Home Blog Page 1425

દિલીપ કુમારનું પાકિસ્તાનનું ઘર જોઈને અક્કલ કામ નહીં કરે, હવે સરકાર અહીં મ્યુઝિયમ બનાવશે

Seeing Dilip Kumar’s home in Pakistan

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે (Actor Dilip Kumar) 2021માં જુલાઈ મહિનામાં મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પછી બૉલીવુડ જગત, તેમના પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી પ્રસરી હતી. તેમની ઉંમર 98 વર્ષ હતી. જ્યારે જ્યારે દિલીપ કુમારની વાત થાય છે ત્યારે તેમના પાકિસ્તાનના પેશાવર (Peshawar, Pakistan) સ્થિત તેમના ઘરની વાત જરૂરથી થાય છે. દિલીપ કુમારના નિધન પર ખબર આવી હતી કે પાકિસ્તાન સરકાર અને તેમના ઘરમાં મ્યૂઝિયમ બનાવશે. પાકિસ્તાન સરકાર પહેલાથી જ તેમના પૈતૃક ઘરને રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષણા કરી છે. અને તેમના નામ પર સંગ્રાલય પણ બનાવવા જઈ રહ્યાં છે.

બૉલીવુડના ટ્રેજેડી કિંગનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પેશાવરના કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં તેમના પારિવારીક ઘરમાં થયો હતો. પાકિસ્તાની પત્રકાર શિરાજ હસને ટ્વીટ કરીને કેટલીક તસવીરો બતાવી છે. દિલીપ કુમારના ઘર ઝલક આ ટ્વીટમાં જોવા મળી. ગત વર્ષે પાકિસ્તાનની એક પ્રાંતીય સરકારે પેશાવર પુનરુદ્વાર યોજના અંતર્ગત ભારતના બે મહાન કલાકાર દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક ઘરોને સંગ્રાહલયમાં બદલવાનો નિર્ણય લીધો હતો.

જોકે ઘર જર્જરિત અવસ્થામાં હતું. પરંતુ જ્યારે દિલીપ કુમારે આ તસવીરો જોઈ ત્યારે ટ્વીટર પર તેમણે ભાવનાઓ વ્યક્ત કરી અને આભાર માન્યો. પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતીય સરકારે દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે તેમને દિલીપ કુમાર તેમના પૈતૃક ગૃહનગરના લોકો માટે તેમનો પ્રેમ અને સ્નેહ હંમેશા માટે કરશે.

No description available.

એ સમયમાં 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનમાં દિલીપકુમારનો જન્મ થયો હતો. ત્યારે મહંમદ યુસુફ ખાન એ તેમનું સાચું નામ હતું. રૂપેરી પડદા પર આવતા જ તેમણે પોતાનું નામ બદલી નાંખ્યુ અને દિલીપકુમાર તરીકે ઓળખાતા થયા. અદાકારીનો એક્કો ગણાતા દિલીપસાબને બોલીવુડના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે, તેમના જેવો સેડ રોલ આજ સુધી કોઈ નથી કરી શક્યું. ઈમોશનલ એક્ટીંગમાં દિલીપસાબ અભિનય નહીં પણ જાણે રિયલ લાઈફમાં હોય એવી એક્ટિંગ કરતા હતાં. એટલાં માટે જ ફિલ્મજગતના માંધાતા ગણાતા સત્યજીત રાયે દિલીપસાબને “the ultimate method actor” તરીકેનું બહુમાન આપ્યું હતું. દિલીપકુમારે હિન્દી ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત વર્ષ 1944માં આવેલી જવાર ભાટા ફિલ્મથી કરી હતી.

No description available.

ત્યાર બાદ દિલીપકુમારે લગભગ 6 દાયકા સુધી ફિલ્મજગતમાં અભિનયના ઓજસ પાથર્યાં. શહીદ, નદિયાં કે પાર, આરઝૂ, આઝાદ, દેવદાસ, નયા દૌર, અંદાજ, આન, ગંગા જમુના, મુગલ-એ-આઝમ, કર્મા, ક્રાંતિ, વિધાતા, શક્તિ, દુનિયા, ઈજ્જતદાર, બૈરાગ, મશાલ અને સૌદાગર જેવી અનેક શાનદાર ફિલ્મોમાં દિલીપકુમારે યાદગાર અભિનય કર્યો. 6 દાયકાના ફિલ્મી સફરમાં દિલીપકુમારને અનેક અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. એટલું જ નહીં દિલીપકુમારને વર્ષ ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.

No description available.

આ સાથે જ તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા. 7 જુલાઈ 2021ના રોજ બીમારીને કારણે તેમનું નિધન થયું. એ સમયની જાણીતી અભિનેત્રી અને તેમનાથી ઉંમરમાં લગભગ 22 વર્ષ નાની શાયરાબાનુ સાથે લગ્ન કરીને દિલીપકુમારે તેમને પોતાના જીવનના હમસફર બનાવ્યાં. અને અંતિમ શ્વાસ સુધી દિલીપસાબ શાયરાબાનુની સાથે પ્રેમપૂર્વક રહ્યાં.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Seeing Dilip Kumar’s home in Pakistan

Taarak Mehta Ka Ooltah Chashma : આતુરતાં નો અંત  ! તારક મહેતા…માં દયાબેનની થઈ વાપસી,  Video માં દેખાઈ ઝલક

Taarak Mehta Ka Ooltah Chashma Gujarat Guardian

  • Taarak Mehta Ka Ooltah Chashmah : છેલ્લા કેટલાય વર્ષોથી ટીવી પર ધમાલ મચાવતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માંથી લોકપ્રિય દયાબેનનું પાત્ર ગાયબ છે. દર્શકો પણ દયાબેનને ખુબ જ મિસ કરે છે. પરંતુ હવે દયાબેનના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.

છેલ્લા કેટલાય વર્ષોથી ટીવી પર ધમાલ મચાવતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ (Tarak Mehta Ka Ulta Chashma Show)માંથી લોકપ્રિય દયાબેનનું (DayaBen) પાત્ર ગાયબ છે. દર્શકો પણ દયાબેનને ખુબ જ મિસ કરે છે. પરંતુ હવે દયાબેનના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. કારણ કે દયાબેનની વાપસીના ભણકારા વાગી રહ્યા છે. આ શોના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. પછી તે જેઠાલાલ હોય, બબીતા, માસ્ટર ભીડે, દયાબેન, ડો. હાથી, ટપ્પુ કે પછી બાપુજી હોય. દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. આ શોનો એક પ્રોમો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોતા એમ લાગે છે કે હવે દયાબેન શોમાં જલદી પાછા ફરવાના લાગે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જેઠાલાલ તેના સાળા સુંદર સાથે વાત કરી રહ્યા છે. વીડિયોમાં સુંદર એવું કહેતો જોવા મળે છે કે ‘બહેના જરૂર આયેગી, પક્કા આયેગી બહેના. મે ખુબ બહેના કો લે કર આઉંગા. મેં બિલકુલ મઝાક નહીં કર રહા હું. યહ સુંદર કા આપકો વાદા હૈ.’ સુંદરની આ વાતો સાંભળીને જેઠાલાલ ખુશીમાં ઝૂમી ઉઠે છે  અને કહે છે કે ‘પહલીબાર તેરે મુંહ સે કોઈ બાસ સુનને મે અચ્છી લગ રહી હૈ’.

એટલું જ નહીં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દયાબેનની એક ઝલક દેખાડવામાં આવી. તે ઓરેન્જ સાડીમાં એન્ટ્રી કરતી જોવા મળી. આ પ્રોમો વીડિયો જોઈને દર્શકોની આતુરતા જાણે સાતમા આસમાને પહોંચી ગઈ છે. એક યૂઝરે તો વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે ‘આશા રાખુ છું કે જૂની દયા પાછી ફરે.’ જ્યારે બીજા ફેને લખ્યું કે ‘હવે દયાને જોવા માટે વધુ રાહ જોઈ શકતો નથી.’.

સિરિયલમાં દયાબેનની વાપસી અંગે એવી અટકળો ચાલી રહી હતી કે દિશા વાકાણી જ દયાબેન બનીને પાછી ફરશે. પરંતુ તે અંગે હજુ પણ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.  હવે દયાબેન જો પાછા ફરવાના હોય તો પછી તેમની ભૂમિકામાં દિશા વાકાણી જ હશે કે પછી કોઈ અન્ય પાત્ર તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ હાલ તો દર્શકો આ પ્રોમો વીડિયો જોઈને ઉછળી પડ્યા છે કે હવે જરૂરી દયાબેન આવશે.

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Taarak Mehta Ka Ooltah Chashma Gujarat Guardian

RBI MPC મીટિંગ : રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો, હોમ લોન થઈ શકે છે મોંઘી  

0

RBI MPC Meeting: 50 Basis in Repo Rate

  • ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વધારા બાદ રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થયો છે.

RBIએ રેપો રેટમાં વધારો કર્યો : ફુગાવાને નિયંત્રિત કરવા માટે, બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વધારા બાદ રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થયો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપી હતી.

એક મહિનામાં બીજી વખત રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે :

અગાઉ 4 મેના રોજ આરબીઆઈએ રેપો રેટમાં અચાનક 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ સમય દરમિયાન કેશ રિઝર્વ રેશિયો (CRR) પણ 0.50 ટકાથી વધારીને 4.5 ટકા કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં લગભગ એક મહિનામાં બીજી વખત વધારો થયો છે. તમને જણાવી દઈએ કે દેશમાં મોંઘવારીનો દર સતત 6 ટકાથી ઉપર રહ્યો છે. RBI દ્વારા સામાન્ય લોકોને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

શું અસર થશે ?

RBI તરફથી રેપો રેટ વધારવાની અસર બેંકોના કરોડો ગ્રાહકોને થશે. રેપો રેટ વધવાથી બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી લોન મોંઘી થઈ જશે. વ્યાજ દર વધવાની અસર EMI પર પડશે. ગ્રાહકોની EMI અગાઉની સરખામણીમાં વધશે.

રેપો રેટ શું છે ?

RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દર વધશે, જેની સીધી અસર તમારા EMI પર પડશે.

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

RBI MPC Meeting: 50 Basis in Repo Rate

સહારનપુરના ગુપ્તા બંધુઓની UAEમાં ધરપકડ, આફ્રિકામાં કરોડોની ઉચાપતનો આરોપ

Saharanpur Gupta brothers arrested

  • ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓ મૂળ સહારનપુરના છે. અજય, અતુલ અને રાજેશ ગુપ્તા 1994માં તેમના પરિવારો સાથે દક્ષિણ આફ્રિકામાં સ્થળાંતરિત થયા હતા. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના ખૂબ નજીક હતા. ટૂંક સમયમાં જ ગુપ્તા બંધુઓ દક્ષિણ આફ્રિકાના ટોચના પાંચ ધનિકોમાં સામેલ થઈ ગયા.

દક્ષિણ આફ્રિકાના (South Africa) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના(Former President Jacob Zuma)  નજીકના અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ગુપ્તા બંધુઓની (Brother Gupta) સંયુક્ત આરબ અમીરાતમાં (United Arab Emirates) ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાની સરકારે સોમવારે તેની પુષ્ટિ કરી.

આ પછી ભ્રષ્ટાચારના આરોપી ગુપ્તા બંધુઓને પરત લાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. જો કે તે પરત ફરશે કે નહી તે હજુ સ્પષ્ટ નથી. વાસ્તવમાં, બંને દેશોએ એપ્રિલ, 2021માં પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. સરકારનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

2009-2018 વચ્ચે ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ :

ગુપ્તા બંધુઓ અજય, અતુલ અને રાજેશ ગુપ્તા પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથેના નજીકના જોડાણને કારણે મોટા પાયે અબજોની સ્થાનિક ચલણની ઉચાપત કરવાનો આરોપ છે. આ ભ્રષ્ટાચાર 2009 થી 2018 વચ્ચે કરવામાં આવ્યો હતો. જોકે, કૌભાંડો સામે આવ્યા બાદ તે દક્ષિણ આફ્રિકા ભાગી ગયો હતો. તેની વિરુદ્ધ અનેક પ્રદર્શનો પણ થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ પ્રથમ વખત સ્વીકાર્યું કે આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં મતભેદોને કારણે દેશમાં કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા ગુપ્તા પરિવાર સામે યોગ્ય કાર્યવાહી થઈ શકી નથી.

1994 માં તેમના પરિવારો સાથે દક્ષિણ આફ્રિકામાં સ્થળાંતર કર્યું :

જણાવી દઈએ કે અજય, અતુલ અને રાજેશ ગુપ્તા 1994માં પરિવાર સાથે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના ખૂબ નજીક હતા. ટૂંક સમયમાં જ ગુપ્તા બંધુઓ દક્ષિણ આફ્રિકાના ટોચના પાંચ ધનિકોમાં સામેલ થઈ ગયા. ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓ મૂળ સહારનપુરના છે. તેના પિતા શિવકુમારની સહારનપુરમાં રાશનની દુકાન હતી. તે દિલ્હીમાં ખુલેલી તેની કંપનીમાંથી મસાલાની નિકાસ કરતો હતો. તેમની બીજી કંપની ટેલ્કમ પાવડરમાં વપરાતા સાબુની દુકાનમાં પાઉડરનું વિતરણ કરતી હતી. સહારનપુરના રાની બજારમાં તેમનું પૈતૃક ઘર છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Saharanpur Gupta brothers arrested

સબંધોમાં જયારે પ્રેમની ઉણપ હોય ત્યારે પરિણામ કેટલું ભયાનક આવે………. ઘટના વિશે જાણીને રુંવાડા બેઠા થઇ જશે

How terrible is the result when

પતિ પત્ની (Husband-wife) વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. પરંતુ ઘણીવાર આ ઝઘડા એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પોતાની જ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. પત્ની નોકરી પર જતા પતિ એટલો ઉશ્કેરાયો કે તેની જ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. પતિનો ઘા એટલો જોરદાર હતો કે, પત્નીનો હાથ જ કાંડાથી સાવ અલગ થઈ ગયો હતો.

ઘટના પૂર્વ બર્દવાન (East Burdwan) જિલ્લાના કેતુગ્રામની (Ketugram) છે. પીડિત યુવતી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં પતિને ડર લાગવા લાગ્યો કે જો તેની પત્ની નોકરી કરવા લાગી તો તે તેનાથી દૂર થઈ જશે અને તેને છોડી દેશે. તે પછી તે બીજા પુરુષ સાથે લગ્ન કરશે.

પત્ની રોજ નોકરી પર જવા લાગી ત્યારે તેના પતિની શંકા વધતી ગઈ અને બેચેની બની ગઈ. શખ્સના મિત્રોએ તેને ઉશ્કેરવાનું કામ કર્યું, કારણ કે તેઓ હંમેશા આ વ્યક્તિને કહેતા કે એક દિવસ તેની પત્ની તેને છોડીને બીજા પુરુષ સાથે લગ્ન કરી લેશે.

મહિલાએ કહ્યું કે, ‘જ્યારે મારું નામ સરકારી નોકરીમાં આવ્યું તો પતિએ વિચાર્યું કે તે તેને આ નોકરી કરવા દેશે નહીં. મેં તેને ઘણી વખત સમજાવ્યું, પરંતુ અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા. એક દિવસ મારે દુર્ગાપુર જવાનું હતું, તે પહેલા મારા પતિએ મને બોલાવી. તેના મનમાં શું ચાલી રહ્યું છે તેનાથી હું સંપૂર્ણપણે અજાણ હતી. 10 વાગે રાત્રિભોજન કર્યા પછી, જ્યારે હું સુતી, ત્યારે મેં રાત્રે બે વાર મારી આંખો ખોલી અને જોયું કે તે વારંવાર વૉશરૂમમાં જતો હતો. પૂછવા પર તેણે કહ્યું કે તેના પેટમાં દુખાવો છે.’

પીડિતાએ વધુમાં જણાવ્યું કે, ‘થોડી જ વારમાં મારા મોં પર કોઈએ ઓશીકું મૂક્યું છે અને કોઈ મારો હાથ પકડી રાખ્યો. અને પછી કાતર જેવી ધારદાર વસ્તુ વડે મારો હાથ કાપી નાખ્યો. ત્યાં કુલ 3 લોકો હતા અને જ્યારે બાકીના લોકો ત્યાંથી નીકળી ગયા, ત્યારે પણ તેઓએ મારા મોં પર ઓશીકું મૂકી દીધું.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

How terrible is the result when

ગુજરાતમાં વરસાદની અસર શરૂ, પાટણમાં ભારે પવનથી મકાનોનાં પતરા ઉડ્યા તો લીંબડીમાં વીજળીથી પહેલું  મોત નોંધાયું

0

The effect of rain started in Gujarat

  • થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે.

આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ થશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળશે. જોકે, મંગળવારથી જ તેની અસર જોવા મળી છે. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. સદનસીબે તેમાં મોટી જાનહાનિ ટળી હતી. આમ, થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે. તેમજ પ્રથમ વરસાદની વીજળીએ લીંબડી તાલુકાના એક યુવકનો ભોગ લીધો છે. મધરાતે લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતા યુવકનું મોત નિપજ્યુ છે.

પાંચ દિવસમાં બદલાશે ગુજરાતનું વાતાવરણ :

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. તો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. આજથી 10 જૂન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શક્યા છે. આજથી 10 જૂન સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

મંગળવારે 12 તાલુકામાં વરસાદ ખાબક્યો :

થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં જોવા મળી હતી. ગઈકાલે ગુજરાતના 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા, જેથી વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

પાટણમાં પતરા ઉડ્યા :
થન્ડર સ્ટોર્મની અસરના ભાગરૂપે પાટણ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો. વાતાવરણના પલટાના ભયાનક વીડિયો પણ સામે આવ્યા, જેમાં સાંતલપુર તાલુકાના વારાહીમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન સાથે પડેલ વરસાદમાં 10 થી વધુ મકાનોના પતરા ઉડ્યા હતા. ગઢા, વર્ણોસરી, કોરડા, એવાલ સહિત વાઘપુરામાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. તો – ઝંડાલા ગામે ભારે પવન ફૂંકાતા કાચા તેમજ પાકા મકાનના પતરાં ઉડતા વ્યાપક નુકસાની નોંધાઈ છે. ભારે પવનના કારણે પતરાં ઉડી ખેતરમાં પડતા મકાન માલિકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રિ-મોન્સૂનના પ્રથમ વરસાદમાં જ પાટણ જિલ્લામાં નુકસાની જોવા મળી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
No description available.
વીજળીથી રાજ્યમાં પ્રથમ મોત :
હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ એક યુવકનો ભોગ લીધો છે. લીંબડી તાલુમાં વીજળીથી પ્રથમ મોત નોંધાયુ છે. મધરાત્રિએ લીંબડી તાલૂકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. 23 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને લીંબડીથી જાંબુ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વચ્ચે વીજળી પડી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જાંબુ ગામના યુવકનુ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે, તો યુવકના પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આજે ક્યા ક્યા વરસાદની આગાહી :

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.

The effect of rain started in Gujarat

સોનાના 133 સિક્કા અને 2.82 કરોડ રોકડા, સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મળ્યો ખજાનો, ઈડીના દરોડા

0

133 gold coins and 2.82 crore cash

  • ઈડીની કાર્યવાહીમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ રકમ અને સોનું મળી આવ્યું છે. મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.

મની લોન્ડ્રિંગ કેસમાં (Money laundering case) ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister of Delhi) સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડામાં સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.

જાણવા મળી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સત્યેન્દ્ર જૈનના એક સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. આ સાથે એક કિલોથી વધુ સોનું મળ્યું છે, જેમાં 133 સોનાના સિક્કા સામેલ છે.

મહત્વનું છે કે ઈડીએ સોમવારે આપ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કથિત હવાલા ડીલ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગ તપાસ હેઠળ તેના ઘર અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. 57 વર્ષીય સત્યેન્દ્ર જૈનની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 30 મેએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ પહેલાં ઈડીએ એપ્રિલમાં તપાસ દરમિયાન સત્યેન્દ્ર જૈનના પરિવાર અને તેની માલિકી તથા નિયંત્રણવાળી કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. ઈડીએ કહ્યું હતું કે, અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટે, ઈન્ડો મેટલ ઇન્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ, પ્રયાસ ઇન્ફોસોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેજે આઇડિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટે, વૈભવ જૈનની પત્ની સ્વાતી જૈન, અજિત પ્રસાદ જૈનની પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનની પત્ની ઇંદુ જૈન સંબંધિત 4.81 કરોડ રૂપિયાની અચલ સંપત્તિને સીલ કરવા માટે એક અસ્થાયી આદેશ જાહેર કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે 2015 અને 2016 દરમિયાન જ્યારે સત્યેન્દ્ર કુમાર જૈન એક લોક સેવલ હતા, ત્યારે તેમની માલિકી અને નિયંત્રણવાળી કંપનીઓને કોલકત્તાના એન્ટ્રી ઓપરેટરને હવાલા દ્વારા મોકલેલી રકમને શેલ કંપનીઓથી 4.81 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યાં હતા.

EDએ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે જપ્ત આદેશમાં નામિત વ્યક્તિ જૈનના સહયોગી અને પરિવારના સભ્ય છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

133 gold coins and 2.82 crore cash

Realme નો સસ્તો સ્માર્ટફોન, ધમાકેદાર બેટરી અને અદભૂત કેમેરા, નોકિયાના નાક પર લાવી દીધો દમ , જાણો ફીચર્સ 

Realme’s Cheap Smartphone

  • Realme ઓછી કિંમતનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલોમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના મુખ્ય સ્પષ્ટીકરણો લીક થયા છે. આવો જાણીએ ફોનમાં શું ખાસ હશે…

નોકિયાએ (Nokia) તેના સ્માર્ટફોનને ઓછી કિંમતે માર્કેટમાં લોન્ચ કર્યા છે. નોકિયા ઓછી કિંમતના ફોનના કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે રિયલમીનો સ્માર્ટ સ્માર્ટફોન Nokiaના સસ્તા સ્માર્ટફોનને (Cheap smartphones) ટક્કર આપવા આવી રહ્યો છે. આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન (Level smartphone) હશે, જે મજબૂત ફીચર્સ સાથે આવશે. Realme C30 ટૂંક સમયમાં સત્તાવાર રીતે જવાની અપેક્ષા છે. તાજેતરના અહેવાલોમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના મુખ્ય સ્પષ્ટીકરણો લીક થયા છે. હવે વિશ્વસનીય ટિપસ્ટર સ્ટીવ હેમરસ્ટોફરના સહયોગથી કમ્પેર ડાયલ પ્રકાશન દ્વારા નવા લીકમાં ફોનની સંપૂર્ણ ડિઝાઇન જાહેર કરવામાં આવી છે.

Realme C30 ડિઝાઇન :

Realme C30 ની આગળની બાજુએ ખૂબ જાડી ચિન સાથે વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેમાં વોલ્યુમ રોકર અને જમણી કિનારે પાવર કી સાથે બોક્સી ડિઝાઇન છે. ઉપકરણના તળિયે સ્પીકર ગ્રિલ, માઇક્રોયુએસબી પોર્ટ, માઇક્રોફોન અને 3.5mm ઓડિયો જેક છે.

Realme C30svનો પાછળનો શેલ અલગ વર્ટિકલ ગ્રીડ ડિઝાઇનને સપોર્ટ કરે છે. ઉપરના ડાબા ખૂણામાં LED ફ્લેશ :સાથે એક કેમેરા મોડ્યુલ છે. જેમ જોઈ શકાય છે, ત્યાં કોઈ બિનજરૂરી સેકન્ડરી મેક્રો અથવા ડેપ્થ સેન્સર નથી. રેન્ડર પુષ્ટિ કરે છે કે Realme C30 વાદળી અને લીલા રંગોમાં આવશે, જે લેક ​​બ્લુ અને બામ્બૂ ગ્રીન તરીકે વેચી શકાય છે. તે ડેનિમ બ્લેક કલરમાં આવવાની પણ અફવા છે.

Realme C30 સ્પષ્ટીકરણો :

નવા લીકમાં Realme C30 ના ફીચર્સ વિશે કોઈ માહિતી નથી. અહેવાલો દર્શાવે છે કે તે 6.58-ઇંચની IPS LCD પેનલથી સજ્જ હશે જે FHD+ રિઝોલ્યુશન ઓફર કરે છે. તે યુનિસોક ચિપ દ્વારા સંચાલિત થવાની સંભાવના છે. જો કે, ચિપનું ચોક્કસ નામ હજુ સુધી જાણી શકાયું નથી. તે 5,000mAh બેટરી પેક કરશે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપકરણ ટોચ પર Realme UI સાથે Android Go OS પર ચાલશે.

Realme C30 કેમેરા :

ફોટોગ્રાફી માટે, Realme C30માં 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને 13-મેગાપિક્સલનો રિયર કેમેરા હોઈ શકે છે. આ ઉપકરણ ભારતીય બજારમાં બે વિકલ્પોમાં આવવાની અપેક્ષા છે: 2GB RAM + 32GB સ્ટોરેજ અને 3GB RAM + 32GB સ્ટોરેજ. છેલ્લે, ઉપકરણની જાડાઈ 8.48 mm હશે અને વજન લગભગ 181 ગ્રામ હશે. ભારતમાં આ મહિને (જૂન) લોન્ચ થવાની ધારણા છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Realme’s Cheap Smartphone

8 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને વિઘ્નહર્તાની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

June 8, 2022, horoscope Gujarat Guardian

મેષ :
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભ :
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ શારૂ. નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુન :
કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બપોર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ. સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્ક :
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી ધંધમાં નિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીની કાળજી રાખવી.

સિંહ :
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો માનમાં વધારો થાય.

કન્યા :
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધોમાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલા :
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિક :
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધન :
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકર :
માન સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.

કુંભ :
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં.

મીન :
આનંદ ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મળતી જણાય. પહિન સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

June 8, 2022, horoscope

આજે જ બદલી નાંખો તમારી આ આદત, હાર્ટ એટેક આવવાની ઘટી જશે શક્યતા, સંશોધનમાં દાવો

Change your habit today

  • એક્ટિવ લોકોને પણ હાર્ટ એટેક આવતો હોવાનુ સામે આવે છે ત્યારે એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ એક આદત બદલવામાં આવે તો હાર્ટ એટેકની શક્યતાઓ ઘટે છે.

ભારતમાં હાર્ટ એટેકની (Heart attack) સમસ્યા જ નહી પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું મંગળવારે હાર્ટ એટેકથી નિધન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneet Rajkumar) પણ આ કારણે દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. આ ઉપરાંત એવા ઘણા એક્ટર છે જેઓ હેલ્ધી હોવા છતાં હાર્ટ એટેકને કારણે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.

વર્ષે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો :

એક રિપોર્ટ્સ અનુસાર ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં જીવ ગુમાવે છે.

સ્મોકિંગ છોડવાથી હાર્ટ એટેકનું ઘટે છે જોખમ :

તે પહેલાથી જ સાબિત થયું છે કે સિગારેટ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. જો તમને પણ આવા જોખમનો ડર છે તો આજે જ આ ખરાબ વ્યસનથી છૂટકારો મેળવો.

સંશોધનમાં મોટો ખુલાસો :

ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજના ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો.રોબર્ટ જે મિને જણાવ્યું હતું કે ધૂમ્રપાન (ધુમ્રપાન)થી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે અમે સ્ટડી એ વાતને ધ્યાનમાં રાખીને કર્યો છે કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને ધૂમ્રપાન છોડવાથી થતા મૃત્યુના આંકડામાં તફાવત છે.