કની એક ભૂલને લીધી પોતાનાં 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Rupee transfer) કરી દીધા હતા. દરેક ગ્રાહકોના ખાતામાં 13-13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ગ્રાહક પાસે જે લિન્ક મોબાઈલ નંબર હતો તેમાં મેસેજ આવતા લોકોની ખુશી સમાઈ ન હતી તેમને લાગ્યું કે આપણને આજે લોટરી લાગી ગઈ છે. પરંતુ જ્યારે તેમણે પોતાના બેન્ક ખાતામાં બેલેન્સ ચેક કર્યું તો તેમની એ ખુશી તરત હવા થઈ ગઈ હતી. દેશની બીજી સૌથી મોટી બેન્કનું આ કારસ્તાન જોત જોતમાં જ વાઇરલ થઈ ગયું છે.

100 લોકોના ખાતામાં આવ્યા 1300 કરોડ :

આ મામલો તમિલનાડુના ટી નગરમાં આવેલી hdfc બેન્કની બ્રાન્ચનો છે. 100 ગ્રાહકોને રવિવારે પોતાના રજીસ્ટર નંબર પર મસેજ આવે છે. જેમાં જણાવ્યું હોય છે કે ગ્રાહકના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ પ્રકારના મેસેજ બીજા લોકોને પણ મળ્યા હતા. કુલ મળીને અંદાજિત 100 લોકોને મેસેજ મળ્યા હતા એટલે કે બેન્કે 1300 કરોડ રૂપિયા ગ્રાહકોને ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે એક વ્યક્તિએ ગભરાઈને પોલીસમાં જાણ કરી. જ્યારે પોલીસે બેન્કમાં તપાસ કરી ત્યારે બધી જાણકારી મળી હતી.

પોલીસે કરી સમગ્ર મામલાની તપાસ :

પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે બેન્ક અધિકારીએ જણાવ્યું કે કોઈ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી આ મેસેજ ખાતાધારકોને તેમના મોબાઈલમાં મોકલાઈ ગયા છે. એમણે કહ્યું હતું કે hdfc બ્રાન્ચમાં સોફટવેર ઇન્સ્ટોલની પ્રક્રિયા ચાલુ હતી જેમાં કોઈ ભૂલ થતાં મેસેજ સેન્ડ થઈ ગયા હતા.

પૈસા નહીં ફક્ત મેસેજ મળ્યા ::

રિપોર્ટમાં hdfc ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાય હતી. કોઈએ બેન્ક સિસ્ટમ હેક નથી કરી કે કોઈપણ ગ્રાહકના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં નથી આવ્યા. ફક્ત ગ્રાહકોના મોબાઈલમાં ભૂલથી મેસેજ જતો રહ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘોઘાથી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું, ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં ત્રણ ટ્રીપ કરશે

0

ઘોઘા-હજીરા (Ghogha-hajira) વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં (Row-Pax Ferry Service) રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું હતું . આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના (Bhavnagar) વિકાસના દ્વાર પણ ખુલશે.

મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે :।

ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે આજે રો રો રો પેક્સ સર્વિસ હાલ ચાલે છે તેના કરતા ડબલ કેપેસિટી વાળી અને એકદમ ઝડપી રો પેક્સ સર્વિસ શરૂ કરવા માટે હજીરા ખાતે આ અંગેનું વેસલ પણ આવી ગયું છે આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવી પોહચ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગના વિકસ માટે પ્રોત્સાહન :

આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગ અને વિકસાવવા માટે અપાઇ રહેલા પ્રોત્સાહન ના ભાગરૂપે પ્રથમ ઘોઘા થી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા તમે અને હવે ઘોઘા થી હજીરા થઈ મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે.

115 કરોડનું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમને કારણે ઝડપી :

ઘોઘા હજીરા વચ્ચે આજે જહાજ ચાલી રહ્યું છે તેને બદલે નવું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલુ નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે રો-રો ફેરી સર્વિસના ચેતન ભાઈ કોન્ટ્રાક્ટર કે એ એક વાતચીતમાં જણાવ્યું હતું કે નવું જહાજ ઘોઘાથી હજીરા માત્ર બે કલાકમાં પહોંચશે આ ઉપરાંત અન્ય પ્રોસિજર ના અડધો કલાક ગણીએ તો ઘોઘા થી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે.

આ જહાજ બે મહિના બાદ મુંબઈથી હજીરા આવ્યું :

આ ઉપરાંત આ જહાજ દિવસમાં ત્રણ વખત આવન-જાવન કરશે પરિણામે ફિકવન્સી વધવાથી લોકોને પણ અનુકૂળતા રહેશે અંદાજે 115 કરોડ રૂપિયાના આ જહાજમાં 70 ટ્રક 700 પેસેન્જર 125 ગાડી સહિતની કેપેસિટી હાલના ચાર્જ કરતાં જહાજ કરતા બમણી થઈ જશે એટલે વધારે લોકો લાભ લઈ શકશે અને ઝડપી સુવિધા પણ આપી શકીશું. આ જહાજ બે મહિનાથી મુંબઈ હતું તે હાલમાં હજીરા ખાતે આવી પહોંચ્યું છે જહાજ અત્યંત આધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જન હશે.

ઝડપી જહાજ અને હાઈવેના નવા રસ્તાથી ભાવનગર વિકાસની હરણફાળે : માંડવિયા 

આગામી સમયમાં ભાવનગર અને હજીરા તથા ભાવનગર અને મુંબઈ વચ્ચે અત્યારે જે ફેરી ચાલી રહી છે તેના કરતાં અત્યાધુનિક અને ડબલ ઝડપી અને વધુ કેપેસીટીવાળી રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. આ માટેની રો-પેક્ષ ફેરી હજીરા પોર્ટ ખાતે આવી પણ ગઇ છે. ભાવનગરને 300 વર્ષ પુરાં થવાં જઇ રહ્યાં છે ત્યારે તે માટેની ઉજવણી પણ શાનદાર થવી જોઇએ તેમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગરમાં જણાવ્યુ હતું.

ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ : માંડવિયા 

તેમણે જણાવ્યુ હતુ કે વિકાસ વધુ વેગવાન બને તે માટે ભાવનગર થી ધોલેરા સીક્સ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશનો માલસામાન લઈ જતાં કન્ટેનર પર ભાવનગર લખેલું હોય અને મેડ ઈન ઈન્ડિયા લખેલું જહાજ આખી દુનિયામાં આ કન્ટેઇનરને માલસમાન લઇને ફરે અને વિશ્વનો કોઈપણ વ્યક્તિ વાંચે તો તેને ખબર પડે કે આ ભાવનગરમાં નિર્માણ થયેલું કન્ટેનર છે તેઓ વિકાસ આપણે કરવો છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

15 કરોડ તો માત્ર સેલેરી મળી, IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા

0

હાર્દિક પંડ્યાએ IPL 2022ની ટ્રોફી તો જીતી, પંડ્યા ટી-20 ક્રિકેટનો સૌથી મોટો સુપરસ્ટારગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને આપ્યાં 15 કરોડ. IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા

ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) કેપ્ટન હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) આઈપીએલ 2022નો ખિતાબ જીતીને ઈતિહાસના સુવર્ણ પન્ને પોતાનું નામ નોંધાવી દીધુ છે. પોતાની પહેલી સિઝનમાં નવી ટીમની કેપ્ટનશિપ કરીને હાર્દિકે વિશ્વની સૌથી ટી-20 લીગની ટ્રોફી પોતાના નામે કરી, જે ક્રિકેટ જગતના ઘણા ખેલાડીઓ માટે માત્ર સપનુ છે. IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા .

હાર્દિક ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી :

આ ઐતિહાસિક જીતમાં કેપ્ટનશિપ સિવાય હાર્દિકે બોલ અને બેટીંગથી આક્રમક પ્રદર્શન કરી પોતાનુ યોગદાન આપ્યું છે. જેના કારણે તેમની પર આઈપીએલ 2022માં ખૂબ ધનવર્ષા થઇ હતી. આવો જાણીએ આઈપીએલની 15મી સિઝનમાં હાર્દિકે કુલ કેટલી કમાણી કરી છે.

હાર્દિક પંડ્યાને ભારતીય ખેલાડીઓમાં ટી-20 ક્રિકેટનો સૌથી મોટો સુપરસ્ટાર માનવામાં આવે છે. ખાસ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેમના નામનો સિક્કો ચાલે છે. વર્ષ 2014માં મુંબઈ ઈન્ડિયન્સની સાથે તેના આઈપીએલ પ્રવાસની શરૂઆત કરનારા હાર્દિક ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી છે.

આઈપીએલ 2022માં લગભગ આટલી કમાણી કરી :

તેથી જ્યારે આઈપીએલ 2022 ઑક્શન પહેલા મુંબઈ ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને રીલીઝ કર્યો તો ગુજરાત ટાઈટન્સને તેમને ઑક્શનમાં જતા પહેલા જ ડ્રાફ્ટમાં 15 કરોડની કિંમત પર પોતાની સાથે જોડી લીધો હતો. ફ્રેન્ચાઈઝી તરફથી મળેલી 15 કરોડની રકમ સિવાય હાર્દિક પંડ્યાને આઈપીએલ 2022માં લીગ ફેસના મેચ નંબર-24માં રાજસ્થાન રૉયલ્સની સામે 87 રનની ઈનિંગ રમવા માટે મેન ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જેના માટે હાર્દિકને આઈપીએલ તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા. આ જ રીતે ફાઈનલ મેચમાં હાર્દિકને મેન ઑફ ધ મેચ, ગેમચેન્જર ઑફ ધ મેચ અને મોસ્ટ વેલ્યુબલ એસેટ ઑફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યાં , કોલકાતા પોલીસે મૃત્યુના મામલમાં કેસ નોંધ્યો 

0
  • સિંગર કેકે ડેથ અપડેટ : બોલિવૂડના ફેમસ સિંગર કેકેના ડેથ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને અહેવાલ છે કે કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યાં છે. આ પછી કોલકાતા પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કેકેનું મંગળવારે મોડી રાત્રે કોલકાતામાં (Kolkata) એક સ્ટેજ શો દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયું હતું. હવે એવા અહેવાલ છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે. ત્યારબાદ કોલકાતા પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કેકેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યાં. જોકે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.

માથા અને મોં પાસે ઈજાનાં નિશાનો મળ્યાં :

સૂત્રોનું કહેવું છે કે કેકેને બે ઈજાઓ થઈ છે. એક ઈજા તેના કપાળ પર અને બીજી તેના મોઢાની આસપાસ છે. ઇજાઓ વિશે વધુ વિગતો પોસ્ટમોર્ટમ પછી ઉપલબ્ધ થશે. આ સાથે તબીબોનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે.

કોલકાતા પોલીસે કેસ નોંધ્યો છે :

ગાયક કેકેના મૃત્યુ બાદ કોલકાતાના ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકોની સંખ્યા મર્યાદા ઓળંગી ગઈ હતી. એસી કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત, પોલીસ આવી પરિસ્થિતિની પણ તપાસ કરી રહી છે, જેના કારણે પ્રદર્શન દરમિયાન કેકે બીમાર પડ્યા હતા.

બપોરે 12 વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે :

સિંગર કેકેના પાર્થિવ દેહને ખાનગી હોસ્પિટલમાંથી બપોરે 12 વાગ્યે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવશે જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ કે.કે.ના માથા અને મોં પર થયેલી ઈજાઓ વિશે વધુ માહિતી મળી શકશે.

કેકેનો પરિવાર મુંબઈથી કોલકાતા પહોંચે છે

ગાયક કેકેના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રો છે. કેકેના મૃત્યુ બાદ તેનો પરિવાર મુંબઈથી કોલકાતા પહોંચી રહ્યો છે. તેમની પત્ની અને પુત્ર સવારે 9 વાગ્યાની આસપાસ કોલકાતા પહોંચે તેવી અપેક્ષા છે.

‘તડપ તડપ કે ઇસ દિલ સે..’ પરથી ઓળખાય મેળવી હતી :

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 23 ઓગસ્ટ 1968ના રોજ જન્મેલા કેકેએ ફિલ્મ માચીસ (છોડ આયે હમ વો ગલિયાં) દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, તેને બોલિવૂડમાં વાસ્તવિક ઓળખ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ગીત ‘તડપ તડપ કે ઇસ દિલ સે’થી મળી હતી. કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

સિદ્ધુ મુસેવાલા હતો મોંઘી ગાડીઓનો શોખીન, 28 વર્ષની ઉંમરે હતો કરોડની સંપત્તિનો માલિક

0
  •  Sidhu Moose Wala Murder : સિદ્ધુ મુસેવાલા મોંઘી ગાડીઓનો શોખીન હતો. મુસેવાલા એક શો કરવા માટે લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. જ્યારે એક ગીત માટે તેની ફી લગભગ છ લાખ રૂપિયા હતી.

લોકપ્રિય ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ના નિધનથી દેશના દરેક લોકો આઘાતમાં છે. નાની ઉંમરે તેમણે આખી દુનિયામાં ખ્યાતિ મેળવી હતી. 28 વર્ષની ઉંમરે સિદ્ધુ મુસેવાલાની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાની (sidhu mossewala net worth)આસપાસ હતી. સિદ્ધુ મુસેવાલા મોંઘી ગાડીઓનો શોખીન હતો .

 સિદ્ધુ મુસેવાલા પાસે એક થી એક વૈભવી ગાડીઓ હતી. તેની પાસે મર્સિડીઝ એએમજી 63, ટોયોટા ફોર્ચ્યુનર, જીપ, ઇસુઝુ ડી-મેક્સ, રેન્જ રોવર અને મસ્ટાંગ જેવી ગાડીઓ હતી, જેની કિંમત લગભગ 2.43 કરોડ હતી. તેમણે પોતાના ગામમાં આલીશાન બંગલો બનાવવા ઉપરાંત કેનેડામાં 5 રૂમનું ઘર પણ ખરીદ્યું હતું. (તસવીર - સોશિયલ મીડિયા)

સિદ્ધુ મુસેવાલા પાસે એક થી એક વૈભવી ગાડીઓ હતી. તેની પાસે મર્સિડીઝ એએમજી 63, ટોયોટા ફોર્ચ્યુનર, જીપ, ઇસુઝુ ડી-મેક્સ, રેન્જ રોવર અને મસ્ટાંગ જેવી ગાડીઓ હતી, જેની કિંમત લગભગ 2.43 કરોડ હતી. તેમણે પોતાના ગામમાં આલીશાન બંગલો બનાવવા ઉપરાંત કેનેડામાં 5 રૂમનું ઘર પણ ખરીદ્યું હતું.

 2016માં થઈ હતી કરિયરની શરૂઆત - સિદ્ધુ મુસેવાલા ભારતીય ગાયક, રેપર અને અભિનેતા હતા. તેણે મુખ્યત્વે પંજાબી સંગીત અને ફિલ્મોમાં કામ કર્યું હતું. 2016માં તેમણે ગીતકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2019 માં તેણે 'વેગન' નામના યુગલ ગીત સાથે ગાયક તરીકે તેની સફર શરૂઆત કરી હતી. બાદમાં, તેણે મ્યુઝિક બેન્ડ બ્રાઉન બોયઝ સાથે હાથ મિલાવ્યો હતો. તેમણે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણા ગીતો ગાયા હતા. તેમના ઘણા ગીતોને લઈને વિવાદ પણ થયો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)

મુસેવાલા એક શો કરવા માટે લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. જ્યારે એક ગીત માટે તેની ફી લગભગ છ લાખ રૂપિયા હતી. ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ તેમની પાસે ઘણી બધી જ્વેલરી અને રોકડ પણ હતી. ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની પાસે 5 લાખ રૂપિયાની રોકડ, 5 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ, 18 લાખ રૂપિયાની જ્વેલરી અને જમીન સહિત 8 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એક રિપોર્ટ અનુસાર, ‘ધ લાસ્ટ રાઈડ’ ગીતના કેટલાક ભાગ એવા હતા કે જેને લઈને ઘણો વિવાદ થયો હતો.

 મુસેવાલા એક શો કરવા માટે લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. જ્યારે એક ગીત માટે તેની ફી લગભગ છ લાખ રૂપિયા હતી. ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ તેમની પાસે ઘણી બધી જ્વેલરી અને રોકડ પણ હતી. ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની પાસે 5 લાખ રૂપિયાની રોકડ, 5 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ, 18 લાખ રૂપિયાની જ્વેલરી અને જમીન સહિત 8 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એક રિપોર્ટ અનુસાર, 'ધ લાસ્ટ રાઈડ' ગીતના કેટલાક ભાગ એવા હતા કે જેને લઈને ઘણો વિવાદ થયો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)

 2016માં થઈ હતી કરિયરની શરૂઆત – સિદ્ધુ મુસેવાલા ભારતીય ગાયક, રેપર અને અભિનેતા હતા. તેણે મુખ્યત્વે પંજાબી સંગીત અને ફિલ્મોમાં કામ કર્યું હતું. 2016માં તેમણે ગીતકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2019 માં તેણે ‘વેગન’ નામના યુગલ ગીત સાથે ગાયક તરીકે તેની સફર શરૂઆત કરી હતી. બાદમાં, તેણે મ્યુઝિક બેન્ડ બ્રાઉન બોયઝ સાથે હાથ મિલાવ્યો હતો. તેમણે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણા ગીતો ગાયા હતા. તેમના ઘણા ગીતોને લઈને વિવાદ પણ થયો હતો.

 સાચું નામ હતું શુભદીપ સિંહ સિદ્ધુ - 11 જૂને જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ પોતાની કારકિર્દીમાં સિદ્ધુ મુસેવાલા તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. તેના લાખો ચાહકો આ નામથી જ જાણતા હતા. મુસેવાલા તેના ગેંગસ્ટર રેપ માટે ખૂબ જ લોકપ્રિય હતા. તેની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. શાળા-કોલેજના સમયથી જ તેને સંગીતનો શોખ હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કેનેડા ગયા હતા. આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

 સાચું નામ હતું શુભદીપ સિંહ સિદ્ધુ – 11 જૂને જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ પોતાની કારકિર્દીમાં સિદ્ધુ મુસેવાલા તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. તેના લાખો ચાહકો આ નામથી જ જાણતા હતા. મુસેવાલા તેના ગેંગસ્ટર રેપ માટે ખૂબ જ લોકપ્રિય હતા. તેની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. શાળા-કોલેજના સમયથી જ તેને સંગીતનો શોખ હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કેનેડા ગયા હતા. આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો 

વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો : મહિલાના વેશમાં આવેલા શખ્સે આ કારણે કરી રહ્યો છે વિરોધ

  • વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો પર ફ્રાંસની રાજધાની પેરિસમાં એક દર્શકે હુમલો કરી દીધો છે.

દુનિયાનું સૌથી રહસ્યમય, મોંધુ અને ચર્ચિત તસ્વીર મોનાલિસા (Mona Lisa) પર ફ્રાંસની રાજધાની પેરિસમાં (Paris, the capital of France) એક દર્શકે હુમલો કરી દીધો છે. હુમલાખોરે આ પેટીંગને પહેલા કેકથી લીપી નાખ્યું અને ત્યાર બાદ આ તસ્વીરને સુરક્ષિત રાખવા માટે લગાવેલા કાચ તોડવાની કોશિશ કરી હતી. આ અચાનક થયેલા હુમલામાં પેન્ટીંગને કોઈ નુકસાન થયું નથી. કહેવાય છે એ કે પર્યાવરણના નામ પર પબ્લિસિટી સ્ટંટ કરવા માટે આરોપીએ આ હુમલો કર્યો હતો.

આરોપીની ઓળખાણ થઈ શકી નથી :

પેરિસની ફરિયાદીની ઓફિસે જણાવ્યું હતું કે, સોમવારે એક 36 વર્ષિય વ્યક્તિને રવિવારે થયેલી આ ઘટનામાં ધરપકડ કરવામાં આવ્યો છે. તેને પોલીસે મનોરોગ યુનિટ પાસે મોકલી દીધો છે. સાંસ્કૃતિક કલાકૃતિને નુકસાન પહોંચાડવાના આરોપમાં તપાસ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ વગ પહેરીને વ્હીલ ચેર પર બેસીને ત્યાં આવે છે અને તેના લિપસ્ટિક લગાવી રાખી છે.

લોકો ધરતીને બરબાદ કરવાની પ્રક્રિયામાં લાગેલા છે :

આરોપી વ્યક્તિએ મ્યૂઝિમયની ગેલરીમાં ગુલાના ફુલ પણ ફેંક્યા હતા. આરોપીની ઓળખાણ હજૂ સુધી થઈ શકી નથી. હુમલાખોર પહેલા પોતાની જાતને એક વૃદ્ધ મહિલા દેખાડવાની કોશિશ કરી અને બાદમાં અચાનક વ્હિલચેર પર ઉભો થઈ ગયો. ત્યાર બાદ તેણે મોનાલિસાની બુલેટપ્રુફ તસ્વીર પર હુમલો કરી દીધો. તેણે તસ્વીર પર કેક પણ લીપી નાખ્યો. હુમલાખોરનું કહેવુ છે કે, તે પર્યાવરણ કાર્યકર્તા છે અને વિરોધ સ્વરૂપે તેણે આવું કામ કર્યું હતું.

અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે :

વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો બાદ હુમલાખોરે કહ્યું કે, ધરતી વિશે વિચારો. લોકો આ ધરતીને બરબાદ કરવા બેઠા છે. કલાકાર ધરતી વિશે વિચારે છે અને તેના કારણે જ મેં આવું કર્યું. ધરતી વિશે વિચારો. આપને જણાવી દઈએ કે, આ પેન્ટીંગ લગભગ 500 વર્ષ પહેલા ખ્યાતનામ પેન્ટર લિઓનાર્દો દ વિન્ચીએ બનાવ્યું હતું. વિન્ચીએ આ પેન્ટીંગ વર્ષ 1503માં બનાવાનું શરૂ કર્યું અને 14 વર્ષ બાદ પેન્ટીંગ બનીને તૈયાર થયું હતું. આ અગાઉ પણ મોનાલિસાની પેન્ટીંગ પર હુમલા થઈ ચુક્યા છે. એટલું જ નહીીં 1911માં તો આ પેન્ટીંગ એક કર્માચારી દ્વારા ચોરી પણ થઈ ગયું હતું.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો