Home Blog Page 1432

કોના પૈસે તાગડધિન્ના ? જીટીયુના કુલપતિ સ્ટાફને બે વખત ફિલ્મ બતાવવા લઈ ગયા, 70 હજારનો ધુમાડો કોણે કર્યો ?

0

Whose money is it Chancellor of GTU

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (Gujarat University of Technology) એક યા બીજા કારણસર સતત મીડિયામાં ચમકતી રહે છે. એમાંય વળી, તાજેતરમાં તો જીટીયુના કુલપતિએ (Chancellor of GTU) હદ વટાવી દીધી હોય એવી હકીકત પ્રકાશમાં આવી છે. વિદ્યા અને શિક્ષાના પાઠ ભણાવવાનું કાર્ય કરતી યુનિવર્સિટીના સત્તાધીશોને ચાલુ ફરજ દરમિયાન જ કર્મચારીઓને ફિલ્મ જોવા લઈ જવાનો ચસકો લાગ્યો હોય એવું દેખાઇ રહ્યું છે.

એક વખત નહીં, બલકે છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ફિલ્મ જોવા લઈ ગયા હતા. ત્યાં સુધી કે આ ફિલ્મની ટિકિટનાં પૂરેપૂરાં નાણાં પણ કર્મચારીઓએ કાઢ્યા ન હતા અને તેમને ટિકિટની રકમમાં જીટીયુ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ ડિસ્કાઉન્ટ 5-10 રૂપિયા નહીં, બલકે તગડું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ડિસ્કાઉન્ટનાં નાણાં ચૂકવ્યાં કોને ? એ તપાસનો વિષય છે.

જો આ વધારાનાં નાણાં યુનિવર્સિટીએ પણ ભોગવ્યા હોય તો એવું તો શું રહી જતું હતું કે યુનિવર્સિટી દ્વારા ફિલ્મ જોવા માટે પોતાના પૈસે કર્મચારીઓને ફિલ્મ બતાવી હતી. આ ડિસ્કાઉન્ટની રકમ પણ જોઈએ તો 5-10 હજાર નહીં, બલકે અંદાજે 70 હજાર થતી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે યુનિવર્સિટીના કુલપતિ તરફથી કર્મચારીઓને ટિકિટ પેટે આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ સ્પોન્સરરે આપ્યું હોવાનું જણાવ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સ્પોન્સરર છે કોણ ? તેણે કેમ આપ્યું હશે ડિસ્કાઉન્ટ ?

જીટીયુને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી તમામ ક્ષેત્રે આગળ હોવાનું વારંવાર રટણ કરવામાં આવે છે, ત્યારે પોતાના સ્ટાફને ફિલ્મો બતાવવામાં પણ આગળ હોવાનું સાબિત કરી દીધું હોય એમ લાગી રહ્યું છે. કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન ફિલ્મો જોવા જતા હોવાને કારણે યુનિવર્સિટીમાં કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને ધરમધક્કા પડી રહ્યા છે.

એક નહીં બે-બે વાર ફિલ્મ જોવા લઈ ગયા :

નૈતિકતા અને સમાજસેવાની સુફિયાણી વાતો કરતા જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે અગાઉ માર્ચ મહિનામાં તેમના ટવિટ્રર એકાઉન્ટ પરથી કાશ્મીર ફાઇલ્સ ટેક્સ ફ્રી કરવાની અપીલ કરી હતી . ત્યાર બાદ જીટીયુના તમામ કર્મચારીઓ, એટલે કે લગભગ 300 જેટલા કર્મચારીઓને જોવા લઈ ગયા હતા. એમાં કર્મચારીઓ પાસેથી ટિકિટ પેટે 50 રૂપિયાનું ઉઘરાણું કરીને બાકીનાં નાણાં જીટીયુએ ભોગવ્યા હતા.

જીટીયુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

એટલું જ નહીં, વળી પાછા આ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા દરેક કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન જ લઈ ગયા હતા. વાત આટલેથી અટકતી નથી. ત્યાં વળી સોમવારે 30મી મેના રોજ પાછા જીટીયુના કુલપતિ તેમની ગુડબુકમાં આવતા 100 કર્મચારીને ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી જોવા લઈ ગયા હતા, એ પણ ચાલુ ફરજ દરમિયાન જ બતાવી હતી.

65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો :

આમ, છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળામાં જ ફરી એકવાર યુનિવર્સિટી કોના પૈસે તાડગધિન્ના કરાવી રહી છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. માર્કેટ રેટ પ્રમાણે પીવીઆર સિનેમાની ટિકિટના 150 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. કાશ્મીર ફાઇલ્સ મૂવીનું 300 કર્મચારીનું 15,000 અને‌ નાયકા દેવી ફિલ્મ વખતે 100 કર્મચારી પાસેથી 8 હજારનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે કર્મચારીઓને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટની રકમ જોઈએ તો આ બે ફિલ્મમાં અનુક્રમે 50,000થી વધુ અને‌ 15,000 મળીને અંદાજિત 65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ પ્રકારના તાયફા યોજીને સરકારી નાણાંનો વ્યય તેમજ કચેરી સમય દરમિયાન આ પ્રવૃત્તિનું આયોજન કરવાને કારણે યુનિવર્સિટીના કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ધક્કા ખાવાનો વારો આવે છે.

યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર બીઓજી મેમ્બરના અંગત હોવાને‌ કારણે દરખાસ્ત સ્વીકારાતી હોવાની ચર્ચા થઈ રહી છે.

સગાવાદને કારણે દરખાસ્ત સ્વિકારાઈ ?

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર આકાશ ગોહિલ બોર્ડ ઓફ ગવર્નન્સ ( બીઓજી ) મેમ્બરના અંગત હોવાને‌ કારણે કુલપતિ તથા રજિસ્ટ્રાર તેમની દરખાસ્ત સ્વીકારી લેતા હોવાનું યુનિવર્સિટીમાં ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય કે ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈપણ સરકારી સંસ્થા કચેરીના સમય દરમિયાન કરી શકે છે ?

Whose money is it Chancellor of GTU

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે ? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક

0

girl caught with Bharatsinh Solanki

  • પતિ, પત્ની ઔર વો….! મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે.

ગઈ કાલે સવારે કોંગ્રેસના દિગ્ગજ (Congress veterans) નેતા ભરતસિંહ સોલંકીની (Bharatsinh Solanki) રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ (Wife Reshma Patel) જ્યારે ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશે ત્યારે ભરતસિંહ તેમની પત્નીને દરવાજા પર અટકાવે છે તે જ સમયે એક યુવતી જોવા મળે છે. ત્યારે ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે.

પતિ, પત્ની ઔર વો….! મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે. પરંતુ રેશમા પટેલ ભરતસિંહ સોલંકીને મનાવવા આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેશમા પટેલ ઘરમાં પ્રવેશે છે ત્યાં જ ભરતસિંહ સોંલકી અન્ય યુવતી સાથે પકડાયા હતા.

ત્યારે જે યુવતી સાથે ભરતસિંહ પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે. ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા તે યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસ નેતાની ભાણી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ જ આ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.

તો બીજી તરફ રેશ્મા પટેલે વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે બની હોવાની વાત રેશ્મા પટેલ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મારા પતિને ઘણા વખતથી હું શોધતી હતી. પણ ગઇકાલે આણંદ વિદ્યાનગર રોડ પર એક યુવતી સાથે તેમને આઇસ્ક્રીમ ખાતા જોયા હતા.

ત્યારબાદ મેં તમને ફોલો કર્યા અને આશ્રય બંગલો ખાતે પહોંચી ગઈ. જ્યાં એક અજાણી યુવતી સાથે બંગલામાં રંગરેલિયા માનવતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ત્યાં ભરતસિંહને મનાવવા ગઈ હતી. પરંતુ અહીં મેં ચિત્ર કંઈક અલગ જ જોયું હતું. હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું…

girl caught with Bharatsinh Solanki

ખૂબ ઓછા રોકાણ સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બંપર કમાણી

0

Start this business sitting at home

  •  જો તમને અભ્યાસમાં રસ છે. જો તમારી પાસે કોઈપણ વિષય પર સારી કમાન્ડ હોય તો તમે ઑનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. એકવાર આ ક્લાસ શરૂ થયા પછી તમારી કમાણી વધશે. તમે બેંક, SSC થી સિવિલ સર્વિસ સુધીની તૈયારી માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી શકો છો.

કોરોના મહામારી બાદના આ યુગમાં, જો તમારી વધારાની કમાણી (Extra earnings) કરવાની ઈચ્છા હોય, તો અમે તમને ઘરે બેસીને કેટલાક એવા બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જ્યાં તમે સારી કમાણી કરી શકો છો. આ એવા બિઝનેસ છે, જેમાં વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે અને તમારી આવક પણ સારી થશે.

જો તમને અભ્યાસમાં રસ છે. જો તમારી પાસે કોઈપણ વિષય પર સારી કમાન્ડ હોય તો તમે ઑનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. એકવાર આ ક્લાસ શરૂ થયા પછી તમારી કમાણી વધશે. તમે બેંક, SSC થી સિવિલ સર્વિસ સુધીની તૈયારી માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી શકો છો. આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે ઓનલાઈન શિક્ષકોની પણ સારી માંગ છે. આવા ઘણા પ્લેટફોર્મ છે જે ઓનલાઈન કોર્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે તેમાં વધારે રોકાણની જરૂર નથી.

તમે YouTube ચેનલ દ્વારા પણ સારા પૈસા કમાઈ શકો છો. જો તમે કેમેરા ફ્રેન્ડલી છો અને તમારી પાસે જરૂરી ઉપકરણો છે તો તમે વીડિયો બનાવીને સારા પૈસા કમાઈ શકો છો. આ માટે, તમારે યુટ્યુબ પર એક ચેનલ બનાવવી પડશે અને પછી તેના પર વીડિયોઝ અપલોડ કરવા પડશે. દેશમાં ઘણી એવી ચેનલો છે જે ઘરે બેઠા જ મોટી કમાણી કરી રહી છે. તમારા વીડિયો જેટલા વધુ જોવામાં આવશે, તેટલી જ વધુ કમાણી કરશો.

જો તમને લખવાનો શોખ છે, તો તમે બ્લોગિંગ દ્વારા પણ સારી કમાણી કરી શકો છો. જો તમે મોટા પાયે બ્લોગિંગ કરવા માંગો છો, તો તમે તમારી પોતાની વેબસાઇટ બનાવી શકો છો. તેના પ્રમોશન માટે પણ ઘણા પ્લેટફોર્મ છે. જેમાં થોડા મહિનામાં કમાણી શરૂ થઈ જશે. તમે જે વિષય પર બ્લોગ લખવા માંગો છો તેના પર તમારી સારી પકડ હોવી જોઈએ. જલદી તમારો બ્લોગ વાંચનારા લોકોની સંખ્યા વધવા લાગે છે, તમે તમારા બ્લોગ પર જાહેરાત કરીને સારા પૈસા કમાઈ શકો છો.

જો તમે કપડાં, પગરખાં, ખાદ્યપદાર્થો અથવા અન્ય કોઈપણ વસ્તુ વેચવાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, પરંતુ દરરોજ દુકાનમાં બેસવું પસંદ નથી, તો તમે આ માટે ઑનલાઇન શોપિંગ વેબસાઇટ્સની મદદ લઈ શકો છો. આ માટે, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ અને અન્ય ઘણા ઓનલાઈન શોપિંગ પોર્ટલ મદદરૂપ સાબિત થઈ શકે છે, જ્યાં તમે તમારા સામાનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને વેચાણ કરી શકો છો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Start this business sitting at home

પાટિલની હાજરીમાં આજે ‘પટેલ’ વિજય મૂહર્તમાં કરશે કેસરિયો, શ્વેતા બહ્મભટ્ટ 11 વાગ્યે જોડાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

0

Shweta Bahmbhatt will join Gujarat Guardian

પાટીદાર યુવા નેતા (Patidar youth leader) હાર્દિક પટેલ (Hardik Patel) અને યુવા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt) આજે વિધિવત ભાજપમાં જોડાશે. આજે સવારે 11 વાગ્યે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (BJP office Kamalam) ખાતે સીઆર પાટીલની (CR Patil) હાજરીમાં બંને કેસરિયા કરશે. તો ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ પૂજાવિધિ પણ કરશે. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ (Durgapath) કરશે, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કરશે. હાર્દિકનાં ભાજપમાં જોડાવવાથી ભાજપનાં કેટલાક નેતાઓ તેમજ કાર્યકરો નારાજ હોવાની વાત વહેતી હતી છે પણ હજુ સુધી કોઈ મીડિયા સામે આવીને નારાજગી દર્શાવી નથી.

નોંધનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હતા અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation from Congress) આપી ચૂક્યા છે. તો શ્વેતા બ્રહ્મભટ્ટે થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે પોતાના સમર્થકો સાથે બંને ભાજપનો ખેસ ધારણ કરશે.

નોંધનીય છે કે, શ્વેવા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2000થી 2005 સુધી કોંગ્રેસના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહ્યા હતા.

મહત્વનું છે કે, હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના વિધિવત ભાજપમાં જોડાવવાને લઈને મહત્વના સમાચાર છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક  જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદલાવ થયો છે.

Shweta Bahmbhatt will join Gujarat Guardian

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

દરવાજે ઊભી હતી જાન, પરંતુ એવું તો શું થયું કે કન્યાપક્ષે લગ્ન કરવાની પાડી દીધી ના ?

0
  • bride refused to get married ?
  •  કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત અને પોલીસ સુધી પહોંચી

દુલ્હનના (Bride) હાથ પર મહેંદી રચાઇ હતી અને જાન દરવાજા પર ઊભી હતી. વરરાજા પણ સાફો બાંધીને દરવાજા સુધી પહોંચી ગયા હતા. લગ્નની વિધિ (Wedding ceremony) શરૂ થઈ ગઇ હતી. ત્યારે કંઈક એવું થયું કે અચાનક કન્યા પક્ષે લગ્ન (Marriage)કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ પરિવારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મામલો પૂર્ણિયાના (purnia) શ્રીનગર પોલીસ સ્ટેશન હેઠળની જગેલીનો છે.

ભાગલપુર જિલ્લાના પીરપંથી બ્લોકના ગોવિંદપુરના રહેવાસી રામજી શાહના પુત્ર અમિત કુમારના સોમવારે રાત્રે અહીં લગ્ન (Marriage) થવાના હતા. જાન ટેકન સાહના દરવાજે આવી પહોંચી હતી. પરંતુ અચાનક છોકરી પક્ષે કહ્યું કે આ લગ્ન નહીં (girl refused to marry) થાય. આ સાંભળીને વરપક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા. કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત સુધી પહોંચી, પંચાયત આખી રાત ચાલી પરંતુ કન્યા પક્ષના લોકો ટસના મસ થયા નહીં.

પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો મામલો :

મંગળવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો જાણવા મળ્યું કે છોકરાના લગ્ન થઈ ચૂક્યા છે અને આ તેના બીજા લગ્ન છે. વરપક્ષ આ હકીકત છુપાવીને છોકરાને બીજીવાર પરણાવી રહ્યા હતા. વરરાજા કહે છે કે તેઓએ કંઈપણ છુપાવ્યું નથી. પરંતુ 6 મહિના પહેલા તેમના પુત્રને બળજબરીથી પકડીને તેના લગ્ન કરવામાં આવ્યા હતા. બાદમાં પંચાયત યોજાઇ હતી. જેમાં લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી લગ્ન નક્કી કરીને જાન જગેલી ખાતે લઈ જવામાં આવી હતી.

જાનૈયાઓની કરાઇ સંપૂર્ણ મહેમાનગતિ

ગામના મુખિયા મો. આઝાદ હુસેને જણાવ્યું હતું કે તેમણે બંને પક્ષો સાથે વાત કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ દરમિયાન કન્યાપક્ષના દ્વારે આવેલા તમામ જાનૈયાઓને આદરપૂર્વક ખવડાવી પીવડાવી વિદાય આપવામાં આવી હતી. રાત્રે લગ્ન બંધ રહ્યા હતા. પરંતુ બંને પક્ષ સાથે વાતચીત બાદ નક્કી થયું કે, હવે યુવતી બુધવારે તે જ છોકરા સાથે લગ્ન કરશે. જાન તો જતી રહી પણ વરરાજા અને તેના પરિવારને રોકવામાં આવ્યા અને બાદમાં બંને પક્ષે લગ્ન માટે સહમતિ દર્શાવી હતી.

વરરાજાના બીજા લગ્ન માત્ર અફવા !

આ સમગ્ર ઘટના દરમિયાન એક એવી પણ વાત સામે આવી છે કે, અમુક દલાલો વરપક્ષ પાસેથી 20000 રૂપિયા વસુલવા માંગતા હતા. જ્યારે તેમને રૂપિયા ન આપ્યા તો તેમણે છોકરાના બીજા લગ્નની અફવા ફેલાવી દીધી. જ્યારે આ વાત કન્યાપક્ષ સુધી પહોંચી તો તેમણે લગ્ન માટે ના પાડી દીધી. જોકે, સત્ય બહાર આવતા બંને પક્ષો લગ્ન માટે તૈયાર થઇ ગયા છે. પોલીસ સ્ટેશનના પ્રભારી કુંદન કુમારે જણાવ્યું કે લગ્નના કોઈ જાનૈયાને બંધક બનાવવામાં આવ્યા નથી. તેનાથી ઉલટું કન્યા પક્ષે આરોપ લગાવ્યો છે કે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને તેની પુત્રીના લગ્ન પરિણીત છોકરા સાથે કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

bride refused to get married ?

ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન, જાણો પેનની વિશેષતાઓ

0

Two and a half lakh expensive pens

  • ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન જેની વિશેષતા એ છે કે, ગુજરાતમાં અઢી લાખની કીમતી મોંઘેરી પેન તો બને જ છે સાથે અયોધ્યામાં નિર્માણ પામનાર 350 મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની પ્રતિમાની આબેહૂબ કૃતિ સમક્ષ પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે.

આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે. ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્યના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી (Work professionally) જોડાયેલા છે. ગુજરાતમાં અહીં એટલે કે જામનગરમાં (fountain pen selling in Jamnagar) અઢી લાખથી વધુ કીમતી મોંઘેરી અવનવી ફાઉન્ટન પેન (fountain pen) બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે. ગુજરાતમાં અહીં બને અઢી લાખની મોંઘીદાટ પેનની માંગ ભારતમાં જ નહિ વિદેશમાં દેશમાં પણ છે।

જામનગરના ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરાના વંશજો હિરેનભાઈ કનખરા, હાર્દિકભાઈ કનખરા, કૃણાલભાઈ કનખરા અને ધરમભાઈ કનખરા દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયામાં રાજકારણનો શિકાર બન્યા આ 2 ખેલાડી ? ક્રિકેટ કારકિર્દી લાંબો સમય ટકી ન હતી

0

These 2 players became victims of politics

  •  ટીમ ઈન્ડિયા : ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવું એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે, પરંતુ એવા ઓછા નસીબદાર ખેલાડીઓ હોય છે જે પોતાના દેશ માટે લાંબુ રમી શકે. ભારતીય ટિમનાં આ બે ખેલાડી બન્યાં રાજકારણનો શિકાર.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) માટે રમવું એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે, પરંતુ એવા કેટલાક નસીબદાર ખેલાડીઓ છે જે પોતાના દેશ માટે લાંબુ રમી શકે છે. ભારતીય ટિમનાં આ બે ખેલાડી રાજકારણનો શિકાર બન્યાં. (The victim of politics) અને આ ખેલાડીઓ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યા નથી. ચાલો તે 2 ક્રિકેટરો પર એક નજર કરીએ :

1. અંબાતી રાયડુ :

ભારતનો શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુ ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર બેટિંગ કરવાનો પ્રબળ દાવેદાર હતો. 2019ના વર્લ્ડ કપમાં અચાનક આ ખેલાડીને પસંદગીકારોએ ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ પછી અંબાતી રાયડુએ આ નિર્ણયનો વિરોધ કરતા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ICC વર્લ્ડ કપ 2019 દરમિયાન, ટીમ ઈન્ડિયામાં અંબાતી રાયડુના સ્થાને વિજય શંકર સહિત, મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદે કહ્યું હતું કે વિજય શંકર ટીમને 3D વિકલ્પ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) પ્રદાન કરશે. આ નિવેદન બાદ અંબાતી રાયડુએ પસંદગીકારો પર કટાક્ષ કર્યો અને લખ્યું, ‘મેં વર્લ્ડ કપ જોવા માટે 3D ચશ્માની જોડી મંગાવી છે.’ આ પછી વિજય શંકર અને શિખર ધવન ઈજાગ્રસ્ત હોવા છતાં અંબાતી રાયડુને ટીમમાં તક મળી ન હતી.

2. કરુણ નાયર :

ભારતીય ટીમના બેટ્સમેન કરુણ નાયરે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી. આ પહેલા વીરેન્દ્ર સેહવાગ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન આવો રેકોર્ડ બનાવી શક્યો ન હતો. આ ત્રેવડી સદી પછી જ કરુણ નાયરની કારકિર્દીનું કાઉન્ટડાઉન શરૂ થયું. કરુણ નાયર છેલ્લે વર્ષ 2017માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. કરુણ નાયરે ભારતીય ટીમના તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પર મોટા આરોપો લગાવ્યા હતા. કરુણ નાયરે કહ્યું હતું કે ન તો કોચ, ન તો કેપ્ટન કે ન તો પસંદગીકારોએ મને કહ્યું કે હું શા માટે ટીમમાંથી બહાર છું. મારી સાથે કોઈએ વાત કરી નહીં.

These 2 players became victims of politics

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે આ દિવસ પર આ રાશિઓના ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ.

Gujarat Guardian 2 June RashiFal :

મેષઃ
આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ
દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબૂ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકૂળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન ટી.વી. તેમજ કો્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ
ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધન સ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ
દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

Gujarat Guardian 2 June RashiFal :

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

HDFC બૅન્કની ભૂલથી ખાતામાં જમા થઈ ગયાં 1300 કરોડ ! જાણો પછી શું થયું

0
  • HDFC બૅન્કની એક ભૂલને લીધી પોતાનાં 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Rupee transfer) કરી દીધા હતા. આટલી મોટી રકમના ગ્રાહકોને મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠયા અને ખુશી મનાવા લાગ્યા. પરંતુ આ ખુશીનો માહોલ બસ થોડા સમય માટે જ રહ્યો હતો.

તમિલનાડુમાં (Tamil Nadu) આવેલ HDFC બૅન્કની એક ભૂલને લીધી પોતાનાં 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Rupee transfer) કરી દીધા હતા. દરેક ગ્રાહકોના ખાતામાં 13-13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ગ્રાહક પાસે જે લિન્ક મોબાઈલ નંબર હતો તેમાં મેસેજ આવતા લોકોની ખુશી સમાઈ ન હતી તેમને લાગ્યું કે આપણને આજે લોટરી લાગી ગઈ છે. પરંતુ જ્યારે તેમણે પોતાના બેન્ક ખાતામાં બેલેન્સ ચેક કર્યું તો તેમની એ ખુશી તરત હવા થઈ ગઈ હતી. દેશની બીજી સૌથી મોટી બેન્કનું આ કારસ્તાન જોત જોતમાં જ વાઇરલ થઈ ગયું છે.

100 લોકોના ખાતામાં આવ્યા 1300 કરોડ :

આ મામલો તમિલનાડુના ટી નગરમાં આવેલી hdfc બેન્કની બ્રાન્ચનો છે. 100 ગ્રાહકોને રવિવારે પોતાના રજીસ્ટર નંબર પર મસેજ આવે છે. જેમાં જણાવ્યું હોય છે કે ગ્રાહકના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ પ્રકારના મેસેજ બીજા લોકોને પણ મળ્યા હતા. કુલ મળીને અંદાજિત 100 લોકોને મેસેજ મળ્યા હતા એટલે કે બેન્કે 1300 કરોડ રૂપિયા ગ્રાહકોને ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે એક વ્યક્તિએ ગભરાઈને પોલીસમાં જાણ કરી. જ્યારે પોલીસે બેન્કમાં તપાસ કરી ત્યારે બધી જાણકારી મળી હતી.

પોલીસે કરી સમગ્ર મામલાની તપાસ :

પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે બેન્ક અધિકારીએ જણાવ્યું કે કોઈ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી આ મેસેજ ખાતાધારકોને તેમના મોબાઈલમાં મોકલાઈ ગયા છે. એમણે કહ્યું હતું કે hdfc બ્રાન્ચમાં સોફટવેર ઇન્સ્ટોલની પ્રક્રિયા ચાલુ હતી જેમાં કોઈ ભૂલ થતાં મેસેજ સેન્ડ થઈ ગયા હતા.

પૈસા નહીં ફક્ત મેસેજ મળ્યા ::

રિપોર્ટમાં hdfc ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાય હતી. કોઈએ બેન્ક સિસ્ટમ હેક નથી કરી કે કોઈપણ ગ્રાહકના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં નથી આવ્યા. ફક્ત ગ્રાહકોના મોબાઈલમાં ભૂલથી મેસેજ જતો રહ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘોઘાથી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું, ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં ત્રણ ટ્રીપ કરશે

0

ઘોઘા-હજીરા (Ghogha-hajira) વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં (Row-Pax Ferry Service) રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું હતું . આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના (Bhavnagar) વિકાસના દ્વાર પણ ખુલશે.

મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે :।

ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે આજે રો રો રો પેક્સ સર્વિસ હાલ ચાલે છે તેના કરતા ડબલ કેપેસિટી વાળી અને એકદમ ઝડપી રો પેક્સ સર્વિસ શરૂ કરવા માટે હજીરા ખાતે આ અંગેનું વેસલ પણ આવી ગયું છે આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવી પોહચ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગના વિકસ માટે પ્રોત્સાહન :

આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગ અને વિકસાવવા માટે અપાઇ રહેલા પ્રોત્સાહન ના ભાગરૂપે પ્રથમ ઘોઘા થી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા તમે અને હવે ઘોઘા થી હજીરા થઈ મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે.

115 કરોડનું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમને કારણે ઝડપી :

ઘોઘા હજીરા વચ્ચે આજે જહાજ ચાલી રહ્યું છે તેને બદલે નવું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલુ નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે રો-રો ફેરી સર્વિસના ચેતન ભાઈ કોન્ટ્રાક્ટર કે એ એક વાતચીતમાં જણાવ્યું હતું કે નવું જહાજ ઘોઘાથી હજીરા માત્ર બે કલાકમાં પહોંચશે આ ઉપરાંત અન્ય પ્રોસિજર ના અડધો કલાક ગણીએ તો ઘોઘા થી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે.

આ જહાજ બે મહિના બાદ મુંબઈથી હજીરા આવ્યું :

આ ઉપરાંત આ જહાજ દિવસમાં ત્રણ વખત આવન-જાવન કરશે પરિણામે ફિકવન્સી વધવાથી લોકોને પણ અનુકૂળતા રહેશે અંદાજે 115 કરોડ રૂપિયાના આ જહાજમાં 70 ટ્રક 700 પેસેન્જર 125 ગાડી સહિતની કેપેસિટી હાલના ચાર્જ કરતાં જહાજ કરતા બમણી થઈ જશે એટલે વધારે લોકો લાભ લઈ શકશે અને ઝડપી સુવિધા પણ આપી શકીશું. આ જહાજ બે મહિનાથી મુંબઈ હતું તે હાલમાં હજીરા ખાતે આવી પહોંચ્યું છે જહાજ અત્યંત આધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જન હશે.

ઝડપી જહાજ અને હાઈવેના નવા રસ્તાથી ભાવનગર વિકાસની હરણફાળે : માંડવિયા 

આગામી સમયમાં ભાવનગર અને હજીરા તથા ભાવનગર અને મુંબઈ વચ્ચે અત્યારે જે ફેરી ચાલી રહી છે તેના કરતાં અત્યાધુનિક અને ડબલ ઝડપી અને વધુ કેપેસીટીવાળી રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. આ માટેની રો-પેક્ષ ફેરી હજીરા પોર્ટ ખાતે આવી પણ ગઇ છે. ભાવનગરને 300 વર્ષ પુરાં થવાં જઇ રહ્યાં છે ત્યારે તે માટેની ઉજવણી પણ શાનદાર થવી જોઇએ તેમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગરમાં જણાવ્યુ હતું.

ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ : માંડવિયા 

તેમણે જણાવ્યુ હતુ કે વિકાસ વધુ વેગવાન બને તે માટે ભાવનગર થી ધોલેરા સીક્સ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશનો માલસામાન લઈ જતાં કન્ટેનર પર ભાવનગર લખેલું હોય અને મેડ ઈન ઈન્ડિયા લખેલું જહાજ આખી દુનિયામાં આ કન્ટેઇનરને માલસમાન લઇને ફરે અને વિશ્વનો કોઈપણ વ્યક્તિ વાંચે તો તેને ખબર પડે કે આ ભાવનગરમાં નિર્માણ થયેલું કન્ટેનર છે તેઓ વિકાસ આપણે કરવો છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો