Home Blog Page 1428

વાહ ! દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફતમાં અપાશે, આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી દીધી જાહેરાત, જાણો કારણ

year 3 gas cylinders will be provided

  • વધતી મોંઘવારીની વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે દરેક ઘર એટલેકે દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં કર્યો છે. ત્યારબાદ હવે લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગોવા સરકારે (Government of Goa) કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી. જેમકે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં (Election Manifesto) વચન આપ્યું હતુ. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી.
મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત :
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી જણાવ્યું કે કેબિનેટે નવા નાણાંકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન અનુસાર ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતુ કે જો ભાજપ સત્તામાં આવે છે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષમાં ત્રણ એલપીજી સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે.
સીએમ પ્રમોદ સાવંતે વિપક્ષને આપ્યો જવાબ :

 

ત્યારબાદ ગોવા સીએમ પ્રમોદ સાવંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આયર્ન અને ખાણકામને ફરીથી શરૂ કરવા અને રોજગાર સર્જન હાલના કાર્યકાળ દરમ્યાન તેની પ્રાથમિકતા રહી છે. વિરોધીઓ દ્વારા તેમને આકસ્મિક મુખ્યમંત્રી બતાવતા સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે, તેમને પસંદ કરવામાં આવ્યાં નથી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

year 3 gas cylinders will be provided

એક વખત બનાવી નાખો આ શિકંજી મસાલો અને આખો ઉનાળો કરી શકશો સ્ટોર, જાણો રીત

0

This shikanji masala and all summer

ગરમીમાં શરીરમાં પાણીની કમી ના થાય તેથી શિકંજીનુ સેવન ફાયદાકારક (Intake beneficial) માનવામાં આવે છે. આ તમને લૂથી બચાવે છે. આ સાથે પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે. પાણીની તરસ બુઝાવવાની સાથે શરીરમાંથી ટૉક્સિક પદાર્થોને (Toxic substances) બહાર નિકાળવા અને વેટ લૉસમાં પણ મદદરૂપ છે.

મોટાભાગના લોકો શિકંજી બનાવવા માટે માર્કેટમાં મળતા જલજીરા પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો ઘરમાં શુદ્ધ જલજીરા પાઉડર બનાવી શકો છો. માર્કેટમાં મળતા જલજીરા પાઉડરમાં પ્રિજર્વેટિવ હોય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો.

ઘરમાં ઈન્સ્ટન્ટ જલજીરા પાઉડર બનાવવાની સરળ રીત :

સામગ્રી :

ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ
શેકેલુ જીરૂ- 4 નાની ચમચી
સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી
કાળુ મીઠું- 1 નાની ચમચી
કાળુ મરચુ- 2 ચમચી
લીંબુનો રસ- બે નાની ચમચી
સફેદ મીઠુ- 1 નાની ચમચી
હીંગ- બે ચપટી
મોટી ઈલાયચી- 4

બનાવવાની રીત  :

જલજીરા પાઉડર બનાવવા માટે એક મિક્સી જાર લો. તેમાં શેકેલુ જીરું, મોટી ઈલાયચી, કાળુ મરચુ અને બધી વસ્તુઓ નાખીને પીસી નાખો. બે મિનિટમાં જલજીરા પાઉડર તૈયાર થઇ જશે. તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં નાખીને પી શકો છો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

This shikanji masala and all summer

બેન્ક મેનેજર કેવી રીતે બની શકાય ? સરકારી નોકરી માટે આપવી પડશે આ પરીક્ષા

0

બેંકમાં વિવિધ પોસ્ટસ પર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. જો તમે બેંકમાં નોકરી (Bank Jobs) કરવા માંગતા હોવ તો તમારા માટે તેમની માહિતી હોવી જરૂરી છે.

દર વર્ષે લાખો યુવાનો સરકારી નોકરી (Sarkari Naukri) ઓ માટે બેંકની પરીક્ષા (Bank Jobs) આપે છે. આ માટે ધોરણ 12 થી તૈયારી શરૂ કરી શકાય છે, પરંતુ પરીક્ષામાં બેસવાની તક ગ્રેજ્યુએશન પછી જ મળી શકે છે. સરકારી બેંકમાં નોકરી મેળવવી થોડી મુશ્કેલ છે. અહીં સ્પર્ધાનું સ્તર અઘરું બને છે.

બેંકમાં વિવિધ પોસ્ટસ પર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. જો તમે બેંકમાં નોકરી (Bank Jobs) કરવા માંગતા હોવ તો તમારા માટે તેમની માહિતી હોવી જરૂરી છે. તેના કારણે તમે સમયસર તેમના માટે અરજી કરી શકશો અને સારી રીતે તૈયારી કરી શકશો. બેંક મેનેજર બનવા માટે કઈ પરીક્ષા (Bank PO પરીક્ષા) આપવી ફરજિયાત છે? તે અંગે અહી માહિતી અપાઈ છે.

બેંક મેનેજર માટે આવશ્યક લાયકાત :

બેંકમાં ઉચ્ચ સ્તરની પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. બેંક મેનેજરના પદ પર નોકરી મેળવવા માટે પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO પરીક્ષા પાસ કરવી જરૂરી છે. બેંક પીઓ પરીક્ષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન દ્વારા લેવામાં આવે છે.

SBI માટે એક અલગ પરીક્ષા હશે :

IBPS PO પરીક્ષા (IBPS PO Exam) ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. જેમાં પ્રી, મેઈન્સ અને ઇન્ટરવ્યૂ સામેલ છે. ત્રણેય તબક્કામાં પાસ થનાર ઉમેદવારોને જ નોકરી માટે પસંદ કરવામાં આવે છે. જો કે, ભારતીય સ્ટેટ બેંકમાં નોકરી મેળવવા માટે, એક અલગ પરીક્ષા લેવી પડે છે, જેનું આયોજન SBI દ્વારા કરવામાં આવે છે.

સરકારી બેંકમાં મેનેજર બનવાની પ્રક્રિયા થોડી અઘરી છે. સરકારી બેંકમાં મેનેજર બનવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. ખાનગી બેંક હોય કે સરકારી બેંક, કોઈપણ બેંકમાં ડાયરેક્ટ મેનેજર બનાવવામાં આવતા નથી. તેના બદલે પીઓ અથવા આસિસ્ટન્ટ મેનેજરને બેંક મેનેજર બનવા માટે બઢતી મળે છે.

IBPS પરીક્ષા દ્વારા PO પરીક્ષા માટે ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ અને OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળે છે. PWD (પર્સન વિથ ડિસેબિલિટીઝ) માટે 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે.

આ ચાવાળાને ચા બનાવતા જોઈ બે ઘડી લોકોના શ્વાસ થંભી જાય છે , ભાવનગરમાં જલ્સો પડી જાય છે…

0

Seeing this Chawla making tea

ભાવનગર શહેરના (Bhavnagar city) નારી ચોકડી પાસે આવેલી એક હોટલમાં ચા બનાવતો એક વ્યક્તિ પોતાના અલગ અંદાજ અને આવડતથી લોકોમાં આકર્ષણ જમાવી ચા સાથે મનોરંજન પણ પૂરું પાડી રહ્યો છે. પોતાના અલગ અંદાજમાં તે ઉકળતી ચા ની તપેલી ને સીધી હાથેથી પકડી સાથે કરાઓકે પર અવનવા જૂના ગીતો ગાતા ગાતા ચા બનાવે છે. એક હાથમાં માઈક અને બીજા હાથમાં ઉકળતી ચાની તપેલીમાથી (A cup of tea) ચા ઉછાળતી જોઈ લોકો તેને જોતા જ રહી જાય છે. ચાયવાલાની આ સ્ટાઈલને જોવા અને ચા પીવા દૂર દૂર થી લોકો અહીં આવતા હોય છે.

લોકો પોતાના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી કરતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ દિવસ દરમિયાન વારંવાર ચાનો આનંદ માણે છે. આજકાલ દરેક વ્યવસાયમાં સ્પર્ધા ઘણી વધી ગઈ છે, તેથી લોકો તેમના વ્યવસાયને પ્રમોટ કરવાનો પ્રયાસ કરે છે. અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ઘણા અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, અને જેમાં તેઓ સફળ પણ થાય છે. ભાવનગર શહેરની નારી ચોકડી પર આવેલી એક રેસ્ટોરન્ટમાં સંજીવ સિંહા નામનો વ્યક્તિ રાત્રે 10 વાગ્યાથી સવાર સુધી ચા વેચે છે. પણ તે એવા અંદાજમાં ચા બનાવે છે, જેને જોવા અને તેના હાથે બનેલી ચા પીવા લોકોની લાઈન લાગે છે.

મૂળ ઝારખંડ રાજ્યમાં જન્મેલા સંજીવ સિંહાએ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે, જે છેલ્લા 40 વર્ષથી ચા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે પોતાનો ચાનો વ્યવસાય વધારવા માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. જેમાં તેઓ ચા બનાવવા સાથે જૂની હિન્દી ફિલ્મોના ગીતો ગાઈ લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે. રાત્રે 10 વાગ્યે તેમનુ ચા બનાવવાનુ રુટિન શરૂ થઈ જાય છે. તેમના આગમન સાથે જ લોકોનો ધસારો પણ ધીમે ધીમે વધતો જાય છે, કારણ કે, જ્યારે ચા બનતી હોય ત્યારે તે ગરમ ચાની તપેલીને ચીપિયા કે અન્ય કોઈ વસ્તુ વગર નહિ, પરંતુ ગરમ તપેલીને હાથથી ઉપાડે છે.

No description available.

તેઓ જ્યારે સાણસીથી તપેલી પકડી ઉકળતી ચાને હવામાં ઉછાળે છે તો બે ઘડી લોકોના શ્વાસ થંભી જાય છે. સંજીવની આ સ્ટાઈલને જોવા માટે આખી રાત ગ્રાહકોની ભીડ જોવા મળે છે. અમુક લોકો તો સંજીવની ચા અને ગીતો સાંભળ્યા વિના રાત્રે સૂઈ શકતા નથી અને કલાક-બે કલાક અહીં આવીને ચા સાથે મનોરંજન માણે છે.

સંજીવને 1970 પછીની તમામ ફિલ્મોના ગીતો કંઠસ્થ છે. કરાઓકે એપ્લિકેશનથી પોતાના અવાજમાં ગીતો ગાઈ સંભળાવે છે અને લોકો તેને જોતા રહી જાય છે અને ચાની ચૂસકી લઈને રાતનો આનંદ માણે છે. સંજયના હાથે ગેસ પર ઉકળતી ચાની ગરમ તપેલી ઉંચી કરવી, ફરતી કરવી, ગરમ ચા હવામાં ઉછાળવી, આ બધા પરાક્રમો જોવા માટે ગ્રાહકો બીજે ક્યાંય ન જતાં, આજુબાજુમાં આવેલી ચાની દુકાનોમાં ગ્રાહકો જોવા નથી મળતા.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Seeing this Chawla making tea

વિદેશ જવાના અભરખા જોજો મોંઘા ન પડે !  6 ગુજરાતીઓ ફસાયા, થયું એવું કે જાણીને હચમચી જશો

The urge to go abroad is not expensive

એજન્ટની લોભામણી લાલચમાં આવીને દુબઇ જતા લોકો સાવધાન દુબઈના શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાયા છે.મહત્વનું છે કે, યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. જ્યાં હાલ 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે.

એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા યુવકો :

એજન્ટની લોભામણી લાલચમાં આવી વિદેશ જતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. દુબઇના શાહજહાંમાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે. દુબઇના શાહજહાંમાં 6 ગુજરાતીઓ ફસાયા છે. આ તમામ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા. જો કે રોજગારીના સપના લઈને દુબઈ ગયેલા 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે.

દુબઇમાં ફસાયેલા લોકોએ સરકાર પાસે માંગી મદદ :

આમ નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. દુબઇમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ યુએઈ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ વડોદરા અને આણંદના યુવકો દુબઈમાં ફસાતાં તેમના પરિવાર ચિંતિત થવા પામ્યા છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The urge to go abroad is not expensive

Samrat Prithviraj Box Office Collection: અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ની જાણો પહેલાં દિવસની કમાણી ?

Samrat Prithviraj Box Office Collection

બોલિવૂડના ‘ખિલાડી કુમાર‘ની (Akshay Kumar) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મના જબરદસ્ત પ્રમોશન અને ટેક્સ ફ્રી થયાપછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન જબરદસ્ત હશે, પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સ્થાનિક સિનેમાઘરોમાં હિન્દીમાં 3550 સ્ક્રીન્સ અને તમિલ અને તેલુગુમાં 200 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. અક્ષય આ ફિલ્મમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું પાત્ર ભજવી રહ્યો છે.

ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Chandraprakash Dwivedi) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ‘ (Samrat Prithviraj) તેના મેગા બજેટના કારણે ચર્ચામાં છે. 300 કરોડમાં બનેલી આ ફિલ્મ પહેલા દિવસે 15 કરોડની ઓપનિંગનો આંકડો પાર કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ આમ કરવામાં સફળ થઈ શકી નથી.

બચ્ચન પાંડેથી પણ ઓછુ રહ્યું કલેક્શન :

પ્રારંભિક અહેવાલો અનુસાર, સમ્રાટ પૃથ્વીરાજે તેના શરૂઆતના દિવસે 10.50 થી 11 કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ કરતા ઓછી છે. ફિલ્મના બજેટને જોતા તેનો શરૂઆતનો દિવસ ઘણો નિરાશાજનક માનવામાં આવે છે.

વિકેન્ડ પર થશે ઉત્તમ પ્રદર્શન- ફિલ્મ ‘બચ્ચન પાંડે’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ તેની માતૃભાષા હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ છે, જોકે હજુ શનિવાર અને રવિવારનો સમય છે, જ્યારે તેની કમાણી વધી શકે છે.

સંજય દત્તના વખાણ થઈ રહ્યા છે વખાણ :

300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં એક્શન સીન જબરદસ્ત છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિંહો સાથે લડતા જોવા મળે છે. આ સિંહો VFX થી બનાવવામાં આવ્યા નથી, પરંતુ વાસ્તવિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રૂ મેમ્બર્સ આ સીન માટે આફ્રિકા ગયા હતા અને ત્યાં પ્રશિક્ષિત સિંહો સાથે સીન શૂટ કર્યા હતા. સિંહોની ક્રિયા ક્રોમાની મદદથી શૂટ કરવામાં આવી હતી અને ક્રોમા દ્વારા મુંબઈમાં અક્ષય સાથે મેચ કરવામાં આવી હતી.

માનુષીએ તેની પ્રથમ ફિલ્મ મુજબ અભિનયથી લઈને અભિવ્યક્તિ સુધી દરેક બાબતમાં 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે. સંજય દત્તનો કેમિયો પ્રશંસનીય છે, સોનુ સૂદ, માનવ વિજ અને આશુતોષ રાણા તેમની ભૂમિકામાં જોવા મળ્યા છે.

ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન :

300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં એક્શન સીન જબરદસ્ત છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિંહ સાથે લડતા જોવા મળે છે. આ સિંહો VFX થી બનાવવામાં આવ્યા નથી, પરંતુ વાસ્તવિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રૂ મેમ્બર્સ આ સીન માટે આફ્રિકા ગયા હતા અને ત્યાં સાચા સિંહો સાથે સીન શૂટ કર્યા હતા. સિંહોની ક્રિયા ક્રોમાની મદદથી શૂટ કરવામાં આવી હતી અને ક્રોમા દ્વારા મુંબઈમાં અક્ષય સાથે મેચ કરવામાં આવ્યા હતાં.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Samrat Prithviraj Box Office Collection

વાહન કે મોબાઇલની ચોરી થાય તો પોલીસ સ્ટેશને ધક્કો ખાવાની જરૂર નહીં રહે, ગુજરાત સરકારે જુઓ શું કર્યો નિર્ણય

0

If a vehicle or mobile is stolen

જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની (Vehicle theft) ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા (Evidence of complaint) રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના (State Government) ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે.

વાહન-મોબાઇલ ચોરીની ફરિયાદ થઇ શકશે ઓનલાઇન :

If a vehicle or mobile is stolen

ઈંટરનેશનલ માર્કેટમાંથી ભારતીય ચા પાછી આવી, કહ્યું- તેમાં જંતુનાશક અને…

Indian tea returned

ભારતના ચા ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતીય ચામાં જંતુનાશક અને રસાયણોની વધારે માત્રા હોવાના કારણે ચાનો માલ ઈંટરનેશનલ માર્કેટમાંથી પાછો આવ્યો છે. ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશન (ITEA)ના પ્રમુખ અંશુમન કનોરિયાએ આ માહિતી આપી છે.

હકીકતમાં જોઈએ તો, શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે, ભારતીય ચા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો કારોબાર વધારવાની મોટી તક મળી હતી, પરંતુ મર્યાદાથી વધુ જંતુનાશકો અને રસાયણોના ઉપયોગથી મોટો ફટકો પડ્યો છે.

શિપમેન્ટમાં સતત ઘટાડો :

ટી બોર્ડ નિકાસને વેગ આપવા વિચારી રહ્યું છે. પરંતુ કન્સાઈનમેન્ટ પરત આવવાને કારણે શિપમેન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં વેચાતી તમામ ચાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના ધારાધોરણોને અનુરૂપ હોવા જોઈએ. જોકે, કનોરિયાએ જણાવ્યું હતું કે, મોટાભાગના ખરીદદારો એ જ ચા ખરીદે છે, જેમાં અસાધારણ રીતે વધારે કેમિકલ હોય છે.

EU નિયમો કડક :

2021માં ભારતે 195.90 મિલિયન કિલો ચાની નિકાસ કરી હતી. ભારતીય ચાના મુખ્ય ખરીદદારો કોમનવેલ્થ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) નેશન અને ઈરાન હતા. બોર્ડે આ વર્ષે 300 મિલિયન કિલો ચાની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કનોરિયાએ કહ્યું કે, ઘણા દેશો ચા માટે કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. મોટાભાગના દેશો યુરોપિયન યુનિયન (EU) ધોરણોનું પાલન કરે છે, જે FSSAI નિયમો કરતાં વધુ કડક છે.

નિયમો હળવા કરવાની માંગ :

તેમણે કહ્યું કે, કાયદાનું પાલન કરવાને બદલે, ઘણા લોકો સરકાર પાસેથી FSSAI ધોરણોમાં વધુ છૂટછાટની માંગ કરી રહ્યા છે. કનોરિયાએ કહ્યું કે, આ ખોટો સંકેત આપશે કારણ કે ચાને હેલ્થ ડ્રિંક ગણવામાં આવે છે. ટી બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું કે આ મુદ્દે ટી પેકર્સ અને નિકાસકારો તરફથી ફરિયાદો મળી છે. ભારતે 2021માં 5,246.89 કરોડ રૂપિયાની ચાની નિકાસ કરી હતી.

આના કારણે થતી મુશ્કેલી :

છેલ્લા કેટલાક વર્ષોમાં, આબોહવા પરિવર્તનને કારણે ચાના બગીચાઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ભારે વરસાદ અથવા લાંબા સમય સુધી દુષ્કાળને કારણે જીવાતોનું જોખમ વધી ગયું છે. અહેવાલો અનુસાર, ઘણીવાર જંતુનાશકનો ઉપયોગ સમાપ્ત થયા પછી જ પાંદડા તોડી લેવામાં આવે છે. તેનું કારણ એ છે કે ચાના પાંદડા પર જંતુનાશકના નિશાન રહે છે. સામાન્ય રીતે જંતુનાશક દવાનો છંટકાવ કર્યાના 10 થી 20 દિવસ પછી પાંદડા તોડી લેવામાં આવે છે. જો આનું પાલન ન કરવામાં આવે તો, તેઓ વધુ જંતુનાશકો ફેલાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Indian tea returned

મોસમનો બદલાશે મિજાજ ! ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

0

The mood of the season will change

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં (Rajasthan) આગામી 24 કલાક દરમિયાન ધોલપુર, કરૌલી, ચુરુ, હનુમાનગઢ, ગંગાનગર, જિલ્લામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

ઝારખંડમાં ભેજવાળો ઉનાળો :

બીજી તરફ ચોમાસું કેરળથી અરબી સમુદ્ર થઈને કર્ણાટક પહોંચી ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે ગોવા અને મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતી ગરમ હવા અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ભેજના કારણે બનેલા વાદળોને કારણે ઝારખંડની રાજધાની રાંચી અને તેની આસપાસનો વિસ્તાર આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાંચી અને આસપાસના વિસ્તારોમાં 3 જૂને આકાશ વાદળછાયું રહેશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ વાવાઝોડું પણ આવી શકે છે.

દક્ષિણ પશ્ચિમનું ચોમાસું પશ્ચિમ બંગાળમાં પહોંચ્યું  :

દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ.બંગાળમાં તેની સામાન્ય શરૂઆતની તારીખ કરતાં ઓછામાં ઓછા 4 દિવસ પહેલાં પહોંચી ગયું છે અને તેણે રાજ્યના જિલ્લાઓના કેટલાક ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને પશ્ચિમ બંગાળના ગંગાના ભાગ પર ચક્રવાતી પરિભ્રમણની રચના અને બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વ ભારત તરફના મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે, ઉત્તરપૂર્વીય રાજ્યો અને પેટા હિમાલયના રાજ્યોમાં આગામી પાંચ દિવસ દરમિયાન. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત :

રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ રહેશે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે. જ્યારે વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

દિલ્હીમાં ફરી હીટ વેવ  :

દિલ્હીવાસીઓ ફરી એકવાર ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે અને આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગે સપ્તાહના અંતે હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી છે. દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગુરુવારે 42 ડિગ્રી સેલ્સિયસ હતું.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The mood of the season will change

IND vs SA : રોહિત શર્મા તેનાં આ ખાસ મિત્રની કારકિર્દી બચાવી શક્યો નહીં ! દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બહાર

0

Rohit Sharma is the career

દક્ષિણ આફ્રિકા (South Africa) શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં છે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ આઈપીએલ 2022માં જોરદાર રમત દેખાડનાર સ્ટાર ખેલાડીને આ ટીમમાં જગ્યા મળી નથી. આ ખેલાડીને રોહિત શર્માનો (Rohit Sharma) ખાસ મિત્ર માનવામાં આવે છે.

આ ખેલાડીને સ્થાન મળ્યું નથી :

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પસંદગીકારોએ IPL 2022માં શાનદાર પ્રદર્શન કરનાર શિખર ધવનને તક આપી નથી. શિખર ધવન ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. પંજાબ કિંગ્સ તરફથી રમતા તેણે ઘણા રન બનાવ્યા છે. તેણે IPL 2022ની 14 મેચમાં 460 રન બનાવ્યા છે. તેણે પંજાબ કિંગ્સ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી હતી. તેમ છતાં પસંદગીકારોએ તેને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં તક આપી ન હતી.

દિગ્ગજ ખેલાડીઓને આરામ મળ્યો :

દક્ષિણ આફ્રિકા સામે ઘણા દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં શિખર ધવનનો અનુભવ ટીમ માટે કામમાં આવી શકે છે. શિખરે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. ધવને ટીમ ઈન્ડિયા માટે 34 ટેસ્ટ મેચમાં 2315 રન, 149 વનડેમાં 6284 રન અને 68 ટી-20 મેચમાં 1759 રન બનાવ્યા છે.

રોહિત સુપરહિટ જોડી હતી : 

2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ વખત, પ્રભાવશાળી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) રોહિત શર્મા અને શિખર ધવનને ઓપનિંગમાં લાવ્યો હતો. ત્યારથી આ બંને ભારતીય બેટિંગનો પાયો બની ગયા. બંનેએ સાથે મળીને ટોપ ઓર્ડરમાં ઘણા રન બનાવ્યા હતા. રોહિત સાથે ધવને વિશ્વના દરેક ક્ષેત્રમાં રન બનાવ્યા. સૌથી મોટા બોલરો તેમની બેટિંગ જોઈને દાંત નીચે આંગળીઓ દબાવી દે છે. રોહિત શર્મા અને શિખર ધવન વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે.

દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતની T20 ટીમ :

કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ , રવિ બિશ્નોઈ , ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Rohit Sharma is the career