Home Blog Page 1424

 સાળંગપુરમાં ભારે પવનના લીધે રોડ પર ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં ; વાહન-વ્યવહાર ખોરવાયો , જુઓ તસ્વીરો 

0

The gate collapsed on the road due

  • સાળંગપુરમાં ભારે પવનના લીધે બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો.

સાળંગપુરમાં (Salangpur) ભારે પવનના લીધે ગેટ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાળંગપુરથી બોટાદ (Botad from Salangpur) જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો હતો. જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, બાદમાં આ મામલે તંત્રને જાણ કરાતા JCBની મદદથી ગેઇટ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

સૌરાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ : ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાણે કે પ્રી-મૉન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય એમ ગઈ કાલે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ભાવનગર અને પાટણ પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમાં પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં આસપાસના વિસ્તારોમાં ઠંડકનો માહોલ થઇ ગયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં નવાં નીર પણ આવ્યાં હતાં.

ગઇકાલે ભાવનગરના જેસર તાલુકામાં બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો જેસરના દેપલા, છાપરિયા, સેરડા સહિતનાં ગામમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગઢડાના ઢસા, બોટાદ, બરવાળા અને ભાલ પંથકમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી હતી. બોટાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ :

The gate collapsed on the road due

રમતા-રમતા 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું બાળક, જુઓ ઓપરેશનની દિલધડક તસ્વીરો

0

A child falls into a 300-foot-deep borewell

ભારતીય સેના (Indian Army) શ્રેષ્ઠ એમ જ માનવામાં આવતા નથી, તેઓના કાર્યને કારણે તેઓને શ્રેષ્ઠ ગણવામાં આવે છે . હાલમાં ભારતીય સેનાને એવું જ કામ કરી બતાવ્યું છે. હકીકતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના દુદાપુર ગામ (Dudapur village) ની સીમમાં આવેલી એક વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ અઢી વર્ષનો શિવમ (Shivam) રમતાં રમતાં 300 ફૂટથી વધુ ઊંડા બોરમાં પડી ગયો હતો. જેને ભારતીય સેના દ્વારા 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. આ અંગેની જાણ ધ્રાંગધ્રા ખાતેના આર્મી યુનિટને કરવામાં આવી હતી. જાણ થતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. તેથી આર્મીના જવાનોએ 40 મિનિટ સુધી ઓપરેશન હાથ ધરીને શિવમને હેમખેમ બહાર કાઢ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ, જેની ઉંમર અંદાજિત બે વર્ષ જેટલી છે. સાંજના સમયે શિવમની માતા રસોઇ બનાવી રહ્યા હતા અને પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતાં ત્યાં મજૂરીકામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .

10 2 - Trishul News Gujarati Dhrangadhra, Dudapur village, indian army, surendranagar

આ દરમિયાન આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ શિવમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં તેને સુરેન્દ્રનગર રિફર કરાયો હતો. શિવમ હેમખેમ બહાર આવતા તમામ લોકોએ સેનાના કાર્યની બિરદાવી હતી. આર્મીના આવા કાર્યને કારણે જવાનોને ખરેખર સલામ કરવાનું મન થાય.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

A child falls into a 300-foot-deep borewell

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પક્ષપલટાની આફત, 4 પાટીદાર સહિત 7 MLA કેસરિયા કરવાના મૂડમાં

0

Defection in Saurashtra Congress before elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા.

ગુજરાતમાં વિધાનસભાની (Legislative Assembly in Gujarat) ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ (Hardik Patel) બાદ હવે કેટલાંક પાટીદાર MLA ઉપર પણ ધ્યાન એકત્રિત કરાઈ રહ્યું છે . રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurashtra) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.

પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ :

4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.

તદુપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.

સૌ કોઇ ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ સક્રિય કરાયો ! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલના જોરે ચૂંટાયેલા અને એક સમયના તેના જ સાથીદારો ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ અંદરખાને સક્રિય કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર ગેઈમ પ્લાન એક બિનરાજકીય પાટીદાર નેતાના આશિર્વાદથી ચાલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
Defection in Saurashtra Congress before elections

બેંકોના શેરોમાં આવી શકે છે તેજી, જાણો ક્યો સ્ટોક છે સૌથી શ્રેષ્ઠ

0

Bank stocks may rise

  • RBI monetary policy : આરબીઆઇ (RBI)ના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને (Bank Share) પસંદ આવ્યો છે. ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટી (Bank Nifty) માં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે .

આરબીઆઇએ પોલિસી રેટ (RBI Policy Rate) કે રેપો રેટ (Repo Rate)માં વધારો કર્યો છે, પરંતુ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન (No Change in CRR) હતો. પોલિસીની જાહેરાત પૂરી થતાં જ તેની સીધી અસર બેન્કિંગ સેક્ટરના શેર (Banking Sector Stocks) પર જોવા મળી રહી છે. સવારે લગભગ બધી જ બૅન્કો લાલ રંગમાં ટ્રેડ કરી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં બધા શૅર ઉપરની તરફ જવા લાગ્યા હતા. જો કે, બપોરે 12 વાગ્યા બાદ ફરી એકવાર બેન્કિંગ શેરોમાં વેચવાલી શરૂ થઈ હતી.

બપોરે બેન્ક નિફ્ટી ફરી નેગેટિવ થઇ ગયો હતો. પરંતુ જાહેર ક્ષેત્રની બેન્કોએ બપોરે 3 વાગ્યા સુધી સારી તેજી જાળવી રાખી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને કેનેરા બેન્કમાં પીએસયુ બેન્કોમાં સારી તેજી જોવા મળી હતી. ખાનગી બેન્કોની વાત કરીએ તો બિઝનેસ સેશનના અંત સુધી માત્ર એચડીએફસી બેન્ક જ સારો ગ્રોથ જાળવી શકી હતી.

RBIના નિર્ણયને બેંકિંગ સેક્ટરે વધાવ્યો :

બજારના જાણકારોનું કહેવું છે કે, આરબીઆઇના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને પસંદ આવ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આ એક સારી વાત છે કે આરબીઆઈએ ગ્રોથની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી. જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં અર્થતંત્રમાં ધિરાણની માગ વધતી જોવા મળશે. જેનો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળશે.

બેંકો માટે વિન-વિન સ્થિતિ :

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આજની આરબીઆઇની પોલિસી જાહેરાતમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા છે કે આનાથી બેંકિંગ બિઝનેસને ફાયદો થશે. જો સીઆરઆર વધારવામાં નહીં આવે તો બેન્કોને લોન આપવા માટે વધુ દેવું થઇ જશે. આ સાથે જ રેપો રેટમાં વધારાને જોતા તે પોતાના વ્યાજ દરોમાં વધારો કરી શકશે. બેન્કિંગ સેક્ટર માટે આ સ્થિતિ સારી છે.

બેંકો જાળવી શકશે લિક્વિડીટી :

લેડરઅપ વેલ્થ મેનેજમેન્ટના રાઘવેન્દ્ર નાથનું કહેવું છે કે, સીઆરઆરમાં વધારાની અપેક્ષા હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે આરબીઆઇએ હાલ પૂરતી બેન્કો સાથે લિક્વિડિટી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સીઆરઆરમાં વધારો કરવામાં આવ્યો નથી. ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવુ છે કે નિફ્ટી બેન્ક હાલ 34,700 – 35,500ની રેન્જમાં જોવા મળી રહી છે. તેના ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટીમાં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે. સુમિત બગડિયાનું કહેવુ છે કે, સીઆરઆર ન વધારવાનો નિર્ણય બેંકોને ખુશ કરવાનો છે. આ કારણે બેન્કિંગ સ્ટૉકમાં તેજી જોવા મળી શકે છે.

ક્યાં શેરોની ખરીદી કરાવી શકે છે ફાયદો ?

જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આરબીઆઇ પોલિસીની જાહેરાત બાદ રોકાણકારોએ એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કના શેર પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઇએ. તમે તેમાં સારી તેજી જોઈ શકો છો. રવિ સિંઘલ કહે છે કે, જે લોકો તેમના પોર્ટફોલિયોમાં કેટલાક બેંકિંગ સ્ટોક ઉમેરવા માંગે છે, તેઓએ એસબીઆઈને પ્રથમ પસંદગી આપવી જોઈએ. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક પર નજર રાખવી જોઈએ.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

Bank stocks may rise

અનોખું મંદિર ! 8 મહિના પાણીમાં જ ડૂબેલું રહે છે આ રહસ્યમય મંદિર, ઐતિહાસિક મહાત્મય જાણીને લાગશે નવાઈ

Unique temple! Remains submerged

  • હિમાચલમાં કાંગડા જિલ્લાના જવાલી નજીક સ્થિત પૌંગ ડેમ તળાવમાં બાથૂ કી લડી મંદીર આવેલુ છે.માન્યતા છે કે, આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. આ મંદિર વર્ષમાં 8 મહિના પાણીમાં જ ડૂબેલુ રહે છે.બાકી ચાર મહિના આ મંદિરના દર્શન થાય છે.
પઠાન કોટથી (Pathan Kot) લગભગ 80 કિલોમીટર દુર બાથૂ કી લડી મંદીર (Bathu Ki Ladi Templ) પૌંગ ડેમના તળાવમાં બનેલુ છે. 70ના દાયકામાં તળાવ બનવાને કારણે આ મંદિર તળાવના પાણીમાં આવી ગયુ હતું. જ્યારે વરસાદમાં તળાવમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે જળસ્તર આ મંદિરને પાણીમાં ડૂબાવી દે છે. એપ્રીલથી લઈને જુન સુધી પાણીનું સ્તર નીચુ હોવાથી આ મંદિર ફરી દેખાવા લાગે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આટલા વર્ષોથી પાણીમાં હોવા છતા મહાભારત કાળનું આ મંદિર આજે પણ પોતોનુ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.
વર્ષના 8 મહિના નથી  દેખાતુ આ મંદિર  :

કાંગડા જીલ્લાના જવાલી નજીક આવેલ બાથૂ કી લડી મંદિર વર્ષમાં 8 મહિના પૌંગ ડેમના તળાવમાં મળી જાય છે. ફક્ત 4 મહિના જ તે તળાવની બાર આવે છે. માન્યતા છે કે આ મંદિરોને પાંડવોએ મહાભારત કાળનાં એકાંતવાસ દરમિયાન બનાવ્યું હતું. અને અહિંયા 11 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.

તળાવના મધ્યમાં આવેલ છે આ મંદિર  :

આ દરમિયાન પાંડવોએ સ્વર્ગ જવા માટે એક સીડીનો નિર્માણ પણ કરાવ્યું હતું.જે કોઈ કારણવશ સ્વર્ગના રસ્તાથી માત્ર થોડા અંતર સુધી બની હતી.આ મંદિરમાં જવા માટે પઠાનકોટથી કાંગડા તરફ જસૂરથી જવાલી તરફ જવું પડે છે.અને જવાલીથી લગભગ 15 કિલોમીટર દૂર પૌંગ ડેમના તળાવની વચ્ચો વચ્ચ આ મંદિર આવેલુ છે.

મંદિર સુધી જવાનો એક માત્ર સહારો હોડી :

ચારો તરફ તળાવનું પાણી અને વચ્ચે ટાપૂનુમા જગ્યા પર બનેલા બાથૂ કી લડી મંદિરોના દર્શન કરવા લોક દૂર દૂર આવે છે.આ મંદિરમાં જવા માટે એક માત્ર વિકલ્પ હોડી હોય છે,જેના પર સવાર થઈને લોકો મંદિર પહોચે છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Unique temple! Remains submerged

9 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને વિષ્ણુ ભગવાનની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

0

June 9, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભ :
આદ્યત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુન :
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્ક :
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહ :
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યા :
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા :
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિક :
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થસે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ, શાંતી, સમૃદ્ધિ જળવાય, સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધન :
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતોજણાય. આવક-જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર :
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતા કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જૂની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભ ;
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીન :
શેખચલ્લી જેવા વિચારો ટાળવા, મીઠાઇ, ઠંડા પીણાનો શોખ વધતો જણાય, વાણિજ્ય, દુર સંચાર, જળ આધારીત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ, પત્ની સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

June 9, 2022, Horoscope Gujarat Guardian

ઉર્વશી રૌતેલાએ પહેર્યો હતો 45 લાખનો હેવી ગાઉન, શરીરના અનેક ભાગમાં થઈ ઈજા 

Urvashi Rautela was wearing

  • ઉર્વશી રૌતેલાનો ડ્રેસ (Urvashi Rautela’s dress) : જ્યારે પણ ઉર્વશી રૌતેલા કોઈ ઈવેન્ટમાં જાય છે ત્યારે તે પોતાના આઉટફિટથી પોતાની છાપ છોડી દે છે. તાજેતરમાં, તેણીએ IIFA એવોર્ડ્સમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે જે ગાઉન પહેર્યું હતું તેણે તેના શરીર પર ઘણા નિશાન છોડી દીધા છે અને અભિનેત્રીને પરેશાન કરી દીધી છે.

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) તાજેતરમાં IIFA એવોર્ડમાં પહોંચી હતી અને આ દરમિયાન તેણે ગોલ્ડન આઉટફિટ પહેર્યો હતો, જેની કિંમત 45 લાખ હોવાનું કહેવાય છે. આટલા મોંઘા પોશાકને કારણે તેના શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન છે.

સોનેરી ચમકદાર એમ્બ્રોઇડરી કરેલો ઝભ્ભો, જાંઘ-ઊંચી ચીરી અને ડૂબકી મારતી નેકલાઇન ઉર્વશીની સુંદરતામાં વધારો કરે છે. અભિનેત્રીએ ગોલ્ડન સ્ટડેડ ઇયરિંગ્સ અને મેચિંગ સેન્ડલ સાથે પોતાનો આઉટફિટ પૂર્ણ કર્યો.

ઉર્વશી રૌતેલાના મેકઅપ વિશે વાત કરીએ તો, તેણીની સ્મોકી આઈશેડો, ન્યુટ્રલ લિપ કલર, હાઈલાઈટર, કોન્ટૂર અને તેજસ્વી રંગ તેણીને અલગ બનાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે ક્રિસ્ટલ ડિટેલિંગમાં એમ્બ્રોઇડરી કરેલી લાંબી સ્લીવ્સ સાથેનો આ ડ્રેસ અભિનેત્રીને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યો હતો. અભિનેત્રીએ આ પોશાકના તેના અનુભવ વિશે જણાવ્યું કે મેં મારા જીવનમાં ક્યારેય આટલું દુઃખ અનુભવ્યું નથી. તેણે મારી પીઠ, હાથ અને મારા પેટ પર પણ નિશાન છોડી દીધા છે.

ઉર્વશી રૌતેલા દરેક ઇવેન્ટમાં ખૂબ જ મોંઘા ડ્રેસ પહેરે છે. પરંતુ આ વખતે આ મોંઘો ડ્રેસ તેને જ નુકસાન પહોંચાડે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જોવા મળી હતી અને આ દરમિયાન તે પોતાની સુંદરતાથી ઘણી ચર્ચામાં રહી હતી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Urvashi Rautela was wearing

સી-પ્લેન મેઈન્ટેનન્સમાં ગયું એ ગયું, પાછું આવ્યું જ નહીં : કોઈ એજન્સીને રસ ન હોવાથી પ્રોજેક્ટ બંધ થવાના આરે

0

Sea-plane maintenance gone

  • સી-પ્લેન પ્રોજેક્ટને કોઇ પણ એજન્સી ચલાવવા તૈયાર ન હોવાના કારણે PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે આવી ગયો છે.

અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi’s dream proje) સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈ પણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે તે અંગે પણ હજુ કોઈ માહિતી નથી.

સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું

દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોકકસથી લઈ શકે છે. પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો ઉપયોગ વધે પરંતુ આ સેવામાં વારંવાર વિધ્ન આવ્યા હોવાથી સરકારે સી-પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે. સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું.

રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા ખર્ચ કર્યો :

તમને જણાવી દઇએ કે, આ સમયગાળામાં પણ સી-પ્લેન સેવા અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે પણ અગાઉ બજેટ સત્રમાં સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો હતો. અગાઉ ત્રણ ખાનગી કંપનીઓએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી પરંતુ તેના ઉંચા ઓપરેટીંગ ખર્ચના કારણે તેમજ સહેલાણીઓ નહીં મળતા હોવાના કારણે આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરોએ રસ દાખવ્યો નથી

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

Sea-plane maintenance gone

 મિતાલી રાજે ચાહકોને આપ્યો મોટો આંચકો, અચાનક લઈ લીધો આ નિર્ણય

0

Mithali Raje gave a big shock

  •   ભારતની દિગ્ગજ બેટ્સમેન મિતાલી રાજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

ભારતની અનુભવી બેટ્સમેન મિતાલી રાજે (Batsman Mithali Raje) ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. મિતાલીએ બુધવારે બપોરે સોશિયલ મીડિયા (Social media) પર નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે મિતાલીએ પોતાની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને (International career) અલવિદા કહી દીધું છે.

ચાહકોને ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે :

મિતાલી રાજે 39 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. મિતાલી રાજે ટ્વીટ કરીને લખ્યું, ‘હું એક નાની છોકરી હતી જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સફર તમામ પ્રકારની ક્ષણો જોવા માટે પૂરતી લાંબી હતી, છેલ્લા 23 વર્ષ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હતી. દરેક અન્ય સફરની જેમ આ સફરનો પણ અંત આવી રહ્યો છે અને આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.

મિતાલી રાજની ક્રિકેટ કારકિર્દી :

મિતાલી રાજ ભારતની સૌથી સફળ મહિલા બેટ્સમેન છે. તેણે ભારત માટે 12 ટેસ્ટ મેચમાં 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા. મિતાલી રાજે ટીમ ઈન્ડિયા માટે 232 ODI મેચ રમી હતી, જેમાં: એવરેજ 50.68 હતી. મિતાલી રાજે પણ 89 ટી20 મેચ રમી જેમાં તેણે 37.52ની એવરેજથી 2364 રન બનાવ્યા.

આ રેકોર્ડ મિતાલી રાજના નામે છે :

વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. મિતાલી રાજ એ પણ સુકાની છે જેણે લાંબા સમય સુધી ભારતનું સુકાન સંભાળ્યું હતું. મિતાલી રાજે 155 વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેમાંથી ટીમે 89 મેચ જીતી હતી અને 63 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 8 ટેસ્ટ મેચ અને 32 ટી20 મેચમાં કેપ્ટનશિપ પણ કરી હતી.

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

Mithali Raje gave a big shock

ફેસબુક : સાવધાન ! ક્યાંક તમારા બાળકને પણ આ વ્યસન ન તો નથી ને ? આ કારણે અમેરિકામાં મેટા પર કર્યો કેસ

Caution! This addiction to your child

  • ઈન્સ્ટાગ્રામ : જો તમારું બાળક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વધુ એક્ટિવ છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ખરેખર, વધુ પડતું વ્યસન તેને ઘણાં નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં જ પરિવારે અમેરિકામાં આવા 2 કેસમાં મેટા પર કેસ દાખલ કર્યો છે.

મેટાની (Meta) મુશ્કેલી ઓછા થવાનું નામ નથી લઈ રહી. એક તરફ કંપનીના યુઝર્સની સંખ્યા સતત ઘટી રહી છે તેનો નફો ઘટી રહ્યો છે. તો બીજી તરફ હવે તેના યુઝર્સ (Users) પણ તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં એક પરિવારે મેટા પર કેસ કર્યો છે. ટ્રાયલનું કારણ બધાને ચોંકાવનારું છે. વાસ્તવમાં, આ પરિવારે તેમની કિશોરવયની પુત્રીની (Teenage daughter) ખાવાની વિકૃતિ માટે મેટાને દોષી ઠેરવ્યો છે. કેક દરમિયાન તેણે મેટાના લીક થયેલા ફેસબુક પેપર્સનો પણ ઉલ્લેખ કર્યો છે.

વકીલે મેટાને લગતા કાગળો પણ રજૂ કર્યા :

એલેક્સિસ સ્પેન્સ નામની આ કિશોરીના વકીલોએ દાવો કર્યો છે કે ઇન્સ્ટાગ્રામના વધુ પડતા ઉપયોગની લતએ તેને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ઘણા વર્ષોથી તેના મનમાં આત્મહત્યા કરવાના વિચારો પણ આવતા હતા. કેલિફોર્નિયાના ઉત્તરી જિલ્લાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આ મુકદ્દમામાં અરજદારે કંપની સાથે જોડાયેલા કેટલાક કાગળો પણ આપ્યા છે. આમાં ફેસબુકે પોતાના રિસર્ચને ટાંકીને કહ્યું છે કે ઈન્સ્ટાગ્રામ ટીનેજ છોકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે.

શું છે આ ફેસબુક પેપરમાં :

2021 ના ​​અંતમાં, ફેસબુક વ્હીસલબ્લોઅર્સે મેટા પર હજારો આંતરિક દસ્તાવેજો યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન અને કોંગ્રેસ સમક્ષ મૂક્યા, જે સૂચવે છે કે Instagram કિશોરોને લક્ષ્ય બનાવે છે અને તેમને “સાંભળેલા પ્રાણીઓ” કહે છે. આ દસ્તાવેજ સોશિયલ મીડિયા વિક્ટિમ્સ લૉ સેન્ટર, સિએટલ જૂથ દ્વારા ફાઇલ કરવામાં આવ્યો હતો. આ સંસ્થા ઓનલાઈન નુકશાનથી પીડાતા કિશોરોના પરિવારોની હિમાયત કરે છે.

હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું :

તાજેતરના મુકદ્દમામાં જણાવાયું છે કે એલેક્સિસ, જે હવે 19 વર્ષનો છે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે 13 વર્ષનો હોવા છતાં 11 વર્ષની ઉંમરે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. શરૂઆતમાં એલેક્સિસ ખુશ હતી, પરંતુ ધીમે-ધીમે તેને ડિપ્રેશન, ચિંતા અને મંદાગ્નિની ફરિયાદ થવા લાગી. તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો સમય આવી ગયો હતો. આ પછી પણ ઇન્સ્ટાગ્રામ વતી તેને જોડવાનું કામ ચાલુ જ હતું.

સોશિયલ મીડિયા વિક્ટિમ્સ લૉ સેન્ટરના સ્થાપક મેથ્યુ પી. બર્ગમેને કોર્ટને કહ્યું કે, “તમે મેટાએ પોતે કરેલા વ્યાપક સંશોધનને જુઓ. તે સંશોધન કંપનીને ખ્યાલ આપે છે કે તે બાળકો સાથે શું કરી રહી છે.” શ્રી. બર્ગમેન ટેમી રોડ્રિગ્ઝનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, જે 11 વર્ષની કનેક્ટિકટ છોકરીની માતા છે જેણે ગયા ઉનાળામાં આત્મહત્યા કરી હતી. તેણીએ તેની પુત્રીના મૃત્યુમાં કથિત ભૂમિકા અંગે મેટા અને સ્નેપચેટ પર કેસ દાખલ કર્યા છે.

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Caution! This addiction to your child