Home Blog Page 1415

વેવાઈ-વેવાણ બાદ હવે સાસુ-જમાઈ ! બનાસકાંઠામાં પુત્રીની સગાઈ તૂટતા માતાએ જમાઈ સાથે ઘર માંડ્યું

0

Mother-in-law and son-in-law now

  • Palanpur marriage: અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા .

2020ના વર્ષમાં એક કિસ્સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન (Marriage) પહેલા વેવાઈ અને વેવાણ (Vevai and Vevana) ભાગી ગયા હતા. આ આખો મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો હતો. બાદમાં સમાજની સમજાવટ બાદ બંને પરત આવી ગયા હતા. જોકે દીકરા અને દીકરીના (Son and daughter) લગ્ન થાય તે પહેલા બંને પાછા ભાગી જતાં મામલો ફરી પોલીસ મથક પહોંચ્યો હતો. હવે બનાસકાંઠા (Banaskantha)ના એક બનાવે રાજ્યમાં ખૂબ ચર્ચા જગાવી છે. બનાવ એવો છે કે દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક સાથે માતાએ ઘર માંડી લીધું છે .

સરહદીય જિલ્લા બનાસકાંઠાના આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે. જેમાં દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો છે. 108 અભયમ્ હેલ્પલાઇન પર એક ફોન કોલ આવ્યો હતો. જે બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે આ કિસ્સામાં સમાજના આગેવાનો અને અભયમ્ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

 બનાસકાંઠાનો ચોંકાવનારો બનાવ : સરહદીય જિલ્લા બનાસકાંઠાના આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે. જેમાં દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો છે. 108 અભયમ્ હેલ્પલાઇન પર એક ફોન કોલ આવ્યો હતો. જે બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે આ કિસ્સામાં સમાજના આગેવાનો અને અભયમ્ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે 181 અભયમ હેલ્પલાઇન નંબર પર મદદ માટે એક કોલ આવ્યો હતો. જેમાં મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેના પર ત્રાસ ગુજારે છે. મહિલાની ફરિયાદ બાદ અભયમનો સ્ટાફ પોલીસ સાથે ફોન કરનાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. અહીં મહિલાની વાત સાંભળીને ખુદ અભયમનો સ્ટાફ આશ્ચર્યમાં મૂકાયો હતો .

46 વર્ષની વિધવા 30 વર્ષના યુવક સાથે રહેતી હતી. હકીકતમાં અભયમ પાસે મદદ માંગનાર મહિલાની ઉંમર 46 વર્ષની હતી. મહિલાના પતિનું વર્ષો પહેલા મૃત્યું થયું હતું. મહિલા પોતાના સંતાનો સાથે જીવન ગુજારી રહી હતી. આજથી ચાર વર્ષ પહેલા એક યુવક મહિલાની દીકરીને જોવા માટે આવ્યો હતો. જે બાદમાં બંનેનું સગપણ નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર મહિલાની દીકરી અને યુવકનું સગપણ અઢી મહિના જ ચાલ્યું હતું. જે બાદમાં આ કહાનીમાં વળાંક આવ્યો હતો. દીકરીનું જે યુવક સાથે સગપણ થયું હતું તે 30 વર્ષીય યુવક સાથે તેની માતાએ લગ્ન કરી લીધા હતા.

 બનાસકાંઠા:  2020ના વર્ષમાં એક કિસ્સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન (Marriage) પહેલા વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. આ આખો મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો હતો. બાદમાં સમાજની સમજાવટ બાદ બંને પરત આવી ગયા હતા. જોકે, દીકરા અને દીકરીના લગ્ન થાય તે પહેલા બંને પાછા ભાગી જતાં મામલો ફરી પોલીસ મથક પહોંચ્યો હતો. હવે બનાસકાંઠા (Banaskantha)ના એક બનાવે રાજ્યમાં ખૂબ ચર્ચા જગાવી છે. બનાવ એવો છે કે દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક સાથે માતાએ ઘર માંડી લીધું છે! (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

મહિલાની વાત સાંભળીને અભયમની ટીમે તેમને પોતાના સંતાનો પાસે પરત જવા માટે સજાવ્યા હતા. મહિલાને પોતાના પ્રથમ પતિથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલ મહિલાના ચારેય સંતાનો તેના દાદી સાથે રહે છે. આ કેસમાં હવે અભયમની ટીમ અને સામાજિક અગ્રણીઓએ મહિલાને સમજાવીને પોતાના સંતાનો પાસે પરત લઈ જવાની તજવીજ હાથ ધરી છે. એવી પણ માહિતી મળી છે કે અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.

નરેશ પટેલનું આજે કોકડું ઉકેલાશે, કાગવડથી કરશે રાજકારણની ખાસ જાહેરાત

0

Naresh Patel’s cock will be solved today

Naresh Patel Big Decision : રાજકારણમાં ન પ્રવેશવાની નરેશ પટેલ આજે કરશે સત્તાવાર કરશે જાહેરાત. નરેશ પટેલની પત્રકાર પરિષદમાં પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાશે.

ખોડલધામના (Khodaldham) ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં નહિ આવે તે હવે સામે આવી ગયુ છે. ત્યારે આજે તેઓ વિધિવત રીત રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરશે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બંધબારણે બેઠક કરશે. જેના પાદ તેઓ પત્રકાર પરિષદમાં (Press conference) પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત એટલા માટે ખાસ બની રહેશે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Election strategist Prashant Kishor) પણ નરેશ પટેલની PC માં જોડાશે.

રાજનીતિના PK વર્ચ્યુઅલી નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે PK ની સલાહ લેતા હતા. નરેશ પટેલ હંમેશા પ્રશાંત કિશોરને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતી નાવ છે.

પાટીદારોની બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી :

ગઈકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની વિશ્વ ઉમિયાધામ જાસપુર બંધબારણે બેઠક કરી છે. સરકાર સામે અનેક માંગોને લઈને પાટીદાર સમાજના વડાઓની મળેલી આ બેઠક ખાસ હતી. જેમાં સમાજના પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા કરાઈ. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેવાના હતા. પરંતુ તેઓ બેઠકમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જ્યાં પાટીદારની વિવિધ સંસ્થાઓના પ્રમુખ મળતા હોય ત્યારે નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.

આસામમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે જનજીવન થંભી ગયું; 42 લોકોએ ગુમાવ્યો જીવ

0

Landslides and heavy rains

  • આસામની રાજધાની ગુવાહાટીમાં મુશળધાર વરસાદની વચ્ચે સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ પર ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

આસામની (Assam) રાજધાની ગુવાહાટીમાં (Guwahati) મુશળધાર વરસાદની વચ્ચે સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ પર ભૂસ્ખલન (Landslides) થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત થઈ રહેલા વરસાદના કારણે આસામના ઘણાં શહેરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જો કે, હજી સુધી વરસાદી સંબંધી ઘટનાઓના પગલે કોઈ જાનહાનીના કોઈ મામલો સામે નથી આવ્યો .

આસામમાં આ વર્ષે ભૂસ્ખલનને લઈને 42 લોકોના મોત થયા :

રાજ્યમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત થયા છે. બોરગાંવમાં મંગળવારે ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોતનો આંકડો પણ તેમાં સામેલ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે કાટમાળ જમા થવાને કારણે ગીતાનગર, સોનાપુર, કાલાપહાર અને નિજારાપર વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

શહેરોના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા  :

આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે – અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણીગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFના જવાનો તૈનાત છે, અધિકારીએ જણાવ્યું હતું. બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા.

આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી નથી :

આસામ વીજળી વિત્રાન કંપની લિમિટેડ (APDCL) શહેરમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે 24 કલાક કામ કરી રહી છે, મહત્વનું છે કે, આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી વિનાના છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવ્યા છે.મકમરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ તેમના ઘરની બહાર આવવા અપીલ કરી છે.

આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે – હવામાન વિભાગ 

કામરૂપ મેટ્રોપોલિટનના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) દ્વારા જારી કરાયેલ વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને વર્ગો સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ગયા મહિને આસામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસાના આગમન બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.

 

શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે ? ઈન્ડિયન ઓઈલે આપ્યો આ જવાબ

0

Is there a shortage of petrol-diesel in the country

દેશમાં પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) તંગી હોવાની વાત ફેલાતો લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકોએ પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઇનો લગાવી દીધી છે. જો કે એક પેટ્રોલિયમ કંપનીએ (Petroleum Company) ચોખવટ કરી છે કે આ વાત માત્ર અફવા છે, દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઇ તંગી નથી. કેટલાંક અસામાજિક તત્વોએ (Antisocial elements) અફવા ફેલાવી છે અને આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે તેની તંત્ર તપાસ કરી રહ્યું છે. તંત્રએ કહ્યું છે કે અફવા ફેલાવનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

દેશમાં ડીઝલ અને પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાતા લોકો પરેશાન થઇ ગયા છે એ પછી Indian Oil Corporation (IOC)એ સ્પષ્ટતા જાહેર કરી છે. IOCએ મંગળવાર સાંજે  અફવાનું ખંડન કરતા કહ્યું છે કે દેશના કોઇ પણ હિસ્સામાં પેટ્રોલની કોઇ અછત નથી.દેશના કેટલાંક રાજ્યોમાં ડીઝલ અને પેટ્રોલની શોર્ટેજ છે એ વાત અફવા છે. કેટલાંક અસમાજિક તત્ત્વોએ લોકોને પરેશાન કરવા માટે આવા સમાચાર ફેલાવ્યા છે. રાજસ્થાન, ઉત્તરાખંડ,ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો આ અફવાનો શિકાર બન્યા છે. પેટ્રોલ-ડીઝલની અફવાને પગલે લોકોની પેટ્રોલ પંપ પર લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ છે. કેટલાંક પેટ્રોલ પંપો બંધ કરવાની નોબત ઉભી થઇ હતી.

ડીઝલ-પેટ્રોલની અછતને પગલે લોકો પરેશાન થયા પછી IOCએ ચોખવટ કરી છે કે દેશમાં ડીઝલ-પેટ્રોલની કોઇ અછત નથી. કંપનીએ કહ્યું કે બધા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.લોકોએ પેનિક કરવાની જરૂર નથી.

એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે સાઉદી અરેબિયાએ ભારતને તેલનો પુરવઠો બંધ કરી દીધો છે. જેના કારણે ડીઝલ અને પેટ્રોલની અછત સર્જાઈ છે. વીકએન્ડમાં ફેલાયેલી આ અફવાથી લોકો પરેશાન થઈ ગયા. રાજસ્થાનના જયપુર, ઉત્તરાખંડના દેહરાદૂન, મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. કેટલીક જગ્યાએ સ્થિતિ બેકાબૂ બનતા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હતા.

સ્થાનિક પેટ્રોલ પંપ એસોસિયેશને પણ કહ્યું છે કે બધા પેટ્રોલ પંપ પર પુરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ છે. દહેરાદુન પ્રસાશને કહ્યું છે કે અફવા ફેલાવનારા સામે કડક પગલા લેવામાં આવશે. એ પછી IOCના રિટેલ ડાયરેકટરે TWEET કરીને અફવાઓનું ખંડન કર્યું છે.

ફોટો પાડીને WhatsApp પર ખબર પડી જશે કે મોતિયો છે કે નહીં, જાણો શું છે નવી જોરદાર ટેકનિક

Take a photo and you will

  • Cataract એટલેકે મોતિયાની જાણકારી (Cataract information) લગાવવા માટે હવે એવી ટેકનિક આવી ગઇ છે, જેનાથી ચપટી વગાડતા ખબર પડી જાય કે તમને આ બિમારી છે કે નહીં. બસ એક WhatsApp પિક્ચર અને 1 મિનિટમાં આ ખબર પડી જશે કે તમારી આંખની રોશની ઓછી હોવાનુ કારણ મોતિયો છે કે નહીં.

આંખની તસ્વીર પરથી ખબર પડે છે મોતિયો :

સૌથી પહેલા તમને એ જણાવીશું કે આ કેવીરીતે થશે. હકીકતમાં તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે. આ ફોટોને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત WhatsApp chat bot પર અપલોડ કરવામાં આવશે. 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં આ વોટ્સએપ ચેટ બોટ તમને જણાવશે કે તમારી આંખોમાં મોતિયો છે કે નહીં.

ટેસ્ટમાં 92 ટકા સુધી સફળ છે ટેકનિક :

આ ટેકનિકનો ઉપયોગ દિલ્હીના એક ખાનગી આઈ સેન્ટર પર થઇ રહ્યો છે. દિલ્હીના Sharp sight centreના ડાયરેક્ટર ડૉ. સમીર સુદ મુજબ આ ટેકનિક algorithm પર આધારિત છે. જેનાથી મળતા પરિણામોને ડૉકટરોએ પોતાના રેગ્યુલર ટેસ્ટથી મળીને પણ જોયુ છે. 10 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં. ટેકનિકથી આવનારા પરિણામ 92 ટકા સાચા છે. હોસ્પિટલ પહોંચેલા દર્દી બ્રહમ બંસલની ફોટો ખેંચતા જ જણાવવામાં આવ્યું કે તેમને મોતિયો આવ્યો છે, પરંતુ તેમને તેની ખબર જ નથી.

હૈદરાબાદની કંપનીએ કર્યુ ટેકનિકનું નિર્માણ :

આ ટેકનિક હૈદ્રાબાદની આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીએ બનાવી છે અને દિલ્હીના એક ખાનગી આઈ કેર સેન્ટર પરથી શેર કરી છે. જેના માટે અત્યારે કોઈ ફી વસૂલવામાં આવતી નથી. ગામેગામ WhatsApp દ્વારા સ્ક્રીનિંગ કરી દર્દીઓની તપાસ કરાઈ રહી છે.

16 જૂન 2022, રાશિફળ : લક્ષ્મી માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકો પર થશે અઢળક ધનવર્ષા

June 16, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ-

દિવસ ની શરૂઆતનો અજંપો પાછળથી દૂર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ સુખ, શાંતિ રહે. સ્વાસ્થય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માન વધે. સ્નાયુ ના દુઃખાવાથી સાચવવું.

વૃષભઃ-

બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં કુટુંભમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુનઃ-

બપોર સુઘી આનંદ માં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવાર માં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશ નો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશર ના દર્દી ઓ એ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ-

આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારી થી પ્રશંસા મળતી જણાય. માન-સન્માન માં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય સારૂં રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

સિંહઃ-

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્નતા અનુભવાય. પરિવાર માં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રા‌િપ્ત સહજ બને. સ્થાવર-જંગમ મિલકત થી લાભ. સંતાન ની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ-

આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રેઇન ની સમસ્યા સતાવે.

તુલાઃ-

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રેકાણો ફાયદાકીયક પુરવાર થતા જણાય. પેટ સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃશ્ચિકઃ-

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના બાઇ બહેન સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

ધનઃ-

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃદ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનો એ સ્ત્રી રોગોની કાળજી રાખવી છે.

મકરઃ-

આવક ધટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ-

આત્મબળમાં વૃદ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદ ની સ્થિતિ પેદા થાય. શેરબજાર, તથા અન્ય રોકાણ થી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળ માં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ-

નવા કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના આ‌ર્થિક રોકાણો ટાળવા. સંતાન ની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

ઘર હો તો ઐસા ! આ ઘરની મુલાકાત લેવાં આવે છે દરરોજ વિદેશીઓ , એવું તો શું છે આ ઘરમાં આવો જાણીએ.

0

Aisa if you are at home

  • નિવૃત્ત બેંક અધિકારીએ એવું ઘર બનાવ્યું છેકે, દુનિયાભરથી લોકો અહીં વિઝીટ કરવા આવે છે. જાણો એવું તો શું છે આ ભાઈના ઘરમાં કે મંત્રી, સંત્રી અને વિદેશી મહેમાનો પણ અહીંની મુલાકાતે આવે છે.

આજકાલ મોટા મોટા શહેરોમાં પ્રદુષણનું (Pollution) પ્રમાણ બહુ વધી ગયું છે. તેનું કારણ છે ઈન્ડસ્ટ્રી, જંગલોમાં વૃક્ષોનું છેદન, ગંદકી વગેરે. દર વર્ષે પર્યાવરણના દિવસે લોકો મોબાઈલમાં અથવા કોઈ સમારોહમાં મોટી મોટી વાતો કરે કે લાખો વૃક્ષો વાવશું, સ્વચ્છતા રાખશું પરંતુ એવું કશું થતું નથી અથવા એ એક દિવસ માટે વધી કામગીરી કરવામાં આવે છે. આ બધાથી કંટાળીને ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) આગ્રામાં એક નિવૃત બેંક અધિકારીએ (Retired bank officer) પોતાના ઘરને ગ્રીન હાઉઝમાં તબદીલ કરી દીધું. તમને સવાલ થતો હશે કે આ કેવી રીતે શક્ય છે. આ ઘરની ખાસિયતો વિશે આવો વદુ વધુ માહિતી જાણીએ.

ઉત્તરપ્રદેશના આગ્રાના શાહગંજ વિસ્તારમાં ચંદ્રશેખર શર્મા નામના એક નિવૃત બેંક અધિકારીનું ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું. માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ જર્મની, જાપાન અને બાંગ્લાદેશના વિદેશી પર્યટકો આ ઘરની મુલાકાત લઈ ચુક્યા છે. ચંદ્રશેખર શર્માએ પોતાના ઘરનું નામ પણ ગ્રીન હાઉઝ રાખ્યું છે. તેમના ઘરમાં 400 વેરાયટીના 1000 વિવિધ પ્રકારના છોડ છે. આ તમામ છોડને 6300 સ્ક્વેર ફુટ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે.

તેમની મિલકતની બાહ્ય દિવાલોનો મોટો ભાગ વર્ટિકલ ગાર્ડનથી ઢંકાયેલો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે પોતાના નિવાસસ્થાને આગ્રા ક્ષેત્રમાં દુર્લભ એવા કમળના છોડ ઉગાડ્યા છે. છેલ્લાં બે વર્ષમાં, તેમણે શહેરભરના 50થી વધુ ઘરોને તેમના “ગ્રીનહાઉસ” મોડલને અમલમાં મૂકવામાં મદદ કરી છે. તેઓ કહે છે કે તેમણે 2,000થી વધુ વૃક્ષો વાવ્યા છે અને આગામી વર્ષમાં 500 વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેઓ કહે છે કે “હું છોડ અને વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છું અને તેમને મારા બાળકોની જેમ પ્રેમ કરું છું.”

ઉત્તરપ્રદેશમાં 40થી વધુ ડિગ્રીની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં ચંદ્રશેખર શર્માનું ઘર શહેરના કુલ વાતાવરણ કરતા 5 ડિગ્રી ઓછું રહે છે. એટલું જ નહીં સેન્ટ્ર્લ પોલ્યુશન કંટ્રોલ બ્યુરોએ તેમના ઘરનું એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ સર્વોત્તમ કેટેગરીમાં હોવાનું જણાવ્યું. ડિવિઝનલ હોર્ટીકલ્ચર એક્સીબિશનમાં 7 વાર વિજેતા બનેલા ચંદ્રશેખર શર્માએ કહ્યું કે, “મેં મારા ઘરની લગભગ બધી ખાલી જગ્યાનો ઉપયોગ છોડ ઉગાડવા માટે કર્યો છે, જેમાં છત અને દિવાલોનો સમાવેશ થાય છે. હાલમાં, મારા છોડમાં ફૂલો, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. મેં વિવિધ વેલ અને ઝેરોફાઇટ્સ (એક છોડ કે જેને ખૂબ ઓછા પાણીની જરૂર હોય છે) પણ ઉગાડ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું કે “છેલ્લા ત્રણ દાયકાથી, મેં મુગલ અને જાપાનીઝ તકનીકોનો અભ્યાસ કર્યો છે અને તેને મારા ઘરે અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. મારી પાસે ટપક સિંચાઈ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી ન હોવાથી, હું તેને પાણી આપવા માટે ફુવારોનો ઉપયોગ કરું છું. હું વર્મી કમ્પોસ્ટ તૈયાર કરું છું. જેથી છોડને જરૂરી તત્વો મળતા રહે.

તેમણે કહ્યું કે, “કોઈપણ કૃત્રિમ નવનિર્માણ કુદરતી સૌંદર્યને હરાવી શકે નહીં. લોકોએ તેમના ઘરને સુંદર બનાવવા માટે આ ગ્રીન પદ્ધતિ પસંદ કરવી જોઈએ. છોડ ઘણી બધી સકારાત્મક ઉર્જાનો સ્ત્રાવ કરે છે અને તે તણાવને પણ દૂર કરે છે. ઉપરાંત, તેઓ પ્રદૂષણને દૂર રાખે છે. કોઈપણ વ્યક્તિ આવીને મારા ઘરમાં તાપમાનની તપાસ કરી શકે છે અને તે જાતે પરિણામ નિહાળી શકે છે.”

ચંદ્રશેખર શર્માની પત્ની નીલમે કહ્યું કે, “અમારી સવાર પક્ષીઓના મધુર અવાજથી શરૂ થાય છે. અમારા ઘરમાં ચકલી, બુલબુલ અને હમીંગબર્ડ્સને આવતા જોઈ શકો છો. પતંગિયાઓએ પણ છોડ પર જોવા મળતા રમણીય દ્રશ્યો જોવા મળે છે. મારા પતિ દરરોજ છોડની દેખભાળ રાખવા માટે આશરે 2 કલાકનો સમય કાઢે છે.

ઉર્વશી રૌતેલા કોલેજ પહોંચતા જ વિદ્યાર્થીઓએ લગાવ્યા ‘ઋષભ-ઋષભ’ના નારા, VIDEOમાં જુઓ શું હતું એક્ટ્રેસનું રિએક્શન

Urvashi Rautela arrives at the college

  • ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતે કથિત રીતે એકબીજાને ડેટ કર્યા હતા અને પછીથી બંનેએ એકબીજાને વોટ્સએપ પરથી બ્લોક કરી દીધા હતા.

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત એક બીજાને ડેટ કરી ચુક્યા છે. ઉર્વશી રૌતેલાને આઈપીએલ મેચ (IPL match) વખતે સ્ટેડથી પંત માટે ચીયર કરતા પણ જોવામાં આવી છે. પરંતુ થોડા સમયમાં જ સંબંધ તૂટી ગયો અને ખબર આવી કે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને (Urvashi Rautela) બ્લોક કરી દીધી છે. આ બન્ને સ્ટાર્સ તો બ્રેકઅપથી (Breakup) આગળ વધી ચુક્યા છે. પરંતુ ફેન્સ સતત તેમને આ ભુલવા નથી દઈ રહ્યા. ત્યાંરે જ હાલમાં જ ઉર્વશી જ્યારે એક કોલેજમાં ગઈ તો ત્યાં સ્ટૂડન્ટ્સ ઋષભ-ઋષભના નારા લગાવવા લાગ્યા.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો :

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઉર્વશીને ગુલાબી રંગના ડ્રેસમાં જોઈ શકાય છે. ત્યાં તે પોતાના બોડીગાર્ડ્સની સાથે જોવા મળી રહી છે. પાછળ ઋષભ-ઋષભનો અવાજ આવી રહ્યો છે પરંતુ ઉર્વશી તેને ઈગ્નોર કરીને આગળ જતી દેખાઈ રહી છે. આ વીડિયો દહેરાદૂનની એરા યુનિવર્સિટીનો છે.

બન્નેએ એક બીજાને કર્યા છે બ્લોક :

ઉર્વશી અને ઋષભના બ્રેકઅપ બાદ ખબર આવી કે ઉર્વશી અને ઋષભે એક બીજાને વોટ્સએપ પર બ્લોક કરી દીધા કારણ કે તેમના સંબંધને આગળ વધારવા ન હતા માંગતા. ઉર્વશીના પ્રવક્તાએ કહ્યું કે મેસેજીંગ એપ પર એક બીજાને બ્લોક કરવાનો નિર્ણય બન્ને પક્ષોએ લીધો હતો.

ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે પંત :

બાદમાં ઋષભે ઈશા નેગીની સાથે પોતાના સંબંધની પુષ્ટિ કરી હતી. ઋષભે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેમીકાની સાથે એક કોઝી ફોટો શેર કરતા એક નોટ લખ્યું હું. “મેં ફક્ત તમને ખુશ કરવા માંગુ છુ કારણ કે તમે જ કારણ છો કે હું ખૂબ જ ખુશ છું.” ઈશાએ ઋષભ માટે એક નોટ શેર કરી હતી જેમાં લખ્યું હતું, “માય મેન, માય સોલમેટ, માય બેસ્ટ ફ્રેન્ડ, લવ ઓફ માય લાઈફ.”

આ પંખો વીજળી વિના જબરદસ્ત ઠંડક આપશે, કિંમત જાણીને આજે ખરીદી લેશો 

fan cools tremendously without electricity

  • બજારમાં આવા ઘણા ઉપકરણો છે, જેનાથી તમે પાવર ગયા પછી પણ ગરમીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવા પંખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વીજળી વગર જબરદસ્ત ઠંડક આપશે. આવો જાણીએ…

ઉનાળાની સિઝન (Summer season) ચાલી રહી છે અને તેની સાથે એસી અને કુલરની માંગ પણ આસમાને સ્પર્શવા લાગી છે. સિઝન આવતાની સાથે જ કુલર-એસીના ભાવ (Cooler-AC prices) વધી જાય છે. આ સિવાય ઉનાળામાં સૌથી મોટી સમસ્યા પાવર કટની છે. વીજકાપના કારણે મજબૂરીમાં ગરમીમાં રહેવું પડે છે. પરંતુ માર્કેટમાં આવા ઘણા બધા ઉપકરણો છે જેનાથી તમે પાવર ગયા પછી પણ ગરમીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવા પંખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વીજળી વગર જબરદસ્ત ઠંડક આપશે. આવો જાણીએ…

Adonai Folding Fan  :

એડોનાઈ ફોલ્ડિંગ ફેન એકદમ હલકો છે અને વીજળી વિના રૂમને જબરદસ્ત ઠંડક આપે છે. તેમાં બેટરી ફીટ કરવામાં આવી છે. ફુલ ચાર્જ થતાં જ તે કલાકો સુધી વીજળી વગર ચાલે છે. પંખાની બેટરી ચાર્જ કરવા માટે તેમાં USB પોર્ટ છે. તેમાં એલઈડી લાઈટ પણ છે, જેનો ઉપયોગ ઈમરજન્સી તરીકે થઈ શકે છે. આ પંખો રસોડામાં, ઓફિસમાં ગમે ત્યાં વાપરી શકાય છે. આ પંખો ફોલ્ડ થાય છે. એટલે કે તેને બેગ કે લેડીઝમાં પણ રાખી શકાય છે.

મહત્વની બાબત એ છે કે પંખો 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે. એટલે કે, તે દિવાલ અથવા ટેબલ પર મૂકી શકાય છે. આ આસપાસ હવા આપશે અને રૂમને ઝડપથી ઠંડુ કરશે. તે ખૂબ જ હળવા છે, તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તે સંપૂર્ણપણે પ્લાસ્ટિકમાંથી બનેલું છે. તેમાં બટન્સ આપવામાં આવ્યા છે, જેના દ્વારા ફેનને કંટ્રોલ કરી શકાય છે.

Adonai ફોલ્ડિંગ ફેન કિંમત :

આ પોર્ટેબલ ફેન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. Adonai ફોલ્ડિંગ ફેનની કિંમત રૂ. 1,899 છે પરંતુ એમેઝોન પર રૂ. 1,198માં ઉપલબ્ધ છે. એટલે કે ફેન પર સંપૂર્ણ 37% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

Team India : આ 3 ખેલાડીઓ છે ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાના દાવેદાર, તેવોનાં તેવર છે તોફાની 

0

These 3 players are the next captain of Team Indian

  • ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા હાલમાં 35 વર્ષનો છે અને 3 એવા ખતરનાક ક્રિકેટર છે, જે રોહિત શર્મા પાસેથી ટેસ્ટ, ODI અને T20માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છીનવી શકે છે. ચાલો તે 3 ખેલાડીઓ પર એક નજર કરીએ.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પાસે કેપ્ટનશિપ (Captaincy) કરવા માટે વધુ સમય બચ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમ પાસે 3 એવા મજબૂત ક્રિકેટર છે, જે રોહિત શર્મા (Rohit Sharma) પાસેથી ટેસ્ટ, ODI અને T20ની કેપ્ટનશિપ છીનવી શકે છે. આ ત્રણેય બેટ્સમેન ખૂબ જ તોફાની બેટિંગમાં પણ નિષ્ણાત છે. રોહિત શર્માની ઉંમરને જોતા ભારતીય ક્રિકેટ ટીમમાં તેનું શાસન લાંબો સમય ટકશે નહીં. રોહિત શર્મા અત્યારે 35 વર્ષનો છે અને 3 એવા ખતરનાક ક્રિકેટર છે, જેઓ રોહિત શર્મા પાસેથી ટેસ્ટ, ODI અને T20માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છીનવી શકે છે. ચાલો તે 3 ખેલાડીઓ પર એક નજર કરીએ:

1. ઋષભ પંત :

ઋષભ પંત ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણેય ફોર્મેટમાં પંતનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. રિષભ પંત સ્માર્ટ મન ધરાવે છે. ઋષભ પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે. IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતી વખતે પંતે શાનદાર પ્રદર્શન કર્યું છે.

2. શુભમન ગિલ :

શુભમન ગિલે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તે પ્રવાસમાં, શુભમન ગિલે વિશ્વના શ્રેષ્ઠ બોલર પેટ કમિન્સનો સારી રીતે સામનો કર્યો અને ભારતીય ટીમની શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. શુભમન ગિલ 2019 દેવધર ટ્રોફીમાં સુકાની હતી. ઈન્ડિયા સીની કેપ્ટનશીપ કરતી વખતે ગિલે પહેલી જ મેચમાં 143 રનની શાનદાર સદી ફટકારી હતી. આ પછી, શુબમન ગીલના નેતૃત્વમાં ઇન્ડિયા Cની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો. શક્ય છે કે શુભમન ગિલ 2023 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કમાન સંભાળતા જોવા મળે.

3. શ્રેયસ અય્યર :

મુંબઈના 27 વર્ષીય બેટ્સમેન શ્રેયસ અય્યરે વર્ષ 2017માં ભારતીય ટીમ માટે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. કેપ્ટનશીપ વિશે વાત કરીએ તો, ઐયરને IPL 2018માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, IPL 2020 માં, દિલ્હી કેપિટલ્સની ટીમે તેની કેપ્ટનશીપમાં ફાઈનલ સુધીનો પ્રવાસ કર્યો. આ સંદર્ભમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે તે વર્લ્ડ કપ 2023 પછી ભારતીય ટીમની કેપ્ટનશિપનો મુખ્ય દાવેદાર છે. આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો, જેના કારણે તેને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવાની તકો પણ મળી હતી.